Sunday, August 31, 2025

ખોરાકમાં મીઠું શા માટે જરૂરી? (Why is salt necessary in food?)

 

રસોઈમાં વપરાતા મીઠાને તમે અવગણતા તો નથી?

salt image


        ખોરાકમાં સામાન્ય પ્રમાણ પરંતુ અત્યંત મહત્વતા ધરાવનાર પદાર્થ એટલે મીઠું. તેના વગર સ્વાદ જાણે રિસાય જાય. અન્ય મસાલાનો તોડ ચોક્કસ મળી જાય પણ એક વાર નખાઈ ગયેલા મીઠાના  પ્રમાણને ઓછો કરવો અગરો છે. તે પોતાના ગુણધર્મનું પાલન ચોક્કસ કરે છે. મીઠા વગરનું જીવન નહિ ચાલે પરંતુ ભોજનમાં વધુ મીઠું પણ નહિ ચાલે. મીઠું જીવન માટે જરૂરી છે, પણ તે મર્યાદિત માત્રામાં લેવું ખૂબ જરૂરી છે. મીઠાનો યોગ્ય ઉપયોગ શરીર માટે લાભદાયક છે, પણ વધારે માત્રામાં તે નુકસાનકારક બની શકે છે.

        રસોડામાં સામાન્ય રીતે જોવાતા મીઠાને વિજ્ઞાન કઈક અલગ રીતે જોવે છે. મીઠું સોડીયમ અને ક્લોરીન નામના બે તત્વોનું મિશ્રણ છે માટે મીઠાનું રસાયણિક નામ સોડીયમ ક્લોરાઈડ અને રસાયણિક સુત્ર  NaCI છે.સોડિયમ ક્લોરાઇડ  અને પોટેશિયમ, સજીવ શરીરમાં કોષોના સામાન્ય કાર્ય અને પ્રવાહીના યોગ્ય સમતોલન માટે જરૂરી છે. મીઠું સજીવ શરીરને નવાં પ્રવાહી લેવામાં અને મૂત્ર દ્વારા ખરાબ પ્રવાહીનો નિકાલ કરવામાં મદદ કરે છે. સાથે મીઠું બ્લડપ્રેશર જાળવવા,  ડિહાઇડ્રેશન રોકવા અને કિડનીને સ્વસ્થ રાખવા આવશ્યક છે. શરીરમાં મીઠાની માત્રા ખૂબ જ ઓછી હોય તો મગજ, હૃદય અને સ્નાયુના કોષો યોગ્ય કાર્ય કરી શકતા નથી. નસોને સંકેત પહોંચાડવામાં, પેશીઓના સંકોચન અને આરામમાં મદદ કરે છે. પાચનક્રિયામાં મદદરૂપ બને છે, ખાસ કરીને પાચક રસો માટે ઉપયોગી છે.

        શરીરમાં મીઠાની યોગ્ય માત્રા હોવી આવશ્યક છે. વધુ પડતું મીઠું આરોગ્ય સમસ્યાઓ લાવી શકે. વધુ પડતું મીઠું લેવાથી શરીરમાં સોજા આવી જાય છે તથા તેનાથી હાઇ બ્લડપ્રેશરનું કારણ પણ બને છે. હાઈ બ્લડપ્રેશરથી હૃદયરોગનો હુમલો (હાર્ટ ઍટેક) થવાની શક્યતા વધે છે. - થાઈરોઈડ ગ્રંથિ માટે આયોડિન જરૂરી છે. આયોડિનની ઉણપથી ગળફાડો (goiter) કે માનસિક વિકાસની સમસ્યાઓ થાય છે, ખાસ કરીને બાળકોમાં વધુ જોવા મળે છે.

         ભારતમાં "યુનિવર્સલ સોલ્ટ આયોડાઈઝેશન" કાર્યક્રમથી આયોડિનયુક્ત મીઠું સામાન્ય બનાવાયું છે. યુ.એસ.એ.માં હાઈ બ્લડપ્રેશર ધરાવતા આશરે ત્રીજા ભાગના લોકો મીઠા પ્રત્યે 'સંવેદનશીલછે. એટલે જો તેઓ વધુ પડતું મીઠું ખાય તો તેમનું બ્લડપ્રેશર વધે છે.

 

આપણે કેટલી માત્રામાં મીઠું ખાવું જોઈએ?

        તમારે દરરોજ ૪ ગ્રામથી વધારે મીઠું (આશરે એક આખી ચમચી) અથવા ૨.૪ ગ્રામથી વધારે સોડિયમ ન લેવું જોઈએ પણ સામાન્ય રીતે પુખ્ત વયના લોકો રોજ ૧૦-૧૨ ગ્રામ મીઠું અથવા ૭-૮ ગ્રામ કે તેથી વધુ સોડિયમ લેતા હોય છે!!

આહારમાં મીઠું કેવી રીતે ઘટાડી શકાય?

