Showing posts with label Social. Show all posts
Showing posts with label Social. Show all posts

Monday, June 29, 2026

પ્રગતિના નામે આપણે શું ગુમાવી રહ્યા છીએ?(What are we losing in the name of progress?)


વિકાસની દોડમાં ક્યાંક આપણે પોતાને જ પાછળ તો નથી મૂકી દીધા?

blog image



"પ્રગતિ ત્યારે જ સાચી કહેવાય, જ્યારે તે માત્ર જીવનનો ધોરણ નહીં, પરંતુ જીવનનો સ્તર પણ ઊંચો લાવે."

એક સમય હતો જ્યારે ગામના ચોકમાં બેઠેલા વૃદ્ધો માત્ર વાર્તાઓ જ નહોતા કહેતા; તેઓ પેઢીઓ વચ્ચે અનુભવનું સેતુ બાંધતા હતા. સાંજ પડતાં ઘરના આંગણામાં પરિવાર એકત્ર થતો. ભોજન માત્ર પેટ ભરવા માટે નહોતું, તે સંબંધોને પોષવાનો સમય હતો. બાળકનું શિક્ષણ માત્ર શાળામાં નહીં, પરંતુ ઘરના વાતાવરણમાં પણ થતું હતું. બાળકોનું ધ્યાન માત્ર ઘરના લોકો જ નહિ પણ બહાર શેરીમાં કે ફળિયામાં રહેતા લોકો પણ રાખતા. કૈક ખોટું થાય તો તરત રોકે ટોકે શિખામણ આપે અને સહારો પણ.

આજે ચિત્ર બદલાઈ ગયું છે. ઘર મોટા બન્યા છે, પણ વાતચીતના સમય નાના થઈ ગયા છે. મોબાઇલમાં હજારો સંપર્કો છે, છતાં મનની વાત સાંભળનાર થોડા લોકો જ છે. ટેક્નોલોજી આપણને દુનિયાની નજીક લઈ આવી છે, પરંતુ ઘણી વખત ઘરના લોકો વચ્ચેનું અંતર વધારી દીધું છે. પ્રશ્ન પ્રગતિનો નથી. પ્રશ્ન એ છે કે પ્રગતિના માર્ગે ચાલતાં ચાલતાં શું આપણે એવા અમૂલ્ય ખજાના પાછળ છોડી રહ્યા છીએ, જે પૈસાથી ફરી ક્યારેય ખરીદી શકાશે નહીં?

પ્રગતિ એટલે શું? આજે આપણે પ્રગતિને મોટા ભાગે ઊંચો પગાર, મોટી કાર, આધુનિક ઘર, નવી ટેક્નોલોજી, વિદેશી પ્રવાસ, સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા સફળતા અને પ્રગતિની આજ વ્યાખ્યા બની ગઈ છે. આ બધું ખરાબ નથી. માનવજાતે વિજ્ઞાન, આરોગ્ય, સંચાર અને શિક્ષણમાં અદ્ભુત પ્રગતિ કરી છે. આજે એક બટન દબાવતા દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે વાત કરી શકાય છે. અનેક રોગોની સારવાર શક્ય બની છે. જ્ઞાન હવે પુસ્તકાલયની દિવાલોમાં બંધ નથી રહ્યું. ણ તો કોઈએ તેની મસમોટો ચાર્જ ચૂકવવો પડે છે પરંતુ એક સવાલ હજુ પણ જીવંત છે. જો બધું મળતું જાય છે, તો અંદરનો ખાલીપો કેમ વધે છે? કદાચ કારણ એ છે કે આપણે સાધનોનો વિકાસ કર્યો છે, પરંતુ સંબંધો, સંસ્કાર અને સંવેદનાઓને એટલી જ કાળજીથી વિકસાવ્યાં નથી જેટલી કાળજીથી વિકસાવવા જોઈએ. સબંધોમાં રહેલી ઉષ્મા હવે ખોવાઈ રહી છે. પ્રેમમાં કપટ પ્રવેશી ચુક્યું છે. આજે ઘણા ઘરોમાં ચાર લોકો એક જ રૂમમાં બેઠા હોય છે, પરંતુ દરેક પોતાની અલગ સ્ક્રીનમાં વ્યસ્ત હોય છે. સાથે બેસવાની પરંપરા છે, પરંતુ સાથે જીવવાની કળા ઓછી થતી જાય છે. વાતચીત ઘટી છે. સાંભળવાની ક્ષમતા ઘટી છે. સમજવાની ઈચ્છા પણ ક્યારેક ઘટી ગઈ છે. સંબંધોનો આધાર હવે સમય કરતાં વધુ "ઓનલાઈન હાજરી" પર દેખાવા લાગ્યો છે, પરંતુ કોઈ પણ સંબંધ "સીન" અથવા "લાઇક" થી જીવતો નથી. તે જીવતો રહે છે સમયથી, વિશ્વાસથી, ધીરજથી અને નિઃસ્વાર્થ હાજરીથી. માહિતી વધી છે, જ્ઞાન નહીં આજે કોઈપણ પ્રશ્નનો જવાબ સેકન્ડોમાં મળી જાય છે પરંતુ જીવન જીવવાના પ્રશ્નોના જવાબ હજુ પણ શોધવા પડે છે. અમે બધું જાણીએ છીએ પણ પોતાને કેટલું ઓળખીએ છીએ? માહિતી આપણને બુદ્ધિશાળી બનાવી શકે પરંતુ અનુભવ જ આપણને સમજદાર બનાવે છે અને સમજદારી કોઈ એપ ડાઉનલોડ કરીને મળતી નથી. ન તો વારસાઈમાં મળે છે. તેને કેળવવી પડે છે. સફળતા વધી તો, શાંતિ કેમ ઘટી?એક વિચિત્ર વિરોધાભાસ છે ને? આવક વધી છે. સુવિધાઓ વધી છે. સગવડો વધી છે પણ નિંદ્રા ઘટી છે. ધીરજ ઘટી છે. સંતોષ ઘટ્યો છે. આપણું જીવન જાણે સતત દોડમાં છે પણ ઘણીવાર આપણે અટકીને પૂછવાનું ભૂલી જઈએ છીએ હું દોડી ક્યાં રહ્યો છું? બાળકોને આપણે શું આપી રહ્યા છીએ? આજનું બાળક સ્માર્ટફોન ચલાવવાનું વહેલું શીખી જાય છે પરંતુ દાદા-દાદીની વાર્તાઓ સાંભળવાનો સમય ઓછો મળે છે અમે તેને અંગ્રેજી શીખવીએ છીએ. કમ્પ્યુટર શીખવીએ છીએ. સ્પર્ધા શીખવીએ છીએ પણ શું આપણે તેને નિષ્ફળતા સ્વીકારવી? બીજાની લાગણી સમજવી? વડીલોનો આદર કરવો? પ્રકૃતિ સાથે જીવવું? સાચું બોલવું, જ્યારે તે મુશ્કેલ હોય ત્યારે પણ? આ બધું શીખવીએ છીએ. શિક્ષણનો હેતુ માત્ર કમાણી નથી. સારો માણસ બનાવવો પણ છે.

સમય બચાવ્યો... પરંતુ સમય ક્યાં ગયો? સવાલ થાય છે કોઈ દિવસ? ટેક્નોલોજીએ આપણો ઘણો સમય બચાવ્યો છે. બિલ ભરવામાં મિનિટો લાગે છે. ખરીદી ઘરે બેઠા થઈ જાય છે. માહિતી તરત મળી જાય છે પણ બચેલો સમય આપણે ક્યાં વાપરીએ છીએ? પરિવાર સાથે? વાંચનમાં? પ્રકૃતિમાં અથવા ફરી બીજી સ્ક્રીન સામે? સમસ્યા ટેક્નોલોજીમાં નથી. સમસ્યા તેના ઉપયોગની દિશામાં છે. પ્રકૃતિથી દૂર થતું જીવન, કોંક્રિટના જંગલો વધી રહ્યા છે. વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. બાળકોને વરસાદમાં ભીંજાવાનો આનંદ ઓછો અનુભવાય છે. ચાંદને જોવાને બદલે સ્ક્રીનની ચમક વધુ ઓળખાય છે. પ્રગતિ જો પ્રકૃતિને નુકસાન પહોંચાડીને થાય, તો તેની કિંમત આવતી પેઢી ચૂકવે છે.

મૂલ્યોનું ધીમે ધીમે ક્ષરણ થઇ રહ્યું છે. આજે સફળતાની વ્યાખ્યા ઘણી વખત સંપત્તિથી નક્કી થાય છે પરંતુ સમાજનું સાચું બળ સંપત્તિથી નહીં, મૂલ્યોથી ઊભું રહે છે. સત્ય, પ્રામાણિકતા, વિશ્વાસ, કરુણા, સહાનુભૂતિ. આ મૂલ્યો વગરનો વિકાસ બહારથી ચમકે છે, અંદરથી ખોખલો રહે છે.

તો શું પ્રગતિ ખોટી છે? ના, બિલકુલ નહીં. પ્રગતિ માનવજાતની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. પ્રશ્ન પ્રગતિનો નથી. પ્રશ્ન સંતુલનનો છે. ટેક્નોલોજી આપણા હાથમાં હોવી જોઈએ. આપણું મન તેના હાથમાં નહીં. પૈસા આપણા જીવનને સરળ બનાવે પરંતુ જીવનનો અર્થ નક્કી ન કરે. વિકાસ આપણને ઊંચા લઈ જાય પણ મૂળથી દૂર ન લઈ જાય.

સાચી પ્રગતિ કેવી હોવી જોઈએ? સાચી પ્રગતિ એ છે. જ્યાં વિજ્ઞાન હોય, પરંતુ વિવેક પણ હોય. જ્યાં ઝડપ હોય, પરંતુ ધીરજ પણ હોય. જ્યાં સંપત્તિ હોય, પરંતુ સંતોષ પણ હોય. જ્યાં સ્પર્ધા હોય, પરંતુ સહકાર પણ હોય. જ્યાં સફળતા હોય, પરંતુ સંસ્કાર પણ હોય અને સૌથી મહત્વનું જ્યાં માણસ પાસે બધું હોય, છતાં માણસાઈ હોય. નૈતિકતાના મુલ્યો ગળથુથીમાંથી મળતા હોય છે.

કદાચ ઇતિહાસ આપણને યાદ નહીં રાખે કે આપણા હાથમાં કયો મોબાઇલ હતો, કઈ કાર હતી અથવા કેટલો પગાર હતો પરંતુ આપણે કોઈના જીવનમાં કેટલો વિશ્વાસ ઉમેર્યો, કેટલો પ્રેમ વહેંચ્યો, કેટલી કરુણા બતાવી, અને કેટલા મૂલ્યો જીવ્યા તે ચોક્કસ યાદ રાખશે. પ્રગતિની દોડમાં આગળ વધવું જરૂરી છે પરંતુ ક્યારેક પાછળ વળી જોવું પણ એટલું જ જરૂરી છે.એ ખાતરી કરવા માટે કે આપણે રસ્તામાં આપણી માનવતા, સંબંધો, સંસ્કૃતિ અને સંસ્કારો પાછળ તો નથી છોડી દીધા કારણ કે જે પ્રગતિ માણસને વધુ સક્ષમ બનાવે, પણ ઓછો માનવી બનાવે તેને વિકાસ નહીં, માત્ર પરિવર્તન કહી શકાય.

જો આવતીકાલે તમારી પાસે દુનિયાની તમામ સુવિધાઓ હોય, પરંતુ સાથે બેસીને હસતો પરિવાર, નિઃસ્વાર્થ મિત્ર, શાંતિથી ઊંઘતી રાત અને સંતોષથી ભરેલું મન ન હોયતો શું તમે ખરેખર પ્રગતિ કરી છે? એક સવાલ જાતને પૂછો.....

 

લેખક: જૈમિન જોષી.

 

Sunday, June 28, 2026

“રાત્રે 2 વાગ્યા પછી મન અલગ કેમ વિચારે છે? ("Does the mind think differently after 2 nights?")

 

રાત્રે 2 વાગ્યા પછી મન અલગ કેમ વિચારે છે?

 
overthinking image


રાત્રે 2 વાગ્યા પછી દુનિયા બદલાતી નથી
પણ માણસનું મન બદલાઈ જાય છે.

દિવસ દરમિયાન જે વિચારો સામાન્ય લાગે છે, એ જ વિચારો રાત્રિના બે વાગ્યા પછી અચાનક ભારે લાગવા લાગે છે. દિવસમાં જેને આપણે હસીને ભૂલી જઈએ છીએ, એ જ યાદો અંધકાર વચ્ચે અચાનક દિલને ચીરી નાખે છે. કેટલાક લોકો માટે રાત્રિના બે વાગ્યા પછીનું મૌન ખૂબ સુંદર હોય છે, તો કેટલાક માટે એ સમય સૌથી ભયંકર હોય છે. કારણ કે આ સમય એવો છે જ્યારે આખી દુનિયા સૂઈ જાય છેપરંતુ મન જાગી જાય છે.

કદાચ તમે પણ ક્યારેય અનુભવ્યું હશે આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી જ્યારે રાત્રે બેડ પર પડો, મોબાઇલની સ્ક્રીન ધીમે ધીમે બંધ થાય, રૂમમાં શાંતિ છવાઈ જાય, અને ઘડિયાળમાં બે વાગેત્યારે અચાનક અંદરથી અજાણ્યા વિચારો ઊઠવા લાગે. જૂના લોકો યાદ આવે. ભૂલો યાદ આવે. ભવિષ્યનો ડર શરૂ થાય. પોતાને લઈને પ્રશ્નો ઊભા થાય અને ક્યારેક તો એવું લાગે કે આખી દુનિયામાં આપણે એકલા જ છીએ.

પરંતુ પ્રશ્ન એ છે કે આવું થાય કેમ?

