Sunday, February 28, 2021

વ્લાદિમીર લેનિન (Vladimir Lenin)

 તે સાચું છે કે સ્વતંત્રતા એટલી કિમતી છે કે તેની કાળજીપૂર્વક દલીલ     કરવી આવશ્યક છે. 

                                                                                                                               વ્લાદિમીર લેનિન

Vladimir Lenin image
Vladimir Lenin



   ગરીબી શોષણ અન્યાય અને દમનમાં પીડાતી રશિયન પ્રજાને તેમની તકલીફોમાંથી મુક્ત કરીને તેમના જીવનને રાજમાર્ગ તરફ લઈ જનાર ક્રાંતિકારીઓમાં લેનિનનું નામ અગ્ર સ્થાને છે. વીસની સદીના મહાન અને અગ્રણી વ્યક્તિઓમાં એક નામ લેનિનનું પણ હતું. વિશ્વનો ઇતિહાસ અને ભૂગોળ સુધ્ધાં બદલી નાંખનાર માનવ ઇતિહાસના મહાન રાજકીય નેતાઓમાં લેનિનનો સમાવેશ થાય છે. તે સમયનાં રાજવંશી લોકો દ્વારાં ગરીબ અને મજૂરીયાત વર્ગ ઉપર અત્યાચારો કરવામાં આવતાં. આ અત્યાચારોને દૂર કરવાં માત્ર ગરીબો અને મજૂરોની મદદથી ક્રાંતિ કરી બતાવનાર એ માત્ર લેનિન હતાં.

   ઈ.સ. 1905 માં જાપાન સાથેનાં યુદ્ધમાં રશિયા ખૂબ ખરાબ રીતે પરાજય પામી. તેમાં રશિયામાં હજારો સૈનિકો મૃત્યું પામ્યાં, તેનું એક કારણ હતું સૈનિકોને આપવામાં આવેલી અપૂરતી તાલીમ હતી. સખત ખરાબ રીતે થયેલી આ પરાજયનાં પરિણામે ગરીબ અને મજૂરીયાત વર્ગો એકતત્રિત થઈને કારખાનાંઓમાં હડતાલ પાડવા લાગ્યાં. સામયિકો અને પુસ્તકોમાં વિવિધ આર્ટીકલ છપાવા લાગ્યાં. આમ, પ્રજાઓમાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ.

   રશિયામાં ૨૫ ઑક્ટોબર ૧૯૧૭ ના રોજ વૈશ્વિક કાળગણના અનુસાર ૭ નવેમ્બર ૧૯૧૭ ના રોજ કામદાર વર્ગની સત્તાની સ્થાપના માટે જે ક્રાંતિ થઈ તે ક્રાંતિનું વૈચારિક, રાજકીય, અને પ્રત્યક્ષ સંગઠનાત્મક નેતૃત્વ લેનિને કર્યું અને સમાજવાદની રચના માટે વિશ્વની પ્રથમ સમાજવાદી સત્તાનો ધ્વજ સફળતાપૂર્વક ફરકાવ્યો.

