Showing posts with label Law and Judiciary. Show all posts
Showing posts with label Law and Judiciary. Show all posts

Monday, September 12, 2022

માનસ વિકૃતિઓ દ્વારાં થતાં સંભોગને શું નામ આપીશું / (What name will we give to intercourse caused by mental disorders?)


  • માનશિક વૃતિઓ જ્યારે એક હદ કરતાં વધી જાય છે ત્યારે તે મોટા ગુનાહનું રૂપ ધારણ કરી લેતી હોય છે.



sexual harassment




      શારીરિક રીતે સશક્ત હોવાનો અર્થ આપણે પોતાની મરદાનગી સાથે સરખાવી છીએ. જ્યારે કોઈ સ્ત્રી પુરુષના થાકી જતાં શરીર કે નબળાઈ દ્વારાં પોતાને જાતીય રીતે અસંતોષ રાખવાના કારણરૂપ સતત ટોકયા કરે છે ત્યારે પુરુષનો ઇગો સાતમા આસમાને પોહચીને ગુના કરવા માટે પ્રેરાય જાય છે.  માનવની દરેક વિકૃતિઓ માટે કાયદો હોતો નથી. કેટલાક ગુનાઓ માટે કાયદામાં કલમ બનાવી પણ ના શકાય. માનશિક ગુનાઓ વાયરસ જેવા હોય છે તેની દવા શોધીએ ત્યાં સુધીમાં તે નવા વેરિયન્ટમાં પરિવર્તિત થઈ જતો હોય છે.  જ્યારે માનશિક રોગીને સંભોગતા સાથે સરખાવી ત્યારે ?  

      મનોવિકૃતી અને સંભોગ : -

      
         આપણાં સમાજમાં ઘણાં પ્રકારની મનો - વિકૃતિ અને તેને લઈને સંભોગ કરવાના જુદા જુદા પ્રકાર છે  અને તેનો ઉપયોગ થતો જોવામાં આવે છે પરંતુ સજાની કોઈ જ જોગવાઈ ક૨વામાં આવેલ નથી , તેમાંથી એક પ્રકાર એટલે “ મેસોચીઝમ ' ' ઈજા– પહુંચાડવી  અને બીજો પ્રકાર એટલે  “ ટ્રાન્સવેરાટીઝમ ” યાને ક્રૂ૨ પ્રકારે સંભોગ ક૨વો ( માનવતા વિહોણો ), ' ' સેકસ્યુઅલ લો ' ' સંબંધેના કાયદામાં (સંભોગ અંગેના અપરાધ કે જે શ્રી આર.પી.કટાટીયા અને જીદ્વછ – નકની , લેખકો દ્વા૨ા લખવામાં આવેલ છે , તેનાં પાના નં . ૧૯૧ માં મજકૂરનાં મેસોચીજમ અને ટ્રાન્સવેસમેન્ટ અંગે નીચે મુજબની માહિતી આપેલ છે.

( ૧ ) “ મેસોચીઝમ ” :- એટલે કે એ ખૂબ જ ભયાનક પ્રકારનો મનોવિકૃતિ અને સંભોગનો પ્રકાર છે , જેમાં સંભોગ કરનાર વ્યકિત કે સંભોગ ક૨વા માંગનાર  વ્યકિત તેનાં સહભાગીદાર પાસેથી શારીરીક સતામણીનાં અધારો / શારીરીક હેરાન પરેશાન કરીને સંભોગનો આનંદ લેવા માંગે છે. તે સ્ત્રીને મારઝૂડ કરે છે તેને ગમે તે ખવડાવે છે , તે ને ગમે તે જગ્યાએ દબાવે છે. તેને ચોળી ચગદાળી નાખે છે, ખુબ દુ:ખ આપે છે . યાનેકે શારીરીક સતામણી કરીને સ્ત્રી સાથે સંભોગ કરે છે અને આમ કરીને સંભોગ કરનાર સંતોષ અનુભવે છે . ધણાં ખરા તો આની કરતાં પણ વધુ ભયજનક પ્રકા૨થી સંભોગ કરતા હોય છે અને ધણાં ખરા તો માત્ર સ્ત્રીને હે૨ાન - પરેશાન કરીને સંભોગનો આનંદ મેળવતા હોય છે  .


( ૨ ) "ટ્રાન્સવેરાટીઝમ" :- એ પણ ભયાનક પ્રકારનો સંભોગ કરીને આનંદ માણવાનો પ્રકાર છે , અત્રેનાં પ્રકા૨થી સંભોગ ક૨તી વખતે માણસનું વર્તન અને રિતીરિવાજ ખૂબજ ભયાનક અને અતિશય વિકૃત પ્રકારનાં હોય છે  અને ઈન્ડીયામાં અત્રેનાં પ્રકાર સામાન્ય છે હિજડાઓ ( ઈયુનુચ ) એ માણસો સાથે પોતાના ગુહ્યંગમાં સંભોગ કરાવે છે ( કુદરત વિરુધ્ધનું કૃત્ય કરાવે છે ) આપણે જોયેલું હશે કે મજકૂરનાં હિજડાઓ બૈરાનો ડ્રેસ / પહે૨ણ ૫હે૨ીને આ પ્રમાણે ગો૨ખધંધો ક૨તાં હોય છે. તેઓ પોતાના શ૨ી૨ ઉ૫૨ લોભામણો અને ખોટો વેશ ધા૨ણ કરે છે . જેવા કે મહિલા જેવાં મોટા વાળ રાખવા , શ૨ી૨ ઉપ૨ ખોટા સ્તન  તેમજ તેઓ બાઈ માણસ લાગે તે માટેનાં સૌદર્ય પ્રસાધનોનો વપરાશ કરે છે અને આપણા ઈન્ડીયામાં આના વિરુદ્ધમાં કોઈ કાયદા – કાનૂનની જોગવાઈ ક૨વામાં આવેલ નથી અને અત્રેનો પ્રકાર ખૂબ જ પ્રચલિત છે. હાલના નવા યુગમાં આપણે જોયું છે કે ઘણી મહિલાઓ પોતાના વાળ કપાવી નાંખે છે , વાળ નાના રાખે છે .શરી૨ ઉ૫૨ શર્ટ પહેરે છે , નાની ઘૂંટણ સુધીની પેન્ટ પહેરે છે. અત્રેની ચાલચલત એટલે બીજુ કાંઈ જ નથી પરંતુ સૂચિત મહિલાઓ દ્વારા આચરાતી ભયાનક પ્રકારની મનોવિકૃતિ છે ફેન્ટીસીઝમ / આકર્ષવાની પ્રવૃત્તિ , પ્રદર્શન કરવું , તેમજ ક્રૂરતામાંથી સંભોગનો આનંદ માણવો પણ સંભોગની મનોવિકૃતિનાં ભયાનક પ્રકા૨ છે અને ઘણાં વિકૃત માણસો આ પ્રમાણેની સંભોગ પ્રવૃત્તિ ક૨ીને મનોવિકારી પ્રવૃત્તિ કરીને માનસિક આનંદ કે  સંતોષ મેળવતા હોય છે. ડૉકટર શ્રી બી.આર . શર્માએ પોતાના “ ફોરેન્સીક સાયન્સ ઈન ક્રિમીનલ ઈન્વેસ્ટીગેશન એન્ડ ટ્રાયલ ” નામનાં પુસ્તકમાં મજકૂરના પ્રકારો અંગેની નીચે પ્રમાણેની માહિતી આપેલ છે.

sexual harassment


  
      ( ૧ ) ફેન્ટીસીઝમઃ- અત્રેનાં પ્રકા૨માં યાને કે વિકૃતિના પ્રકારમાં વિકૃત વ્યકિત  પછી તે મહિલા તેઓ કૃત્રિમ કપડાં પહેરીને, બાઈનાં દાગીના પહેરીને, કે બાઈનાં બુટ પુરૂષ ,પહેરીને અત્રેનાં પ્રકરણે પ્રદર્શન કરે છે . આપણે જોઈએ તો આ પ્રકાર કોઈ ગુનાહિત પ્રકાર નથી , પરંતુ અત્રેનાં આરોપીઓ મોટા ભાગે મજકૂરની ચીજ વસ્તુઓ મેળવવા માટે ચો૨ી-ચકારી કરતાં હોવાનું માલૂમ પડેલ છે – અને પરીણામ સ્વરૂપે તેવા માણસો ગુનેગાર બની જાય છે. 

    ( ૨ ) “ એકઝીબીશોની ઝમ"   "પ્રદર્શન કાટીતા" :- અત્રેનો પ્રકાર એટલે, અમુક પ્રકા૨નાં માણસો અત્રેનાં મનોવિકૃતિનો આનંદ મેળવવા માટે , પોતના શ૨ી૨માં ગુપ્તાંગોનું પ્રદર્શન ક૨ીને જાહે૨ જનતામાં તેનું પ્રદર્શન દેખાવ કરીને કે અમુક ખાસ વ્યકિત માટેનો તેવો દેખાવ કરીને / બીજી વ્યકિતને આકર્ષવા માટે વિકૃત પ્રકારની હાલ ક૨ીને, વિકૃત પ્રકારનો આનંદ લેવાનો પ્રયત્ન કરે છે . તેઓનામાંથી ઘણાં એ અત્રેની હ૨કત જેવી કે પોતાનાં ગુપ્તાંગો જાહે૨માં ચોળીને પ્રદર્શિત કરતાં હોય છે. એ રીતે આ પ્રકારનાં માણસો જાહેરમાં પોતાની મનોવિકૃતિ પ્રગટ કરીને ગુનાહિત કૃત્ય કરતાં હોય છે . સબબ “ ભારતીય દંડ સંહિતાની કલમ ( I.P.C.) ૨૯૪ ની જોગવાઈ મુજબ સમાજને ઉપાધી પહોંચાડીને તેવા ગુના માટે સજાને પાત્ર બની જાય છે. 

    ( ૩ ) સેડીસમ / ક્રૂરતાભર્યો સંભોગ માણવાની પ્રવૃત્તિઃ-  અત્રેનો સંભોગ ક૨વાની પ્રવૃત્તિ એટલે એક દૂરભાગ્યપૂર્ણ ઘટના છે . જેનાં દ્વારા પુરૂષ વ્યકિત ભયાનક / ભયંકર પ્રકારની મનો- વિકૃતિનો ઉપયોગ  આનંદ માણીને તેવો પ્રકાર કરતો હોય છે. અત્રેનો માણસ તેના સહભાગીદાર મહિલા સાથે મનોવિકૃતિની અધમતઃચ૨મ સીમાએ લઈ જાય છે. અત્રેનાં પ્રક૨ણે મજકૂરની મહિલા સાથે સંભોગનો આનંદ / સંતોષ માણવા માટે અત્રેનો માનવી ઘાતક બની જાય છે  અને આક્રમક બની જાય છે. આટલું જ નહિ પરંતુ સૂચીત મહિલા સાથે સંભોગ ક૨વા માટે અત્રેનો માનવી મનોવિકૃતિની ચ૨મસીમાએ પહોંચી જઈને તે મજકૂ૨ની સ્ત્રીનું ખુન પણ કરી નાંખે છે. અત્રેનાં પ્રકારમાં મહિલાને ત્રાસ આપવો , સિતમ ગુજારવો , તેને બચકા ભરવાં , માર મારવો, સોટી / ચાબૂક મારવાં , મહિલાને ઈજા પહોંચાડવી વિગેરે જેવા પ્રકારનો સમાવેશ થાય છે અને અત્રેનાં પાશવી કૃત્યો કરવાથી તેવી વ્યક્તિને સંભોગ કરવામાં આનંદ આવે છે અને તેવી વ્યકિત આમ ન કરે તો તેને સંભોગનો આનંદ મળતો જ નથી વિકૃતિએ પણ એક પ્રકારનો કુદરત વિરુધ્ધનો સંભોગ માટેનો પ્રકા૨ છે  બીજી કોઈ વ્યકિતનો સંભોગ, સ્નાન પ્રક્રિયા, કપડાં બદલતી વખતે છાની છૂપી રીતે જોવાની પ્રક્રિયા અને ''ફ્રોટેજ '' એ પણ મનોવિકૃતિનાં ભયંક૨ પ્રકારો છે અત્રેનાં પ્રકારે કોઈ વ્યકિત બીજાની સંભોગ પ્રક્રિયા ચોરી છૂપીથી જુએ છે અને આનંદ માણે છે. કોઈ મનોવિકૃતિ વ્યકિત બીજી કોઈ પુરૂષ / બાઈ વ્યકિતના ગુપ્તાંગો ઉપર છળ– કપટથી કે ચોરી છૂપીથી હાથ ફેરવે છે તે તેની ' ફ્રોટેજ ' પ્રકારની મનોવિકૃતિ છે અત્રેની બંને પ્રકારની મનોવિકૃતિની માહિતી ડૉકટર બી.આર.શર્માએ તેઓની પુસ્તીકામાં નીચે પ્રમાણેની આપેલ છે.

