Monday, May 18, 2026
પત્ની અને પ્રેમિકા વચ્ચે ખાતો હીરો : મુખ્યમંત્રી (Hero eating between wife and girlfriend: Chief Minister)
Sunday, May 10, 2026
“મા: અંતિમ શ્વાસ સુધી સંતાન માટે લડતું હૃદય | મધર્સ ડે વિશેષ ભાવનાત્મક સત્ય ઘટના” (“Mother: A heart that fights for its child till its last breath | Mother's Day Special Emotional True Story”)
“મા હોય ત્યાં સુધી જ ઘર, ઘર લાગે છે…”
મા વગર જીવન અધૂરું કેમ લાગે છે?
માતાનો પ્રેમ કેમ ભગવાન સમાન છે?
પરિવારમાં સંબંધો કેમ તૂટે છે? એક સત્ય ઘટના જે દિલ હલાવી દેશે..
ખુબ સાંભળેલું અને વાઇરલ થયેલું વાક્ય કે, દુનિયામાં ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નહોતા, તેથી કદાચ તેમણે “મા” બનાવી.
મા…
આ એક એવો શબ્દ છે, જે બોલતા જ હૃદયમાં અજાણી શાંતિ ઉતરી આવે છે. દુનિયામાં કદાચ દરેક સંબંધ કોઈને કોઈ શરત પર ટકેલો હોય, પરંતુ માતાનો પ્રેમએ એકમાત્ર એવો પ્રેમ છે, જે નિશ્વાર્થ, પવિત્ર, પ્રમાણિક, નિઃશબ્દ અને અખૂટ હોય છે.
મધર્સ ડે આવે એટલે સોશિયલ મીડિયા પર ફોટા, સ્ટેટસ અને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ જાય છે. પરંતુ શું મા માટે એક દિવસ પૂરતો પ્રેમ કે સન્માન બતાવવું યોગ્ય છે? જો માતા પોતાનું આખું જીવન સંતાન માટે જીવે અને તેમાં એ વળતરમાં દેખાડાની લાગણી મળે તો તે લાગણીને ઉકરડામાં નાખી દેવી જોઈએ. માં પોતાના સપનાઓને અધૂરા રાખીને પોતાના સંતાનના સપનાઓને પૂરાં કરવા માટે લડે છે, ત્યાગ કરે છે અને સૌથી મોટું તે સહન કરે છે. માં થી વધુ સહનશીલ દુનિયામાં કોઈ નથી. એક સ્ત્રી પોતાના સન્માન માટે કોઈનું ખોટું સહન નથી કરતી અને જો કોઈ એક તરફી જડતા પૂર્વક વિચારને વળગી રહે તો તેને કોઈ બંધન રોકી શકતું નથી પણ જ્યાં સંતાનની વાત આવે ત્યાં તેના ઉછેર ગણતર અને જીવન માટે સ્ત્રી કડવા ઘુટડા રોજ પી જતી હોય છે.
મને એક બહુ ચર્ચિત એક સત્ય ઘટના યાદ આવે છે. એક સામાન્ય ગરીબ પરિવારની મા રોજ સવારે ચાર વાગ્યે ઊઠતી. ઘરમાં બધાં સૂતા હોય ત્યારે તે ધીમા પગલે કોઈને ખલેલ ન પહોંચે તે રીતે રસોડામાં કામ શરૂ કરતી. સંતાનને સારી સ્કૂલમાં ભણાવી શકે એ માટે તે બીજા લોકોના ઘરે વાસણ ધોવાનું કામ પણ કરતી. દીકરો મોટો થયો, સફળ બન્યો, શહેરમાં મોટી નોકરી મળી ગઈ. એક દિવસ કોઈએ એને પૂછ્યું, “તમારી સફળતાનું રહસ્ય શું છે?”
એણે થોડું મૌન રાખીને કહ્યું,
“મારી મા… કારણ કે હું થાકી જાઉં ત્યારે મને આરામ મળતો, પણ મારી મા ક્યારેય થાકવાની પરવાનગી જ પોતાને આપતી નહોતી.”
ખરેખર, માતા ક્યારેય પોતાના દુઃખનો હિસાબ રાખતી નથી. બાળકને તાવ આવે તો આખી રાત જાગી જાય, પરંતુ પોતે બીમાર હોય તો પણ ઘરનું કામ બંધ ન કરે. સંતાનના ચહેરા પરનું સ્મિત જ તેની સૌથી મોટી કમાણી હોય છે.
આજના સમયમાં આપણે બધા ખૂબ વ્યસ્ત થઈ ગયા છીએ. કામ, મોબાઇલ અને જવાબદારીઓ વચ્ચે ઘણી વાર મા સાથે બે મિનિટ બેસીને વાત કરવાનું પણ રહી જાય છે, પરંતુ જરા વિચાર કરો કે ઘરમાં માની બંગડી કે તેના ચાલતા પગલાંનો એહસાસ ન થાય તો શું એ ઘરમાં આપણું મન લાગશે ? શું થશે જે દિવસે પોતાનું કહેવાવાળું, નિશ્વાર્થ લાગણી ધરાવતું આપણું કોઈ નહિ હોય... યાદ રાખજો એક દિવસ એવો આવશે જ્યારે એ અવાજ સાંભળવા માટે હૃદય દ્રવી ઉઠશે.
કારણ કે “મા” માત્ર વ્યક્તિ નથી, એ ઘરનું ધબકતું હૃદય છે.
મધર્સ ડેના દિવસે મોંઘી ભેટ આપવી જરૂરી નથી. ક્યારેક માત્ર એટલું કહી દેવું —
“મા, તમે છો એટલે મારું જીવન સુંદર છે…”એ જ તેમના માટે દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બની જાય છે.
સાચું કહીએ તો,માતાનો પ્રેમ ક્યારેય શબ્દોમાં પૂર્ણ રીતે લખી શકાય એવો નથી… માત્ર અનુભવી શકાય એવો છે.
મને આજના દિવસે આદિ કવિ ઝવેરચંદ મેઘાણી યાદ આવે. તેમને “મા” વિશે ખૂબ જ લાગણીસભર શબ્દોમાં લખ્યું છે. તેમની રચનાઓમાં માતાનો પ્રેમ, ત્યાગ અને મમતા વારંવાર ઝળહળી ઊઠે છે. તેમની એક ખૂબ જાણીતી પંક્તિ છે:
“જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…”
મેઘાણી સાહેબ માતાને માત્ર જન્મ આપનાર સ્ત્રી તરીકે નથી જોતા, પરંતુ જીવનની પ્રથમ શાળા, પ્રથમ શિક્ષક અને પ્રથમ આશ્રય તરીકે રજૂ કરે છે. તેમની લોકસાહિત્યની રચનાઓમાં ગામડીયું જીવન અને માતૃત્વની સુગંધ સ્પષ્ટ અનુભવાય છે.જે આજે પણ દરેક ગુજરાતીના માનસપટ પર છવાયેલી રહે છે. મધર્સ ડે માટે મેઘાણીની આ ભાવના ખૂબ યોગ્ય લાગે છે —
માતા એ એવી છાંય છે, જ્યાં સંતાનને આખી દુનિયાનો થાક ઉતરી જાય છે.
હાલમાં સમાચારોમાં એક એવી કરુણ ઘટના જોઈ, જેણે આખા દેશનું હૃદય ભીનું કરી દીધું.મધ્યપ્રદેશના જબલપુર પાસે બર્ગીડેમમાં એક બોટ દુર્ઘટનામાં અનેક લોકો પાણીમાં સમાઈ ગયા. તેમનું જીવન એકદમ અંધકારમય બની ગયું, પરંતુ એ ઘટનામાં એક દ્રશ્ય એવું હતું, જે માત્ર સમાચાર નહોતું… તે “માતૃત્વ”નું જીવતું સત્ય સ્વરૂપ હતું.જ્યારે બચાવ ટીમ પાણીની અંદર શોધખોળ કરી રહી હતી, ત્યારે તેમને એક માતા અને તેના નાનકડા દીકરાનો મૃતદેહ મળ્યો,પણ સૌથી વધુ હચમચાવી નાખનાર વાત એ હતી કે મૃત્યુ પછી પણ એ માતાએ પોતાના બાળકને છાતી સાથે ભીંજવેલી હાલતમાં છાતીમાં જકડેલો રાખ્યો હતો. પાણીની ઊંડાઈ અને ભયની અંદર પણ માતાનો હાથ પોતાના સંતાન પરથી છૂટ્યો નહોતો.જાણે કે અંતિમ ક્ષણે પણ તે મૃત્યુ સામે લડી રહી હોય અને કહી રહી હોય “મારા બાળકને કંઈ નહિ થવા દઉં…” એ અપેક્ષા સાથે કે ભલે મારું જીવન પૂર્ણ થાય મારા પરિવારનું અસ્તિત્વ ન રહે પણ મારા બાળકને એક આંચ પણ ના આવવી જોઈએ.
આ દૃશ્ય જોઈને બચાવ કર્મીઓ પણ રડી પડ્યા હતા. કારણ કે ત્યાં માત્ર બે મૃતદેહ નહોતા… ત્યાં એક માતાનો અનંત પ્રેમ પડ્યો હતો.જે દુનિયાએ જોયો.