   લેનિન એ તેણે ધારણ કરેલું નામ હતું, પરંતુ તેનું મૂળ નામ વ્લાદિમીર ઈલિચઉલ્યાનોવ હતું. લેનિનનો જન્મ ૨૨ એપ્રિલ ૧૮૭૦ ના રોજ હોલ્ગા નદીના કાંઠે આવેલ સિંબિસ્ક શહેરના એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો. તેમના પિતા શાળાના શિક્ષક હતાં. તેની માતા મેરિયાના પિતા વ્યવસાયે ડૉક્ટર હતાં અને તે પોતે શિક્ષિકા હતી. તેના ચાર ભાઈઓની માફક લેનિન પણ ક્રાંતિકારી માનસ વૃતિ ધરાવનાર હતાં. લેનિનના સૌથી મોટા ભાઈ એલેકઝાન્ડર યુલાયનોફને ઝાર એલેકઝાન્ડર ત્રીજાના ખૂનના કાવતરામાં સામેલ થવાનાં ગુના હેઠળ ઈ.સ. ૧૮૮૭ માં ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાથી લેનિનની માતા ખૂબ દુખી થયા અને તેમને માનશિક અસર થઈ ગઈ અને તે લગભગ ગાંડા જેવાં જ થઈ ગયાં. તે સાથે લેનિનને પણ મોટો આઘાત લાગ્યો હતો. તેના જીવનમાં આ ઘટનાએ ખૂબ ઊંડી અસર કરી હતી. મૂળ લેનિન ખૂબ સાદા હતાં પણ તેની સાથે શક્તિશાળી વલણ પણ ધરાવતા હતાં. લેનિનની બુદ્ધિ અને નિર્ણયશક્તિ ઘણી તીવ્ર હતી. શાળાનો અભ્યાસ તેણે સુવર્ણચંદ્રક મેળવીને પૂર્ણ કર્યો અને કઝાન યુનિવર્સિટીમાં તે કાયદાના અભ્યાસ માટે દાખલ થયાં. તેમનું એક કારણ તેમના પિતાની તેમને વકીલ બનાવવાની ઇચ્છા હતી. પરંતુ ઈ.સ. ૧૮૮૭ માં વિદ્યાર્થી ચળવળમાં ભાગ લેવા માટે તેને હદપાર કરવામાં આવ્યાં. ઈ.સ. ૧૮૮૯ માં તે રશિયામાં પુનઃ પ્રવેશ કર્યો અને કઝાનમાં રહીને તેણે કાર્લ માર્ક્સના સિદ્ધાંતોનો અભ્યાસ શરૂ કર્યો. તે દરમિયાન માર્ક્સવાદી મંડળો સાથે પણ તે સંપર્કમાં આવ્યાં. ઈ.સ. ૧૮૯૧ માં તેણે સેન્ટ પિટર્સબર્ગ યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ ' વિદ્યાર્થી તરીકે કાયદાની પરીક્ષા પસાર કરી. કઝાનથી તે સમારા ગયાં અને ત્યાં વકીલાતની સાથે સાથે માર્ક્સવાદી વિચારોનો તેણે અભ્યાસ કર્યો. ત્યાંથી તે ૧૮૯૩ માં સેન્ટ પિટર્સબર્ગ આવ્યાં અને બહુ થોડા સમયમાં ત્યાંના સામ્યવાદીઓનાં તે નેતા થઈ ગયાં. સેન્ટ પિટર્સબર્ગમાં તેણે મઝદૂર મુક્તિ આંદોલન સંઘ'ની સ્થાપના કરી. પ્રથમ તેણે હસ્તલિખિત લખાણો પ્રસિદ્ધ કરવા માંડ્યાં. જ્યારે તે લખાણો લોકપ્રિય બનવા લાગ્યાં તેથી તેણે છાપખાના મારફત પ્રચાર શરૂ કર્યો.

