Wednesday, August 3, 2022
પાર્થિવ લિંગ શું છે? ( What is terrestrial gender?)
Sunday, July 24, 2022
બાળકોને જાતીય સતાવણી (Sexual harassment of children)
- દરેકનાં સ્પર્સ બાળક પ્રત્યે પ્રેમ અને સંવેદના જ દર્શાવતો હોય તે જરૂરી નથી.
બાળપણમાં જાતીય શોષણ એ સમાજમાં સૌથી વધુ કલંકિત મુદ્દાઓ પૈકી એક છે અને તેને મૂળભૂત માનવ અધિકારોના ઉલ્લંઘન અને જાહેર આરોગ્યની ગંભીર ચિંતા બંને તરીકે ઓળખવામાં આવે છે. જો કે, બાળપણના લૈંગિક દુર્વ્યવહારના વ્યાપને સચોટ રીતે માપવું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તેની ઓછી જાણ કરવામાં આવી છે.
એવી ઘણી વર્તણૂકો છે જેને જાતીય દુર્વ્યવહાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અને બાળકના જાતીય શોષણ તરીકે વર્ગીકૃત કરવા માટે ગુનેગાર અને બાળક વચ્ચે શારીરિક સંપર્ક કરવાની જરૂર નથી.
બાળપણનાં જાતીય
દુર્વ્યવહારને કોઈપણ "સંપૂર્ણ અથવા પ્રયાસ કરેલ જાતીય કૃત્ય, બાળક સાથે જાતીય
સંપર્ક અથવા શોષણ" ગણવામાં આવે છે.
બાળ જાતીય
દુર્વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે: સ્પર્શ અને બિન-સ્પર્શ. સ્પર્શમાં બાળકના
ગુપ્તાંગને સ્પર્શ કરવો, બાળકને કોઈ
અન્યના ગુપ્તાંગને સ્પર્શ કરવો, જાતીય રમતો રમવી અથવા જાતીય આનંદ માટે બાળકના યોનિ અથવા યોનિની અંદર, મોંમાં અથવા બાળકના ગુદામાં વસ્તુઓ અથવા શરીરના
ભાગો મૂકવાનો સમાવેશ થાય છે. બિન-સ્પર્શતા દુરુપયોગમાં બાળકને પોર્નોગ્રાફી બતાવવી,
કોઈ વ્યક્તિના ગુપ્તાંગને
બાળક સમક્ષ ખુલ્લું પાડવું, બાળકની
વેશ્યાવૃત્તિ/તસ્કરી કરવી, જાતીય પોઝમાં
બાળકનો ફોટો પાડવો, બાળકને વ્યક્તિગત
રૂપે અથવા વિડિયો પર જાતીય કૃત્યો જોવા અથવા સાંભળવા માટે પ્રોત્સાહિત કરવું અને બાળકને કપડાં
ઉતારતા અથવા બાથરૂમનો ઉપયોગ કરતા જોવું.
- ઈન્ડીયામાં બાળકોનું જાતિય શોષણ થવા બાબતે :
- બાળકનું જાતીય શોષણ કેમનું થાય ?
- જાતીય શોષણ માટેના બાળકો આવે છે ક્યાથી ?
યુનાઇટેડ સ્ટેટ્સમાં દર વર્ષે 65,000 થી વધુ બાળકો સાથે દુર્વ્યવહાર થાય છે.
લગભગ ચારમાંથી એક પુખ્ત સ્ત્રી અને તેરમાંથી એક પુરુષનું બાળપણમાં જાતીય શોષણ થયું હતું.
બાળ જાતીય દુર્વ્યવહારનો અનુભવ કરવો એ પ્રતિકૂળ બાળપણનો અનુભવ (ACE) છે જે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી લાંબા ગાળાની અસરો કરી શકે છે.
- બિનઆયોજિત ગર્ભાવસ્થા
- સ્થૂળતા અથવા કેન્સર જેવી લાંબી સ્વાસ્થ્ય સ્થિતિ
- ડિપ્રેશન અને PTSD
- પદાર્થ દુરુપયોગ
- આત્મહત્યાનું જોખમ વધે છે.
બાળ લૈંગિક દુર્વ્યવહારને પુખ્ત, કિશોર અથવા મોટા બાળક દ્વારા બાળક સાથેની જાતીય પ્રવૃત્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો કોઈ પુખ્ત વયના બાળક સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો તે જાતીય શોષણ છે. જો અન્ય બાળક અથવા કિશોર બાળક સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો એક ગ્રે વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં અમુક જાતીય વર્તન દુરુપયોગને બદલે નિર્દોષ શોધ છે.
દુરુપયોગના
વ્યક્તિગત ઇતિહાસને સ્વીકારવા માટે ખૂબ જ હિંમતની જરૂર છે. પર્યાપ્ત સમય, યોગ્ય સાધનો અને યોગ્ય સમર્થન સાથે, બાળપણના દુર્વ્યવહારના આઘાતથી આગળ વધીને
તંદુરસ્ત રીતે આગળ વધવું શક્ય છે.
Sunday, July 17, 2022
આપણી સાથે ચાલનાર વ્યક્તિ આપણાં હોય છે ખરા ? (The person who walks with us is ours right?)
- આગળ ચાલવું હોય તો પાછળનાં ડગલાંને છોડવું પડે....
