Sunday, April 21, 2024

આપણા સંસ્કારો અને શિક્ષણ બંને વચ્ચે વિસંગતા જણાય તેનો અર્થ હજુ અપને અશિક્ષિત જ છીએ.(A discrepancy between our culture and education means that we are still uneducated.)

  • અલ્પવિરામ વગરનાં વાક્યો સુંદર અને સચોટ હોય છે તકલીફ તો અલ્પવિરામ પછી ઉત્પન્ન થાય છે.

jayvad


   સ્મરણ સંભારણા યાદ, સ્મૃતિ વગેરે ભૂતકાળને વાગોળવાની અને આત્મબોધ કરવાની ચાવીઓ છે. ભૂતકાળની ઘટના જેટલી જૂની હોય તેટલી આનંદ મય અને દિલને ખુશ કરી દેનાર હોય છે. અતીત કરતા આવનારી ક્ષણ અદભુત જ હોય છે પરતું તેને સમજવાની કે આત્મસાત કરવાની આપણી દ્રષ્ટી ભાગ્યેજ હોય છે. અલ્પવિરામ વગરનાં વાક્યો સુંદર અને સચોટ હોય છે તકલીફ તો અલ્પવિરામ પછી ઉત્પન્ન થાય છે કેમ કે વાસ્તવિકતાનું બીજું પાસું અલ્પવિરામ પછી જ આવતું હોય છે. વર્તમાનની ક્ષણ  સ્થિર બિંદુ જેવી હોય છે તે આપોઆપ નજર સામેથી પસાર થઇ જતી હોય છે અને પછી તે બાષ્પીભવન પામેલ બિંદુને આપણે શોધ્યા કરીએ ત્યાં જ ભૂતકાળને વાગોળવાની શરૂઆત થઇ જાય છે. આપણા ભૂતકાળને આધારે આપણી સાચી ખોટી આદતો, સ્વભાવ, ક્રિયા, આવડતને પારખી શકાય છે. આપણા શબ્દો આપણી આવડતને ઉગાડી કરતા હોય છે.

   હું ઘણી વખત વાત કરું છું કે આપણે મૌન ને બોલવા દઈએ, કોઈ વ્યક્તીને છંછેડ્યા વગર તેની ભીતરમાં રહેલી નીતિને પારખી લઈએ તો આપણે સચોટ માર્ગ પરથી પસાર થઇ શકીએ. કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ કે દલીલો દ્વારા આપણો સમય વેડફવાના બદલે ત્યાંથી પસાર થઇ જવામાં ચતુરાઈ રહેલી છે. આપણે શિક્ષિત લોકોની વચ્ચે ભલે ન મોટા થયા હોઈએ પરંતુ  આપણા સંતાનોનો ઉછેર તો હાઈ ફાઈ સોસાઈટીમાં કરવા ઈચ્છીએ છીએ. તે છતાં અપણા સંતાનો આપણા કરતા વધુ કઠોર અને નિર્બળ સાબિત થતા હોઈ છે. કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કે પાણીનો ગ્લાસ આપવા પણ સંતાનો તૈયાર નથી થતાં. તેમને પોતાની એક આંતરિક દુનિયા જે વર્ચ્યુઅલાઈઝેશનથી ચાલતી હોય છે તેમાં વધુ રસ છે. તે છતાં આપણે સંતાનો વધુ ભણેલા અને કોલીફાઈડ હોવાનો ગર્વ લેવાનું ચુકતા નથી.

   ‘’એક નાની સત્ય ઘટના યાદ આવે છે. મુંબઈમાં એક વાર એક વૃદ્ધ સ્ત્રી લાકડાંનો એક ભારો પોતાની પાસે લઈને ઉભી હતી. ભારો વજનમાં હતો માટે તે ત્યાંથી પસાર થતાં લોકો પાસે મદદ માંગતી હતી કે તે લાકડાંનો ભારો પોતાનાં માથા ઉપર ચઢાવી આપે, પરંતુ કોઈ પણ માણસે તેને ભારો માથા ઉપર ન મૂકી આપ્યો. થોડીવારમાં જ એક સુટબુટ અને ટાઈ પહેરેલ એક સજ્જન ત્યાંથી પસાર થતાં હતાં. તે વૃદ્ધાએ તેમને જોયા પરંતુ તે સજ્જન વ્યક્તિને જોઇને તેમની પાસે મદદ ન માંગી શક્યા. તેમને લાગ્યું આટલો મોટો વ્યક્તિ થોડી મારી મદદ કરશે. જ્યાં એટલા લોકો પસાર થઇ ગયા ત્યાં આ વ્યક્તિ પાસે તો શું અપેક્ષા રાખી શકાય? પેલા સજ્જન વ્યક્તિની નજર વૃદ્ધા સામે પડી અને તેમને લાગ્યું કે આ સ્ત્રી  મારી પાસેથી મદદ માંગે છે, તેથી તેઓ સહેજ અટક્યા અને પૂછ્યું કે માં !  તમે શું ઇચ્છો છો ? આવું આત્મીયતા ભર્યું સંબોધન સંભાળીને તે વૃદ્ધ મહિલાની આંખોમાં આશું આવી ગયાં. તેને કહ્યું કે હું અહીંથી પસાર થતાં બધા લોકોને લાકડાંનો આ ભરો મારા માથે ચડાવવા માટે વિનંતી કરું છું, પરંતુ કોઈ મને મદદ કરતું નથી.

   પેલા સજ્જને તરત જ તે ભારો ઊંચકીને વૃદ્ધ મહિલાના માથે મૂકી દીધો. હવે જરા સમજવા જેવું છે. તે સજ્જન બીજું કોઈ નહિ, પરંતુ મુંબઈ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી ગોવિંદ રાનડેજી હતા. આ ઘટના બતાવે છે કે માણસ ભલે ઊંચા પદ નો હોય કે જગત માત્રની ડીગ્રીઓ તેને પ્રાપ્ત કરી લીધી હોય પરંતુ તે મહાન તેના સદ્ગુણોથી જ બને છે.


આપણા સંસ્કારો અને શિક્ષણ બંને વચ્ચે વિસંગતા જણાય તેનો અર્થ હજુ અપને અશિક્ષિત જ છીએ.   

                                                                                                                                                                                                                                                     જૈમિન જોષી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           


No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...