Showing posts with label Social. Show all posts
Showing posts with label Social. Show all posts

Sunday, March 8, 2026

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : સંઘર્ષથી સર્જાતી શક્તિની અદ્ભુત કહાણી(International Women's Day: A wonderful story of strength created through struggle)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : સંઘર્ષથી સર્જાતી શક્તિની અદ્ભુત કહાણી


દર વર્ષે International Women’s Day એટલે કે ૮ માર્ચનો દિવસ વિશ્વભરમાં મહિલાઓના સન્માન, તેમની સિદ્ધિઓ અને તેમના સંઘર્ષને યાદ કરવાનો દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ આ દિવસ માત્ર ઉજવણીનો નથી; આ દિવસ એ યાદ અપાવે છે કે સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાનું સ્થાન બનાવવા માટે કેટલો લાંબો અને કઠિન સંઘર્ષ કર્યો છે.

આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, રાજકારણ, વ્યવસાય અને સમાજસેવા જેવા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. છતાં પણ આ સફર સહેલી નહોતી. અસમાનતા, અંધશ્રદ્ધા, સામાજિક બંધનો અને અનેક પડકારો સામે લડીને મહિલાઓએ પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું છે.


સંઘર્ષની શરૂઆત : સમાજના બંધનો સામે લડત

એક સમય એવો હતો જ્યારે મહિલાઓને શિક્ષણ મેળવવાનો અધિકાર પણ નહોતો. સમાજમાં એમ માનવામાં આવતું કે મહિલાનું કામ માત્ર ઘર અને પરિવાર સુધી મર્યાદિત છે. પરંતુ કેટલાક સાહસિક મહિલાઓએ આ વિચારધારાને પડકાર આપ્યો.

ભારતમાં મહિલા શિક્ષણની ક્રાંતિની વાત કરીએ તો Savitribai Phule(સાવિત્રીબાઈ ફુલે) નું નામ સદા માટે યાદ રહેશે. તેમણે એ સમયગાળામાં છોકરીઓ માટે શાળા શરૂ કરી જ્યારે મહિલાઓને શિક્ષણ આપવું પાપ માનવામાં આવતું હતું. લોકો તેમની ઉપર પથ્થર અને કાદવ ફેંકતા, તેમ છતાં તેઓ હિંમત હાર્યા વગર રોજ શાળા જતાં. તેમના આ સંઘર્ષે ભારતની લાખો છોકરીઓના જીવનમાં પ્રકાશ લાવ્યો.

આ જ રીતે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ મહિલાઓએ અદ્ભુત યોગદાન આપ્યું. Rani Lakshmibai(રાણી લક્ષ્મીબાઈ) એ અંગ્રેજો સામે શૌર્ય અને બહાદુરીનો અનોખો દાખલો આપ્યો. તેમની હિંમત એ બતાવે છે કે સ્ત્રી માત્ર સંવેદનાની પ્રતિમૂર્તિ જ નહીં પરંતુ શક્તિ અને સાહસનું પણ પ્રતિક છે.

સમય બદલાયો અને મહિલાઓએ પોતાની ક્ષમતાનો પરિચય દુનિયાને આપ્યો. આજે અનેક મહિલાઓ એવી છે જેમણે અશક્ય લાગતા ક્ષેત્રોમાં પણ સફળતા મેળવી છે.

ભારતની અવકાશયાત્રાની વાત કરીએ તો Kalpana Chawla(કલ્પના ચાવલા) નું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે. હરિયાણાના એક નાનકડા શહેરમાંથી ઉડીને તેમણે અંતરિક્ષ સુધીનો પ્રવાસ કર્યો. તેમનો સંદેશ હતો કે “સપના જોવાની હિંમત રાખો, તો આકાશ પણ તમારી મર્યાદા નથી.”

રમતગમત ક્ષેત્રમાં પણ મહિલાઓએ દેશનું નામ વિશ્વમાં ઊંચું કર્યું છે. Mary Kom(મેરી કોમ) એ બોક્સિંગ જેવા કઠિન રમતમાં અનેક વિશ્વ ચેમ્પિયનશિપ જીતી. માતા બન્યા પછી પણ તેમણે પોતાની કારકિર્દી ચાલુ રાખી અને સાબિત કર્યું કે સંઘર્ષ સામે હિંમત હોય તો સફળતા જરૂર મળે છે.

રાજકારણમાં પણ મહિલાઓએ શક્તિ અને નેતૃત્વનો પરિચય આપ્યો છે. Indira Gandhi (ઈન્દીરા ગાંધી) એ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું અને વિશ્વ રાજકારણમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું.



મહિલાઓ માત્ર સફળતા મેળવતી વ્યક્તિઓ જ નથી; તેઓ સમાજના મૂલ્યોને જીવંત રાખતી શક્તિ છે. એક માતા તરીકે તેઓ સંતાનોમાં સંસ્કાર ભરે છે, એક બહેન તરીકે સ્નેહ આપે છે, અને એક પત્ની તરીકે પરિવારને સંભાળે છે.

મહિલાની અંદર કરુણા, સહનશીલતા અને પ્રેમની અદભુત શક્તિ હોય છે. ઘણી વખત સમાજમાં તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ તેમ છતાં પરિવાર અને સમાજ માટે પોતાના સપનાઓનો ત્યાગ કરે છે.

આ કારણસર કહેવાય છે કે
“એક સ્ત્રી શિક્ષિત થાય એટલે આખું કુટુંબ શિક્ષિત બને છે.”

મહિલાઓના સશક્તિકરણનો અર્થ માત્ર તેમને અધિકાર આપવાનો નથી, પરંતુ તેમને સમાન સન્માન અને અવસર આપવાનો છે.


બદલાતું સમાજ અને નવી આશા

આજના યુગમાં મહિલાઓ માટે અનેક નવા અવસર ખુલ્યા છે. શિક્ષણ, ટેક્નોલોજી અને સામાજિક જાગૃતિના કારણે મહિલાઓ પોતાના સપનાઓ સાકાર કરી રહી છે.

ભારતમાં “બેટી બચાવો, બેટી વાંચાવો” જેવી પહેલોએ પણ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. આજે ઘણી યુવતીઓ ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક અને ઉદ્યોગસાહસિક બનીને સમાજમાં નવી ઓળખ બનાવી રહી છે.

પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં મહિલાઓ સામે અસમાનતા, હિંસા અને ભેદભાવ જેવા પ્રશ્નો છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે સમાજના દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી પડશે.


પ્રેરણા : દરેક મહિલામાં છુપાયેલી શક્તિ

દરેક મહિલાની અંદર એક અદૃશ્ય શક્તિ હોય છે. ઘણી વખત પરિસ્થિતિઓ તેમને કમજોર બનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હિંમત અને આત્મવિશ્વાસ તેમને ફરી ઊભા થવા માટે પ્રેરણા આપે છે.

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે મહિલાઓને અવસર મળે છે ત્યારે તેઓ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે.

આજનો દિવસ એ તમામ મહિલાઓને સમર્પિત છે જેઓ પોતાના સપનાઓ માટે સંઘર્ષ કરે છે, પોતાના પરિવાર માટે ત્યાગ કરે છે અને સમાજને વધુ સુંદર બનાવવા માટે સતત પ્રયત્ન કરે છે.


International Women’s Day આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે –

મહિલાઓનું સન્માન માત્ર એક દિવસ પૂરતું ન હોવું જોઈએ; તે જીવનના દરેક દિવસે હોવું જોઈએ.

જ્યારે સમાજ મહિલાઓને સમાન અધિકાર, અવસર અને સન્માન આપશે ત્યારે જ સાચા અર્થમાં વિકાસ શક્ય બનશે.

દરેક સ્ત્રી એક શક્તિ છે, એક પ્રેરણા છે અને એક સર્જનશક્તિ છે.

“મહિલા માત્ર જીવનને જન્મ આપતી નથી, પરંતુ તે સમાજને દિશા પણ આપે છે.”

