Showing posts with label Motivation. Show all posts
Showing posts with label Motivation. Show all posts

Sunday, April 21, 2024

આપણા સંસ્કારો અને શિક્ષણ બંને વચ્ચે વિસંગતા જણાય તેનો અર્થ હજુ અપને અશિક્ષિત જ છીએ.(A discrepancy between our culture and education means that we are still uneducated.)

  • અલ્પવિરામ વગરનાં વાક્યો સુંદર અને સચોટ હોય છે તકલીફ તો અલ્પવિરામ પછી ઉત્પન્ન થાય છે.

jayvad


   સ્મરણ સંભારણા યાદ, સ્મૃતિ વગેરે ભૂતકાળને વાગોળવાની અને આત્મબોધ કરવાની ચાવીઓ છે. ભૂતકાળની ઘટના જેટલી જૂની હોય તેટલી આનંદ મય અને દિલને ખુશ કરી દેનાર હોય છે. અતીત કરતા આવનારી ક્ષણ અદભુત જ હોય છે પરતું તેને સમજવાની કે આત્મસાત કરવાની આપણી દ્રષ્ટી ભાગ્યેજ હોય છે. અલ્પવિરામ વગરનાં વાક્યો સુંદર અને સચોટ હોય છે તકલીફ તો અલ્પવિરામ પછી ઉત્પન્ન થાય છે કેમ કે વાસ્તવિકતાનું બીજું પાસું અલ્પવિરામ પછી જ આવતું હોય છે. વર્તમાનની ક્ષણ  સ્થિર બિંદુ જેવી હોય છે તે આપોઆપ નજર સામેથી પસાર થઇ જતી હોય છે અને પછી તે બાષ્પીભવન પામેલ બિંદુને આપણે શોધ્યા કરીએ ત્યાં જ ભૂતકાળને વાગોળવાની શરૂઆત થઇ જાય છે. આપણા ભૂતકાળને આધારે આપણી સાચી ખોટી આદતો, સ્વભાવ, ક્રિયા, આવડતને પારખી શકાય છે. આપણા શબ્દો આપણી આવડતને ઉગાડી કરતા હોય છે.

   હું ઘણી વખત વાત કરું છું કે આપણે મૌન ને બોલવા દઈએ, કોઈ વ્યક્તીને છંછેડ્યા વગર તેની ભીતરમાં રહેલી નીતિને પારખી લઈએ તો આપણે સચોટ માર્ગ પરથી પસાર થઇ શકીએ. કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ કે દલીલો દ્વારા આપણો સમય વેડફવાના બદલે ત્યાંથી પસાર થઇ જવામાં ચતુરાઈ રહેલી છે. આપણે શિક્ષિત લોકોની વચ્ચે ભલે ન મોટા થયા હોઈએ પરંતુ  આપણા સંતાનોનો ઉછેર તો હાઈ ફાઈ સોસાઈટીમાં કરવા ઈચ્છીએ છીએ. તે છતાં અપણા સંતાનો આપણા કરતા વધુ કઠોર અને નિર્બળ સાબિત થતા હોઈ છે. કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કે પાણીનો ગ્લાસ આપવા પણ સંતાનો તૈયાર નથી થતાં. તેમને પોતાની એક આંતરિક દુનિયા જે વર્ચ્યુઅલાઈઝેશનથી ચાલતી હોય છે તેમાં વધુ રસ છે. તે છતાં આપણે સંતાનો વધુ ભણેલા અને કોલીફાઈડ હોવાનો ગર્વ લેવાનું ચુકતા નથી.

   ‘’એક નાની સત્ય ઘટના યાદ આવે છે. મુંબઈમાં એક વાર એક વૃદ્ધ સ્ત્રી લાકડાંનો એક ભારો પોતાની પાસે લઈને ઉભી હતી. ભારો વજનમાં હતો માટે તે ત્યાંથી પસાર થતાં લોકો પાસે મદદ માંગતી હતી કે તે લાકડાંનો ભારો પોતાનાં માથા ઉપર ચઢાવી આપે, પરંતુ કોઈ પણ માણસે તેને ભારો માથા ઉપર ન મૂકી આપ્યો. થોડીવારમાં જ એક સુટબુટ અને ટાઈ પહેરેલ એક સજ્જન ત્યાંથી પસાર થતાં હતાં. તે વૃદ્ધાએ તેમને જોયા પરંતુ તે સજ્જન વ્યક્તિને જોઇને તેમની પાસે મદદ ન માંગી શક્યા. તેમને લાગ્યું આટલો મોટો વ્યક્તિ થોડી મારી મદદ કરશે. જ્યાં એટલા લોકો પસાર થઇ ગયા ત્યાં આ વ્યક્તિ પાસે તો શું અપેક્ષા રાખી શકાય? પેલા સજ્જન વ્યક્તિની નજર વૃદ્ધા સામે પડી અને તેમને લાગ્યું કે આ સ્ત્રી  મારી પાસેથી મદદ માંગે છે, તેથી તેઓ સહેજ અટક્યા અને પૂછ્યું કે માં !  તમે શું ઇચ્છો છો ? આવું આત્મીયતા ભર્યું સંબોધન સંભાળીને તે વૃદ્ધ મહિલાની આંખોમાં આશું આવી ગયાં. તેને કહ્યું કે હું અહીંથી પસાર થતાં બધા લોકોને લાકડાંનો આ ભરો મારા માથે ચડાવવા માટે વિનંતી કરું છું, પરંતુ કોઈ મને મદદ કરતું નથી.

   પેલા સજ્જને તરત જ તે ભારો ઊંચકીને વૃદ્ધ મહિલાના માથે મૂકી દીધો. હવે જરા સમજવા જેવું છે. તે સજ્જન બીજું કોઈ નહિ, પરંતુ મુંબઈ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી ગોવિંદ રાનડેજી હતા. આ ઘટના બતાવે છે કે માણસ ભલે ઊંચા પદ નો હોય કે જગત માત્રની ડીગ્રીઓ તેને પ્રાપ્ત કરી લીધી હોય પરંતુ તે મહાન તેના સદ્ગુણોથી જ બને છે.


આપણા સંસ્કારો અને શિક્ષણ બંને વચ્ચે વિસંગતા જણાય તેનો અર્થ હજુ અપને અશિક્ષિત જ છીએ.   

                                                                                                                                                                                                                                                     જૈમિન જોષી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           


Wednesday, February 28, 2024

સુખના ભોગે શું પ્રાપ્ત કરશો ? (What will you get for happiness?)

  •  જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત...


happy life quotes image


    માણસ કાં તો ભૂતકાળને વાગોળે છે કાં તો ભવિષ્યમાં ચગદોળાય જાય છે. હું પોતે ક્યારેક વિચારું છું કે જીવન જયારે વાન્જીયા સપના જોવે ત્યારે તેના પરિણામોને સંતાન કહી શકાય? તેમ છતાં મારી આંખો વર્તમાનની ક્ષણની કાયમ સાક્ષી રહી છે. જોવું અને જીવવું બંનેમાં ઘણો ફર્ક છે. અઢળક ધન સંપતિ હોવા છતાં સંતાનો અને શાંતિ બંને માટે વલખા મારતા લોકોને મે મારી દ્રષ્ટીએ નિહાળ્યા છે. માણસ કેટલો નિર્દય થઈ શકે કેટલો એહસાન ફરામોસ થઇ શકે તેના જીવંત ચહેરા આજે પણ મારી દ્રષ્ટી સામે ફરતા રહ્યા છે. ઘણાં લોકોને તો અંત સુધી ખબર નથી પડતી કે તે પોતે જેની સાથે ઉઠે બેસે છે તે ક્યારે તેમની પીઢ ઉપર છરીનો ઘા કરી ગયો. માછલા પકડનારની ઝાળ તેટલી તો છિદ્ર ધરાવતી હોય છે કે તેમાંથી પાણી નીકળી જાય અને માછલી પકડાઈ જાય. સાથે બેસનાર મિત્ર જ હોય તે જરૂરી નથી કેટલાક લોકો તેમના અંગત સાર્થ અને ભીતરની વાતો જાણવા માટે મિત્રના નામનું મખોટુ પહેરીને બેઠા હોય છે. પરદેશથી આવેલી પત્ની પતિ પ્રત્યે પ્રમાણિક ન હોય તે પ્રમાણે પોતાના સ્વાર્થથી જોડાયેલ લોકો પોતાના ન હોય.


happy life quotes


   એકલો બેઠો વિચારું છું ત્યારે તે પણ સમજાય છે કે જીવનમાં છેતરાવવું પણ જરૂરી છે. બધું આપણું ધાર્યું થતું હોય તો સમજી જવું કે નક્કી કોઈ આપણું પત્તું કાપવા માટે નીતિ ઘડી રહ્યું છે. નજીકના નામે ટપાલ મોકલાય પરંતુ મનોરથ ના મોકલાય. એક નવા જીવવની અપેક્ષાએ અપણે વર્તમાનને હોમી દઈએ છીએ ત્યારે આપણને કલ્પના પણ નથી હોતી કે જે જઈ રહ્યું છે તે પણ જીવવા જેવું હતું અને જીવવા માટે જ હતું.  પુલ પરથી પસાર થતી વખતે જરા બાજુના પહાડ તરફ નજર કરી શકાય કે નીચેની તરફ વહેતું પાણી જોઈ શકાય. ઉતાવળે પસાર થવા માટે આ મેરેથોન નથી આતો સંધ્યાનું વોકિંગ છે જે વાતો કરતા કરતા, આસપાસ જોતા જોતા, ગીતો ગાતા ગાતા કે કલરવ કરતા કરતા પસાર થવાનું હોય છે. જે વધુ પામવાના ચક્કરમાં દોડે છે તેને પણ સમય સિગ્નલ બની થંભાવી જ દે છે. તેના કરતા શાંતિથી પસાર થઈએ તો જીવન ક્યાય પણ રોક્યા વગર મજીલ સુધી પહોંચાડી દે.

    જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત. અનિશ્ચિતતાને પણ સ્વીકારવી જોઈએ. આ જગતમાં કોઈ સુખી નથી અને કોઈ દુઃખી નથી. આ પળની પાછળ કઈ પળ આવવાની છે તેની પણ ખબર નથી. જે જીવ્યા તે પોતાના નસીબનું હતું કે નહિ તે પણ ખબર નથી. જે મળ્યું છે તે પોતાના પરિશ્રમનું છે કે નહિ તે પણ ખબર નથી.

    આ જગતમાં હોવુ તે જ એક વરદાન છે. ઈશ્વર પાસે અન્ય કયા વરદાનની અપેક્ષા રખાય? આપણે ઈશ્વર સામે હાથ જોડીને બેસી રહીએ છીએ પરંતુ અન્ય સામે હાથ મિલાવતા નથી. માંગવું તે આપણી ફિતરત બની ગઈ છે પછી તે માણસની સામે હોય કે ઈશ્વરની સામે. કલ્પના કરો કે જગતના તમામ સુખો ઈશ્વર તમારી ઝોળીમાં નાખી દે તો તમારામાં તેટલી આવડત, ક્ષમતા કે કુશળતા છે કે તમે તેને ભોગવી કે મેનેજ કરી શકો. સવારે ખીલેલા પુષ્પની નિયતિ સાંજ સુધીમાં કરમાય જવાની હોય છે તે છતાં તે આખો દિવસ સુગંધ ફેલાવતા હોય છે. આપણે આટલી સરળ વાત કેમ સમજી શકતા નથી. શરીર અને સુખના ભોગે કોઈ કામ ન થાય. સમુદ્રનો કાંઠો ગમે તેટલો સુંદર હોય પરતું ત્યાં વ્યક્તિની કિલકારીઓ ન સંભળાય તો તે સમુદ્ર ભયાનક જ લાગે. જીવન પણ તેવું જ છે. હસતા, કુદતા, ખીએલા, કિલકારીઓ કરતા ચહેરે જીવન ના જીવીએ તો તે ઉજ્જડ અને વેરાન જ લાગે. તેવા જીવનનો શું અર્થ જ્યાં પળોનો આનંદ લેતા ન આવડતો હોય?      