પૃથ્વી ઉપર આપણો સફર શ્વાસથી શરુ થાય છે અને શ્વાસથી પૂર્ણ થાય છે. વધતી ઉંમર સાથે વધતાં શરીર, બળ, બુદ્ધિ, વિકૃતિ, મોહ, લાલચ, પીડા, અશાંતિ બધું વધતું જાય છે અને આપણે ઇચ્છાઓ દ્વારાં સર્જાયેલ વર્તુળમાં ક્યારે ખોવાઈ જઈએ છીએ તે સમજમાં જ નથી આવતું. અંધકારમાંથી બહાર નીકળીએ તો પ્રકાશ આપણી આંખો આંજી દે છે. આપણે અજવાળામાં ઉભા હોવાં છતાં સ્પષ્ટ જોઈ શકતાં નથી. જીવન સાથે પણ આવું થાય છે. સત્ય આપણી સામે હોવાં છતાં આપણી આંખો તેટલી ઝાંખી પડી જાય છે કે આપણે તેનો સહજ સ્વીકાર કરી શકતાં જ નથી. આપણો અકળાયેલો ગભરાયેલો સ્વભાવ વાસ્તવિકતા સાથે મનમેળ થવાં દેતો જ નથી. તમને ખરેખર લાગવા લાગે છે કે કોઈ છે જેનાં માટે મારે આટલું આટલું કરવાનું છે. કોઈ છે જે મારા માટે ફલાણું ફલાણું કરવાનું છે. જ્યારે આડંબરી વ્યક્તિત્વમાંથી બહાર ડોક કરીએ તો જીવન ઝેર લાગવા માંડે. ક્યારેક દિવસ લાંબો પડે તો ક્યારેક રાત્રી,
ક્યારેક સુખ ઓછુ તો ક્યારેક સમય, ક્યારેક વ્યક્તિ
માટેની ઝંખના તો ક્યારેક અલગ થવાનાં અભરખા વધતાં જતા હોય છે. આપણે જેમ જેમ વ્યક્તિઓનો સંપર્કમાં આવતા જઈએ તેમ તેમ કેટલાક લોકો અપણને અંગત લાગવા લાગે છે. આપણે તેવા પરિઘની રચના કરી દઈએ જેમાં અમુક ચોક્કસ
વ્યક્તિનું જ સ્થાન હોય. તે વર્તુળમાં અન્યને પ્રવેશ કરવો હોય તો વ્યક્તિને આપણી
શરતોનું ચોક્કસ માળખું અનુસરવું પડે. આપણી ખોટી તો ખોટી પણ ક્રિયામાં સહકાર અપાવો
પડે. કોઈ આપણને ખોટો કહી પણ દે તો આપણાં ભવા અને મોઢાં બંને ચડી જતા
હોઈ છે. આપણને રાજી રાખવા કોઈએ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી આપણાં હિસાબે ચાલવું પડે. આપણાં વર્તુળમાં આપણને રિઝવે તેમનું જ સ્થાન અવ્વલ હોય છે. આપણાં વ્યક્તિત્વથી
અંજાઈને કેટલાંક વ્યક્તિઓ આપણી બનાવેલી દુનિયામાં પ્રવેશ તો મેળવી લે છે પરંતુ ધીમે
ધીમે તે અંદરથી રૂંધાવા લાગે છે. ધીમે ધીમે આપણાં માટે ઉત્પન થયેલ પ્રેમ ક્યારે ઘૂટન
બની જાય છે તે સમજી શકાતું નથી. માતા-પિતા જેવા અંગત સબંધોને બાદ કરતાં મોટા ભાગના સબંધો
માત્ર સ્વાર્થ કે સામાજિક પરંપરાઓ દ્વારાં થોપી મારેલા જડ નિયમોના પરિણામ સ્વરૂપ જોડાયેલા
હોય છે. જોડાઈ જવું અને જકડાઈ જવું બંને વચ્ચે ઘણો ફર્ક છે. જોડાણમાં સાથ છે, પ્રેમ
છે, સ્નેહ છે, કરુણા અને માનવતા છે જ્યારે
જકડામણમાં ક્રોધ, અકળામણ, ડિપ્રેસન, બંધન, અને જીદ છે. જો તમે આંખોથી જ્ઞાનનો પડદો થોડો
હટાવશો તો સમજાશે કે આપણે જેને પોતાના માનીને ચાલીયે છીએ તે તો માત્ર પ્રવાસમાં સાથે
છે, આપણી સફળતાની સાથે છે, આપણી પ્રગતિ
અને પ્રાપ્ત કરેલ હોદ્દાની સાથે છે. એક મિત્ર મિત્રની ઈર્ષા કરે, એક ભાઈ ભાઈના ધનની ઈર્ષા કરે, સાથી કર્મચારી મળતાં પગાર
કે હોદ્દાની ઈર્ષા કરે. ધીમે ધીમે તમે આગળ વધતાં જાવ તેમ દરેક વ્યક્તિ તમારાથી છૂટતું
જાય છે. અલબત્ત તે તમને જીવનનાં તેવા અમુલ્ય પાઠ ભણાવતા જશે જેથી તમે વધુ ‘’મજબૂત’’ અને ”દ્રઢ” બનતા જશો. તમારી કરુણા ધીમે ધીમે પૂરી થતી જશે. માનવતા
ઉપરથી તમારો વિશ્વાસ ઊઠતો જશે. તમે વધુ આક્રમક અને જુસ્સા વાળા બનતા જશો. પ્રગતિનાં