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમામ મહિલાઓને સલામ —
તેમના સંઘર્ષને, તેમના સપનાઓને અને તેમની અડગ શક્તિને. 

કોલમ-:જયવાદ 

લેખક: જૈમીન જોષી. 

Saturday, March 7, 2026

ઈરાન–અમેરિકા તણાવ અને વૈશ્વિક રાજકારણ : ભારત માટે સંાવિત પડકારો(Iran-US tensions and global politics: Concurrent challenges for India)

ઈરાન–અમેરિકા તણાવ અને વૈશ્વિક રાજકારણ : ભારત માટે સંભવિત પડકારો



 આજના સમયમાં વિશ્વ રાજકારણ ફરી એક વખત અસ્થિરતાની દિશામાં આગળ વધી રહ્યું છે. મધ્યપૂર્વ પ્રદેશમાં વધતા તણાવને કારણે વિશ્વના અનેક દેશો ચિંતિત બન્યા છે. ખાસ કરીને Iran અને United States વચ્ચે ઊભેલા તણાવને કારણે સમગ્ર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં અસ્થિરતા જોવા મળી રહી છે. કેટલાક સંજોગોમાં Iraq પણ આ વિવાદમાં પરોક્ષ રીતે જોડાઈ જાય છે. આ પરિસ્થિતિ માત્ર આ પ્રદેશ પૂરતી મર્યાદિત નથી રહેતી; તેનું સીધું અને પરોક્ષ અસર વિશ્વના અનેક દેશો પર પડે છે. ભારત જેવા વિકાસશીલ અને વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલા દેશ માટે આવી સ્થિતિ અનેક પ્રકારના પડકારો ઉભા કરી શકે છે.

   ભારતનું આર્થિક અને વ્યૂહાત્મક માળખું વૈશ્વિક વેપાર અને ઊર્જા આયાત પર ઘણું નિર્ભર છે. મધ્યપૂર્વ પ્રદેશ વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક વિસ્તારોમાંનું એક છે. ભારત પોતાની ઊર્જાની મોટી જરૂરિયાત માટે આ પ્રદેશ પર આધાર રાખે છે. જો આ વિસ્તારમાં યુદ્ધ કે તણાવ વધે, તો તેલના ભાવોમાં ભારે વધારો થવાની શક્યતા રહે છે. તેલના વધતા ભાવો સીધા રીતે ભારતની અર્થવ્યવસ્થાને અસર કરે છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા બનવાથી પરિવહન ખર્ચ વધે છે અને તેનો પ્રભાવ ખાદ્યપદાર્થોથી લઈને દૈનિક જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં પડે છે.

  ઊર્જા ક્ષેત્ર સિવાય વેપાર ક્ષેત્ર પણ આવી પરિસ્થિતિમાં પ્રભાવિત થાય છે. મધ્યપૂર્વ ભારત માટે મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. ભારતમાંથી ખાદ્યપદાર્થો, દવાઓ, કાપડ અને અનેક ઉદ્યોગિક ઉત્પાદનો આ પ્રદેશમાં નિકાસ થાય છે. જો યુદ્ધ કે તણાવને કારણે વેપાર માર્ગો ખલેલ પામે, તો ભારતીય નિકાસ પર પણ અસર પડે છે. ખાસ કરીને દરિયાઈ માર્ગો પર સુરક્ષા સંબંધિત જોખમ વધે તો વહાણ વ્યવહાર મુશ્કેલ બની શકે છે.

ભારત માટે બીજી મોટી ચિંતા મધ્યપૂર્વમાં વસતા ભારતીયો છે. લાખો ભારતીયો આ પ્રદેશમાં રોજગાર માટે રહે છે અને ત્યાંથી દેશમાં મોટા પ્રમાણમાં વિદેશી ચલણ મોકલે છે. આ રકમ ભારતની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જો તણાવ વધે અથવા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તો ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા અને તેમની રોજગાર સ્થિતિ જોખમમાં આવી શકે છે. આવી સ્થિતિમાં ભારત સરકારને તેમના બચાવ અને વતનમાં પરત લાવવાની કામગીરી હાથ ધરવી પડે છે.

રાજનૈતિક દૃષ્ટિકોણથી પણ ભારત માટે આ પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે. ભારત historically બંને દેશો સાથે સંતુલિત અને મિત્રતાપૂર્વકના સંબંધો જાળવવાનો પ્રયાસ કરે છે. એક તરફ અમેરિકા સાથે ભારતના વ્યૂહાત્મક અને ટેક્નોલોજીકલ સંબંધો મજબૂત બની રહ્યા છે, જ્યારે બીજી તરફ ઈરાન સાથે ભારતના ઐતિહાસિક અને ઊર્જા સંબંધો મહત્વ ધરાવે છે. આવી પરિસ્થિતિમાં કોઈ એક પક્ષ તરફ ખુલ્લું ઝુકાવ ભારત માટે રાજનૈતિક રીતે મુશ્કેલ બની શકે છે. તેથી ભારત માટે સંતુલિત અને સમજદારીપૂર્વકની વિદેશ નીતિ અપનાવવી જરૂરી બની જાય છે.

સુરક્ષા દૃષ્ટિએ પણ આ પરિસ્થિતિ ભારત માટે પડકારરૂપ બની શકે છે. મધ્યપૂર્વમાં વધતી અસ્થિરતા ક્યારેક આતંકવાદી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપી શકે છે. જો પ્રદેશમાં અસ્થિરતા વધે, તો તેનો પ્રભાવ દક્ષિણ એશિયા સહિત વિશ્વના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. ભારતને પોતાની આંતરિક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર પડી શકે છે.

વિશ્વ રાજકારણમાં આવી ઘટનાઓ ઘણી વખત વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસર કરે છે. શેરબજારની અસ્થિરતા, ચલણના મૂલ્યમાં ફેરફાર અને વૈશ્વિક રોકાણમાં ઘટાડો જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. ભારત જે હાલમાં વિકાસ અને રોકાણ માટે વિશ્વનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે, તેને પણ આર્થિક અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે.

તેમ છતાં, દરેક સંકટમાં સંભાવનાઓ પણ છુપાયેલી હોય છે. જો ભારત સમજદારીપૂર્વક પોતાની વિદેશ નીતિ અને આર્થિક વ્યૂહરચના ગોઠવે, તો તે આ પરિસ્થિતિમાં પણ પોતાની સ્થિતિ મજબૂત બનાવી શકે છે. ઊર્જા માટે વૈકલ્પિક સ્ત્રોતો શોધવા, વેપાર ભાગીદારોને વૈવિધ્ય આપવું અને આંતરરાષ્ટ્રીય મંચો પર શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રયત્ન કરવો ભારત માટે મહત્વપૂર્ણ બની શકે છે.

અંતમાં કહી શકાય કે મધ્યપૂર્વમાં વધતા તણાવની અસર માત્ર પ્રદેશ સુધી મર્યાદિત નથી રહેતી. તે વિશ્વના અનેક દેશોને સીધી કે પરોક્ષ રીતે પ્રભાવિત કરે છે. ભારત માટે આ પરિસ્થિતિ આર્થિક, રાજનૈતિક અને સુરક્ષા ત્રણેય દૃષ્ટિએ મહત્વપૂર્ણ પડકારો ઉભા કરી શકે છે. પરંતુ સંયમ, સંતુલન અને વ્યૂહાત્મક સમજ સાથે ભારત આ પડકારોને અવસરમાં ફેરવી શકે છે. વિશ્વ રાજકારણના આ અસ્થિર સમયમાં ભારત માટે સૌથી મોટી જરૂરિયાત શાંતિ, સહકાર અને સ્થિરતાની દિશામાં આગેવાની લેવાની છે.