મને ક્યારેક વિચાર આવે કે મૃત્યુ જ્યાં બધું છીનવી લે છે, ત્યાં પણ માતાનો પ્રેમ જીવતો કેવી રીતે રહી જાય છે? કદાચ એ માટે જ કહેવાય છે કે,
“માતા શરીરથી દૂર થઈ શકે, પરંતુ તેના પ્રેમનું અસ્તિત્વ ક્યારેય મરતું નથી.”
આ ઘટના આપણને માત્ર દુઃખ નથી આપતી, પણ એક મોટો સંદેશ પણ આપે છે, માતાનો પ્રેમ શબ્દોમાં સમજાવી શકાય તેવો નથી. તે તો તેના જીવનના અંતિમ શ્વાસ સુધી સંતાન માટે ધબકતું હૃદય છે.
આજે જ્યારે આપણે મધર્સ ડે ઉજવીએ છીએ, ત્યારે એ અજાણી માતાને પણ નમન કરવું જોઈએ જેને પૃથ્વી ઉપર માણસને જીવતું રાખ્યું, પ્રેમને જીવંત રાખ્યું અને પ્રમાણિકતાને ટકાવી રાખ્યું.
અંતે કવિ દલપતરામ ની સુંદર પંક્તિ સાથે—
“મા તે મા, બીજા બધા વગડાના વા…”
કવિ કહે છે કે દુનિયાના બધા સંબંધો પોતાની જગ્યાએ છે, પરંતુ માતાનો સંબંધ સૌથી અનમોલ અને અદ્વિતીય છે.
કોલમ: જયવાદ
લેખક: જૈમિન જોષી.
Wednesday, May 6, 2026
ઉત્તર પ્રદેશના “ઓપરેશનથી ઓર્ડર સુધીની કહાની- Ajay Pal Sharma (The story of Uttar Pradesh's "From Operation to Order" - Ajay Pal Sharma)
“કાયદાનો ડર કે ન્યાયનો માર્ગ? એક અધિકારીની દ્વિધા”
Tuesday, May 5, 2026
“મમતા થી મોદી સુધી: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનની અંદરની કહાની” (“From Mamata to Modi: The Inside Story of the Power Shift in West Bengal”)
“દીદી vs દિલ્હી: બંગાળની સત્તા માટેનો સૌથી મોટો રાજકીય યુદ્ધ”
Monday, May 4, 2026
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કારની સાચી પરિભાષા શું હોય? (What is the correct definition of personality development and culture?)
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર માનવ જીવનના એવા બે આધારસ્તંભ છે, જે વ્યક્તિને માત્ર સફળ જ નહીં પરંતુ અર્થપૂર્ણ અને સન્માનિત જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. આજે આધુનિક યુગમાં વ્યક્તિત્વ વિકાસનો અર્થ ઘણીવાર બહારની ચમક-ધમક, બોલવાની સ્ટાઇલ, આત્મવિશ્વાસભર્યો અંદાજ કે આધુનિક જીવનશૈલી સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે, જ્યારે સંસ્કારને ઘણીવાર જૂના સમયની વાત માનીને અવગણવામાં આવે છે. પરંતુ જો આ બંને વિષયને ઊંડાણથી સમજવામાં આવે, તો સ્પષ્ટ થાય છે કે વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર એકબીજા વગર અધૂરા છે. સાચું વ્યક્તિત્વ એ છે, જેમાં જ્ઞાન સાથે વિનમ્રતા, આત્મવિશ્વાસ સાથે સંયમ અને સફળતા સાથે માનવતા જોડાયેલી હોય, અને આ ગુણોનું મૂળ સંસ્કારમાં જ વસેલું છે.
માનવ જન્મથી સંપૂર્ણ નથી હોતો; તે તેના અનુભવ, શિક્ષણ અને પરિસ્થિતિઓ દ્વારા ઘડાતો જાય છે. વ્યક્તિત્વ વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિ પોતાની અંદરની શક્તિઓને ઓળખે છે, તેને યોગ્ય દિશામાં વિકસાવે છે અને પોતાની નબળાઈઓને દૂર કરવાની કોશિશ કરે છે. પરંતુ આ પ્રક્રિયા માત્ર બાહ્ય ગુણો સુધી સીમિત રહી જાય, તો તે ખોખલી બની જાય છે. જ્યારે સંસ્કાર આ વિકાસને આંતરિક દિશા આપે છે, ત્યારે જ તે સાચા અર્થમાં પૂર્ણ બને છે. સંસ્કાર એ કોઈ પુસ્તકમાં લખેલી થિયરી નથી, પરંતુ જીવનમાં અનુભવીને, પરિવાર અને સમાજમાંથી શીખીને અને પોતાની અંદરની અવાજને સાંભળીને વિકસાવેલી મૂલ્યપ્રણાલી છે, જે દરેક નિર્ણયમાં આપણું માર્ગદર્શન કરે છે.
આ વાતને સરળ રીતે સમજવા માટે આપણે જીવનના સામાન્ય પ્રસંગોને ધ્યાનમાં લઈએ. એક વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી છે, તે પોતાની વાતો ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરી શકે છે, પરંતુ જો તે પોતાની સફળતા માટે અન્ય લોકોને નીચે દેખાડે છે, તેમની લાગણીઓને અવગણે છે અથવા અહંકારથી વર્તે છે, તો તેનું વ્યક્તિત્વ બહારથી ચમકદાર હોવા છતાં અંદરથી ખાલી રહે છે. બીજી તરફ, એક સામાન્ય વ્યક્તિ, જે કદાચ એટલો શિક્ષિત ન હોય, પરંતુ જે દરેક વ્યક્તિ સાથે સન્માનપૂર્વક વર્તે છે, મદદ કરવા તૈયાર રહે છે અને પોતાની મર્યાદાઓમાં રહીને સત્ય અને ઈમાનદારીથી જીવન જીવે છે, તે વ્યક્તિનું વ્યક્તિત્વ વધુ ઊંચું ગણાય છે. આ તફાવતનું કારણ સંસ્કાર છે. સંસ્કાર વ્યક્તિને માત્ર સારા-ખોટાનો ભેદ જ શીખવતા નથી, પરંતુ તે ભેદને જીવનમાં અમલમાં મૂકવાની પ્રેરણા પણ આપે છે.
વ્યક્તિત્વ વિકાસનો સાચો અર્થ ત્યારે સમજાય છે, જ્યારે વ્યક્તિ પોતાની અંદર ઝાંખી કરે છે. પોતાને પૂછે છે કે શું હું માત્ર બહારથી સારો દેખાવા માંગું છું કે અંદરથી પણ સારો બનવા ઈચ્છું છું. આ આત્મમંથન ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે આપણને આપણાં સાચાં સ્વરૂપ સાથે પરિચિત કરાવે છે. જ્યારે વ્યક્તિ પોતાની ભૂલોને સ્વીકારીને તેને સુધારવાની તૈયારી રાખે છે, ત્યારે તે સાચા અર્થમાં વિકાસની દિશામાં આગળ વધે છે. આ પ્રક્રિયામાં સંસ્કાર તેની મદદ કરે છે, કારણ કે સંસ્કાર વ્યક્તિને અહંકારથી દૂર રાખે છે અને તેને શીખવે છે કે શીખવાનું ક્યારેય બંધ ન કરવું.
આધુનિક સમાજમાં ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે લોકો સફળતા માટે કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર હોય છે. સ્પર્ધા એટલી વધી ગઈ છે કે લોકો માટે પરિણામ જ મહત્વનું બની ગયું છે, રસ્તો કેવો છે તે મહત્વનું નથી રહેતું. અહીં સંસ્કારની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સંસ્કાર વ્યક્તિને યાદ અપાવે છે કે સાચી સફળતા એ છે, જે સત્ય અને ઈમાનદારીના માર્ગે પ્રાપ્ત થાય. જો સફળતા માટે આપણે આપણા મૂલ્યોને ત્યજી દઈએ, તો તે સફળતા લાંબા ગાળે આનંદ આપતી નથી. સાચી ખુશી ત્યારે મળે છે, જ્યારે વ્યક્તિને ખબર હોય કે તેણે જે મેળવ્યું છે, તે યોગ્ય રીતે મેળવ્યું છે.
સંસ્કારનો પ્રભાવ માત્ર વ્યક્તિ સુધી સીમિત નથી રહેતો, તે સમગ્ર સમાજને પ્રભાવિત કરે છે. એક સંસ્કારી વ્યક્તિ જ્યાં જાય છે, ત્યાં સકારાત્મકતા ફેલાવે છે. તેની વાણીમાં મધુરતા હોય છે, તેના વર્તનમાં સહાનુભૂતિ હોય છે અને તેના નિર્ણયો માં ન્યાય હોય છે. આવી વ્યક્તિઓ સમાજને મજબૂત બનાવે છે. બીજી તરફ, સંસ્કાર વિહોણા લોકો સમાજમાં અશાંતિ અને અસંતુલન લાવે છે. તેથી, વ્યક્તિત્વ વિકાસને માત્ર વ્યક્તિગત પ્રગતિ તરીકે નહીં, પરંતુ સામાજિક જવાબદારી તરીકે પણ જોવું જોઈએ.