    ( ૧ ) વાર્યાયૂરીઝમ / છાનીમાની રીતે બીજાની સંભોગ ક્રિયા જોવી:- વાયો ૨ીઝમતી મજકૂરની પ્રક્રિયા એટલે કે કોઈ વિકૃત માનઅર્થે માનવી , બીજા કોઈ સ્ત્રી કે પુરૂષના સંભોગ ક્રિયા ચોરીછૂપીથી  કે છાની – માની રીતે જુએ અને માનસિક આનંદ કે સંતોષ મેળવે તેને વાયોરીઝમની પ્રક્રિયા કહેવામાં આવે છે અત્રેના પ્રક૨ણેતો ઘણાખરા માણસોને, મજકૂરનો આનંદ કે સંતોષ / મનોવિકારી સંતોષ મેળવવા માટે બીજાની ઘ૨માં ચો૨ી છૂપીથી કે છાની માની રીતે ઘૂસણખોરી કરતાં પણ જોવામાં આવેલા છે અને આમ કરવાની સાથે તેની સામે કાયદેસરની કાર્યવાહી માટેનાં ભોગ બનતાં પણ જોવામાં આવેલા છે પરંતુ જયારે મજકૂર મનોવિકૃતિ માનીવ આ પ્રકારની પ્રક્રિયા જયારે પોતાના ઘરમાં બેસી ક૨તો માલૂમ પડે તો તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરી શકાય નહિ. એક વસાહતની જીવનશૈલી દ૨મ્યાન એક વાંઢો માણસ ( બ્રીટીશ ડેપ્યુટી કમીશન૨ ) કે જે સંભોગ બાબતે બીજાને હરીજાતી લેવામાં ખૂબજ માહેર હતો તેણે જનાવરોના દવાખાનામાં ખાસ સૂચના આપી હતી કે જયારે કોઈ જનાવરો / ઘોડાઓ દવાખાનામાં સંભોગ કરાવવા માટે લાવવામાં આવે ત્યારે તેને બોલાવી લેવો અને તેને તે વખતે જયારે બોલાવવામાં આવે ત્યારે તે જનાવરોની સંભોગ ક્રિયાનું ખૂબ જ બારીકાઈથી નિરિક્ષણ કરતો. તે તેની એક પ્રકારની વિકૃત માનસિકતા હતી. 

sexual harassment


    ( ૨ ) ફ્રોટેજ / ગુપ્તાંગો સાથે ચેન ચાળા ક૨વાની પ્રક્રિયા:- અત્રેનાં પ્રકારની વિકૃત માનસિકતામાં એટલે કોઈ વ્યકિત માણસ કે મહિલા , બીજી વ્યકિત સામે જોઈને અને જાણીને , જાણનાં અને પરોક્ષ ૨ીતે  પોતાના શરીરના ગુપ્તાંગો સાથે ચેન ચાળા કરીને પોતાની મનો - વિકૃતિ પ્રગટ કરે અને સામાવાળી વ્યકિતને શ૨મમાં નાખે તેવી પ્રક્રિયા અથવા તો જાહે૨માં પાર્ટીમાં , મેળામાં , બજા૨માં  કે ગિર્દીવાળી કોઈ પણ જગ્યા ઉપ૨ કોઈ મહિલાનાં ગુપ્તાંગો સાથે ચેડા કરે , કે ચેન ચાળા કરે ત્યારે તેવી પ્રક્રિયાને “ ફ્રોટેજ ' નામની માનસિક પ્રક્રિયા કહેવામાં આવે છે અને આ પ્રકારનો વિકૃત માનવી આવા પ્રકા૨ની ઘટીયા હ૨કતો મોટે ભાગે ભરચક ભરેલી બસમાં , ટ્રેનમાં મુસાફરી કરતી વખતે , સિનેમાં હોલમાં ક૨તો હોવાનું જોવામાં આવેલ છે  અને આમ કરીને તે વ્યકિત સ્થળ ઉ૫૨થી ભાગી જાય છે, ઘણીવા૨ તો તેવી વ્યકિતી પકડાઈ પણ જાય છે અને તેને સારી રીતે પાઠ પણ ભણાવવામાં આવે છે.



                                                                                                                        જૈમીન જોષી. 

Sunday, July 24, 2022

બાળકોને જાતીય સતાવણી (Sexual harassment of children)

  • દરેકનાં  સ્પર્સ બાળક  પ્રત્યે પ્રેમ અને સંવેદના જ દર્શાવતો હોય તે જરૂરી નથી.


Sexual harassment of children


   બાળપણમાં જાતીય શોષણ એ સમાજમાં સૌથી વધુ કલંકિત મુદ્દાઓ પૈકી એક છે અને તેને મૂળભૂત માનવ અધિકારોના ઉલ્લંઘન અને જાહેર આરોગ્યની ગંભીર ચિંતા બંને તરીકે ઓળખવામાં આવે છે. જો કે, બાળપણના લૈંગિક દુર્વ્યવહારના વ્યાપને સચોટ રીતે માપવું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તેની ઓછી જાણ કરવામાં આવી છે.

   એવી ઘણી વર્તણૂકો છે જેને જાતીય દુર્વ્યવહાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અને બાળકના જાતીય શોષણ તરીકે વર્ગીકૃત કરવા માટે ગુનેગાર અને બાળક વચ્ચે શારીરિક સંપર્ક કરવાની જરૂર નથી.

   બાળપણનાં જાતીય દુર્વ્યવહારને કોઈપણ "સંપૂર્ણ અથવા પ્રયાસ કરેલ જાતીય કૃત્ય, બાળક સાથે જાતીય સંપર્ક અથવા શોષણ" ગણવામાં આવે છે.

   બાળ જાતીય દુર્વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે: સ્પર્શ અને બિન-સ્પર્શ. સ્પર્શમાં બાળકના ગુપ્તાંગને સ્પર્શ કરવો, બાળકને કોઈ અન્યના ગુપ્તાંગને સ્પર્શ કરવો, જાતીય રમતો રમવી અથવા જાતીય આનંદ માટે બાળકના યોનિ અથવા યોનિની અંદર, મોંમાં અથવા બાળકના ગુદામાં વસ્તુઓ અથવા શરીરના ભાગો મૂકવાનો સમાવેશ થાય છે. બિન-સ્પર્શતા દુરુપયોગમાં બાળકને પોર્નોગ્રાફી બતાવવી, કોઈ વ્યક્તિના ગુપ્તાંગને બાળક સમક્ષ ખુલ્લું પાડવું, બાળકની વેશ્યાવૃત્તિ/તસ્કરી કરવી, જાતીય પોઝમાં બાળકનો ફોટો પાડવો, બાળકને વ્યક્તિગત રૂપે અથવા વિડિયો પર જાતીય કૃત્યો જોવા અથવા સાંભળવા માટે પ્રોત્સાહિત કરવું અને  બાળકને કપડાં ઉતારતા અથવા બાથરૂમનો ઉપયોગ કરતા જોવું.

  • ઈન્ડીયામાં બાળકોનું જાતિય શોષણ થવા બાબતે : 

   હાલના સમયમાં અપણાં ભારતીય બંધારણો , બાળકનાં જાતિય શોષણ બાબતે ઘણાં જ ગુનાહિત કૃત્યો નોંધેલા છે, જે પ્રક૨ણો માત્ર અને માત્ર બાળકનાં જાતિય શોષણ સાથે સંકળાયેલા “ ધ ઈમ્મો૨લ સફીક  (પ્રિવેનસન ) એક્ટ " – ( વ્યભિચાર પ્રતિબંધક કાયદો ) ની જોગવાઈ મુજબ ૧૬ વ૨સ કરતાં નીચેનાં બાળકોનું ધંધાકીય શોષણથી રક્ષણ આપવાનું કામ કરે છે, વધુમાં “ ધ જયુવેનાઈલ જસ્ટીસ એક્ટ ની કલમ ૨૯ ની જોગવાઈ " ( બાળક કે સગીર કામદાર પાસેથી શોષણાત્મક કામ ક૨વાનું ) તે બાબતે સજાની જોગવાઈ કરવામાં આવેલ છે કે જયારે કોઈ વ્યક્તિ અમિર પાસેથી કામ કરાવીને  જોખમી કર્મચારીત્વ અપનાવવાની કાર્યવાહી કરે, “ ધ પ્રોહીબીશન ઓફ ચઈલ્ડ મેરેજ એક્ટની ” જોગવાઈ પણ ૧૮ વરસ કરતાં નીચેની વયની છોકરીઓનાં લગ્ન બાબતે સજાની જોગવાઈ બતાવે છે – દિકરાનાં લગ્ન માટે પણ આજ કાયદાની જોગવાઈ લાગુ પડે છે – સબબ અત્રેનાં પ્રકરણે બાળકોનું રક્ષણ ક૨વા માટે , બાળકોને થતાં અન્યાય સામે આવેલા કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન થવા બાબતે, અત્રેનાં કાયદામાં જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી / ફરીયાદ દાખલ કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. એ રીતે વર્લ્ડ હેલ્થ ઓ૨ગેનાઈજેશન ” ( વિશ્વ સ્વસ્થ્ય સંસ્થા ) નાં મંતવ્ય મુજબ , બાળકોનું શોષણ એટલે બાળકોને શોષણાત્મક પ્રવૃત્તિમાં દાખલ ક૨વાં, અત્યારના સમાજ બાળક સમજી શકતાં નથી કે તેઓને શું કામ આ કામ કરવાનું છે બાળકો શારીરિક અડપલાં કે અન્ય કોઈ છેડછાડમાં પોતાની સંમતિ આપતાં નથી , એ રીતે અત્રેનું કૃત્ય એટલે કાયદા કાનૂનનો ભંગ છે, તેમજ આપણા સમાજમાં રહેલ પ્રતિબંધોનું પણ ઉલ્લંઘન છે – સબબ હાલના તબક્કે , મજકૂરનો બાળકોની શોષણાત્મક પ્રવૃત્તિ સામે એક બનાવવા માટેનો કાયદો ઘડવાની તાતી જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે.
   

  • બાળકનું જાતીય શોષણ કેમનું થાય ?