   તે વખતે રશિયામાં ઝાર સમ્રાટોની રાજાશાહી સત્તા હતી. ઝારશાહીમાં રશિયાએ યુરોપ ખંડનો આર્થિક પછાતપણું, નિરક્ષરતા, ધાર્મિક કટ્ટરતા, સર્વાધિક વિષમતા તેમજ રાજકીય તીરે મનસ્વી વલણ ધરાવનાર અને દમનનીતિ વાળો દેશ હતો. ઝારશાહીની રાજ્ય વ્યવસ્થા એ જુલ્મી, અત્યાચારી અને કોઈ પણ લોકશાહી સંસ્થાના વિકાસને નકારનારી રાજ્યવ્યવસ્થા તરીકે યુરોપમાં ઓળખવામાં આવતી હતી. આ સત્તાને ઉથલાવી નાંખવાનું કામ લેનિને કર્યું. લેનિનનું રાજકીય જીવન યુનિયન ઑફ સ્ટ્રગલ ફોર ઇમૅન્સિપેશન ઑફ ધી વર્કિંગ ક્લાસ ' જૂથની સ્થાપનાના સહભાગથી શરૂ થયું. આ જૂથે બહાર પાડેલ અખબારના પહેલા જ એક પર જપ્તી આવી અને લેનિન સહિત જૂથના અનેક સદસ્યોની અટક કરીને દસ મહિના માટે કારાવાસમાં ધકેલવામાં આવ્યાં. ફેબ્રુઆરી ૧૮૯૭ માં કારાવાસમાંથી છૂટકારી બાદ તેમને સાઇબેરિયા હદપાર કરવામાં આવ્યા. ૧૯ માં લેનિનની માત્ર પારી મુદત પૂરી થઈ, પરંતુ તેમને રશિયામાં કોઈ પણ મહત્વનાં ઔઘોગિકે અથવા યુનિવર્સિટીનાં શહેરોમાં રહેવાની મનાઈ ફરવામાં આવી. તેને કારણે તેમણે સીધા સ્વિટ્ઝરલેન્ડના  જીનીવા જઈને આગળનું કાર્ય ચલાવવાનો નિર્ણય લીધો. તે જ સમયે ક્રાંતિકારી પક્ષની રચના, સંગઠનના તત્વ, રશિયામાં ક્રાંતિનું સ્વરૂપ વગેરે રાજકીય સંગઠનાત્મક વિષયો પર પોતાના વિચાર સ્પષ્ટ કરનાર હૉટ ઇઝ ટૂ બી ડનપુસ્તક તેમણે પ્રકાશિત કર્યું.

   સમય જતાં સઘળાં સૂત્રો જાણે લેનિનના હાથમાં આવ્યાં. ૧૯૧૭ ના સમયગાળામાં તેમણે મજબૂતાઈથી બોન્શેવિક પક્ષનું નેતૃત્વ કર્યું. કેરેન્સકી સરકાર પ્રજાની ક્રાંતિકારી આકાંક્ષાઓને હાનિ પહોંચાડશે તેમ તેમણે પોતાના પક્ષના નેતાઓને અત્યંત સંઘર્ષમય વિવાદ સાથે ગળે ઉતાર્યું. અંતે રશિયન દિનદર્શિકા અનુસાર ૨૫ ઑક્ટોબર ૧૯૧૭ નો દિવસ નક્કી થયો અને તે દિવસે મધ્યરાત્રે સોવિયેટની દેશવ્યાપી પરિષદની પાર્શ્વભૂમિકા પર લોહીનું એક પણ ટીપું રેડ્યા સિવાય ઐતિહાસિક વિન્ટર રાજમહેલ બોલ્સેવિકોએ કબજે લીધો અને લેનિનના નેતૃત્વ હેઠળ નવી બોલ્સેવિક સરકારની સ્થાપના કરવામાં આવી.

   આ સરકારે સત્તા પર આવતાં જ ખાનગી અને ચર્ચની માલિકીની જમીનો ખેડૂતોને વહેંચી દીધી. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વારસાહક્ક અને ઉચ્ચવર્ગના સઘળા વિશેષ અધિકાર નાબૂદ કરવામાં આવ્યા. જૂના ન્યાયાલયો અને પોલીસ દળ આટોપી લઈને તેને સ્થાને ક્રાંતિકારી ન્યાયાલયોની સ્થાપના કરવામાં આવી. સ્ત્રીઓને મતાધિકાર તેમજ પુરુષોની જેમજ સમાન અધિકાર મંજૂર કરવામાં આવ્યા. તેમને રોટી જમીન અને શાંતિનું વચન પણ આપ્યું અને કેટલાક અંશે પૂર્ણ પણ કર્યું. લોકો પોતાની ઈચ્છા મુજબ ઘર વપરાશની વસ્તુઓ ખરીદી અને પોતાની પાસે રાખી શકતા. મજૂરવર્ગ ને રોકડું વેતન આપવાનું પણ શરૂ કર્યું જેથી મજૂર વર્ગને કામ કરવાની પ્રેરણા મળી.