આજના યુવાનો માટે આ વિષય ખાસ કરીને મહત્વનો છે. તેઓ નવી ટેકનોલોજી, નવી વિચારધારા અને નવા અવસરોથી પરિચિત છે, જે તેમની પ્રગતિ માટે ખૂબ જ સકારાત્મક છે. પરંતુ જો આ પ્રગતિ સાથે સંસ્કાર જોડાયેલા ન હોય, તો તે ખતરનાક બની શકે છે. યુવાનોને સમજવું પડશે કે આધુનિકતા અને સંસ્કાર વિરોધી નથી, પરંતુ પૂરક છે. તેઓ બંને સાથે આગળ વધી શકે છે. એક વ્યક્તિ સ્માર્ટ પણ બની શકે છે અને સંસ્કારી પણ રહી શકે છે. ખરેખર, સાચો સ્માર્ટ વ્યક્તિ એ જ છે, જે પોતાની સફળતામાં પણ વિનમ્ર રહે છે અને બીજાની લાગણીઓને સમજે છે.
જ્યારે આપણે ઈતિહાસ તરફ નજર કરીએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મોટા મહાન લોકોના જીવનમાં આ બંને ગુણોનો સુંદર સમન્વય જોવા મળે છે. તેઓ માત્ર જ્ઞાનમાં આગળ ન હતા, પરંતુ તેમના જીવનમાં સંસ્કાર અને મૂલ્યોની પણ ઊંડી અસર હતી. તેઓએ બતાવ્યું કે સાચી મહાનતા માત્ર મોટા કાર્યો કરવામાં નથી, પરંતુ નાના-નાના સારા વર્તનમાં પણ છુપાયેલી છે. એક સરળ સ્મિત, એક સારો શબ્દ, એક નાની મદદ—આ બધું પણ વ્યક્તિત્વનો ભાગ છે.
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર કોઈ એક દિવસમાં પ્રાપ્ત થતી વસ્તુ નથી. તે જીવનભર ચાલતી એક યાત્રા છે. દરેક દિવસ આપણને કંઈક નવું શીખવાની તક આપે છે, દરેક પરિસ્થિતિ આપણને સુધારવાની તક આપે છે. જો આપણે દરેક દિવસ થોડું વધારે સારા બનવાનો પ્રયત્ન કરીએ, તો ધીમે ધીમે આપણું વ્યક્તિત્વ વિકસે છે અને સંસ્કાર મજબૂત બને છે. જીવનનો સાચો હેતુ માત્ર જીવવું નથી, પરંતુ એવું જીવવું છે કે આપણી હાજરીથી દુનિયા થોડું વધારે સુંદર બને.
સાચું વ્યક્તિત્વ એ છે, જેમાં વિચારની ઊંડાઈ, વર્તનની સરળતા અને હૃદયની પવિત્રતા હોય. અને આ બધું ત્યારે જ શક્ય બને છે, જ્યારે જીવનમાં સંસ્કારનો મજબૂત આધાર હોય. તેથી, આપણે દરેકે પ્રયાસ કરવો જોઈએ કે આપણે માત્ર સફળ વ્યક્તિ નહીં, પરંતુ સારા અને સંસ્કારી વ્યક્તિ બનીએ, કારણ કે અંતે માણસને તેના પદ કે સંપત્તિથી નહીં, પરંતુ તેના સ્વભાવ અને મૂલ્યોથી ઓળખવામાં આવે છે.
"સાચું વ્યક્તિત્વ એ નથી કે દુનિયા તમને કેવી રીતે જુએ છે, પરંતુ એ છે કે તમે અંદરથી કેટલા સચ્ચા, સંસ્કારી અને સંતુલિત છો.”
કોલમ: જયવાદ
લેખક: જૈમીન જોષી.
Thursday, April 23, 2026
જનતાના આક્રોશ પછી પણ બીજેપી આવે તો શું સમજવું? (What should we understand if BJP comes even after public outcry?)
રાજકીય વાસ્તવિકતા: મતદારનું મન સમજવું સરળ નથી.
ભારતનું રાજકીય પરિદૃશ્ય આજના સમયમાં એક અત્યંત રસપ્રદ અને સાથે સાથે જટિલ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. એક બાજુ રાષ્ટ્રીય સ્તરે મજબૂત નેતૃત્વ અને વિકાસના દાવાઓ છે, જ્યારે બીજી બાજુ સામાન્ય જનજીવનમાં અનુભવાતી મુશ્કેલીઓ, મોંઘવારી, બેરોજગારી અને અધૂરા વાયદાઓને લઈને લોકોમાં ઉદાસીનતા અને ક્યાંક ક્યાંક આક્રોશ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં માત્ર લોકસભાની ચૂંટણી જ નહીં, પરંતુ તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની ચૂંટણી પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે અહીંથી જ જનતાના વાસ્તવિક મૂડનો અહેસાસ થતો હોય છે.
છેલ્લા કેટલાક સમયથી Bharatiya Janata Party (BJP) દેશના રાજકારણમાં એક મુખ્ય અને પ્રભાવી શક્તિ તરીકે ઉભરી આવી છે. કેન્દ્રમાં તેની મજબૂત સરકાર, વિવિધ રાજ્યોમાં તેનો વ્યાપ અને સંગઠનશક્તિએ તેને ચૂંટણી મશીન તરીકે મજબૂત બનાવ્યું છે. પરંતુ આ સાથે જ લોકોમાં કેટલાક મુદ્દાઓને લઈને અસંતોષ પણ ધીમે ધીમે ઊભો થયો છે. ખાસ કરીને રોજગારનો પ્રશ્ન, વધતી મોંઘવારી, નાના વેપારીઓ અને ખેડુતોની મુશ્કેલીઓ, તેમજ કેટલાક વર્ગોમાં અનુભવાતી સામાજિક અસુરક્ષા—આ બધું મળીને એક પ્રકારનો મૌન અસંતોષ તૈયાર કરે છે.
આ અસંતોષનો પ્રભાવ સૌથી પહેલા સ્થાનિક ચૂંટણીમાં જોવા મળે છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો સીધા પોતાના વિસ્તારના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ અહીં કેન્દ્રસ્થાને હોય છે. જો સ્થાનિક સ્તરે વિકાસ ન દેખાય, તો લોકો પોતાની નારાજગી સીધી મતદાનમાં વ્યક્ત કરે છે. ઘણા વિસ્તારોમાં એવું જોવા મળે છે કે રાષ્ટ્રીય સ્તરે એક પક્ષને સમર્થન આપનાર મતદારો પણ સ્થાનિક સ્તરે અલગ નિર્ણય લે છે. આ જ લોકશાહીની ખાસિયત છે—મતદાર એકસરખો નથી રહેતો, તે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લે છે.
મહાનગર પાલિકાની ચૂંટણી તો વધુ જ રસપ્રદ બની જાય છે. શહેરોમાં રહેનારા મધ્યમ વર્ગ અને યુવાનો માટે મોંઘવારી, ટ્રાફિક, પ્રદૂષણ, રોજગાર અને જીવનશૈલીના પ્રશ્નો વધુ મહત્વના બની જાય છે. અહીં લોકો માત્ર ભાવનાત્મક મુદ્દાઓ પર નહીં, પરંતુ રોજિંદા જીવનની ગુણવત્તા પર મત આપે છે. જો શહેરમાં સફાઈ, રોડ, પાણી, ટ્રાન્સપોર્ટ જેવી સેવાઓ યોગ્ય રીતે ન ચાલે, તો તે સીધી અસર મતદાન પર પડે છે. આથી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઘણી વખત અણધારી ફેરફારો જોવા મળે છે.
આજના સમયમાં એક રસપ્રદ પરિસ્થિતિ એ પણ છે કે લોકો એક તરફ Bharatiya Janata Party પર કેટલાક મુદ્દાઓને લઈને નારાજ દેખાય છે, પરંતુ બીજી તરફ તેઓ પાસે મજબૂત વિકલ્પ હોવાનો વિશ્વાસ નથી. Indian National Congress (Congress) પોતાના પુનઃસ્થાપન માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં તેની સંગઠનશક્તિ હજુ નબળી છે. બીજી તરફ Aam Aadmi Party (AAP) અને અન્ય પ્રાદેશિક પક્ષો શહેરોમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે. છતાં પણ, સમગ્ર દેશમાં એકસમાન વિકલ્પ ઉભો કરવો વિપક્ષ માટે હજી પડકારરૂપ છે.
તાલુકા અને જિલ્લા સ્તરની ચૂંટણીમાં ઘણી વખત સ્થાનિક નેતાઓની છબી, તેમના કામ અને લોકો સાથેનો સંપર્ક વધુ મહત્વ ધરાવે છે. અહીં પાર્ટીનું નામ કરતા વ્યક્તિગત વિશ્વાસ વધુ અસરકારક બની જાય છે. જો કોઈ નેતા લોકપ્રિય હોય, તો તે પક્ષની નબળાઈને પણ પૂરી કરી શકે છે. બીજી તરફ, નબળા ઉમેદવારને કારણે મજબૂત પક્ષ પણ હારી શકે છે. આથી સ્થાનિક ચૂંટણીમાં પરિણામો ઘણી વખત રાષ્ટ્રીય ટ્રેન્ડથી અલગ જોવા મળે છે.
એક મહત્વપૂર્ણ પાસું એ છે કે સોશિયલ મીડિયા અને વાસ્તવિક મતદાન વચ્ચે મોટો તફાવત હોય છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત સરકાર વિરુદ્ધ આક્રોશ વધારે દેખાય છે, પરંતુ મતદાન સમયે લોકો શાંતિથી પોતાના નિર્ણય લે છે. “Silent voters” એટલે કે શાંતિથી મત આપનારા મતદારો ઘણી વખત આખું પરિણામ બદલી નાખે છે. તેઓ જાહેરમાં પોતાની રાજકીય પસંદગી વ્યક્ત નથી કરતા, પરંતુ મતદાન વખતે પોતાની પસંદગી સ્પષ્ટ કરે છે.
