Monday, January 12, 2026

"સ્વામી વિવેકાનંદ: યુવા ચેતના, શૈક્ષણિક દ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો પ્રતિબિંબ"("Swami Vivekananda: A reflection of youthful consciousness, educational vision and interfaith harmony")

 

 "સ્વામી વિવેકાનંદ: યુવા ચેતના, શૈક્ષણિક દ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો પ્રતિબિંબ"


swami vivekanand


 

   જ્યારે કોઈ દેશના યુવા ઊંઘતા હોય, ત્યારે એ દેશ કદી વિકસિત થઈ શકે નહીં. પરંતુ જયારે યુવા જાગે, ત્યારે ક્રાંતિ જન્મે છે. આવું જ એક યુગપ્રવર્તક વ્યક્તિત્વ 19મી સદીના ભારતે જોયું — સ્વામી વિવેકાનંદના રૂપમાં. તેઓ માત્ર સંન્યાસી નહોતાં, તેઓ એક જીવતા જાગતા વિચાર હતાં, એક ચેતના, એક આત્મબલથી ભરેલો ધ્વજધારી. તેમના વિચારો આજે પણ યુવાન દિલોમાં આગ સળગાવે છે, જેને 'સજાગતા', 'સ્વાભિમાન' અને 'સેવા'નું બીજ મળી રહે છે.

 

   સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે શિક્ષણ એ વ્યક્તિના અંદર રહેલી દિવ્ય શક્તિઓને બહાર લાવવાની પ્રક્રિયા છે. તેમના શબદોમાં:

 

"શિક્ષણ એ નથી કે જેની બહારથી વ્યક્તિમાં ભરી દેવામાં આવે છે, શિક્ષણ એ છે જે અંદરથી બહાર લાવવામાં આવે છે."

 

   તેમણે મર્યાદિત પાઠ્યપુસ્તક શિક્ષણ નહીં, પણ માનવતાવાદી, મૂલ્યઆધારિત અને આત્મવિશ્વાસ ઉભો કરતું શિક્ષણ જરૂરી માન્યું. તેમણે એવી શિક્ષણ પદ્ધતિની કલ્પના કરી જે ગરીબ, શ્રમજીવી અને પાંસરીવર્ગના બાળકોને પણ સમાન તક આપે.

 

   સ્વામી વિવેકાનંદે ધર્મ અને આધ્યાત્મના ક્ષેત્રને માત્ર ભક્તિ સુધી મર્યાદિત રાખ્યાં નહીં. તેમણે સમાજમાં ઉત્પન્ન થતી અસમાનતા, અશिक्ष, ગરીબી અને પીડાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો. તેમના મતે:"દુઃખી, ભૂખ્યા અને લાચાર માનવમાં ઈશ્વર છે – તેમાની સેવા એ જ સત્ય ભક્તિ છે."

   તેમણે રામકૃષ્ણ મિશનના માધ્યમથી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને અનુસૂચિત વર્ગ માટે સેવાનું વ્યાપક કાર્ય શરૂ કર્યું.

   સ્વામી વિવેકાનંદના વિચાર આજના યુવા માટે જીવનમાર્ગદર્શિકા સમાન છે. તેમણે યુવાવર્ગને નિર્વીર્ય જીવનની જગ્યાએ લક્ષ્યથી ભરેલું, દ્રઢ ચરિત્રવાળું જીવન જીવવા માટે પ્રેરણા આપી. તેમણે કહ્યું:

 

*"મજબૂત બનો! દયાળુ અને નિર્ભય બનો. વિશ્વમાં કોઈ શક્તિ તમારું વિરુદ્ધ જઈ શકે નહીં જો તમારું મન ભયમુક્ત અને આત્મવિશ્વાસથી ભરેલું છે."

   સ્વામી વિવેકાનંદનો વિસ્ફોટક ઉદય ત્યારે થયો જ્યારે 1893માં તેમણે શિકાગો ધર્મપરિષદમાં હાજરી આપી. માત્ર "માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઑફ અમેરિકા..." શબ્દોથી સમગ્ર હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો. એ માત્ર ભાષણ ન હતું, એ એક સંસ્કૃતિના પુનર્જાગરણનો સંકેત હતો.

તેમના ચરિત્રમાં વિશ્વાસ, સાધના, જીવનના દરેક ક્ષણ માટે ઉપયોગી વિચાર અને 'આત્માની જ્ઞાની શાંતિ' હતી.

આજે જ્યારે વિશ્વ ભૌતિકતામાં ગૂમ થઈ રહ્યું છે, ત્યારે સ્વામી વિવેકાનંદના વિચારો એક પ્રકાશપથ બતાવે છે. તેમના વિચારો એ મહેકતું કંપસ છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં દિશા આપે છે — શૈક્ષણિક, સામાજિક કે વ્યકિતગત વિકાસ માટે.

 

*"તું નબળો નહિ – તું અદમ્ય છે. ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો!"* 
આ શબ્દો આજના યુવાનો માટે એક નવી આશા છે – જીવતાં રહો, લડી જાવ અને જીતો.



જૈમિન જોષી. 

No comments:

Post a Comment

મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર, વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ(મકરસંકસંબંધી: (Mamkar Sankranti : Impact on controls, exchange and the importance of this chaptik)

  મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર , વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ:                    મકરસંક્રાંતિ એ માત્ર તહેવાર નથી , તે એક એવું સંક...