Saturday, August 15, 2020

આલ્કોહોલ અને તેની બનાવટ (Alcohol and its composition)

Type of alcohol:

 

alcohol wikimedia

                                   Alcohol

  


  પ્રાચીન કાળથી આપણે મદિરાપાન કરનારાં કિસ્સાઓ સાંભળ્યા છે.મહાભારતની અંદર તેનો વિશિષ્ટ ઉલ્લેખ છે.ભગવાન કૃષ્ણનાં દાઉ બલરામ,કર્ણ,પાંડવો હોય કે કૌરવો,તે સમયમાં ઉત્સવો અને આનંદમાં મદિરાપાન મુખ્ય પીણું હતું.દેવ રાજ ઇન્દ્રનાં દરબારમાં પણ દેવો મદિરાપાન કરતાં કરતાં અપ્સરાઓ નૃત્ય કરતી વાતો સાંભળી કે સિનેમામાં જોઈ હશે.રાજા મહારાજાઓનાં દરબારમાં પણ જેમ જમ્યા પછી મુખવાસ લેતા હોઈએ તેમ મદિરા લેવાતો.મદિરા એ બીજું કઈ નહીં પણ દારૂ છે જે આજે અલગ અલગ બ્રાન્ડ સ્વરૂપે વેચાઈ છે અને લોકો ભરપૂર તેની મહેફિલ માણે છે,કહેવાય છેકે દારૂ પિનારને ગ્લાસ  માટે માત્ર એક બહાનું પૂરતું હોઈ છે.દારૂનાં ફાયદા ચોક્કસ છે પણ તેના કરતાં ગેરફાયદા વધુ છે.રસાયણની સામાન્ય ભાષામાં તેને આલ્કોહોલ તરીકે ઓળખાય છે.

દારૂ બનાવવાનાં પ્રકાર અને  પદ્ધતિ: 

  દારૂના મુખ્યત્વે બે પ્રકારો છે. 1)આથવણની પદ્ધતિ  અને,2) નિયંદિત પદ્ધતિ.

  અલગ અલગ ફળોના રશનો પ્રવાહી તરીકે ઉપયોગ કરી અમુક ચોક્કસ પ્રમાણમાં ઇથેનોલ સાથે ભેળવવામાં આવે છે.જેમ કે સફરજનના રસમાંથી આથવેલ પ્રવાહીને સિડર,દ્રાક્ષના રસમાંથી આથવેલ પ્રવાહી વાઇન તથા સ્ટાર્ચવાળા અનાજને ફણગાવ્યા બાદ આથવેલ પ્રવાહીમાંથી બનાવેલ દારૂને બીયર તરીકે ઓળખવામાં આવે છે,જે નો સમાવેશ આથવેલ શરાબમાં થાય છે.જ્યારે રમ,વોડ્કા,વ્હિસ્કી,જિન બ્રાન્ડી,દેશી દારૂ વગેરેનો સમાવેશ નિયંદિત દારૂમાં થાય છે.સાધારણ રીતે અંદાજિત બીયર રથી ૬ ટકા,વાઇનમાં ૧૦ થી ૨૨ ટકા,સીડર ૭ થી ૧૪ ટકા , વ્હિસ્કી ૪૧ થી ૫૦ ટકા,બ્રાન્ડી ૪૦ થી ૫૨ ટકા,રમ ૫૦ થી ૫૮ ટકા, જિન ૪૦ ટકા તથા દેશી દારૂ ૧૦ થી ૨૦ ટકા આલ્કોહૉલનું પ્રમાણ ધરાવે છે.દેશી દારૂ ગેરકાયદેસર રીતે ગોળ,મોલાસીસ,મહુડાં,પાકેલાં ફળો વગેરેને આથવીને સડાવાને ચોક્કસ સમય સુધી મૂકી બનાવવામાં આવે છે.

દારૂનો બનાવટી લઠ્ઠો અને તેના નુકશાન:

  ઘણી વાર દારૂ આથવણ દ્વારા નહીં પરંતુ સીધા જ સ્પિરિટમાં પાણી ઉમેરીને બનાવવામાં આવે છે.સ્પિરિટ એટલે બીજું કઈ નહીં પણ ઇથેનોલનું અન્ય નામ.આલ્કોહૉલનું પ્રમાણ થોડું વધારે રાખી તેમાં રંગ માટે આયોડિન ઉમેરાય છે તથા સુગંધ ઉમેરીને જાણીતી કંપનીઓના લેબલવાળા નકલી ફૉરેન - લીકર બનાવવામાં આવે છે.આમ સ્પિરિટમાંથી બનતા દેશી દારૂ તથા ફૉરેન-લીકરમાં જ્યારે મિથિલેટેડ સ્પિરિટ આવી જાય ત્યારે કડક લઠ્ઠા સર્જાય છે.મિથિલેટેડ સ્પિરિટ મિથાઈલ આલ્કોહૉલવાળું પ્રવાહી હોય છે.નશો કરવા માટે ગેરકાયદેસર રીતે બનાવેલ પીણામાં ઈથેનોલની સાથે થોડા પ્રમાણમાં મિથેનોલ કોઈ પણ રીતે ભળે તો તે એક પ્રકારનો લદ્દામાં નિર્માણ પામે છે.