આજના વૈશ્વિક પરિસ્થિતિમાં દેશોની શક્તિ માત્ર સૈન્યબળથી નહીં પરંતુ સમજદારીભરી નીતિ, મજબૂત અર્થવ્યવસ્થા અને માનવતાવાદી દૃષ્ટિકોણથી પણ નક્કી થાય છે. જો ભારત આ ત્રણે ક્ષેત્રોમાં સંતુલન જાળવી શકે, તો કોઈ પણ વૈશ્વિક સંકટ તેની પ્રગતિને લાંબા સમય સુધી રોકી શકશે નહીં.

કૉલમ : જયવાદ
લેખક : જૈમીન જોષી. 

Tuesday, January 13, 2026

"Smartphone Detox: આધુનિક જીવનમાં શાંતિ તરફનું એક પગલું"("Smartphone Detox: One Step to Sophisticated Peace")

 

"Smartphone Detox: આધુનિક જીવનમાં શાંતિ તરફનું એક પગલું"

 

 

                 "Smartphone Detox:

વધુ પડતો લગાવ કાયમ નુકશાન દાયક હોય છે પછી તે ભૌતિક જીવનમાં હોય કે સંબંધોમાં.આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયેલ મોબાઈ આપણા માટે કેટલો લાભ દાયક છે તે વિષે ક્યારે વિચાર્યું છે ? આજે આપણને માતા-પિતા કે પતિ-પત્ની વગર ચાલશે પરંતુ મોબાઈલ વગર નહિ .આટલું વળગણ કેમ?

લગભગ 56.9% લોકો માને છે કે તેઓ ફોન માટે એડિક્ટ છે.   76% લોકો એ જણાવે છે કે જો ફોન તેમના પાસે ન હોય તો તેમને ઍન્ઝાયટી થાય છે, અને 44% લોકો 24 કલાક ફોન વગર ન રહી શકે.મોટાભાગના લોકો ફોન પર અતિ એડિક્ટ બની રહ્યા છે, જે એલાર્મિંગ છે.

એક સર્વે મુજબ વિદ્યાર્થીઓમાં સરેરાશ રોજ 5 કલાક 30 મિનિટ ફોન ઉપયોગ થાય છે અને કુટુંબના જીવનનો સમીપ ભાગ બની ગયો છે. 4% વિદ્યાર્થીઓ લગભગ 9+ કલાક રોજ ફોન પર વિતાવે છે. જેના લીધે તેઓ 25 થી વધારે વર્ષ જીવનમાં ફોન સાથે લગાયેલા મહેસૂસ કરે છે.એક અભ્યાસમાં અમેરિકાની યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું કે કેટલીક વ્યક્તિઓ રોજ પોતાના ફોનને 190 વખત ઉઠાવે છે, અને screen time વર્ષો સુધી જીવનનો મોટો હિસ્સો બની શકે છે.

ડિપ્રેશન (ઉદાસીનતા) અને એન્ઝાયટી (ચિંતાવ્યવસ્થા) સાથે જોડાયેલ છે.

                આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયો છે. પણ શું તમને ખ્યાલ છે કે દરરોજ આપણે કેટલો સમય ફક્ત મોબાઇલ સ્ક્રીન સામે વિતાવીએ છીએ? આ ટેકનોલોજી ભલે આપણું જીવન સરળ બનાવે છે, પણ વધુ ઉપયોગથી આપણા શરીર, મન અને સંબંધો પર નકારાત્મક અસર થઈ શકે છે.અહીંથી જ શરૂ થાય છે “*Smartphone Detox*” ની જરૂરિયાત.

*Smartphone Detox એટલે શું?*

સ્માર્ટફોન ડિટોક્સ એ એવું આયોજન છે, જેમાં તમે થોડા સમય માટે અથવા નિયત સમયગાળા માટે તમારા ફોનના ઉપયોગમાં ઘટાડો કરો છો. તે વ્યક્તિગત શાંતિ, ફોકસ, માનસિક આરોગ્ય અને સંબંધોને સુધારવા માટે કરવામાં આવે છે.

1. માનસિક આરોગ્ય માટે: સતત નોટિફિકેશન અને સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ દિમાગને થકાવે છે. તે તણાવ, ઉતાવળ અને ડિપ્રેશન તરફ દોરી શકે છે.

2. ઉત્પાદકતા માટે: ફોનના વ્યસનથી કામના સમય પર અસર થાય છે. ડિટોક્સથી મન એકાગ્ર થાય છે.

3. સંબંધોમાં નિકટતા: ડિજિટલ વાર્તાલાપ સામે વ્યક્તિગત સંવાદ વધારે મહત્વનો છે.

4. નિદ્રા પર અસર: રાત્રે ફોન વાપરવાથી Melatonin નામક હોર્મોનની અસર થવા લાગતી છે, જે ઊંઘમાં ખલેલ કરે છે.


no cell phone
ડિટોક્સ શરૂ કેવી રીતે કરશો?

નિયમિત સમય નક્કી કરો: દિનચર્યામાં “No Phone Time” નક્કી કરો. જેમ કે સૂતા પહેલા 1 કલાક અને જાગ્યા પછી 1 કલાક ફોનનો ઉપયોગ ના કરો.

નોટિફિકેશન બંધ કરો: ફક્ત અગત્યના apps (જેમ કે Call/SMS) સિવાય બીજા appsની નોટિફિકેશન બંધ કરો.

Screen Time Track કરો: તમારા ફોનમાં Screen Time checker app નો ઉપયોગ કરો.

ફોન વગરના હોબીઝ વિકસાવો: વાંચન, ચાલવું, સંગીત, આત્મ-ચિંતન જેવી પ્રવૃત્તિઓને જગ્યા આપો.

Tech-Free Zones બનાવો: ખાવાનું ટેબલ, શયનકક્ષમાં ફોન નહિ લેવા જેવા નિયમો ઘરમાં રાખો.

આપણને તેમ થાય કે આ બધું કરવાથી શું પ્રાપ્ત થશે? તો

- વધારે ઊંઘ અને આરામ

- સંતુલિત ભાવનાઓ

- સંબંધોમાં સુધારો

- પોતાનો સમય વધુ સારી રીતે જીવી શકાય

 

સ્માર્ટફોન ખરેખર ઉપયોગી છે, પણ તેનો સંતુલિત ઉપયોગ જ શાંતિ અને ખુશી તરફનું માર્ગ છે. હવે સમય છે કે આપણે ourselves ને ડિજિટલ શબદભ્રમમાંથી મુક્ત કરી, જીવનના સાહજિક અવાજો સાથે ફરી જોડાઈએ.

*"જિંદગી real છે, સ્ક્રીન નહીં!"*

જૈમિન જોષી.

Monday, January 12, 2026

"સ્વામી વિવેકાનંદ: યુવા ચેતના, શૈક્ષણિક દ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો પ્રતિબિંબ"("Swami Vivekananda: A reflection of youthful consciousness, educational vision and interfaith harmony")

 

 "સ્વામી વિવેકાનંદ: યુવા ચેતના, શૈક્ષણિક દ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો પ્રતિબિંબ"


swami vivekanand


 

   જ્યારે કોઈ દેશના યુવા ઊંઘતા હોય, ત્યારે એ દેશ કદી વિકસિત થઈ શકે નહીં. પરંતુ જયારે યુવા જાગે, ત્યારે ક્રાંતિ જન્મે છે. આવું જ એક યુગપ્રવર્તક વ્યક્તિત્વ 19મી સદીના ભારતે જોયું — સ્વામી વિવેકાનંદના રૂપમાં. તેઓ માત્ર સંન્યાસી નહોતાં, તેઓ એક જીવતા જાગતા વિચાર હતાં, એક ચેતના, એક આત્મબલથી ભરેલો ધ્વજધારી. તેમના વિચારો આજે પણ યુવાન દિલોમાં આગ સળગાવે છે, જેને 'સજાગતા', 'સ્વાભિમાન' અને 'સેવા'નું બીજ મળી રહે છે.