                                                                                                                            જૈમિન  જોષી.


Sunday, June 20, 2021

આપણું સુખ કોણ નક્કી કરશે? (Who will determines our happiness?)

  • હજારો સગવડો હોવાં છતાં પાસે કોઈ વ્યક્તિ ન હોય તો તેને શું ગણશો? :- 


આપણું સુખ કોણ નક્કી કરશે? (Who will determines our happiness?)


   મનનો સંતોષ કે મનમાં સંતોષ સુખની વ્યાખ્યાને બદલી દેતો હોય છે. કોઈક ના સુખ અને વૈભવ જોઈને આપણને તે પોતાને પણ મળે તેવી ઝંખના ઉત્પન્ન થઈ જાય એ સમજી શકાય તેવું છે, પરંતુ સ્વયંના સુખની વ્યાખ્યાનું માપદંડ અન્યનાં સુખ ઉપર આધાર હોય તે કેટલું યોગ્ય?  દરેક વ્યક્તિની એક આગવી ઇચ્છાઓ, ઝંખના કે મર્યાદા હોય છે. કોઈકની સંપત્તિ આપણને આપણી લાગવા લાગે ત્યારે તે ભિખારવૃત્તિ જ કહેવાય. શ્રીમંતતા ક્યારેય ધન આધારિત નથી હોતી. આપણે તેને અલગ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તે આપણી ભૂલ છે. કોઈ વ્યક્તિ તમારા સાથે જોડાયેલ હોય તો તે તમારી પાસેથી કશું જ પ્રાપ્ત ન કરે તે અશક્ય છે. નિસ્વાર્થ સબંધ તે માત્ર દેખાડો છે. અલબત્ત તેને આપણે સ્વીકારી શકતા નથી. આ વાક્યો જાહેર કરવા માટે નથી હોતા પરંતુ ધ્યાને રાખવાં માટે તો હોય જ છે. આપણે જાણે અજાણે પણ કોઈકને ઘણું બધું આપી દેતા હોઈએ છીએ અથવા કોઈક પાસેથી પ્રાપ્ત કરી લેતાં હોઈએ છીએ... પછી તે શાબ્દિક, શારીરિક, માનસિક કે સગવડ સ્વરૂપે કેમ ન હોય. 

   કોઈકને સગવડમાં સુખ દેખાય તો કોઈકને સહવાસમાં. પરિવાર, મિત્રવર્તુળ, પ્રાણી કે પશુપાલન, કલા પ્રદર્શન, સેવા, સદભાવ, આધ્યાત્મ, ત્યાગ, સમર્પણ વગેરેમાં સુખ દેખાય. પ્રત્યેકને સુખ અનુભવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. સુખ આપવાનું કે ભોગવવાનું કોઈ ચોક્કસ માળખું નથી હોતું. સુખ દેખવા માટે શુભ દેખવું જરૂરી હોય છે.  કુદ્રષ્ટિથી માનવ માત્ર નકારાત્મકતાને અનુભવી શકે છે. કામ કરવું એ કળા છે. કેટલાક કામ આયોજન બંધ થતાં હોય છે તો કેટલાક માત્ર કરવા પૂરતાં કરવામાં આવે છે. પૈસાથી ન તો પેટ ભરાય છે ન તો મન. જેનો ઉલ્લેખ જ ચલણ છે તેને ચલ તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. તમને પ્રેમ કરવા સાથી જોઈએ, ઉછેર કરવા સંતાન જોઈએ, સેવા કરવા માતાપિતા કે ઈશ્વર જોઈએ, ગુસ્સો કે નફરત કરવા શત્રુ જોઇએ, આપણને વસ્તુ કરતાં વધુ વ્યક્તિ જોઈએ તેમ છતાં આપણે મને કોઇની જરૂર નથી તેવું કહેતાં ખચકાતાં નથી. માનવ કોઈની સહાય લીધાં વગર આગળ વધી શક્યો જ નથી કે શકવાનો નથી. કોઈનું અહેસાન નથી જોઈતું, કોઈ સાથે મારે લેવાદેવા નથી,  હું મારું કામ જાતે કરવા સક્ષમ છું તેવું બોલનાર વ્યક્તિ માત્ર આભા બની બુદ્ધિ પ્રદર્શન કરતાં હોય છે. જગતમાં ભૌતિકરીતે દરેક વસ્તુ એક બીજા સાથે જોડાયેલ છે. કશું જ સ્વતંત્ર નથી. '' મન'' સિવાય(આધ્યાત્મિક દૃષ્ટિએ બંધન અને સ્વતંત્રતા બંનેની વ્યાખ્યા અલગ થાય છે, પધ્ધતિ, ધારણા કે કર્તવ્ય બધું અલગ છે માટે તેને આમાંથી બાકાત ગણવું). દરેક ઘટના પાછળ અનેક કારણ હોય છે, જે આપણી વિચારધારાનાં ક્ષેત્રફળથી બહાર હોય છે. 

happiness


  
   સુખનો આધાર નાતો એકાંત ઉપર છે ન તો એકલતા ઉપર. તમે છો તો અન્ય પણ છે પૃથ્વી પર દરેકનું એક આગવું અસ્તિત્વ છે. દરેક વ્યક્તિ પોતાના કર્મના બંધનમાં ક્રિયાને અનુસરે છે. જાણે અજાણે પોતાની હાજરી દાખવતું હોય છે. કેટલાકની હાજરી ખુચે તેવું વ્યક્તિત્વ પણ હોય છે, છતાં જે છે તે છે. સારું- નરસું તે પરિસ્થિતી નક્કી કરશે. 

   એક કુંભાર પાસે બે ગધેડા હતાં. એક ખડતલ અને સ્ફૂર્તિલો તો બીજો શુષ્ક અને ઉંમરલાયક. ખડતલ ગધેડો ખૂબ ધમાલિ. એક જગ્યાએ બેસે નહીં એટલે તે ભાગી ન જાય તે માટે કુંભારે બંને ગધેડાનાં પાછળનાં પગ એક બીજા સાથે બાંધી દીધા. બંને એક બીજાથી વિપરીત સ્વભાવ ધરાવતાં એટલે એક બીજાથી વિરુદ્ધ ભાગે. એક આમ ખેંચે તો બીજો આમ. પરિણામે બંને થાક્યા અને એકજ જગ્યાએ બેસી રહ્યાં. ભૂખ અને તૃષા કરતાં વધુ તે એક બીજા સાથે બંધનમાં છે તે વાતે વધું દુઃખી હતાં. આપણે પણ જાણે અજાણે આ જ માનસિકતા ધરાવીએ છીએ. એક બીજા સાથે સાથે ઘર્ષણ કરવામાં એટલા બધાં વસ્ત થઈ જઈએ છીએ કે આપણે મૂળ રસ્તા પરથી ભટકી જઈએ છીએ. પરિણામે દુઃખ, પીડા, નફરત અને અસફળતા સિવાય હાથમાં કશું નથી આવતું. ખોટી જગ્યાએ બળ અને બુદ્ધિને લગાવીએ તેનાં કરતાં સાચી દિશામાં લાગવીએ તો સફર વધુ રોમાંચિત લાગે.

   સાપના ડંખ કરતાં મધમાખીનો ડંખ લાખ ઘણો સારો. કેટલાક આંચકા આપણાં ભાગે નથી આવતા તે જ કુદરતની મહેરબાની છે તેવું માની લેવું. જ્યાં અહમ્ છે ત્યાં દુઃખ છે. જ્યાં ઈર્ષા છે ત્યાં બળાપા છે. જ્યાં ગુસ્સો છે ત્યાં ઘર્ષણ છે. જ્યાં સમજણ છે ત્યાં સગપણ છે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે શું કરવું... પૈસો કશું જ ન હોવા છતાં ઘણું બધું છે. નકામી વાતોમાં નાણાકિય નુકસાન વધુ થતું છે. સંઘર્ષની પણ એક દિશા હોવી જોઈએ. વ્યર્થ સંઘર્ષ માણસને પરિઘમાં જ પ્રવાસ કરાવતો હોય છે. 

   પશ્ચિમનાં દેશોનું અનુકરણ કરતા પહેલાં વ્યક્તિએ પોતે શું છે તે જાણી લેવું જોઈએ. અન્યના ગુણને પણ ગળણામાં ગાળવા જોઈએ. સીધું અનુકરણ રસ્તા ભટકાવી દેતું હોય છે. નરી કોપી કરીએ તેમાં કેટલી સમજદારી? પશ્ચિમમાં લોકો માણસ તો ઠીક વસ્તુ સાથે પણ વિવેકપૂર્વક અને આદરપૂર્વક વર્તે છે. કામ આનંદ આપતું હોય ત્યાં સુધી સારું પણ વૈતરું કર્યું હોય તેવું લાગે તો જીવનમાંથી રસ ઉડી જાય છે. 

   ઘરમાં એક ટેબલ પર નાનકડું ફ્લાવરવાઝ હોય તો પુરતું છે. તેના માટે આખો બગીચો ઘરમાં ન ઉભો કરાય. જ્યાંનું સ્થાન જ્યાં શોભે. માણસને ખ્યાલ નથી હોતો પરંતુ તેને પોતાનાં અહમ અને અણસમજનાં કારણે ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે. ધૃણાથી ધરાઈ ગયેલા માણસ નફરત જ ઓકે છે. સુખ સંયોજનમાં છે, સમજણમાં છે. પછી સુખ નિર્માણ કરવું એ સ્વયં પર આધાર રાખે છે.  સુખ શું છે તે સવાલ અન્યને ક્યારેય ન પુછવો. પોતાની ઇચ્છા અને મર્યાદા આપણે જાતે નક્કી કરવાનું હોય છે. ક્યારેક મન અશાંત હોય કે ઉત્તર ન જડતો હોય ત્યારે કોઈ પાસે શાબ્દિક સહારો લઈએ તેમાએ ખોટું નથી પરંતુ જ્યાં વાત પોતાનાં વિકાસની હોય ત્યાં આખું ક્રિયામંડલ સ્વરચિત હોવું જોઈએ. 

                                                                                                                                        જૈમીન જોષી.

Wednesday, December 23, 2020

શું તમે ઈશ્વર ને સમર્પિત થયા છો? (Are you devoted to God?)

 

  • આપવું હોય તો તેવું મન આપજે પ્રભુ, કે તને હું સમર્પિત રહું...!!