જમતી વખતે આહારમાં મીઠું ન ઉમેરો. લોકો જેટલું સોડિયમ ખાય છે તેમાંથી ત્રીજાથી અડધા ભાગનું સોડિયમ જમતી તથા રાંધતી વખતે ઉમેરાય છે.

મીઠાને બદલે તમે બીજા મસાલા તથા સોડિયમરહિત વસ્તુઓ વાપરી શકો.

ખાતી તથા રાંધતી વખતે ખૂબ જ ઓછું અથવા નહિવત્ મીઠું લો. મીઠા સિવાય બીજા મસાલા વાપરો.

ખારી વસ્તુઓનો ત્યાગ કરો અને જો ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો તેને દુર કરવા પરસેવો નીકળે તેવી કસરત કરો. પ્રશ્વેદમાં મીઠું શરીરની બહાર નીકળી જશે.

પેકેજીંગ વાળા નાસ્તા, હોટેલમાં સૂપ, સોસ, અથાણા વગેરેને લાંબો સમય સાચવવા મીઠાનો ઉપયોગ કરાય છે. મૃત વ્યક્તિના સબને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પણ ફીઝમાં મીઠાનો ઉપયોગ થાય છે.

મીઠું માત્ર અલગથી લેવાથી જ પ્રાપ્ત થતું નથી તે ખનીજ તત્વ છે એટલે કે જમીનમાંથી મળતો ક્ષાર જે પાણી સાથે ભળી વનસ્પતિઓ કે ફળોમાં પરિવહન કરતો હોય છે અને તે માધ્યમથી પણ આપણા શરીરમાં મીઠાનું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે.

કેલા, સફરજન, ગાજર, અથાણું, લીલા શાકભાજી વગરેમાં મીઠાનું વત્તા ઓછા પ્રમાણમાં મીઠું હોય જ છે.

જીવન રસમય છે તેને સમરસ રાખવું જરૂરી છે.

                                                                                        જૈમિન જોષી.

 

Sunday, August 17, 2025

સીપીઆર શું છે ? ( What is CPR?)

 

સીપીઆર શું છે What is CPR?

What is CPR?


            વધતો જતો સ્ટ્રેસ અને અતિ વ્યસ્તતાના કારણે આપણે પોતાના શરીર અને તેની રચના વિશે  અજાગૃત થઇ ગયા છીએ.આ વ્યસ્ત લાઇફમાં આપણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ના તો જ્ઞાન ધરાવીએ છીએ ના તો તેના માટે સમય ફાળવીએ છીએ. જેના પરિણામે માનવની આયુષ્ય રેખા ટૂંકી થઇ ગઈ છે અને શરીર બીમારીઓનું ઘર બની ગયું છે.મોટી ઉંમરે થતી બીમારીઓ હવે નાની ઉંમરમાં થવા લાગી છે. જેમાંથી એક છે હ્રદય હુમલો જેને આપણે Myocardial Infarction કહીએ છીએ.

    વર્તમાન સમયમાં નાના બાળકો તથા યુવાનોની અંદર heart attackનું પ્રમાણ વધી ગયું છે, ઉપરાંત તમે હવે cardiac arrest  વિષે પણ સાંભળ્યું હશે. યુવાન અને ઓછી ઉંમરના એકદમ ફિટ અને પોતાના શરીરનું ખુબ ધ્યાન રાખનાર લોકો પણ cardiac arrest  ના શિકાર બન્યા છે. સરકાર તેના માટે જાગૃતિ લાવી રહી છે અને તેના માટે શાળાઓ તથા મોટી મોટી કંપનીઓમાં તથા સરકારી કચેરીમાં સરકારી ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર માટે (CPR) આપવાની તાલીમ આપવામાં આવી રહી છે, તો સીધો સવાલ થાય કે what is CPR?

            કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) એ એક કટોકટીની સારવાર છે જે ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈનો શ્વાસ અથવા ધબકારા બંધ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈને હાર્ટ એટેક આવે છે અથવા લગભગ બેહોશ થઈને ફસડાઈ પડે છે ત્યારે CPR જીવન બચાવવામાં મદદ કરી શકે છે.

    અમેરિકન હાર્ટ એસોસિએશન એ છાતી પર જોરથી અને ઝડપથી દબાણ કરીને CPR શરૂ કરવાની ભલામણ કરી છે. દબાણોને કમ્પ્રેશન કહેવામાં આવે છે. આ હાથથી CPR ભલામણ તાલીમ વિનાના લોકો અને પ્રથમ પ્રતિભાવ આપનારા બંને માટે છે.