 

   સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે શિક્ષણ એ વ્યક્તિના અંદર રહેલી દિવ્ય શક્તિઓને બહાર લાવવાની પ્રક્રિયા છે. તેમના શબદોમાં:

 

"શિક્ષણ એ નથી કે જેની બહારથી વ્યક્તિમાં ભરી દેવામાં આવે છે, શિક્ષણ એ છે જે અંદરથી બહાર લાવવામાં આવે છે."

 

   તેમણે મર્યાદિત પાઠ્યપુસ્તક શિક્ષણ નહીં, પણ માનવતાવાદી, મૂલ્યઆધારિત અને આત્મવિશ્વાસ ઉભો કરતું શિક્ષણ જરૂરી માન્યું. તેમણે એવી શિક્ષણ પદ્ધતિની કલ્પના કરી જે ગરીબ, શ્રમજીવી અને પાંસરીવર્ગના બાળકોને પણ સમાન તક આપે.

 

   સ્વામી વિવેકાનંદે ધર્મ અને આધ્યાત્મના ક્ષેત્રને માત્ર ભક્તિ સુધી મર્યાદિત રાખ્યાં નહીં. તેમણે સમાજમાં ઉત્પન્ન થતી અસમાનતા, અશिक्ष, ગરીબી અને પીડાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો. તેમના મતે:"દુઃખી, ભૂખ્યા અને લાચાર માનવમાં ઈશ્વર છે – તેમાની સેવા એ જ સત્ય ભક્તિ છે."

   તેમણે રામકૃષ્ણ મિશનના માધ્યમથી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને અનુસૂચિત વર્ગ માટે સેવાનું વ્યાપક કાર્ય શરૂ કર્યું.

   સ્વામી વિવેકાનંદના વિચાર આજના યુવા માટે જીવનમાર્ગદર્શિકા સમાન છે. તેમણે યુવાવર્ગને નિર્વીર્ય જીવનની જગ્યાએ લક્ષ્યથી ભરેલું, દ્રઢ ચરિત્રવાળું જીવન જીવવા માટે પ્રેરણા આપી. તેમણે કહ્યું:

 

*"મજબૂત બનો! દયાળુ અને નિર્ભય બનો. વિશ્વમાં કોઈ શક્તિ તમારું વિરુદ્ધ જઈ શકે નહીં જો તમારું મન ભયમુક્ત અને આત્મવિશ્વાસથી ભરેલું છે."

   સ્વામી વિવેકાનંદનો વિસ્ફોટક ઉદય ત્યારે થયો જ્યારે 1893માં તેમણે શિકાગો ધર્મપરિષદમાં હાજરી આપી. માત્ર "માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઑફ અમેરિકા..." શબ્દોથી સમગ્ર હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો. એ માત્ર ભાષણ ન હતું, એ એક સંસ્કૃતિના પુનર્જાગરણનો સંકેત હતો.

તેમના ચરિત્રમાં વિશ્વાસ, સાધના, જીવનના દરેક ક્ષણ માટે ઉપયોગી વિચાર અને 'આત્માની જ્ઞાની શાંતિ' હતી.

આજે જ્યારે વિશ્વ ભૌતિકતામાં ગૂમ થઈ રહ્યું છે, ત્યારે સ્વામી વિવેકાનંદના વિચારો એક પ્રકાશપથ બતાવે છે. તેમના વિચારો એ મહેકતું કંપસ છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં દિશા આપે છે — શૈક્ષણિક, સામાજિક કે વ્યકિતગત વિકાસ માટે.

 

*"તું નબળો નહિ – તું અદમ્ય છે. ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો!"* 
આ શબ્દો આજના યુવાનો માટે એક નવી આશા છે – જીવતાં રહો, લડી જાવ અને જીતો.



જૈમિન જોષી. 

Wednesday, January 15, 2025

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)


કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):


yogi
   સાતમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગે કુંભ મેળામાં શ્રદ્ધા અને વાણિજ્યના આ સમન્વયનું દસ્તાવેજીકરણ કર્યું છે, જ્યાં શાસકો અને શ્રીમંત વેપારીઓ પવિત્ર જળમાં સ્નાન કરતા હતા અને ભવ્ય દાન આપતા હોવાનું કહેવાય છે. ઉદ્યોગસાહસિકતાની તે ભાવના 40 દિવસના કાર્યક્રમના આધુનિક સંસ્કરણમાં જીવંત રહી છે, જે સમગ્ર ભારતમાંથી વ્યવસાયોને આકર્ષિત કરે છે અને ગંગાના આ ભાગને આધ્યાત્મિકતા અને વેપારના વિશાળ ક્ષેત્રમાં પરિવર્તિત કરે છે.


   ઉત્તર પ્રદેશમાં મહા કુંભ મેળાના કાલિડોસ્કોપિક અંધાધૂંધી નીચે એક આર્થિક જગન્ધ છુપાયેલો છે, જે આજથી (૧૩ જાન્યુઆરી) પ્રયાગરાજમાં ગંગા કિનારે અંદાજે ૪૦ કરોડ લોકોની શ્રદ્ધાથી પ્રેરિત છે. મેળો એક વિશાળ, ધબકતું બજાર બની ગયું છે જ્યાં દરેક નિર્ણય - પછી ભલે તે ફૂડ સ્ટોલ સ્થાપવાનો હોય, ટેન્ટ સિટી ભાડે લેવાનો હોય કે તરતો જેટી રૂમ શરૂ કરવાનો હોય - તક અને જોખમનું વજન ધરાવે છે.

   ઐતિહાસિક શહેર અલ્હાબાદ, જે હવે પ્રયાગરાજ તરીકે ઓળખાય છે, તે "અનાદિ કાળથી"  અસંખ્ય કુંભનું આયોજન કરે છે. આ વર્ષે, સરકારે રેકોર્ડ જનમેદનીની અપેક્ષા મુજબ મોટા પાયે કાર્યક્રમ શરૂ કર્યા પછી, શહેર અને તેની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર વેગ મળવાનો અંદાજ છે.

   અધિકારીઓનું કહેવું છે કે સરકાર મેળા દ્વારા મોટા પાયે આર્થિક અસર ઉભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગામી 45 દિવસ સુધી, નદી કિનારે 4,000 એકરમાં ફેલાયેલા મેળાના મેદાનમાં યાત્રાળુઓને વિવિધ તંબુના રહેઠાણ, મૂળભૂતથી લઈને વૈભવી સુધીના, ઘણા ખાદ્ય સ્ટોલની સાથે આતિથ્ય આપવામાં આવશે.

   યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકારે મહાકુંભ માટે રૂ. ૬,૯૯૦ કરોડના બજેટ સાથે, માળખાગત વિકાસથી લઈને સ્વચ્છતા સુધીના ૫૪૯ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. તેની તુલનામાં, ૨૦૧૯ના કુંભ મેળામાં રૂ. ૩,૭૦૦ કરોડથી વધુના ખર્ચે ૭૦૦ પ્રોજેક્ટ્સ હતા. અધિકારીઓનો અંદાજ છે કે મેળાથી રૂ. ૨૫,૦૦૦ કરોડની આવક થશે અને રાજ્યના અર્થતંત્ર પર રૂ. ૨ લાખ કરોડનો વ્યાપક આર્થિક પ્રભાવ પડશે.

   કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના યુપી ચેપ્ટરના પ્રમુખ મહેન્દ્ર કુમાર ગોયલ આ કાર્યક્રમથી રૂ. ૨૫,૦૦૦ કરોડના ટર્નઓવરની આગાહી કરે છે, જેમાં પૂજાની વસ્તુઓમાંથી રૂ. ૫,૦૦૦ કરોડ, ડેરી ઉત્પાદનોમાંથી રૂ. ૪,૦૦૦ કરોડ અને ફૂલોમાંથી રૂ. ૮૦૦ કરોડનો સમાવેશ થાય છે. હોસ્પિટાલિટી ક્ષેત્ર, ખાસ કરીને લક્ઝરી હોટલો, રૂ. ૬,૦૦૦ કરોડનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે.

   કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના યુપી ચેપ્ટરના પ્રમુખ આલોક શુક્લા, મહાકુંભને સ્થાનિક વ્યવસાયો માટે "સુવર્ણ તક" ગણાવે છે, જેમાં "એક વર્ષના વ્યવસાય જેટલી આવક બે મહિનામાં સંકુચિત થઈ જાય છે."
kumbh mela



   મેળાના મેદાનમાં જગ્યાઓ માટે સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયામાં, રાજ્ય સરકારે ખાનગી કંપનીઓને બોલી લગાવવા માટે આમંત્રણ આપ્યું હતું. સૌથી વધુ બોલી લગાવનારાઓને સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. "કુંભમાં સ્ટોલ લગાવવા માટે અમને દરેક બોલી લગાવનાર પાસેથી 1-2 કરોડ રૂપિયા મળ્યા છે. તેની અસર ખૂબ જ વધારે છે," ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિવેક ચતુર્વેદીને ટાંકીને જણાવાયું હતું.

   મેળા માટે રહેઠાણમાં આશ્ચર્યજનક રીતે મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. યુપી સરકારે 1.6 લાખ તંબુઓ સ્થાપ્યા છે, જેમાં 2,200 લક્ઝરી તંબુઓ અને નદી કિનારે ઘણા નાના તંબુઓનો સમાવેશ થાય છે. શહેરમાં 218 હોટલ, 204 ગેસ્ટ હાઉસ અને 90 ધર્મશાળાઓ પણ છે.

   18,000 થી 20,000 રૂપિયા પ્રતિ રાત્રિના ભાવે આ વૈભવી તંબુઓમાં ખાનગી બાથરૂમ, બ્લોઅર્સ, વાઇ-ફાઇ અને બટલર સેવાઓ જેવી સુવિધાઓ પણ છે. સંગમ નિવાસ પ્રયાગરાજ જેવા પ્રીમિયમ રહેઠાણની કિંમત બે મહેમાનો માટે પ્રતિ રાત્રિ રૂ. ૧ લાખ છે, જેમાં બાથરૂમ અને ઉચ્ચ કક્ષાની સેવાઓ ઉપલબ્ધ છે. યુપી સરકારી અધિકારીઓ કહે છે કે શુભ સ્નાનના દિવસોમાં માંગ વધુ હોવાથી, સંગમ નિવાસના તમામ ૪૪ સુપર-લક્ઝરી તંબુ વેચાઈ ગયા છે.

   ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ (UPSTDC) પાસે ચાર શ્રેણીના તંબુ છે - વિલા, મહારાજા, સ્વિસ કોટેજ અને ડોર્મિટરી - જેમાં ડોર્મ માટે પ્રતિ રાત્રિ રૂ. ૧,૫૦૦ થી લઈને ઉચ્ચ કક્ષાના તંબુ માટે રૂ. ૩૫,૦૦૦ સુધીની કિંમત છે.

   આરઆર હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ભાઈઓ મિતેશ અને અશ્વિન ઠક્કરે મેળાના 25 ક્ષેત્રોમાંથી 14 ક્ષેત્રોમાં ફૂડ કોર્ટ અને આઉટલેટ્સ સ્થાપવા માટે 12-13 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાં 500 થી વધુ કામદારોને રોજગારી મળી છે. સંગમ વિસ્તાર નજીક 1.23 કરોડ રૂપિયાની બોલી લગાવીને તેમનો સૌથી મોંઘો આઉટલેટ સુરક્ષિત થયો.

   "અમે 7 કરોડ રૂપિયાના ટેન્ડર માટે સ્પર્ધા કરી રહ્યા હતા પરંતુ એક મનોરંજન પાર્ક વિક્રેતા સામે હારી ગયા જેણે 11 કરોડ રૂપિયાની બોલી લગાવી," અશ્વિન કહે છે. "સમય મર્યાદાને કારણે મેકડોનાલ્ડ્સ ચૂકી ગયા હોવા છતાં, તેઓ સ્ટારબક્સ, કોકા કોલા અને ડોમિનોઝ જેવી બ્રાન્ડ્સને આકર્ષવામાં સફળ રહ્યા છે અને 100-200 કરોડ રૂપિયાના ટર્નઓવરનું લક્ષ્ય રાખી રહ્યા છે.

   "ચાવી ઝડપ અને સુગમતા છે," મિતેશ કહે છે. "અમે ડોમ સિટી નજીક એરિયલ ઘાટ પર એક સ્ટોલ સ્થાપવાની યોજના બનાવી હતી, પરંતુ બાંધકામ હજુ ચાલુ હોવાથી, અમે અમારા ફૂડ કોર્ટને સ્થાનાંતરિત કરવાનું નક્કી કર્યું."

   અપેક્ષિત વિશાળ સંખ્યામાં લોકો આવવાની શક્યતા અંગે, ચતુર્વેદીએ ઉમેર્યું, “અમે અલ્હાબાદ યુનિવર્સિટીની મદદ લીધી અને મેળામાં માળખાગત સુવિધાઓ વધારીને લોકોની સંખ્યા કેવી રીતે વધારી શકાય તે શોધી કાઢ્યું. એક સમયે 10,000 થી 20,000 યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા માટે ખાસ કોરિડોર ડિઝાઇન કરવામાં આવ્યા છે. પ્રવાસન જાળવણીને વેગ આપવા સાથે કાર્યક્રમની આકર્ષણ વધારવા માટે ફ્લોટિંગ જેટી, વોટર સ્પોર્ટ્સ અને મંદિર પર્યટન શરૂ કરવામાં આવ્યું છે.”

   પ્રાદેશિક પ્રવાસન વિભાગના અધિકારી અપરાજિતા સિંહ નોંધે છે કે, “હોટેલ માળખાગત સુવિધાઓ સુધારવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ફક્ત 15 હોમસ્ટે નોંધાયેલા હતા, જેમાંથી હવે 100 હોમસ્ટે નોંધાયેલા છે. શહેરમાં 7,000 થી વધુ વિક્રેતાઓ છે, જેમાંથી 2,000 લોકોએ ડિજિટલ ચુકવણી માટે કૌશલ્ય વિકાસ તાલીમ લીધી છે. અમે 1,000 માર્ગદર્શકોની એક ટીમ બનાવી છે અને પ્રવાસીઓને બધી આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે ફૂડ કોર્ટ સિસ્ટમનો વિસ્તાર કર્યો છે.”

 ઉત્તરપ્રદેશ ગવર્મેન્ટ દ્વારા કુંભ મેળા થકી ૫૦,૦૦૦ કરોડ ઉપર આવક થવાની શક્યતાઓ નોંધાઈ રહી છે જે પોતિકે મોટો આકડો છે.  

                                                                                                                                       જૈમિન જોષી.
લિડોસ્કોપિક અંધાધૂંધી નીચે એક આર્થિક જગન્નાટ છુપાયેલો છે, જે અંદાજે 40 કરોડ લોકોની શ્રદ્ધાથી પ્રેરિત છે, જેઓ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં ગંગાના કિનારે ઉતરશે તેવી અપેક્ષા છે.

સાતમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગે કુંભ મેળામાં શ્રદ્ધા અને વાણિજ્યના આ સમન્વયનું દસ્તાવેજીકરણ કર્યું છે, જ્યાં શાસકો અને શ્રીમંત વેપારીઓ પવિત્ર જળમાં સ્નાન કરતા હતા અને ભવ્ય દાન આપતા હોવાનું કહેવાય છે. ઉદ્યોગસાહસિકતાની તે ભાવના 40 દિવસના કાર્યક્રમના આધુનિક સંસ્કરણમાં જીવંત રહી છે, જે સમગ્ર ભારતમાંથી વ્યવસાયોને આકર્ષિત કરે છે અને ગંગાના આ ભાગને આધ્યાત્મિકતા અને વેપારના વિશાળ ક્ષેત્રમાં પરિવર્તિત કરે છે.