કારણ કે દિવસ દરમિયાન માણસનું મન સતત વ્યસ્ત રહે છે. અવાજો, લોકો, કામ, સોશિયલ મીડિયા, જવાબદારીઓ, વાતો આ બધું મનને એક પ્રકારનું ડીસત્રેક્સનઆપે છે. માણસ આખો દિવસ પોતાનાથી ભાગતો રહે છે અને તેને ખબર પણ પડતી નથી. પરંતુ રાત્રેખાસ કરીને બે વાગ્યા પછીબહારનો અવાજ ધીમો પડી જાય છે અને જ્યારે બહાર શાંતિ થાય છે, ત્યારે અંદરનો અવાજ સંભળાવવા લાગે છે.

રાત્રિનું મૌન ખરેખર મૌન નથી હોતું. એ આપણા મનનો અરીસો હોય છે.

દિવસ દરમિયાન આપણે જે લાગણીઓ દબાવી રાખીએ છીએ, જે પ્રશ્નોને અવગણીએ છીએ, જે દુઃખને હવે નહીંકહીને અંદર ધકેલી દઈએ છીએ એ બધું રાત્રે પાછું બહાર આવે છે. કારણ કે મન ક્યારેય કંઈ સંપૂર્ણ ભૂલતું નથી. માણસ લોકો સામે મજબૂત દેખાઈ શકે છે, હસતો રહી શકે છે, વ્યસ્ત રહી શકે છેપરંતુ અંદરનું મન દરેક ઘા સાચવી રાખે છે અને રાત્રિના બે વાગ્યા પછી એ ઘાઓ બોલવા લાગે છે.

વિજ્ઞાન પણ કહે છે કે રાત્રે મોડા સમયે માણસનું મગજ અલગ રીતે કામ કરે છે. દિવસના થાક પછી મગજની ઈમોસનલ પ્રોસેસ વધારે સક્રિય થઈ જાય છે. એટલે લાગણીઓ વધારે ઊંડી લાગે છે. પરિણામે ઓવર થીકિંગ વધી જાય છે. નાનકડા પ્રશ્નો પણ વિશાળ લાગવા લાગે છે, પરંતુ આ માત્ર વૈજ્ઞાનિક બાબત નથી. આ એક આધ્યાત્મિક સત્ય પણ છે કારણ કે રાત્રિ માણસને દુનિયાથી નહીં, પોતાના મનથી મેળાપ કરાવે  છે.

દિવસ દરમિયાન આપણે ઘણા ચહેરા પહેરીએ છીએ. પરિવાર માટે અલગ, મિત્રો માટે અલગ, સમાજ માટે અલગ. પરંતુ રાત્રે બે વાગ્યા પછી જ્યારે કોઈ નથી હોતું, ત્યારે માણસ પોતાના સાચા સ્વરૂપ સાથે એકલો રહી જાય છે અને કદાચ એ જ સૌથી મુશ્કેલ મુલાકાત હોય છે.

ઘણા લોકો રાત્રે ખુશ કેમ નથી રહી શકતા?

કારણ કે માણસ બહારની દુનિયામાં જેટલો સફળ બન્યો છે, અંદરથી એટલો ખાલી બનતો ગયો છે. લોકો પાસે હજારો ફોલોવર્સ હોય છે, પરંતુ વાત કરવા માટે એક સાચો માણસ કે મિત્ર નથી. લોકો આખો દિવસ ઓનલાઈનરહે છે,  છતાં અંદરથી એકલા રહે છે અને રાત્રિ એ એકલતાને વધારે સ્પષ્ટ બનાવી દે છે.

રાત્રિના બે વાગ્યા પછી માણસને સૌથી વધારે પોતાના અધૂરાપણાનો અહેસાસ થાય છે.

અધૂરા સંબંધો, અધૂરા સપના, અધૂરા શબ્દો, અધૂરા લોકો.

કેટલાક લોકો માટે આ સમય યાદોનો દરિયો બની જાય છે. જૂના મેસેજ વાંચવાનું મન થાય. કોઈની પ્રોફાઈલ જોવાની ઈચ્છા થાય. વર્ષો જૂની વાતો ફરી જીવંત થઈ જાય કારણ કે રાત્રે મન લોજીક થી નહીં, લાગણીઓથી વિચારે છે. વાસ્તવિકતાથી પર એક દુનિયા છે જે આનંદ કરતા પીડા વધારે આપે છે. અને આ જ કારણ છે કે રાત્રિના નિર્ણયો ઘણીવાર જોખમી હોય છે કારણ કે આ સમયે માણસ હકીકત કરતાં પોતાની લાગણીઓમાં વધારે જીવતો હોય છે પરંતુ અહીં એક ખૂબ ઊંડો સત્ય છુપાયેલો છે.

રાત્રિના બે વાગ્યા પછીનું મન ખરાબ નથી હોતું હોય છે.

દિવસ દરમિયાન માણસ દુનિયાને જે બતાવે છે, તે ઘણીવાર બનાવટી હોય છે પરંતુ રાત્રે જ્યારે કોઈ દેખાડો નથી રહેતો, ત્યારે મન પોતાના અસલી પ્રશ્નો સામે ઊભું રહે છે. શું હું ખરેખર ખુશ છું?” “શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું?” “શું હું જેને ગુમાવ્યો છે, તેને હજુ ભૂલી શક્યો નથી?” હું જે બનવા માંગતો હતો તે ક્યારે બનીશ કે બની શકીશ કે નહિ? મારા પરિવારને કઈ રીતે ખુશ રાખી શકીશ? પૈસાની ઘણી ખેચ છે હવે શું થશે? આવા પ્રશ્નો દિવસમાં નથી આવતા કારણ કે દિવસ માણસને વ્યસ્ત રાખે છે. રાત્રિ માણસને વાસ્તવિકતા તરફ ધકેલી દેતી હોય છે. સળગતા સવાલો હમેશા તેની હાજરી પુરાવી જ જતા હોય છે.

કેટલાક લોકો માટે આ સમય સર્જનાત્મકતાનો પણ હોય છે. કવિઓ, લેખકો, સંગીતકારો, વિચારકો ઘણા મહાન સર્જનો રાત્રિના મૌનમાં જન્મ્યા છે. કારણ કે જ્યારે બહારની દુનિયા શાંત થાય છે, ત્યારે અંદરનો અવાજ વધુ સ્પષ્ટ બને છે. કદાચ એ માટે જ ઘણા લોકો કહે છે કે રાત્રે આત્મા વધારે બોલે છે. પરંતુ દરેક રાત્રિ સુંદર નથી હોતી. કેટલાક લોકો માટે બે વાગ્યાનો સમય યુદ્ધ જેવો હોય છે. માત્ર બે જ કેમ ૧૨ વાગ્યા પછીનો એકાંત માણસને ખાઈ જાય છે. સતત નકારાત્મક વિચાર જીવનને ખોરવી નાખે છે. જાણે બધું જ સુન્ન થઇ ગયું હોય તેમ. મનમાં ચાલતું એવું યુદ્ધ જે કોઈને દેખાતું નથી. બહારથી બધું સામાન્ય લાગે છે પરંતુ અંદર વિચારોનો તોફાન ચાલતો હોય છે. માણસ ઊંઘવા માંગે છે, પણ મન બંધ થતું નથી. આંખો થાકી જાય છે, પણ વિચારો જાગતા રહે છે. એક જ ઘટના વારંવાર યાદ આવે. ભવિષ્યના ભય, ભૂતકાળની પીડા અને વર્તમાનની ખાલીપો, ત્રણેય મળીને મનને થકવી નાખે છે અને સૌથી દુઃખદ વાત એ છે કે દુનિયા ઘણીવાર આવા યુદ્ધોને ઓવર થીંકીંગકહીને હળવાશથી લઈ લે છે, પરંતુ દરેક ઓવર થીંકીંગ પાછળ કોઈ ન કોઈ અધૂરી લાગણી છુપાયેલી હોય છે. કોઈએ પ્રેમ ગુમાવ્યો હોય છે. કોઈ પોતાને ગુમાવી ચૂક્યો હોય છે. કોઈ દુનિયા સામે હસે છે, પરંતુ અંદરથી સંપૂર્ણ તૂટી ગયો હોય છે. રાત્રિ એ બધું બહાર લાવે છે પરંતુ કદાચ રાત્રિનો હેતુ માણસને તોડવાનો નથી. કદાચ રાત્રિ માણસને પોતાને સમજાવવા આવે છે કારણ કે માણસ જ્યારે સંપૂર્ણ એકલો હોય છે, ત્યારે જ તે પોતાના અંદરના અવાજને સાંભળી શકે છે. દિવસ દરમિયાન દુનિયા જે પ્રશ્નો દબાવી દે છે, રાત્રિ એ પ્રશ્નોને ફરી જીવંત કરે છે અને કદાચ વિકાસ ત્યાંથી જ શરૂ થાય છે કારણ કે જે માણસ પોતાના મનના અંધકારને જોઈ શકે છે, એ જ સાચા પ્રકાશની કિંમત સમજી શકે છે.

રાત્રિના બે વાગ્યા પછી મન અલગ વિચારે છેકારણ કે એ સમયે માણસ દુનિયાની વચ્ચે નથી હોતો. એ પોતાની અંદર હોય છે અને માણસ માટે પોતાની અંદર જવું હંમેશા સૌથી લાંબી, સૌથી ગહન અને સૌથી મુશ્કેલ યાત્રા રહી છે.

રાત્રે 2 વાગ્યા પછી દુનિયા પહેલા જેવી જ રહે છે. રસ્તાઓ એ જ હોય છે, ઘડિયાળ એ જ રીતે ચાલતી રહે છે, દિવાલો એ જ રહે છે, રૂમ પણ એ જ રહે છે. બદલાય છે તો માત્ર માણસનું મન. દિવસ દરમિયાન જે વિચારો સામાન્ય લાગે છે, એ જ વિચારો રાત્રિના બે વાગ્યા પછી અચાનક અસહ્ય ભારે લાગવા લાગે છે. જે યાદો દિવસમાં માત્ર એક ક્ષણ માટે આવે છે, એ જ યાદો રાત્રે આખા અસ્તિત્વને ઘેરી લે છે. અને કદાચ એ માટે જ ઘણા લોકો કહે છે કે રાત્રે મન અલગ રીતે વિચારે છે.

પરંતુ શું આ માત્ર લાગણી છે? કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક સત્ય પણ છે?

હકીકતમાં, રાત્રિના બે વાગ્યા પછી મનમાં થતો બદલાવ માત્ર કવિતાઓ કે લાગણીઓનો વિષય નથી. તેની પાછળ માનવ મગજ, હોર્મોન્સ, એકલતા, થાક અને ચેતનાની ગહન પ્રક્રિયાઓ કામ કરતી હોય છે. માણસનું મન દિવસ અને રાત્રે એકસરખું કાર્ય કરતું નથી. આપણા શરીરમાં એક Biological Clock હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં Circadian Rhythm કહેવામાં આવે છે. આ આંતરિક ઘડિયાળ નક્કી કરે છે કે ક્યારે શરીર સક્રિય રહેશે, ક્યારે થાકશે, ક્યારે હોર્મોન્સ બદલાશે અને ક્યારે મન વધારે સંવેદનશીલ બનશે.

રાત્રિના લગભગ બે વાગ્યાનો સમય એવો હોય છે જ્યારે શરીર સૌથી વધુ થાકેલી સ્થિતિમાં હોય છે. મગજનો Prefrontal Cortex  જે ભાગ Logic, Decision Making અને Rational Thinking માટે જવાબદાર છે  તેની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. બીજી તરફ, Amygdala નામનો ભાગ, જે ભય, ઈમોસન અને ઈમોસનલ રીયેક્શન સાથે જોડાયેલો છે, તે વધુ સક્રિય બની જાય છે. પરિણામે માણસ તર્ક કરતાં લાગણીઓથી વધારે વિચારવા લાગે છે એટલે જ દિવસ દરમિયાન જે સમસ્યા નાની લાગતી હતી, એ જ સમસ્યા રાત્રે અચાનક જીવનની સૌથી મોટી મુશ્કેલી જેવી લાગવા લાગે છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઊંઘની અછત માણસના ઈમોસનલ કંટ્રોલને કમજોર બનાવી દે છે. જ્યારે શરીર થાકી જાય છે, ત્યારે મગજ નકારાત્મક વિચારોને વધારે ગંભીરતાથી લેવાનું શરૂ કરે છે. એટલે જ રાત્રે ઓવર થીંકીંગ વધી જાય છે.

રાત્રિનું અંધકાર બહાર ઓછું અને અંદર વધારે હોય છે. અને કદાચ જીવનની સૌથી ગહન યાત્રા એ જ છે જ્યારે માણસ આખી દુનિયાની વચ્ચે નહીં, પરંતુ પોતાના મનની અંદર ઉતરવા લાગે છે. પોતાના વિચારો ઉપર ગહન વિચાર કરો અને જ્યાં ત્રુટીઓ જોવાય ત્યાં કામ શરુ કરો તો ધીમે ધીમે નકારાત્મક વિચારો હકારાત્મકતામાં પરિવર્તિત થઇ જશે.


લેખક: જૈમિન જોષી.

Monday, May 18, 2026

પત્ની અને પ્રેમિકા વચ્ચે ખાતો હીરો : મુખ્યમંત્રી (Hero eating between wife and girlfriend: Chief Minister)

“હીરો, હેડલાઈન અને હકીકત : વિજયના જીવનનું રાજકીય વિશ્લેષણ”


દક્ષિણ ભારતની રાજનીતિ અને સિનેમાનો સંબંધ કોઈ નવી ઘટના નથી. તામિલનાડુની રાજકીય જમીન પર વર્ષો સુધી ફિલ્મ સ્ટારોએ પોતાના પ્રભાવથી જનમાનસને દિશા આપી છે. M. G. Ramachandran હોય કે J. Jayalalithaa, બંનેએ પડદા પરથી ઉતરીને જનતાના દિલમાં રાજકીય દેવતા જેવી છાપ ઉભી કરી હતી. હવે એ જ પરંપરામાં એક નવું નામ ઉમેરાયું છે — Vijay.
વર્ષો સુધી એક સુપરસ્ટાર તરીકે કરોડો દિલો પર રાજ કરનાર વિજયે જ્યારે રાજનીતિમાં પ્રવેશની જાહેરાત કરી, ત્યારે એ માત્ર એક અભિનેતાનો નિર્ણય નહોતો; એ એક એવી સામાજિક અને માનસિક લહેર હતી જેમાં સિનેમા, રાજકારણ, સોશિયલ મીડિયા, ગોસિપ, વ્યક્તિગત જીવન અને જનમાનસની માનસિકતા બધું એકસાથે ભળતું દેખાયું.

