Sunday, August 31, 2025

ખોરાકમાં મીઠું શા માટે જરૂરી? (Why is salt necessary in food?)

 

રસોઈમાં વપરાતા મીઠાને તમે અવગણતા તો નથી?

salt image


        ખોરાકમાં સામાન્ય પ્રમાણ પરંતુ અત્યંત મહત્વતા ધરાવનાર પદાર્થ એટલે મીઠું. તેના વગર સ્વાદ જાણે રિસાય જાય. અન્ય મસાલાનો તોડ ચોક્કસ મળી જાય પણ એક વાર નખાઈ ગયેલા મીઠાના  પ્રમાણને ઓછો કરવો અગરો છે. તે પોતાના ગુણધર્મનું પાલન ચોક્કસ કરે છે. મીઠા વગરનું જીવન નહિ ચાલે પરંતુ ભોજનમાં વધુ મીઠું પણ નહિ ચાલે. મીઠું જીવન માટે જરૂરી છે, પણ તે મર્યાદિત માત્રામાં લેવું ખૂબ જરૂરી છે. મીઠાનો યોગ્ય ઉપયોગ શરીર માટે લાભદાયક છે, પણ વધારે માત્રામાં તે નુકસાનકારક બની શકે છે.

        રસોડામાં સામાન્ય રીતે જોવાતા મીઠાને વિજ્ઞાન કઈક અલગ રીતે જોવે છે. મીઠું સોડીયમ અને ક્લોરીન નામના બે તત્વોનું મિશ્રણ છે માટે મીઠાનું રસાયણિક નામ સોડીયમ ક્લોરાઈડ અને રસાયણિક સુત્ર  NaCI છે.સોડિયમ ક્લોરાઇડ  અને પોટેશિયમ, સજીવ શરીરમાં કોષોના સામાન્ય કાર્ય અને પ્રવાહીના યોગ્ય સમતોલન માટે જરૂરી છે. મીઠું સજીવ શરીરને નવાં પ્રવાહી લેવામાં અને મૂત્ર દ્વારા ખરાબ પ્રવાહીનો નિકાલ કરવામાં મદદ કરે છે. સાથે મીઠું બ્લડપ્રેશર જાળવવા,  ડિહાઇડ્રેશન રોકવા અને કિડનીને સ્વસ્થ રાખવા આવશ્યક છે. શરીરમાં મીઠાની માત્રા ખૂબ જ ઓછી હોય તો મગજ, હૃદય અને સ્નાયુના કોષો યોગ્ય કાર્ય કરી શકતા નથી. નસોને સંકેત પહોંચાડવામાં, પેશીઓના સંકોચન અને આરામમાં મદદ કરે છે. પાચનક્રિયામાં મદદરૂપ બને છે, ખાસ કરીને પાચક રસો માટે ઉપયોગી છે.

        શરીરમાં મીઠાની યોગ્ય માત્રા હોવી આવશ્યક છે. વધુ પડતું મીઠું આરોગ્ય સમસ્યાઓ લાવી શકે. વધુ પડતું મીઠું લેવાથી શરીરમાં સોજા આવી જાય છે તથા તેનાથી હાઇ બ્લડપ્રેશરનું કારણ પણ બને છે. હાઈ બ્લડપ્રેશરથી હૃદયરોગનો હુમલો (હાર્ટ ઍટેક) થવાની શક્યતા વધે છે. - થાઈરોઈડ ગ્રંથિ માટે આયોડિન જરૂરી છે. આયોડિનની ઉણપથી ગળફાડો (goiter) કે માનસિક વિકાસની સમસ્યાઓ થાય છે, ખાસ કરીને બાળકોમાં વધુ જોવા મળે છે.

         ભારતમાં "યુનિવર્સલ સોલ્ટ આયોડાઈઝેશન" કાર્યક્રમથી આયોડિનયુક્ત મીઠું સામાન્ય બનાવાયું છે. યુ.એસ.એ.માં હાઈ બ્લડપ્રેશર ધરાવતા આશરે ત્રીજા ભાગના લોકો મીઠા પ્રત્યે 'સંવેદનશીલછે. એટલે જો તેઓ વધુ પડતું મીઠું ખાય તો તેમનું બ્લડપ્રેશર વધે છે.

 

આપણે કેટલી માત્રામાં મીઠું ખાવું જોઈએ?

        તમારે દરરોજ ૪ ગ્રામથી વધારે મીઠું (આશરે એક આખી ચમચી) અથવા ૨.૪ ગ્રામથી વધારે સોડિયમ ન લેવું જોઈએ પણ સામાન્ય રીતે પુખ્ત વયના લોકો રોજ ૧૦-૧૨ ગ્રામ મીઠું અથવા ૭-૮ ગ્રામ કે તેથી વધુ સોડિયમ લેતા હોય છે!!

આહારમાં મીઠું કેવી રીતે ઘટાડી શકાય?

જમતી વખતે આહારમાં મીઠું ન ઉમેરો. લોકો જેટલું સોડિયમ ખાય છે તેમાંથી ત્રીજાથી અડધા ભાગનું સોડિયમ જમતી તથા રાંધતી વખતે ઉમેરાય છે.

મીઠાને બદલે તમે બીજા મસાલા તથા સોડિયમરહિત વસ્તુઓ વાપરી શકો.

ખાતી તથા રાંધતી વખતે ખૂબ જ ઓછું અથવા નહિવત્ મીઠું લો. મીઠા સિવાય બીજા મસાલા વાપરો.

ખારી વસ્તુઓનો ત્યાગ કરો અને જો ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો તેને દુર કરવા પરસેવો નીકળે તેવી કસરત કરો. પ્રશ્વેદમાં મીઠું શરીરની બહાર નીકળી જશે.

પેકેજીંગ વાળા નાસ્તા, હોટેલમાં સૂપ, સોસ, અથાણા વગેરેને લાંબો સમય સાચવવા મીઠાનો ઉપયોગ કરાય છે. મૃત વ્યક્તિના સબને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પણ ફીઝમાં મીઠાનો ઉપયોગ થાય છે.

મીઠું માત્ર અલગથી લેવાથી જ પ્રાપ્ત થતું નથી તે ખનીજ તત્વ છે એટલે કે જમીનમાંથી મળતો ક્ષાર જે પાણી સાથે ભળી વનસ્પતિઓ કે ફળોમાં પરિવહન કરતો હોય છે અને તે માધ્યમથી પણ આપણા શરીરમાં મીઠાનું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે.

કેલા, સફરજન, ગાજર, અથાણું, લીલા શાકભાજી વગરેમાં મીઠાનું વત્તા ઓછા પ્રમાણમાં મીઠું હોય જ છે.

જીવન રસમય છે તેને સમરસ રાખવું જરૂરી છે.

                                                                                        જૈમિન જોષી.

 

No comments:

Post a Comment

મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર, વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ(મકરસંકસંબંધી: (Mamkar Sankranti : Impact on controls, exchange and the importance of this chaptik)

  મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર , વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ:                    મકરસંક્રાંતિ એ માત્ર તહેવાર નથી , તે એક એવું સંક...