  હવે જ્યારે આ લઠ્ઠો બજારમાં વેચવામાં આવે છે ત્યારે પિનાર વ્યક્તિ મૃત્યુ પામે છે જેના માટે મિથેનોલ(મિથાઇલ આલ્કોહૉલ) જવાબદાર હોય છે.આવો ભેળસેળ અને બનાવટી લઠ્ઠો પીધેલ વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર આપવી જરૂરી છે.આનો અર્થ તેવો નથી કે મિથેનોલ જેરી પદાર્થ છે,ઇથેનોલની જેમ જ તે પણ એક આલ્કોહોલ જ છે,પરંતુ જ્યારે મિથેનોલ લીવરમાં પહોંચતાં લીવર દ્વારા મિથેનોલનું રસાયણિક પ્રક્રિયા થઈ ધીમે ધીમે ફૉર્મોલ્ડિહાઇડ અને ફૉર્મિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે.આ ફૉર્મોલ્ડિહાઇડ અને ફૉર્મિક ઍસિડની શરીરમાં ઝેરી અસર ઉપજાવે છે.ઝેરી અસરના કારણે પેટમાં દુખાવો ઉત્પન થાય છે,તેના લીધે આંખોમાં રેટિનાને નુકસાન થતાં દૃષ્ટિ ધીમે ધીમે બંધ પડતી જઈને છેવટે અંધાપો આવી જાય છે અને જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ નીપજે છે.ઈથેનોલ લીવરમાં પહોંચતાં લીવર  દ્વારા ઈથેનોલનું ધીમે ધીમે ઍસિટાલ્ડિહાઇડ અને ઍસેટિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે.આ ઍસિટાલ્ડિહાઇડ અને એસેટિક ઍસિડની ઝેરી અસર થતી નથી અને ધીમે ધીમે મૂત્ર માર્ગે  બહાર નિકાલ થાય છે.આ ક્રિયા માટે લીવર મિથેનોલ કરતાં ઈથેનોલને પ્રથમ પ્રયોરિટી આપે છે.એટલે કે,લીવરમાં ઈથેનોલની પ્રક્રિયા પૂરી થયા બાદ જ મિથેનોલનું નિર્વાણ થાય છે.આશરે ૮ થી ૧૦ ટકા જેટલો ઈથેનોલ કે મિથેનોલ પરસેવા કે ફેફસાં દ્વારા શ્વસનક્રિયામાં નીકળતો રહે છે.જે આપણને અહેસાસ કરાવે છે કે સામેવાળી વ્યક્તિએ દારૂ પીધો છે કે નહીં,ગણી વખત આપણે પણ તેનાં પ્રમાણનો અંદાજો લગાવી શકીએ છે પરંતુ અન્ય આલ્કોહોલીક વ્યક્તિ આ પરખવામાં વધુ કુશળ અને ચોક્કસ માહિતી આપનાર સાબિત થાય છે.

  આલ્કોહૉલના ધીમે ધીમે ઘટતા પ્રમાણના આધારે લઠ્ઠો પીનારને વધુ ઈથેનોલ પિવડાવીને કે રુધિર મારફતે ચડાવીને સારવાર આપવામાં આવે છે.અઠવાડિયા સુધી આવી સારવાર ચાલુ રાખીને લીવરને પ્રથમ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવા વ્યસ્ત રખાય છે અને તે દરમિયાન મિથેનોલને ધીમે ધીમે મિનિમાઇઝ કરવામાં આવે છે,પરિણામે શરીરમાં મિથેનોલનું પ્રમાણ દૂર થાય છે અને વ્યક્તિ સ્વસ્થ બને છે.આમ ઇથેનોલ મિથેનોલથી બચાવમાં મદદગાર સાબીત થાય છે.

  રાસાયણિક ભાષામાં દારૂ એ બીજું કઇ નહી પણ ઈથાઇલ આલ્કોહૉલ છે,જેને ઈથેનોલ તરીકે પણ ઓળખાય છે.જો પીવામાં આવતા પ્રવાહીમાં ઈથેનોલનું પ્રમાણ ઓછું હશે તો શરીરમાંનાં કોષોમાં શોષણની ક્રિયા ધીમી થશે અને જો પીવામાં આવતા પ્રવાહીમાં ઈથેનોલનું પ્રમાણ વધારે હશે તો કોષોમાં શોષણ ઝડપી પ્રસરણ પામસે.શરીરમાં જેમ ઈથેનોલનું પ્રમાણ વધે તેમ હૃદયને ધબકવાનું પ્રમાણ ધીમું થાય છે.લીવર દ્વારા ઈથેનોલનું ધીમે ધીમે ઍસિટાલ્ડિહાઇડ અને એસેટિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે,જે અંતે મૂત્રમાર્ગ દ્વારા પેશાબ મારફતે શરીરની બહાર નિકાલ થાય છે.રુધિરમાં આલ્કોહોલની  હાજરીની માત્ર અને તેની ટકાવારી લેવલ સંપૂર્ણ સ્વયંસંચાલિત GC - HS પદ્ધતિ મારફતે  જાણવામાં આવે છે.આ પદ્ધતિથી રુધિરના આશરે ૨૮૦ થી 320 નમૂનાઓ દિવસ દરમિયાન તપાસી શકાય છે.અલગ અલગ પ્રકારના આલ્કોહોલ દારૂબંધી લાગુ પડેલ  હોવા છતાં બનાવવો કે જથ્થો રાખવો એ ગુનો બને છે.જુદા જુદા પ્રકારના દારૂમાં  આલ્કોહૉલની હાજરી અંગે પરીક્ષણ કરવામાં આવે છે,તથા તેના પ્રમાણ અંગે પણ પરીક્ષણ કરવામાં આવે છે.શરાબ,દારૂ,મદિરા વગેરે ઈથેનોલનો પાણી તથા અન્ય પદાર્થો સાથેના મિશ્રણનો પ્રચિલત થયેલા અલગ અલગ નામો છે.ઇથેનોલએ રંગવિહીન અને ચોક્કસ વિશિસ્ટ ગંધવાળું કાર્બનિક પ્રવાહી છે,જેનું પાણી સાથેનું દ્રાવણ એ પીવાનો દારૂ કે શરાબ તરીકે ઓળખાય છે. 

  બ્લડ એટલે કે,રુધિરમાં આલ્કોહૉલ( શરાબ ) ની હાજરી તથા તેનું પ્રમાણ જાણવા માટેનાં પરીક્ષણ બ્લડ આલ્કોહૉલ લેવલ ( Blood - Alcohol - Level ) વિભાગમાં કરવામાં આવે છે. કાયદાકીય રીતે દારૂબંધી જ્યાં અમલમાં છે ત્યાં આલ્કોહોલ ( Alcohol ) નું સેવન ગુનો બને છે અને તેવા ગુનાના આરોપીઓના રુધિરના નમૂનાઓ તબીબી  ક્ષેત્રનાં અધિકારીઓ દ્વારા પરીક્ષણ માટે જે તે પ્રયોગશાળાને મોકલવામાં આવે છે.રુધિરકૃત આલ્કોહોલનાં નમૂનાઓના શક્ય તેટલું ત્વરિત પરીક્ષણ જરૂરી છે.