Prey to God image



   અમુક લોકો એવા છે કે જેઓ સંપૂર્ણપણે ઈશ્વરને આધીન છેતેઓ ઈશ્વરના ઉપાસકો ખરા પરંતુ તેથી વધુ તે ઉપભોગીઓ છે. ઈશ્વર મહાન છે તેવું વિચારી પોતાના તમામ દુઃખોપીડાતકલીફોને ઈશ્વરના માથે ઢોળી દે છે. હે... ઈશ્વર હવે તું  મારુ ગાડું ધપાવી શકે તેમ છે... હે ઈશ્વર હવે તારા વિના મારૂ કોઈ નથી.. હે ભગવાન મને આ તકલીફ માંથી મુક્ત કર, મને બચાવી લે...હે  નાથ હું ગૂંચવાયો છુ મને માર્ગ બતાવ.. હે પ્રભુ તુજ મારો તારણ હાર છે તેવું કહી હરિભક્તો સીધા ભગવાનની શરણમાં પડતું મૂકે છે. હરિ જાલે તો કોને જાલે તેને તો એક નથી અનેક છે. ખરેખર માણસ એટલો નબળો છે કે તે પોતાના કાર્યના પરિણામને પણ સહજ સ્વીકાર કરી શકતો નથી એટલે કાતો તે ભગવાન પાસે ચમત્કારની અપેક્ષા રાખે છે અથવા હાથ ઊંચા કરી લે છેખરેખર તો તેઓ પોતાની જવાબદારીઓથી ભાગતા હોય છે. જો ઈશ્વરને જ બધું કરવું હોય તો તમારી જરૂરત શું હોયમાનવ નિર્માણનું મહત્વ શુતેની પાછળનો કઈક તો હેતુ હશે ને...?

   મેં ઘણી જગ્યાએ લોકોને ઈશ્વરની પ્રતિમા સામે જઈને હાથ જોડતાભીખ માગતાં અને રડતાંમાનતા રાખતાંધમકીઓ અને લાલચ આપતા જોયા છે. કોઈ સારા ભવિષ્ય માટે તો કોઈ પૈસા માટે, કોઈ પ્રેમ માટે તો કોઈ સારા જીવન માટેજીવન સાથી માટે તો કોઈ સંતાન માટે. કેટલાક વ્યક્તિઓ તો એટલા બધા દુખી અને નાખુશ હોય છે કે ઈશ્વર પાસે મૃત્યુની પણ માંગણી કરે છે. બસ માંગ માંગ માંગ પરંતુ ઈશ્વરે જેને આ બધુ આપ્યું છે તે શું ઈશ્વર પાસે કઈ માંગતા નથી?  જો ઈશ્વર તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીદે તો શું તમે સંતુષ્ટ થઈ જશો?  જવાબ હસે ના... માણસ ક્યારેય ભરાતો નથી છતાં ઉભરાય છે.  

    માણસ પોતાના જીવનકાળ દરમિયાન સારા નરસા અનુભવોને  કારણે એક ચોક્કસ પ્રકારની મનોવૃત્તિ ધરાવતો હોય છે અને તેજ મનોવૃત્તિને વૈચારિક અને સંસ્કારિત રીતે વારસાગત આપતો હોય છે પરિણામે લોકો પોતાના સ્વઅનુભવથી શીખી શકતા નથી અને જે શીખે છે તે સત્ય અને અસત્યના માળખામાં મૂંઝવાય જાય છે. સત્કર્મ અને દુષ્કર્મની સાચી પરખમાં ગૂંચવાયા કરે છે કેમ કે તે સમય સાથે તાલમેલ દાખવી શકતા નથી. સત્કર્મની પરિભાષા શું? સાદી ભાષામાં સમજીએ...(માનવ લઘુ દ્રષ્ટિએ) જે કાર્ય જાહેરમાં થઈ શકે અને તે કામ માટે તમારી પ્રસંશા થાય તે સત્કર્મ અને જે કામ તમારે સંતાઈને કરવું પડે તે દુષ્કર્મ. કોઈના ફાયદાનું કામ કરો તો સત્કર્મ કોઈનું નુકશાન કરો તો દુષ્કર્મ... કોઈના માટે બધુ ન્યોછાવર કરી દો તે સત્કર્મ અને જો પોતાના માટે અંગત રીતે કઈક કરો તો સ્વાર્થી અને દુષ્કર્મી. મજાની વાત એ છે કે આ તમામ કર્મોની વ્યાખ્યાના બીબામાં સામે વાળા વ્યક્તિનો જ ફાયદો થવો જોઈએ પોતે દુખી થઈએ તો ચાલે પરંતુ સામે વાળો પ્રસન્ન થવો જોઈએ. તો પ્રભુ ખુશ થાય અને તમારા પર કૃપાનો વરસાદ કરે તેવું મગજમાં ઠાંસી દેવામાં આવે પરંતુ આ જે કર્મની ગુણવત્તાનું પૃક્કરણ ઈશ્વર કરતાં હોય તો લેખે પણ લાગે પણ આતો અન્ય વ્યક્તિઓ, સમાજ કે ચોક્કસ વર્ગનાં દ્રષ્ટિકોણને આધારે જ નક્કી થાય છે. જેમ અલગ અલગ રાજ્યના કાયદા અને તે પ્રમાણે સજા તેમજ અલગ અલગ પ્રદેશના સત્કર્મ અને દુષ્કર્મના નિયમો અલગ અલગ અને જો તેમના કારણો પૂછીએ તો શાસ્ત્ર નો  સહારો લઈ લેવામાં આવે છે. હવે આજના જમાનામાં લોકો પોતાના કબાટમાં પડેલા પુસ્તકો નથી જોતાં તે શાસ્ત્રોને ક્યાંથી વાચવાના અને   વાંચન કરે  તો પણ તેનું સાચું અર્થઘટન ક્યાંથી  કરવાનાં.? તેના કારણે વ્યક્તિ સમાજના ડરથી સંતાઈને કાર્ય કરશે. હવે વ્યક્તિ જે કામ સંતાઈને કરતો હોય તે તેના મનમાં દ્વેષ ઉત્પન કરતો હોય અને ઉત્પન થયેલ અપરાધ ભાવને કારણે તે પોતાને એટલો પાપી ગણી બેસતો હોય છે કે વૃદ્ધાવસ્થા આવતાં સુધીમાંતો તે ઈશ્વરના સામે ઊંચા હાથ કરી કરીને તેનું જતન કરતો હોય છે જાણે ઈશ્વર તેને સુદામા કે મીરાં સમજી આલિંગન આપવા આતુર હોય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ જાહેરમાં કરે છે. તમે આવા લોકોને ભજન કીર્તન કે કથામાં ઊંચા હાથ કરી કુદતા જોયા હશે. નૃત્ય તો નટરાજ ને પણ વહાલું છે તો આપણે તો માનવ છે પરંતુ જ્યારે તેને ખોટી રીતે અંગત સ્વાર્થ અને પીડા માટે પ્રદર્શિત કરવું પડે ત્યારે તે ખોટું કહેવાય. આખા જીવનમાં ઈશ્વરને હાથ ન જોડનાર ને અચાનક અંતઃસ્ફુરણા થાય અને અધ્યાત્મિક જીવન અને શાંતિની વાતો કરે. યુવાનીમાં લેર અને અંત સમયે પ્રભુની મેર...?       

   ભગવાન દ્વેષી નથી. તેને સુખવૈભવસુંદર વસ્ત્રાલંકારશૃંગાર અને ઉત્તમ સ્વાદ તથા સુશોભનો નો ક્યારેય મોહ નથી.તે તમામ આસક્તિઓથી પર છે. તેમણે નાસ્તિક અને આસ્તિક બધા જ ઉપર સ્નેહવશ થઈ આશીર્વાદ આપ્યા છે. શાસ્ત્રોમાં તો ઉલ્લેખ પણ છે કે ઈશ્વરના હાથે મરણ પામેલા અસુરો તથા તેમના શરણમાં આવેલા પાપી ઉપભોગીઓને પણ તેમને તત્કાળ મોક્ષ આપેલ છે.

   ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો. આપણને કુશળતાપૂર્વક સમૃદ્ધિ આપીદુઃખ સહન કરવાની શક્તિ આપી અને સુખ ભોગવવાની પ્રવિધિઓ આપી. આ બધા વચ્ચે તેમણે આપણને શ્રદ્ધા આપી કે ક્યાંય તને અગવડ પડે તો હું તારી સાથે ઉભો રહીશ તેવો વિશ્વાસ આપ્યો છતાં આપણને સંતોષ નથી. તમે ક્યારેય અસત્ય બોલ્યા છો? તમે ક્યારે ઈશ્વર પાસે જઈને પાપ કર્મોનો હિસાબ માગ્યો છે કે તમને પણ માત્ર પુણ્યનો હિસાબ કરતા જ આવડે છે. ઈશ્વર પાસે હમેશાં આભાર માનો કે તેમણે તમને તે તમામ નબળી પરિસ્થિઓમાંથી બચાવ્યા છે જે તમારા ભાગે નથી આવી અને જે આવી છે તેમાં તેને હમેશાં સહાય કરી છે. પરિશ્રમ વગરનું તો પુણ્ય એ નકામું. ઈશ્વર પાસે માંગવુ હોય તો માંગો કે ઈશ્વર એવું જીવન આપજે અને તેવું વિશાળ મન આપજે જે તને સમર્પિત રહે.

                                                                                                                                 જૈમીન જોષી.

Thursday, November 19, 2020

પુરુષાર્થ વિહીન ધન (Wealth without manhood)



bramhin story image
                                                                                                                                    pic by google.com



   એક નાનકડું ગામ હતું. તે ગામની પ્રજા રાજાના સાનિધ્યમાં સુખ અને શાંતિથી પોતાનું જીવન જીવતા હતા. તે ગામમાં ભોળારામ કરીને એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આખા ગામના લોકો સેવાભાવી હતા એટલે બ્રાહ્મણને દક્ષિણા સ્વરૂપે વખતોવખત જીવન જરૂરિયાત વસ્તુ મળી રહેતી હતી. તે બ્રાહ્મણની પડોશમાં મૂળચંદ નામે તેનો મિત્ર રહેતો હતો. પડોશી ધર્મ અને ઉપરથી મિત્રતાના કારણે બંને વ્યક્તિ વચ્ચે એક બીજાનાં સુખ દુઃખનો વાટકી વ્યવહાર રહેતો હતો. ભોળારામને એક દીકરી અને એક દીકરો હતો. દીકરી મોટી હતી. વખતની સાથે બંને બાળકો મોટા થયા અને દીકરીને લગ્ન કરવાની ઉંમર થઈ અને  સદનસીબે દીકરીને યોગ્ય મુરતિયો પણ મળી ગયો પરંતુ બ્રાહ્મણ પાસે તો બીજા અઠવાડિયાની જમવાની ગોઠવણ પણ ના હોય ત્યાં પ્રસંગ કાઢવાં જેટલી મૂડી તો ક્યાંથી હોય..?

  તે સાંજે ભોળારામ ગહન વિચારોમાં રસ્તાની એક કોરે બેઠો હતો ત્યાં તેનો મિત્ર મૂળચંદ આવ્યો. મિત્રને દુવિધામાં જોઈ તેને પૂછ્યું. 
 'કેમ ભોળા..?' શું થયું...? કેમ આમ રસ્તાની કોરે બેઠો છે..? કઈ તકલીફ છે... મિત્ર નો અવાજ સાંભળી તેને એક નજર  મૂળચંદ ઉપર ફેંકી અને પછી એક ઊંડો શ્વાસ છોડ્યો અને  મિત્રને પોતાની મૂંઝવણ વિશે પેટછૂટી વાત કરી. મૂળચંદએ ભોળારામ ની વાત સાંભળીને કહ્યું, દોસ્ત મારી પાસે એક રસ્તો છે. ગામથી લગભગ 4 માઇલ દૂર એક આશ્રમ છે ત્યાં એક સાધુ કહો કે ફકીર.. પણ કોઈ વ્યક્તિ રહે છે. સાંભળ્યું છે કે તેઓ લોકોની મદદ કરે છે. તું ત્યાં એક આંટો તો મારી આવ શું ખબર કદાચ ત્યાંથી કોઈ રસ્તો જડી જાય. 