નામ ઉપર અન્યને કરી બતાવવાની લાગણી ક્યારે ઊભી થઈ જશે તેનું પણ જ્ઞાત નહીં હોય. વ્યક્તિઓથી છેતરાયેલો
માણસ ધીમે ધીમે વસ્તુઓમાં સુખ શોધવા લાગે છે. વધુને વધુ “ધન” પ્રાપ્ત કરવા, વધુ
નામ આગળ વધારવા માટે પ્રયત્નો કરવા લાગે છે પણ જ્યારે તે આ બધુ પ્રાપ્ત કરી લેતો હોય
છે ત્યાં સુધી જીવન પૂરું થઈ ચૂક્યું હોય છે. જ્યારે ખરેખર ભોગવવાનો સમય આવે છે ત્યારે
કશું ભોગવી શકતા નથી. પાછળ ફરીને જોતાં તે
પણ સમજાતું નથી કે સફરમાં છૂટેલ વ્યક્તિઓમાં કોઈ અંગત તો છૂટી નથી ગયુને, પણ સાથે તે પણ સ્વીકારવું જરૂરી છે કે આપણાં સફરમાં શરૂઆતથી અંત સુધી કોઈ
સાથે નથી અવવાનું. દરેકને પોતાનું જીવન છે અને સમય આવે પ્રત્યેક વ્યક્તિ તેમનો વળાંક
પસંદ કરી વળી જતો હોય છે. આપણે જેને સાથે લઈને ચાલવા માંગીએ છીએ તે તો ક્યારનાં પોતાના મનથી તમને છોડી ચૂક્યા હોય છે. તમારી સાથે
જે ચાલી રહ્યું છે તેતો માત્ર એક શરીર છે. તમે શરીરનું શું કરશો? તમે ક્યારેય વિચાર્યું છે કે હાડ-માંસના
લોચા તમને કેટલું સુખ આપી શકે? ઇચ્છાઓથી પર પણ એક
દુનિયા છે. તમને જે તરસ છે તેતો માત્ર શરીરની જ છે. પાનને પણ લીલા રહેવા માટે પોતાનાં વૃક્ષમાંથી પ્રવાહી ખેચવું પડે છે અને વૃક્ષને પણ હર્યુભર્યું રહેવા માટે પોતાનાં મૂળિયાં
વિકસાવવા પડે છે. દરેક સુખમાં સબંધ શોધવા જશો તો દુ:ખી થસો. સુખને સંબધ સાથે કોઈ લેવા
દેવા નથી આપણે પત્ની કરતાં વધુ રોમાચ અન્ય સ્ત્રી સાથે અનુભવીએ છીએ. ભાઈ કરતાં મિત્ર
સાથે વધુ ખૂલીને હસીને વાતો કરીએ છીએ. બહારનાં જગતમાં સુખ અને દુ:ખ
જોડાયેલા છે. એટલા માટે જે દિવસે તમારી પાસે “ધન” આવી જશે તે દિવસે નિન્દ્રા ખોવાઈ
જશે. જીવનની દુર્ઘટનામાંથી બહાર નિકળીએ તો ક્યારેક ભોજનનું સુખ, ક્યારેક સ્વસ્થનું સુખ, તૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકીએ. પ્રત્યેક સમયે કોઈને સાથે લઈને ચાલવાની ભાવના અંતે તો દુઃખી અને એકલા જ કરી મૂકે છે. કોઈનો
છૂટતો સાથ સહન કરવાની કાર્યક્ષમતા અને સહજતા જેનામાં નથી તે વ્યક્તિ અંતે તો કરુણાહિન
અને જડ જ વ્યક્તિત્વ ધરાવતો બની જશે. સાચું સુખ તો ધીમે ધીમે
બધુ ત્યાગ કરવામાં જ છે. જૈમીન જોષી.
પૃથ્વી ઉપર આપણો સફર શ્વાસથી શરુ થાય છે અને શ્વાસથી પૂર્ણ થાય છે. વધતી ઉંમર સાથે વધતાં શરીર, બળ, બુદ્ધિ, વિકૃતિ, મોહ, લાલચ, પીડા, અશાંતિ બધું વધતું જાય છે અને આપણે ઇચ્છાઓ દ્વારાં સર્જાયેલ વર્તુળમાં ક્યારે ખોવાઈ જઈએ છીએ તે સમજમાં જ નથી આવતું. અંધકારમાંથી બહાર નીકળીએ તો પ્રકાશ આપણી આંખો આંજી દે છે. આપણે અજવાળામાં ઉભા હોવાં છતાં સ્પષ્ટ જોઈ શકતાં નથી. જીવન સાથે પણ આવું થાય છે. સત્ય આપણી સામે હોવાં છતાં આપણી આંખો તેટલી ઝાંખી પડી જાય છે કે આપણે તેનો સહજ સ્વીકાર કરી શકતાં જ નથી. આપણો અકળાયેલો ગભરાયેલો સ્વભાવ વાસ્તવિકતા સાથે મનમેળ થવાં દેતો જ નથી. તમને ખરેખર લાગવા લાગે છે કે કોઈ છે જેનાં માટે મારે આટલું આટલું કરવાનું છે. કોઈ છે જે મારા માટે ફલાણું ફલાણું કરવાનું છે. જ્યારે આડંબરી વ્યક્તિત્વમાંથી બહાર ડોક કરીએ તો જીવન ઝેર લાગવા માંડે. ક્યારેક દિવસ લાંબો પડે તો ક્યારેક રાત્રી,