  વધારે આલ્કોહોલનું સેવન કરનારને લીવરની તકલીફ થતી હોય છે.માટે કેટલાક વ્યક્તિ વ્યસનમુક્તી કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ થાય છે.નલટ્રેક્સોન એ એક દવા છે જેનો ઉપયોગ આલ્કોહોલ ઉપરાંતની સારવાર માટે થાય છે. તે આલ્કોહોલ માટેની વ્યક્તિની ઇચ્છાને ઘટાડે છે.તે રેવિઆ અથવા વીવીટ્રોલ નામના બ્રાંડ નામો હેઠળ આવે છે.વ્યક્તિએ પીવાનું છોડ્યા પછી,નેલ્ટ્રેક્સોન તેમને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.જોકે આ દવા દારૂના નશા માટે સંપૂર્ણ ઉપાય નથી,પરંતુ તે વ્યક્તિને તેનું સેવન બંધ કરવામાં મદદ કરે છે.

  મદ્યપાન એ એક લાંબી બિમારી છે.તેનો અર્થ એ કે તે લાંબા સમય સુધી ચાલે છે અથવા તે ફરીથી અને ફરીથી સમસ્યાઓનું કારણ બને છે.દારૂબંધીની મુખ્ય સારવાર એ દારૂ પીવાનું બંધ કરવું. ચોક્કસ તે મુશ્કેલ હોઈ શકે છે.મોટાભાગના લોકો કે જે આલ્કોહોલિક છે તેઓ પીવાનું બંધ કર્યા પછી પણ દારૂની તીવ્ર ઇચ્છા અનુભવે છે. જેમાં નેલ્ટ્રેક્સોન મદદ કરી શકે છે પણ તે કાયમી અયોગ્ય હોય છે માટે વ્યક્તિ એ જાતે જ કંટ્રોલ કરવો રહ્યો.

  આલ્કોહોલનું સેવન કરી ડ્રાઇવિંગ કરવું એ ગુનો છે.રુધિરમાં રહેલ આલ્કોહોલનું પ્રમાણ જાણવા લેબોરેટરીમાં પરીક્ષણ કરાય છે જે ચોક્કસ હોય છે,પરંતુ તાત્કાલિક ધોરણે તેનું માપન કરવા એલ્કોં સેન્સરનો ઉપયોગ થાય છે.જેની અંદર ફૂક મારવાથી પર ૧૦૦ ml રુધિરમાં આલ્કોહોલનું પ્રમાણ બતાવે છે.દરેક દેશમાં અલગ અલગ કાયદામાં  ડ્રાઇવિંગ વખતે પીધેલ આલ્કોહોલના પ્રમાણનો ચાર્ટ અલગ અલગ હોય છે અને જેતે નિયમને આધારિત દંડ કે સજા કરવામાં આવે છે.

  આલ્કોહોલીક વ્યક્તિએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે તે તેના લીવરને ખતમ કરી નાખે છે.છતા એક કલાકમાં એક પીણું  નશો ચડવા પૂરતું હોય છે અને એક દિવસમાં એક થી વધુ લેવાથી તો લીવર ચોક્કસ બગડશે. જોકે તે કઈ કંપનીની છે અને તેની અંદર આલ્કોહોલની માત્રા કેટલી છે અને તેની કોલિટી કેવી છે તેના ઉપર આધાર રાખે છે.લીવરને બચાવવા  માટે ડ્રિંક લેતા પહેલા એક ગ્લાસ પાણી પીવું અને થોડું સૂકો નાસ્તો(ચિપ્સ વગેરે)લેવો.બીજા ડ્રિંક પછી ફરી પાણી પીને કઈક ખાઈ લેવું.એક પેક નો સાઇઝ 30 ml જેટલો હોય છે.વધુમાં વધુ 90 ml થી વધુ ના પીવું જોઈએ.જો વ્યક્તિ બીયર પિતા હોય તો તેમણે ૩૬૦ ml જેટલો એક પેક તેવા બે પી શકાય  તેનાથી વધું નહીં લેવું.અન્યમાં સારો ખોરાક લેવો વધું વિટામિન વાળો ખોરાક,પાણીનું વધું સેવન એટલે કે ૪ લિટર,વધું ફાઈબર,ચાવીને ખોરાક લેવો,૮ થી ૧૨ કલાકની ઊંગ પણ જરૂરી છે.દર ૨ વર્ષે લીવર ફંક્શનની ચકાસણી કરાવવી.જોકે આટલી કાળજી રાખ્યા પછી પણ લીવર બચવાની શક્યતાઓ નહિવતજ હોય છે.અંતે તો ઝેર તેનું કામ તો કરશે જ.     

                                                                             જૈમીન જોષી. 

Saturday, August 8, 2020

રસીકરણ પ્રક્રિયા(Process of vaccination)

 



vaccine images hd

Process of vaccination:


  આધુનિક ચિકિત્સા પદ્ધતિઓએ આપણને જીવનરક્ષક પદ્ધતિઓનો કાફલો આપ્યો છે.સમગ્ર માનવજીવે વિવિધ સૂક્ષ્મજીવોનો પડકાર ઝીલી અને સામનો કર્યો છે.આપણે પેથોજેન્સ સાથે લડતાં શીખી લીધું છે અથવા તો આપણા શરીરે અનુકૂલન સાધી લીધું છે તેમ કહી શકાય, પરંતુ સૂક્ષ્મ જીવાણુઓ પણ ઘણીવાર ફેરફાર પામ્યા છે જેને 'મ્યુટેશન્સ' કહે છે જે માનવીની રોગપ્રતિકારક શક્તિ ઉપર ભારે પડ્યા છે. માનવીની રોગપ્રતિકારક શક્તિ પેથોજેન્સ સાથે લડવા સક્ષમ હોય છે પણ જ્યારે સૂક્ષ્મજીવ તદ્દન નવા જ ચેપ વાહકના સંપર્કમાં આવે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક પદ્ધતિઓ તેની સામે લડી શકતી નથી રોગપ્રતિકારક શક્તિનો ઉંમર સાથે વધઘટ થતું હોય,માટે નાના બાળકો અને વૃદ્ધોની અંદર ઓછી રોગપ્રતિકારકશક્તિ હોવાથી તેમના ઉપર રોગ ઝડપથી હાવી થઈ જાય છે.ગર્ભવતી સ્ત્રી,માદક દ્રવ્યોનું  નિયમિત સેવન કરતો માનવી,કુપોષણનો શિકાર બનેલ માનવી આ તમામ  ઝડપથી સંક્રમિત થઈ જાય છે. કેન્સરના દર્દીઓ કે ટી.બી.ના લક્ષણ ધરાવતા દર્દીઓ તથા એઈડ્સથી પીડાતા દર્દીઓને ચેપનું જોખમ વધુ હોય છે.જે તેમને રોગપ્રતિકારક શક્તિને ન હોવા બરાબર કરી નાખે છે.