   આ સાંભળી  ભોળા રામ ઉભો થયો. તેની આંખોમાં આશાનું એક કિરણ ઉતરી આવ્યું અને તે તરત તે ફકીર બાબાના આશ્રમે પહોંચી ગયો. આશ્રમના બહાર એક વૃક્ષ નીચે એક ફકીર શાંતિથી બેઠા હતા. ચાર પાંચ લોકો પણ તેમની તક્લીફની ચર્ચા તેમની પાસે કરતા હતા. ભોળારામ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. બધાના ગયા પછી તે ધીમે ડગલે ફકીર પાસે આવ્યા અને પોતાની મૂંઝવણ વિશે વાત કરી રડવા લાગ્યો. ભોળારામને જોઈ ફકીરને તેની દયા આવી અને તેને આંખો બંધ કરી. થોડીવાર પછી ફકીરે આખો ખોલી અને કહ્યું. અહીંથી બે માઈલ સીધા રસ્તે જા ત્યાંથી જમણી બાજુ વળી ત્યાં ખેતરોની પાસે એક ગામતળની જમીન છે, ત્યાં આંબાનું વૃક્ષ છે. આંબાના વૃક્ષની પૂર્વમાં બે ડગલે ખાડો ખોદ જે. તને તારી તકલીફોનુ સમાધાન ત્યાં મળશે અને હા આ વાત વિશે કોઈને જાણ કરીશ નહીં. 

   ભોળારામ ઉભો થયો ફકીરને પ્રણામ કરી તેના કહેવા પ્રમાણે તે દિશામાં ચાલવા લાગ્યો. આંબા પાસે પહોંચી તેને ફકીરે કહ્યું તે પ્રમાણે પૂર્વમાં બે ડગલે ખાડો ખોદી નાખ્યો. ખાડામાંથી એક નાનો ધન ભરેલો માટીનો ઘડો નીકળ્યો. આ જોઈ ભોળારામની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશ થઈ પોતાના ઘરે ગયો પત્ની ને વાત કરી અને દીકરીના લગ્ન માટે તૈયારી કરવા લાગ્યો. 

   મૂળચંદએ દીકરીની લગ્નની તૈયારી થતી જોઈ એટલે તેને ભોળારામને બોલાવી અને આટલા પૈસા ક્યાંથી આવ્યા તેમ પૂછ્યું. ભોળારામએ કહ્યું.. દોસ્ત તે કહ્યું તે પ્રમાણે હું ફકીર બાબા ને ત્યાં ગયો હતો અને તેમને મને જગ્યા બતાવી તે જગ્યા પરથી મને ધન મળ્યું. ફકીર બાબા અને તારો બંનેનો હું આભારી છું પણ તું આ વાત કોઈને કહીશ નહિ. આટલું કહી ભોળારામ આભારનેત્રે મૂળચંદને ભેટી પડ્યો. 

   મૂળચંદને આ વાત જાણીને ખુશી થઈ અને તેને પણ મિત્રને આલિંગન આપ્યું. તે સાંજે મૂળચંદ એ તેના અન્ય એક વ્યક્તિને વાતવાતમાં ભોલારામ સાથે બનેલ ઘટના વિશે વાત કરી. મૂળચંદના મિત્ર હરિપ્રસાદ ખેડૂત હતો  અને તેની જમીન  પેલા આંબાની બાજુમાં જ હતી  એટલે તે આંબા વૃક્ષ પાસે પહોંચી ગયો અને ત્યાનું પૃથક્કરણ કરી થોડા ખોટા સભૂત એકઠા કરી અને બે દિવસ પછી ભોળારામ પાસે આવી તેના ઉપર ચોરીનો આરોપ લગાવ્યો. ભોલારામ સાવ ડઘાઈ ગયો તેને થયું ફકીર બાબા એતો મને આવી કોઈ જાણકારી આપી ન હતી અને જમીન તો ગામતળની હતી તો ત્યાં દાટેલું ધન હરીપ્રસાદનું કઈ રીતે હોઈ શકે. ભોળારામે સામે વિરોધ કર્યો પરંતુ હરિપ્રસાદએ જરા પણ ઢીલ ન મૂકી અને મોટા મોટા અવાજે ઝઘડવા લાગ્યાં. લોકો ભેગા થવા લાગ્યા અને આખીય ઘટના રાજાના દરબારના સમક્ષ હાજર કરવામાં આવી.

   રાજાએ ભોળારામની આખી વાત સાંભળી પછી તેમને તે ધનનો ભરેલો ઘડો જોયો પછી મનોમંથન કરી તેને ફકીર બાબા, મૂળચંદ અને હરિપ્રસાદને બોલાવ્યાં. તેમને ફકીર બાબા ને પૂછ્યું કે તમને આ ધન વિશે ક્યાંથી ખબર પડી તો તેમને કહ્યું મને ભોળારામ ની પરિસ્થિતી પર દયા આવી એટલે મે ભગવાન નું ધ્યાન ધાર્યું અને મને ધ્યાન દરમિયાન ઈશ્વરે માર્ગ બતાવ્યો અને આ ગરીબ બ્રાહ્મણની વ્યથા જોઈ ઈશ્વરે તેમના ઉપર કૃપા કરી. 

   રાજાએ ધન સમક્ષ એક નજર કરી અને પછી સિપાહીઓને ઈશારો કર્યો... થોડી વારમાં સિપાહીઓ પાછા આવ્યા અને રાજાના કાનમાં ધીમેથી કઈ કહેવા લાગ્યાં.

   રાજાએ ફકીર સામે જોયું અને પછી બોલ્યા સિપાઈઓ મૂળચંદને એક મહિના કારાવાસમાં રાખવામાં આવે. હરિપ્રસાદને છ મહિનાની કેદ અને પચાસ કોડા મારવામાં આવે. ફકીર બાબાને 100 કોડા અને બે વર્ષનો કારાવાસ કરવામાં આવે. આવો ન્યાય જોઈ  દરબારીઓ ઉભા થઈ ગયા. કોઈને કાંઈ સમજમાં આવતું ન હતું બધા એકબીજાને સમક્ષ જોવા લાગ્યા. 
 
   આ જોઈ હરિપ્રસાદ બોલ્યા રાજા આમા મારો શું વાંક..? ધન તો ભોળારામે ચોર્યું. ફકીર બોલ્યા મેતો આ બ્રાહ્મણની સહાયતા કરી છે માટે હું દંડનો અધિકારી ક્યાંથી થયો? મૂળચંદ તો સીધો રાજાના પગે જ પડ્યો. રાજા હું તો મિત્રોને સહાય કરતો હતો. મેતો  ધન ઉપર નજર સુદ્ધાંએ નથી કરી અને મિત્રના કોઈ કાર્યમાં હસ્તક્ષેપ પણ કર્યો નથી તો હું કયા આધારે દંડને પાત્ર ગણાવું?

   રાજા આ સાંભળી હસવા લાગ્યા અને કહ્યુ કે ફકીર તને કોઈ ઈશ્વરનો સાક્ષાત્કાર થયો નથી. તે ભલે ભોળારામની સહાયતા કરવા માટે માર્ગ બતાવ્યો પરંતુ આ ધન ચોરીનું છે જે તે આજથી બે વર્ષ પહેલાં ચોરાવ્યૂ હતું અને તેના પુરાવા મારી પાસે છે.તે અત્યારે ભલે ફકીર ધર્મ અપનાવ્યો હોય પરંતુ તેનાથી તારા જૂના કર્મો નાશ થતાં નથી. હરિપ્રસાદ તે પર ધન જોઈને  લોભને વશ થઈ, તે આ ધન ઉપર ખોટો અધિકાર જમાવવાનો પ્રયત્ન કર્યો માટે તુ દોષિત છે. આ જોઈ મૂળચંદ રાજા સામે નિર્દોષભાવે જોઈ રહ્યો ત્યારે રાજાએ કહ્યું હે મુલચંદ.. તે પાડોશી અને મિત્ર ધર્મનો અનાદર કર્યો છે. તે ભોળા રામ ને ખોટો માર્ગ બતાવ્યો અને તેને તારા ઉપર મુકેલ વિશ્વાસ ને પણ તોડ્યો માટે તું વિશ્વાસઘાતી છે માટે તું દંડ ને યોગ્ય છે. 
 
   આ સાંભળી દરબારીઓ રાજાનો જયનાદ બોલાવવાં લાગ્યાં. રાજાની જય જયકાર કરવા લાગ્યા ત્યારે રાજાએ ભોળારામ સામે જોયું અને કહ્યું  ભોળારામ તે પારકા ધન ઉપર છૂપી રીતે અધિકાર જમાવ્યો અને અંધશ્રદ્ધાને વસ થઈ ચોરીના ધનને છુપાવવાનો ગુનો કર્યો છે માટે આ ધન તારી પાસેથી લેવામાં આવે છે અને તને સાત દિવસની કારાવાસની સજા કરવામાં આવે છે. વાત રહી તારી દીકરીના લગ્નની તો તે આ રાજ્યની દીકરી છે અને તે પ્રમાણે હું પણ તેના પિતાતુલ્ય છું માટે તારા દીકરીના લગ્ન હું કરાવીશ. રાજાનો ફરી એક વાર જય જય કાર  થવા લાગ્યું. 

   આ કહાની આમતો સાવ નાની છે પરંતુ આપના જીવનને બોધ આપનારી છે. આ કહાની આપણને ત્રણ વાત શીખવે છે એક કે ક્યારેય પારકા ધન ઉપર નજર ના કરવી અને લોભ ના કરવો ,બીજું  માણસ એ વર્તમાન સમયમાં ગમે તેટલા પુણ્ય કર્યા હોય પરંતુ ભૂતકાળમાં કરેલ ખરાબ કર્મ તેનો પીછો છોડતા નથી.. કર્મના સિદ્ધાંતમાં ક્યારેય બાદબાકી થતી નથી સમય સમયે સારા નરશા કર્મોના ફળ માનવએ ભોગવવવા જ પડે છે અને ત્રીજું કે ક્યારેય સ્વજન સાથે વિશ્વાસઘાત ના કરવો. કોઈ પણ સંબંધ વિશ્વાસ નામના પૈડાં ઉપર સવાર હોય છે એમાં જરા પણ તિરાડ માનવતાને ઊથલાવી નાખે છે. આપણાં ઉપર કોઈ દ્વારા કરેલ ભરોસો એ માનવતાએ આપણને સાચવવા આપેલ જવાદારી છે. 

                                                                                                                                 જૈમીન જોષી. 