ક્યારેક સુખ ઓછુ તો ક્યારેક સમય, ક્યારેક વ્યક્તિ
માટેની ઝંખના તો ક્યારેક અલગ થવાનાં અભરખા વધતાં જતા હોય છે. આપણે જેમ જેમ વ્યક્તિઓનો સંપર્કમાં આવતા જઈએ તેમ તેમ કેટલાક લોકો અપણને અંગત લાગવા લાગે છે. આપણે તેવા પરિઘની રચના કરી દઈએ જેમાં અમુક ચોક્કસ
વ્યક્તિનું જ સ્થાન હોય. તે વર્તુળમાં અન્યને પ્રવેશ કરવો હોય તો વ્યક્તિને આપણી
શરતોનું ચોક્કસ માળખું અનુસરવું પડે. આપણી ખોટી તો ખોટી પણ ક્રિયામાં સહકાર અપાવો
પડે. કોઈ આપણને ખોટો કહી પણ દે તો આપણાં ભવા અને મોઢાં બંને ચડી જતા
હોઈ છે. આપણને રાજી રાખવા કોઈએ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી આપણાં હિસાબે ચાલવું પડે. આપણાં વર્તુળમાં આપણને રિઝવે તેમનું જ સ્થાન અવ્વલ હોય છે. આપણાં વ્યક્તિત્વથી
અંજાઈને કેટલાંક વ્યક્તિઓ આપણી બનાવેલી દુનિયામાં પ્રવેશ તો મેળવી લે છે પરંતુ ધીમે
ધીમે તે અંદરથી રૂંધાવા લાગે છે. ધીમે ધીમે આપણાં માટે ઉત્પન થયેલ પ્રેમ ક્યારે ઘૂટન
બની જાય છે તે સમજી શકાતું નથી. માતા-પિતા જેવા અંગત સબંધોને બાદ કરતાં મોટા ભાગના સબંધો
માત્ર સ્વાર્થ કે સામાજિક પરંપરાઓ દ્વારાં થોપી મારેલા જડ નિયમોના પરિણામ સ્વરૂપ જોડાયેલા
હોય છે. જોડાઈ જવું અને જકડાઈ જવું બંને વચ્ચે ઘણો ફર્ક છે. જોડાણમાં સાથ છે, પ્રેમ
છે, સ્નેહ છે, કરુણા અને માનવતા છે જ્યારે
જકડામણમાં ક્રોધ, અકળામણ, ડિપ્રેસન, બંધન, અને જીદ છે. જો તમે આંખોથી જ્ઞાનનો પડદો થોડો
હટાવશો તો સમજાશે કે આપણે જેને પોતાના માનીને ચાલીયે છીએ તે તો માત્ર પ્રવાસમાં સાથે
છે, આપણી સફળતાની સાથે છે, આપણી પ્રગતિ
અને પ્રાપ્ત કરેલ હોદ્દાની સાથે છે. એક મિત્ર મિત્રની ઈર્ષા કરે, એક ભાઈ ભાઈના ધનની ઈર્ષા કરે, સાથી કર્મચારી મળતાં પગાર
કે હોદ્દાની ઈર્ષા કરે. ધીમે ધીમે તમે આગળ વધતાં જાવ તેમ દરેક વ્યક્તિ તમારાથી છૂટતું
જાય છે. અલબત્ત તે તમને જીવનનાં તેવા અમુલ્ય પાઠ ભણાવતા જશે જેથી તમે વધુ ‘’મજબૂત’’ અને ”દ્રઢ” બનતા જશો. તમારી કરુણા ધીમે ધીમે પૂરી થતી જશે. માનવતા
ઉપરથી તમારો વિશ્વાસ ઊઠતો જશે. તમે વધુ આક્રમક અને જુસ્સા વાળા બનતા જશો. પ્રગતિનાં
નામ ઉપર અન્યને કરી બતાવવાની લાગણી ક્યારે ઊભી થઈ જશે તેનું પણ જ્ઞાત નહીં હોય. વ્યક્તિઓથી છેતરાયેલો
માણસ ધીમે ધીમે વસ્તુઓમાં સુખ શોધવા લાગે છે. વધુને વધુ “ધન” પ્રાપ્ત કરવા, વધુ
નામ આગળ વધારવા માટે પ્રયત્નો કરવા લાગે છે પણ જ્યારે તે આ બધુ પ્રાપ્ત કરી લેતો હોય
છે ત્યાં સુધી જીવન પૂરું થઈ ચૂક્યું હોય છે. જ્યારે ખરેખર ભોગવવાનો સમય આવે છે ત્યારે
કશું ભોગવી શકતા નથી. પાછળ ફરીને જોતાં તે
પણ સમજાતું નથી કે સફરમાં છૂટેલ વ્યક્તિઓમાં કોઈ અંગત તો છૂટી નથી ગયુને, પણ સાથે તે પણ સ્વીકારવું જરૂરી છે કે આપણાં સફરમાં શરૂઆતથી અંત સુધી કોઈ
સાથે નથી અવવાનું. દરેકને પોતાનું જીવન છે અને સમય આવે પ્રત્યેક વ્યક્તિ તેમનો વળાંક
પસંદ કરી વળી જતો હોય છે. આપણે જેને સાથે લઈને ચાલવા માંગીએ છીએ તે તો ક્યારનાં પોતાના મનથી તમને છોડી ચૂક્યા હોય છે. તમારી સાથે