   બાળકોનું ભાવનાત્મક શોષણ , માનસિક શોષણ , શા૨ી૨ીક શોષણ , કે જાતિય શોષણ , પરત્વે કાયદાની જોગવાઈ કરવાની સાચી જરૂર છે , બાળકોનું શોષણ એટલે શારીરીક શોષણ પ્રવૃત્તિ, શ૨ી૨ સાથે ચેડાં કરવાં ઈશારાથી શા૨ી૨ીક પ્રવૃત્તિ / શોષણની માંગણી કરવી , ખરાબ શબ્દોનો ઉપયોગ કરવો , તેવી હાલચાલ ક૨વી ખરાબ લખાણો ક૨ીને શારીરીક શોષણની જાણ ક૨વી , તે બધી જ પ્રવૃત્તિઓ વ્યભિચારી / શારીરીક શોષણ માટેની છે. ઈન્ડીયામાં બાળકોનાં શોષણ માટેનો અહેવાલ રજૂ કરતી વખતે , “ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ મિનીસ્ટર , રેણુકા ચૌધરી સાહેબે જણાવેલ છે કે બાળકોનું શોષણ એટલે ગુપ્ત પ્રકારની કાર્યવાહી છે , અને અપણો સમાજ તે માટે શાંત બેસી રહેલ છે . આપણા સમાજમાં કામ કરતી વખતે આવા પ્રકારની ઘણી જ સમસ્યાઓ ઉભી થયેલી છે આપણા કાયદા સામે, અને ન્યાય – દેવના સામે પણ તથા સરકાર અને સહ – સરકાર સામે આ સમસ્યા પડકા૨ રૂપ બનેલ છે મજકૂરનો અહેવાલ જણાવે છે કે અત્રેથી મોટી સમસ્યા એવી છે કે આપણો સમાજ અત્રેનાં જાતિય શોષણને સમજી શક્યો નથી , સતત આપણાં સમાજને તેવી સમજ આપવાનું મુશ્કેલ થઈ જાય છે અને સમાજની ચઢ – ઉત૨ણ વાળી / અનુભવની પ્રવૃત્તિ , આપણે મેળવી શકયા નથી , તેથી આપણે સમાજમાં રહેલ મજકૂરના દૂષણ માટેની સાચી માહિતી મેળવી શકયા નથી , બાળકોનું ૨ક્ષણ , એટલે અત્રેનાં પ્રક૨ણે અવાજ ઉઠાવી શકતાં નથી તે મહત્વનો પાંસો છે, સતત અત્રેનાં પ્રક૨ણે બાળકોને પોતાની સમસ્યા રજૂક૨વા માટેની તક આપવી જોઈએ .
Sexual harassment of children



   આપણે ખૂબજ અગત્યતાથી સમજવાનું રહેશે કે ઉ૫૨ની તમામ વિગતો અને સંજોગોમાં બાળકોનાં શોષણ માટેની પ્રવૃત્તિઓ બનતી રહે છે – જેવાં કે લગ્ન પ્રકરણો, બાળકોની હેરાફેરીકરી  નોકરી આપવી, કામ ક૨વાનું , સતત આપણે હવે સામાજીક અને કાયદાકીય પાંસાઓને સમજવા પડશે , કે આપણા સમાજમાં બાળકોનું જાતિય શોષણ કેમ અને કેવી રીતે થાય છે. સમાજ સાથે પારસ્પારીક સબંધ , નબળા સમાજનું શોષણ , સુધારેલ સમાજમાં ચાલતું શોષણ , જો આપણે જોઈએ તો ઘણા લોકો અત્રેની જાતિય સતામણી પાસેથી બચવા માટે પોતાનાં બાળકોનાં લગ્ન કરી નાંખે છે  અને જયારે કોઈ છોક૨ી તરૂણાવસ્થામાં આવે ત્યારે તેણીને મૈથુની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઘણાં લોકો એવું માને છે કે દિકરીનાં લગ્ન કરી દેવા એટલે તેણીને જાતિય સતામણી પાસેથી રક્ષણ આપવાનું – આપણે જોયેલું હશે બીહારની નાથ જાતિમાં વેશ્યાવૃત્તિ એ જીવન જીવવાનો માર્ગ છે , અને જયારે પોતાનાં કુટુંબમાં દિકરી ના હોય , ત્યારે તેઓ રાજયનાં બીજા ભાગમાંથી દિકરી ખરીદે છે , અને તેને વેશ્યાવૃત્તિનાં કામમાં લગાડે છે, જેથી કરીને કુટુંબ પોતાનું ગુજરાન ચલાવી શકે . બાળકો જયારે નાનાં - નાનાં કામો કરે છે , હોટલમાં કામ કરે છે , રેસ્ટોરન્ટમાં કામ કરે છે , ત્યારે તેઓ જાતિય શોષણ માટેનાં પ્રભાવ નીચે આવી જાય છે, ગ્રાહકો અને માલિકની સામે તેઓ શોષણનો વિષય બની જાય છે . અત્રેનાં દૂષણોની સાથે સાથે બાળકો જ્ઞાતી — જાતિમાં તેમજ કુટુંબ — કબાલામાં શોષણ માટે વશ થવા કારણભૂત બની જાય છે અને તેઓનાં સમાજ કે પરિવારમાં પણ તેઓ જાતિય શોષણનો વિષય બની જાય છે. 

  • જાતીય શોષણ માટેના બાળકો આવે છે ક્યાથી ?


   આપણે જોયેલું હશે કે આપણા સમાજમાંથી દર વરશે ઘણા જ બાળકો ગુમ થઈ જાય છે, ઘણાં બાળકોને તેઓનાં કુટુંબીજનો વેંચી મારે છે, ઘણાં બાળકોની ઉઠાંતરી ક૨વામાં આવે છે, ઘણાં લોકોને તેમનાં બાળકોનાં નામ ઉ૫૨ ઘણાં પ્રલોભનો આપવામાં આવે છે – એ રીતે ( CRY ) ચાઈલ્ડ રાઈટસ એન્ડ ચૂપ ' બાળકોના અધિકાર અને તેઓનાં અહેવાલ મુજબ દ૨ વરસે લગભગ ૮૯૪૫ બાળકો ઈન્ડીયામાં ખોવાઈ જાય છે , દર વરસે ૫,૦૦,૦૦૦ બાળકોને જાતિય સતામણી માટેની પ્રકીયામાં સંડોળવામાં આવે છે , અંદાજે ( ૨ ) મિલીયન – ૨૦ લાખ બાળકોને દર વ૨સે જાતિય સતામણી માટેના  કામ માટે ઘસડી જવામાં આવે છે , કે જેઓની ઉંમર ૫ થી ૧૫ વરસની હોય છે . અંદાજે ૩૦ લાખ બાળકો ધંધાકીય શોષણ પ્રવૃત્તિમાં જોડાયેલ હોવાનું માલુમ પડે છે જેઓની ઉંમર ૧૫ થી ૧૮ વ૨સની હોય છે ,  ૪૦ % બાળકો જાતિય સતામણીનાં કામમાં સંડોવાયેલા હોય છે , ૮૦ % બાળકો અત્રેની પ્રવૃત્તિમાં પાંચ મોટા શહેરોમાં જેવા કે દિલ્હી , મુંબઈ , કોલકાત્તા , ચેન્નાઈ અને બેંગલોર ખાતે જોડાયેલા છે અને તેઓ માંથી ૭૧ % બાળકો અભણ હોય છે એથી તે આપણા ધ્યાન ઉપર આવશે કે સમાજની વિપદા, નિર્બળતા, ગરિબી, ઉમર , વર્ગીક૨ણ , જાતિ – જ્ઞાતી , સુરક્ષાત્મક જગ્યાએ અભાવ , શાળાનો અભાવ , યોગ્ય કાળજીનો અભાવ , બાળકને કૌટુંબિક જીવનનો અભાવ એવા બધા દૂષણોથી બાળકોનું શોષણ થતું હોવાનું માલુમ પડે છે , ઘણા  માનસ શાસ્ત્રીઓનાં મંતવ્ય મુજબ અત્રેનો સમુદાય મનોવિકારી અથવા તો શારીરીક દૂષણોથી પીડાતા હોય છે . સતત આપણે શોધવાનું છે કે કઈ કઈ જગ્યાએ આપણા સમાજમાં બાળકોનું શોષણ થાય છે – જેથી કરીને તેઓને જાતિય સતામણીની પીડાથી / જૂલમથી  દુર રાખી શકાય.


યુનાઇટેડ સ્ટેટ્સમાં દર વર્ષે 65,000 થી વધુ બાળકો સાથે દુર્વ્યવહાર થાય છે.

લગભગ ચારમાંથી એક પુખ્ત સ્ત્રી અને તેરમાંથી એક પુરુષનું બાળપણમાં જાતીય શોષણ થયું હતું.

બાળ જાતીય દુર્વ્યવહારનો અનુભવ કરવો એ પ્રતિકૂળ બાળપણનો અનુભવ (ACE) છે જે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી લાંબા ગાળાની અસરો કરી શકે છે. 

  • બિનઆયોજિત ગર્ભાવસ્થા
  • સ્થૂળતા અથવા કેન્સર જેવી લાંબી સ્વાસ્થ્ય સ્થિતિ
  • ડિપ્રેશન અને PTSD
  • પદાર્થ દુરુપયોગ
  • આત્મહત્યાનું જોખમ વધે છે.

   બાળ લૈંગિક દુર્વ્યવહારને પુખ્ત, કિશોર અથવા મોટા બાળક દ્વારા બાળક સાથેની જાતીય પ્રવૃત્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો કોઈ પુખ્ત વયના બાળક સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો તે જાતીય શોષણ છે. જો અન્ય બાળક અથવા કિશોર બાળક સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો એક ગ્રે વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં અમુક જાતીય વર્તન દુરુપયોગને બદલે નિર્દોષ શોધ છે.

  દુરુપયોગના વ્યક્તિગત ઇતિહાસને સ્વીકારવા માટે ખૂબ જ હિંમતની જરૂર છે. પર્યાપ્ત સમય, યોગ્ય સાધનો અને યોગ્ય સમર્થન સાથે, બાળપણના દુર્વ્યવહારના આઘાતથી આગળ વધીને તંદુરસ્ત રીતે આગળ વધવું શક્ય છે.


Sunday, October 18, 2020

કલમ 376 (IPC Section 376- Punishment for Rape )

IPC 376  બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. 


section 376



 [ કલમ ૩૭૬ - એ ]: - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :-
   જે કોઈ કલમ -૩૭૬ ની પેટાકલમ- ( ૧ ) અથવા પેટાકલમ- ( ૨ ) પૈકીની શિક્ષાને પાત્ર ગુનો કરે તેવા કાર્ય દરમ્યાન કરેલ ઈજાથી સ્ત્રીનું મૃત્યુ થાય અથવા સ્ત્રીને નિરર્થક સ્થિતિમાં રહેવું પડે તે માટેની સ્થિતિમાં સખત કેદની સજા જે વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદની શિક્ષા જેનો અર્થ વ્યક્તિની બાકીની કુદરતી જિંદગી સુધીની અથવા મૃત્યુદંડની થશે
સજા - :સખત કેદ ૨૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગીના વર્ષો સુધીની કેદ અથવા મૃત્યુદંડ - પોલિસ અધિકારનો - બિનજામીનપાત્ર - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર. 