Thursday, November 12, 2020

માનવ જીવન અને મૂલ્યો (Human life and values)


  • મૂલ્ય એટલે આપણી  ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - 


Human life and values image


   માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે. માનવમૂલ્ય તો છે જ પરંતુ માનવ જીવનમાં ઘટિત ઘટનાઓમાં મૂલ્યનો ફાળો મોટો છે. માનવીય મૂલ્યો અને જીવનના મૂલ્યો નો પાયો શૈક્ષણિક મૂલ્યો પર આધારિત છે. શિક્ષણની મહત્વની ફિલસૂફીઓમાં જ્ઞાન તરીકે  પ્રસ્થાપિત માત્ર માહિતી અને ઉપભોગી તરીકે વસ્તુનું જ્ઞાન મેળવી શકાય. માહિતીનું વિતરણ શાબ્દિક છે, અનુભવી જ્ઞાનને  શબ્દોના સ્વરૂપમાં પ્રગટ કરીએ ત્યારે શ્રોતાને શીખ કે પ્રેરણા મળે છે પરંતુ તે અનુભવીત વ્યક્તિ એ ભોગવેલ પીડા, એકાંત, નફરત, ધૃણા અને શીખ તથા ઉત્પન્ન થયેલ લાગણીઓ શ્રોતા અનુભવી શકતો નથી. પીડાને ક્યારે શાબ્દિક રૂપમાં ઢાળી  ન શકાય. તે અનુભવવાતી જ હોય. હા... ચોક્કસ  પીડા ઉપર ચર્ચા થઈ શકે, તેનું અલગ અલગ વિભાવનાઓમાં પ્રદર્શન કરી શકાય. અનુભવને શિક્ષણના કેન્દ્ર સ્થાને મૂકી શકાય. મૂલ્યહીન જીવન અને મૂલ્યહીન શિક્ષણ મૃત શરીર સમાન છે. પૃથ્વી ઉપરથી સૂર્યને દૂર કરી દેવામાં આવે તો પૃથ્વીનું શું થાય તે જ પ્રમાણે જીવનમાંથી શૈક્ષણિક મૂલ્યોને ખસેડી દેવામાં આવે તો પરોક્ષ રીતે તેની અધોગતિ જ કહેવાય.
  
   મૂલ્યોના સ્વરુપ અને પ્રકાર વિશે શિક્ષણવિદ્ શાબ્દિક કે અક્ષરીય છણાવટ થઈ જ છે. શૈક્ષણિક ઉદ્દેશોની પ્રસ્તાવનામાં શૈક્ષણિક મૂલ્યોની અભિવ્યક્તિ છે. શિક્ષણ દ્વારા જ્ઞાનનું વિતરણ થાય છે. વયસ્ક  વ્યક્તિ પાસે અનુભવ છે... મૂલ્યસહ કે મૂલ્યવિહીન માટે તેમની પાસેથી લીધેલી જ્ઞાનની છણાવટ કરવી જરૂરી છે અને તે છણાવટ માટે બૌદ્ધિક મૂલ્યોની આવશ્યકતા છે. સમજણ હોવી, સમજવું, સમજાવી લેવું, સમજાવી દેવું, સમજવું કે સમજી જવું આ છોએ શબ્દોની વ્યાખ્યા કરવા જઈએ તો જીવનનો અડધો બોધ પ્રાપ્ત થઈ જાય. મૂલ્યોનો વિચાર કરતાં મૂલ્ય આંકવું અને અન્ય ને મૂલવવું બંને શબ્દો ના અર્થ ઘટનો અલગ છે. વૈયક્તિક આકાંક્ષા એ મૂલ્યનું સ્વતંત્ર પાસું છે અને તે આવશ્યક પણ છે. કેટલાક મુદ્દાઓને અવગણી નાખવું તે મૂર્ખામી છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વાસ્તવિક અર્થ જુદા જુદા હોય તેનું કારણ શૈક્ષણિક મૂલ્યોનો કેળવાવું તેઓ થતો હોય છે. મનમાં ઉઠતી ઈચ્છાઓને મૂલ્યવિહીન રથમાં સવાર કરીએ તો તેનો પ્રવાસ ટૂંકો જ હોય. 

   મૂલ્યોમાં સ્વીકૃતિ છે. મૂલ્ય જીવનના હેતુઓની છણાવટ કરતાં શીખવે છે. આચાર, વિચાર, મૂલ્યાંકન,  શિક્ષણ, જ્ઞાન, સામાજિકતા, સ્વીકારતાં, મૂલ્યનિષ્ઠતા, અર્થ, અનર્થ, રુચિ, ઈચ્છાઓ, અનૈચ્છાઓ, એકસૂત્રતા, એકશબ્દતા, નિંદા, સુંદરતા, વર્તન, વાણી, વલણ, અભિમાન, હેતુ, વિચારભેદ, મનભેદ, મતભેદ, અનુભવ, અમલીકરણ, અલગીકરણ, એકવાક્યતા, પ્રત્યક્ષીકરણ, પૃથક્કરણ, પ્રવિધિઓ, પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ, સમયબદ્ધતા, સિદ્ધાંત, નિયમ, માપદંડ, ચર્ચા, પરીક્ષણ, પ્રભાવ, મૂલ્યાંકન, આંકલન, માન્યતા, ગેરમાન્યતા, પારંગતતા વગેરે મૂલ્યને આધિન છે. માનવજીવનના સ્વયંના  મત, જ્ઞાન કે સમજણ ન હોય તો તે કોઈ પણ ઘટના, શીખ, અનુભવ કે શાબ્દિક જ્ઞાનનો અર્થઘટન કરી શકતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોતોના માધ્યમો અલગ અલગ હશે પરંતુ તેને સમજવા વ્યક્તિના સ્વયંમના અર્થો સાથે સાથે મૂલ્યો પણ જરૂરી છે. વ્યક્તિ જ્યારે મનોવલણને વ્યાવહારિક જ્ઞાન સાથે જોડાણ કરે તો શૈક્ષણિક મૂલ્યોની પવિત્રતા જાળવાવવી જરૂરી છે. અલગ અલગ મુદ્દાઓના અલગ અર્થ, અલગ અર્થઘટન અને તેના અનુસંધાનમાં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, નીતિ-અનીતી, હિંસા-અહિંસા, સકર્મ-અકર્મ જેવા કાર્યો થતાં હોય છે અને તેના આધારે પાપ અને પુણ્યના મુદ્દાઓ ઊકેલતા હોય છે. કોઈ પણ કાર્યના પાયામાં વ્યક્તિના સ્વયં કેળવેલ સુવિચારીત મૂલ્યો હોવા જરૂતિ છે. કોઈને આધીન થઈને લીધેલ નિર્ણય કે કરેલ કાર્ય માનવને નિરાશામાં ધકેલી દેતું હોય છે. 
                            
                                                                                                                                  જૈમીન જોષી.       

Thursday, November 5, 2020

સત્ય અને સામાજિક શિક્ષણ (Truth and social education)


  • જ્ઞાન પિપાસાને સંતોષવા શિક્ષણની સાથે સત્ય અને નીતિમત્તાનો પણ સ્વીકાર થવો જોઈએ....

Truth and social education


  જીવનની સમસ્યાઓ સામે આવીને ઉભી  ત્યારે વ્યક્તિએ ગહન ઉદાસીનતાનો ચહેરો જોયો. કઈ તૂટયા, છુટ્યા, ગુમાવ્યા કે તરછોડાયેલા સંબંધે વૈરાગ્યતાનો અનુભવ કરાવ્યો. વ્યક્તિ જીવનભર જેને બહાર શોધે છે તે તત્વ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતું હોય તેવું ન બને અને જો બને તો સ્વ માટે સર્જિત છે તેવું માની લેવું તે પણ બૌદ્ધિક દ્રષ્ટિએ વ્યર્થ છે. વૈરાગ્યએ વ્યક્તિને યોગી બનાવ્યો અને યોગીઓએ આધ્યાત્મનું સરણ  સ્વીકાર્યું. આધ્યાત્મિકતા ભરેલું જીવન જીવવું અને સાંસારિક જીવન જીવવું બંનેમાં વ્યક્તિ ભોગને જ શોધતો હોય છે. વ્યક્તિ સંસારની તમામ માયાથી પર જવા વસ્તુઓનો કે વ્યક્તિનો ત્યાગ કરે અને અંતે શાંતિ મેળવવા પરમાત્માનો સહારો લે છે. સાંસારિક જીવનની ઇચ્છાઓ અસ્વીકૃત થઈ તો કદાચ આધ્યાત્મિકતા તેને સ્વીકાર્ય ગણે.. માટે વ્યક્તિ છાને ખૂણે ચિંતન તો ભોગનો જ કરતો હોય છે. દરેક દર્પણમાં ચહેરા એક સમાન ન જોવાય તેનો અર્થ તે ચહેરાઓમાં ફેરફાર થાય છે તેવું હોતું નથી. વ્યક્તિ જેવો છે તેવો જ છે. માત્ર ઈચ્છાઓ અને અભિપ્રાયો બદલાયા છે. અભિપ્રાયો કેટલેક અંશે સંઘર્ષને જન્મ આપે છે. સંઘર્ષ વ્યક્તિને કાર્યરત રાખી શકે છે પરંતુ સુખ તો ન જ આપી શકે.

  સામાજિક પરિવર્તન સંઘર્ષ, પ્રગતિ, કર્તવ્ય અને ક્રાંતિ સાથે સંકળાયેલા છે, અલબત માત્ર આ જ પૂરતાં નથી. અવ્યવહારુ પરિસ્થિતિનાં મૂલ્યોમાં સંઘર્ષ કરતાં ક્રાંતિ વધુ હોય છે. સામાજિક પ્રશ્નો કે સમસ્યાઓને એક મતે ઉકેલવી તે પણ શક્ય નથી.વ્યક્તિ મત ક્યારેક એક ના હોય અને એક સમાન મતે લેવાયેલ નિર્ણયમાં ગમેતે એક વ્યક્તિ સ્વીકારક હોય છે. વ્યક્તિ પરિવર્તન માટે જાગૃતિ અને સતર્કતાનો પાયો મજબૂત હોવો આવશ્યક છે. વ્યક્તિ પરિવર્તનની ક્રિયા સામાજિક મોભા ને ઉગતા સૂર્યની જેમ પ્રકાશિત કરી શકે છે. ક્રોધી અને અજ્ઞાની વ્યક્તિ બપોરના તડકા જેવો હોય છે તે માત્ર બાળે છે. બળાપો દૂષણ છે. વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરે છે અનુકૂળતાઓને જ સર્વસ્વ માનીને બેસી રહેનાર વ્યક્તિ ક્યારેય બોધ ગ્રહણ ન કરી શકે. સત્યના પાસાનું પૃથક્કરણ કરી અને સ્વીકારવું તે અધ્યયન ક્રિયાનું સાત્વિક કૌશલ્ય છે.

  વિદ્યાકીય સ્વતંત્રતા અધ્યાપનનું શ્રેષ્ઠ પાસુ માની શકાય. અધ્યયન અને અધ્યાપન બંને ક્રિયા માટે વ્યક્તિને મુક્ત વિવેચનનો અધિકાર હોવો જોઈએ. મુક્ત વિવેચનનો અર્થ માત્ર શાબ્દિક સ્વતંત્રતા એવો થતો નથી. શાબ્દિકતા સંવાદને ઉજાગર કરી શકે છે. મૌલિકતા બુદ્ધિને સ્વતંત્રતા બક્ષે છે પરંતુ સર્જકતા કુદરતના કાનૂન સાથે સમકક્ષ બની શકે છે. ખોજ માટે બુદ્ધિચાતુર્યની સાથે સહજ સ્વીકારકતાનો ગુણ પણ જરૂરી છે. સફળ વ્યક્તિએ અનેક નિષ્ફળતાને શિક્ષક તરીકે સ્વીકારી હોય છે. નિષ્ફળતાના પાયાઓ જો પંથ નું નિર્માણ ન કરતાં હોય તો  તે નિષ્ફળતા પણ નકામી જ કહેવાય. જ્ઞાની વ્યક્તિ પ્રયત્નશીલ હોય તે જરૂરી નથી પરંતુ પ્રયત્નશીલ વ્યક્તિ જ્ઞાની બની શકે. જો સૃષ્ટિના સર્જન અને શાસન નો સવાલ હોય તો વ્યક્તિ કેટલેક અંશે શાસક બની શકતો હોય છે પરંતુ તે ઈશ્વરની સર્જકતા ઉપર અધિકાર જન્માવાનો પ્રયત્ન કરે તો તે મૂર્ખામી છે. ઈશ્વરતો સ્વયંને શાસક નથી માનતો તો  માનવીય વલણનું તો અસ્તિત્વ જ અવગણી નાખવું જોઈએ.