  દર્દીઓને સૂક્ષ્મ જીવાણુંના રોગથી બચાવવા અથવા તો તેમને રોગનો ઉપચારરુપ રસી આપવાની પદ્ધતિને 'રસીકરણ' અથવા 'વેક્સિનેશન' કહે છે. એવું માનવામાં આવે છે કે જૂના જમાનાનાં લોકો વિવિધ રોગોથી પીડાતા હતા ત્યારે જીવન ટકાવી રાખવા નિત નવા પ્રયોગો કરતા હતા. પ્રાચીન રોગોનો ઈલાજ કરનારા વૈદ્ય તરીકે ઓળખાતા હતા.જંગલી વનસ્પતિઓ દ્વારા કે ઔષધીઓ દ્વારા વ્યક્તિનો ઈલાજ કરવામાં આવતો.વ્યક્તિ ઈલાજ દરમિયાન પ્રયોગ સફળ રહ્યો તો તે પદ્ધતિનો ઉપયોગ અન્ય પર કરવામાં આવતો અને ચોક્કસ પ્રકારની ખાતરી થયા બાદ બહાર અન્ય સાથે માહિતી દ્વારા અન્ય ગામડાઓમાં જ્ઞાન પહોંચાડમાં આવતું,પરંતુ ચોક્કસપણે કયા કારણોસર ઇલાજ શક્ય બન્યો તેથી માહિતગાર ન હતા.

  એવું માનવામાં આવે છે કે પ્રાચીન ભારતના ઋષિઓએ બળિયા જેવા રોગનો ભોગ બનેલા દર્દીના પરુવાંળું પૂમડું અન્યને સુંઘાડવાથી સાજા વ્યક્તિને ચેપ સામે રક્ષણ મળતું. અગિયારમી સદીમાં ભારતની શોધ ચીનમાં ગઈ. તેઓએ જોયું કે અમુક રોગ દર્દીને વારંવાર થાય છે પરંતુ અમુક રોગ માત્ર એક જ વાર થાય છે.

  વર્ષો પહેલા ચીનના આખા વિસ્તારને બળિયા થયા હતા. લોકોને તાવ,માથું,ગળું,અસહ્ય વેદના સાથે લોહીની ઊલટી થઈ જીવ ગુમાવવાનો વારો આવતો હતો. શરીરની અંદર રક્તસ્ત્રાવ થતો અને શરીરના

chickenpox image

chickenpox 

બાહ્ય ભાગ ઉપર મોટા લાલ કે કાળા ચાઠાંથી ભરાઈ જતો. આ રોગ ચેપી હોવાથી અન્ય સાથે વ્યક્તિની જાણ બહાર ફેલાઈ જતો.દર્દીને લાંબા સમયે તેના ભોગ બન્યાની જાણ થતી અને પરિણામે દર દસમાંથી ત્રણ વ્યક્તિનું મૃત્યુ થતું હતું. તે દરમિયાન ત્યાંના વૈજ્ઞાનિકોએ જોયું કે બચી ગયેલા દર્દીને પુનઃરોગ લાગ્યું પડતો નથી.વર્ષોના નિરીક્ષણ પછી ચીની વૈધોએ એક  લાંબી પદ્ધતિની રચના કરી જેમાં એક નળી દ્વારા બાળકો પોતાના નસકોરાના ભાગે એક ચૂર્ણને સૂંઘતા. આ ચૂર્ણ જે લોકોએ સૂંગ્યો તે બળિયાના બહુ થોડાંક ચિન્હો સાથે માંદા પડ્યા હતા. આ ચૂર્ણ એ બીજું કઈ નહીં પરંતુ તેમના શરીર પર થયેલા ચાઠાં પરનાં પોપડાંનો વાટીને કરેલો ભૂકો હતો.આ ભુક્કાને સૂંઘ્યા પછી થોડાક દિવસોમાં આ બાળકોમાં પણ બળિયાની માંદગી શરૂ થઇ ગઇ પરંતુ ત્રણ-ચાર દિવસના સામાન્ય તાવ પછી આ બાળકો સ્વસ્થ થઈ ગયા અને એ વાત તો નક્કી હતી  કે આ રોગ ફરી તેમના જીવનમાં આવવાનો ન હતો.

  આમ રોગપ્રતિકારક શક્તિના શબ્દથી અજાણ વૈધોએ જાણે-અજાણે રસીની શોધ કરી. આવી જ એક પદ્ધતિ આફ્રિકાના વૈદ્યોએ પણ બળિયા માટે શોધી હતી અને ત્યાર પછી તુર્કીમાં પણ તેનો પ્રયોગ થયો.આમ રોગપ્રતિકારક શક્તિને કુત્રિમ રીતે ઉત્તેજિત કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી.પુરાણોમાં અને ઇતિહાસમાં સાપના ઝેર થી બચવા તેના ઝેરનો નાનો જથ્થો ગળી જતાં અથવા ખોરાકમાં લેતાં હતા. જેથી શરીર ધીમે ધીમે સાપના ઝેર સાથે પ્રતિકારશક્તિનો વિકાસ કરે પરંતુ આ પ્રયોગમાં કેટલાક લોકો મૃત્યુ પામતા હતાં. બળિયાના કિસ્સામાં મૃત્યુ પામનારની સંખ્યા નહિવત્ હતી પરિણામે આ પ્રયોગ સફળ થયો.