   લેનિન એક ક્રાંતિકારી અને રાજકીય પુરુષ હોવાં છતાં એક સામાન્ય માણસની માફક વર્તન કરી શકતા હતાં. સંગીત સાંભળવાનાં તે ખૂબ શોખીન હતાં. નાનાં બાળકો ઉપર તેને અત્યંત પ્રેમ હતો. સ્ત્રીઓને વિશે એક વાર તેણે કહ્યું હતું કે અડધોઅડધ વસ્તીને રસોડામાં પૂરી રાખવામાં આવી હોય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર સ્વાધીન ન થઈ શકે. લેનિનની પત્ની પણ તેને દરેક કામમાં મદદ કરતી. એ કામદાર મંડળની મંત્રી પણ હતી અને લેનિનના બધા પત્રવ્યવહારની વ્યવસ્થા કરતી. અંત સુધી તેણે લેનિનના એક સાથી, સલાહકાર અને મંત્રી તરીકે કામ કર્યું હતું. તદુપરાંત લેનિન એક સારો લેખક અને ચિંતક હતો. તેણે અસંખ્ય લેખો લખ્યા હતા અને ઘણાં પત્રોનું સંપાદન કર્યું હતું. લેનિનના ઓન ફાઈનાન્સ' ,  “ ધી પ્રોબ્લેમ ઑફ ધી રશિયન સોશ્યલ ડેમોક્રેટ અને રશિયામાં મૂડીવાદનો વિકાસ નામનાં પુસ્તકો અત્યંત પ્રસિદ્ધ છે. આ પુસ્તકો દ્વારા તેણે રશિયામાં મૂડીવાદના સ્વરૂપને સ્પષ્ટ કર્યું હતું. તેના લેખો ઘણા લોકપ્રિય થયા હતા અને તે ફ્રેન્ચ તથા જર્મન ભાષામાં અનુવાદ પામ્યા હતા.

   સામ્યવાદી રસિયાનો પાયો નાખનાર લેનિન ઈ.સ. 1924 માં દુનિયાને અલવિદા કહી ગયાં. ઈ.સ. 1922 થી 1924 તેમના માટે કપરો સમય હતો કેમકે તેમણે અંત સમયે પક્ષ ઘાતનો સામનો કરવો પડ્યો હતો. લેનિનનાં ગયાં પછી પણ રશિયાના ખૂણે ખૂણે લોકો તેમને યાદ કરે છે. પંડિત જવાહરલાલ તેને અંજલિ આપતાં જણાવે છે, તે રશિયન પ્રજા માટે એક દેવ જેવો બની ગયો હતો. તેમની આશા અને શ્રદ્ધાનું તે પ્રતીક હતો. તે દરેક મુશ્કેલીમાંથી માર્ગ કાઢનાર સુજ્ઞ પુરુષ હતો.

  (નોધ: લેનિન વિશે લખવામાં આવેલ સાલ વિશે બેવડા મતો છે જેથી ચોક્કસતા માં ભેદભાવ થઈ શકે. આ આર્ટીકલ માં લેવામાં આવેલ માહિતીનો શોર્સ અલગ ચોક્કસ લેખકે પ્રકાશિત કરેલ માહિતી છે. )

        


                                                                                               જૈમીન જોષી. 

Sunday, February 14, 2021

પ્રેમ, પીડા, પરાકાષ્ઠા... (Love, pain, climax ...)