Thursday, August 29, 2024

Indira Gandhi the first woman Prime Minister of India(ઈન્દિરા ગાંધી ભારતનાં પ્રથમ મહિલા-પ્રધાનમંત્રી)

ઈન્દિરા ગાંધી ભારતનાં પ્રથમ મહિલા-પ્રધાનમંત્રી

 

(૧૯૧૭-૧૯૮૪)


indira gandhi image


 

   ભારતના રાજ નૈતિક ઇતિહાસની વાત આવે ત્યારે 1961 થી 1967 સુધી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપનાર ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી માટે આજે પણ દેશ ગૌરવ અનુભવે. એક ભારતીય રાજકારણી અને રાજ્ય મહિલા એટલે ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી. તેમની હત્યા 1984 માં થઇ તેતો આપણે સૌ જાણીએ છીએ પણ તેમના કાર્યકાળ વિશે જે જાણે તે તે આજે પણ તેમના વખાણ કરતા થાકતા નથી. તે ભારતની પ્રથમ અને આજની તારીખમાં, એકમાત્ર મહિલા વડા પ્રધાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના નેતા તરીકે ભારતીય રાજકારણમાં કેન્દ્રીય વ્યક્તિ હતી. તે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પુત્રી અને રાજીવ ગાંધીની માતા હતી, જેમણે દેશના છઠ્ઠા વડા પ્રધાન તરીકે તેમના સ્થાને સ્થાન મેળવ્યું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધીનો 15 વર્ષ અને 350 દિવસનો સંચિત કાર્યકાળ તેમને તેમના પિતા પછી બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય વડા પ્રધાન બનાવે છે. હેનરી કિસિંજરે તેમને "આયર્ન લેડી" તરીકે વર્ણવી, એક ઉપનામ જે તેના કઠિન વ્યક્તિત્વ સાથે સંકળાયેલું બન્યું. જે ભારતની સમગ્ર જનતાએ તો સ્વીકાર્યું પણ સાથે સાથે સમગ્ર વિશ્વએ પણ સ્વીકાર્યું.

 

   ઈ.સ ૧૯૧૭ના નવેમ્બરની ૧૯મી તારીખે એમનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. ઇંદિરા પ્રિયદર્શિની એ તેમનું પૂરું નામ. પિતા જવાહરલાલ અને પિતામહ મોતીલાલ નહેરુ બંને દેશસેવામાં ભરપુર રીતે ઊંડા ઉતરેલા હતાં. તેમની માતા માંદગીને બિછાને હતાં તેથી ઇંદિરાનું બાળપણ માતાપિતાની છાયામાં વીતવું જોઈએ તેથી કંઈક જુદી રીતે વીતેલું. એમનો અભ્યાસ પણ ઘરથી દૂર શાંતિનિકેતન, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑક્સફર્ડમાં થયેલો. બાર વર્ષની વયે અસહકારની લડતમાં તેમણે 'વાનરસેના'નું નેતૃત્વ સંભાળ્યું. જ્યાં ત્યાં ફરી ફરી ઘરથી દુર રહીને તેમનો અભ્યાસ કરી અને ઈ.સ. ૧૯૪૨માં ફિરોઝ ગાંધી સાથે એમનું લગ્ન થયું. એ જ વર્ષે ભારત છોડોની ચળવળ ઊપડતાં ઇંદિરાએ જેલવાસ ભોગવવો પડ્યો. નાનપણથી જ તેમને ગાંધીજીનો સ્નેહ સાંપડયો હતો તે ક્યાંક સુધી ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત હતા.

 

indira gandhi family

   ઈ.સ ૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રીના અચાનક અવસાનથી ઇંદિરા પર ભારતના વડાપ્રધાનનો બોજો આવ્યો અને તેમને લગભગ ૨૦ વર્ષ તેમણે વડાપ્રધાનનું સ્થાન  સંભાળ્યું. ભારત જેવા વિશાળ અને વિભિન્ન સંસ્કૃતિ, ભાષા અને રીત-રિવાજ ધરાવતા દેશમાં પ્રધાનમંત્રીનું પદ સંભાળવું એ અનેક રીતે કસોટી કરે એવું ગણાય. ઉપરથી તેમને ભારત દેશથી દુર રહીને અભ્યાસ કર્યો હતો એટલે ભારતની પ્રજા, તેમની રહેણીકરણી,તેમની ભાષા, તેમની સંસ્કૃતિ વગેરેને સમજવું એક પડકાર રૂપ હતું છતાં તેમને આ પડકાર સ્વીકારી લીધો.  ઈ.સ ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન(બાંગ્લાદેશ)ની પ્રજા પર વરસતા અત્યાચારોમાંથી તેને મુક્ત કરવા યુદ્ધ નોતર્યું અને વિજય પ્રાપ્ત કર્યો. આમ જોવા જઈએ તો પાકિસ્તાનથી બાંગ્લાદેશને અલગ કરી તેના ભાગલા પડાવ્યા જે ખરેખર એક સાહસિક અને કુશળ રાજનીતિ હતી. આ વિજય બદલ તેમને 'ભારતરત્ન'ના ખિતાબથી પણ નવાજવામાં આવ્યાં હતાં.

 

   ઈ.સ ૧૯૭૫માં જ્યારે ઇંદિરાજીએ ભારતમાં કટોકટી લાદી ત્યારે દેશની પ્રજા તેમના આ વર્તનથી ખૂબ નાખુશ થઈ હતી. પરિણામતઃ ઈ.સ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીમાં ઇંદિરા સહિત કોંગ્રેસના લગભગ બધા નેતાને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ જનતા પક્ષે બનાવેલી સરકાર સફળ કામગીરી કરી ન શકી અને ઈ. ૧૯૮૦માં ભારે બહુમતીથી ઇંદિરા ફરી ચૂંટણી જીતી ગયાં. પોતાની જાતમાં ઇંદિરાને એટલો દૃઢ વિશ્વાસ હતો કે તેમને તેમના નિર્ણયોમાંથી ચળાવવાં લગભગ અશક્ય હતું. તેમના નિર્ણયોમાં એક અલગ અડગતા હતી. તેમની સામે ટકી રહેવું લગભગ અશક્ય બની રહેતું.

 

   જ્યારે જવાહરલાલ દેશના વડાપ્રધાન હતા ત્યારે તે પિતા સાથે જ ફરતાં અને તમામ વ્યવસ્થા પોતાના હાથમાં રાખતાં. નેહરુના સાથમાં ઇંદિરાએ વિશ્વભરમાં પ્રવાસ કર્યો હતો. આમ અજાણતાં જ જાણે કે તે પ્રધાનમંત્રીના હોદ્દા માટેની તાલીમ મેળવી રહ્યાં હતાં. પંજાબમાં આતંકવાદ ખૂબ ફાલી રહ્યો હતો. પરિસ્થિતિ પ્રતિદિન વણસતી જતી હતી. આથી લશ્કરનો ઉપયોગ કરી ઈ.સ ૧૯૮૧ના જૂનની ત્રીજી તારીખે ઇંદિરાએ અમૃતસરના સ્વર્ણમંદિરને આતંકવાદીઓથી મુક્ત કરાવ્યું. આ કાર્યવાહીથી શીખોનો એક વર્ગ નારાજ થયો. ઈ.સ ૧૯૮૪ના ઑક્ટોબરની ૩૧મી તારીખે સવારના પહોરમાં જ સુરક્ષા કર્મચારીઓમાંના બે શીખ કર્મચારીઓએ મશીનગન ચલાવી ઇંદિરાને ગોળીથી વીંધી નાખ્યાં. પોતાની હત્યાને આગલે દિવસે જ ઓરિસાની એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું, 'મારા લોહીનું એકેએક બુંદ દેશના કામમાં આવશે.'