 કોઈપણ રસી કે વેક્સિનને તૈયાર કરવાનો હેતુ એ હોય છે કે શરીરની અંદર એન્ટીબોડી તૈયાર કરવી.પેથજેન્સને લઈને શરીરની અંદર પ્રવેશ કરવા માટે ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.કોઈપણ વાઈરસ કે બેક્ટેરિયાનો નાનો અને નિષ્ક્રિય કરેલ જથ્થાને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. જેની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ યુધ્ધે ચડે છે અને તેમનો નાશ કરે છે. તે દરમિયાન જે તે પેથોજેન્સ સાથે લડવા શરીરના આંતરિક ભાગમાં એક પ્રકારના પ્રોટિન્સ જેને એન્ટીબોડી કહે છે તેનું નિર્માણ થાય છે.જે કાયમી તે પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા સાથે લડવા સક્ષમ હોય છે અને પરિણામે વ્યક્તિ સ્વસ્થ બને છે.

 બીજી એક પદ્ધતિ એ પણ છે કે જેમાં કોઈ પ્રાણીની અંદર રહેલ એન્ટીબોડી લઈ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે અને દર્દી સ્વસ્થ થાય છે,પરંતુ તે કાયમી અસર કરતું નથી.માટે તેને પેસિવ એન્ટીબોડી કહે છે.વેક્સિનને એક્ટિવ એન્ટીબોડી કહે છે, જે વધુ યોગ્ય અને કાયમી રોગ નિવારક હોય છે. 

Process of vaccination:

  દરેક વેક્સિન બનાવતી કંપનીની વેક્સિન તૈયાર કરવાની પદ્ધતિ આમ તો અલગ અલગ જ હોય છે,પરંતુ દરેક કંમ્પની સામાન્ય તબક્કાવાર પધ્ધતિને ચોક્કસ સ્વરૂપે અનુસરતી હોય છે. 

Step 1 : Production 

  આ તબક્કામાં કોઈપણ વાઈરસ કે બેક્ટેરિયાને ઉગાડવામાં અથવા તેનું પાલન કરવામાં આવતું હોય છે. જેમાં તેમનું એસિડિક લેવલ એટલે કે Ph. લેવલ,તાપમાન લેવલ ઓક્સિજન લેવલ દરેકનું ધ્યાન રાખવું પડતું હોય છે.જો કોઈ કારણસર ભૂલ જણાય તો સમગ્ર જથ્થાને ફેકવું પડે છે.

Step 2: Purification 

  તૈયાર થયેલ પેથોજેન્સ માંથી અશુદ્ધિ દૂર કરવામાં આવે છે અને બેક્ટેરિયાને વધુ સુદૃઢ બનાવવામાં આવે છે.

Step 3: Inactivation

  વિકસિત પામેલ પેથોજેન્સને  એક લેવલ સુધી નિષ્ક્રિય કરવામાં આવે છે પરંતુ તે માનવ શરીરમાં જાય ત્યારે રિએક્શન ઉત્પન્ન કરી શકે તેવી સ્થિતિમાં રાખવામાં આવે છે જેને વેલેન્સ કહે છે.

Step 4: formulation

   એક વેક્સિન એક અથવા એકથી વધુ પ્રકારના પેથોજેન્સથી બચાવી શકે છે. જે વેલેન્સ પર આધાર રાખે છે.અલગ અલગ રોગ સામે રક્ષણ આપતી વેક્સિનને મિશ્ર કરવું તે સામાન્ય ઘટના નથી હોતી. તેમાં વૈજ્ઞાનિકોને વર્ષો લાગે છે અને હજારો પરીક્ષણો કરવા પડે છે. ઉદાહરણ તરીકે ડી.પી.ટી રસી ત્રણ પ્રકારના રોગ સામે રક્ષણ કરે છે. અહીં એકબીજા સાથે રિએક્શન ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવે છે.

Step 5: Stabilization

  તૈયાર થયેલ વેક્સિનને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની હોવાથી તેમને ખાસ પ્રકારના ટેમ્પરેચર કંટ્રોલ કંટેન્ડરથી લઇ જવામાં આવે છે.તેમની સાથે સાથે કંપનીની અંદર એક ટેમ્પરેચર ટ્રેકિંગ ડિવાઇસ પર મૂકે છે. જ્યાં સુધી જથ્થો જે તે જગ્યાએ પહોંચી ન જાય ત્યાં સુધી તેમનું સંપૂર્ણ અવલોકલ થતું હોય છે. તેમને ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાને જાળવી રખાય છે.જો કોઈ કારણસર વેક્સિનમાં ભૂલ જોવાય તો સંપૂર્ણ જથ્થાને જ નાબૂદ કરવો પડતો હોય છે. તૈયાર થયેલ વેક્સિન ઉપર પણ ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ટેસ્ટ હોય છે. 
 એક સામાન્ય ડીશમાં ઉત્પન્ન થયેલા જીવાણુમાંથી કંપની મિલિયન્સમાં તેનું ઉત્પાદન કરતી હોય છે.જે ખૂબ નફો કરાવનાર સાબિત થતું હોય છે.
   અમુક વેક્સિનને પાઉડર સ્વરૂપે રાખવામાં આવે છે. તેને ફ્રીઝ ડ્રાય કરવામાં આવે છે.આ પ્રકારની
vaccine information
વેક્સિન ત્યારે કામ આવે છે જ્યારે કોઈ પ્રકારનું એપિડેમિક કે પેન્ડેમિક ફેલાઈ જાય છે. આ શુષ્ક સ્વરૂપે રાખેલ પાવડરને ઘણા સમય સુધી હોસ્પિટલમાં રાખી શકાય છે અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય છે. તેમાં ફ્રીઝ દ્રાઇસ સાથે ડાઈલ્યુટ મેળવીને તૈયાર કરવામાં આવે છે અને લેબોરેટરીમાં પરિક્ષણ કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  રસીની અસરકારકતાની પણ ચકાસણી કરવામાં આવે છે.જેમાં નીચે મુજબના સવાલોનું પરીક્ષણ કરવામાં આવે છે.


1) શું ઉમેદવારની રસી રોગને અટકાવે છે? 

2) શું તે રોગકારક ચેપને અટકાવે છે?

3)શું તે એન્ટિબોડીઝ અથવા પેથોજેન સંબંધિત અન્ય પ્રકારની રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓનું ઉત્પાદન તરફ દોરી જાય છે?