જો આ તમામ પરિસ્થિતિ વચ્ચે ફરીથી Bharatiya Janata Party મજબૂત રીતે જીતે, તો તેનો અર્થ શું થાય? તેનો એક અર્થ એ થઈ શકે કે લોકો હજુ પણ સ્થિરતા અને મજબૂત નેતૃત્વને પ્રાથમિકતા આપે છે. તેઓ સ્થાનિક મુશ્કેલીઓ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ રાખે છે. બીજું, વિપક્ષ પક્ષોની એકતા અને વિશ્વસનીયતા હજુ સુધી એટલી મજબૂત નથી બની કે લોકો મોટા પાયે તેમના તરફ વળે.
બીજી તરફ, જો તાલુકા, જિલ્લા અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં વિપક્ષ પક્ષો સારો દેખાવ કરે, તો તે ભવિષ્યની મોટી ચૂંટણી માટે એક સંકેત બની શકે છે. તે બતાવે છે કે લોકો બદલાવ ઇચ્છે છે અને યોગ્ય વિકલ્પ મળતાં જ તેઓ પોતાનો નિર્ણય બદલી શકે છે. આથી સ્થાનિક ચૂંટણીને ઘણી વખત “સેમિફાઇનલ” તરીકે પણ જોવામાં આવે છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મતદાર હવે પહેલાથી વધુ જાગૃત થયો છે. તે માત્ર વચનો પર વિશ્વાસ નથી કરતો, પરંતુ પરિણામો પણ જોઈ રહ્યો છે. વિકાસના દાવાઓ સાથે સાથે રોજિંદા જીવનમાં સુધારો પણ તે ઈચ્છે છે. જો કોઈ સરકાર આ બંને વચ્ચે સંતુલન જાળવી શકે, તો તે લાંબા સમય સુધી ટકી શકે છે.ભારતની લોકશાહીનો સૌંદર્ય એ છે કે અહીં કોઈપણ પરિણામ પૂર્વનિર્ધારિત નથી હોતું. તાલુકા, જિલ્લા અને મહાનગર પાલિકાની ચૂંટણીથી લઈને રાષ્ટ્રીય ચૂંટણી સુધી—દરેક સ્તરે જનતા પોતાનો મત આપીને સત્તા નક્કી કરે છે. આ પ્રક્રિયા સતત ચાલી રહી છે, અને તે જ લોકશાહીને જીવંત રાખે છે.આજની પરિસ્થિતિમાં સત્તા પલટો થશે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એક વાત નિશ્ચિત છે—જનતાનો અવાજ હવે વધુ પ્રબળ બન્યો છે. અને જ્યાં જનતાનો અવાજ પ્રબળ હોય, ત્યાં લોકશાહી હંમેશા જીવંત રહે છે.
તે છતાં બીજેપી દ્વારા કરવામાં આવેલ વાયદાઓ કરતા તેમના દ્વારા ધમકી અને તાનાશાહીથી લોકો વધુ નારાજ છે. વધતો જતો ક્રાઇમ અને સ્થાનિક લેવલે પણ બીજેપી કાર્યકર્તા બની કરવામાં આવતો રોબ ક્યાંક ને ક્યાંક લોકશાહી ખતમ કરી રહ્યો છે. બેરોજગારી અને મોંઘવારીની વચ્ચે પક્ષો દ્વારા આપવામાં આવતી ધમકી જનતાને વધુ દુઃખી કરી રહી છે. જાતિ આધારિત થતું રાજકારણ અંતે તો ખૂટ, આક્રમકતા અને યુવાનોમાં રાજનીતિ તરફ નારાજગી વધારી રહી છે. ગ્રાઉન્ડ લેવલ પર થતું કામ કોઈ પણ પક્ષની નીતિ અને વિચારધારાની છબી પ્રદર્શિત કરતી હોય છે.
લાખો લોકોની નારાજગી છતાં જો સંપૂર્ણ બહુમત બીજેપી લાવે તો ફરી ચુંટણી વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થશે તે નક્કી. હવે જોવાનું એ રહ્યું કે કથળતી પરિસ્થિતિમાં પરિણામ કોના પક્ષે આવે છે.
કોલમ:જયવાદ
લેખક :જૈમીન જોષી.
Wednesday, April 22, 2026
“પ્રકૃતિનું કર્જ: પૃથ્વી દિવસ પર માનવજાત માટે ચેતવણી”(“Nature's Debt: A Warning to Humanity on Earth Day”)
“ધરતી નથી માત્ર ગ્રહ – એ જીવનનો આધાર છે”
આ વિચારને ઊંડાણથી સમજવા માટે આપણે ઈતિહાસમાં ઝાંખી કરીએ. 1970માં અમેરિકામાં પ્રથમ વખત “Earth Day” મનાવવામાં આવ્યો. તે સમય દરમિયાન ઔદ્યોગિકીકરણ ઝડપથી વધી રહ્યું હતું, પરંતુ તેના કારણે પ્રકૃતિ પર થતા વિનાશ અંગે કોઈ ખાસ ધ્યાન આપતું નહોતું. નદીઓ પ્રદૂષિત થઈ રહી હતી, હવા ઝેરી બની રહી હતી અને જંગલોનો વિનાશ થઈ રહ્યો હતો. ત્યારે અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સનએ પર્યાવરણ સંરક્ષણ માટે એક જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું. લગભગ 2 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો અને આંદોલનને વૈશ્વિક સ્વરૂપ મળ્યું. આજે આ દિવસ 190થી વધુ દેશોમાં ઉજવાય છે, જે દર્શાવે છે કે પૃથ્વી પ્રત્યેની ચિંતા હવે સમગ્ર માનવજાતની ચિંતા બની ગઈ છે.
પરંતુ પૃથ્વી પ્રત્યેનો આદર માત્ર આધુનિક વિચાર નથી. ભારતીય સંસ્કૃતિમાં તો પૃથ્વીને “માતા” તરીકે પૂજવામાં આવે છે. ઋગ્વેદમાં એક શ્લોક છે:
“माता भूमिः पुत्रोऽहं पृथिव्याः” અર્થાત્—પૃથ્વી મારી માતા છે અને હું તેનો પુત્ર છું.
આ એક વાક્યમાં જ માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે આપણે પૃથ્વીને માતા માનીએ છીએ, ત્યારે તેના શોષણનો પ્રશ્ન જ ઉભો થતો નથી. પરંતુ આજે હકીકત એ છે કે આપણે માતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ.
ગુજરાતી કહેવત છે—“જળ છે તો કળ છે.” આ કહેવત માત્ર પાણીના મહત્વને જ નહીં, પરંતુ સમગ્ર પર્યાવરણના સંતુલનને સમજાવે છે. પાણી, હવા, જમીન—આ ત્રણેય તત્વો જીવનના આધાર છે. પરંતુ આજે આપણે જળસંકટ, વાયુપ્રદૂષણ અને જમીનની ક્ષતિ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.
વિશ્વ પૃથ્વી દિવસ આપણને આ સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટો ખતરો બની ગયો છે. ગ્રીનહાઉસ ગેસોના વધારા કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, જેના કારણે હિમનદીઓ પીગળી રહી છે, સમુદ્રસ્તર વધી રહ્યું છે અને અતિશય હવામાન પરિવર્તનો થઈ રહ્યા છે. એક તરફ દુષ્કાળ છે, તો બીજી તરફ પૂર—આ બધું જ પ્રકૃતિના અસંતુલનનું પરિણામ છે.
અહીં એક પ્રાચીન કહેવત યાદ આવે છે—“Nature does not hurry, yet everything is accomplished.” એટલે કે પ્રકૃતિ ક્યારેય ઉતાવળ કરતી નથી, છતાં બધું સમયસર પૂરું થાય છે. પરંતુ માનવજાતે ઉતાવળમાં પ્રકૃતિના નિયમોને તોડવાનું શરૂ કર્યું છે. પરિણામે આપણે જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ.
આપણાં પૂર્વજો પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વમાં જીવતા હતા. તેઓ વૃક્ષોને દેવતા માનતા, નદીઓને પૂજતા અને પ્રાણીઓ સાથે સહજીવન જીવતા. પરંતુ આધુનિક જીવનશૈલીમાં આપણે આ મૂલ્યોને ભૂલી ગયા છીએ. હવે વિકાસના નામે આપણે જંગલો કાપીએ છીએ, નદીઓને પ્રદૂષિત કરીએ છીએ અને હવામાં ઝેર ફેલાવીએ છીએ.
વિશ્વ પૃથ્વી દિવસ એ માત્ર સમસ્યાઓનું સ્મરણ કરાવતો દિવસ નથી, પરંતુ ઉકેલ તરફ દોરી જતો દિવસ પણ છે. જો આપણે ખરેખર પૃથ્વીને બચાવવી હોય, તો આપણને આપણા જીવનમાં ફેરફાર લાવો રહ્યો. તેનું મહત્ત્વ અને મૂલ્ય સમજવું રહ્યું.