આજનો સમય માત્ર નેતાઓ કે અભિનેતાઓનો નથી, પરંતુ “ઈમેજ” નો છે. અને વિજયની આસપાસ રચાતી વાર્તાઓમાં એ ઈમેજનું સૌથી મોટું સ્થાન છે. એક તરફ લોકો તેમને તામિલ ગૌરવ અને યુવાનોની આશા તરીકે જુએ છે, તો બીજી તરફ તેમના અંગત જીવનને લઈને ઉઠતી અફવાઓ, પત્ની સાથેના મતભેદો, Trisha Krishnan સાથેના સંબંધોની ચર્ચાઓ અને સોશિયલ મીડિયા પર ફેલાતી ગોસિપ એક અલગ જ ચિત્ર દોરે છે.

વિજયનો સફર સામાન્ય નહોતો. બાળ કલાકાર તરીકે શરૂઆત કરીને તેઓ ધીમે ધીમે “થલાપતિ” બન્યા. તામિલ યુવાનો માટે તેઓ માત્ર હીરો નહોતા; તેઓ એક ભાવના હતા. તેમની ફિલ્મોમાં ગરીબ માટે લડતો યુવક, ભ્રષ્ટાચાર સામે ઉભો રહેતો માણસ અને સમાજને બદલવાની વાત કરતો પાત્ર વારંવાર દેખાતું રહ્યું. આ જ કારણ છે કે લોકોમાં ધીમે ધીમે એ માનસિકતા ઉભી થઈ કે “આ માણસ રાજકારણમાં આવશે તો કંઈક બદલશે.”

પરંતુ રાજનીતિમાં પ્રવેશ જેટલો સરળ દેખાય છે, એટલો છે નહીં. કારણ કે રાજકારણમાં માણસનું ભાષણ નહીં, જીવનનું દરેક પાનું વાંચવામાં આવે છે. અને અહીંથી શરૂ થાય છે વિજયના અંગત જીવનની ચર્ચાઓ.

તેમની પત્ની Sangeeta Sornalingam લાંબા સમયથી જાહેર જીવનથી દૂર રહેતી આવી છે. થોડા સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ જોર પકડવા લાગી કે બંને વચ્ચે અંતર આવી ગયું છે. કોઈ જાહેર કાર્યક્રમમાં સંગીતાની ગેરહાજરી હોય કે પરિવાર સાથેના ફોટાનો અભાવ — લોકો એમાંથી પોતાની રીતે અર્થ કાઢવા લાગ્યા. “ડિવોર્સ” શબ્દ ટ્રેન્ડ થવા લાગ્યો.

પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવાની છે — આજના સોશિયલ મીડિયા યુગમાં “અફવા” અને “સત્ય” વચ્ચેની રેખા લગભગ ગાયબ થઈ ગઈ છે. લોકો હવે પુરાવાથી વધુ “વાયરલ થતી વાત” પર વિશ્વાસ કરવા લાગ્યા છે. કોઈ YouTube ચેનલ, Instagram page કે X પરની પોસ્ટ માત્ર થોડા કલાકોમાં લાખો લોકો સુધી પહોંચે છે અને પછી તે વાત સાચી છે કે ખોટી, એ ગૌણ બની જાય છે.

વિજય અને તૃશાને લઈને પણ એવું જ બન્યું. વર્ષો પહેલા બંનેએ ઘણી સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પડદા પરની તેમની કેમેસ્ટ્રી લોકોમાં ખૂબ લોકપ્રિય રહી. પરંતુ જ્યારે વર્ષો પછી ફરીથી બંને એકસાથે દેખાયા, ત્યારે સોશિયલ મીડિયા એ તેને માત્ર વ્યાવસાયિક સંબંધ તરીકે જોવાને બદલે “અફેર” ના ચશ્માથી જોવાનું શરૂ કર્યું.

ખાસ કરીને તૃશાના જન્મદિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાયેલા ફોટા અને પોસ્ટ્સે ચર્ચાઓને વધુ હવા આપી. કેટલાક લોકોએ તેને મિત્રતા ગણાવી, તો કેટલાકે “છુપાયેલો સંબંધ” કહી સેન્સેસ્નલ  બનાવવાનો પ્રયાસ કર્યો. અહીંથી એક રસપ્રદ સામાજિક માનસશાસ્ત્ર દેખાય છે — લોકો સફળ માણસના જીવનમાં હંમેશા કોઈ “ગુપ્ત કથા” શોધવા માંગે છે.

સમાજને હંમેશા એવું લાગે છે કે ખૂબ સફળ માણસ માત્ર સફળ હોઈ શકે નહીં; તેના જીવનમાં કોઈ નાટક, કોઈ તૂટણ, કોઈ રહસ્ય જરૂર હશે. આ માનસિકતા નવી નથી. પહેલાં ગોસિપ મેગેઝિન એ કામ કરતી હતી, આજે reels અને hashtags કરે છે.

વિજયની રાજકીય એન્ટ્રી સાથે આ ચર્ચાઓ વધુ વધી. કારણ કે જ્યારે કોઈ અભિનેતા રાજકારણમાં આવે છે, ત્યારે લોકો માત્ર તેની વિચારધારા જ નહીં, તેના ચરિત્રનું પણ મૂલ્યાંકન કરવા લાગે છે. વિરોધીઓ માટે અંગત જીવન સૌથી મોટું હથિયાર બની જાય છે.

પરંતુ બીજી બાજુ એક નવો સમાજ પણ ઉભો થયો છે — ખાસ કરીને યુવા પેઢી — જેને લાગે છે કે વ્યક્તિનું અંગત જીવન અને તેની જાહેર ક્ષમતા અલગ બાબતો છે. ઘણા યુવાનો કહે છે કે જો કોઈ સારો નેતા બની શકે, તો તેની વ્યક્તિગત સંબંધોની ચર્ચા રાજકીય મૂલ્યાંકનનું માપદંડ ન હોવી જોઈએ. આ બદલાતો દ્રષ્ટિકોણ આજના સમયની મોટી સામાજિક ક્રાંતિ છે.

એક સમય હતો જ્યારે અભિનેતા કે નેતાના અંગત જીવનમાં આવતી નાની ઘટના પણ તેની કારકિર્દી ખતમ કરી શકતી હતી. આજે લોકો વધુ પ્રેક્ટીકલ  બન્યા છે. તેઓ વ્યક્તિની કાર્યક્ષમતા, લીડરશીપ અને પબ્લિક કનેક્ટને વધુ મહત્વ આપે છે. કદાચ આ કારણ છે કે વિજય સામે ચાલી રહેલી ગોસિપ છતાં તેમની લોકપ્રિયતા ઓછી થઈ નથી.

હકીકતમાં, ગોસિપ ક્યારેક લોકપ્રિયતાને વધુ મજબૂત પણ બનાવે છે. કારણ કે સતત ચર્ચામાં રહેનાર વ્યક્તિ લોકોના મનમાંથી દૂર જતી નથી. સોશિયલ મીડિયા એલ્પગોરીધમ પણ એ જ કરે છે — વિવાદાસ્પદ વિષયોને વધુ આગળ ધપાવે છે.

વિજયનો રાજકીય પ્રવેશ પણ માત્ર એક પાર્ટી શરૂ કરવાનો નિર્ણય નથી. તે તામિલનાડુની રાજકીય ખાલી જગ્યાને ભરવાનો પ્રયાસ છે. એમ. કરુનાનીધી  અને જે જય. લલીતા  પછી રાજ્યની રાજનીતિમાં એક એવી ભાવનાત્મક લીડરશીપ ની ખોટ અનુભવાતી હતી જે જનતાના દિલમાં સીધી અસર કરે.

વિજય એ ખાલી જગ્યા સમજ્યા છે. તેમની ભાષણશૈલી, યુવાનો સાથેનો કનેક્ટ, અને ફિલ્મોમાં દેખાતી સામાજિક છબી તેમને રાજકીય રીતે મજબૂત બનાવે છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ફિલ્મી લોકપ્રિયતા વાસ્તવિક રાજકીય સફળતામાં ફેરવાઈ શકે?

કારણ કે પડદા પર ભ્રષ્ટાચાર સામે લડવું અને વાસ્તવિક રાજકારણમાં સત્તા, ગઠબંધન, જાતિગત સમીકરણો અને પ્રચારયુદ્ધ વચ્ચે ટકી રહેવું — બંને અલગ બાબતો છે.

વિજય માટે સૌથી મોટી શક્તિ તેમની “ ક્લીન ઈમોશનલ  ઈમેજ ” છે. લોકો તેમને ગુસ્સાવાળા નેતા તરીકે નહીં, પરંતુ શાંત અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે જુએ છે. પરંતુ રાજકારણમાં ક્યારેક softness કમજોરી પણ માનવામાં આવે છે.

તેમની આસપાસની ગોસિપ અહીં ડબલ અસર કરે છે. એક તરફ વિરોધીઓ તેને ઉપયોગમાં લે છે; બીજી તરફ ચાહકો તેને “માનવિયતા” તરીકે જુએ છે. આજનો સમાજ પરફેક્ટ  માણસ શોધતો નથી; તે રીલેટેબલ  માણસ શોધે છે.

તૃશા સાથેના સંબંધોની ચર્ચા પણ આ જ કારણથી લોકોમાં રસ જગાવે છે. કારણ કે લોકો સેલિબ્રીટીને માત્ર આઇડલ  તરીકે નહીં, પણ “કથા” તરીકે કન્સ્યુમ કરે છે. દરેક  વાઈરલ ફોટો, દરેક નજર, દરેક બર્થડે વિશમાં લોકો હિડન મિનીંગ શોધે છે.

પરંતુ સવાલ એ પણ છે કે શું આપણે celebrity ને માણસ તરીકે જીવવાનો અધિકાર આપીએ છીએ? કે પછી તેમની દરેક ક્ષણ પર સમાજનો હક માની લઈએ છીએ?

આજના સમયમાં fame એ blessing કરતાં વધુ surveillance બની ગયું છે. celebrity હવે માત્ર સ્ટાર નથી રહેતા; તેઓ 24 કલાક public property બની જાય છે.

વિજયની હાલની પરિસ્થિતિ એ જ બતાવે છે. એક તરફ તેઓ રાજકીય રીતે પોતાની ઓળખ ઘડી રહ્યા છે, બીજી તરફ સોશિયલ મીડિયા તેમના અંગત જીવનની વાર્તાઓ લખી રહ્યું છે.

પરંતુ કદાચ આ જ આધુનિક રાજનીતિનું સત્ય છે — હવે નેતા માત્ર વિચારોથી નહીં, narratives થી જીતે છે. અને narrative હંમેશા facts પર આધારિત નથી હોતું; તે લોકોની લાગણીઓ, કલ્પનાઓ અને ગોસિપ પર પણ આધારિત હોય છે.

વિજય માટે આગામી વર્ષો નિર્ણાયક રહેશે. જો તેઓ પોતાની લોકપ્રિયતાને જમીન સ્તરના સંગઠનમાં ફેરવી શકશે, તો તેઓ તામિલનાડુની રાજનીતિમાં મોટું સ્થાન બનાવી શકે છે. પરંતુ જો તેઓ માત્ર ફિલ્મી charisma સુધી સીમિત રહેશે, તો લોકોની અપેક્ષાઓનો ભાર જ તેમને પાછળ ખેંચી શકે છે.

એક અભિનેતા તરીકે વિજય પહેલેથી જ સફળ છે. પરંતુ રાજકારણમાં સફળ થવા માટે માત્ર ચાહકો પૂરતા નથી; વિશ્વાસ, ધીરજ અને કઠિન વાસ્તવિકતાઓનો સામનો કરવાની શક્તિ જોઈએ.

અને કદાચ આ આખી વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે સમાજ આજે પણ હીરો શોધી રહ્યો છે. પહેલાં એ હીરો પડદા પર હતો, આજે લોકો તેને સત્તાના મંચ પર જોવાનું ઇચ્છે છે.

વિજયની આસપાસની ગોસિપ, અફવા, પ્રેમકથાઓ અને રાજકીય આશાઓ — આ બધું મળીને માત્ર એક વ્યક્તિની કથા નથી રચતું; એ આપણા સમયના સમાજનું પ્રતિબિંબ છે. એવો સમાજ, જેને સત્ય કરતાં narrative વધુ ગમે છે. જેને નેતા કરતાં celebrity વધુ fascinate કરે છે. અને જેને દરેક સફળ માણસના જીવનમાં એક ફિલ્મ જેવી કથા જોઈતી હોય છે.

કોલમ : જયવાદ 
લેખક: જૈમીન જોષી. 

Sunday, May 10, 2026

“મા: અંતિમ શ્વાસ સુધી સંતાન માટે લડતું હૃદય | મધર્સ ડે વિશેષ ભાવનાત્મક સત્ય ઘટના” (“Mother: A heart that fights for its child till its last breath | Mother's Day Special Emotional True Story”)

 

મા હોય ત્યાં સુધી જ ઘર, ઘર લાગે છે…”

  • મા વગર જીવન અધૂરું કેમ લાગે છે?
  • માતાનો પ્રેમ કેમ ભગવાન સમાન છે?
  • પરિવારમાં સંબંધો કેમ તૂટે છે?
  • એક સત્ય ઘટના જે દિલ હલાવી દેશે..