ત્યાર પછી આગળનાં પગલાંમાં  મંજૂરી અને લાઇસન્સર મેળવવું પડતું હોય છે.સફળ ત્રીજા તબક્કાની અજમાયશ પછી,રસી વિકાસકર્તા એફડીએને (

Food and Drug Administration)

બાયોલોજિક લાઇસન્સ એપ્લિકેશન સબમિટ કરશે.ત્યારબાદ એફડીએ ફેક્ટરીનું નિરીક્ષણ કરશે જ્યાં રસી બનાવવામાં આવશે અને રસીના લેબલિંગને મંજૂરી આપવી.

  લાઇસન્સ પ્રાપ્ત કર્યા પછી, એફડીએ રસીના ઉત્પાદન પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે,જેમાં સુવિધાઓનું નિરીક્ષણ કરવું અને શક્તિ, સલામતી અને શુદ્ધતા માટે ઉત્પાદકોની ઘણી બધી રસીના પરીક્ષણોની સમીક્ષા કરવી.એફડીએ પાસે ઉત્પાદકોની રસીનું પોતાનું પરીક્ષણ કરવાનો અધિકાર છે.

નિષ્કર્ષમાં
  રસીઓ વિકસિત કરવામાં આવે છે,પરીક્ષણ કરવામાં આવે છે અને અન્ય દવાઓ જેવી જ નિયંત્રિત કરવામાં આવે છે. સામાન્ય રીતે,રસી બિન-રસી દવાઓ કરતાં પણ વધુ સારી રીતે પરીક્ષણ કરવામાં આવે છે કારણ કે રસી ક્લિનિકલ ટ્રાયલ્સમાં માનવ વિષયોની સંખ્યા સામાન્ય રીતે વધારે હોય છે.આ ઉપરાંત,રોગ નિયંત્રણ માટેના કેન્દ્રો અને એફડીએ દ્વારા રસીઓના પોસ્ટ-લાઇસન્સર મોનિટરિંગની નજીકથી તપાસ કરવામાં આવે છે.

પ્રથમ પગલાં: પ્રયોગશાળા અને પશુ અભ્યાસ
એક્સ્પ્લોરેટરી સ્ટેજ
  આ તબક્કે મૂળભૂત પ્રયોગશાળા સંશોધન શામેલ છે અને ઘણીવાર 2-4 વર્ષ ચાલે છે.સંઘીય રીતે નાણાં પૂરા પાડવામાં આવતા શૈક્ષણિક અને કુદરતી અથવા કૃત્રિમ એન્ટિજેન્સ ઓળખે છે.જે રોગને રોકવા અથવા તેની સારવાર કરવામાં મદદ કરી શકે છે.આ એન્ટિજેન્સમાં વાયરસ જેવા કણો,નબળા વાયરસ અથવા બેક્ટેરિયા,નબળા બેક્ટેરિયાના ઝેર અથવા પેથોજેન્સમાંથી લેવામાં આવતા અન્ય પદાર્થો શામેલ હોઈ શકે છે.

ગુણવત્તા નિયંત્રણ:
  ક્લિનિકલ વિકાસ એ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે.  પ્રથમ તબક્કા દરમિયાન, લોકોના નાના જૂથો ટ્રાયલ રસી મેળવે છે.  બીજા તબક્કામાં, ક્લિનિકલ અભ્યાસ વિસ્તૃત કરવામાં આવે છે અને રસી એવા લોકોને આપવામાં આવે છે જેમની લાક્ષણિકતાઓ છે (જેમ કે વય અને શારીરિક આરોગ્ય) જેમની પાસે નવી રસીનો હેતુ છે.ત્રીજા તબક્કામાં, રસી હજારો લોકોને આપવામાં આવે છે અને અસરકારકતા અને સલામતી માટે પરીક્ષણ કરવામાં આવે છે.
  આમ,વેક્સિન સોધવાની એક ચોક્કસ પધ્ધતિ હોય છે.તેને સોધવામાં લાગતો સમય કોઈ ચોક્કસ હોતો નથી.કેટલીક વેક્સિનને બનાવતા બે માહિ તો કેટલીક બે વર્ષે કે તેથી વધુ પણ સમય લાગી શકે છે.વેક્સિન શોધવાનો ઇતિહાસ આમ તો ઘણો લાંબો છે પરંતુ આ સોધમાં વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી કાર્ય કર્યું છે અને કરવું પડશે કારણ કે પ્રકૃતિ જ્યારે પરિક્ષા લેવાનું નક્કી કરેછે ત્યારે સમગ્ર જ્ઞાન બાજુ એ રહી જતું હોય છે  અને તથ્ય કઈ નવુ જ નીકળતું હોય છે.પરીક્ષા લેવી કુદરતની હાથની વસ્તુ  છે પણ આપણે પ્રયત્ન ચાલુ રાખવા પડસે તે નક્કી છે. 
                                                                                          
                                                                                                                            જૈમીન જોષી.

Saturday, August 1, 2020

ઇચ્છાઓ -અવૈચારિક માંગણીઓ (Desires -Involuntary demands)



Desire

                                Desire




माया मरी न मन मरा , मर मर गये शरीर ।
आशा तृष्ना ना मरी , कह गये दास कबीर ॥
— कबीर


     ઇન્દ્રિયોને  આધીન વ્યક્તિ સહજ પણે ઈચ્છાઓનું પટારુ માથે લઈને ફરતો હોય છે. માનવ રાગ, ભય, લોભ અને જડતા ભર્યા ક્રોધને વશ થઈ જાય છે. તે હંમેશા ઇચ્છાદ્રવ્યનો ભોગી બને છે. દ્રવ્ય સંબંધી કર્મ મનુષ્યને ક્ષણ બેક્ષણનું સુખ ચોક્કસ આપે છે પરંતુ સંતોષ આપી શકતો નથી. માંગવું અને મેળવો બંનેમાં ગગન ધરતી નો ફરક છે. યોગી અને ભોગી બંને માટે ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણો સાથે સંગઠીત ક્રિયાઓને પ્રજ્વલિત કરવા જ્ઞાન આવશ્યક માર્ગ છે.માનવીને ગળથૂથીમાંથી માગવાનું શીખવેલ જ હોય છે. ઈચ્છાઓની પૂર્તિ માટે જાગૃત મન, અજાગૃત મન અને અર્ધજાગ્રત મનનું એક અલગ વિજ્ઞાન છે 'એઝ અ મૅન થિંકેથ' ની થિયરી સમગ્ર જગ્યાએ સ્વીકારાય ચૂકી છે અને તેના ઉપર અમલીકરણ પણ થઈ ચૂક્યું છે. પોતાના સપના પુરા કરવા એક ચોક્કસ કલ્પનાના સહારે તેના ચિત્રને  વાસ્તવિકતા તરફ ખેંચતા લોહી ચુંબક તરંગોનો  પણ એક આખો અલગ પ્રભાવ પડતો રહ્યો છે. ઈચ્છા,દ્વેષ, સુખ-દુઃખ, સ્થૂળ શરીર આ બધું જીવનના ક્ષેત્રમાં ફરતા આવેગો જ માનવને ક્યાંકને ક્યાંક જીવન જીવવાનો આનંદ પ્રદાન કરતો હોય છે.

