Saturday, September 26, 2020

સત્યનું ધ્વનિ મુદ્રણ (Sound printing of truth)


  • સત્યને જાણ્યા વગર કોઈ ખુશ  તો થઈ  શકે,આનંદ તો જાણ્યા પછી જ આવે:  




  શિયાળાના જતા મિજાજ અને ઉનાળાના ઉમળકા ભેર આવવાની ઋતુ હતી. બપોરનો સમય હતો અને આળસ પરમ સખા બની બેઠી હતી. હું લોબીમાં આંટો મારવા નીકળ્યો. પગ છુટા કરવાના હેતુથી ચાલવા લાગ્યો ત્યાં મન જ છૂટું પડી જાય તેવો અવાજ સંભળાયો. વર્ગખંડની બારીમાંથી નજર કરી તો એક શિક્ષિકા વિષયની વિપરીત ભગવાન શ્રી રામ અને માતા સીતાની સંઘર્ષ ગાથા  કહેતા હતા. વિદ્યાર્થીઓની આંખે નિંદ્રા અને મુખે મસમોટા બગાસા હતા. છેક છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓએ માથા પડતા મૂક્યાં અને આગળ બેઠેલા વિદ્યાર્થીઓ મેડમને માઠું ન લાગે તે માટે તેમના વાક્યો સાથે આલાપસહ  માથું હલાવતા હતાં. પરિસ્થિતિ સમજાય તેવી હતી.  દિવસના છેલ્લા બે તાસ તો માત્ર નામના જ હોય છે. બંને પક્ષે એક પણમાં ઉત્સાહ બચતો નથી. મેં એક ડગલું આગળ વધાર્યું ત્યાતો પૂર્ણ ઉત્સાહ સાથે મેડમે દીકરીઓને સલાહ આપવાની શરૂઆત કરી.   

  પતિવ્રતા પત્ની કોને કહેવાય..? સતી એટલે શું? આદર્શ દીકરી અને પત્ની કોને કહેવાય? સ્ત્રી ધર્મ શું હોય છે... સતી ક્યારે કહેવાયઈ એ ? તેનું વર્તન કેવું હોવું જોઇએ.! બધી મસમોટી વાતોનો ટોપલો ખંખેરવા લાગ્યા. વિદ્યાર્થીઓ એ મેડમને ઉત્સાહમાં આવેલા જોઇ સ્થિર બેસીને જોઈ રહ્યા.છોકરાઓ મિત્રછોકરીઓ સામે ટીખળ સ્વરૂપે કહેવા લાગ્યાં કે શીખો....! આવું બનવાનું... આને કહેવાય સ્ત્રી...અને અંદરો અંદર હસવા લાગ્યાં. સમય પસાર થયો અને હું પણ...  શાળા છૂટવાનો સમય થયો હતો. મેડમને લેવા માટે તેમના પતિ આવવાના હતા જે રોજ કરતાં પાંચ મિનિટ મોડા પડયાં. મેડમ પણ વિદ્યાર્થીઓ સાથે જ ગેટ પાસે ઊભા રહી પતિની લાલ આંખે  રાહ જોતા હતા. તેટલામાં પતિનું આગમન થયું. પત્નીની થયેલ ઝીણી લાલ આંખ જોઈ તેમને સામેથી કહ્યું સોરી.. ટ્રાફિકના કારણે જરા.... 

  ટ્રાફિક...? શાનું ટ્રાફિક..? બધા બહાના છે. રસ્તામાં ઓછાં ડાફેરા મારતા હોવ તો કોઈ ટ્રાફિક ના નડે.  કોઈ શરમ જેવું છે કે નહીં હું અહી ક્યારની રાહ જોઉં છું.એવું હોય તો ઘરેથી વહેલું નીકળાય,એકતો અખો દિવસ અહી માથા ચડાવવાના અને ઉપરથી.. ઘણી છો કે ધૂળ? ઘરે ચાલો બતાવું તમને હું..! તમારું સોરી અવળું ન કાઢું તો મને કહેજો. મેડમે એક સાથે આટલું બોલતામાં હાથમાં પકડેલ  પસૅનો  સીધો ઘા કર્યો. વિદ્યાર્થીઓ જોતા રહ્યા અને પત્ની ધર્મના ફુગાવેલા દડા એક ઝાટકે ફૂટી ગયા.

  અહલ્યા, દ્રૌપદી, સીતા, મંદોદરી, તારા જેવી સતી કહેવાયેલ નારીની કથાઓ દરેકે સાંભળી અને સંભળાવી હોય છે. માતા અનસૂયાના પતિવ્રતનો ભંગ કરવા તો સ્વયં ત્રિદેવને પૃથ્વીલોક પર આવવું પડ્યું હતું. એક બાજુ રામ અને બીજી બાજુ આખું ગામ છતાંયે  સીતા ફરે પરધામ. એવી સ્થિતિ ઘરે ઘરે છે. પત્ની ધર્મને અનુસરો  તો જ આજ્ઞાકારી, તો જ પતિવ્રતા. પતિ જ પરમેશ્વર તેવું માનનારી  સ્ત્રીઓ આજે સમાજમાં ભાગ્યે જ જોવા મળે. પતિ સેવા અને પત્નીધર્મ બંને અલગ વસ્તુ છે. રાજા રામ મોહનરાય એ સતિપ્રથા બંધ કરાવી પણ હવે તો પત્નીપ્રથા જ બંધ થઈ જવા આવી છે.