  • ખુબ સાંભળેલું અને વાઇરલ થયેલું વાક્ય કે, દુનિયામાં ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નહોતા, તેથી કદાચ તેમણે માબનાવી.

    મા

    આ એક એવો શબ્દ છે, જે બોલતા જ હૃદયમાં અજાણી શાંતિ ઉતરી આવે છે. દુનિયામાં કદાચ દરેક સંબંધ કોઈને કોઈ શરત પર ટકેલો હોય, પરંતુ માતાનો પ્રેમએ એકમાત્ર એવો પ્રેમ છે, જે નિશ્વાર્થ, પવિત્ર, પ્રમાણિક, નિઃશબ્દ અને અખૂટ હોય છે.

                મધર્સ ડે આવે એટલે સોશિયલ મીડિયા પર ફોટા, સ્ટેટસ અને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ જાય છે. પરંતુ શું  મા માટે એક દિવસ પૂરતો પ્રેમ કે સન્માન બતાવવું યોગ્ય છે? જો માતા પોતાનું આખું જીવન સંતાન માટે જીવે અને તેમાં એ વળતરમાં દેખાડાની લાગણી મળે તો તે લાગણીને ઉકરડામાં નાખી દેવી જોઈએ. માં પોતાના સપનાઓને અધૂરા રાખીને પોતાના સંતાનના સપનાઓને પૂરાં કરવા માટે લડે છે, ત્યાગ કરે છે અને સૌથી મોટું તે સહન કરે છે. માં થી વધુ સહનશીલ દુનિયામાં કોઈ નથી. એક સ્ત્રી પોતાના સન્માન માટે કોઈનું ખોટું સહન નથી કરતી અને જો કોઈ એક તરફી જડતા પૂર્વક વિચારને વળગી રહે તો તેને કોઈ બંધન રોકી શકતું નથી પણ જ્યાં સંતાનની વાત આવે ત્યાં તેના ઉછેર ગણતર અને જીવન માટે સ્ત્રી કડવા ઘુટડા રોજ પી જતી હોય છે.

                મને એક બહુ ચર્ચિત એક સત્ય ઘટના યાદ આવે છે. એક સામાન્ય ગરીબ પરિવારની મા રોજ સવારે ચાર વાગ્યે ઊઠતી. ઘરમાં બધાં સૂતા હોય ત્યારે તે ધીમા પગલે કોઈને ખલેલ ન પહોંચે તે રીતે  રસોડામાં કામ શરૂ કરતી. સંતાનને સારી સ્કૂલમાં ભણાવી શકે એ માટે તે બીજા લોકોના ઘરે વાસણ ધોવાનું કામ પણ કરતી. દીકરો મોટો થયો, સફળ બન્યો, શહેરમાં મોટી નોકરી મળી ગઈ. એક દિવસ કોઈએ એને પૂછ્યું, “તમારી સફળતાનું રહસ્ય શું છે?”

    એણે થોડું મૌન રાખીને કહ્યું,

    મારી માકારણ કે હું થાકી જાઉં ત્યારે મને આરામ મળતો, પણ મારી મા ક્યારેય થાકવાની પરવાનગી જ પોતાને આપતી નહોતી.

    ખરેખર, માતા ક્યારેય પોતાના દુઃખનો હિસાબ રાખતી નથી. બાળકને તાવ આવે તો આખી રાત જાગી જાય, પરંતુ પોતે બીમાર હોય તો પણ ઘરનું કામ બંધ ન કરે. સંતાનના ચહેરા પરનું સ્મિત જ તેની સૌથી મોટી કમાણી હોય છે.

            આજના સમયમાં આપણે બધા ખૂબ વ્યસ્ત થઈ ગયા છીએ. કામ, મોબાઇલ અને જવાબદારીઓ વચ્ચે ઘણી વાર મા સાથે બે મિનિટ બેસીને વાત કરવાનું પણ રહી જાય છે, પરંતુ જરા વિચાર કરો કે ઘરમાં માની બંગડી કે તેના ચાલતા પગલાંનો એહસાસ ન થાય તો શું એ ઘરમાં આપણું મન લાગશે ? શું થશે જે દિવસે પોતાનું કહેવાવાળું, નિશ્વાર્થ લાગણી ધરાવતું આપણું કોઈ નહિ હોય... યાદ રાખજો એક દિવસ એવો આવશે જ્યારે એ અવાજ સાંભળવા માટે હૃદય દ્રવી ઉઠશે.

    કારણ કે મામાત્ર વ્યક્તિ નથી, એ ઘરનું ધબકતું હૃદય છે.

    મધર્સ ડેના દિવસે મોંઘી ભેટ આપવી જરૂરી નથી. ક્યારેક માત્ર એટલું કહી દેવું

    મા, તમે છો એટલે મારું જીવન સુંદર છે…”એ જ તેમના માટે દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બની જાય છે.

    સાચું કહીએ તો,માતાનો પ્રેમ ક્યારેય શબ્દોમાં પૂર્ણ રીતે લખી શકાય એવો નથીમાત્ર અનુભવી શકાય એવો છે.

        મને આજના દિવસે આદિ કવિ ઝવેરચંદ મેઘાણી યાદ આવે. તેમને માવિશે ખૂબ જ લાગણીસભર શબ્દોમાં લખ્યું છે. તેમની રચનાઓમાં માતાનો પ્રેમ, ત્યાગ અને મમતા વારંવાર ઝળહળી ઊઠે છે. તેમની એક ખૂબ જાણીતી પંક્તિ છે:

    જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…”

    મેઘાણી સાહેબ માતાને માત્ર જન્મ આપનાર સ્ત્રી તરીકે નથી જોતા, પરંતુ જીવનની પ્રથમ શાળા, પ્રથમ શિક્ષક અને પ્રથમ આશ્રય તરીકે રજૂ કરે છે. તેમની લોકસાહિત્યની રચનાઓમાં ગામડીયું જીવન અને માતૃત્વની સુગંધ સ્પષ્ટ અનુભવાય છે.જે આજે પણ દરેક ગુજરાતીના માનસપટ પર છવાયેલી રહે છે. મધર્સ ડે માટે મેઘાણીની આ ભાવના ખૂબ યોગ્ય લાગે છે

    માતા એ એવી છાંય છે, જ્યાં સંતાનને આખી દુનિયાનો થાક ઉતરી જાય છે.

                હાલમાં સમાચારોમાં એક એવી કરુણ ઘટના જોઈ, જેણે આખા દેશનું હૃદય ભીનું કરી દીધું.મધ્યપ્રદેશના જબલપુર પાસે બર્ગીડેમમાં એક બોટ દુર્ઘટનામાં અનેક લોકો પાણીમાં સમાઈ ગયા. તેમનું જીવન એકદમ અંધકારમય બની ગયું, પરંતુ એ ઘટનામાં એક દ્રશ્ય એવું હતું, જે માત્ર સમાચાર નહોતુંતે માતૃત્વનું જીવતું સત્ય સ્વરૂપ હતું.જ્યારે બચાવ ટીમ પાણીની અંદર શોધખોળ કરી રહી હતી, ત્યારે તેમને એક માતા અને તેના નાનકડા દીકરાનો મૃતદેહ મળ્યો,પણ સૌથી વધુ હચમચાવી નાખનાર વાત એ હતી કે મૃત્યુ પછી પણ એ માતાએ પોતાના બાળકને છાતી સાથે ભીંજવેલી હાલતમાં છાતીમાં જકડેલો રાખ્યો હતો. પાણીની ઊંડાઈ અને ભયની અંદર પણ માતાનો હાથ પોતાના સંતાન પરથી છૂટ્યો નહોતો.જાણે કે અંતિમ ક્ષણે પણ તે મૃત્યુ સામે લડી રહી હોય અને કહી રહી હોય મારા બાળકને કંઈ નહિ થવા દઉં…” એ અપેક્ષા સાથે કે ભલે મારું જીવન પૂર્ણ થાય મારા પરિવારનું અસ્તિત્વ ન રહે પણ મારા બાળકને એક આંચ પણ ના આવવી જોઈએ.

    આ દૃશ્ય જોઈને બચાવ કર્મીઓ પણ રડી પડ્યા હતા. કારણ કે ત્યાં માત્ર બે મૃતદેહ નહોતાત્યાં એક માતાનો અનંત પ્રેમ પડ્યો હતો.જે દુનિયાએ જોયો.

    મને ક્યારેક વિચાર આવે કે મૃત્યુ જ્યાં બધું છીનવી લે છે, ત્યાં પણ માતાનો પ્રેમ જીવતો કેવી રીતે રહી જાય છે? કદાચ એ માટે જ કહેવાય છે કે,

    માતા શરીરથી દૂર થઈ શકે, પરંતુ તેના પ્રેમનું અસ્તિત્વ ક્યારેય મરતું નથી.

    આ ઘટના આપણને માત્ર દુઃખ નથી આપતી, પણ એક મોટો સંદેશ પણ આપે છે, માતાનો પ્રેમ શબ્દોમાં સમજાવી શકાય તેવો નથી. તે તો તેના જીવનના અંતિમ શ્વાસ સુધી સંતાન માટે ધબકતું હૃદય છે.

    આજે જ્યારે આપણે મધર્સ ડે ઉજવીએ છીએ, ત્યારે એ અજાણી માતાને પણ નમન કરવું જોઈએ જેને પૃથ્વી ઉપર માણસને જીવતું રાખ્યું, પ્રેમને જીવંત રાખ્યું અને પ્રમાણિકતાને ટકાવી રાખ્યું.

    અંતે કવિ દલપતરામ ની સુંદર પંક્તિ સાથે

    મા તે મા, બીજા બધા વગડાના વા…”

    કવિ કહે છે કે  દુનિયાના બધા સંબંધો પોતાની જગ્યાએ છે, પરંતુ માતાનો સંબંધ સૌથી અનમોલ અને અદ્વિતીય છે.


    કોલમ: જયવાદ

    લેખક: જૈમિન જોષી.

    Wednesday, May 6, 2026

    ઉત્તર પ્રદેશના “ઓપરેશનથી ઓર્ડર સુધીની કહાની- Ajay Pal Sharma (The story of Uttar Pradesh's "From Operation to Order" - Ajay Pal Sharma)

    કાયદાનો ડર કે ન્યાયનો માર્ગ? એક અધિકારીની દ્વિધા”



    ભારતના કાયદો-વ્યવસ્થા તંત્રમાં ઘણા અધિકારીઓ આવે છે અને જાય છે, પરંતુ થોડા જ એવા હોય છે જેઓ સમયના પ્રવાહમાં પોતાનું નામ “ભય” અને “વિશ્વાસ” બંને સાથે લખાવી જાય છે. Ajay Pal Sharma એવાં જ એક અધિકારી છે. તેમની કામગીરીને જોતા લાગે છે કે તેઓ માત્ર ગુનેગારો સામે જ નહીં, પરંતુ એક એવી માનસિકતા સામે લડી રહ્યા છે જે કાયદાને પડકાર આપે છે.

    તેમના કારકિર્દીની શરૂઆત સામાન્ય રીતે થઈ, પરંતુ શરૂઆતથી જ તેમની અંદર એક “ફીલ્ડ ઓફિસર”નો આત્મા હતો. તેઓ ફાઈલોમાં નહીં, રસ્તાઓ પર જીવતા અધિકારી હતા. જ્યાં અન્ય લોકો આંકડાઓમાં ગુનાખોરીને માપતા હતા, ત્યાં તેઓ આંખોમાં ભય અને આશામાં વિશ્વાસ વાંચતા હતા. આ જ તેમની સૌથી મોટી તાકાત બની.

    Ajay Pal Sharmaનું નામ લેવામાં આવે ત્યારે માત્ર એક અધિકારીની છબી ઉભી થતી નથી, પરંતુ એક એવી યાત્રા નજરે પડે છે જેમાં કાયદો, ભય, વિશ્વાસ, રાજકીય દબાણ અને મેદાનની હકીકતો એકબીજામાં ગૂંથાઈ જાય છે. તેમની કહાનીને સળંગ રીતે સમજવી હોય તો તેને માત્ર બાયોગ્રાફી તરીકે નહીં, પરંતુ એક જીવંત પ્રવાહ તરીકે જોવી પડે—જેમાં દરેક ઘટના એક નવો વળાંક લાવે છે.

    ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગમાં એક સમય એવો હતો જ્યારે રાત પડતા જ લોકો ઘરમાં સીમિત થઈ જતા. ગેંગસ્ટર અને સ્થાનિક માફિયાઓએ એવો ભય ફેલાવ્યો હતો કે પોલીસની હાજરી હોવા છતાં લોકો નિર્ભય નહોતા. એ સમયગાળામાં જ્યારે Ajay Pal Sharma એ મેદાન સંભાળ્યું, ત્યારે શરૂઆતમાં કોઈ મોટી જાહેરાતો કે દંભ નહોતો—પણ અંદરથી એક સ્પષ્ટ વિચાર હતો કે “પરિસ્થિતિ બદલવી જ છે.”

    એક ઘટના ઘણી વાર લોકો યાદ કરે છે. એક સાંજ, શહેરની બહારની એક જૂની બિલ્ડિંગમાં એક કુખાત ગુનેગાર છુપાયો હોવાની માહિતી મળી. ટીમ તૈયાર થઈ, પરંતુ પરિસ્થિતિ જોખમી હતી—અંદરથી ગોળીબાર થવાની શક્યતા હતી. સામાન્ય રીતે આવા સમયે લાંબી રાહ જોવામાં આવે, પરંતુ અહીં નિર્ણય ઝડપથી લેવાયો. જ્યારે પોલીસ આગળ વધતી હતી, ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયો. થોડા સેકન્ડ માટે બધું ગૂંચવાઈ ગયું. એ ક્ષણે Ajay Pal Sharma આગળ વધ્યા—માત્ર આદેશ આપતા અધિકારી તરીકે નહીં, પરંતુ મેદાનમાં ઉતરેલા નેતા તરીકે. ટૂંકા સમયમાં જ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ. આ ઘટના પછી શહેરમાં એક વાત ફેલાઈ—“હવે પોલીસ માત્ર દેખાવ માટે નથી.”