મનુષ્યની ઇચ્છાઓનું પેટ કોઈ ભરી  શકતું નથી~વેદવ્યાસ

      માંગવાની ક્રિયાઓના દ્રષ્ટિને દિશા આપતું એક ઉદાહરણ  સ્કંદપુરાણમાં શિવજીની ઉદારતાનું એક સુંદર દૃષ્ટાંત છે.તામસ પ્રકૃતિના જીવો જ્યારે શિવજી પાસેથી કાંઈક માગવાની ઇચ્છા કરે છે,ત્યારે માગનારનો દ્રસ્તિકોણની  સજ્જતાની એક કથા છે.'એક વાર  ભગવાન કુબેરે ભગવાન શંકરને પ્રાર્થના કરતા કહ્યું કે ,હે : - ‘ પ્રભો ! મારી પાસે ઘણું ધન છે , એ ધનથી હું આપની યત્કિંચિત દેવ - દેવીની સેવા કરવા ઇચ્છા રાખું છું.

      ”શિવજીએ કહ્યું : - ‘ મને  તમારા ધનની સેવાની જરૂર નથી . જગતનું તમામ ધન તો મારી વિભૂતિ છે કે વિભૂતિજ છે એમ જાણવું. તમે કોઈ અન્ય દેવી દેવતાની સેવા કરો.
    પરંતુ  કુબેરે એ જ પ્રકારે માતા પાર્વતીજીની પ્રાર્થના કરી .સ્ત્રી સહજ સ્વભાવને આધીન થઈ  પાર્વતીજીએ કુબેરને આજ્ઞા કરી : - “ કૈલાસની નજીકમાં એક સુવર્ણનો રત્નજડિત મોટો રાજમહેલ ઊભો કરી દેવો. તરત જ ભગવાન કુબેરે કૈલાસની નજીકમાં જ એક રત્નજડિત રાજમહેલ તૈયાર કરવી દીધો. હવે આ સુવર્ણમહેલનું વાસ્તુ કરવા માટે કોઈ મહાન વિદ્વાન બ્રાહ્મણને બોલાવવા માતા પાર્વતીજીએ પતિ શિવજીને પ્રાર્થના કરી. મહાદેવને પ્રથમ તો મનમાં સંચય થયો પણ પત્નીનું મન રાખવા અને જગતને એક લીલા બતાવવા તેમણે ઇચ્છા  થઈ. 
       શિવજીએ આજ્ઞા કરી : -‘ લંકાપતિ રાવણ પુલસ્ય કુલનો મહાન વેદવેત્તા બ્રાહ્મણ છે . કર્મકાંડ કરવામાં એ ખૂબ કુશળ છે.તેની ગણના જ્ઞાની પુરુષમાં થાય છે, અનેક ઋષિ - મુનિઓ યજ્ઞના આચાર્ય તરીકે એનું જ વરણ કરે છે તથા તે મારો પરમ ભક્ત છે માટે આપણે આપણા આ મહાલય - સ્વર્ણમંદિરની વાસ્તુશાંતિના આચાર્ય તરીકે રાવણનું વરણ કરીએ.
     જેવી આપની ઇચ્છા પ્રભુ તેમ કહીને માતા પાર્વતીજીએ પોતાના દૂતને લંકામાં મોકલીને વાસ્તુશાંતિના આચાર્ય તરીકે રાવણને આમંત્રણ મોકલ્યું.
     રાવણે એ આમંત્રણનો સ્વીકાર કર્યો . અનેક ઋષિમુનિઓ સહિત રાવણે આ વાસ્તુશાંતિનું કાર્ય સંપન્ન કર્યું.પૂજાની પૂર્ણાહુતિ કર્યા પછી દક્ષિણા આપવાનો વખત થયોએ એટલે  ભગવાન સદાશિવે યજમાન તરીકે રાવણને દક્ષિણા માગવાની આજ્ઞા કરી : - પરંતુ રાવણ આટલો ઉચ્ચ કક્ષાનો વેદવેત્તા હોવા છતાં તેની ચિત્તવૃત્તિ સ્થિર ન હતી . એની દષ્ટિ મહાદેવી શિવપ્રિય પાર્વતીના ઉપર હતી . આથી તેણે ભગવાન શંકર પાસેથી દક્ષિણાના રૂપમાં મહાદેવી પાર્વતીની યાચના કરી.
 આ જોઈ ભગવાન મહાદેવએ પાર્વતીજી સામે જોયું.રાવણની આવી અયોગ્ય માગણી પાર્વતીજીને ગમી નહિ.
      આ તરફ આ વાસ્તુશાંતિના પ્રસંગે તમામ દેવી દેવતા ત્યાં  આવ્યા હતા , તેમને પણ ચિંતા થઈ કે આ બ્રહ્મવિદ્યા કુપાત્રના હાથમાં જશે , તો અર્થને બદલે અનર્થ થઈ જશે !
    ત્યારપછી બધા દેવોએ શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું . આ તરફ પાર્વતીને હાથ પર ઊઠાવીને રાવણ ચાલતો થયો.ત્યાં વચ્ચે જ એક અગિયાર વર્ષનો ગોવાળ તેને સામો મળ્યો . ગોવાળે હસીને રાવણને પૂછ્યું : - ‘ અરે , આ કોને લઈ જાય છે ? ' “ આ પાર્વતી છે.ભગવાન શંકરે મને દક્ષિણામાં આપી છે . ” રાવણે ઉધ્ધતાઈ પૂર્વક જવાબ આપ્યો . ‘અરે મૂર્ખ  આવો વિશ્વાસ તને કેવી રીતે આવ્યો કે આ તારા ખભે બેઠેલ સાક્ષાત માતા પાર્વતિ છે? ' હસતાં હસતાં ગોવાળે કહ્યું : ‘જરા વિચાર તો કર કે  કોઈ પોતાની પત્નીને દક્ષિણામાં આપે ખરૂ ? 
      'ત્યારે આ કોણ છે ? ' રાવણે આશ્ચર્યથી પૂછ્યું . - 