 [ કલમ ૩૭૬ - એબી ]: - ૧૨ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર કરેલ બળાત્કાર માટે સજા : 
  જો કોઈ ૧૨ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને ૨૦ વર્ષથી ઓછી નહીં તેટલી સખત કેદની સજા કરવામાં આવશે , જે સજા આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે . આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના મૃત્યુપર્યત સુધીની સજા થશે અને દંડને પાત્ર અથવા મૃત્યુપર્યંતની સજાને પાત્ર થશે. જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરાયેલ કોઈ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે. 
સજા-: જેને ૨૦ વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા પરંતુ તે દંડ સાથે આજીવન કેદ સુષી થઈ શકશે જેનો અર્થ વ્યક્તિની બાકી રહેલ કુદરતી જીવન સુધી થશે અથવા દેહાંત દંડ સાથે પોલીસ અધિકારનો - બિન - જામીની - સેશન્સ કોર્ટ .

[ કલમ ૩૭૬ - બી ]: - જુદા રહેવાના સમય દરમ્યાન પતિએ પત્ની સાથે કરેલ જાતીય સંભોગ .
  જો કોઈ તેની પોતાની પત્ની જે જુદા રહેવાના હુકમનામા અનુસાર કે અન્ય કોઈ રીતે જુદા રહેતી હોય તેની સાથે તેન્નીની સંમતિ વિના જાતીય સમાગમ કરે તેને વિલ મધની ૬ બે વર્ષ કરતાં ઓછી નહીં પરંતુ સાત વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે . ] 
સ્પષ્ટીકરણ : - આ કલમમાં “ જાતીય સંભોગ ” એટલે કે , કલમ -375ની પેટાકલમ ( એ ) થી ( ડી ) પૈકીનું કોઈ પણ કૃત્ય . 
સજા - :બે વર્ષથી ઓછી નહીં પરંતુ ૭ વર્ષ સુધીની શિક્ષા અને દેઢ- પોલીસ અધિકારનો ( પરંતુ ભોગ બનનારની ફરીયાદ પરથી માત્ર ) -જામીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર . " 

[ કલમ - ૩૭૬ ] - સીઃ- સત્તામાં હોય તેવા વ્યકિતએ કરેલ જાતીય સમાગમ .
( એ ) સત્તાની સ્થિતિમાં અથવા જે કોઈ વ્યક્તિ કે , જે વિશ્વાસજન્ય સ્થિતમાં હોય , અથવા 
( બી ) જાહેર સેવક , અથવા 
( સી ) જેલ , રીમાન્ડ હોમ અથવા તત્કાલીન અસરમાં હોય તેવા કાયદા નીચે સ્થપાયેલ સંભાળ રાખવા માટેનું સ્થળ અથવા સ્ત્રીઓ અને બાળકો માટેની સંસ્થાના મેનેજર અથવા અધિક્ષક , અથવા 
( ડી ) દવાખાનાના વહીવટમાં હોય અથવા દવાખાનાના કર્મચારી હોય અથવા વિશ્વાસજન્ય સંબધનો દુરૂપયોગ કરી કોઈપણ સ્ત્રી તેના તાબામાં અથવા તેને સોંપાયેલ હોય અથવા જગ્યામાં માજર હોય તેની સાથે જાતીય સમાગમ કરવા લલચાવે અથવા ભ્રષ્ટ કરે જે જાતીય સમાગમ બળાત્કારનો ગુનો ગણાતો ન હોય તેમાં વર્ણન કર્યા મુજબની પાંચ વર્ષથી ઓછી નહીં પરંતુ દસ વર્ષ સુધીની સખત કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે. 
સ્પષ્ટીકરણ -૧ : - આ કલમ અનુસાર “ જાતીય સમાગમ ' ' માં કલમ -૩૭૫ ની પેટા કલમ ( એ ) થી ( ડી ) માં દશવિલ કોઈપણ કૃત્ય 
સ્પષ્ટીકરણ - ર : - આ કલમના હેતુ માટે કલમ -૩૭૫ નો ખુલાસો -૧ પત્ર લાગુ પડશે . 
સ્પષ્ટીકરણ -3: - “ અધિક્ષક " જેલ , રીમાન્ડ હોમ અથવા સ્ત્રીઓ અને બાળકો માટેની સંસ્થા અથવા અન્ય સંભાળ માટેનું સ્થાનના સંબંધમાં જે કોઈ વ્યકિત આવી જેલ , રીમાન્ડ હોમ, સ્થાન અથવા સંસ્થામાં હોદાની રૂએ આવી વ્યકિત તેમાં રહેનાર ઉપર સત્તા કે અંકુશ વાપરી શકતી હોય તેનો સમાવેશ થાય છે .
 સ્પષ્ટીકરણ -૪ : - શબ્દો ‘ હોસ્પિટલ ’ અને ‘ સ્ત્રીઓ તથા બાળકોની સંસ્થા'નો અનુક્રમે અર્થ કલમ -૩૭૬ ની પેટા કલમ- ( ૨ ) ના ખુલાસામાં દર્શાવ્યા પ્રમાણેનો ગણાશે . ] 
સજા-:સખત કેદની શિક્ષા પ વર્ષથીઓછી નહીં પરંતુ ૧૦ વર્ષ સુધીની અને દંડ - પોલીસ અધિકારનો બિનજામીન સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર , ' 

[ કલમ ૩૭૬ - ડી - : - સામૂહિક બળાત્કાર : 
  જયાં એક અથવા વધુ વ્યક્તિઓના બનેલા સમૂહ દ્વારા સામાન્ય ઈરાદો પાર પાડવાની મદદગારીમાં સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે તે વ્યકિતઓ પૈકીના દરેકે બળાત્કાર કર્યો હોવાનું ગણાશે . અને તેઓ વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન સખત કેદ જેનો અર્થ તે વ્યકિતની કુદરતી બાકી જીંદગી સુધીની કેદ અને દંડને પાત્ર થશે . 
   પરંતુ આવો દંડ ભોગ બનનારની સારવાર અને પુનર્વસન માટે જરૂરી હોય તેટલો વ્યાજબી અને યોગ્ય હશે. 
  પરંતુ વધુમાં આ કલમ નીચે કરવામાં આવેલ દંડ ભોગ બનનારને ચુકવવામાં આવશે . ]
સજા - :સખત કેદની શિક્ષા ૨૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની બાકીની કુદરતી જિંદગી સુપી કેદ અને દેડ જે ભોગ બનનારને આપવો - પોલિસ અધિકારનો બિન જમીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર , '

 [કલમ ૩૭૬ - ડીએ ]:- ૧૬ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા માટે સજા
  જે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓ એક સમૂહમાં ભેગા થઈને કે સામાન્ય ઈરાદાને પ્રોત્સાહન આપવામાં કાર્ય કરતા ૧૬ વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજરે તો તે વ્યક્તિઓને દરેકના વિશે એવું માનવામાં આવશે કે તેણે બળાત્કારનો ગુનો કર્યો છે અને જેને આજીવન કારાવાસની જૈનો મતલબ તે વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગીની જેલની સજા દંડ સાથે કરવામાં આવશે .
   જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય મેળવવા અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . 
  વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ દંડની રકમ ભોગ બનનારને ચૂકવવામાં આવશે . ]
 સજા-: આજીવન કેદની સખ્ત સજા થશે . આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના કુદરતી  મૃત્યુપર્યત સુધિનો થશે અને દંડને પાત્ર ઠરશે . - પોલીસ અધિકારનો - બિન - જામીની સેશન કોર્ટ. 

[ કલમ ૩૭૬ - ડીબી ] ૧૨ વર્ષથી નીચેની ઉમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા માટેની શિક્ષા :    જે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓ એક સમૂહમાં ભેગા થઈને કે સામાન્ય ઈરાદાને પ્રોત્સામાન આપવામાં કાર્ય કરતા ૧૨ વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજારે તો તે વ્યક્તિોને દરેકના વિશે એવું માનવામાં આવશે કે તેણે બળાત્કારનો ગુનો કર્યો છે અને જેને આજીવન કારાવાસની જેનો મતલબ તે વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગીની જેલની સજ દંડ સાથે અથવા ફાંસી સાથે થશે . 
   જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય મેળવવા અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . 
   વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ દંડની રકમ ભોગ બનનારને ચુકવવામાં આવશે . ]. 
સજા-: આજીવન કેદની સખ્ત સજા થશે , આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના કુદરતી મૃત્યુપર્યંત સુધીનો થશે અને દંડને પાત્ર ઠરશે અથવા મૃત્યુ દંડ - પોલીસ અધિકારનો બિનજામીની - સેશન્સ કોર્ટ.

[ કલમ ૩૭૬ - ઈ ] :- વારંવાર ગુના કરનારાઓ માટેની શિક્ષા : 
   જે કોઈને ક્લમ -૩૭૬ અથવા કલમ -૩૭૬ ( એ ) અથવા ' ક્લિમ -૩૭૬ ( એબી ) અથવા કલમ ૩૭૬ ( ડી ) અથવા કલમ -૩૭૬ ( ડીએ ) અથવા કલમ -૩૭૬ ( ડીબી ) ] હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં પહેલા ગુનેગાર ઠરાવેલ છે અને ત્યાર પછી આમાંની કોઈ પણ કલમો હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં ગુનેગાર ઠરે તો તે આજીવન કેદની શિક્ષાને પાત્ર ઠરશે , જેનો મતલબ વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગી સુધીની કેદ થશે અથવા દેહાંત દંડ થશે . ]

સજા -: આજીવન કેદની શિક્ષા જેનો અર્થ વ્યક્તિની કુદરતી જિંદગીનો બાકીનો સમય અથવા મૃત્યુ દંડ - પોલિસ અધિકારનો - બિન - જામીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર. 
      
                 
IPC Section 376- Punishment for Rape

[કલમ ૩૭૭]:-  સૃષ્ટિકમ વિરુદ્ધના ગુના -:
   જે કોઈ વ્યક્તિ , કોઈ પુરુષ , સ્ત્રી કે પશુ સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધ સ્વેચ્છાપૂર્વક શરીર સંભોગ કરે તેને આજીવન કેદની અથવા દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. 
સ્પષ્ટીકરણ : - આ કલમમાં વર્ણવેલો ગુનો બનવા માટે જે શરીર સંભોગ થવો જોઈએ તે માટે લીંગ પ્રવેશ થવો એ પુરતું છે.

સજા -: જન્મટીપ અથવા ૧૦ વર્ષ સુધીની કેદ અને દેડ - પોલિસ અધિકારનો - બિન - જામીની - પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ - બિન - સમાધાન લાયક. 

                                                                                                                   જૈમીન જોષી.

Thursday, October 15, 2020

બળાત્કારની વ્યાખ્યા અને ભારતીય કાયદો ( Definition of rape and Indian law )



law  image wekimedia


  મનોવૈજ્ઞાનિક રીતે તો બળાત્કારની અલગ અલગ વ્યાખ્યાઓ થતી હોય છે પરંતુ જ્યારે કાયદાની વાત આવે ત્યારે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને સજાનું પ્રાધાન્ય હોય છે. મોટા ભાગે સામાન્ય વ્યક્તિ કાયદાકીય ભાષાથી અવગત હોતા નથી માટે તે સહજ રીતે બળાત્કારીઓ સાથે કેવા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ અથવા  કયા પ્રકારની સજા થવી જોઈએ તે વિષે રોષ ઠાલવી દે છે, પરંતુ કાયદો ચોક્કસ પ્રકારની પધ્ધતિને અનશરતો હોવાથી તે એક આગવું વલણ અપનાવી ચુકાદા આપતો હોય છે જે બની શકે કે જનતાને ન પણ ગમે પરંતુ તેને આપણે સ્વીકાર્ય સિવાય કોઈ અન્ય રસ્તો હોતો નથી. આવી પરિસ્થિતીમાં કાયદાકીય રીતે ખરેખર બળાત્કાર કોને કહેવાય અને તેની સજા શું છે તે જાણવું જરૂરી બની રહે છે. બળાત્કાર અલગ અલગ રીતે થતો હોવાથી તેની પણ અલગ જોગવાઇઓ છે જેની તમામ માહિતી નીચે પ્રમાણે છે.  