  સત્યની તપાસ અંગેનો અધિકાર ઈશ્વરે વ્યક્તિને આપ્યો છે પરંતુ તે નિશ્ચિત માળખામાં ક્યારેય ઢાળતો નથી. આવું હોઈ શકે તેવું માનવું એ ઈશ્વરીય સ્વતંત્રતા છે. માત્ર આવું જ છે તેવું માનીને ચાલવું તે અજ્ઞાનની સ્વતંત્રતા છે. કોઈપણ સંદર્ભમાં માળખાકીય ટીકા કરી શકે એ શિક્ષણની સ્વતંત્રતા છે પરંતુ કોઈ પણ સ્વાતંત્ર  દ્રષ્ટિબિંદુઓનું સન્માન કરવું એ વિદ્યાકીય સ્વતંત્રતા અને સંસ્કાર છે. સામાજિક શિક્ષણના સ્તરને ઉચ્ચ લાવવા માટે સત્ય નો સ્વીકાર થવો જરૂરી છે. સત્ય ક્યારેય શિક્ષણને આધીન નથી હોતું તે માત્ર હોય છે.. તેનું અસ્તિત્વ છે.... તેને શોધવું, જાણવું, પૃથક્કરણ કરવું અને સ્વીકારું તે વ્યક્તિ આધીન હોય છે. સત્ય ને માનવ ક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી. સત્ય એ મૂર્ખ અને જ્ઞાની બંને વ્યક્તિ માટે એક સમાન જ હોય એટલે....  તો તે "સત્ય" છે. 


                                                                                                                                      જૈમીન જોષી. 

Sunday, November 1, 2020

માનવ વલણ અને સ્વભાવ (Human attitude and disposition)


  • માનવ પ્રકૃતિના સામાજિક પાસા શૈક્ષણિક પ્રથાને વિભિન્ન રીતે પ્રદર્શિત કરે છે.

Human attitude and disposition


  ઈશ્વરે માનવીની અંદર વિવિધ શક્તિઓનું સંચય કર્યું છે. આધ્યાત્મિકતા તેમાંની એક છે. વ્યક્તિ ઉછેર, સ્વભાવ, કેળવણી, વાતાવરણ સંસ્કાર અને વંશાનુક્રમ વચ્ચે રહેલ ભેદ અલગ તારવી તેને સમજવો જરૂરી છે. માનવી સ્વભાવગત ક્રિયાશીલ છે. આદર્શવાદીઓ મનના કાર્યને પદાર્થમાં જુએ છે, તો કર્મવાદી ક્રિયામાં,  વાસ્તવવાદીઓ શરીર સુખમાં વધુ માને છે. ઈંદ્રિયોના ભોગવિલાસ એ વ્યક્તિમાં બે રીતે ઉતરી આવે છે. એક અનુભવમાંથી અને બીજું આનુવંશિક રીતે. આનુવંશિકતા ઉપર વ્યક્તિ  નિરુપાય હોય છે પરંતુ અનુભવોને વિવિધ દ્રષ્ટિથી જોઈ શકાય.

  બાળક જન્મ પછી માતા પાસેથી શીખે પછી શાળા, કુટુંબ, સમાજ અને મિત્રો પાસેથી શીખે અને અંતે અનુભવથી શીખે. શીખવું એ ગુણધર્મ છે. અનુભવએ એક ક્રિયા છે. તેમાંથી દરેકે પસાર થવું જ પડે. અનુભવ દ્વારાં મેળવેલ જ્ઞાન વ્યક્તિને નિખારે છે. અબોલા પશુઓ માટે જ્ઞાનનો માર્ગ તેજ છે તે શ્રવણ જ્ઞાન કુદરતી રીતે જ અફળ હોય. મનની દોર વ્યક્તિ હસ્તગત હોવી અતિ આવશ્યક છે. મનને કેળવી શકાય, મનને પઢાવીએ તેટલું પઢે. વ્યક્તિ જ્યારે શીખવાની અવધિમાં હોય ત્યારે તેના શરીર સ્નાયુઓ ક્રિયાશીલ હોય છે. કોઈ પણ અધ્યયન પ્રત્યક્ષ રીતે અનુભવીત હોવું જોઈએ તે જ બોધ.. તે જ જ્ઞાન. આવિષ્કાર અલગ વસ્તુ છે તેના માટે ઊંડો અભ્યાસ, તર્ક અને વિશેષ જ્ઞાનની સાથે સાથે માનવી માનશિક રીતે સક્રિય હોવો જરૂરી છે.આળસ અને સ્થૂળતા વ્યક્તિઉર્જાને નષ્ઠ કરતી હોય છે.

  આપણે માનવ પ્રકૃતિ અને પ્રાણી-પશુ પ્રકૃતિનો અભ્યાસ કરીએ તો મોટા ભાગની ક્રિયાઓ મળતાવડી નીકળે. પશુઓ પાસે મર્યાદિત શક્તિઓ છે જે તેમનું જીવન ટકાવી રાખવા પુરતી હોય છે. તે અનુકૂલન સાધી તેમનું અસ્તિત્વ જાળવી રાખે છે. માનવમાં અલગ અલગ પશુઓની વૃત્તિ જોવા મળતી હોય છે. વાઘ શિકાર કરી શકે, હાથી સૂંઢથી પાણી ભરી શકે, સિંહ જંગલમાં રાજ કરી શકે તો શિયાળ બુદ્ધિ ચાતુરાય  વાપરી શકે, ચિત્તો ઝડપી  દોડી શકે. મગર કલાકો શુદ્ધિ પાણીમાં સ્થિર અવસ્થા જાળવી શકે તો દેડકો છો મહિના સુધી જમીનમાં શ્વાસ માત્રથી જીવી શકે. દરેક પશુમાં કોઈને કોઈ ખાસ ચાતુર્ય હોય જ છે. જે પોતાની જાતને અલગ પ્રજાતિ પ્રદર્શિત કરતું હોય છે. હાથી કદાવર અને શક્તિશાળી જ હોય, વાગના નખ અને જીભ ઘાતક અને બરછટ જ હોય, જિરાફની ડોક લાંબી જ હોય, સાબરના  શિંગડા વાંકા જ હોય, ગધેડા એક સ્થાને ઊભા રહી ઊંગ મેળવતા હોય, રીંછના સમગ્ર શરીરે વાળ જ હોય વગેરે વગેરે... પણ માનવમાં આ તમામ ગુણો જોવાતા હોય છે. તેને ઈશ્વરે વધુ આપ્યું છે, તે વિશેષ છે માટે પશુઓથી શ્રેષ્ઠ છે, છતાં તે દુઃખી છે. મનુષ્ય પ્રકૃતિમાં સ્વાભાવિક રીતે શક્તિઓ કોટી ક્રમે રહેલી છે. માનવ તેના અનુકૂળન માટે ઉપયોગી શક્તિનો સંચાર કરી શકે છે. તેનામાં નિર્માણ વૃત્તિ ઈશ્વર જન્મથી સાથે જ આપી છે. વ્યક્તિએ શક્તિનો ઉપયોગ કરવા કેળવાવું જોઈએ. તાલીમને અવગણી ન શકાય.

  હિંસક મનોવલણ એ સમાજ માટે શ્રાપ છે. પ્રાણીઓ માટે હિંસા જરૂરી છે, પશુ માટે નથી પરંતુ માનવ માટે ચોક્કસ કહી ન શકાય. માનવ હિંસા શોખ માટે કરતો થયો છે. પ્રભાવ અને અન્ય પર હાવી થવાના ખોટા આડંબરમાં તે માનવ લક્ષણથી વિપરીત વર્તન કરે છે. હાથી સૌથી શક્તિશાળી પ્રાણી છે પરંતુ તે તેની શક્તિનું પ્રદર્શન ક્યારેય કરતો નથી. સ્વભાવે તે પ્રેમાળ અને ભોળો છે. શરીરશાસ્ત્રનું એક અલગ વિજ્ઞાન છે, તે જટિલ છે પરંતુ તેને સમજ્યા વગર પણ માનવ તેના કાર્યો પાર પાડી શકે છે. દેહ ધાર્મિક છે કે નહીં પરંતુ સ્વભાવ ધાર્મિક હોય તો દેહ ચંદન સુગંધ ફેલાવે. વૈચારિક રીતે માનવ સક્ષમતા ન કેળવી શકે પરંતુ જ્ઞાનની દિશામાં તો તે યંત્રવાદી ન જ બનવો જોઈએ. જ્ઞાનવેગો બદલી શકાય છે પરંતુ તેનાથી ભાગી શકાતું નથી. જીવ છે તો જીવન છે એવું નહીં અધ્યયન છે તો જીવન છે તેવી માનસિકતા ખીલવવી અને કેળવવી ખૂબ જ આવશ્યક છે. ફક્ત વખતો વિતાવવાથી જ્ઞાનના વાયરા ઊંચા ઉડતા નથી. 

                                                                                                                                        

                                                                                                                                            જૈમીન જોષી. 

Saturday, October 31, 2020

શું બૌધિક લક્ષણનું પૃથક્કરણ યોગ્ય હોય છે?(Is the analysis of intellectual trait correct?)


માનવની મૌલિક પ્રકૃતિ સ્થિર કે પરિવર્તનશીલ હોય પણ  તેના સાત્વિક સિદ્ધાંતો વૈચારિક અને બૌધિક હોવા જોઈએ. 


Mind image



   માનવી શું છે? અથવા કેવો છે... તેવો પ્રશ્ન પૂછવામાં આવે તો મન નિર્જીવ અવસ્થામાં સ્થાન મેળવીલે તેવું બને. માનવ જગતમાં વિચારો સ્વયંભૂ છે માટે સ્વભાવગત આ પ્રશ્નનો ઉત્તર પેટા વિભાગો દ્વારા પ્રાપ્ત થાય પરંતુ તેમાં સત્યતા કેટલી તે ભૌતિક રીતે નક્કી ન કરી શકાય. તમને કોઈ પૂછે કે માનવ શરીરમાં મન છે? તો તમે તરત કહો હાઆઆ... હોય જ ને...પરંતુ ક્યાં તેવું પૂછવામાં આવે તો મોટાભાગે જવાબનું અસ્તિત્વ ન મળે. તે મસ્તિષ્કમાં હોય કે રુધિરનું પંપીંગ કરતા હૃદયમાં.? તેનું સ્થાન શરીરના કોઈ પણ ચોક્કસ સ્થાને છે કે કેમ.. તે પણ નક્કી ન કહી શકાય. શરીર ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે પરંતુ મન અભૌતિક છે. મન એ કોઈ પદાર્થ નથી તેથી તેના ગુણધર્મ વિશે વિભાવનાઓ બહાર પાડવી તે અયોગ્ય કહેવાય. મસ્તિષ્કના પેટાવિભાગો અસ્તિત્વ ધરાવે છે તથા મગજમાં ઉત્પન્ન થતા રસાયણોના નામ પણ જાણી અને સમજી શકાય છે. અપૂરતા રસાયણોના સ્રોતમા વધ-ઘટ કરી શકાય કેમકે તે એક ભૌતિકતા ધરાવે છે. માનવ સ્વભાવનું નિયમન મસ્તિષ્કમાં ઉત્પન થતાં રસાયણો કરે છે. માનવ જ્યારે કુટુંબ, સમાજ કે આસપાસના વાતાવરણથી જે રીતે અનુકૂલન સાધે છે તેટલું જ તેના સ્વભાવમાં જોવા મળે છે, પરંતુ મન તે સ્વીકારતું નથી. તેને સ્વયંના પ્રશ્નો છે. ક્યારેક ઉકેલ જડે અને ન પણ જડે. જો જડે તો તે કેટલા અંશે સત્ય છે તેના તર્ક પણ પ્રશ્નાર્થ ચિન્હ સાથે ઉભા જ હોય.
  
