Friday, March 15, 2024

વડાપ્રધાન મોદીજી દ્વારા “નેશનલ ક્રિયેટર અવોર્ડ-૨૦૨૪” શું છે ? (What is “National Creator Award-2024” by Prime Minister Modi?)

 


national creators award 2024 nominees list

   ભારત સરકાર એટલે કે વર્તમાન BJP સરકારના લાડીલા વડા અને આપણા વર્તમાન વડાપ્રધાન સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અત્યારે એક કાર્યક્રમ થઇ ગયો જેમાં તેમને સોસીયલ મીડિયા ઇન્ફુએન્સરને અવોર્ડ આપ્યા. “નેશનલ ક્રિયેટર અવોર્ડ-૨૦૨૪”
 
   આ અવોર્ડ કોને મળે છે અને કેમ તેવો પ્રશ્ન થાય તે સહજ છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એ વાર્તા કહેવા, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું,  શિક્ષણ,  ગેમિંગ સહિત સમગ્ર ડોમેન્સમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમવાર રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કાર પ્રદાન થયો. આ પ્રસંગે તેમણે ત્યાં ઉપસ્થિત સભાને પણ સંબોધિત કર્યા. એવોર્ડ એ વાર્તા કહેવા, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું,  શિક્ષણ,  ગેમિંગ સહિત સમગ્ર ડોમેન્સમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો અને તેમને આગળ વધારવાનો હેતુ છે. હવેનું ભારત ડીઝીટલ ભારત થઇ ગયું. ભારતમાં તેવા તેવા ભેજાભાજ ભર્યા છે કે ન પૂછો. સર્જન અને કલા ક્ષેત્રે હમેશાં ભારત અગ્રણી રહ્યો છે. હવે સોસીયલ મીડિયાના માધ્યમથી લોકો ભાત ભાતનું કંટેન પીરસી રહ્યા છે.

   પુરસ્કારમાં 1.5 લાખથી વધુ નામાંકન અને લગભગ 10 લાખ મતો સાથે અપાર જાહેર જોડાણ જોવા મળ્યું છે. સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટે આ એવોર્ડની કલ્પના લોન્ચ-પેડ તરીકે કરવામાં આવી છે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર અનુકરણીય જાહેર જોડાણનો સાક્ષી છે. પ્રથમ રાઉન્ડમાં 20 વિવિધ કેટેગરીમાં 1.5 લાખથી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા હતા.

   વોટિંગ રાઉન્ડમાં, વિવિધ એવોર્ડ કેટેગરીમાં ડિજિટલ સર્જકો માટે લગભગ 10 લાખ મત પડ્યા હતા. આ પછી, ત્રણ આંતરરાષ્ટ્રીય સર્જકો સહિત 23 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા.
  
   શ્રેષ્ઠ વાર્તાકારના એવોર્ડ સહિત વીસ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. ધ ડિસપ્ટર ઓફ ધ યર, સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ,  મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર,  કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર,  ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ, બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડ,  સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ,  ધ ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ,  ટેક ક્રિએટર એવોર્ડ, હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડ, મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ અને સ્ત્રી),  ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર, એજ્યુકેશન કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર,  ગેમિંગ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર,  બેસ્ટ માઇક્રો ક્રિએટર,  બેસ્ટ નેનો ક્રિએટર, બેસ્ટ હેલ્થ અને ફિટનેસ ક્રિએટર .

national creators award 2024 nominees list image


  • રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કાર 2024 ના વિજેતાઓની સૂચિ:
નીચે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024 ના વિજેતાઓની યાદી છે.
 
  • ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ: અભિ અને નિયુ

  • શ્રેષ્ઠ વાર્તાકાર પુરસ્કાર: કીર્તિકા ગોવિંદસામી (કીર્તિ ઇતિહાસ)

  • ડિસપ્ટર ઓફ ધ યર એવોર્ડઃ રણવીર અલ્લાહબડિયા

  • ગ્રીન ચેમ્પિયન એવોર્ડ: કુ. પંકતિ પાંડે

  • બેસ્ટ ક્રિએટિવ ફોર સોશિયલ ચેન્જ એવોર્ડઃ જયા કિશોરી (આધુનિક સમયની મીરા)

  • મોસ્ટ ઇમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર એવોર્ડ: લક્ષ્ય દબાસ

  • કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડઃ મૈથિલી ઠાકુર

  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સર્જક પુરસ્કાર: ડ્રુ હિક્સ, કિરી પોલ, કેસાન્ડ્રા મે સ્પિટમેન

  • બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડઃ કામિયા જાની (કર્લી ટેલ્સ)

  • ટેક ક્રિએટર એવોર્ડ: ગૌરવ ચૌધરી (ટેકનિકલ ગુરુજી)

  • સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ: મલ્હાર કલમ્બે

  • હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડઃ જાહ્નવી સિંહ

  • શ્રેષ્ઠ સર્જનાત્મક સર્જક સ્ત્રી પુરસ્કાર: શ્રદ્ધા

  • શ્રેષ્ઠ સર્જનાત્મક સર્જક - પુરૂષ પુરસ્કાર: આરજે રૌનક

  • ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર એવોર્ડઃ કબિતાઝ કિચન

  • શિક્ષણ શ્રેણીમાં શ્રેષ્ઠ સર્જક પુરસ્કાર: નમન દેશમુખ

  • બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર એવોર્ડઃ અંકિત બૈયનપુરિયા

  • ગેમિંગ ક્રિએટર એવોર્ડ: નિશ્ચય (ટ્રિગર ઇન્સાન)

  • બેસ્ટ માઈક્રો ક્રિએટર એવોર્ડઃ અરિદમન

  • શ્રેષ્ઠ નેનો સર્જક એવોર્ડઃ પીયૂષ પુરોહિત

  • શ્રેષ્ઠ સેલિબ્રિટી સર્જક એવોર્ડ: અમન ગુપ્તા (બોટના સ્થાપક અને સીઈઓ)


   તો આ બધું ક્રિએટર્સ એવોર્ડ 2024 વિશે હતું. ભારતીય કન્ટેન્ટ સર્જકોની મહેનતને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે સરકાર તરફથી આ એક સકારાત્મક પગલું હતું. આવનારા વધુ સમય સાથે આ પ્રથમ આવૃત્તિ હતી.
 
   આ  પ્રથમ વખત છે જ્યારે ભારત સરકારે સોશિયલ મીડિયા સર્જકોને તેમના પ્રયાસો માટે સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024 નો ઉદ્દેશ્ય ભારતને ડિજિટાઇઝેશન તરફ આગળ વધારવા માટે આ સર્જકોના પ્રયાસોને માન્યતા આપવાનો છે. હાલમાં સામગ્રી બનાવવાનો ઉદ્યોગ એક અબજ ડોલરનો ઉદ્યોગ છે જે ઝડપથી વધી રહ્યો છે અને આ સર્જકોનો આમાં મોટો હાથ હતો. તેઓ સામાજિક પરિવર્તન અને વૃદ્ધિના મહાન ઉત્પ્રેરક છે. તેથી આ પુરસ્કાર તમામ ભારતીય સર્જકો માટે એક વિશાળ પ્રેરણા બની ગયો છે.


જૈમિન જોષી. 

Tuesday, March 12, 2024

શામળાજીના મેળે (Shamlaji fair)

  •  શામળાજી મંદિર ક્યાં આવેલું છે અને તેના મેળાનું શું મહત્વ છે?