નીચે વર્ણવેલ સાત પૈકી કોઈપણ સંજોગમાં બળાત્કાર થયો તેમ જાણવું.

  • પ્રથમ : - તેણીની ઈચ્છા વિરૂદ્ધ
  • બીજુ : - તેણીની સંમતિ વિના
  • ત્રીજુ  : - તેણીની સંમતિથી જયારે તેણીની સંમતિ તેણીને અથવા તેણીનું હિત હોય તેવી વ્યકિતના ઈજા અથવા મૃત્યુના ભય નીચે મેળવેલ હોય.
  • ચોથું :- તેણીની સંમતિથી જયારે પુરૂષ જાણતો હોય કે તે તેણીનો પતિ નથી અને તેણીની આપેલ સંમતિનું કારણ તે બીજો પુરૂષ જેની સાથે તેણીના કાયદેસરના લગ્ન થયાનું તેવી માનતી હોય ,
  • પાંચમું :- તેણીની સંમતિથી જયારે સંમતિ આપતી વખતે અસ્થિર મગજ અથવા નશો અથવા તેણીને જાતે અથવા અન્ય મારફતે કોઈ નશાયુક્ત અગર મૂર્છિત પદાર્થ કરનાર આપવામાં આવે જેથી તેણીએ આપેલ સંમતિનો અર્થ અને તેનું પરિણામ સમજી શકવા અશકિતમાન હોય .
  • છઠું : - તેણીની સંમતિ અથવા સંમતિ વિના જયારે તેણી અઢાર વર્ષથી નાની ઉંમરની હોય .
  • સાતમું : - જયારે તેણી સમંતિ આપવા અસમર્થ હોય .

સ્પષ્ટીકરણ -૧ : - આ કલમના હેતુ સારૂ સ્ત્રીના પ્રજનન ભાગમાં ‘ લીબીયા અને મેજોરા ’[Labia majora ] બંને ભાગો નો સમાવેશ થાય છે . 
સ્પષ્ટીકરણ -૨ :- સંમતિ એટલે સ્પષ્ટ સ્વૈચ્છિક સંમતિ જયારે સ્ત્રીએ શબ્દથી, ઈશારાથી અથવા બોલાવાના અથવા નબોલાવાના કોઈપણ પ્રકારે પ્રસારીત કરી ખાસ જાતીય કૃત્યમાં ભાગ લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી હોય , પરંતુ સ્ત્રી જે યોનિ પ્રવેશના કૃત્યનો શારીરિક પ્રતિરોધ કરી શકે તેમ ન હોય ત્યારે જાતીય પ્રવૃતિ માટે તેણીની સંમતિ હતી તેવું કારણ માની શકાશે નહીં . 

  • અપવાદ -૧ : - તબીબી કાર્યવાહી અથવા દરમ્યાનગીરીથી બળાત્કાર બનતો નથી . 
  • અપવાદ -૨ : - જે પુરૂષનું તેની પોતાની પત્ની કે જે પત્ની પંદર વર્ષની ઉંમરથી નાની ન હોય તેની સાથેનો જાતીય સમાગમ અથવા જાતિય કૃત્ય બળાત્કાર નથી.

બળાત્કાર માટેની શિક્ષા : 


punishment  wikimedia


( ૧ ) જે કોઈ વ્યક્તિ , પેટાકલમ- ( ૨ ) થી જોગવાઈ કરેલા કેસોમાં હોય તે સિવાય બળાત્કાર કરે તેને સામે વર્ષની મુદત કરતા ઓછી ન હોય પણ આજીવન કેદની અથવા દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારના કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે , સિવાય કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી તેની પોતાની પત્ની હોય અને બાર વર્ષથી ઓછી વયની ન હોય તેવા દાખલામાં તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા એ બંન્નેની શિક્ષા કરવામાં આવશે. પરંતુ ન્યાયાલય , ફેંસલામાં જણાવવાના પૂરતા અને ખાસ કારણોસર સાત વર્ષની મુદત કરતા ઓછી મુદત માટે કેદની સજા થઈ શકે .
( ૨ ) જે કોઈ વ્યક્તિ - 
     
 [ ક ] પોલિસ અધિકારી હોઈને 
         ( ૧ ) જયાં તેની નિમણૂક થઈ હોય તે પોલિસ સ્ટેશનની હદમાં , અથવા
      ( ૨ ) જયાં તેની નિમણૂક થઈ હોય તો પોલિસ સ્ટેશનમાં આવેલું હોય કે ન હોય તેવા થાણાની મકાનની જગ્યામાં , અથવા
         ( ૩ ) પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના કોઈ પોલિસ અધિકારીની કસ્ટડીમાં હોય તે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા 
   
[ ખ ] રાજ્ય સેવક હોઈને પોતાના સત્તાવાર હોદ્દાનો લાભ ઉઠાવે અને એવા રાજ્ય સેવક તરીકે પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના રાજ્ય સેવકની કસ્ટડીમાં હોય તે સ્ત્રીનો ઉપર બળાત્કાર કરે , 
  
[ ગ ] જેલ, રિમાન્ડ હોમ અથવા જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ સ્થપાયેલ કસ્ટડીના અન્ય કોઈ સ્થળના અથવા સ્ત્રીઓ કે બાળકોની સંસ્થાના સંચાલન અથવા કર્મચારીવર્ગમાં હોઈને , પોતાના સત્તાવાર હોદાનો લાભ ઉઠાવે એ એવી જેલ , રિમાન્ડ હોમ , સ્થળ અથવા સંસ્થાની કોઈ સ્ત્રી અંતેવાસી ઉપર બળાત્કાર કરે , અથવા 
 
[ ઘ ] હૉસ્પિટલના સંચાલન અથવા તેના કર્મચારી કોઈ વર્ગમાં હોઈને , પોતાના સત્તાવાર હોદાનો લાભ ઉઠાવે અને તે હૉસ્પિટલમાંની કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા

[ ચ ] તે સ્ત્રી સગર્ભા હોવાનું જાણીને તેની ઉપર બળાત્કાર કરે , અથવા

[ છ ] બાર વર્ષથી ઓછી વયી હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા 

[ જ ] સામૂહિક બળાત્કાર કરે . 
   તેને દસ વર્ષની મુદત કરતાં ઓછી ન હોય તેટલી પણ આજીવન કેદની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે ; 
  પરંતુ ન્યાયાલય , ફેંસલામાં પૂરતા અને ખાસ કારણો દર્શાવીને દસ વર્ષ કરતાં ઓછી મુદત સુધીની બેમાંથી ગમે તે પ્રકારની કેદની સજા કરી શકશે .

સ્પષ્ટીકરણ -1 - પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવા કામ કરતી એક અથવા વધુ વ્યક્તિોએ સમૂહમાં કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો હોય ત્યારે તે દરેક વ્યક્તિએ આ પેટાકલમના અર્થ મુજબ સામૂહિક બળાકાર કર્યો છે એમ જણાશે . 

[ ૨ ] જે કોઈ 
  ( એ ) પોલીસ ઓફિસર હોય અને બળાત્કાર કરે 
  ( i ) જ્યાં તે પોલીસ ઓફિસરની નિમણૂંક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદ અથવા 
  ( ii ) કોઈ પણ સ્ટેશન હાઉસની જગ્યામાં અથવા 
 ( iii ) તેવા પોલીસ ઑફિસરની અટકાયતમાં અથવા તેવા પોલીસ ઑફિસરના તાબાના પોલીસ ઑફિસરની અટકાયતમાં હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા

[ બી ] જાહેર સેવકે તેની અટકાયતમાં હોય અથવા તેવા જાહેર સેવકના તાબાના સેવકની અટકાયતમાં હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા 

[ સી ] હથિયારધારી દળના સભ્ય તરીકે કેન્દ્ર સરકાર કે રાજય સરકારે તહેનાત કર્યા હોય તેવા વિસ્તારમાં બળાત્કાર કર્યો હોય , અથવા 

[ ડી ] વ્યવસ્થાપક તરીકે અથવા જેલના કર્મચારી રિમાન્ડ - હોમ અથવા જે તે સમયમાં અમલમાં હોય તેવા કોઈ કાયદા નીચે સ્થપાયેલ અટકાયતના બીજા સ્થળ અથવા સ્ત્રીઓની અથવા બાળકોની સંસ્થાના તેવી સંસ્થા જેલ , રિમાન્ડ હોમ , સ્થળ , અથવા સંસ્થાના ‘ સહનિવાસી પર બળાત્કાર કરે , અથવા

[ ઈ ] દવાખાનાના વ્યવસ્થાપક વહીવટદાર તરીકે અથવા કર્મચારી તરીકે તે દવાખાનામાં સ્ત્રી પર બળાત્કાર કરે , અથવા

[ એફ ] સંબંધી , વાલી અથવા શિક્ષક તરીકે અથવા સ્ત્રી માટેના ટ્રસ્ટના ટ્રસ્ટી અથવા સત્તાધિકારી તરીકે હોય તે , તેવી સ્ત્રી પર બળાત્કાર કરે , અથવા 

[ જી ] કોમી , જાતિ અગર વંશીય હિંસા દરમિયાન કરવામાં આવેલ બળાત્કાર , અથવા 

[ એચ ]સ્ત્રી ગર્ભવતી છે તેવું જાણવા છતાં તેણી ઉપર બળાત્કાર કરેલ હોય , અથવા 

[ જે ]  સંમતિ આપવા અસમર્થ હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા 

[ કે ] સ્ત્રી ઉપર અંકુશ અથવા પ્રભાવ ધરાવનારે તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો  હોય  , અથવા 

[ એલ ] શારીરિક અને માનસિક રીતે અસમર્થ સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય અથવા 

[ એમ ] બળાત્કાર કરતી વખતે સ્ત્રી ને શારીરિક ગંભીર ઈજા અથવા અપંગતા અથવા વિકૃતિ અથવા  સ્ત્રી  ની જીંદગી જોખમાય તેવું કૃત્ય હોય અથવા 

[ એન ] તે જ સ્ત્રી પર વારંવાર બળાત્કાર કર્યો હોય , તેને દસ વર્ષથી ઓછી ન હોય પરંતુ આજીવન કેદ જેનો અર્થ તે વ્યક્તિના કુદરતી બાકી જીવન સુધીની કેદ અંગેની સખત કેદની શિક્ષા અને દંડ થશે.

  • સજા - :બળાત્કાર - સખત કેદની ૧૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગી સુધી અને દંડ , - પોલીસ અધિકારનો - બિન - જમીની - સેશન્સ કોર્ટ.
                                                   જૈમીન જોષી. 

Thursday, October 8, 2020

બળાત્કાર શા માટે..? (Why rape ..?)

 

  • કોઈ પણ ગુનેહગારની પાછળ પ્રેરણાદાઈ તરીકે કોઈ ચહેરો ચોક્કસ હોય છે, પછી તે ભલે આડકતરી રીતે કેમ ન હોય. 