  માનવીની પ્રકૃતિ દર્શાવે છે કે  ઈશ્વર અને સૃષ્ટિ એ બે જુદાં છે. ઈશ્વર સમગ્ર  બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે કે તેનું પોતાનું કોઈ અંગત સ્થાન છે તેના તર્કો હોય, માન્યતા હોય કે અંતે સ્વીકારકતા હોય પણ સાબિતી નો છાટો એ ના હોય. શરીર માંસના લોચાનું બનેલું છે અને ઈશ્વર તેમાં આત્માનું રોપણ કરે છે. મન અને તન બંને ભેગા થાય તો ઐશ્વર્ય શક્તિનું પ્રત્યક્ષીકરણ થાય. માનવ સ્વભાવ તથા વારસાઈ લક્ષણો મૃત્યુ સુધી સાથ છોડતા નથી. કેળવણીની પ્રક્રિયા લાંબી છે તે આજીવન ચાલે છે પરંતુ વારસાઈ લક્ષણો કે કુલક્ષણો માનવની પ્રગતિનો દુશ્મન હોય છે. કેટલાક કેળવણીકારો, સમાજવિદ્, શિક્ષણવિદ્  કે વિચારકો માને છે કે માનવ આત્મા તે જ મન. માનવ શરીરમાં થતી વૈચારિક આંતરક્રિયા અટપટી અને જટિલ છે. દરેક વ્યક્તિની પ્રકૃતિમાં ભેદભાવ જોવા મળતો હોય છે. દરેકની ઈચ્છાઓ, વાણી, વર્તન, શોખ, સપનાં વગેરે ભિન્ન હોય છે. તેના પાછળના કારણોની પણ એક લાંબી યાદી છે. મસ્તિષ્ક પાસે કુતુહલતા છે તો મન પાસે સવાલ, મસ્તિષ્ક પાસે ઉત્સુકતા છે તો મન પાસે અસ્વીકારતા, મસ્તિષ્ક પાસે તર્ક છે તો મન પાસે દલીલ. 
  
  આધ્યાત્મ શાસ્ત્ર મુજબ મૃત્યુ પછી આત્મા શરીરથી છૂટો પડે છે ત્યારે તે ઉર્જા વિહીન સાધન માત્ર બની જાય છે. બાળકના મનમાં કુતૂહલતા  હોય અને કુતુહલતા જ શિક્ષણ મેળવવાનું પાસું છે.  જિજ્ઞાસાવૃત્તિ જ વ્યક્તિને જીવંત રાખે છે. ઈશ્વર પ્રાણ એકલા પૂરતો નથી સાથે સાથે કેટલીક ઈચ્છાઓનો પણ સંચાર કરતો હોય છે. શિક્ષણનો અર્થ અહીં  કેળવણી થતો નથી. કેળવણી, સંસ્કાર, શિક્ષણ, જ્ઞાન ભલે પર્યાયવાચક શબ્દો હોય પરંતુ તેમના અર્થો વિશેષ રૂપે અલગ થતાં હોય છે. તેની વ્યાખ્યાઓ વચ્ચે ઊંડો મર્મ અને લાંબી પદ્ધતિનો સમાવેશ થતો હોય છે. મન જે શીખે છે તેનો પ્રભાવ તન  ઉપર પડે તે ચોક્કસ છે. માનવ વૈચારિક રીતે ખૂબ પ્રવાસ કરતો હોય છે. શરીર તે માટે અસમર્થ છે. મસ્તિષ્ક વિચારો દ્વારા ખેડાયેલ પ્રવાસનો રોમાંચ અનુભવી શકે છે અને શરીરમાં તે પ્રકારના રસાયણોનો સ્ત્રાવ કરતો હોય છે. ઈશ્વરએ દરેકના શરીર એટલા સક્ષમ નથી બનાવતો કે તે શારીરિક રીતે પ્રવાસ ખેડી શકે. મનઃક્ષમતા દરેકને અર્પિત કરતો હોય છે. આરોપણ કરે તે ઈશ્વર. 

  માનવ જીવનકાળ દરમિયાન શીખે, અનુભવે અને પ્રેરણા મેળવે છે પરંતુ તેમની કેળવણીનું નિયમન અયોગ્ય રીતે થતું હોય તો તેનો બોજો સમગ્ર પેઢીને અને સમાજને ભોગવવો પડતો હોય છે. વ્યક્તિ વૈચારિક રીતે સ્વતંત્ર છે ક્રિયાઓ માટે સ્વતંત્ર નથી. માનવને જે ધારે તે કરે તેવી છૂટ આપવામાં આવે તો પ્રકૃતિનો નાશ થાય, સમાજ દૂષિત થાય, માનવતા મૃત્યુ પામે. ધારણા અલગ ક્રિયા છે અને તેને અનુસરવું પણ અલગ ક્રિયા છે. મર્યાદા જરૂરી છે. વિચારોને યોગ્ય દિશા મળવી જોઈએ. સહજ પણે સ્વીકાર બુદ્ધિજીવી લક્ષણ છે, દરેક વાતે વિરોધ આજ્ઞાંતનું લક્ષણ છે. યોગ્ય વિચાર માટે ચિંતન જરૂરી છે અને ચિંતન માટે મન:સ્થિત સ્થિરતા ધરાવતી હોવી જોઈએ.   શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ઉદ્દેશ્ય સમાનતાની સંકુલ પ્રવૃત્તિનું તેના વિવિધ તત્વોમાં પૃથક્કરણ કરીને મનનું બંધારણ કરવાનો રહે છે. શરીર અને મન એકબીજાના મિત્રો ઓછા શત્રુ વધુ હોય છે. શરીર ઇન્દ્રિયોને આધીન હોય છે જ્યારે મન આ તમામ પરિબળોથી પર હોય છે. માનવ શારીરિક વૃત્તિ ભોગવિલાસની હોય છે મન તેની પરિભાષામાં અસ્તિત્વ ધરાવતું નથી. અલબત્ત મનને યોગ્ય પંથ તરફ વાળી શકાય છે, તેને કાબુ કરી શકાય છે. તે ક્રિયા ચોક્કસ લાંબી અને  અઘરી છે પણ તેનું અસ્તિત્વ છે તે માનવું રહ્યું. ચંચળ મન ધરાવતો માનવી આંખો હોવા છતા અંધ વ્યક્તિ જેવું જીવન જીવતો હોય છે. 

                                                                                                                                જૈમીન જોષી.

Sunday, October 25, 2020

શું તમે કારકિર્દી ઘડતરમાં પડકાર ઝીલો છો? (Do you face challenges in shaping your career?)


  • ''સપનાની હકીકતથી તુ વાકેફ છે એ કે , સાગરની લહેરોની કોઇ મંઝિલ નથી હોતી .'' 



challenges


પોતાનો સફળતામાં સ્વહસ્તાક્ષર ભલે ન હોય નિષ્ફળતામાં તો હોવા જ જોઈએ :-


  મારે જીવનમાં ઘણું બધું કરવું છે , પણ દર વખતે આર્થિક તકલીફ વચ્ચે જ આવીને નિમિત બની જાય છે. નવો ફોન લેવો કે મારા બાળકોને બહાર પ્રવાશ કરાવા લઈ જવા હોય, તો એમાં પણ વિચાર કરવો પડે... હમણાં તો હદ થઈ ગઈ ! મારા પિતાજીને અચાનક જ હાર્ટ એટેક આવ્યો, બાય પાસ  સર્જરી કરવી પડી. હવે સારી હોસ્પિટલ અને બેસ્ટ ડોક્ટર માટે પૈસા તો જોઈએ ને .. !! અંતે સગાઓ પાસે મદદ લેવી પડી મને માઠું તો લાગ્યું પણ અન્ય કોઈ રસ્તો નહોતો, થયું કદાચ મારી પાસે પૈસાની સગવડ હોત તો મારે હાથ લાંબો કરવો ન પડત . વીસ વર્ષથી એક જગ્યાએ નોકરી કરીને કશું જ ન મળ્યું .... થાય છે, હવે આ નોકરીને છોડી દઉં. હમણાં જ એક વડીલ  મિત્રએ મનનો રોષ ઠાલવ્યો. તે કહે છે કે હું અમદાવાદમાં જન્મ્યો, ભણ્યો અને નોકરી પણ અહી જ કરી અને હમણાં પણ કરું છું. મારા બાપુજીએ મને મારી નોકરીના પહેલા દિવસે શિખામણ આપી હતી કે, બેટા પ્રમાણિકતાથી નોકરી કરજે વફાદાર રહેજે ...... તને તારા શેઠ કાયમ માટે સાચવી લેશે ! બસ તે  દિવસ અને આજની ઘડી, વીસ વર્ષ થયા હું ત્યાં જ  છું. આમ તો બધું સારૂ છે શેઠ સારા છે પ્રમોશન પણ મળે છે, પરંતુ  કોણ જાણે કેમ કામ કરવામાં મજા નથી આવતી. હવે તો ન્યુ જનરેશન આવી, બધો સ્ટાફ નવો છે હવે કેટલાંય લોકો આવ્યા અને નવી નવી નોકરીઓ લઈ છુટા પડ્યા હું તો ત્યાંનો ત્યાં જ...  અને હતાશા રૂપી ઉદગાર સરી પડ્યો. પેલા કોલેજ વખતના સૌથી સારા ગણાતા બે મિત્રો તો કેટલાંય આગળ નિકળી ગયા ...!! બેય જણ ચબરખીઓ લઈને જ પરીક્ષામાં બેસતા અને અત્યારે એમના નામની ચબરખીઓ લઈને લોકો નોકરી મેળવી છે. વાહ રે... કિસ્મત... !!! અકળામણ  થાય છે. હવે સમજાતું નથી કે શુ કરું? 