Shamlaji Temple




                               

 ભારતદેશ એ વિવિધતાનો દેશ છે. ભારતમાં રહેતા પ્રજાજનોની એક આગવી શૈલી છે. આવી જ વિવિધતા સાથે જીવતી પ્રજામાં એક એવી જાતિ જે મેળામાં નૃત્ય કરીને આનંદ માણતી હોય.આપણે ગણા લોકગીતો સાંભળ્યાં હશે તેમનું એક શામાંલાજીનના મેળે રણઝણિયુંને પેંજણિયું વાગે તે ન સાંભળ્યું હોય તેવું તો ના જ બને. ઢોલ વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકાં જોવાનો લ્હાવો લેવા આપણે શામળાજીના મેળે જવું પડે. ગુજરાતમાં શ્રીકૃષ્ણ કે વિષ્ણુનાં મંદિરોવાળાં તીર્થોમાં દ્વારકા, ડાકોર અને શામળાજી મુખ્ય ગણાય. આ ત્રણેયમાં સાબરકાંઠાના ગિરિવનવાસીઓના પ્રિય કાળિયા દેવશામળાજીમાંનું ચતુર્ભુજ વિષ્ણુનું મંદિર શિલ્પસૌંદર્ય બાબતે અસાધારણ અને જોવા યોગ્ય છે. મંદિરને ડુંગરો, જંગલો અને મેશ્વો નદીના તટસૌંદર્ય જેવી પાર્શ્વભૂમિનો પ્રાકૃતિક લાભ મળ્યો છે. વળી જલાગાર જેવો દેખાતો મેશ્વોબંધ અહીંના સ્થાનસૌંદર્યમાં ઉમેરો કરે છે.

   ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલું શામળાજી હિંમતનગરથી ઉદેપુર રેલવે લાઇનથી ૪૬ કિ.મી.ના અંતરે છે. દર પૂનમે અને કારતક મહિનામાં પ્રતિવર્ષ ભરાતા શામળાજીના મેળે આદિવાસીઓના ઉમંગની રણઝણિયું અને પ્રેમની પેંજણિયું વાગતી રહે છે.

   ગુજરાતમાં પંદરમી સદી પછી નિર્માણ થયેલાં મંદિરોમાં શામળાજીની શિલ્પશૈલી સૌથી વધુ કલાત્મક અને સુંદર હોવાનું મનાય છે. એ મંદિરનો જીર્ણોદ્ધાર કરતી વેળાએ પણ મંદિરના પુરાણા સ્વરૂપ અને સુંદરતાને સંભાળી રાખવાની સભાનતા રખાઈ છે. ઉત્તરાભિમુખ મંદિરની જગતીનો ભાગ વિશાળ છે ગજધર અને તોરણ સહિતના પ્રવેશદ્વારની સામેના સભાખંડ સમક્ષ દેવમૂર્તિ સ્થાપન થયેલી છે. ગદાધર મૂર્તિએ જાણે ડાકોરના ઠાકોર (રણછોડજી)નું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગે. સવા પાંચ ફૂટ ઊંચી અને કાળા આરસમાંથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમાની સમક્ષ અંજલિમુદ્રામાં ઊભેલા માનવાકૃતિ ગરુડજીનું રૂપ પણ અત્યંત મનોહારી છે.

Samlaji melo


   શામળાજી ઐતિહાસિક અસ્મિતા ધરાવતું સ્થળ છે. મેવાડની ધાર પર વસેલા આ સ્થાનની આજુબાજુ નાનાં-મોટાં દેવાલયોના અગણિત અવશેષો નજરે પડે છે. જેમાં હરિશ્ચંદ્રની ચોરી, ત્રિલોકીનાથ, કાશીવિશ્વનાથ અને રણછોડરાયજી તથા કર્માબાઈ તળાવ વગેરેથી ઇતિહાસના વારસાની ઝાંખી થઈ રહે છે. ગ્રામ્યપ્રજામાં કળશી છોકરાંની મા' તરીકે ઓળખાતી અને જેની મુકુટરૂપ પરિક્રમામાં ચોવીસ અવતારોની કોતરણી થયેલી છે તે મહાવિષ્ણુની મૂર્તિ સૌથી વધુ નોંધપાત્ર કહેવાય. અહીં બૌદ્ધકાળના અવશેષ દર્શાવતાં નાનાં મોટાં અને ઈંટેરી સ્તૂપ આ સ્થાનને બુદ્ધયુગનું મહત્ત્વનું કેન્દ્ર હોવાનું પણ સૂચવે છે.