  ભારતવર્ષમાં 2018 માં દર 15 મિનિટમાં એક બળાત્કારની ઘટના નોંધાઈ છે અને 2019 માં દર 16 મિનિટએ એક વ્યક્તિ બળાત્કારનો ભોગ બને છે. બળાત્કારનો ભોગ બનનારની ઉંમરનો ચોક્કસ ઉલ્લેખ એટલા માટે નથી કરી શકાતો કારણ કે તેના માટે યોગ્ય શબ્દ શું વાપરી શકાય તે કોઈના સમજણમાં નથી આવતું. કોર્ટ માટે તે એક પીડિતા, વકીલ માટે ક્લાયન્ટ, સરકાર માટે જનતા, નેતા માટે મુદ્દો, પોલિસ માટે ફાઈલો, અધિકારીઓ માટે બોજો, સમાજ માટે બેઆબરૂ સ્ત્રી અને પરિવાર માટે લાંછન. કોર્ટને તેમાં કામ જોવાય છે,તો વકીલને પૈસા કમાવવાનો સ્ત્રોત. સરકાર માટે આંકડો તો નેતાઓને વોટબૅંક, પોલિસ માટે ફાઈલોનું વધતું નામ તો અધિકારીઓને પોતાના જીલ્લામાં થયેલ દુષ્કર્મનો બોજ. સમાજને ઉદાહરણ સ્થાપવા વ્યક્તિ અને પરિવારને તેમાં જન્મ આપવા માટે થયેલ પસ્તાવો, જે જીવનભર મને કમને જીવનનો એક ભાગ તરીકે સ્વીકૃત કરવાનો છે. કોણ હોય છે આ પીડિતા ..? ક્યાંથી આવે છે આવા લોકો..? લાંછન તરીકે જોવાતી આ સ્ત્રીઓને જન્મ કોણ આપે છે..? તેના માટે જવાબદાર કોણ હોય છે..?

  કેવી રીતે ઓળખીએ તેમને ?  5,6 વર્ષની આંગણમાં રમવાની માંડ છૂટ મળી હોય તેવી બાળકી કે તરુણાવસ્થામાં માંડ પ્રવેશેલ દીકરી. હજૂતો માંડ નવી મળેલ સ્કૂટીનો હૈયામાં હરખ પણ ન સમાયો હોય તેવી વિધાર્થીની કે હજૂતો હાથની મેહંદી પણ ન ઉતરી હોય તેવી પરિણીતા. પ્રથમ પ્રેમના બે પળ વિષે પણ જેને સહજ જ્ઞાન ના હોય તેવી છોકરી કે માંડ ઘરસંસાર ચલાવતા શીખી હોય તેવી સ્ત્રી. કોઈના પ્રેમમાં પત્ની બનવાનું સપનું જોતી પ્રેમિકા કે રસોડામાં પરિવારને ગમતું ભોજન બનાવતી વહુ. બે સંતાનનો ઉછેર કરતી માતા કે પરિવારના પોષણ માટે સંઘર્ષ કરતી યુવતી. શું કહીશું આ નારી જાતને..?

  ભીડમાં ચાલતા માણસને પોતાનામાં રહેલ પશુને સંતાડીને રાખવું પડે છે, પરંતુ જ્યારે જ્યારે તેને  બહાર નિકલવાનો અવસર મળે ત્યારે તે ભૂખ્યા કુતરાઓની જેમ મોઢું ફાડીને સુફેડો નાખે છે. કોઈ પણ બળાત્કાર માટે હલકી માનસિકતા કે વિકૃતિઓ જવાબદાર છે. તેને સમજવા મનોવિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે અને સમાજ દ્વારા કરાયેલ કાર્યો કે વારસામાં મળેલ સંસ્કાર કે આસપાસનું વાતાવરણ. બળાત્કારીત વ્યક્તિ ચોક્કસ ગુનેહગાર જ હોય અને દરેક ગુનેહગારની જેમ તેની પણ કહાની હોય. આવી હલકી માનશીકતા ઉત્પન થવાના સ્રોત વિષે થોડીક માહિતી મેળવીએ.

  • બળાત્કાર થવાના કારણો:(Causes of Rape)

 1)બાળપણનું વાતાવરણ: બાળકના જન્મ પછી તેનો કરેલ ઉછેર વધુ જવાબદાર હોય છે તેની પ્રગતિ અને દુર્ગતિ માટે. 20 થી 25 ટકા બાળકો  ચાઇલ્ડ અબ્યુસના શિકાર થતાં  હોય છે. જે મોટા થઈને બીજા લોકોને મોલેસ્ટ કરવાની શરૂઆત કરી દેતા હોય છે, તદુપરાંત જે બાળકને  ઇમોશનલી સપોર્ટ કરવા વાળું કોઈ ન હોય તથા પોતાની ફેમિલીમા થતાં વાઇલન્સને જોઈને તે પણ વાઈલન્ટ બની જતાં હોય છે જે તેમણે રેપિસ્ટ બનાવી શકે છે.

2)જાતીય સંતોષ: આ પ્રકારના વ્યક્તિઓને પોતાની કામેચ્છા ઉપર નિયંત્રણ નથી હોતું. કોઈ પણ સુંદર યુવતીને જોતાની સાથે તેઓ પોતાની ઇન્દ્રિયો ઉપરથી કાબૂ ગુમાવી બેસે છે અને પોતાના આવા આવેગોને સંતોષવા તે બળાત્કાર કરે છે.

3) સંસ્કૃતિ : કેટલીક સંસ્કૃતિ એવી હોય છે જે મહિલાઓનું સન્માન કરવાના પક્ષમાં નથી હોતી તથા તેમની રહેણી કહેણી અને સ્વતંત્ર વિચારું વાળું જીવન જીવવા પર પ્રતિબંધ લાદે છે. આવા મુદ્દાઓમાં મહિલાઓએ કેવા કપડાં પહેરવા, ક્યાં જવું ના જવું, ઘરની બહાર જવુ કે નહીં તથા અભ્યાસ કરવો કે નહીં, કોઈ ચોક્કસ પ્રકારનું વર્તન કરવું અને પોશાક પહેરવો જેવી મર્યાદાઓ લાદી દેવામાં આવે છે અને જો તે પ્રકારે તેમનું વર્તનના હોય તો સજા કરવામાં આવે છે જેમાં બળાત્કાર પણ છે. અમુક જગ્યા એવી પણ છે જ્યાં મહિલાઓને સજા આપવા સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે. 2013માં નિર્ભયા હત્યા અને બળાત્કારના એક આરોપી એ કહ્યું હતુ કે તે સારા ઘરની છોકરી હોત તો મોડી રાત્રે કોઈ છોકરા સાથે બહારના ફરતી હોત. તેનું આવું વલણ જોઈને અમને ગુસ્સો આવ્યો અને અમને જે કર્યું તેનો કોઈ અફસોસ નથી.

4) ડ્રગ્સ અને આલ્કોહોલ : વધારે પડતાં મદાર્ક દ્રવ્યોનું સેવન કરવાથી વ્યક્તિ ભાન ભુલાવી બેસે છે અને પોતાના આવેગોને શાંત કરવા બળાત્કાર કરે છે. આમાં માત્ર જાતીય આવેગ એકલો નથી હોતો પરંતુ રોજબરોજના કંટાળા ભરેલા જીવનના ગુસ્સાઓ, ચિંતાન, ધૃણા વગેરે પણ જવાબદાર હોય છે. છોકરીઓ જ્યારે મદાર્ક તથા આવા કોઈ ડ્રગ્સનું સેવન કરે છે ત્યારે તેમનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને તેમના પર બળાત્કાર કરવામાં આવે છે. આવા કિસ્સામાં છોકરીને બળાત્કારનો ભોગ બન્યાનો એહસાસ મોડો થાય છે અને ઘણી વખત વ્યક્તિનો ચહેરો પણ યાદ નથી હોતો. દેશમાં ડ્રગ્સ લેવો કાયદાકીય રીતે ગુનો હોવાથી પીડિતા કોઈ કાર્યવાહી કરતી નથી અને પરિણામે આવા કેટલાયે કિસ્સાઓ બેહોશીમાં ઘટિત થતાં હોય છે જેના આંકડા બહાર આવતા નથી.આમાં માત્ર બળાત્કાર એકલું નથી પણ હિંસા પણ અને એક અલગ પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે. કેટલાક પતિઓ તો પોતાની પત્ની સાથે જ આવું વર્તન કરે છે જે ચોક્કસ પ્રકારે અયોગ્ય છે પરંતુ સ્ત્રીઓ અંદરો અંદર સહન કરતી હોય છે.

5)ગુસ્સો : આવા કિસ્સામાં કોઈ વ્યક્તિને કોઈ મુદ્દે પીડિતા સાથે થયેલ ઝગડો કે મતભેદ જવાબદાર હોય છે. જેમાં તેની સાથે બદલો લેવાની ભાવના અને સેલ્ફ ઇગોના સેટિસફેક્સન માટે બળાત્કાર કરવામાં આવે છે અને તેની હત્યા પણ કરવામાં આવે છે.આવા લોકો ઝનૂની અને અત્યંત ગુસ્સાથી ભરેલા અને આક્રમક હોય છે.

6)ગરીબાઈ : આવા કિસ્સાઓમાં મહિલા તથા પુરુષો કઠિન પરિસ્થિઓનો સામનો કરતાં હોય છે. જેમાં બંને ગરીબી રેખા હેઠળ જીવતા હોવાથી એક બીજા કરતાં વધુ પૈસા કમાવામાં અને બીજાને નીચું દેખાડવાનાં ઈરાદાઓમા ગુસ્સો ઉત્પન થાય છે અને બળાત્કાર થાય છે.

7) કૌટુંબિક ગૌરવ : કેટલાક પરિવાર મહિલાઓ પર હાવી થવા અને આક્રમક વલણ ધરાવનારને ગૌરવ માને છે.જેમા ઝગડા, હત્યા, ચોરી, મર્ડર કરનારને પુરુષત્વ માને છે અને તેને પરિવાર સમાજ અને કુટુંબનું ગૌરવ માને છે.કેટલાક સમાજમાં તો જો કોઈ પુરુષ આવા કોઈ ગુનામાં સંડોવાયો ના હોય અથવા જેલમાં ન ગયો કોઈ તો તેવા પુરુષને કોઈ પોતાની દીકરી પણ નથી પરણાવતું, જે એક પ્રકારનું અજ્ઞાન જ છે.  પહેલાના જમાનમાં રાજાઓ પોતાના બળથી સ્ત્રીઓનું હરણ કરતાં અને રાણીઓ બનાવતા તથા સ્ત્રીઓ પણ વધુ બળશાળી પુરુષ સાથે લગ્ન કરવાનું ગૌરવ અનુભવતી.

8)યુદ્ધ : ઘણા સમય પહેલા ડાકુઓ ગામને લૂટવા આવતા અને સ્ત્રીઓનુ બળજબરી પૂર્વક હરણ કરતાં. એક રાજા જો યુદ્ધમાં અન્ય રાજાને હરાવે તો તેમના પ્રદેશની મિલકતને લૂટી લેતા અને તેમની સ્ત્રીઓનો બળાત્કાર કરતાં. જ્યારે બે દેશ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે સૈનિક જેતે જગ્યાની યુવતીઓનો બળાત્કાર કરે છે જેથી તેમનો ડર બની રહે. કાશ્મીરમાં આવાં કિસ્સાઓ ખૂબ જોવા મળ્યા હતા જ્યાં કાશ્મીરી પંડિતો અને તેમની મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવતા હતા અને તે લગભગ નિત્યક્રમ બની ગયો હતો.

9)શરણાર્થી : યુદ્ધ વખતે અથવા કપરી પરિસ્થિતિમાં લોકો સ્થળાંતર કરે છે. અન્ય શહેર કે દેશ જતાં હોય છે. તેવા કપરા સમયે કાયદો લગભગ મૃત્યુ પામ્યો હોય છે અને તે સમયે જેતે શહેર કે દેશના લોકો બહારથી આવેલા અને વસવાટ કરતાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી બળાત્કાર કરતાં હોય છે.