સીપીઆર શું છે ? (કર્ડિયોપ્લ્મોનરી રીસસીટેશન):

            સીપીઆર એ એકાએક હૃદય બંધ પડી જવાની ઘટના" દરમિયાન વ્યક્તિને આપવામાં આવતી તાત્કાલિક સારવાર છે. ડૉકટર, નર્સ અથવા પેરામેડિકલ વ્યક્તિ અને જો, યોગ્ય તાલીમ લીધેલી હોય તો કોઈપણ સામાન્ય વ્યક્તિ આ સારવાર આપી શકે છે. આ સારવાર આપવાથી ગંભીર વ્યક્તિને, આગળની સારવાર માટે કોઈ યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય છે. સીપીઆર કરવાથી વ્યક્તિને દવાખાના લઇ જવા સુધી જીવીત રહેવાની શક્યતા ખૂબ વધી જાય છે.

heart atteck image




શું છે સીપીઆરનું મહત્ત્વ :

            સીપીઆર (હૃદય ઉપર મસાજ) આપવાથી હૃદય બંધ પડી ગયેલી વ્યક્તિના શરીરમાં લોહીનું પરિભ્રમણ ચાલુ રાખી શકાય છે. આમ થવાથી શરીરના મહત્વના અંગો જેવા કે મગજ, કીડની, લીવર, હૃદય વગેરેને લોહી મળતું રહે છે. આવી વ્યક્તિને જો તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવે તો, તેમની જિંદગી બચવાની શક્યતા ખૂબ વધી જાય છે.

સામાન્ય વ્યક્તિએ CPR શીખવું કેમ જરૂરી છે :

            હાર્ટ-એટેક, સ્ટ્રોક વગેરે જેવી ગંભીર બીમારી કોઇને પણ, ક્યારે પણ થઇ શકે છે. આવા ઘણાં દર્દીઓમાં હૃદય એકાએક બંધ પડી જાય છે. તબીબી મદદ/ઍમ્બ્યુલન્સ મળે ત્યાં સુધી દર્દીને કાડિયક મસાજ આપવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ આ સારવાર પધ્ધતિ શીખી હોય તો પોતાના પરિવાર/સમાજ/પડોશમાં કોઇને પણ મદદરૂપ થઈ શકે છે.

 

સીપીઆરની સારવાર કેવી રીતે આપવી :

CPR image steps by step


·                             દર્દીને સપાટ અને નક્કર જગ્યા પર સુવડાવો. તમે CPR માં તાલીમ પામેલા નથી અથવા વ્યક્તિના મોં કે નાક પર તમારું મોં રાખવા માંગતા નથી, તો હાથથી CPR કરો. છાતીના મધ્યમાં એક મિનિટમાં 100 થી 120 વખત જોરથી અને ઝડપથી દબાણ કરો. તબીબી સહાય આવે ત્યાં સુધી આ કરો. બચાવ શ્વાસ આપવા માટે તમારે વ્યક્તિના મોં કે નાક પર તમારું મોં રાખવાની જરૂર નથી.જો 10 સેકન્ડમાં નાડી કે શ્વાસ ન આવે, તો છાતીમાં સંકોચન શરૂ કરો. 30 છાતીના સંકોચન સાથે CPR શરૂ કરો. પછી બે બચાવ શ્વાસ આપો. તબીબી સહાય આવે ત્યાં સુધી છાતીના સંકોચન અને બચાવ શ્વાસની આ પદ્ધતિ ચાલુ રાખો.

જો તમે અગાઉ CPR તાલીમ લીધી હોય પરંતુ તમને તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ ન હોય, તો દર મિનિટે ફક્ત 100 થી 120 છાતીના સંકોચન કરો.

 

(ઉપરોક્ત સલાહ એવી પરિસ્થિતિઓમાં લાગુ પડે છે જેમાં પુખ્ત વયના લોકો, બાળકો અને શિશુઓને CPRની જરૂર હોય છે, પરંતુ નવજાત શિશુઓને નહીં. નવજાત શિશુઓ 4 અઠવાડિયા સુધીના બાળકો છે.)

 

CPR મગજ અને અન્ય અવયવોમાં ઓક્સિજન-સમૃદ્ધ રક્ત વહેતું રાખી શકે છે જ્યાં સુધી કટોકટીની તબીબી સારવાર હૃદયને ફરીથી ધબકારા શરૂ ન કરી શકે. જ્યારે હૃદય બંધ થઈ જાય છે, ત્યારે શરીરને ઓક્સિજન-સમૃદ્ધ રક્ત મળતું નથી. ઓક્સિજન-સમૃદ્ધ રક્તનો અભાવ માત્ર થોડી મિનિટોમાં મગજને નુકસાન પહોંચાડી શકે છે.

સામાજિક રીતે કેટલીક આવડત કે તાલીમ આપણે લેવી જોઈએ જે ક્યારેક કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકે છે.

 જૈમિન જોષી.

ખોરાકમાં મીઠું શા માટે જરૂરી? (Why is salt necessary in food?)

  રસોઈમાં વપરાતા મીઠાને તમે અવગણતા તો નથી?         ખોરાકમાં સામાન્ય પ્રમાણ પરંતુ અત્યંત મહત્વતા ધરાવનાર પદાર્થ એટલે મીઠું. તેના વગર સ્વાદ ...