જે ચાલી રહ્યું છે તેતો માત્ર એક શરીર છે. તમે શરીરનું શું કરશો? તમે ક્યારેય વિચાર્યું છે કે હાડ-માંસના
લોચા તમને કેટલું સુખ આપી શકે? ઇચ્છાઓથી પર પણ એક
દુનિયા છે. તમને જે તરસ છે તેતો માત્ર શરીરની જ છે. પાનને પણ લીલા રહેવા માટે પોતાનાં વૃક્ષમાંથી પ્રવાહી ખેચવું પડે છે અને વૃક્ષને પણ હર્યુભર્યું રહેવા માટે પોતાનાં મૂળિયાં
વિકસાવવા પડે છે. દરેક સુખમાં સબંધ શોધવા જશો તો દુ:ખી થસો. સુખને સંબધ સાથે કોઈ લેવા
દેવા નથી આપણે પત્ની કરતાં વધુ રોમાચ અન્ય સ્ત્રી સાથે અનુભવીએ છીએ. ભાઈ કરતાં મિત્ર
સાથે વધુ ખૂલીને હસીને વાતો કરીએ છીએ. બહારનાં જગતમાં સુખ અને દુ:ખ
જોડાયેલા છે. એટલા માટે જે દિવસે તમારી પાસે “ધન” આવી જશે તે દિવસે નિન્દ્રા ખોવાઈ
જશે. જીવનની દુર્ઘટનામાંથી બહાર નિકળીએ તો ક્યારેક ભોજનનું સુખ, ક્યારેક સ્વસ્થનું સુખ, તૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકીએ. પ્રત્યેક સમયે કોઈને સાથે લઈને ચાલવાની ભાવના અંતે તો દુઃખી અને એકલા જ કરી મૂકે છે. કોઈનો
છૂટતો સાથ સહન કરવાની કાર્યક્ષમતા અને સહજતા જેનામાં નથી તે વ્યક્તિ અંતે તો કરુણાહિન
અને જડ જ વ્યક્તિત્વ ધરાવતો બની જશે. સાચું સુખ તો ધીમે ધીમે
બધુ ત્યાગ કરવામાં જ છે. જૈમીન જોષી.
Sunday, March 13, 2022
નરસિંહ મહેતા (Narsinh Mehta)
- ગુજરાતને જેટલો ક્રુષ્ણ વહાલો છે, તેટલો જ તેનો ભક્ત પણ વહાલો છે.
NARSHIH MAHETA |
એક દિવસ એક બ્રાહ્મણ સવારના વહેલા તેનાં ઘોડા માટે ઘાસ કાપવા જંગલમાં ગયા, તે માથે ઘાસનો ભારો લઈને સાંજે ઘેર આવ્યા. કકડીને ભૂખને કારણે પગ લંગવાતા હતાં. આકરા તાપમાં માંડમાંડ ઘરે પહોચ્યાં. ઘાસનો ભારો એક બાજુએ મૂકી સીધાં સ્નાન કરવાં ગયા. સ્નાન કરી સીધા રસોડામાં પેઠા ને પાટલો માંડી બેઠા. ઘરમાં બે ભાઈ અને તેમની પત્ની સાથે રહેતાં હતાં, ભાભી ને થોડું ઓછું આવ્યું અને તરત ભાભીએ છણકો કર્યો: ‘ ઓ હો ! આમ તો મૂરખ, પણ પેટ ભરવાની કેવી અક્કલ છે ! રૂઆબ તો જાણે આખા ઘરને પોતે ધાન પૂરતા હોય એવો !
બ્રાહ્મણ સ્વભાવે ભોળો અને વૃતિએ ધાર્મિક હતો. તેમણે ધીમેથી કહ્યું : ‘ ભાભી, ધાન તો બધાને ભગવાન પૂરે છે !
આ સાંભળતાં જ ભાભીનો મિજાજ ગયો. આંખો ગુસ્સેથી લાલ થઈ ગઈ. મનમાં સંગ્રહ કરી રાખેલી
જવાળાએ શબ્દોનું રૂપ લીધું. તે બોલી ઊઠી: ‘ રાતદિવસ ભગતડાં ભેગા રહીને ભગતડાંની બોલી બોલતાં ઠીક
શીખી ગયા છો ! તો જઈને માગો તમારા ભગવાન પાસે ! એ આપશે.
એ જ આપશે ! ’ કહી બ્રાહ્મણ પાટલા પરથી ઊભા થઈ ગયા.
સીધા ઘરમાંથી બહાર નીકળી તેમણે જંગલ તરફ ચાલવા માંડ્યું. તેમના મગજમાં ફરી ફરીને અવાજ સંભળાવા લાગ્યો : ‘ એ જ આપશે ! એ જ આપશે !
પણ એ છે ક્યાં? એને ગોતવો ક્યાં?
ગમે ત્યાં હોય, પણ એને શોધી કાઢ્યા વિના હવે નહિ ચાલે.
બ્રાહ્મણ ગામ છોડી જંગલમાં પહોંચ્યા. ત્યાં મહાદેવનું એક
જીર્ણ મંદિર હતું. કોઈ જ ત્યાં પૂજા કરવા જતું નહોતું. મહેતાજી મહાદેવજી સામે
ધરણું કરી બેઠા. બસ, હવે અહીંથી ઊઠવું જ નથી. એક બે કરતાં સાત દિવસ થઈ ગયા.