10)લૈંગિક ઉધ્યોગ :  આજના સમયમાં ઇન્ટરનેટના વધતાં જતાં ઉપયોગમાં વિવિધ વેબ સાઈડ દ્વારા દેહ વ્યાપાર કરતી મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવે છે. અલગ અલગ વિકૃતિઓ ધરાવતી અશ્લીલ વિડિયો બનાવી તેનો વ્યાપાર કરવામાં આવે છે. સમાજમાં સ્વીકૃત નથી તેવા અને જે સમ્માનીય  સબંધો છે તેને પણ ખૂબ ખરાબ રીતે બતાવવામાં આવે છે, પરિણામે વ્યક્તિની અંદર હલકી માનસિકતા અને વિકૃતિઓ ઉત્પન થાય છે. કામ સૂત્રમા પણ ઉલ્લેખના હોય તેવા ચિત્ર વિચિત્ર આસનોનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સમાજને દૂષિત કરે છે, પરિણામે વ્યક્તિ આવાં પ્રયોગો કરવા માટે પ્રેરાય છે અને બળાત્કાર જેવા ગુનાઓ થાય છે.

11) નબળી પરિસ્થિતિઓ  : માનવને પોતાનું ગુજરાન ચલાવવા માટે કેટકેટલા સંઘર્ષો કરવા પડતાં હોય છે. શેહરોના શહેરો બદલવા પડતાં હોય છે તેવી પરિસ્થિતિમાં વ્યક્તિની જરૂરિયાતોનો સોદો કરવામાં આવે છે અને તેનો લાભ લઈ બળાત્કાર કરવામાં આવે છે.

11) માનસિક અસ્વસ્થતા : કેટલાક કિસ્સામાં માણસ માનસિક રીતે અસ્વસ્થ હોય છે અને તે પોતાના વૈચારિક આવેગોને કાબુમાં રાખી શકતો નથી, અલબત્ત માનસિક બીમારી ઉત્પન થવાના ઘણા કારણો છે અને તેનું આખું એક અલગ વિજ્ઞાન છે અને તેમાંથી અમુક કારણ તો ઉપર જણાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે વ્યક્તિ જોવામાં સ્વથ્ય હોય છે, પરંતુ તે સમય આવે આ પ્રકારના કૃત્યો કરતાં ખચકાતો નથી.  

12) ધાર્મિક અજ્ઞાનતા : ક્યારેક જીવનની કપરી પરિસ્થિતિથી થાકી હારીને વ્યક્તિ કાળા જાદુ, મંત્ર તંત્ર, વશીકરણ જેવી ક્રિયાઓનો સહારો લેતાં છે. આવા સમય એ ધર્મ અને દેહશુદ્ધિનાં નામ પર શારીરિક સંબંધ બાંધવામાં આવતો હોય છે. શરમની વાત તો તે હોય છે કે આવું અયોગ્ય અને અવૈચારિક પગલું ભરનાર પોતે એક શિક્ષિત વ્યક્તિ હોય છે. આમ સામે વાળાને ખબર પણ નથી હોતી અને તે બળાત્કારનો ભોગ બની જતાં હોય છે. 

  તેવું માની લેવું ભૂલ ભરેલું છે કે બળાત્કાર માત્ર સ્ત્રીઓ પર જ થાય છે. મહિલાઓ દ્વારાં પણ પુરુષો પર થયેલા બળાત્કારના કિસ્સાઓ અને કેસો નોંધાયા છે. પ્રેમક્રીડા એ એક આવેગ છે જે પુરુષ તથા સ્ત્રીઓમાં ભેદ કરતો નથી. હવે તો સમલૈંગિક સબંધોનું પ્રમાણ પણ વધી ગયું છે માટે તેના અલગ કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે. ઘણી વખત પુરુષ દ્વારાં પુરુષ પર અને સ્ત્રીઓ દ્વારાં સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવતા હોય છે.તેના માટે પણ ઉપરના કારણ જ જવાબદાર હોય છે. કહેવાય છેને કે પ્રેમ આંધળો હોય છે, અને હવે તો તે જાતિ પણ જોતો નથી. ભલે ગમે તે હોય પણ બદલાતા સમયમાં હજુ કેટકેટલી વિકૃતિઓ જોવાની બાકી  છે તે તો સમય જ બતાવશે.   

  વ્યક્તિ કામુખતાનું દમન કરવાના પ્રયત્નો કરે છે અને કેટલાક સુધી તે સફળ પણ થયો છે, પરંતુ વ્યક્તિ તે ભૂલે છે કે કોઈ પણ પ્રકારની ઉર્જાનો નાશ થતો નથી.કામુખતાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે જાતીય જીવન માટે આશીર્વાદ રૂપ છે. ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા અને માનવોએ લગ્ન વ્યવસ્થા. ઈશ્વર ક્યારેય કોઈને બંધનમાં રાખતા નથી તેમને હમેશાં  સ્વતંત્રતાનું  જ યોગદાન કર્યું છે. માનવ શરીરની રચના જ સ્વતંત્રતાને વરેલી છે જે ભાગ્યે જ કોઈને એહસાસ હોય છે, પરંતુ માનવે પોતાની અલગ વ્યવસ્થા ઊભી કરે અને સબંધોનું નિર્માણ કર્યું. સંબંધો અધિકાર ધરાવે છે અને અધિકાર બંધનનું નિર્માણ કરતું હોય છે. પરિણામે વ્યક્તિ સતત જીવનથી નાખુશ રહેતો હોય છે અને ઘણીવાર અયોગ્ય કૃત્યો કરતો હોય છે, અલબત્ત આ જ માત્ર ચોક્કસ પણે એક જ કારણ નથી.

  બળાત્કારની ઘટના સ્ત્રીઓના મન ઉપર ખુબ જ માઠી અસર  પહોંચાડે અને સમાજ પણ તેના ઉપર અન્ય સવાલો ઊભા કરી વારંવાર તેનો બળાત્કાર કરતી હોય છે. સવાલ ફરી તેજ છે કે કોણ છે આ બધા ક્યાંથી આવ્યા..? અને જવાબ માત્ર એક જ છે.. ચહેરાઑ તરફ નજર કરશો તો ગણા જોવાશે અને પીડા તરફ નજર કરશો તો એક જ જોવાશે. દરેક પીડિતાની ઉંમર, નાત, જાત, જ્ઞાનતી, વર્ણ, સંપ્રદાય, વિસ્તાર બધુ અલગ હશે પણ સામ્યતા એક જ કે તે દરેકની પીડાઓ સરખી હશે.                                            

 

                                                                                  જૈમીન જોષી.           


Sunday, October 4, 2020

ભારત અને બળાત્કાર(India and Rape)

 

જ્યાં સ્ત્રીનું શિયળ(ઇજ્જત) જોખમમાં હોય ત્યાં ચોક્કસ પુરુષત્વ અપ્રાગટ્ય હોય તેમ સમજવું: 


rape image wekimedia


   2013 નિર્ભયા બળાત્કાર અને હત્યાકાંડનો ગુસ્સો હજુ સમ્યો નથી ત્યારે હાથરસ ગેંગરેપનો ચોંકાવનારો કિસ્સો આવી ગયો.એવું નથી કે 2013 પછી બળાત્કારના કિસ્સાઓ બંધ થઈ ગયા છે કે તેનો રેસીઓ ઘટી ગયો છે. 14 સપ્ટેમ્બર 2020 ના રોજ 19 વર્ષની દીકરી ઉપર ચારથી પાંચ લોકોએ બળાત્કાર કર્યો. તેના શરીરમાં કેટલાય ફ્રેક્ચર થયા,તેની જીભ કાપી નાખવામાં આવીકમર અને પગના હાડકા ઉપર ઈજા પહોચાડવામાં આવી. આ ગુનાની FIR 22 સપ્ટેમ્બર સુધી નોંધવામાં આવી હતી, પરંતુ  જ્યારે છોકરીએ મેજિસ્ટ્રેટની સામે ગેંગરેપ થયાનું બયાન આપ્યું ત્યારે તેનો ગુનો નોંધી પોલીસે ગુનેગારોને ઝડપી લીધાં. આ ગુનામાં યુપી સરકાર, પોલીસ તંત્રની નિષ્કાળજીમિલાવટ અને જાતિવાદ જેવા મુદ્દાઓને લઈને કેસે મોટી આગ પકડી છે.સરકાર અને પોલીસ તંત્રએ ગુંડાગીરી અપનાવી લીધી છે અને તંત્ર કાયદાની વિરુધ્ધમાં જઇને કાર્ય કરી રહ્યું છે તેવી વાતો પણ સામે આવી રહી છે.

 બળાત્કારના ગુના વાળા કિસ્સાઓ અવારનવાર આવતા જ રહે છે, જેમ કે જયંતિ ભાનુશાલી કેસ અને તેની વિડીયો.થોડા સમય પેહલા એક અપાર્ટમેન્ટમાં 11 વર્ષની બાળકી સાથે 18 લોકોએ સાત મહિના સુધી બળાત્કાર કર્યો હતો, કાલોલની પરિણીત મહિલા સાથે ચાર લોકોએ સામૂહિક બળાત્કાર કરીને અને નગ્ન ફોટા પાડ્યા હતા, બી.જે મેડિકલ કોલેજના ભણતી વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાવા આવ્યો હતો. સુરતની શાળામાં શિક્ષકે વોશરૂમમાં વિધાર્થિની સાથે બળાત્કાર કરી તેનો  વિડીયો બનાવામાં આવ્યો, ગીર સોમનાથમાં છોકરીને પ્રેમજાળમાં ફસાવી ચાર લોકો દ્વારાં બળાત્કાર થયો. તાંત્રિક દ્વારા કાળી વિધ્યાના ડરના માધ્યમથી સાત વર્ષ સુધી માતા પુત્રી ઉપર ગુજારેલા બળાત્કારની હેડલાઇન હજી તાજી જ મગજમાં ફરે છે.કંઠૂઆ  ગેંગરેપ અને હત્યા, મિત્ર પર બળાત્કારનો આરોપ લગાવવાથી શ્રીલંકન ઓપનર દનુસ્કાને તો સસ્પેન્ડ  કરાયા હતા. વલસાડમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર હોય કે હૈદરાબાદ રેપ કેસ. બોટાદ સગીરાનો રેપ કેસ કે પાટણમાં પુત્ર દ્વારાં માતા પર ગુજારેલ બળાત્કાર, રાજકોટમાં તરુણી પર પ્રેમી દ્વારા રેપ... આવા તો કેટકેટલાએ કેસો સામે આવ્યા છે અને હજુ આવી રહ્યા છે.પરંતુ આટલી જાગૃતિ છતાં પરિસ્તીતિમાં કોઈ પરીવર્તન જોવા મળતું નથી.

 હાલમાં બનેલ કિસ્સામાં સપ્ટેમ્બર 19 ના રોજ પાયલ ઘોસ નામક અભિનેત્રીએ ટ્વીટ કર્યું હતું: શ્રી કશ્યપે મારી જાતને ખૂબ જ ખરાબ રીતે દબાણ કર્યું છે.  નરેન્દ્ર મોદીજી માયાળુ રૂપે પગલાં લે અને દેશને આ સર્જનાત્મક વ્યક્તિની પાછળનો રાક્ષસ જોવા દે.  હું જાણું છું કે તે મને નુકસાન પહોંચાડી શકે છે અને મારી સુરક્ષા જોખમમાં છે.  પ્લીઝ  મદદ...!