    આવો એક કિસ્સો પૂરતો નહોતો. થોડા મહિનાઓ પછી, એક મોટા ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડી. આ કેસ માત્ર ગુનાખોરીનો નહોતો; તેમાં રાજકીય પ્રભાવ, સ્થાનિક નેટવર્ક અને આર્થિક શક્તિ—all interconnected. વર્ષો સુધી આ મામલો અટવાયેલો હતો. પરંતુ આ વખતે રીત અલગ હતી. પહેલું પગલું હતું—માહિતી એકઠી કરવી. ત્યારબાદ એક સાથે અનેક સ્થળોએ રેડ. ગેંગના ફાઇનાન્સ પર સીધો પ્રહાર થયો. સંપત્તિ જપ્ત થઈ, કનેક્શન તૂટ્યા. આ કાર્યવાહી માત્ર કાયદાકીય નહોતી—તે એક સિસ્ટમેટિક હુમલો હતો, જેમાં ગુનાખોરીના મૂળને જ હલાવી નાખવામાં આવ્યું.

    તેમની ઓળખ એન્કાઉન્ટર ઓફિસર તરીકે કેવી રીતે બની, તેની પાછળ પણ અનેક કથાઓ છે. એક વખત એક ગેંગસ્ટર, જે વર્ષો સુધી પોલીસને ચકમો આપતો હતો, તેના પાછળ લાંબી ચેઝ ચાલી. દિવસો સુધી ટ્રેકિંગ પછી એક માહિતી મળી કે તે એક ફાર્મહાઉસમાં છે. ઓપરેશન ગોઠવાયું. અંદરથી વિરોધ થવાનો અંદાજ હતો. અને એવું જ થયું—જેમજ પોલીસ નજીક પહોંચી, ગોળીબાર શરૂ થયો. પરંતુ અહીં ખાસ વાત એ હતી કે ટીમ ગભરાઈ નહીં. નેતૃત્વ સ્પષ્ટ હતું. અંતે ગુનેગાર કાબૂમાં આવ્યો. આ ઘટના પછી ગુનેગારોમાં એક મનોવૈજ્ઞાનિક ફેરફાર જોવા મળ્યો—તેમને સમજાયું કે હવે દરેક વખત બચવું શક્ય નહીં રહે.

    પરંતુ જો Ajay Pal Sharmaની કહાનીને માત્ર ગોળીબાર અને એન્કાઉન્ટરથી જ જોવામાં આવે, તો તે અધૂરી રહેશે. એક બીજી ઘટના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. એક વિસ્તાર જ્યાં નાના ગુનાઓ સતત થતા હતા—ચોરી, ઝઘડા, યુવાનોમાં ભટકાવ. અહીં તેમણે માત્ર ધરપકડનો રસ્તો અપનાવ્યો નહીં. તેઓ લોકો વચ્ચે ગયા, બેઠકો કરી, યુવાનો સાથે વાત કરી. આ પ્રક્રિયા લાંબી હતી, પરંતુ થોડા સમયમાં જ પરિણામ દેખાવા લાગ્યું. આ ઘટના બતાવે છે કે તેઓ માત્ર કડકાઈથી નહીં, પરંતુ સમજણથી પણ કામ કરે છે.

    સમય સાથે તેમની કામગીરી વધુ વિસ્તૃત બનતી ગઈ. ટેકનોલોજીનો ઉપયોગ, ડેટા આધારિત તપાસ, ઝડપી પ્રતિસાદ—આ બધું તેમની શૈલીનો ભાગ બન્યું. તેઓ સમજતા હતા કે ગુનાખોરી પણ બદલાઈ રહી છે, તેથી પોલીસિંગ પણ બદલાવું જરૂરી છે.

    વર્તમાનમાં, ખાસ કરીને બાગપત વિસ્તારમાં તેમની કામગીરી ફરી ચર્ચામાં આવી. આ વિસ્તાર ગામડાં, જમીનના વિવાદો અને જૂની ગેંગ rivalry માટે જાણીતો રહ્યો છે. એક સમય એવો લાગતો હતો કે જૂની પરિસ્થિતિ ફરી ઉભી થઈ રહી છે. પરંતુ અહીં ફરી એ જ અભિગમ અપનાવ્યો ગયો—પ્રથમ, ગુનેગારોની હિસ્ટ્રીશીટ પર નજર; બીજું, સતત ચેકિંગ અને પેટ્રોલિંગ; અને ત્રીજું, સ્થાનિક સ્તરે વિશ્વાસ ઉભો કરવો.

    એક રાત્રે, માહિતી મળી કે કેટલાક ગુનેગારો એકઠા થયા છે. પોલીસ પહોંચી. પરિસ્થિતિ તંગ બની. થોડા સમય માટે ફરી ગોળીબારની સ્થિતિ ઉભી થઈ. પરંતુ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીથી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ. આ ઘટના પછી બાગપતમાં સ્પષ્ટ સંદેશ ગયો—“અહીં હવે જૂની પદ્ધતિ નહીં ચાલે.”

    આ બધાં કિસ્સાઓ વચ્ચે એક બીજો પાસું પણ છે—વિવાદ. જ્યારે પણ કડક કાર્યવાહી થાય છે, ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. કેટલાક લોકો તેમના અભિગમને સમર્થન આપે છે, તો કેટલાક તેને પ્રશ્ન કરે છે. પરંતુ કદાચ આ જ વાત તેમને વધુ ગહન બનાવે છે. તેઓ માત્ર પ્રશંસાનો વિષય નથી, પરંતુ ચર્ચાનો કેન્દ્ર પણ છે.

    તેમની કાર્યશૈલીમાં એક સતત તત્વ જોવા મળે છે—મેદાનમાં હાજરી. તેઓ પાછળથી ઓર્ડર આપતા નથી; તેઓ પરિસ્થિતિને નજીકથી જોવાનું પસંદ કરે છે. આ કારણે તેમની ટીમમાં પણ એક અલગ પ્રકારની ઊર્જા જોવા મળે છે. લોકો માટે તેઓ કડક અધિકારી છે, પરંતુ નજીકથી જોવામાં આવે તો તેઓ એક એવા નેતા છે જે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે.

    Ajay Pal Sharmaની કહાની એક સીધી લાઈન નથી—તે ઉંચ-નીચ, ટક્કર, સફળતા અને પ્રશ્નોથી ભરેલી છે. તેઓએ બતાવ્યું છે કે કાયદો માત્ર કાગળ પરનો નિયમ નથી, પરંતુ તેને જીવંત બનાવવો પડે છે. ક્યારેક કડકાઈથી, ક્યારેક સમજણથી, અને ક્યારેક બંનેના સંતુલનથી.

    તેમની યાત્રા હજુ ચાલુ છે. દરેક નવી ઘટના, દરેક નવી કાર્યવાહી સાથે આ કહાની વધુ ગહન બની રહી છે. કદાચ ભવિષ્યમાં જ્યારે આ બધું પાછળ વળીને જોવામાં આવશે, ત્યારે તેઓ માત્ર એક અધિકારી તરીકે નહીં, પરંતુ એક એવા સમયના પ્રતીક તરીકે યાદ રહેશે—જ્યાં કાયદાને ફરી જીવંત બનાવવાની જરૂર હતી, અને કોઈએ એ જવાબદારી ઉઠાવી.

    હવે તે બંગાળમાં ઇલેક્શન દરમિયાન ચર્ચામાં કેમ રહ્યા? —Ajay Pal Sharma વિશે સોશિયલ મીડિયા અને અફવાઓમાં ઘણીવાર “બંગાળમાં મોકલાયા” જેવી વાતો ફરતી રહે છે, પરંતુ જાહેર સ્તરે ઉપલબ્ધ વિશ્વસનીય માહિતી મુજબ તેમને પશ્ચિમ બંગાળમાં કોઈ સત્તાવાર પોલીસ પોસ્ટિંગ આપવામાં આવી હોવાનો મજબૂત પુરાવો નથી. તેથી આ મુદ્દે અતિશય નાટકીય અથવા અપ્રમાણિત કથાઓ બનાવવી યોગ્ય નથી.પણ આ પ્રશ્ન પાછળનો મૂળ તત્વ રસપ્રદ છે—એવો અધિકારી “બંગાળ જેવા સંવેદનશીલ રાજ્યમાં કેમ મોકલાય?” અને જો મોકલાય, તો તે શું કરે?  જોકે માત્ર કાગળ પરની વાતોને અવગણી નાખીએ તો ક્યાંક ને તેમની હાજરી ત્યાંના ઇલેક્શનમાં ચોક્કસ હશે. બીજેપી સંપૂર્ણ પણે બંગાળમાં જીત પ્રાપ્ત કરવા માગતી હતી તો શું તે સામ, ગામ, ડંડ, ભેદની નીતિઓ અપનાવ્યા વગર રહેશે...? તમને શું લાગે છે?

    કોલમ: જયવાદ. 
    લેખક: જૈમીન જોષી. 

    Tuesday, May 5, 2026

    “મમતા થી મોદી સુધી: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનની અંદરની કહાની” (“From Mamata to Modi: The Inside Story of the Power Shift in West Bengal”)

    “દીદી vs દિલ્હી: બંગાળની સત્તા માટેનો સૌથી મોટો રાજકીય યુદ્ધ”



    પશ્ચિમ બંગાળની રાજનીતિને સમજવા માટે આપણે માત્ર તાજેતરના ચૂંટણી પરિણામો કે રાજકીય ટક્કર સુધી સીમિત રહી શકતા નથી; આ એક એવી ભૂમિ છે જ્યાં વિચારધારાઓ, સંસ્કૃતિ, ભાવના અને સત્તા—all એકબીજા સાથે ગૂંથાઈને ચાલે છે. આ પૃષ્ઠભૂમિમાં જ્યારે Mamata Banerjee અને Bharatiya Janata Party (BJP) વચ્ચેની લડતની ચર્ચા થાય છે, ત્યારે તે માત્ર બે પક્ષોની રાજકીય સ્પર્ધા નથી રહેતી, પરંતુ બંગાળના ભવિષ્ય, ઓળખ અને વિકાસની દિશા વિશેનો એક વિશાળ સંવાદ બની જાય છે.
    મમતાનો ઉદય એ કોઈ સામાન્ય રાજકીય ઘટના નહોતો. વર્ષો સુધી ચાલેલા લેફ્ટ શાસન પછી બંગાળમાં એક પ્રકારની રાજકીય થાક આવી ગયો હતો, અને લોકો પરિવર્તનની આશા રાખતા હતા. આ સમયે મમતા બેનરજીએ “પરિવર્તન”નો નારો આપીને લોકોના મનમાં એક નવી ઊર્જા ભરી. તેમની છબી એક સંઘર્ષશીલ, સામાન્ય માણસ સાથે જોડાયેલી નેતા તરીકે ઉભરી, અને આ જ તેમની સૌથી મોટી રાજકીય શક્તિ બની. તેમણે માત્ર સત્તા મેળવી નહોતી, પરંતુ બંગાળની રાજકીય માનસિકતા બદલવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ સમય સાથે દરેક શાસન પર પ્રશ્નો ઊભા થવા લાગે છે, અને મમતાનું શાસન પણ તેના અપવાદ તરીકે નથી રહ્યું. શરૂઆતના વર્ષોમાં જે આશાઓ ઊભી થઈ હતી, તેમાંથી કેટલીક પૂર્ણ થઈ, તો કેટલીક અધૂરી રહી ગઈ. કલ્યાણકારી યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને મદદ મળી, પરંતુ બીજી બાજુ ભ્રષ્ટાચારના આક્ષેપો, પ્રશાસન પર નિયંત્રણની સમસ્યાઓ અને રાજકીય હિંસાના બનાવોએ સરકારની છબી પર અસર પાડી. એક સમય એવો આવ્યો જ્યારે લોકોના મનમાં આ પ્રશ્ન ઉઠવા લાગ્યો કે શું આ “પરિવર્તન” ખરેખર લાંબા ગાળે ફળદાયી સાબિત થયું છે કે નહીં.