 

   આદિવાસી વિસ્તારના વિકાસ માટે અહીં કેળવણી સંસ્થાઓ, સુંદર આશ્રમશાળાનું નિર્માણ થયેલું છે. મેશ્વો નદી પરનો બંધ બે ડુંગરની વચાળે બંધાયો છે. હરણ ઝડપે ધસી આવતી નદીને ડુંગર વચ્ચે ઘેરી લઈને જાણે સરોવર સ્વરૂપ ધારણ કરવાની ફરજ પડાઈ. સરોવરની સીમામાં બંધાયેલ નિર્મળ જળ મનને શીતળતા પ્રદાન કરે છે.પ્રલંબ જળરાશીમાં હોડકાં તરતાં હોય એ દ્રશ્ય રમણીયતા વધારે છે. કિનારા તરફ આવતી જળલહરીઓદિલને ટાઢકથી તરબોળ કરે છે.

   મંદિરથી પૂર્વ તરફના પરિસરમાં થોડી મુસ્લિમ વસતી રહે છે. ઉત્તરે આદિવાસી વિસ્તાર અને પશ્ચિમ તરફ પાણી-પુરવઠા, સિંચાઈ ખાતું અને વિશ્રામગૃહ જેવા મકાનો છે.

   હાલનું મંદિર જૂની-નવી શિલ્પ-કળાની સંગમ રૂપ ધરીને લોકશ્રદ્ધાનું સ્થાનક બન્યું છે. અગાઉ આ મંદિર હરિશ્ચંદ્રની ચોરીના નામે ઓળખાતું. તેના પ્રવેશદ્વાર પરનું તોરણ ગુજરાતનાં મંદિર તોરણોમાં સૌથી પ્રાચીન ગણાયું છે. કમાનનો ટોચ ભાગ જેનો નષ્ટ થયેલ છે તેવું આ તોરણ હાલ ૧૧ ફૂટ જેટલું ઊંચું છે.

  • શામળાજી કઈ રીતે પહોચવું?

   શામળાજીના મેળે પહોંચવા નજીકનું મોટું રેલવે સ્ટેશન હિંમતનગર છે. ત્યાંથી ૪૬ કિ.મી. દૂર શામળાજી આવેલું છે. અમદાવાદથી મોટર માર્ગે જતાં ૧૨૦ કિ.મી.નું અંતર કાપી શામળાજી પહોંચી શકાય. કારતકી પૂનમે પદયાત્રીઓ, જે દક્ષિણ કે મધ્યગુજરાત અથવા મુંબઈ તરફથી આવતા હોય તે નડિયાદ પર થઈને મોડાસાના રસ્તેથી પહોંચી શકે. પ્રાંતિજ હિંમતનગરનો રસ્તો થોડો લાંબો પડે. શામળાજીની મૂર્તિ આશરે બે હજાર વરસ જેટલી પ્રાચીન હશે એવું ત્યાંના વડીલો કહે છે. અહીં ગજથર અને નરથરના ઉપરના ભાગે કંડારાયેલી કેટલીક મૂર્તિઓનાં શિલ્પ કલાત્મક અને મિથુન પ્રકારનાં છે. નરસિંહ મહેતાના વાણોતર બનીને દામોદર શેઠ સ્વરૂપે આવેલા શામળાજી ઉપર આજે પણ શ્રદ્ધાળુઓને ભારે ભરોસો છે. એક વડીલને મેં દરરોજ સવારે ગાતાં સાંભળ્યા છે તારો ભરોસો મને ભારી વ્હાલા શામળા.'

{(source:યાત્રા –પર્વ)copy વાડીભાઈ જોશી}                        

જૈમિન જોષી.


ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...