  •  પ્રેમ કરનાર વ્યક્તિને પીડાનું વરદાન છેજ્યારે પરાકાષ્ઠાનો વિયોગ છે:-

   

love image


   '' પ્રેમ '' સહજ રીતે બોલાતો આ શબ્દ સહજ રીતે જીવાતો હોત તો કેટલું સારું..? સૌથી ગૂંચવાડા ભર્યો શબ્દ એટલે 'લવ'. લવ શબ્દ સાંભળતા જ સપ્તરંગી ચિત્રો નજર સામે ઊભરી આવતાં હોય છે. ભાષાફેર ચોક્કસ હોય પણ ભાષાભેદ ન હોય. અર્થ ભલે એક જ રહે પણ લાગણીતો ભિન્ન જ રહે. પ્રેમનો સ્વીકાર તો દરેક ધર્મના સંસ્થાપકએ પોતાના ધર્મપાયા સ્વરૂપે કર્યું છે. મનોવૈજ્ઞાનિકોએ તો પ્રેમ કરી શકતું હોય તો જ ભાવનાત્મક રીતે માણસ છે એમ કહી શકાય તેવું માને છે.  પ્રસંગોપાત લગ્ન થાય પણ પ્રેમ તો ન જ થાય. પ્રેમ શાશ્વત છે, પ્રેમ સાપેક્ષ છે, પ્રેમની તો પેઢીઓ ચાલે છે. માણસ તેનું પ્રમાણ છે. નિમ્ન સ્તરનું શરીરસુખ અને તેના પરિણામ પ્રેમની વ્યાખ્યામાં આવતા જ નથી. આવા કિસ્સામાં વાઘનું ચામડું પહેરીને શિકાર કરવા નીકળીલા સિંહ જેવું થતું હોય છે.

   સમય બદલાયો છે. આપણે ભૌતિક રીતે જેટલા "ફોરવર્ડ" થયા છીએ તેના કરતાં માનસિક રીતે વધુ થયા છીએ. અહીં માનસિક રીતે વધુ ફોરવર્ડ થયા નો અર્થ એ છે કે માત્ર મનગમતું કરી છૂટવું, ક્ષણ ભોગવી લેવી અને ઉછળતા ઉમળકાને સંતોષ આપી શકાય તેવું ત્વરિત કરવું. આપણે પ્રેમને હંમેશા એક માધ્યમ સ્વરૂપે જ જોયો છે. અધિકારપણામાં જ વિશ્વાસ રાખ્યો છે. આમ જોવા જઈએ તો પ્રેમ કેવળ એક છેતરામણી છે. પ્રેમની વાતો સ્વાર્થાંધિન હોય છે. તમારે કોઈને પ્રેમ કરવો પડે છે કે તને પ્રેમ કરું છું તેમ કહેવું પડે તો તમે આંશિક રીતે જ પ્રેમમાં છો તેમ ધારવું.

   આપણે મિત્ર, માતા-પિતા કે ભાઈ બહેનને મોટા ભાગે કહેતા નથી કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ, છતાં આપણે કરીએ છીએ તેમાં કોઈ એક અંશ પણ ખોટું નથી. પરંતુ, રિલેશનશિપમાં આપણે વારંવાર એક બીજાને કહેવું પડે છે કે 'આઇ લવ યુ'... એકબીજાને યાદ કરાવવું પડે છે કે હું તને પ્રેમ કરું છું. વર્તન પારદર્શક ન હોય ત્યારે શબ્દોએ સહાયે ઉતરી આવવું પડે. 


valentine images


   બે વ્યક્તિ એક બીજાના પ્રેમમાં ડૂબે અને પછી એકબીજાની સાથે સ્વયંમને પણ શોધતા રહે. પ્રેમમાં વારંવાર કોઈને ચાહું છું તેમ કહેવા છતાં તમારા પર અવિશ્વાસ હોય તેવું બને. પ્રેમ હોય પણ ક્યારેક અનુભૂતિ ન હોય. ક્યારેક અનુભૂતિ હોય તો ક્ષણ ન હોય. ક્યારેક ક્ષણ હોય તો વ્યક્તિ ન હોય અને જયારે બધું ત્યારે પ્રેમ ન હોય.  'હાર્ટ અટેક' આવે તે સારું પણ 'લવ અટેક' આવે તો તેમાંથી બચી શકવું અશક્ય છે. એકબીજાને ગમી જવાની ક્રિયા જેટલી સરળ હોય છે તેટલી જ કઠિન પ્રેમને જાળવી રાખવાની પદ્ધતિ હોય છે. સાત ગળણે ગાળીને પાણી પીનારને પ્રેમ રસ ન પચે તેવા કિસ્સાઓ અઢળક છે. પહેલા ગમી જવાય અને પછી ગળી જવાય. પ્રેમની કૃત્રિમતા માનવને ભક્ષકતા તરફ આવરી લેતી હોય છે. લાગણીના શબ્દો ખાંડ જેવા હોય છે જેટલી મીઠાશ તેટલાં જ ઝેરી. પ્રેમમાં બોલાયેલા શબ્દો, બંધાયેલ વચનો ક્યારેય પળાતા નથી, નથી તો જીવાતા. શાબ્દિક ક્ષણોનું મહત્વ નહિવત્ હોય છે તે માત્ર વિખૂટા પડ્યા પછી પીડા જ આપે છે, સ્મૃતિ સ્વરૂપે.