પળેપળ એમના મુખમાંથી, રોમરોમમાંથી એક જ ઉચ્ચાર નીકળ તો હતો. ‘
હે
શંકર ! હે શંભુ ! દયા કર !
છેવટે ભોળાનાથ પ્રસન્ન થયા. કહે : ‘ માગ , માગ , માગે તે આપું ! ’
બ્રાહ્મણે કહ્યું : ‘ માગવાનું મનમાં કંઈ રહ્યું
જ નથી.
શિવે કહ્યું : ‘ તોયે દુર્લભ એવું કંઈ માગ !
ત્યારે બ્રાહ્મણ કહે : ‘ તમને જે વલ્લભ હોય, જે દુર્લભ, તે આપો...
મહાદેવને થયું કે આ તો મારી પરીક્ષા થઈ ગઈ. હવે તો હું જેને કીમતીમાં
કીમતી ગણું છું તેજ મારે એને આપવું જોઈએ!
તેમણે કહ્યું : ‘ ચાલ, તને કૃષ્ણનાંદર્શન કરાવું !
મહાદેવની કૃપાએ બ્રાહ્મણને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં. તે રાસલીલામાં એટલા ખોવાઈ ગયા કે તેમના હાથમાં સળગતી
મસાલ ક્યારે તેમના હાથને દ્જાડવા લાગી તેનું પણ જ્ઞાત ન રહ્યું, તે બસ આભા બની કૃણાલીલામાં મગ્ન
હતાં. જ્યારે ભાન આવ્યું
ત્યારે ક્રુષ્ણ સ્વયં તેમની સામે ઊભા હતાં. બ્રાહ્મણ ક્રુષ્ણના પગમાં પડી રુદન કરવાં લાગ્યાં. કૃષ્ણે તેમને બંને હાથે ખભેથી પકડી ઊભા કર્યા અને આલિંગનમાં
જકડી લીધાં. એક બાજુ ક્રુષ્ણ હળવું મલક્યા કરે છે જ્યાં બીજે બ્રાહ્મણની આંખોમાંથી અશ્રુઓનો વહાવ અનરાધાર વહ્યાં કરે
છે. શ્રી કૃષ્ણએ તેમને છાનાં રાખી એમને પીતામ્બર પહેરાવ્યું અને તેમના માથે મોરપીંછનો મુગટ
મૂક્યો.
બ્રાહ્મણ: પ્રભુ, હું તમારા સાનિધ્યમાં રાહેવા માંગુ છું... મને પાવન કરો પ્રભુ,
ક્રુષ્ણ: જ્યારે
જ્યારે તું મને પોકારીશ ત્યારે ત્યારે હું હાજર થઈશ.
ભગવાને વચન આપ્યું, બ્રાહ્મણ તો આભા બની ઘર તરફ ભાગ્યા. તે હાથમાં કરતાલ લઈ ભજન ગાતા
ગાતા ઘેર આવ્યા ને સીધા જ ભાભીના પગમાં પડ્યા : ‘ ભાભી , તમારી કૃપાથી મને ભગવાનનાં દર્શન થયાં !
ભાભીતો બ્રાહ્મણનો આ નવો વેશ જોઈ વધારે ખિજાયાં. આ બ્રાહ્મણ એટલે ભક્ત નરસૈયો, જેને આખી દુનિયા નરસિંહ મહેતાનાં
નામ થી ઓળખે છે.
નરસિંહ મહેતા આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલાં, જૂનાગઢ પાસે તળાજા નામે ગામમાં, નાગર બ્રાહ્મણની નાતમાં જન્મ્યા હતાં. એમની પાંચ વર્ષની વયે
એમના માતાપિતાનું મરણ થતાં મોટા ભાઈ વણશીધરના આશ્રયે તેઓ ઊછર્યા હતા . નાનપણથી જ
નરસિંહ મહેતાનું મન ઈશ્વરભજનમાં અને સાધુસંતોની સેવામાં લાગેલું હતું , તેથી ભણવા ગણવા પર એમનું
કંઈ લક્ષ નહોતું. તે વખતના રિવાજ પ્રમાણે નવ વર્ષની ઉંમરે સાત વર્ષની માણેકબાઈ
સાથે એમનાં લગ્ન થયાં હતાં. એમ કરતાં નરસિંહ મહેતા પંદર વર્ષના થયા. મોટાભાઈએ એમને
ઘોડા સાચવવાનું કામ સોંપ્યું હતું.
મહેતાજી હવે પત્ની
માણેકબાઈ, પુત્રી કુવંરબાઈ અને પુત્ર
શામળશાને લઈ જુદા ઘરમાં રહ્યા, ઘરની ચિંતા ભગવાનને માથે
નાખી તેઓ તો ભજન કીર્તનમાં જ મસ્ત રહેતા.
સમય સાથે પુત્ર "શામળ" હવે બાર વર્ષનો હતો. મહેતાજી પોતે નવ વરસે પરણ્યા હતા, તેથી માણેકબાઈએ મહેતાજીને કહ્યુ: ' શામળિયા માટે કન્યાની તપાસમાં રહો !!
મહેતાજી કહે : ‘ જેનું એ કામ છે એ કરશે. તું શું કરવા એવી ચિંતા કરે છે? ’ અને ખરેખર , થોડા વખતમાં એક નવાઈની વાત બની ગઈ.
વડનગરના ધનાઢ્ય શેઠ મદન મહેતાએ પોતાની દીકરી માટે એક સુયોગ્ય વરની
શોધમાં ગોરને જૂનાગઢ મોકલ્યો. મદન મહેતા કોઈ રાજ્યના દીવાન હતા અને લાખોપતિ હતા.