  21 સપ્ટેમ્બરના રોજ શ્રી કશ્યપની વકીલ પ્રિયંકા ખીમાનીએ એક ટ્વિટર નિવેદનમાં, ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, “મારા અસીલ, અનુરાગ કશ્યપને જાતીય દુષ્કર્મના ખોટા આક્ષેપોથી ખૂબ દુખ થયું છે, જે હાલમાં જ તેમની વિરુદ્ધ સામે આવ્યું છે.  આ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા, દૂષિત અને બેઇમાની છે.  તે દુખદ છે કે # ME TOO આંદોલન જેટલું મહત્વનું એક સામાજિક ચળવળ  હિતો દ્વારા સહકાર આપવામાં આવ્યું છે અને પાત્ર હત્યાના સાધન સુધી ઘટાડવામાં આવ્યું છે.  આ પ્રકૃતિના કાલ્પનિક આક્ષેપો ચળવળને ગંભીરપણે નબળા પાડે છે અને જાતીય સતામણી અને દુર્વ્યવહારના અસલી પીડિત લોકોની પીડા અને આઘાત પર નિશંકપણે વેપાર કરવાનો પ્રયાસ કરે છે.  મારા ક્લાયંટને કાયદામાં તેના હક અને ઉપાયો વિશે સંપૂર્ણ સલાહ આપવામાં આવી છે અને સંપૂર્ણ હદ સુધી તેનો પીછો કરવાનો ઇરાદો છે.

  બોલીવુડમાં ઘણા સમય પહેલા બળાત્કાર અને સેક્સ્યુયલ હરેશમેંટના કેટલાએ કિસ્સાઓ #ME TOO મૂવમેન્ટ ચાલાવામાં આવી હતી. જેમાં  કેટકેટલી અભિનેત્રીઓ એ પોતાના ઉપર થયેલ સેક્સુઅલ હરેશમેંટ  વિષે ખૂલીને વાત કરીને વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો. મહિલાઓ સાથે થતાં અત્યાચાર વિષે હવે કોઈ જાહેરમાં સમજાવટ હોતી નથી કારણ કે   દરેક વ્યક્તિ તેના વિષે જાણતો હોય છે,તેનો ભાગ હોય છે તથા આંખ આડા કાન કરનાર હોય છે. છતાં કેટલાક  કિસ્સાઓ એવા સામે આવી જાય છે કે જે માનવ વિકૃતિઓને ઉગાડી પાડી નાખે છે.

  નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના 2018 ના વાર્ષિક અહેવાલ મુજબ, દેશભરમાં બળાત્કારના 33,356 કેસિસ છે, જેમાં દૈનિક સરેરાશ 91 બળાત્કારો નોંધાયા છે. જેમાથી 31,320 પીડિતને ઓળખાયેલા ગુનેગારો દ્વારાં કરવામાં આવ્યા છે. વર્ષ 2015 માં 24,651 , વર્ષ 2016માં 38,947 , વર્ષ 2017 માં 32,559 છે. 2019માં રોજના સરેરાશ 87 રેપ થાય છે.મદ્રાશ હાઈકોર્ટેના કહેવા પ્રામાણે દર 15 મિનિટમાં એક રેપ થાય છે. હાલમાં NCRB નાં આકડાં દર્શાવે છે કે દેશભરમાં ખૂન સાથે બળાત્કારના 278 કેસમાથી મહારાસ્ટ્રમાં સૌથી વધુ 47 નોંધાયા છે,જેમાં બે કેસ મૂંબઈમાં નોંધાયા છે. એમ.પી માં 37 અને યુ.પી. માં 34 છે.આતો માત્ર એ આંકડાઓ છે જેના કેસ નોધાયાં છે પરંતુ હકીકત તો કઈક અલગ જ હોય છે જે આ આકડાંઓથી 10 કે 50 ગણી વધુ હોય શકે છે.  

 અલગ અલગ દેશમાં બળાત્કારની સજા(Punishment of rape in different countries):

My_Trusty_Gavel



1)  ભારત: આજીવન કેદને મૃત્યુદંડની સજા

 એપ્રિલ 2013 નાં એન્ટી રેપ બિલ પછી, ગુનેગારોને આજીવન કેદ (જે ખરેખર 14 વર્ષ છે), આખા જીવન માટે કેદ અને દુર્લભ કેસોના ભાગ્યે જ મૃત્યુદંડની સજા પણ છે.  આ સુધારણામાં બળાત્કારની જેમ અન્ય ઘણા પ્રકારના જાતીય હુમલાનો સમાવેશ કરવા માટે વિસ્તૃત કરવામાં આવ્યું છે.

2)  અફઘાનિસ્તાન: માથામાં ગોળી અથવા ફાંસીને મોતને ઘાટ ઉતારી

 અહીં દોષી ઠરેલા બળાત્કાર કરનારાઓને 4 દિવસની અંદર માથામાં ગોળી મારવામાં આવે છે અથવા અદાલતે સોંપેલા ચૂકાદાના આધારે ફાંસીની સજા આપવામાં આવે છે.. 

 3)  ઇઝરાઇલ: જીવન માટે 16 વર્ષ

 જો કોઈને મહિલા પર બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવે છે, તો તેને 16 વર્ષની જેલની સજા ફરજિયાત છે.  તેમની બળાત્કારની વ્યાખ્યા તદ્દન સમાવિષ્ટ છે અને જાતીય હુમલાના અન્ય પ્રકારોને ધ્યાનમાં લે છે.

4) યુએસએ: આજીવન માટે જેલ

 અહીં દોષિત બળાત્કારી માટે સામાન્ય સજા એ સુનાવણી રાજ્ય અથવા સંઘીય કાયદા હેઠળ આવે છે કે કેમ તેના પર નિર્ભર છે.  સંઘીય કાયદા હેઠળના કેસોમાં, બળાત્કાર કરનારના જીવનકાળની સંપૂર્ણતા માટે સજા થોડા વર્ષોથી કેદ સુધીની હોઈ શકે છે.

5) નોર્વે: 4 થી 15 વર્ષ

 તેઓ બળાત્કાર સંદર્ભે સૌથી કડક સ્થળો છે.  સંમતિ વિના કોઈપણ પ્રકારનું જાતીય વર્તન અહીં બળાત્કારની કેટેગરીમાં આવે છે, અને ગુનો કેટલો ભયંકર હતો તેના આધારે ગુનેગારને 4-15 વર્ષની મુદત માટે જેલમાં ધકેલી શકાય છે.  તેમની પાસે આવી સરસ જેલ છે.

6) રશિયા: 3 થી 20 વર્ષ

 રશિયામાં બળાત્કારીઓને સામાન્ય રીતે 3-6 વર્ષની જેલની સજા કરવામાં આવે છે.  જેલની અવધિ પરિસ્થિતિને આધારે 10 વર્ષથી વધુનો સમયગાળો થઈ શકે છે, જેમ કે જો વ્યક્તિને કોઈ નુકસાન થાય છે અને જો તે ભાગ્યે જ કેસ હોય તો તે વધારે (20 વર્ષ) પણ હોઈ શકે છે.

7) ચાઇના: મૃત્યુ સજા અથવા મતદાન

 ચાઇનામાં બળાત્કારની સજા એ મૃત્યુ છે, જે કેટલાક તેમની ઝડપીતા માટે પ્રશંસા કરી શકે છે.  જો કે, યોગ્ય અજમાયશ વિના ફાંસીની જેમ જ ક્રૂરતા છે.  તેમની નિરંકુશ નેતૃત્વનો પુરાવો એ હકીકત બતાવે છે કે ફાંસી અપાયેલા કેટલાક દોષિત બળાત્કારીઓને બાદમાં નિર્દોષ જણાયા હતા.  કેટલાક કિસ્સાઓમાં કાસ્ટરેશનનો ઉપયોગ પણ થાય છે.

8)  ઉત્તર કોરિયા: ફાયરિંગ ટુકડી દ્વારા મોત

 આ સરમુખત્યારશાહી ફાયરિંગ ટુકડી દ્વારા બળાત્કારીઓને મોતની સજા આપે છે.  તેમની ન્યાયની લાઇનો અસ્પષ્ટ છે કે આપણે જાણીએ છીએ તે બધા માટે, તેઓ અસંતુષ્ટને ચલાવવા માટે આનો ઉપયોગ કવર તરીકે કરે છે.

9)  ઇજિપ્ત: ફાંસી દ્વારા મૃત્યુ

 ઇજિપ્ત પણ તે સ્થાનોમાંથી એક છે જે હજી પણ ફાંસી દ્વારા મૃત્યુના સહેજ જૂના મોડને અનુસરે છે.  જોકે બળાત્કારીઓના કિસ્સામાં, મને લાગે છે કે તે બરાબર છે.

10) ફ્રાન્સ: જીવન માટે 15 વર્ષ

 ફ્રેન્ચ લોકો તેમના બળાત્કારના કાયદા અંગે ખૂબ કડક છે.  બળાત્કાર બદલ તેઓએ 15 વર્ષની સજા સંભળાવી છે, જે નુકસાન અને નિર્દયતાની હદના આધારે 30 અથવા જીવન સુધી વધારી શકાય છે.. 

11)  સાઉદી અરેબિયા: દિવસની અંદર શિરચ્છેદ

 સાઉદી અરેબિયામાં બળાત્કારની સજા એ બળાત્કારીને શામક દવા આપીને જાહેર શિરચ્છેદ કરે છે.  તેઓ માદક દ્રવ્યોની હેરફેર માટેની સમાન સજાને પણ નબળા પાડે છે તે હકીકત એ સાબિત કરે છે કે તેમની સિસ્ટમમાં કંઇક ખોટું કંઇક ગર્ભિત છે.

12) ઈરાન: ફાંસીને મોતને ઘાટ ઉતારી

 ઈરાનમાં બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા આપવામાં આવે છે, કેટલીક વાર ફાંસી દ્વારા લગાવી દેવામાં આવે છે પરંતુ કેટલીક વખત કથિત રૂપે પથ્થરમારો પણ કરવામાં આવે છે, જે એક ભયાનક પદ્ધતિ છે.  દુર્ભાગ્યે, પર્યાપ્ત, અહીંની સંસ્કૃતિ પણ બળાત્કાર ગુજારનાર વ્યક્તિનો ભોગ બને છે.


Rape in India


  બળાત્કાર એ એક સૌથી અપમાનજનક ગુના તરીકે માનવામાં આવે છે જે માણસ કરી શકે છે.  બળાત્કારનો ભોગ બનેલા લોકોની ઘણી વાર સમાજમાં નિંદા કરવામાં આવે છે અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે.  સમાજ ગુનેગારના જીવનને જીવંત નર્કમાં ફેરવે છે.

   તેની અસર ભયાનક છે કારણ કે તે પીડિત પર અલોકિત શારીરિક, ભાવનાત્મક અને માનસિક ઘાવ લાવે છે.  પરંતુ ગુનેગારનું શુંપીડિતની આત્માને વેરવિખેર કરનાર શેતાનનું શું કરવું જોઈએ?

  વિશ્વના વિવિધ સરકારો જાતીય અત્યાચાર સામે સખત કાયદાઓ લઈને તેમના દેશને તેમના નાગરિકો માટે સુરક્ષિત સ્થાન બનાવવા માટે આવ્યા છે.તેઓએ ખાતરી કરી કે જેણે આ ઘોર ગુનામાં વ્યસ્ત રહે છે તે મુક્ત ભટકતો નથી.  કેટલીક સજાઓ એટલી નિર્દય હોય છે કે તે તમને ગુનેગારો માટે પણ દયા અનુભવી શકે છે.


                                                                                                            જૈમીન જોષી. 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...