     ‘અરે હું તો રોજ ભગવાન શંકરનાં દર્શને જાઉ છું,શિવપાર્વતીની યુગલજોડીની સેવા કરનારી આ તો પાર્વતીની દાસી છે ! ' ગોવાળે જવાબ આપ્યો.
     ‘તારી વાત નાના બાળકના જેવી છે , એને હું કેવી રીતે માનું ? ' રાવણે શંકા કરી , 
     'તને વેદશાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન છે ખરું?” ગોવાળ બોલ્યા: -આ જગતના અને દેવોના કર્તધર્તા પલનકારી મહાદેવ સાક્ષાત બ્રમ્હ છે  અને દેવી પાર્વતી બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ છે, બ્રહ્મવિદ્યાના શરીરમાંથી અગરૂચંદની સુગંધી ફેલાય છે.હવે આ દાસીના શરીરની નજીકમાં જઈને જોઈ લે,કે તેના શરીરમાંથી એવી સુગંધી નીકળે છે? 
       ગોવાળની વાતોથી રાવણના મનમાં ભ્રમમાં ઉત્પન થયો. તેણે પાર્વતીજીની નજીકમાં જઈને જોયું તો તેમાંથી દુર્ગંધ આવી રહી હતી . હવે રાવણને વિચાર આવ્યો કે પોતે છેતરાઈ ગયો છે. હવે આ દક્ષિણામાં આવેલી દાસીને બદલાવવા જઈશ , તો ક્યાંક ભગવાન શંકર આ દાસીને જ સંકલ્પપૂર્વક દક્ષિણામાં આપી છે , એમ કહીને મને ગળે વળગાડી દેશે ! અથવા તો શાપ આપી દેશે,તથા સમગ્રહ દેવી દેવતા સામે હું મૂર્ખ સાબિત થઈસ' આવો વિચાર કરીને રાવણએ દાસીને ત્યાં ને ત્યાં છોડીને કૈલાસમાં ચાલ્યો ગયો. મહાદેવી પાર્વતીને લઈને ભગવાન શ્રીકૃષ્ણ કૈલાસમાં ગયા , અને ભગવાન શંકરને કહ્યું : “લો પ્રભુ,સંભાળો આપની આ બ્રહ્મવિદ્યાને !
    ‘રાવણ આ અલૌકિક બ્રહ્મવિદ્યાને પાત્ર નથી અને કુપાત્રને મળેલી બ્રહ્મવિદ્યા સુગંધને બદલે દુર્ગધ ફેલાવે છે,એ ન્યાયથી મેં આજે રાવણના પાસેથી તેમને મુક્ત કરાવી છે .”
     આ દૃષ્ટાંત એમ સૂચવે છે કે કુપાત્રના હાથમાં જો બ્રહ્મવિદ્યા આવી જાય,તો એ સુગંધ-સુવાસને બદલે દુર્ગધ - અપકીર્તિ અને વિષયવાસના ફેલાવે છે . પાર્વતી સ્વયં બ્રહ્મવિદ્યાનું સાક્ષાત્ સ્વરૂપ છે . ભગવાન સદાશિવ એવા ઉદાર અને ભોળા છે કે તેઓ ભક્તોને પોતાનું સર્વસ્વ આપી દેવામાં પણ જરા સરખો પણ  સંકોચ કરતા નથી.
      અન્ય એક ઉદાહરણ મહાભારતનું પણ છે.દ્રૌપદીના સ્વયંવરમાં કર્ણ જ્યારે ઉભો થાય  ત્યારે સંપૂર્ણ પણે સક્ષમ હોવા છતાં કૃષ્ણના એક ઇશારે દ્રૌપદી તેને લગ્ન કરવા ના કહી દે અને કૃષ્ણ તેમના લગ્ન અર્જુન સાથે કરાવે છે.આખા સ્વયંવરની ચર્ચા એક અલગ વિષય છે પરંતુ મૂળ વાત ઈચ્છાઓની જ છે.સમજણ વગરના સપના,હેતુ વગરનું  જીવન અને અહંકાર ભર્યું જ્ઞાન વ્યક્તિને આશક્ત કરે છે. 
      નરસિંહ,મીરાં,સુરદાશ કે રવિદાશને કૃષ્ણભક્તિ દ્વારાં હરિ મળે છે પણ હૃદયમાં ધારણ કરનાર રાધા તેનાથી વંચિત છે.પત્નીને પિયરમાં મૂકી માથે કાવડ ચડાવી માતા પિતાને હરિદર્શન કરાવા નીકળેલ શ્રવણને ક્યાં ખબર  હતી કે પાણી ભરતા એક તીર હવાને ચિરતું આવશે અને તેના શરીરને વીંધી નાખશે.ખૂણે ખૂણે સંતાતો શરમાતો ગરીબ સુદામો જ્યારે દ્વારિકામાં પગ મૂકે ત્યારે ત્યાંનો રાજા ઢસડાતો પડતો તેને મળવા દોડી આવે.આ બધું હરી કૃપાને આધીન હોય તો જ મળે. 
    ઈચ્છાઓને પગ નહીં પાંખો હોઈ છે.માનવ દેહ તે પાંખો પર બેસી પ્રવાસ કરી શકાતો નથી,તેને તો પગડંડી જ શોભે.ભય અને નિર્ભરતા વચ્ચે ભેદ પારખતા અને આગળ વધતાં આવડે તો જીવન સહજ બનતા વારના લાગે.
                                                                                                                           જૈમીન જોષી.  

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...