 

   વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં ટોચના સ્થાન પર મહિલાઓએ કામગીરી બજાવી છે. એ કામગીરીમાં ઇન્દિરા ગાંધી પ્રથમ સ્થાને આવે એમ છે. તેમના મૃત્યુનો શોખ આખો દેશ માનવી રહ્યો હતો. વડા પ્રધાન તરીકે, ગાંધી તેમના અણઘડ રાજકીય વલણ અને કારોબારી શાખામાં સત્તાના કેન્દ્રીકરણ માટે જાણીતા હતા. ગાંધીને તેમના કાર્યકાળ દરમિયાન વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા તરીકે યાદ કરવામાં આવે છે. તેના સમર્થકોએ ભૌગોલિક રાજકીય હરીફો ચીન અને પાકિસ્તાન પરની જીત, હરિયાળી ક્રાંતિ, 1980ના દાયકાની શરૂઆતમાં વિકસતી અર્થવ્યવસ્થા અને ગરીબી વિરોધી ઝુંબેશને કારણે તેમને દેશની માતૃભાષા અથવા "મધર ઈન્ડિયા" તરીકે ઓળખાવી હતી. ગરીબ અને ગ્રામીણ વર્ગો. વિવેચકો તેમના વ્યક્તિત્વના સંપ્રદાય અને કટોકટી દરમિયાન ભારતના સરમુખત્યારશાહી શાસનની નોંધ લે છે. 1999માં, બીબીસી દ્વારા આયોજિત ઓનલાઈન પોલમાં તેણીને "વુમન ઓફ ધ મિલેનિયમ" નામ આપવામાં આવ્યું હતું. 2020માં, ટાઇમ મેગેઝિન દ્વારા મેન ઓફ ધ યર માટે મેગેઝિનની અગાઉની પસંદગીના સમકક્ષ તરીકે પાછલી સદીને વ્યાખ્યાયિત કરતી 100 મહિલાઓમાં તેણીનું નામ હતું.આવી ગૌરવવંશી રાજકીય નેતાની ભારત દેશને હંમેશા ખોટ લાગશે.

 

જૈમિન જોષી.

 


Friday, March 15, 2024

વડાપ્રધાન મોદીજી દ્વારા “નેશનલ ક્રિયેટર અવોર્ડ-૨૦૨૪” શું છે ? (What is “National Creator Award-2024” by Prime Minister Modi?)

 


national creators award 2024 nominees list

   ભારત સરકાર એટલે કે વર્તમાન BJP સરકારના લાડીલા વડા અને આપણા વર્તમાન વડાપ્રધાન સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અત્યારે એક કાર્યક્રમ થઇ ગયો જેમાં તેમને સોસીયલ મીડિયા ઇન્ફુએન્સરને અવોર્ડ આપ્યા. “નેશનલ ક્રિયેટર અવોર્ડ-૨૦૨૪”
 
   આ અવોર્ડ કોને મળે છે અને કેમ તેવો પ્રશ્ન થાય તે સહજ છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એ વાર્તા કહેવા, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું,  શિક્ષણ,  ગેમિંગ સહિત સમગ્ર ડોમેન્સમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે.

   વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રથમવાર રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કાર પ્રદાન થયો. આ પ્રસંગે તેમણે ત્યાં ઉપસ્થિત સભાને પણ સંબોધિત કર્યા. એવોર્ડ એ વાર્તા કહેવા, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું,  શિક્ષણ,  ગેમિંગ સહિત સમગ્ર ડોમેન્સમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો અને તેમને આગળ વધારવાનો હેતુ છે. હવેનું ભારત ડીઝીટલ ભારત થઇ ગયું. ભારતમાં તેવા તેવા ભેજાભાજ ભર્યા છે કે ન પૂછો. સર્જન અને કલા ક્ષેત્રે હમેશાં ભારત અગ્રણી રહ્યો છે. હવે સોસીયલ મીડિયાના માધ્યમથી લોકો ભાત ભાતનું કંટેન પીરસી રહ્યા છે.

   પુરસ્કારમાં 1.5 લાખથી વધુ નામાંકન અને લગભગ 10 લાખ મતો સાથે અપાર જાહેર જોડાણ જોવા મળ્યું છે. સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટે આ એવોર્ડની કલ્પના લોન્ચ-પેડ તરીકે કરવામાં આવી છે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર અનુકરણીય જાહેર જોડાણનો સાક્ષી છે. પ્રથમ રાઉન્ડમાં 20 વિવિધ કેટેગરીમાં 1.5 લાખથી વધુ નોમિનેશન પ્રાપ્ત થયા હતા.

   વોટિંગ રાઉન્ડમાં, વિવિધ એવોર્ડ કેટેગરીમાં ડિજિટલ સર્જકો માટે લગભગ 10 લાખ મત પડ્યા હતા. આ પછી, ત્રણ આંતરરાષ્ટ્રીય સર્જકો સહિત 23 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા.
  
   શ્રેષ્ઠ વાર્તાકારના એવોર્ડ સહિત વીસ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. ધ ડિસપ્ટર ઓફ ધ યર, સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ,  મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર,  કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર,  ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ, બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડ,  સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ,  ધ ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ,  ટેક ક્રિએટર એવોર્ડ, હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડ, મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ અને સ્ત્રી),  ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર, એજ્યુકેશન કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર,  ગેમિંગ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર,  બેસ્ટ માઇક્રો ક્રિએટર,  બેસ્ટ નેનો ક્રિએટર, બેસ્ટ હેલ્થ અને ફિટનેસ ક્રિએટર .

national creators award 2024 nominees list image


  • રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કાર 2024 ના વિજેતાઓની સૂચિ:
નીચે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024 ના વિજેતાઓની યાદી છે.
 
  • ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ: અભિ અને નિયુ

  • શ્રેષ્ઠ વાર્તાકાર પુરસ્કાર: કીર્તિકા ગોવિંદસામી (કીર્તિ ઇતિહાસ)

  • ડિસપ્ટર ઓફ ધ યર એવોર્ડઃ રણવીર અલ્લાહબડિયા

  • ગ્રીન ચેમ્પિયન એવોર્ડ: કુ. પંકતિ પાંડે

  • બેસ્ટ ક્રિએટિવ ફોર સોશિયલ ચેન્જ એવોર્ડઃ જયા કિશોરી (આધુનિક સમયની મીરા)

  • મોસ્ટ ઇમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર એવોર્ડ: લક્ષ્ય દબાસ

  • કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર એવોર્ડઃ મૈથિલી ઠાકુર

  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સર્જક પુરસ્કાર: ડ્રુ હિક્સ, કિરી પોલ, કેસાન્ડ્રા મે સ્પિટમેન

  • બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર એવોર્ડઃ કામિયા જાની (કર્લી ટેલ્સ)

  • ટેક ક્રિએટર એવોર્ડ: ગૌરવ ચૌધરી (ટેકનિકલ ગુરુજી)

  • સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ: મલ્હાર કલમ્બે

  • હેરિટેજ ફેશન આઇકોન એવોર્ડઃ જાહ્નવી સિંહ

  • શ્રેષ્ઠ સર્જનાત્મક સર્જક સ્ત્રી પુરસ્કાર: શ્રદ્ધા

  • શ્રેષ્ઠ સર્જનાત્મક સર્જક - પુરૂષ પુરસ્કાર: આરજે રૌનક

  • ફૂડ કેટેગરીમાં બેસ્ટ ક્રિએટર એવોર્ડઃ કબિતાઝ કિચન

  • શિક્ષણ શ્રેણીમાં શ્રેષ્ઠ સર્જક પુરસ્કાર: નમન દેશમુખ

  • બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર એવોર્ડઃ અંકિત બૈયનપુરિયા

  • ગેમિંગ ક્રિએટર એવોર્ડ: નિશ્ચય (ટ્રિગર ઇન્સાન)

  • બેસ્ટ માઈક્રો ક્રિએટર એવોર્ડઃ અરિદમન

  • શ્રેષ્ઠ નેનો સર્જક એવોર્ડઃ પીયૂષ પુરોહિત

  • શ્રેષ્ઠ સેલિબ્રિટી સર્જક એવોર્ડ: અમન ગુપ્તા (બોટના સ્થાપક અને સીઈઓ)


   તો આ બધું ક્રિએટર્સ એવોર્ડ 2024 વિશે હતું. ભારતીય કન્ટેન્ટ સર્જકોની મહેનતને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે સરકાર તરફથી આ એક સકારાત્મક પગલું હતું. આવનારા વધુ સમય સાથે આ પ્રથમ આવૃત્તિ હતી.
 