   વર્ષો સુધી એક જગ્યા અને અમુક પરિચિત લોકોના સહવાસ બાદ અકળામણ થવી સહજ છે, બંધિયાર પાણી પણ એકની એક જગ્યામાં અમુક સમય બાદ દુર્ગંધ મારતુ હોય છે તો આ તો જીવન છે. વડીલ મિત્રની ગુંગળામણ સમજાતી હતી તે કહે છે કે મારી વીસ વર્ષની નોકરીમાં મને પણ બે ચાર વાર સારી તક આવી હતી. સારો પગાર અને સારૂ કામ, પણ મારાથી સાહસ લેવાયુ નહી ત્યારે જો મે એ તક ઝડપી લીધી હોત તો સારૂ થાત. હમણાં થોડાક મહિના પહેલા તે જ કંપનીના શેઠ મળી ગયા. ઓળખાણ તાજી થઈ. વાતવાતમાં ખબર પડી કે તે કંપની તો કેટલીય આગળ નીકળી ગઈ. કરોડોનું ટર્નઓવર થઈ ગયુ, દેશ - વિદેશમાં બ્રાન્ચ થઈ ગઈ, મને એટલો બધો અફસોસ થાય છે કે કાશ ત્યારે મે ચાન્સ લીધો હોત.... આવેલી તકને જતી કરી પણ એવો વિચાર આવે છે કે મને કામ ન ફાવ્યું હોત તો ? મારા કામથી મારા શેઠ ખુશ ન રહેતા તો ? જે થાય તે સારા માટે (ફરી એક નિશ્વાસ ) મારી નોકરીમાં સાલું  કોઈ ટેન્શન તો નહી જ...આપણે જ આપણા રાજા. મારા ટાઈમે ઓફિસ આવુ તો પણ કોઈ ઉંચા અવાજ સુદ્ધાં ન કરે. વીસ વર્ષ મે કંપનીને આપ્યા છે " કઈ નાની વાત છે કે ? પણ તોય નવા ભણેલા ગણેલા જુવાનિયા આવે છે ને મારા શેઠ તેમને તગડો પગાર આપતા અચકાતા નથી. ચિંતા થાય છે કે આમ ને આમ મારો સ્ટાફ બદલાઈ જશે તો મારી જગ્યા કયાં રહેશે ?  પેલી નોકરી લઈ લીધી હોત તો સારું થાત ! સાથે જ મારા મિત્રોને જોવુ છુ તો જીવ બળે છે. પૈસાની છુટ વિચારોની મોકળાશ અને આત્મવિશ્વાસથી ભરપુર એવા મારા મિત્રો સામે તો હું સાવ તુચ્છ છું. મને એટલો સંકોચ થાય છે કે કામની વાત તેમની સામે કરતો જ નથી, એ લોકો ગાઢ મિત્રો  છે, પણ કયારેક ક્યારેક મને ટોણાં મારે છે. ડોબા  લાઈફમાં રિસ્ક તો લેવું જ રહ્યું હજીયે મોડુ નથી થયુ, કોઈ સારો ચાન્સ મળે તો લઈ લે... હવે તમે જ કહો કે શું કરું ? પેલાં બન્નેય  જીગરવાળા તો હતા. બંનેય જણે રિસ્ક લઈને સંઘર્ષ કરી ને આજે ટોચ પર પહોંચ્યા ... !! 

  શૈક્ષણિક સિદ્ધાંતની ભૂમિકાને સમજનાર ક્યારેક વ્યાવહારિક સિદ્ધાંતોથી પછડાતો હોય છે. આપણી પાસે માત્ર એક જ જીવન છે અને તેમાં પણ મોટા ભાગની પળોનો દોર આપણાં પાસે હોતો નથી. સમય એ સાધન નથી પરંતુ તેની સાથે પ્રવાસ કરવો જરૂરી છે માટે થાય તેટલા પડકાર ઝીલવા જોઈએ. હારેલ વ્યક્તિ પાસે અનુભવ નામક હથિયાર હોય છે જે કઠિન પરિસ્થિતિમાં પણ જીતવા માટે પૂરતો હોય છે. કહેવાય છે કે અનુભવએ સૌથી મોટો  શિક્ષક છે. આવેલી તક ઝડપી લેવાથી બની શકે નિષ્ફળતા મળે પણ તેની સાથે કઈ ન કર્યાનો અફસોસ તો નહીં જ રહે..!  કંઈક કર્યાની કે નવું શીખ્યાનો આનંદ તો ચોક્કસ હશે. જો કે હકીકતમાં શું બધા લોકો પોતાની કારકીર્દીમાં પડકાર લેતા હોય છે ? બાર પંદર વર્ષથી એક જગ્યાએ કમ્ફર્ટ ઝોનમાં નોકરી કરનારાઓને જુની જગ્યા અને જુના મહોલને છોડવાનો ડર લાગે છે, નવી જગ્યા કે નવુ કામ નવા માણસો નવા પડકારોનો સામનો કરવાની તક. આને કારણે જ જીંદગી છુટતી રહે છે. જીંદગી પુરી થઈ જાય છે અને સમી સાંજે કશુ ન કર્યાનો કે આગળ વધી ન શકવાનો અફસોસ થતો રહે છે. વિચારોની ગડમથલ અને ભ્રમરોમાં વર્ષોની નોકરી વેડફયાનો તથા સમય વેડફાયા હોવાનું લાગે છે. કારણ કે જરૂરિયાત સમય પ્રમાણે બદલાય છે અને જ્યારે સંબંધમાં આર્થિક સ્થિતિ ડોકીયુ કરવા માંડે ત્યારે બધુય ભુલાઈ  હોય છે. 

  જીવન જો ઊંડો દરિયો છે તો તરવું એ આપણું કર્મ અને જરૂરિયાત બંને છે. તરતા આપણે જ શીખવાનું છે, હાથ પગ તો હલાવા જ પડશે નહી તો ડૂબ્યા સિવાય કોઈ રસ્તો નથી. ઈચ્છાઓના ઉદ્દીપન વિના નિષ્પક્ષપણા કહેવાતી મુક્તિ ફળ આપી બેસે છે પરંતુ તેમાં વ્યક્તિ વિકાસ થતો નથી. માનવપ્રકૃતિ પરીવર્તનક્ષમ છે અર્થાત્ માનવે પોતાના પરિવર્તનની દિશા પરિબળો અને જરૂરિયાત સ્વેચ્છાએ પ્રાપ્ત કરવા જોઈએ. સંઘર્ષમાં પણ આત્મનિર્ભર  અને સ્વનિર્માણની ભાવના કેળવાઈ  રહે તે સાચી કેળવણી બાકી બધુ પુસ્તકિયા જ્ઞાન. સો વાતની એક વાત છે કે, પડકાર સ્વીકારીને જે પોતાની જીંદગી હંકારે છે. એ પછી સફળ થાય કે નિષ્ફળ, પણ તેનો આત્મવિશ્વાસ  તો અવ્વલ સ્થાને હોય જ છે એ  નક્કી .. !!!

                                                                                                                       જૈમીન જોષી. 

 

Saturday, June 6, 2020

શ્વાસ ભલે છુટે કર્મ ન છૂટવું જોઈએ . (Karma should not be released even if the breath is released)



खस्य दुःखस्य न कोऽपि दाता परो ददातीति कुबुद्धिरेषा ।
अहं करोमीति वृथाभिमानः स्वकर्मसूत्रे ग्रथितो हि लोकः ॥



    આપણે આપણા જીવનને જડ સૂચનોથી ભરી દીધું છે.સત્ય અને અસત્યનો ભેદ પારખવા થોડી જાગૃતિ પૂરતી છે. વ્યક્તિ આખી  દુનિયાની શોધે છે પણ પોતાને શોધતો નથી. ન મેળવવાનું મેળવે છે અને મેળવવાનું ગુમાવે છે.આવશ્યકતાને જ જીવન મજી બેસે છે.નિર્બળતા અને સળતા વચ્ચે ભેદ એટલો જ છે કે એક ભઈથી ઘેરાયેલો તો બીજો ભઈ મુક્ત. નિર્બળતાનો સાથી ચિંતિત મન હોય છે.

      એક રાજા હતો.યુદ્ધમાં પારંગત,બુધ્હિશાળી અને નીડર  પણ તે તેના સેનાપતિને આધીન હતો.તેને પૂછ્યા વગર કોઈ યુદ્ધ મેદાનમાં પગ પણ ન મૂકે.એક દિવસ તેના સેનાપતિની સલાહથી મેદાનમાં યુદ્ધે ચડ્યો.બરાબર યુદ્ધ જામ્યું હતું. તેની સેના શત્રુ પર હાવી થઈ ચૂકી હતી. તે જોઈ રાજા વધુ ઉત્સાહમાં આવી ગયો અને શત્રુઓની સામે દોડી ગયો.એકલા હાથે શત્રુઓની માત આપી. ત્યાં અચાનક પાછળથી એક તલવારે  તેની પીઠ પર ઘા કર્યો.રાજાએ વળીને જોયું તો તે સેનાપતિ હતો.રાજા જમીન પર ફસડાઈ ગયો.શરીરના ઘા  કરતા મનના ઘા ઊંડા હતા.સેનાપતિએ કરેલ વિશ્વાસઘાતને તે સહી  ન શક્યો.તે મૃત્યુને ભેટવા માંગતો હતો પણ સામે આવતી સેનાને જોઈએ તેને ઊંડો શ્વાસ લીધો અને ફરી ઊભો થયો.  તેને છુટ્ટો ભાલો સેનાપતિ પર ફેકી છાતી વીંધી નાખી અને હાથમાંથી તલવાર લઈ તેનું માથું ધડથી અલગ કર્યું.બન્ને હાથમાં તલવાર લઈ રાજા શત્રુ પર તૂટી પડ્યો. રક્તથી તરબોળ શરીર અને વારંવાર લાગતાં જખમને લીધે મળતી પીડાને કારણે આક્રંદ કરવા લાગ્યો.વિશ્વાસઘાતી સેનાપતિની છબી મનમાં ઉપસી આવી શરીર કરતાં મન વધુ ઘવાયું.તે જોરજોરથી રડવા લાગ્યો અને જમીન પર પડ્યો,પાછો  ઊભો થયો અને બીજા શત્રુઓને પાડી દીધા.તમામ વિપરીત  પરિસ્થિતિ અને નજર સામે ઊભેલા યમરાજને  જોઈને પણ તેની બંને હાથે તલવાર ચલાવવાનું ન છોડયું.અંતે વિજય થયો અને આકાશ તરફ જોઈને જોર જોરથી હસવા લાગ્યો.

    આપણે પણ આપણા જીવનના રાજા છીએ.વિકટ પરિસ્થિતિ આવે અને જાય.મન સંતુલન ગુમાવે,દુર્બળ વિચારો મન પર હાવી થાય , વિશ્વાસઘાત થાય,મૂર્ખ બની એ કે છેતરાઇ જઈએ. પરિસ્થિતિ ગમે તે હોય પણ કાર્ય અર્થાત્ કર્મનો ત્યાગ ક્યારેય ન કરવો.પડવા,ઠસડાવવા,રડવા,બૂમો પાડવા,આક્રંદ કરવા,ભાગવા બધી છૂટ પણ આપણા હાથના કર્મની તલવાર ક્યારેય ન રોકાવી જોઈએ કારણ કે જ્યારે કોઈ સાથ નથી આપતું ત્યારે તમને તમારું કર્મ,તમારું કાર્ય સાથ આપે છે.આંખો ફાટી જાય શ્વાસ છુટવાની તૈયારીમાં હોય શરીર અને મન બંને છિદ્રિત થઈ ગયા હોય.મૃત્યુ દરવાજે ઊભી હોય પણ કર્મનો ત્યાગ ક્યારેય ન કરવો.જીવનઉર્જા તાજગી,ઉધમ,વેગ છે જે વ્યક્તિને સામર્થ્યવાન,આશાવાદી અને સામંત બનાવે છે.

        જૈમીન જોષી.


ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...