    આ જ સમયગાળા દરમિયાન BJPએ બંગાળમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનું શરૂ કર્યું. જ્યાં એક સમય તેઓ બંગાળમાં લગભગ ગેરહાજર હતા, ત્યાં થોડા વર્ષોમાં તેઓ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યા. આ પરિવર્તન સહજ રીતે આવ્યું નહોતું; તેના પાછળ વર્ષો સુધી ચાલેલી સંગઠનાત્મક મહેનત, વિચારધારાનો પ્રચાર અને મજબૂત રાજકીય રણનીતિ હતી. Narendra Modi અને Amit Shah જેવા નેતાઓએ બંગાળમાં વારંવાર મુલાકાતો કરીને અને મોટા પાયે પ્રચાર કરીને પક્ષને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો.પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે—બંગાળમાં BJPનો ઉદય માત્ર તેમની મહેનતના કારણે જ નથી થયો, પરંતુ તે મમતાના શાસન સામે ઉભરતા અસંતોષનું પણ પરિણામ છે.લોકશાહીમાં જ્યારે કોઈ એક પક્ષ લાંબા સમય સુધી સત્તામાં રહે છે, ત્યારે એન્ટી-ઇન્કમ્બન્સી સ્વાભાવિક રીતે ઊભી થાય છે. લોકો નવી વિકલ્પો શોધવા લાગે છે, અને BJPએ આ ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કર્યો. જોકે વર્તમાનમાં જ્યાં બીજેપી છે ત્યાં પણ આ નિયમ લાગુ પડે છે જેના ભાગરૂપે અમુક રાજ્યોમાં લોકો બીજેપીના વિકલ્પો પણ શોધી રહ્યા છે અને તેમાં બંગાળ તેમની ખાલી જગ્યા પૂરી કરશે. 
    હવે પ્રશ્ન એ થાય છે કે શું મમતાનો રાજકીય કાળ ખરેખર અંત તરફ જઈ રહ્યો છે? આ પ્રશ્નનો જવાબ સરળ નથી. એક તરફ તેઓ સામે પડકારો વધી રહ્યા છે—ભ્રષ્ટાચારના કેસો, યુવાનોમાં બેરોજગારી અંગેની ચિંતા, અને પ્રશાસન પર નિયંત્રણ અંગેના પ્રશ્નો. બીજી તરફ તેમની પાસે હજુ પણ મજબૂત ગ્રાસરૂટ સપોર્ટ છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અને સ્ત્રી મતદાતાઓમાં. તેમની વ્યક્તિગત છબી અને બંગાળી ઓળખ સાથેનો જોડાણ તેમને હજુ પણ મજબૂત બનાવે છે. તેથી “અંત” શબ્દનો ઉપયોગ કરવો કદાચ અતિશયોક્તિ ગણાય, પરંતુ એ ચોક્કસ છે કે તેઓ હવે સૌથી કઠિન રાજકીય તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

    જો આપણે કલ્પના કરીએ કે BJP બંગાળમાં સત્તામાં આવે, તો તે માત્ર સત્તા પરિવર્તન નહીં પરંતુ નીતિ અને શાસનની દિશામાં પણ મોટા ફેરફાર લાવી શકે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધુ સમન્વય શક્ય બની શકે, જેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણમાં વધારો થઈ શકે. પરંતુ સાથે સાથે કેટલાક લોકો માટે આ ચિંતા પણ ઉભી થાય છે કે બંગાળની પ્રાદેશિક ઓળખ અને સાંસ્કૃતિક વિશિષ્ટતા પર અસર થઈ શકે. રાજકીય ધ્રુવીકરણ વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. 

    મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે પણ ઘણીવાર પ્રશ્નો ઉઠે છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયા Election Commission of India દ્વારા સંચાલિત થાય છે, અને તેને વિશ્વની સૌથી મોટી અને જટિલ લોકશાહી પ્રક્રિયાઓમાંની એક ગણવામાં આવે છે. છતાં, રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસનો અભાવ હોવાના કારણે ઘણીવાર ગફલત અથવા ગેરરીતિઓ અંગે શંકા વ્યક્ત કરવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે મોટા પાયે ગેરરીતિઓના સ્પષ્ટ પુરાવા બહુ ઓછા જોવા મળે છે, પરંતુ perception—અથવા લોકોની માન્યતા—રાજકીય ચર્ચામાં મહત્વનો ભાગ ભજવે છે.“અટાળું બધું મતદાન શક્ય ન હોય” એ પણ એક વાસ્તવિકતા છે. કોઈપણ લોકશાહીમાં 100% મતદાન થવું લગભગ અશક્ય છે. લોકોની ઉદાસીનતા, સ્થળાંતર, રાજકીય નિરાશા અને કેટલીકવાર ભૌતિક પરિસ્થિતિઓ મતદાનમાં ઘટાડો લાવે છે. તેથી ઓછું મતદાન થાય તો તેને સીધો ગેરરીતિનો પુરાવો માનવો યોગ્ય નથી, પરંતુ તે રાજકીય પક્ષો માટે એક સંકેત છે કે લોકો સાથેનો તેમનો જોડાણ ક્યાંક નબળું પડી રહ્યું છે.

    પશ્ચિમ બંગાળની રાજનીતિ આજે એક એવા ચોરાસે ઊભી છે જ્યાં ભૂતકાળની સિદ્ધિઓ અને ભવિષ્યની સંભાવનાઓ વચ્ચેનો સંઘર્ષ ચાલી રહ્યો છે. એક બાજુ મમતાનું અનુભવી અને ભાવનાત્મક નેતૃત્વ છે, તો બીજી બાજુ BJPનું સંગઠિત અને વિસ્તરણશીલ રાજકીય માળખું છે. આ લડત માત્ર સત્તા માટે નથી, પરંતુ તે નક્કી કરશે કે બંગાળ કઈ દિશામાં આગળ વધશે—પ્રાદેશિક ઓળખને કેન્દ્રમાં રાખીને કે રાષ્ટ્રીય રાજકીય પ્રવાહ સાથે વધુ જોડાઈને.

    બંગાળમાં BJPએ જે સૌથી મોટી સમજ મેળવી હતી, તે એ હતી કે આ રાજ્યમાં સીધું “રાષ્ટ્રીય મુદ્દાઓ” પર ચૂંટણી જીતવી મુશ્કેલ છે. અહીં સંસ્કૃતિ, ભાષા અને પ્રાદેશિક ગૌરવ ખૂબ જ મહત્વ ધરાવે છે. તેથી BJPએ પોતાની રણનીતિને સંપૂર્ણ રીતે બંગાળ કેન્દ્રિત બનાવી. એક તરફ તેમણે રાષ્ટ્રીય નેતૃત્વ—જેમ કે Narendra Modi—ના કરિશ્માનો ઉપયોગ કર્યો, તો બીજી તરફ સ્થાનિક સ્તરે મજબૂત નેટવર્ક ઊભું કર્યું. મોદીએ મોટા પાયે જનસભાઓ દ્વારા ભાવનાત્મક જોડાણ બનાવવાનો પ્રયત્ન કર્યો, જ્યારે Amit Shahએ પાર્શ્વભૂમિમાં રહીને ચૂંટણીને “માઇક્રો મેનેજમેન્ટ”ના સ્તરે સંચાલિત કરી. આ માઇક્રો મેનેજમેન્ટ BJPની સૌથી મોટી શક્તિ બની. દરેક બૂથ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. માત્ર મોટા નેતાઓના ભાષણો પર આધાર રાખવામાં આવ્યો નહોતો, પરંતુ દરેક મતદાર સુધી સીધી પહોંચ બનાવવાનો પ્રયાસ થયો. બૂથ લેવલ પર કાર્યકરોની ટીમો બનાવીને, ઘર-ઘર જઈને લોકો સાથે વાતચીત કરવામાં આવી. આ મોડલને અમલી બનાવવામાં Amit Shahની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી, જેમણે બંગાળમાં દાયકાઓ સુધી ગેરહાજર રહેલી સંગઠનાત્મક મજબૂતી ઉભી કરી.

    BJPએ બંગાળ માટે એક વિશેષ મોડલ અપનાવ્યો—રાજ્યને વિવિધ સંગઠનાત્મક ઝોનમાં વહેંચવામાં આવ્યું અને દરેક ઝોન માટે કેન્દ્રના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી. Sunil Deodhar, Vinod Tawde, Dushyant Gautam, Harish Dwivedi જેવા નેતાઓને અલગ-અલગ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા, જેથી તેઓ સીધા સ્થાનિક સ્તરે કાર્યકરો સાથે જોડાઈ શકે અને ચૂંટણી મશીનરીને મજબૂત બનાવી શકે. આથી એક પ્રકારનું “કેન્દ્રથી નિયંત્રિત પરંતુ સ્થાનિક રીતે કાર્યરત” મોડલ ઉભું થયું, જે BJPની ઓળખ બની ગયું.
    The New Indian Express

    BJPની બીજી મહત્વપૂર્ણ રણનીતિ હતી—મલ્ટી-લેયર કેમ્પેઇનિંગ. એક તરફ મોટા નેતાઓ દ્વારા મેગા રેલીઓ યોજાઈ, જેમાં Narendra Modiએ ભાવનાત્મક અને રાષ્ટ્રીય મુદ્દાઓને ઉઠાવ્યા, જ્યારે બીજી તરફ Amit Shahએ નાના-નાના વિસ્તારોમાં જઈને સીધો સંપર્ક બનાવ્યો. આ બંને સ્તરનું સંયોજન BJP માટે ખૂબ અસરકારક સાબિત થયું. ડિજિટલ અને સોશિયલ મીડિયા પણ BJPની રણનીતિનો મહત્વનો ભાગ હતો. પાર્ટીએ લાખો કાર્યકરોને ઓનલાઇન જોડ્યા અને WhatsApp, Facebook જેવી પ્લેટફોર્મ્સ પર વિશાળ નેટવર્ક ઉભું કર્યું. એક સમયે તો લક્ષ્ય રાખવામાં આવ્યું કે પ્રતિ કલાક લાખો મેસેજ લોકોને પહોંચાડવામાં આવે. આથી તેઓ યુવાનો અને શહેરના મતદાતાઓ સુધી ઝડપથી પહોંચ્યા અને નેરેટિવ પર નિયંત્રણ મેળવી શક્યા.

    BJPએ માત્ર પોતાની ટીમ પર જ આધાર રાખ્યો નહોતો, પરંતુ તેમણે અન્ય પક્ષોના અસંતુષ્ટ નેતાઓને પણ પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો. આ “ડિફેક્શન પોલિટિક્સ” દ્વારા તેમને સ્થાનિક સ્તરે મજબૂત ચહેરા મળ્યા, જે પહેલાથી જ લોકોમાં જાણીતા હતા. આથી BJPને ત્યાં જડ બનાવવા સરળતા થઈ.વિચારધારાત્મક સ્તરે BJPએ બંગાળમાં કેટલાક ખાસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું—જેમ કે ગેરકાયદેસર ઘૂસણખોરી, સુરક્ષા, અને આર્થિક વિકાસ.  આ મુદ્દાઓ દ્વારા તેમણે એક વિશેષ મતદાતા વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો. સાથે સાથે “વિકાસ” અને “કેન્દ્ર સાથે જોડાણ” જેવા નારા દ્વારા તેમણે ભવિષ્યની આશા પણ ઉભી કરી.પરંતુ આ સમગ્ર પ્રક્રિયા વિવાદોથી મુક્ત રહી નથી. ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાં ફેરફાર, લાખો મતદાતાઓના નામ હટાવવાના આક્ષેપો અને રાજકીય ધ્રુવીકરણ જેવા મુદ્દાઓએ ચર્ચા ઊભી કરી. વિરોધ પક્ષોએ આને ગફલત કે ગેરરીતિ તરીકે રજૂ કર્યું, જ્યારે સત્તાવાળાઓએ તેને કાયદેસર પ્રક્રિયા ગણાવી. આથી એક વાત સ્પષ્ટ થાય છે કે ચૂંટણી માત્ર પરિણામ નથી, પરંતુ તે વિશ્વાસ અને પારદર્શિતાની લડાઈ પણ છે.

    જો આપણે સમગ્ર દ્રશ્યને એકસાથે જોઈએ, તો સમજાય છે કે બંગાળની આ રાજકીય લડત માત્ર બે પક્ષોની સ્પર્ધા નથી, પરંતુ તે એક સંપૂર્ણ સિસ્ટમેટિક કેમ્પેઇન અને લોકોની માનસિકતા વચ્ચેની ક્રિયા છે. BJPએ એક એવી રણનીતિ અપનાવી જેમાં કેન્દ્રના મજબૂત નેતૃત્વ, સ્થાનિક સ્તરે ગહન કાર્ય, ડિજિટલ પ્રચાર અને વિચારધારાત્મક સંદેશ—all એકસાથે જોડાયા. જોકે બીજેપીની જીતે લોકોને ચુંટણી વ્યવસ્થા અને રાજકીય સમીકરણો પર સવાલો ઉભા તો કરી દીધા છે તે નક્કી. 

    કોલમ: જયવાદ 
    લેખક: જૈમીન જોષી. 

    Monday, May 4, 2026

    વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કારની સાચી પરિભાષા શું હોય? (What is the correct definition of personality development and culture?)



        વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર માનવ જીવનના એવા બે આધારસ્તંભ છે, જે વ્યક્તિને માત્ર સફળ જ નહીં પરંતુ અર્થપૂર્ણ અને સન્માનિત જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. આજે આધુનિક યુગમાં વ્યક્તિત્વ વિકાસનો અર્થ ઘણીવાર બહારની ચમક-ધમક, બોલવાની સ્ટાઇલ, આત્મવિશ્વાસભર્યો અંદાજ કે આધુનિક જીવનશૈલી સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે, જ્યારે સંસ્કારને ઘણીવાર જૂના સમયની વાત માનીને અવગણવામાં આવે છે. પરંતુ જો આ બંને વિષયને ઊંડાણથી સમજવામાં આવે, તો સ્પષ્ટ થાય છે કે વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર એકબીજા વગર અધૂરા છે. સાચું વ્યક્તિત્વ એ છે, જેમાં જ્ઞાન સાથે વિનમ્રતા, આત્મવિશ્વાસ સાથે સંયમ અને સફળતા સાથે માનવતા જોડાયેલી હોય, અને આ ગુણોનું મૂળ સંસ્કારમાં જ વસેલું છે.

        માનવ જન્મથી સંપૂર્ણ નથી હોતો; તે તેના અનુભવ, શિક્ષણ અને પરિસ્થિતિઓ દ્વારા ઘડાતો જાય છે. વ્યક્તિત્વ વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિ પોતાની અંદરની શક્તિઓને ઓળખે છે, તેને યોગ્ય દિશામાં વિકસાવે છે અને પોતાની નબળાઈઓને દૂર કરવાની કોશિશ કરે છે. પરંતુ આ પ્રક્રિયા માત્ર બાહ્ય ગુણો સુધી સીમિત રહી જાય, તો તે ખોખલી બની જાય છે. જ્યારે સંસ્કાર આ વિકાસને આંતરિક દિશા આપે છે, ત્યારે જ તે સાચા અર્થમાં પૂર્ણ બને છે. સંસ્કાર એ કોઈ પુસ્તકમાં લખેલી થિયરી નથી, પરંતુ જીવનમાં અનુભવીને, પરિવાર અને સમાજમાંથી શીખીને અને પોતાની અંદરની અવાજને સાંભળીને વિકસાવેલી મૂલ્યપ્રણાલી છે, જે દરેક નિર્ણયમાં આપણું માર્ગદર્શન કરે છે.