“ધરતી—જેને આપણે પ્રેમથી “માતા” કહીને સંબોધીએ છીએ—એ માત્ર માટીનો ગોળો નથી, પરંતુ જીવનનો સ્ત્રોત છે. આપણા દરેક શ્વાસમાં તેની હવા છે, દરેક અન્નકણમાં તેની મહેનત છે અને દરેક નદીમાં તેની કરુણા વહે છે. છતાં આજે આ જ ધરતી માતા મૌન પીડા સહન કરી રહી છે. પ્રશ્ન એ છે કે શું આપણે આ પીડાને સમજવા માટે તૈયાર છીએ?
આજે સૌથી મોટો પ્રશ્ન છે—માનવજાતનો કર્તવ્ય શું છે? શું આપણે માત્ર વિકાસ પાછળ દોડતા રહીશું કે પછી પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાનો પ્રયાસ કરીશું?
પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ કર્તવ્ય છે જાગૃતિ. જ્યારે સુધી આપણે સમસ્યાને સમજશું નહીં, ત્યારે સુધી ઉકેલ શક્ય નથી. દરેક વ્યક્તિએ સમજવું પડશે કે પ્રકૃતિનું રક્ષણ માત્ર સરકારનું કામ નથી—એ દરેક માનવનો ફરજ છે.બીજું કર્તવ્ય છે વ્યવહારિક ફેરફાર. નાના-નાના પગલાં મોટા પરિવર્તન લાવી શકે છે. જેમ કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, વૃક્ષારોપણ, પાણી બચાવવું અને ઊર્જાનો યોગ્ય ઉપયોગ. એક વૃક્ષ રોપવું એ માત્ર એક કાર્ય નથી—એ ભવિષ્ય માટેનું રોકાણ છે.ત્રીજું કર્તવ્ય છે આગામી પેઢી માટે જવાબદારી. એક સુંદર વિચાર છે—
“We do not inherit the Earth from our ancestors; we borrow it from our children.”
અર્થાત્—આ પૃથ્વી આપણે આપણા પૂર્વજોથી વારસામાં નથી મળતી, પરંતુ આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે.
આ વિચાર આપણને સમજાવે છે કે આપણે જે પણ કરી રહ્યા છીએ, તેનો અસર આવતી પેઢી પર પડશે. જો આપણે આજે પ્રકૃતિનો નાશ કરીશું, તો આવતી પેઢી માટે કંઈ જ બાકી નહીં રહે.ધરતી માતાની પીડા માત્ર પર્યાવરણની સમસ્યા નથી—એ માનવજાતના અસ્તિત્વનો પ્રશ્ન છે. જો પ્રકૃતિ નહીં રહે, તો માનવજાત પણ નહીં રહે. તેથી સમય આવી ગયો છે કે આપણે આપણા સ્વાર્થને છોડીને પ્રકૃતિ માટે વિચારવું જોઈએ.
એક સરળ પરંતુ શક્તિશાળી સંદેશ—
“Save Earth, Save Life.”
આ માત્ર સૂત્ર નથી, પરંતુ જીવનનો આધાર છે. ધરતી માતા આપણને બધું આપે છે—હવે સમય છે કે આપણે પણ તેની સંભાળ લઈએ. કારણ કે જો માતા સ્વસ્થ રહેશે, તો જ સંતાનનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
કોલમ:જયવાદ
લેખક:: જૈમીન જોષી.
Saturday, April 18, 2026
"સંગતથી સંસ્કાર સુધી: ખોટી વ્યક્તિ સાથે કેમ બગડે છે જીવન?" ("From Sangat to Sanskar: Why does life go wrong with the wrong person?")
"તમે કોની સાથે છો, તે જ તમારું ભવિષ્ય છે"
Thursday, April 16, 2026
લોકશાહીના અંધકારમાં બિનહરીફ જીત: સત્તા, પૈસા અને દબાણની રાજનીતિ (Uncontested victory in the darkness of democracy: The politics of power, money and pressure0
લોકશાહીનો ઘૂંટાતો અવાજ: બિનહરીફ જીતની પાછળ છુપાયેલું સત્ય
Tuesday, April 14, 2026
“અવાજ વિહોણાઓનો અવાજ: આંબેડકરનું ક્રાંતિકારી જીવન” (“Voice of the Voiceless: The Revolutionary Life of Ambedkar”)
Bhimrao Ramji Ambedkar — આ નામ માત્ર એક વ્યક્તિનું નથી, પરંતુ એક વિચારધારા, એક ક્રાંતિ અને એક અસાધારણ સંઘર્ષનું પ્રતિક છે. બાબાસાહેબ આંબેડકરનું જીવન એ સાબિતી છે કે પરિસ્થિતિ કેટલીય કઠિન કેમ ન હોય, જો મનમાં આગ હોય તો ઇતિહાસ બદલાઈ શકે છે.
“અંધકારમાંથી પ્રકાશ તરફ: બાબાસાહેબ આંબેડકરની સંઘર્ષ ગાથા”
ભારતના સામાજિક ઇતિહાસમાં કેટલીક વ્યક્તિઓ એવી થાય છે, જેમણે માત્ર પોતાનું જીવન નહીં, પણ લાખો લોકોના ભવિષ્યને બદલવાની હિંમત બતાવી હોય. બાબાસાહેબ આંબેડકર એવાં જ એક મહાન વ્યક્તિત્વ હતા. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહૂમાં થયો હતો. તેઓ એક એવા સમાજમાં જન્મ્યા, જ્યાં જન્મથી જ માણસની ઓળખ તેની જાતિથી નક્કી થતી હતી. “અછૂત” ગણાતી જાતિમાં જન્મ લેવો એ ત્યારે એક શાપ સમાન હતો.
બાળપણથી જ ભીમરાવએ અસમાનતા અને અપમાનનો સામનો કર્યો. શાળામાં તેઓને અન્ય બાળકો સાથે બેસવાની મંજૂરી નહોતી. પાણી પીવા માટે પણ તેઓને કોઈ ઊંચી જાતિના વિદ્યાર્થી કે પિયોનની રાહ જોવી પડતી. એક વખત તો એવું બન્યું કે શિક્ષકની ગેરહાજરીમાં તેમને આખો દિવસ તરસ્યા રહેવું પડ્યું, કારણ કે કોઈએ તેમને પાણી આપવાનું સ્વીકાર્યું નહીં. આ ઘટનાઓ માત્ર કિસ્સા નથી, પરંતુ તે એક એવી પીડાનો પ્રતિબિંબ છે, જેને ભીમરાવે પોતાના જીવનમાં ખૂબ નજીકથી અનુભવ્યો.
પરંતુ આ બધાં સંજોગો છતાં ભીમરાવનો મનોબળ ક્યારેય તૂટ્યો નહીં. તેઓ જાણતા હતા કે શિક્ષણ જ એકમાત્ર હથિયાર છે, જે તેમને અને તેમના જેવા લાખો લોકોને આ બાંધી રાખનારી વ્યવસ્થાથી મુક્ત કરી શકે છે. તેમના પિતા રામજી સકપાલે તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા. ભીમરાવ ખૂબ હોશિયાર હતા અને સતત મહેનતથી આગળ વધતા રહ્યા.
એક સમય એવો આવ્યો કે તેઓએ વિદેશમાં અભ્યાસ કરવાનો નિર્ધાર કર્યો. આ સમયે Sayajirao Gaekwad IIIએ તેમને સ્કોલરશિપ આપી, જેના કારણે તેઓ અમેરિકા જઈ શક્યા. Columbia Universityમાં અભ્યાસ દરમ્યાન તેમણે અર્થશાસ્ત્ર, રાજકારણ અને સમાજશાસ્ત્રમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યું. પછી તેઓ London School of Economicsમાં પણ અભ્યાસ માટે ગયા. આ સમય દરમિયાન ભીમરાવ માત્ર વિદ્યાર્થી નહોતા, પરંતુ એક વિચારક તરીકે વિકસતા હતા.
વિદેશમાં તેમને પ્રથમ વખત માનવ સમાનતાનો સાચો અનુભવ થયો. ત્યાં કોઈએ તેમને જાતિના આધારે ન્યાય કર્યો નહીં. આ અનુભવ તેમના વિચારોને વધુ મજબૂત બનાવ્યો. તેઓએ નક્કી કર્યું કે ભારત પાછા જઈને તેઓ આ અસમાનતાના વિરુદ્ધ લડશે.
ભારત પરત ફર્યા પછી તેમનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. તેમણે “મુકનાયક” અને “બહિષ્કૃત ભારત” જેવા અખબારો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. 1927માં તેમણે “ચાવદાર તળાવ સત્યાગ્રહ”નું નેતૃત્વ કર્યું, જ્યાં અછૂતોને જાહેર તળાવમાંથી પાણી પીવાનો અધિકાર મેળવવા માટે લડાઈ લડી. આ ઘટના માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ તે એક સંદેશ હતો કે હવે દબાયેલા લોકો પોતાનો હક માંગવા તૈયાર છે.
આંબેડકરનો સંઘર્ષ માત્ર સામાજિક સ્તરે જ નહોતો, પરંતુ રાજકીય સ્તરે પણ હતો. તેઓ માનતા હતા કે સાચી સમાનતા માટે રાજકીય શક્તિ જરૂરી છે. તેમણે દલિતો માટે અલગ મતદાન પ્રણાલી (Separate Electorate)ની માંગ કરી. આ મુદ્દે તેમની અને Mahatma Gandhi વચ્ચે મતભેદ થયો. 1932માં “પૂના પેક્ટ” દ્વારા આ મુદ્દે સમજૂતી થઈ, જેમાં દલિતોને અનામત (Reservation) આપવામાં આવ્યું.