ગોરે જૂનાગઢ આવી ઘણા છોકરા જોયા પણ એકે પસંદ પડ્યો નહિ ત્યારે નાગરો ચિડાયા.
તેમણે એને ઉલ્લુ બનાવવા નરસિંહ મહેતાનું ઘર દેખાડ્યું. મહેતાજી તો બેઠા બેઠા ભજન
કરતા હતા. ગોર બાપા ત્યાં પધાર્યા અને શી ખબર શી રીતે ગોરનું મન વસી ગયું. તેમણે શામળની સાથે
મદન મહેતાની દીકરીનું વેવિશાળ કરી નાખ્યું. નાગરોના પેટમાં પથ્થરો પડ્યાં. તેમણે મદન મહેતાને ખબર
આપ્યા કે નરસૈંયો તો બાવા વૈરાગીઓ ભેગો ફરનારો ભીખમંગો છે !
મદન મહેતાએ નરસિંહ મહેતાને
કાગળ લખ્યો કે અમારા ઘરને શોભે એવી જાન લઈને આવજો, નહિ તો વરને લીલા તોરણે
પાછો કાઢશું ! નરસિંહ મહેતાએ કોના બળદ અને કોકની વહેલ માંગી આણી જાન જોડી. જાનમાં
બાવાવેરાગીઓ, અને સામાનમાં તુલસીની માળાઓ, તાલ ને કરતાલ ! જૂનાગઢથી
નીકળેલી આ જાન જ્યારે વડનગર પહોંચી ત્યારે એમાં એટલા હાથીઘોડાને લાવલશ્કરની શોભા
હતી કે મદન મહેતા ગભરાઈ ગયા કે આને હું કેમ પહોંચી વળીશ ? તેમણે મહેતાજીને પગે પડી
પ્રાર્થના કરી : ‘ વૈવાઈજી , અમારી લાજ રહે એમ કરજો ! મહેતાજીતો ભજન ગાવા લાગ્યાં.
તેમની દીકરીના લગ્નમાં પણ આવો જ ચમત્કાર થયો હતો.
એક બાજુ ઘરના ખાલી વાસણો અને બીજી બાજુ દીકરીનું મામેરું. પોકી વળતો કઈ રીતે... માણેકભાઈ
મહેતાજીની સામે રુદન કરવાં લાગ્યાં.
મહેતાજીતો મસ્ત
હાથમાં કડતાલ લઈને ભજન કરતાં કરતાં બહાર નીકળી ગયા અને બોલ્યા મારો નાથ બેઠો છે મારે
વળી શેની ચિંતા ?
તેમની દીકરી કુંવરબાઈનું મામેરું
કરવા ભગવાન પોતે લક્ષ્મીજીને લઈને પધાર્યા હતા! દ્વારકા જતા યાત્રીઓનાં નાણાં લઈ
મહેતાજીએ એમને હૂંડી લખી આપી હતી તે ભગવાને પોતે દ્વારકામાં મહેતાજીના વાણોતર બની
સ્વીકારી હતી !
એક વાર ભાદરવા મહિનામાં
નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું. નરસિંહ મહેતા પાંચ બ્રાહ્મણોને જમવાનું
કહેવા ગયા, પણ નાતવાળા કહે : ભગત, કોક દહાડો તો અમને તમારા
ઘરનો પ્રસાદ જમાડો !
પ્રસાદની કેમ ના કહેવાય ? મહેતાજીએ સમસ્ત નાતને જમવાનું નોતરું દઈ દીધું. શ્રાદ્ધને દિવસે માણેકબાઈએ મહેતાજીના હાથમાં નાનકડી તપેલી પકડાવી દઈ કહ્યું : ઘી લઈ આવો!!
મહેતાજીથી ઘી લેવા ગયા, તો ઘીવાળાએ કહ્યું : ‘ મહેતા , એકાદ ભજન તો સંભળાવો !
બસ, થઈ ચૂક્યું. મહેતાજી ભજન ગાવા બેઠા, ને ઘીની વાત ભૂલી ગયા. ભજન
પર ભજન ચાલ્યા કરે.
બીજી તરફથી ખબર શું ખબર ક્યાંથી મહેતાના પર આગળ
સીધું સામાન અને ગાડાં આવી ઊભા રહ્યાં. માણેકબાઈ આભાં બની જોઈ
રહ્યાં. હજારો માણસોની રસોઈ બની અને આખી નાત મનભાવતા પકવાન જમીને ખુશ થઈ ગઈ. જે લોકો તમાસા
જોવા આવ્યાં હતાં તે મોઢામાં હાથ નાખતા થઈ ગયા.
સાંજે ભજન પૂરાં થયાં ત્યારે મહેતાજી તપેલીમાં ઘી લઈને ઘેર આવ્યા.
આવીને જુએ તો આખો પ્રસંગ પૂરો થઈ ગયો હતો !
મહેતાજીના જીવનમાં આવા તો અનેક ચમત્કારો જોવા મળે છે.
થોડા વખત પછી માણેકબાઈનું મરણ થયું. મહેતાજી કહે : ‘ જેવી ભગવાનની મરજી!
ભલું
થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ !
રોજ સવારે મહેતાજી ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા દામોદર
કુંડમાં સ્નાન કરવા જતા. એક દિવસ આવી રીતે સ્નાન કરીને તેઓ ભજન ગાતા ગાતા આવતા હતા, ત્યાં રસ્તામાં કેટલાક
માણસો હાથ જોડી એમની સામે આવી ઊભા ને કહે : ‘ ભગતજી , એકવાર અમારે ત્યાં ભજન કરવા પધારો !
મહેતાજીએ કહ્યું : ‘ આજે જ !
પેલાઓ કહે : ‘ બાપજી , અમે અસ્પૃશ્ય છીએ !
મહેતાજીએ કહ્યું : ‘ તમે હરિના ભગત છો. હરિજન છો ! વૈષ્ણવ છો !
હરિજનોએ આખા વાસનાં આંગણાં સાફ કરી ગોમુત્ર અને છાણથી
લીંપ્યાં, તુલસીક્યારે દીવા કર્યા, ધૂપ કર્યો .
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ,
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ !
તે જમાનામાં હરિજનોને કોઈ
અડકતું પણ નહિ,
તેમનાં
ઘર પણ ગામથી દૂર અને ત્યાં કોઈ જાય
નહિ, પણ મહેતાજી ગયા ને આખી રાત
હરિજનો ભેગા બેસી ભજન કરી આવ્યા.
તેથી આખા ગામમાં હો હો થઈ ગઈ. ચોરે ને ચૌટે વાતો થવા લાગી હાય હાય ! નાગરનો દીકરો
થઈને આ નરસૈંયો ઢેડવાડામાં જઈને નાચ્યો !
નાગરોની નાતે નરસિંહ મહેતાનો જવાબ માગ્યો.
તેમણે કહ્યું : ‘ તું ભ્રષ્ટ થઈ ગયો.
મહેતાજીએ કહ્યું : ' મને ભષ્ટ કહો , ભૂંડો કહો, ભૂંડાથી ય ભૂંડો કહો, તમને જે ગમે તે કહો, હું એવો જ છું. મને માત્ર વૈષ્ણવો વહાલા છે – પછી તે બ્રાહ્મણ હોય કે
ભંગી હોય !
હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વાલા રે,
હરિજનથી જે અંતર ગણશે, એના ફોગટ ફેરા ઠાલા રે |
નાગરોએ હવે જૂનાગઢના રાજા રા'માંડલિકને ફરિયાદ કરી : ' નરસૈંયો ઢોંગ ધતૂરા કરી લોકોને અવળે રસ્તે ચડાવે છે , એને સજા કરો ! ’ રાજાએ નરસિંહ મહેતાને એક કોટડીમાં પૂરી દીધા ને કહ્યું ‘ ભગવાનની મૂર્તિની ડોકમાં પહેરાવેલો હાર સવાર પહેલાં તારી ડોકમાં આવી પડે તો હું જાણું કે તું સાચો ભગત ! નહિ તો ઢોંગી !
કોટડીમાં મહેતાજીએ ભજન આદર્યાં આખી રાત ભજન ચાલ્યાં. સવાર થતો ચમત્કાર થયો . મંદિરનાં બારણાંને અને જેલની કોટડીને વાસેલાં તાળાં તડાક કરતાં તૂટી ગયાં, લોઢાની ભોગળો ભાંગી પડી ને બારણાં ઊઘડી ગયાં ! લોકો આભા બની જોઈ રહ્યા. ભગવાનની મૂર્તિની ડોકમાંથી હાર નીકળીને મહેતાજીની ડોકમાં જઈ પડ્યો !
કહે છે કે આ બનાવ સંવત
૧૫૧૨ ( સને ૧૪૫૫ ) માં બનેલો. મહેતાજીની ભક્તિની આ પરચો જોઈ રાજા પસ્તાયો. એણે
ભક્તની માફી માગી, પણ મહેતાજી તો જાણે કંઈ બન્યું નથી એમ ભજન ગાતા ગાતા ઘેર ગયા.
આ બનાવ પછી થોડા વખતમાં મહેતાજીએ જૂનાગઢ છોડ્યું
અને દેહ પણ છોડયો. નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદિ
કવિ છે. તેમણે અસંખ્ય ભજનો લખ્યો છે, તેમાંનાં ઘણાં પ્રભાતિયાં નામે ઓળખાય છે. આજે પણ ઘણા
લોકો સવારના પહોરમાં આંખ ઊઘડે કે મહેતાજીનાં પ્રભાતિયાં ગાતા હોય છે. (source-પુસ્તક સંતસાગર)
ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને
તેમની યાદમાં નરસિંહ મહેતાં એવોર્ડ આપવામાં આવે છે જેની
શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ
નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા
આપવામાં આવે છે.
ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)
કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy): સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...

-
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. [ કલમ ૩૭૬ - એ ] : - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :- ...
-
પ્લાસ્ટિકની શોધ સમાજને ઉપયોગી ખરી પણ પર્યાવરણ માટે ખતરા રૂપ છે. વિજ્ઞાનની ઘણી બધી શાખાઓમાં રસાયણ વિજ્ઞાન પણ એક છે. જે વિવિધ પદાર્થની જન્...
-
મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે...
-
સમર્પણ , સ્નેહ અને ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!! MEERA ક્રુષ્ણ પ્રિય મીરાં: છ સાત વર્ષની બાળા એક વટેમાર્ગ...
-
Archimedes One of best Mathematician Archimedes ગ્રીક ખગોળવિદ ફેઈડિયાઝના ઘરે આર્કિમીડીઝનો જન્મ થયો હતો.જે...