        આ વાતને સરળ રીતે સમજવા માટે આપણે જીવનના સામાન્ય પ્રસંગોને ધ્યાનમાં લઈએ. એક વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી છે, તે પોતાની વાતો ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરી શકે છે, પરંતુ જો તે પોતાની સફળતા માટે અન્ય લોકોને નીચે દેખાડે છે, તેમની લાગણીઓને અવગણે છે અથવા અહંકારથી વર્તે છે, તો તેનું વ્યક્તિત્વ બહારથી ચમકદાર હોવા છતાં અંદરથી ખાલી રહે છે. બીજી તરફ, એક સામાન્ય વ્યક્તિ, જે કદાચ એટલો શિક્ષિત ન હોય, પરંતુ જે દરેક વ્યક્તિ સાથે સન્માનપૂર્વક વર્તે છે, મદદ કરવા તૈયાર રહે છે અને પોતાની મર્યાદાઓમાં રહીને સત્ય અને ઈમાનદારીથી જીવન જીવે છે, તે વ્યક્તિનું વ્યક્તિત્વ વધુ ઊંચું ગણાય છે. આ તફાવતનું કારણ સંસ્કાર છે. સંસ્કાર વ્યક્તિને માત્ર સારા-ખોટાનો ભેદ જ શીખવતા નથી, પરંતુ તે ભેદને જીવનમાં અમલમાં મૂકવાની પ્રેરણા પણ આપે છે.

        વ્યક્તિત્વ વિકાસનો સાચો અર્થ ત્યારે સમજાય છે, જ્યારે વ્યક્તિ પોતાની અંદર ઝાંખી કરે છે. પોતાને પૂછે છે કે શું હું માત્ર બહારથી સારો દેખાવા માંગું છું કે અંદરથી પણ સારો બનવા ઈચ્છું છું. આ આત્મમંથન ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે આપણને આપણાં સાચાં સ્વરૂપ સાથે પરિચિત કરાવે છે. જ્યારે વ્યક્તિ પોતાની ભૂલોને સ્વીકારીને તેને સુધારવાની તૈયારી રાખે છે, ત્યારે તે સાચા અર્થમાં વિકાસની દિશામાં આગળ વધે છે. આ પ્રક્રિયામાં સંસ્કાર તેની મદદ કરે છે, કારણ કે સંસ્કાર વ્યક્તિને અહંકારથી દૂર રાખે છે અને તેને શીખવે છે કે શીખવાનું ક્યારેય બંધ ન કરવું.

        આધુનિક સમાજમાં ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે લોકો સફળતા માટે કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર હોય છે. સ્પર્ધા એટલી વધી ગઈ છે કે લોકો માટે પરિણામ જ મહત્વનું બની ગયું છે, રસ્તો કેવો છે તે મહત્વનું નથી રહેતું. અહીં સંસ્કારની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સંસ્કાર વ્યક્તિને યાદ અપાવે છે કે સાચી સફળતા એ છે, જે સત્ય અને ઈમાનદારીના માર્ગે પ્રાપ્ત થાય. જો સફળતા માટે આપણે આપણા મૂલ્યોને ત્યજી દઈએ, તો તે સફળતા લાંબા ગાળે આનંદ આપતી નથી. સાચી ખુશી ત્યારે મળે છે, જ્યારે વ્યક્તિને ખબર હોય કે તેણે જે મેળવ્યું છે, તે યોગ્ય રીતે મેળવ્યું છે.

        સંસ્કારનો પ્રભાવ માત્ર વ્યક્તિ સુધી સીમિત નથી રહેતો, તે સમગ્ર સમાજને પ્રભાવિત કરે છે. એક સંસ્કારી વ્યક્તિ જ્યાં જાય છે, ત્યાં સકારાત્મકતા ફેલાવે છે. તેની વાણીમાં મધુરતા હોય છે, તેના વર્તનમાં સહાનુભૂતિ હોય છે અને તેના નિર્ણયો માં ન્યાય હોય છે. આવી વ્યક્તિઓ સમાજને મજબૂત બનાવે છે. બીજી તરફ, સંસ્કાર વિહોણા લોકો સમાજમાં અશાંતિ અને અસંતુલન લાવે છે. તેથી, વ્યક્તિત્વ વિકાસને માત્ર વ્યક્તિગત પ્રગતિ તરીકે નહીં, પરંતુ સામાજિક જવાબદારી તરીકે પણ જોવું જોઈએ.

        આજના યુવાનો માટે આ વિષય ખાસ કરીને મહત્વનો છે. તેઓ નવી ટેકનોલોજી, નવી વિચારધારા અને નવા અવસરોથી પરિચિત છે, જે તેમની પ્રગતિ માટે ખૂબ જ સકારાત્મક છે. પરંતુ જો આ પ્રગતિ સાથે સંસ્કાર જોડાયેલા ન હોય, તો તે ખતરનાક બની શકે છે. યુવાનોને સમજવું પડશે કે આધુનિકતા અને સંસ્કાર વિરોધી નથી, પરંતુ પૂરક છે. તેઓ બંને સાથે આગળ વધી શકે છે. એક વ્યક્તિ સ્માર્ટ પણ બની શકે છે અને સંસ્કારી પણ રહી શકે છે. ખરેખર, સાચો સ્માર્ટ વ્યક્તિ એ જ છે, જે પોતાની સફળતામાં પણ વિનમ્ર રહે છે અને બીજાની લાગણીઓને સમજે છે.

        જ્યારે આપણે ઈતિહાસ તરફ નજર કરીએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મોટા મહાન લોકોના જીવનમાં આ બંને ગુણોનો સુંદર સમન્વય જોવા મળે છે. તેઓ માત્ર જ્ઞાનમાં આગળ ન હતા, પરંતુ તેમના જીવનમાં સંસ્કાર અને મૂલ્યોની પણ ઊંડી અસર હતી. તેઓએ બતાવ્યું કે સાચી મહાનતા માત્ર મોટા કાર્યો કરવામાં નથી, પરંતુ નાના-નાના સારા વર્તનમાં પણ છુપાયેલી છે. એક સરળ સ્મિત, એક સારો શબ્દ, એક નાની મદદ—આ બધું પણ વ્યક્તિત્વનો ભાગ છે.

        વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર કોઈ એક દિવસમાં પ્રાપ્ત થતી વસ્તુ નથી. તે જીવનભર ચાલતી એક યાત્રા છે. દરેક દિવસ આપણને કંઈક નવું શીખવાની તક આપે છે, દરેક પરિસ્થિતિ આપણને સુધારવાની તક આપે છે. જો આપણે દરેક દિવસ થોડું વધારે સારા બનવાનો પ્રયત્ન કરીએ, તો ધીમે ધીમે આપણું વ્યક્તિત્વ વિકસે છે અને સંસ્કાર મજબૂત બને છે. જીવનનો સાચો હેતુ માત્ર જીવવું નથી, પરંતુ એવું જીવવું છે કે આપણી હાજરીથી દુનિયા થોડું વધારે સુંદર બને.

    સાચું વ્યક્તિત્વ એ છે, જેમાં વિચારની ઊંડાઈ, વર્તનની સરળતા અને હૃદયની પવિત્રતા હોય. અને આ બધું ત્યારે જ શક્ય બને છે, જ્યારે જીવનમાં સંસ્કારનો મજબૂત આધાર હોય. તેથી, આપણે દરેકે પ્રયાસ કરવો જોઈએ કે આપણે માત્ર સફળ વ્યક્તિ નહીં, પરંતુ સારા અને સંસ્કારી વ્યક્તિ બનીએ, કારણ કે અંતે માણસને તેના પદ કે સંપત્તિથી નહીં, પરંતુ તેના સ્વભાવ અને મૂલ્યોથી ઓળખવામાં આવે છે.


    "સાચું વ્યક્તિત્વ એ નથી કે દુનિયા તમને કેવી રીતે જુએ છે, પરંતુ એ છે કે તમે અંદરથી કેટલા સચ્ચા, સંસ્કારી અને સંતુલિત છો.”



    કોલમ: જયવાદ 

    લેખક: જૈમીન જોષી. 

    Thursday, April 23, 2026

    જનતાના આક્રોશ પછી પણ બીજેપી આવે તો શું સમજવું? (What should we understand if BJP comes even after public outcry?)

    રાજકીય વાસ્તવિકતા: મતદારનું મન સમજવું સરળ નથી. 


          ભારતનું રાજકીય પરિદૃશ્ય આજના સમયમાં એક અત્યંત રસપ્રદ અને સાથે સાથે જટિલ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. એક બાજુ રાષ્ટ્રીય સ્તરે મજબૂત નેતૃત્વ અને વિકાસના દાવાઓ છે, જ્યારે બીજી બાજુ સામાન્ય જનજીવનમાં અનુભવાતી મુશ્કેલીઓ, મોંઘવારી, બેરોજગારી અને અધૂરા વાયદાઓને લઈને લોકોમાં ઉદાસીનતા અને ક્યાંક ક્યાંક આક્રોશ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં માત્ર લોકસભાની ચૂંટણી જ નહીં, પરંતુ તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની ચૂંટણી પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે અહીંથી જ જનતાના વાસ્તવિક મૂડનો અહેસાસ થતો હોય છે.

        છેલ્લા કેટલાક સમયથી Bharatiya Janata Party (BJP) દેશના રાજકારણમાં એક મુખ્ય અને પ્રભાવી શક્તિ તરીકે ઉભરી આવી છે. કેન્દ્રમાં તેની મજબૂત સરકાર, વિવિધ રાજ્યોમાં તેનો વ્યાપ અને સંગઠનશક્તિએ તેને ચૂંટણી મશીન તરીકે મજબૂત બનાવ્યું છે. પરંતુ આ સાથે જ લોકોમાં કેટલાક મુદ્દાઓને લઈને અસંતોષ પણ ધીમે ધીમે ઊભો થયો છે. ખાસ કરીને રોજગારનો પ્રશ્ન, વધતી મોંઘવારી, નાના વેપારીઓ અને ખેડુતોની મુશ્કેલીઓ, તેમજ કેટલાક વર્ગોમાં અનુભવાતી સામાજિક અસુરક્ષા—આ બધું મળીને એક પ્રકારનો મૌન અસંતોષ તૈયાર કરે છે.

         આ અસંતોષનો પ્રભાવ સૌથી પહેલા સ્થાનિક ચૂંટણીમાં જોવા મળે છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો સીધા પોતાના વિસ્તારના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ અહીં કેન્દ્રસ્થાને હોય છે. જો સ્થાનિક સ્તરે વિકાસ ન દેખાય, તો લોકો પોતાની નારાજગી સીધી મતદાનમાં વ્યક્ત કરે છે. ઘણા વિસ્તારોમાં એવું જોવા મળે છે કે રાષ્ટ્રીય સ્તરે એક પક્ષને સમર્થન આપનાર મતદારો પણ સ્થાનિક સ્તરે અલગ નિર્ણય લે છે. આ જ લોકશાહીની ખાસિયત છે—મતદાર એકસરખો નથી રહેતો, તે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લે છે.

        મહાનગર પાલિકાની ચૂંટણી તો વધુ જ રસપ્રદ બની જાય છે. શહેરોમાં રહેનારા મધ્યમ વર્ગ અને યુવાનો માટે મોંઘવારી, ટ્રાફિક, પ્રદૂષણ, રોજગાર અને જીવનશૈલીના પ્રશ્નો વધુ મહત્વના બની જાય છે. અહીં લોકો માત્ર ભાવનાત્મક મુદ્દાઓ પર નહીં, પરંતુ રોજિંદા જીવનની ગુણવત્તા પર મત આપે છે. જો શહેરમાં સફાઈ, રોડ, પાણી, ટ્રાન્સપોર્ટ જેવી સેવાઓ યોગ્ય રીતે ન ચાલે, તો તે સીધી અસર મતદાન પર પડે છે. આથી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઘણી વખત અણધારી ફેરફારો જોવા મળે છે.

        આજના સમયમાં એક રસપ્રદ પરિસ્થિતિ એ પણ છે કે લોકો એક તરફ Bharatiya Janata Party પર કેટલાક મુદ્દાઓને લઈને નારાજ દેખાય છે, પરંતુ બીજી તરફ તેઓ પાસે મજબૂત વિકલ્પ હોવાનો વિશ્વાસ નથી. Indian National Congress (Congress) પોતાના પુનઃસ્થાપન માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં તેની સંગઠનશક્તિ હજુ નબળી છે. બીજી તરફ Aam Aadmi Party (AAP) અને અન્ય પ્રાદેશિક પક્ષો શહેરોમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે. છતાં પણ, સમગ્ર દેશમાં એકસમાન વિકલ્પ ઉભો કરવો વિપક્ષ માટે હજી પડકારરૂપ છે.

        તાલુકા અને જિલ્લા સ્તરની ચૂંટણીમાં ઘણી વખત સ્થાનિક નેતાઓની છબી, તેમના કામ અને લોકો સાથેનો સંપર્ક વધુ મહત્વ ધરાવે છે. અહીં પાર્ટીનું નામ કરતા વ્યક્તિગત વિશ્વાસ વધુ અસરકારક બની જાય છે. જો કોઈ નેતા લોકપ્રિય હોય, તો તે પક્ષની નબળાઈને પણ પૂરી કરી શકે છે. બીજી તરફ, નબળા ઉમેદવારને કારણે મજબૂત પક્ષ પણ હારી શકે છે. આથી સ્થાનિક ચૂંટણીમાં પરિણામો ઘણી વખત રાષ્ટ્રીય ટ્રેન્ડથી અલગ જોવા મળે છે.