ભારત સ્વતંત્ર બન્યા પછી, Bhimrao Ramji Ambedkarને દેશના પ્રથમ કાયદા મંત્રી બનાવવામાં આવ્યા અને તેઓને ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી તરીકે જવાબદારી સોંપવામાં આવી. તેમણે બંધારણમાં દરેક નાગરિકને સમાન અધિકાર, સ્વતંત્રતા અને ન્યાય આપવાનો મજબૂત આધાર રચ્યો. “Equality, Liberty, Fraternity” જેવા સિદ્ધાંતો તેમના વિચારધારાના કેન્દ્રમાં હતા.
પરંતુ તેમના જીવનમાં સંઘર્ષ ક્યારેય અટક્યો નહીં. રાજકીય મતભેદો અને સામાજિક પડકારો વચ્ચે પણ તેઓ સતત કામ કરતા રહ્યા. અંતે 1956માં તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, કારણ કે તેઓ માનતા હતા કે આ ધર્મ સમાનતા અને માનવતાને પ્રોત્સાહન આપે છે.
બાબાસાહેબ આંબેડકરનું જીવન માત્ર સંઘર્ષની કહાની નથી, પરંતુ તે એક પ્રેરણાસ્ત્રોત છે. તેઓએ બતાવ્યું કે જો ઇરાદા મજબૂત હોય, તો કોઈ પણ પરિસ્થિતિ આપણને અટકાવી શકતી નથી. તેમના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે, જેટલા તે સમય દરમિયાન હતા.
આજના યુગમાં, જ્યારે આપણે સમાનતા અને અધિકારોની વાત કરીએ છીએ, ત્યારે આપણે ભૂલી શકતા નથી કે આ બધું સહેલાઈથી મળ્યું નથી. તેના પાછળ બાબાસાહેબ જેવા મહાન લોકોનો સંઘર્ષ છે. તેઓએ માત્ર એક સમાજને નહીં, પરંતુ આખા દેશને એક નવી દિશા આપી.
આ ત્રણ શબ્દો માત્ર સૂત્ર નથી, પરંતુ એક સંપૂર્ણ જીવનદર્શન છે. જો આપણે આ માર્ગ પર ચાલીએ, તો માત્ર આપણું જીવન જ નહીં, પરંતુ સમગ્ર સમાજ પણ બદલાઈ શકે છે.
કોલમ: જયવાદ
લેખક:જૈમીન જોષી.
Monday, April 13, 2026
“સુરોની રાણી: આશા ભોસલેનું અજોડ જીવનયાત્રા” (“Queen of Songs: The Unparalleled Life Journey of Asha Bhosle”)
- “સુરોની રાણી: આશા ભોસલેનું અજોડ જીવનયાત્રા”
Saturday, April 4, 2026
"રાઘવ ચઢ્ઢા — ઉદયમાન નેતા કે રાજકીય રમતનો શિકાર?" ("Raghav Chadha — Rising Leader or Victim of Political Game?")
"રાઘવ ચઢ્ઢા — ઉદયમાન નેતા કે રાજકીય રમતનો શિકાર?"
ભારતના આધુનિક રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે ઝડપથી સમીકરણો બદલાયા છે, તેમાં યુવા નેતૃત્વની ભૂમિકા ખાસ ધ્યાન ખેંચે છે. એ જ પંક્તિમાં એક મહત્વનું નામ છે — રાઘવ ચઢ્ઢા. તેઓ માત્ર એક રાજકારણી નથી, પરંતુ નવી પેઢીના રાજકારણની એક પ્રતીકરૂપ છબી બની ગયા છે. પરંતુ જ્યાં લોકપ્રિયતા હોય, ત્યાં વિવાદો પણ સહજ રીતે જોડાઈ જતાં હોય છે — અને આ પરિસ્થિતિ Raghav Chadha માટે પણ અપ્રતિમ નથી.
તાજેતરના અહેવાલો (એપ્રિલ 2026) મુજબ, રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેના સંબંધોમાં તિરાડ જોવા મળી રહી છે.આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર (ઉપનેતા) પદેથી હટાવી દીધા છે. તેમના સ્થાને અશોક કુમાર મિત્તલની નિમણૂક કરવામાં આવી છે.પદ પરથી હટાવ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "મને મૌન કરાવવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી". તેમણે એમ પણ જણાવ્યું કે તેમની ચૂપકીદીને તેમની હાર ન સમજવી. AAPના અન્ય નેતાઓ (જેમ કે આતિષી) દ્વારા તેમના પર કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેનો જવાબ આપતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ આરોપો પાયાવિહોણા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સંસદમાં માઈક તોડવા નથી જતા પણ જનતાના મુદ્દા ઉઠાવવા જાય છે.તેમને પદભ્રષ્ટ કર્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની છે.તાજેતરમાં તેમણે રાજ્યસભામાં 'પિતૃત્વની રજા' (Paternity Leave) ની પણ માંગ કરી હતી, જે ચર્ચાનો વિષય બની હતી.
અહીં ઉલ્લેખનીય છે કે Raghav Chadhaને રાજ્યસભામાંથી “સસ્પેન્ડ” કરવામાં આવ્યા હતા (હટાવવામાં નહીં, પરંતુ સમયબદ્ધ સસ્પેન્શન).
મુખ્ય કારણ:તેમણે એક મહત્વના બિલ (Delhi Services Bill) માટે કેટલીક MPsના નામોને સિલેક્ટ કમિટી માટે પ્રસ્તાવિત કર્યા હતા. આ MPsએ દાવો કર્યો કે તેમની મંજૂરી વગર નામ ઉમેરાયા
આ મુદ્દે “privilege breach” (વિશેષાધિકાર ભંગ)નો આરોપ લાગ્યો.આને આધારે સંસદીય સમિતિએ તપાસ શરૂ કરી અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા પણ આ ઘટના “પ્રક્રિયાત્મક ભૂલ” પણ હોઈ શકે. અથવા વિરોધીઓ તેને રાજકીય રીતે મોટું બનાવે — તે પણ શક્ય છે. જોકે ભારતીય સંસદમાં આ પ્રકારના વિવાદો નવા નથી એટલે આ સંપૂર્ણ “ભ્રષ્ટાચાર” અથવા ગંભીર ગુનો નથી, પરંતુ સંસદીય નિયમોનો મુદ્દો છે.
સાંભળવામાં આવે છે કે કેટલાક લોકો એમ માને છે કે Raghav Chadha “soft corner” ધરાવે છે, પરંતુ:તથ્ય મુજબ:તેઓ Aam Aadmi Partyના મુખ્ય નેતાઓમાંના એક છે
AAP અને Bharatiya Janata Party વચ્ચે રાજકીય સ્પર્ધા અને વિવાદ સ્પષ્ટ છે. આમ તો કોઈ જાહેર પુરાવો નથી કે:તેઓ Narendra Modiના “વિશ્વાસપાત્ર” છે. અથવા તેઓ કોઈ ગુપ્ત રીતે BJP સાથે જોડાયેલા છે પણ અટકળો ચાલતી રહે છે. આ પ્રકારની વાતો ઘણીવાર રાજકીય ચર્ચા, સોશિયલ મીડિયા અથવા અનુમાન પર આધારિત હોય છે — તથ્ય પર નહીં.
હાલની પરિસ્થિતિ મુજબ:કોઈ સત્તાવાર સંકેત નથી કે Raghav Chadha BJP join કરશે પણ તેઓ Arvind Kejriwalના નજીકના સહયોગી છે.
AAPના “યંગ ફેસ” તરીકે જાણીતા છે
પાર્ટી માટે જાહેર મંચ પર મજબૂત રીતે ઉભા રહે છે
જોકે રાજકારણમાં ક્યારેય “never say never” કહેવાય, પરંતુ હાલ એ શક્યતા ખૂબ ઓછી લાગે છે.
Raghav Chadhaનો કામકાજ ખાસ કરીને નીચેના ક્ષેત્રોમાં દેખાય છે:
✔️ 1. આર્થિક અને નીતિ મુદ્દા
Chartered Accountant હોવાના કારણે નાણાકીય મુદ્દાઓમાં મજબૂત પકડ
Budget, taxation અને economic policy પર ચર્ચાઓમાં સક્રિય
✔️ 2. Delhi Governance
Delhiમાં શિક્ષણ, આરોગ્ય અને વીજળી-પાણી જેવી સેવાઓના મુદ્દાઓ પર પાર્ટીનો અભિગમ રજૂ કર્યો
✔️ 3. Punjab Politics
Punjabમાં AAPની જીત પછી મહત્વપૂર્ણ રણનીતિક ભૂમિકા
યુવા મતદાતાઓ સાથે જોડાવા માટે અભિયાન ચલાવ્યું
✔️ 4. Anti-corruption Narrative
પાર્ટીના મૂળ એજન્ડા મુજબ ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો.
આજના સમયમાં રાજકારણ માત્ર વિચારધારા કે સેવાકાર્ય પૂરતું મર્યાદિત નથી રહ્યું. તે હવે પ્રભાવ, છબી, મીડિયા અને સોશિયલ નેરેટિવ્સના જટિલ મિશ્રણમાં ફેરવાઈ ગયું છે. Aam Aadmi Party જે એક સમયે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મેલી પાર્ટી તરીકે જાણીતી હતી, આજે તે રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ પ્રયત્નમાં Raghav Chadha જેવા યુવા ચહેરાઓનું મહત્વ વિશેષ છે.