   નિમ્નતમ સ્તરે પ્રેમ એક પ્રકારનું પક્ષીય પાર્ટીનું રાજકારણ જ છે. પ્રેમની વ્યાખ્યામાં માલિકીભાવ, ઈર્ષા, ઝંખના, અપેક્ષા, ઉપેક્ષા, કટુતા, કઠોરતા, પીડા, એકપક્ષીયતા જેવા ભાવો તો હોય જ છે. પ્રાણીને પ્રેમ કરવો અને માનવીને પ્રેમ કરવો બન્નેમાં પ્રાણીપ્રેમ વધુ સફળ ગણાશે. પ્રાણીને કોઈ માંગણી નથી હોતી તે માત્ર માલિકની આજ્ઞાનું પાલન કરતો હોય છે માટે તેની કોઈ જરૂરિયાત અશંતોષાતી નથી. બીજી તરફ વ્યક્તિને માલિકીભાવ માણવાનો ગર્વ હોય છે માટે તેનો અહમ સંતોષાય છે જેથી તેને પણ કોઈ ફરિયાદ નથી હોતી. આમ , બંને પક્ષે એક સુત્રતા જળવાતી હોય છે પરંતુ વ્યક્તિ પ્રેમમાં આવું નથી હોતું. દરેકને પોતાના આગવા નિયમો, પોતાની અલગ વિચારધારા, અલગ બુદ્ધિ, પસંદ, નાપસંદ, જરૂરિયાત, ઇચ્છાઓ, માંગણીઓ અને નિર્ણયો હોય છે એટલે પરિસ્થિતિમાં અશુદ્ધતા આવે તેમાં કોઈ નવાઈ નહિ. જોકે વ્યક્તિ પણ હવે આવા સબંધોથી ટેવાઈ ગયો છે તેને પણ પ્રેમમાં પેટ છુટી આઝાદી જોઈતી જ હોય છે. એક વ્યક્તિ એક કરતા વધારે વ્યક્તિના પ્રેમમાં હોય ત્યાં નવાઈ નહિ. એક વ્યક્તિ અન્યના વિશ્વાશને પોટલામાં બાંધી નદીમાં પધરાવી દે ત્યાં પણ નવાઈ નહિ. આ બધામાં નિર્દોષ અને લાગણીશીલ લોકોને વધુ ભોગવવું પડે છે. જે વ્યક્તિ પ્રેમમાં હોય તેને એવો ભ્રમ હોય છે કે તેનો પ્રેમી કે પ્રેમિકા દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ છે, જે તેના ભાગે આવ્યો છે અથવા આવી છે. દેખીતી રીતે પ્રેમમાં ઉણપ જોવાતી નથી પરંતુ અમુક સમય પછી તેને ચોક્કસ અનુભવાય છે અને પરિણામે પ્રેમનું મૂલ્ય આંશિક રીતે ઘટતું જોવા મળે છે. 

   પ્રેમ કરનાર વ્યક્તિને પીડાનું વરદાન છે, જ્યારે પરાકાષ્ઠાનો વિયોગ છે. દાંપત્ય જીવનમાં પરાકાષ્ઠાનો અનુભવ ભાગ્યે જ થતો હોય છે. અલબત્ત, જાતીય રીતે તે અનુભવી શકાય છે.