        એક મહત્વપૂર્ણ પાસું એ છે કે સોશિયલ મીડિયા અને વાસ્તવિક મતદાન વચ્ચે મોટો તફાવત હોય છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત સરકાર વિરુદ્ધ આક્રોશ વધારે દેખાય છે, પરંતુ મતદાન સમયે લોકો શાંતિથી પોતાના નિર્ણય લે છે. “Silent voters” એટલે કે શાંતિથી મત આપનારા મતદારો ઘણી વખત આખું પરિણામ બદલી નાખે છે. તેઓ જાહેરમાં પોતાની રાજકીય પસંદગી વ્યક્ત નથી કરતા, પરંતુ મતદાન વખતે પોતાની પસંદગી સ્પષ્ટ કરે છે.

        જો આ તમામ પરિસ્થિતિ વચ્ચે ફરીથી Bharatiya Janata Party મજબૂત રીતે જીતે, તો તેનો અર્થ શું થાય? તેનો એક અર્થ એ થઈ શકે કે લોકો હજુ પણ સ્થિરતા અને મજબૂત નેતૃત્વને પ્રાથમિકતા આપે છે. તેઓ સ્થાનિક મુશ્કેલીઓ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ રાખે છે. બીજું, વિપક્ષ પક્ષોની એકતા અને વિશ્વસનીયતા હજુ સુધી એટલી મજબૂત નથી બની કે લોકો મોટા પાયે તેમના તરફ વળે.

        બીજી તરફ, જો તાલુકા, જિલ્લા અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં વિપક્ષ પક્ષો સારો દેખાવ કરે, તો તે ભવિષ્યની મોટી ચૂંટણી માટે એક સંકેત બની શકે છે. તે બતાવે છે કે લોકો બદલાવ ઇચ્છે છે અને યોગ્ય વિકલ્પ મળતાં જ તેઓ પોતાનો નિર્ણય બદલી શકે છે. આથી સ્થાનિક ચૂંટણીને ઘણી વખત “સેમિફાઇનલ” તરીકે પણ જોવામાં આવે છે.

        આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મતદાર હવે પહેલાથી વધુ જાગૃત થયો છે. તે માત્ર વચનો પર વિશ્વાસ નથી કરતો, પરંતુ પરિણામો પણ જોઈ રહ્યો છે. વિકાસના દાવાઓ સાથે સાથે રોજિંદા જીવનમાં સુધારો પણ તે ઈચ્છે છે. જો કોઈ સરકાર આ બંને વચ્ચે સંતુલન જાળવી શકે, તો તે લાંબા સમય સુધી ટકી શકે છે.ભારતની લોકશાહીનો સૌંદર્ય એ છે કે અહીં કોઈપણ પરિણામ પૂર્વનિર્ધારિત નથી હોતું. તાલુકા, જિલ્લા અને મહાનગર પાલિકાની ચૂંટણીથી લઈને રાષ્ટ્રીય ચૂંટણી સુધી—દરેક સ્તરે જનતા પોતાનો મત આપીને સત્તા નક્કી કરે છે. આ પ્રક્રિયા સતત ચાલી રહી છે, અને તે જ લોકશાહીને જીવંત રાખે છે.આજની પરિસ્થિતિમાં સત્તા પલટો થશે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એક વાત નિશ્ચિત છે—જનતાનો અવાજ હવે વધુ પ્રબળ બન્યો છે. અને જ્યાં જનતાનો અવાજ પ્રબળ હોય, ત્યાં લોકશાહી હંમેશા જીવંત રહે છે.

        તે છતાં બીજેપી દ્વારા કરવામાં આવેલ વાયદાઓ કરતા તેમના દ્વારા ધમકી અને તાનાશાહીથી લોકો વધુ નારાજ છે. વધતો જતો ક્રાઇમ અને સ્થાનિક લેવલે પણ બીજેપી કાર્યકર્તા બની કરવામાં આવતો રોબ ક્યાંક ને ક્યાંક લોકશાહી ખતમ કરી રહ્યો છે. બેરોજગારી અને મોંઘવારીની વચ્ચે પક્ષો દ્વારા આપવામાં આવતી ધમકી જનતાને વધુ દુઃખી કરી રહી છે. જાતિ આધારિત થતું રાજકારણ અંતે તો ખૂટ, આક્રમકતા અને યુવાનોમાં રાજનીતિ તરફ નારાજગી વધારી રહી છે. ગ્રાઉન્ડ લેવલ પર થતું કામ કોઈ પણ પક્ષની નીતિ અને વિચારધારાની છબી પ્રદર્શિત કરતી હોય છે.

    લાખો લોકોની નારાજગી છતાં જો સંપૂર્ણ બહુમત બીજેપી લાવે તો ફરી ચુંટણી વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થશે તે નક્કી. હવે જોવાનું એ રહ્યું કે કથળતી પરિસ્થિતિમાં પરિણામ કોના પક્ષે આવે છે.


    કોલમ:જયવાદ

    લેખક :જૈમીન જોષી. 

    Wednesday, April 22, 2026

    “પ્રકૃતિનું કર્જ: પૃથ્વી દિવસ પર માનવજાત માટે ચેતવણી”(“Nature's Debt: A Warning to Humanity on Earth Day”)

    “ધરતી નથી માત્ર ગ્રહ – એ જીવનનો આધાર છે”


    વિશ્વ પૃથ્વી દિવસ—માત્ર એક ઉજવણી નહીં, પરંતુ માનવજાત માટે આત્મમંથનનો અવસર છે. દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવતો આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે જે પૃથ્વી પર જીવીએ છીએ, તે માત્ર સંસાધનોનો ભંડાર નથી, પરંતુ જીવંત સૃષ્ટિ છે—જેનાં પ્રત્યેક અંશ સાથે આપણું અવિભાજ્ય સંબંધ છે. આ દિવસ એ પ્રશ્ન પૂછે છે: “શું આપણે પૃથ્વી માટે જીવીએ છીએ કે પૃથ્વી આપણાં માટે?”

    આ વિચારને ઊંડાણથી સમજવા માટે આપણે ઈતિહાસમાં ઝાંખી કરીએ. 1970માં અમેરિકામાં પ્રથમ વખત “Earth Day” મનાવવામાં આવ્યો. તે સમય દરમિયાન ઔદ્યોગિકીકરણ ઝડપથી વધી રહ્યું હતું, પરંતુ તેના કારણે પ્રકૃતિ પર થતા વિનાશ અંગે કોઈ ખાસ ધ્યાન આપતું નહોતું. નદીઓ પ્રદૂષિત થઈ રહી હતી, હવા ઝેરી બની રહી હતી અને જંગલોનો વિનાશ થઈ રહ્યો હતો. ત્યારે અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સનએ પર્યાવરણ સંરક્ષણ માટે એક જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું. લગભગ 2 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો અને આંદોલનને વૈશ્વિક સ્વરૂપ મળ્યું. આજે આ દિવસ 190થી વધુ દેશોમાં ઉજવાય છે, જે દર્શાવે છે કે પૃથ્વી પ્રત્યેની ચિંતા હવે સમગ્ર માનવજાતની ચિંતા બની ગઈ છે.

    પરંતુ પૃથ્વી પ્રત્યેનો આદર માત્ર આધુનિક વિચાર નથી. ભારતીય સંસ્કૃતિમાં તો પૃથ્વીને “માતા” તરીકે પૂજવામાં આવે છે. ઋગ્વેદમાં એક શ્લોક છે:

    “माता भूमिः पुत्रोऽहं पृथिव्याः” અર્થાત્—પૃથ્વી મારી માતા છે અને હું તેનો પુત્ર છું.

    આ એક વાક્યમાં જ માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે આપણે પૃથ્વીને માતા માનીએ છીએ, ત્યારે તેના શોષણનો પ્રશ્ન જ ઉભો થતો નથી. પરંતુ આજે હકીકત એ છે કે આપણે માતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ.

    ગુજરાતી કહેવત છે—“જળ છે તો કળ છે.” આ કહેવત માત્ર પાણીના મહત્વને જ નહીં, પરંતુ સમગ્ર પર્યાવરણના સંતુલનને સમજાવે છે. પાણી, હવા, જમીન—આ ત્રણેય તત્વો જીવનના આધાર છે. પરંતુ આજે આપણે જળસંકટ, વાયુપ્રદૂષણ અને જમીનની ક્ષતિ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.


    વિશ્વ પૃથ્વી દિવસ આપણને આ સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટો ખતરો બની ગયો છે. ગ્રીનહાઉસ ગેસોના વધારા કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, જેના કારણે હિમનદીઓ પીગળી રહી છે, સમુદ્રસ્તર વધી રહ્યું છે અને અતિશય હવામાન પરિવર્તનો થઈ રહ્યા છે. એક તરફ દુષ્કાળ છે, તો બીજી તરફ પૂર—આ બધું જ પ્રકૃતિના અસંતુલનનું પરિણામ છે.

    અહીં એક પ્રાચીન કહેવત યાદ આવે છે—“Nature does not hurry, yet everything is accomplished.” એટલે કે પ્રકૃતિ ક્યારેય ઉતાવળ કરતી નથી, છતાં બધું સમયસર પૂરું થાય છે. પરંતુ માનવજાતે ઉતાવળમાં પ્રકૃતિના નિયમોને તોડવાનું શરૂ કર્યું છે. પરિણામે આપણે જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ.

    આપણાં પૂર્વજો પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વમાં જીવતા હતા. તેઓ વૃક્ષોને દેવતા માનતા, નદીઓને પૂજતા અને પ્રાણીઓ સાથે સહજીવન જીવતા. પરંતુ આધુનિક જીવનશૈલીમાં આપણે આ મૂલ્યોને ભૂલી ગયા છીએ. હવે વિકાસના નામે આપણે જંગલો કાપીએ છીએ, નદીઓને પ્રદૂષિત કરીએ છીએ અને હવામાં ઝેર ફેલાવીએ છીએ.

    વિશ્વ પૃથ્વી દિવસ એ માત્ર સમસ્યાઓનું સ્મરણ કરાવતો દિવસ નથી, પરંતુ ઉકેલ તરફ દોરી જતો દિવસ પણ છે. જો આપણે ખરેખર પૃથ્વીને બચાવવી હોય, તો આપણને આપણા જીવનમાં ફેરફાર લાવો રહ્યો. તેનું મહત્ત્વ અને મૂલ્ય સમજવું રહ્યું.


    “ધરતી—જેને આપણે પ્રેમથી “માતા” કહીને સંબોધીએ છીએ—એ માત્ર માટીનો ગોળો નથી, પરંતુ જીવનનો સ્ત્રોત છે. આપણા દરેક શ્વાસમાં તેની હવા છે, દરેક અન્નકણમાં તેની મહેનત છે અને દરેક નદીમાં તેની કરુણા વહે છે. છતાં આજે આ જ ધરતી માતા મૌન પીડા સહન કરી રહી છે. પ્રશ્ન એ છે કે શું આપણે આ પીડાને સમજવા માટે તૈયાર છીએ?

    આજે સૌથી મોટો પ્રશ્ન છે—માનવજાતનો કર્તવ્ય શું છે? શું આપણે માત્ર વિકાસ પાછળ દોડતા રહીશું કે પછી પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાનો પ્રયાસ કરીશું?


    પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ કર્તવ્ય છે જાગૃતિ. જ્યારે સુધી આપણે સમસ્યાને સમજશું નહીં, ત્યારે સુધી ઉકેલ શક્ય નથી. દરેક વ્યક્તિએ સમજવું પડશે કે પ્રકૃતિનું રક્ષણ માત્ર સરકારનું કામ નથી—એ દરેક માનવનો ફરજ છે.બીજું કર્તવ્ય છે વ્યવહારિક ફેરફાર. નાના-નાના પગલાં મોટા પરિવર્તન લાવી શકે છે. જેમ કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, વૃક્ષારોપણ, પાણી બચાવવું અને ઊર્જાનો યોગ્ય ઉપયોગ. એક વૃક્ષ રોપવું એ માત્ર એક કાર્ય નથી—એ ભવિષ્ય માટેનું રોકાણ છે.ત્રીજું કર્તવ્ય છે આગામી પેઢી માટે જવાબદારી. એક સુંદર વિચાર છે—

    “We do not inherit the Earth from our ancestors; we borrow it from our children.”

    અર્થાત્—આ પૃથ્વી આપણે આપણા પૂર્વજોથી વારસામાં નથી મળતી, પરંતુ આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે.


    આ વિચાર આપણને સમજાવે છે કે આપણે જે પણ કરી રહ્યા છીએ, તેનો અસર આવતી પેઢી પર પડશે. જો આપણે આજે પ્રકૃતિનો નાશ કરીશું, તો આવતી પેઢી માટે કંઈ જ બાકી નહીં રહે.ધરતી માતાની પીડા માત્ર પર્યાવરણની સમસ્યા નથી—એ માનવજાતના અસ્તિત્વનો પ્રશ્ન છે. જો પ્રકૃતિ નહીં રહે, તો માનવજાત પણ નહીં રહે. તેથી સમય આવી ગયો છે કે આપણે આપણા સ્વાર્થને છોડીને પ્રકૃતિ માટે વિચારવું જોઈએ.


    એક સરળ પરંતુ શક્તિશાળી સંદેશ—

    “Save Earth, Save Life.”


    આ માત્ર સૂત્ર નથી, પરંતુ જીવનનો આધાર છે. ધરતી માતા આપણને બધું આપે છે—હવે સમય છે કે આપણે પણ તેની સંભાળ લઈએ. કારણ કે જો માતા સ્વસ્થ રહેશે, તો જ સંતાનનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.


    કોલમ:જયવાદ

    લેખક:: જૈમીન જોષી. 

    પ્રગતિના નામે આપણે શું ગુમાવી રહ્યા છીએ?(What are we losing in the name of progress?)

    વિકાસની દોડમાં ક્યાંક આપણે પોતાને જ પાછળ તો નથી મૂકી દીધા ? " પ્રગતિ ત્યારે જ સાચી કહેવાય , જ્યારે તે માત્ર જીવનનો ધોરણ નહીં , પરં...