પરંતુ પ્રશ્ન એ છે કે શું આ નવી પેઢીના નેતાઓ ખરેખર "પરિવર્તન" લાવી રહ્યા છે કે તેઓ પણ પરંપરાગત રાજકારણના જ ચક્રમાં ફસાઈ રહ્યા છે?
તાજેતરના સમયમાં Raghav Chadha કેટલાક વિવાદોમાં ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને સંસદમાં વિશેષાધિકાર (privilege) મુદ્દાને લઈને ઉઠેલા પ્રશ્નો અને રાજકીય વિરોધીઓ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો એ તેમની છબીને અસર કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં મહત્વનું એ છે કે આ વિવાદોને આપણે કેવી રીતે સમજીએ.
રાજકારણમાં "કન્ટ્રોવર્સી" ઘણી વખત સત્ય અને પ્રચાર વચ્ચેની એક રેખા હોય છે. કોઈ પણ નેતા સામે આક્ષેપો થવું એ લોકશાહી પ્રણાલીમાં અસામાન્ય નથી. પરંતુ જ્યારે આક્ષેપોનું સ્વરૂપ રાજકીય હોય, ત્યારે તે માત્ર વ્યક્તિગત મુદ્દો રહેતો નથી — તે આખા રાજકીય નેરેટિવનો ભાગ બની જાય છે. Raghav Chadhaના મામલે પણ આ જ પરિસ્થિતિ દેખાય છે.
એક બાજુ તેમને એક સુશિક્ષિત, સ્પષ્ટવક્તા અને આધુનિક વિચારસરણી ધરાવતા નેતા તરીકે રજૂ કરવામાં આવે છે. બીજી બાજુ, તેમના વિરુદ્ધ ઊભા કરવામાં આવતા વિવાદો તેમના રાજકીય ઉદયને રોકવા માટેની વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવે છે. આ દ્વંદ્વ આજના રાજકારણનું મૂળ સ્વરૂપ છે.
અહીં એક ઊંડો તર્ક સમજવો જરૂરી છે — આજનું રાજકારણ "નૈતિકતા" કરતાં વધુ "નેરેટિવ" પર આધારિત બની ગયું છે. સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલ્સ અને જાહેર ચર્ચાઓ એ નક્કી કરે છે કે કોણ સાચું અને કોણ ખોટું. આ સંજોગોમાં Raghav Chadha જેવા યુવા નેતાઓ માટે પડકાર બમણો થઈ જાય છે — કારણ કે તેમને માત્ર કાર્ય નહીં, પણ પોતાની છબી પણ સતત સંભાળવી પડે છે.
Arvind Kejriwalના નેતૃત્વ હેઠળ ઉભી થયેલી Aam Aadmi Partyએ રાજકારણમાં એક નવી શૈલી લાવવાનો પ્રયત્ન કર્યો — જેમાં પારદર્શિતા, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા. Raghav Chadha આ વિચારોના એક પ્રબળ પ્રવક્તા તરીકે ઉભરી આવ્યા. પરંતુ જ્યારે પાર્ટીનો વિસ્તાર વધે છે, ત્યારે તેની સાથે જોડાયેલા વિવાદો પણ વધે છે — અને આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે.
વર્તમાન વિવાદોને જોતા એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે — શું આ વિવાદો ખરેખર નૈતિક ભૂલોને કારણે છે કે રાજકીય સ્પર્ધાનો એક ભાગ છે?
આ પ્રશ્નનો જવાબ સરળ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે — આજના રાજકારણમાં "છબી" (image) એ "કાર્ય" જેટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. Raghav Chadha માટે આ એક પરીક્ષા છે — જ્યાં તેમને માત્ર પોતાની નિર્દોષતા સાબિત કરવી નથી, પણ પોતાની વિશ્વસનીયતા પણ જાળવવી છે.
રાજકારણના બદલાતા સમીકરણો વચ્ચે રાઘવ Chadha એક એવા ચહેરા તરીકે સામે આવે છે જે આશા અને પ્રશ્નો બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ એક નવી પેઢીના સપનાઓનું પ્રતીક છે, પરંતુ સાથે સાથે એ પણ બતાવે છે કે રાજકારણમાં ઉંચાઈએ પહોંચવું જેટલું મુશ્કેલ છે, એટલું જ મુશ્કેલ છે ત્યાં ટકી રહેવું.
આજનો મતદાતા વધુ જાગૃત છે, વધુ પ્રશ્ન કરે છે અને માત્ર વચનો પર વિશ્વાસ કરતો નથી. આવા સમયમાં કોઈ પણ નેતા માટે સૌથી મોટો પડકાર એ છે કે તે પોતાની વિશ્વસનીયતા જાળવી શકે. Raghav Chadha માટે આ સમય એક કસોટી છે — અને આ કસોટીનો પરિણામ માત્ર તેમના રાજકીય ભવિષ્યને નહીં, પરંતુ ભારતના યુવા રાજકારણની દિશાને પણ અસર કરશે.
કોલમ:જયવાદ
લેખક:જૈમીન જોષી.
Tuesday, March 24, 2026
આરોગ્ય ધન સંપદા (Health Wealth)
- આરોગ્ય: અદૃશ્ય ધનની અખૂટ મહત્તા
માનવ જીવન એક અજોડ રહસ્ય છે, જ્યાં આપણે ઘણીવાર જે દેખાય છે તેને જ સત્ય માની લઈએ છીએ અને જે અદૃશ્ય છે તેને અવગણીએ છીએ. “ધન” વિશે વિચારીએ ત્યારે આંખો સામે સોના-ચાંદી, મિલ્કત, વૈભવ અને સુખસુવિધાઓનો ચમકતો વિશ્વ ઉભો થાય છે. પરંતુ જીવનના ઊંડાણમાં પ્રવેશીએ ત્યારે સમજાય છે કે સાચું ધન તે નથી જે ભેગું થાય છે, પરંતુ તે છે જે આપણને જીવવાની ક્ષમતા આપે છે. આ સંદર્ભમાં “આરોગ્ય” એ માત્ર એક શબ્દ નહીં, પરંતુ જીવનના મૂળ સ્વરૂપનું પ્રતિબિંબ છે.
આરોગ્યનું તત્વ એટલું સૂક્ષ્મ અને વ્યાપક છે કે તેને કોઈ એક વ્યાખ્યામાં બંધાઈ શકાતું નથી. તે શરીરની શક્તિમાં, મનની શાંતિમાં અને આત્માની સ્થિરતામાં પ્રગટે છે. મનુષ્ય જ્યારે સ્વસ્થ હોય છે, ત્યારે જ તે પોતાના અસ્તિત્વને પૂર્ણતાથી અનુભવી શકે છે. બીમારી માત્ર શરીરને જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્તરે પણ વ્યક્તિને ખંડિત કરી નાખે છે. આથી આરોગ્ય એ જીવનનું કેન્દ્રબિંદુ છે—એવું કેન્દ્ર, જેના આસપાસ બધી જ સિદ્ધિઓ અને આનંદો પરિભ્રમણ કરે છે.
વિચિત્રતા એ છે કે માનવ સ્વભાવ હંમેશા બહારની ચમક તરફ આકર્ષાય છે. સંપત્તિ, પ્રતિષ્ઠા અને સત્તાની પાછળ દોડતી માનવજાતે ઘણીવાર પોતાના અસ્તિત્વના મૂળ તત્વને જ ભૂલી દીધું છે. જ્યારે શરીર નિરોગી હોય છે, ત્યારે માણસને તેની કિંમત સમજાતી નથી; પરંતુ જ્યારે કોઈ નાની અસ્વસ્થતા પણ થાય છે, ત્યારે જ સમજાય છે કે જીવનમાં શું ખરેખર મહત્વનું છે. આ અનુભૂતિ એક આંતરિક જાગૃતિ લાવે છે—કે જે કંઈ આપણે મેળવવા માટે દોડીએ છીએ, તે બધું આરોગ્યના આધાર પર જ ટકેલું છે.
આરોગ્ય અને ધન વચ્ચેનો સંબંધ એક ગહન તત્વચિંતનનો વિષય છે. ધન એ બહારથી મેળવાતું છે, જ્યારે આરોગ્ય અંદરથી વિકસે છે. ધન માટે માણસ બહારની દુનિયામાં સંઘર્ષ કરે છે, પરંતુ આરોગ્ય માટે તેને પોતાની અંદર જ ઉતરવું પડે છે. આ બંને વચ્ચેનું અંતર માત્ર દિશાનું નથી, પરંતુ દ્રષ્ટિકોણનું છે. એક ભેગું કરવાનું છે, બીજું જાળવવાનું છે; એકમાં સ્પર્ધા છે, બીજામાં સંતુલન છે.
આધુનિક યુગમાં માનવ જીવનની ગતિ એટલી તેજ બની ગઈ છે કે શાંતિ અને સમતોલન માટે જગ્યા જ બાકી રહી નથી. દરેક ક્ષણે કંઈક મેળવવાની લાલસા અને કંઈક ગુમાવી દેવાની ભયભાવના વચ્ચે માણસ સતત દોડતો રહે છે. આ દોડમાં શરીર થાકી જાય છે, મન થાકી જાય છે અને અંતે આત્મા પણ નિર્જીવ થઈ જાય છે. આ થાક માત્ર શારીરિક નથી, તે અસ્તિત્વના દરેક સ્તરે અનુભવાય છે. જ્યારે જીવનની ગતિ અને આંતરિક લય વચ્ચે અસમતોલન સર્જાય છે, ત્યારે આરોગ્ય ખોરવાઈ જાય છે.