   આ  પ્રથમ વખત છે જ્યારે ભારત સરકારે સોશિયલ મીડિયા સર્જકોને તેમના પ્રયાસો માટે સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024 નો ઉદ્દેશ્ય ભારતને ડિજિટાઇઝેશન તરફ આગળ વધારવા માટે આ સર્જકોના પ્રયાસોને માન્યતા આપવાનો છે. હાલમાં સામગ્રી બનાવવાનો ઉદ્યોગ એક અબજ ડોલરનો ઉદ્યોગ છે જે ઝડપથી વધી રહ્યો છે અને આ સર્જકોનો આમાં મોટો હાથ હતો. તેઓ સામાજિક પરિવર્તન અને વૃદ્ધિના મહાન ઉત્પ્રેરક છે. તેથી આ પુરસ્કાર તમામ ભારતીય સર્જકો માટે એક વિશાળ પ્રેરણા બની ગયો છે.


જૈમિન જોષી. 

Tuesday, January 16, 2024

શું ખરાબ વર્તન માટે પણ અન્ય જવાબદાર હોઈ શકે? (Can others be held responsible for bad behavior?)

  •  ખરેખર તો મનુષ્ય ક્યારેય મુક્ત નથી હોતોતે હંમેશા બંધનમાં   જ હોય છે.

bed behaviour image

 

   માણસ મૂળભૂત રીતે અવિરત સંઘર્ષમાં રહેવાનું પસંદ કરતો હતો. અલબત, તે માટે તેની ઈચ્છા કે અનિચ્છા હોવી જરૂરી નથી. માનસવૃતિ સામાન્ય રીતે સંઘર્ષ ઈચ્છતી નથી અથવા તેનો વિરોધી છે પરંતુ ન ઈચ્છવા છતાં પણ જાણે અજાણે તેને તેવા પગલાં ભરવા પડતા હોય છે કે સંઘર્ષથી બચી શકતો નથી. અંગત રીતે અત્યંત પ્રેમાળ કે લાગણીશીલ વ્યક્તિ પણ જાહેર કે સામુહિક જીવનમાં ક્રોધી, તોછડો કે બીનવિવેકી બની જતો હોય છે. જયારે તેને તે વિષયક શાંત મને વાત કરવામાં આવે ત્યારે તે સરળતાથી કહી દેતો હોય છે કે હું તો સાવ સીધો હતો પણ આ કપટી અને નિર્દય સમાજે મને આવો કરી દીધો અથવા સમાજમાં જીવવું હોય તો આવું થવું પડેપરંતુ તે પણ આ સમાજનો એક ચહેરો છે આ વાત ને તે ભૂલી જાય છે. દરેક વ્યક્તિ આ જ વિચારીને એક અભદ્રતા સ્વીકારી લેતો હોય છે કે જીવન જીવવું હોય તો આવું થવું પડે અને પોતાના જીવનમાં ઉભી કરેલી જડતા તે અન્યને પણ વાઇરસની જેમ ફેલાવતો હોય છે. આ એક પ્રકારની જાત છેતરામણી છે જીવન જીવવા માટે આવું કરવું પડે તે માણસે ઉપજાવી કાઢેલી સ્વ બચાવ પ્રયુક્તિ છે. 

   શું ખરાબ વર્તન માટે પણ અન્ય જવાબદાર હોઈ શકે? જો આ વાતને માની લઈએ તો જગતમાં કોઈ પણ ગુનેગાર દોશી ના કહેવાય. ન તો ઇન્દ્રિયો ઉપર નિયંત્રણની વાત આવે, ન તો પીડા માટે કોઈ જવાબદાર કહેવાય. આપણે તે ભૂલી જઈએ છીએ કે આપણે  જયારે મૌલીકતા અને સ્વતંત્રતાની વાત કરીએ છીએ, જયારે આપણે પોતાનાં નિર્ણયો જાતે કરવાની જવાબદારી લઈએ છીએ ત્યારે  તેની સાથે સુખ અને દુઃખ બંનેની જવાબદારી આપણા  ભાગે લખાવી લઈએ છીએ.આ કંઈ કાચમાંથી એકમેકને મન ભરીને નિહાળવાની વાત નથી આતો જવાબદારી ઉઠાવી તેના ભાગે આવતી પીડા કે પ્રેમ સહજ રીતે સ્વીકારી લેવાની વાત છે.

   ખરેખર તો મનુષ્ય ક્યારેય મુક્ત નથી હોતો, તે હંમેશા બંધનમાં જ હોય છે પરંતુ તે જાત બંધનથી ટેવાઈ ગયેલ છે. અન્ય જયારે તેના ઉપર અંકુશ લાદવાની વાત કરે ત્યારે તે બોખલાઈ જતો હોય છે? માનવ સ્વભાવનું એક પાસું તે પણ છે કે તે અન્ય ઉપર હાવી થવાનાં સપનાં પણ જોતો હોય છે. અન્યની સ્વતંત્રતા પર તરાફ મારતા પહેલાં તે ક્યારેય વિચારતો  નથી કે આ કેટલું યોગ્ય છે. આ જ તો છે માનવ સ્વાભવ, અન્યની સામે જે મૃદુ હોવાનો ડોળ કરે છે તે ખરેખર અંદરથી છીછરો અને દ્રવિડ છે. વિરોધ કરનાર તો પાંડવોનો પણ વિરોધ કરતા અને કૃષ્ણનો પણ. કૌરવોનો વિરોધ કરનાર પણ એક સમયે બોલતા હોય છે કે યુદ્ધ તો કૃષ્ણનાં કારણે જીત્યા બાકી સૌર્યવાન તો કર્ણ અને કૌરવો હતા. વાત સાચી પણ માની લઈએ પરંતુ કૃષ્ણએ યુદ્ધ માટે પાંડવોનો જ સાથ કેમ આપ્યો? અર્જુનના જ સારથી શા માટે બન્યા? યુધ્ધનાં ભોગે તેમને શું પ્રાપ્ત થવાનું હતું?

 લાયક બનવું પડતું હોય છે જીવનમાં...  અમથા જ ઈશ્વર પડખે આવીને ઉભા નથી રહેતા. પોતાને  સુખી કરવા અન્યની સહાયતા લઇ શકાય પરંતુ આધાર નહિ. પોતાના ખરાબ વર્તન, વૃત્તિ, વિરોધ, ક્રોધ, વ્યભિચાર કે ઝંઝાવાત માટે અન્યને દોશી ઠેરવવા મૂર્ખતા છે. જો જીવન જીવવું છે તો જવાબદરી પણ લેતા શીખવી પડેશે. માણસને ચપળતા અને ચાલાકી બંને ઈશ્વરે જ આપ્યા છે પરંતુ આપણે તેને જાત નિર્મિત સમજી બેસીએ છીએ. મુર્ખ વ્યક્તિ બરબાદ થવા માટે ભ્રમ પાળી લેતો હોય છે જયારે ચતુર વ્યક્તિ અહંકારથી કોસો દુર રહેતો હોય છે.

 

                                                                                                                            જૈમિન જોષી.

 

મહાભારત :યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ – સરોવર પાસેનો પ્રસંગ

યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ – ૧૫ પ્રશ્નોમાં છુપાયેલ જીવનનું તત્વજ્ઞાન મહાભારતના આ પ્રસંગો બતાવે છે કે માનવજીવનનું સાચું સૌંદર્ય ધ...