   એક માતા તેનાં દિકરાને પ્રેમ કરે છે તે નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમનું ઉદાહરણ છે. એક પ્રેમી-પ્રેમિકા એકબીજાના સંઘને ઝંખે છે તે પીડાનું ઉદાહરણ છે. બે મિત્રો એકબીજા સાથે અનઅપેક્ષિત સંબંધ સાથે જોડાય છે અને તેને સંપૂર્ણ રીતે નિભાવે છે તે પરાકાષ્ઠાનો ઉદાહરણ છે. પ્રેમ કરવો અને થઈ જવો બંને વચ્ચે મોટો ભેદ છે. પ્રેમને ટકાવી રાખવો અને પ્રેમને કેળવી રાખવું તેના વચ્ચે પણ એક મોટો ભેદ છે. પ્રેમમાં પારખણા નહીં પારણા હોય. કોઈ પણ રિલેશનશિપમાં બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ સંપૂર્ણ રીતે વફાદાર હોય જ છે અને કમનસીબે ભોગવવાનું પણ તેનાં જ નસીબે હોય છે. પ્રેમમાં સહજતા સહજ રીતે અપ્રાપ્ય હોય છે. પ્રેમ ક્યારે એક પક્ષીય થય જતો હોય છે તેની જાણ લાંબે ગાળે થતી હોય છે. પ્રેમના નામે માત્ર પીડાની આપલે તે પણ એક બળાત્કાર જ છે. પ્રેમની સંવેદનાનો બળાત્કાર, વિશ્વાસ નો બળાત્કાર, લાગણીનો બળાત્કાર, સાથે જીવી ગયેલ ક્ષણોનો બળાત્કાર, ખુલી આંખે જોયેલ સપનાનો બળાત્કાર.

   પ્રેમ એક એવી વિભૂતિ છે જે દરેક વ્યક્તિના નસીબમાં નથી હોતી. પ્રેમ એ પૃથ્વી પરનું અમૃત છે જે તમારી લાગણીઓને અમર રાખે છે. વ્યક્તિ પોતાની ભૌતિક ક્ષણને સુધારવા પ્રેમનો ઉપયોગ કરે છે અને પછી સમગ્ર જીવન તેને શોધ્યા કરે છે. પ્રેમ વારંવાર થતી ઘટના નથી તે એક ચોક્કસ સમયે અને કોઈ ચોક્કસ વ્યક્તિની સાથે જ થાય છે. તે કોઈ એક દિવસ પુરતી જવાબદારી નથી કે નથી તો ફરજ. તેતો માનવના મૃત્યુપરાંત પણ ચાલતી હોય છે. પ્રેમમાં કોઈ ઘટના સામાન્ય નથી હોતી. પ્રેમ માં કોઈ પીડા મામુલી નથી હોતી. પ્રેમમાં કોઈ વ્યક્તિ ન અમીર હોય કે  ન ગરીબ. પ્રેમમાં માત્ર બે હૃદય હોય છે, જે માત્ર એક બીજાના સાથ માટે આજીવન તડપ્યા કરે છે.

valentine images


   મધ્ય રાત્રીએ બંધ આંખે અને નિસ્તેજ ચહેરે ગાલ પર થઈને નીચે ઉતરતું પાણીનું ટીપું જેનું નામ ઓશિકા પર ચિત્રે તે પ્રેમ. ભીના ઓશીકે ચિતરાયેલ નામ કોઈ વાંચી ન જાય તેમ ફટાફટ ખંખેરી નાખે તે પીડા અને તેજ નામને મનમાં રાખી ઊંડો શ્વાસ લઈને તેના સુખ માટે ઈશ્વરને પ્રાર્થના કરે તે પૂજા એટલે પરાકાષ્ઠા.

                                                                                                       જૈમિન જોષી. 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...