માનસિક આરોગ્યની વાત કરીએ તો તે વધુ જ સંવેદનશીલ ક્ષેત્ર છે. મન એ એવી જગ્યા છે જ્યાં વિચારો, ભાવનાઓ અને સ્મૃતિઓ એકસાથે વસે છે. જ્યારે મનમાં અશાંતિ હોય છે, ત્યારે બહારનું વિશ્વ પણ અસંતુલિત લાગે છે. માનવ જીવનમાં સૌથી મોટો સંઘર્ષ ઘણીવાર બહારનો નહીં, પરંતુ અંદરનો હોય છે. આ આંતરિક સંઘર્ષ મનને અસ્થિર બનાવે છે અને તે શરીર પર પણ અસર કરે છે. તેથી આરોગ્યની સાચી સમજ એ છે કે શરીર અને મન બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
આરોગ્યને જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવામાં આવે, તો તે વધુ ઊંડો અર્થ આપે છે. માનવ અસ્તિત્વ માત્ર ભૌતિક સ્તર સુધી મર્યાદિત નથી. અંદર એક એવી ચેતના વસે છે, જે શાંતિ, સંતોષ અને આનંદનું સ્ત્રોત છે. જ્યારે માણસ આ ચેતનાને અનુભવે છે, ત્યારે તે બહારની પરિસ્થિતિઓથી પર થઈ જાય છે. આ સ્થિતિમાં આરોગ્ય માત્ર શરીરની સ્થિતિ નહીં, પરંતુ એક જીવંત અનુભૂતિ બની જાય છે—જેમાં જીવનનું સૌંદર્ય અને પૂર્ણતા ઝળહળે છે.
સમાજના પરિપ્રેક્ષ્યમાં જોવું તો આરોગ્ય એક વ્યક્તિગત બાબત હોવા છતાં સામૂહિક અસર ધરાવે છે. એક વ્યક્તિનું સ્વાસ્થ્ય તેના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સુધી અસર કરે છે. જ્યારે લોકો સ્વસ્થ હોય છે, ત્યારે તેઓ સર્જનાત્મકતા, સહકાર અને સકારાત્મકતા તરફ આગળ વધે છે. પરંતુ જ્યારે આરોગ્ય ખોરવાય છે, ત્યારે જીવનમાં નિરાશા, અશાંતિ અને અસંતુલન વધે છે. આથી આરોગ્ય એ માત્ર વ્યક્તિગત સુખનો વિષય નથી, પરંતુ સામૂહિક સમૃદ્ધિનો આધાર છે.
આખરે, આરોગ્યનું સાચું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે આપણે જીવનને માત્ર સફળતા કે સંપત્તિના માપદંડથી નહીં, પરંતુ અનુભૂતિના સ્તરે સમજીએ છીએ. જીવનનો સાર એ નથી કે આપણે કેટલું ભેગું કર્યું, પરંતુ એ છે કે આપણે કેટલું જીવી લીધું. અને સાચું જીવન ત્યારે જ શક્ય બને છે, જ્યારે શરીર નિરોગી, મન શાંત અને આત્મા સંતુલિત હોય.
શરીરને નિરોગી રાખવું કોઈ એક દિવસનું કામ નથી—એ જીવન જીવવાની એક રીત છે. “સ્વસ્થ જીવન” એટલે માત્ર રોગ ન હોવો નહીં, પરંતુ શરીર, મન અને દૈનિક જીવન વચ્ચેનું સંતુલન. જો તમે ખરેખર લાંબા સમય સુધી તંદુરસ્ત રહેવા માંગો છો, તો કેટલીક મૂળભૂત બાબતોને જીવનમાં ઉતારવી જરૂરી છે.
સૌથી પહેલા, ખોરાકની વાત કરીએ તો આજકાલ આપણે જે ખાઈએ છીએ તે આપણા શરીર માટે ઊર્જા કરતાં વધુ ભાર બની રહ્યું છે. બહારનું તેલિયું, ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ વસ્તુઓ શરીરને ધીમે ધીમે નબળું બનાવે છે. તેના બદલે ઘરેલું, તાજું અને સંતુલિત આહાર—જેમ કે દાળ, શાકભાજી, ફળ, અનાજ—શરીરને સાચી શક્તિ આપે છે. ખાવાનો સમય પણ એટલો જ મહત્વનો છે; અનિયમિતતા શરીરની આંતરિક વ્યવસ્થાને ખોરવી નાખે છે.
શરીર માટે ગતિ પણ એટલી જ જરૂરી છે. આજે ઘણા લોકોનો દિવસ બેઠા બેઠા પસાર થાય છે, જે અનેક બીમારીઓનું મૂળ છે. રોજ થોડીક કસરત, ચાલવું, યોગ કે કોઈ પણ પ્રકારની શારીરિક ક્રિયા શરીરને સક્રિય રાખે છે. શરીર જેટલું ચાલે છે, તેટલું જ તે જીવંત રહે છે.
નિંદ્રા એ એક એવી બાબત છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ. પૂરતી અને સારી ઊંઘ શરીરને ફરીથી તાજું બનાવે છે. જો ઊંઘ યોગ્ય ન હોય, તો દિવસભર થાક, ચીડિયાપણું અને ધ્યાનમાં ઘટાડો અનુભવાય છે. તેથી નિશ્ચિત સમય પર સુવું અને ઉઠવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
માનસિક શાંતિ પણ તંદુરસ્તીનો મહત્વનો ભાગ છે. તણાવ, ચિંતા અને સતત દોડધામ મનને થકવી નાખે છે, અને તેનો સીધો અસર શરીર પર પડે છે. થોડો સમય પોતાને આપવો, શાંતિથી બેસવું, ધ્યાન કે પ્રાણાયામ કરવું—આ બધું મનને હળવું બનાવે છે. જ્યારે મન શાંત હોય, ત્યારે શરીર પણ સ્વસ્થ રહે છે.
પાણી પીવાનું પણ એટલું જ મહત્વનું છે. ઘણા લોકો દિવસભર પૂરતું પાણી નથી પીતા, જે શરીરમાં થાક અને અન્ય સમસ્યાઓ ઊભી કરે છે. નિયમિત અને પૂરતું પાણી શરીરને શુદ્ધ રાખે છે અને તમામ અંગોને યોગ્ય રીતે કામ કરવા મદદ કરે છે.
એક બીજી મહત્વની બાબત છે—પ્રકૃતિ સાથે જોડાણ. સવારની તાજી હવા, સૂર્યપ્રકાશ, લીલાછમ વાતાવરણ—આ બધું શરીર અને મન બંને માટે ઔષધી સમાન છે. આપણે જેટલા પ્રકૃતિથી દૂર જઈએ છીએ, તેટલા જ અસ્વસ્થ બનતા જઈએ છીએ.
આ બધું એક દિવસમાં બદલાતું નથી. પરંતુ નાની નાની આદતો—સમયસર ખાવું, થોડીક કસરત, સારી ઊંઘ, શાંત મન—આ બધું મળીને ધીમે ધીમે જીવનને નિરોગી બનાવે છે.
સાચું સ્વાસ્થ્ય કોઈ મોટી સિદ્ધિ નથી, તે રોજિંદા યોગ્ય પસંદગીઓનું પરિણામ છે. જ્યારે આપણે શરીરને સમજીએ છીએ અને તેનું માન રાખીએ છીએ, ત્યારે જ તે આપણને લાંબા સમય સુધી સાથ આપે છે.
આથી એવું કહી શકાય કે આરોગ્ય એ જીવનનું અદૃશ્ય ધન છે—એવું ધન, જે દેખાતું નથી પરંતુ દરેક ક્ષણે અનુભવાય છે; જે ખરીદી શકાયતું નથી પરંતુ જાળવી શકાય છે; અને જે વગર બધી જ સંપત્તિ નિષ્ફળ બની જાય છે. આ સમજણ જ જીવનને એક નવી દિશા આપે છે—જેમાં ધનનો અર્થ બદલાઈ જાય છે અને જીવનનું સાચું સૌંદર્ય પ્રગટ થાય છે.
કોલમ: જયવાદ
લેખક : જૈમીન જોષી.
પત્ની અને પ્રેમિકા વચ્ચે ખાતો હીરો : મુખ્યમંત્રી (Hero eating between wife and girlfriend: Chief Minister)
“હીરો, હેડલાઈન અને હકીકત : વિજયના જીવનનું રાજકીય વિશ્લેષણ” દક્ષિણ ભારતની રાજનીતિ અને સિનેમાનો સંબંધ કોઈ નવી ઘટના નથી. તામિલનાડુન...
-
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. [ કલમ ૩૭૬ - એ ] : - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :- ...
-
સમર્પણ , સ્નેહ અને ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!! MEERA ક્રુષ્ણ પ્રિય મીરાં: છ સાત વર્ષની બાળા એક વટેમાર્ગ...
-
મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે...
-
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને ભારતીય કેલેન્ડરમાં પથદર્શક અને મૂળ કેન્દ્ર સ્થાને છે:- માનવ જેમ જેમ વિકાસ પામતો થયો ત...
-
કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy): સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...