  આપણને હસવું આવશે પણ આપણે પણ જે શીખ્યા તે જ શીખવ્યું.જે સમજ્યા તે જ સમજાવ્યું તફાવત માત્ર એટલો કે દરેકને પોતાના અર્થ કાઢતા આવડે છે.ઉમેરો કરીને સ્વસમજણ પ્રમાણે પોતાનું કામ કાઢીલેતા આપણને બહુ સારી રીતે આવડે  છે. માનવ અસ્તિત્વના હજારો ઉકેલાયા વગરના પડ્યા રહે છે અને જે ખૂલે છે તેને પણ સાચું માનવું સકયા નથી કોઈ માણતું પણ નથી.વ્યકતીની લાગણી સરકારી ફાઇલોની જેમ એક ખૂણામાં ધૂળ ખાય છે,તેને પણ કોઈ હાથ લગાવતું નથી. જે સમજે તે પીડાય જે ન સમજે તે અણસમજુ ગણાયને છૂટી જાય.. હાલત કોની કફોડી? કોઈપણ ધર્મ સન્માન શીખવે છે પછી તે સ્ત્રી તરફથી હોય કે પુરુષ તરફી, બાળક તરફથી હોય કે વૃધ્ધ તરફી. ધર્મની શિક્ષા અધર્મી આપે, જ્ઞાનની વાત અજ્ઞાની કરે, મહિલાઓને ઢોરમાર મારનાર સ્ત્રી સન્માનની વાત કરે. આવા કિસ્સામાં જેના નસીબે અત્યાચાર છે તે તો જાગૃત થતાં જ નથી પરંતુ જે સ્ત્રી સન્માન વાળું જીવન જીવતી હોય તે પોતાને સ્વપીડિતાસમજી બીજાની હાલત કફોડી કરી દે છે. જ્યારે કોઈ પુરુષ પીડિતની વાત શુદ્ધા કરતું નથી.

  દુર્ગુણ અને સગુણની વ્યાખ્યા ઉપર ચર્ચા કરનાર પાસે આવગુણોના ભંડારો હોય. લોકોના અનુભવને  સ્વજ્ઞાન માની લેવામાં આવે. જેણે જીવનમાં એક મેણુ પણ ન સાંભળ્યું હોય તે સ્વયં પીડિત હોવાની તગડી સહાનુભૂતિ મેળવી જાય. ગધેડા ગોળ ખાય અને ગાયો ભૂખી મરે. પુરુષોની લપસી જવાની સહજ વૃત્તિનો લાભ  અલગ જ સ્વરૂપે પડદાં ઉપર દુર્ગુણો તરીકે પ્રગટ કરવામાં આવે. આમ પણ તેમનું સાભળે કોણ..? 

  શું દરેક સ્ત્રીએ સતી થવા માટે પતિ સેવા જ એક માર્ગ છે? શું ખરેખર પતિને પરમેશ્વર માનવાની પ્રથા સંપૂર્ણ યોગ્ય છે? આવા કેટકેટલા સવાલો તો ઉભા હતા અને રહેશે પરંતુ કોઈ વસ્તુને માની લેવું તેના કરતાં વધુ યોગ્ય તેને જાણી લેવું. માન્યતાઓ  ઘણી ખતરનાક હોય છે. જો સ્ત્રી ધર્મ હોય તો પુરુષ ધર્મ પણ હોય. સ્ત્રી અસહાય હોય તો પુરુષ પણ હોય. સ્ત્રી ઉપર અત્યાચાર થતો હોય તો પુરુષ પર પણ થતો જ હોય. કોઈપણ ગુનો વ્યક્તિની જાતિ આધારિત નથી હોતો.કોઈ પીડા ભેદભાવ નથી કરતી તે તો સ્વતંત્ર રીતે તેનું કામ કરતી જ હોય છે,પરંતુ અસહાયતા અને નબળાઈની સહાનુભૂતિ થકી કેટલીય નારીઓ નારાયણ ને જ નાથવા લાગી જાય છે. 

  આપણે બધા જીવીએ છીએ, પણ આપણે જેવા છીએ તેવા સ્વયં પોતાને જ સ્વીકારવા તૈયાર નથી હોતા તો અન્યને તો દૂરની જ વાત રહી. આપણું વર્તન અને શબ્દ પરફેક્ટ મેચ થતા નથી. ગીતા વાંચનાર બીજી જ ક્ષણે છાતીમાં છૂરો ભોંકી શકે. કુરાન વાંચનાર હમણાં જ શરીરથી માથું અલગ કરી શકે. પશુનો જીવ બચાવનાર બળાત્કાર કરી શકે. ધાર્મિક વ્યક્તિના દરેક  કાર્ય ધર્મને લગતા હોય તે માની લેવું મૂર્ખામી છે. આશા પણ ન જ રખાય. જે કરીએ તે જ ધર્મ અને તે જ સત્ય આવી માનસિકતા પૃથ્વી ઉપર નીતનવા માનવધર્મની વ્યાખ્યાનું અલગ અર્થઘટન  કરે છે. ત્રિકાળજ્ઞાની ઋષિઓએ પણ ક્રોધે થઈ શ્રાપ આપ્યાના ઉદાહરણો છે. ધર્મની શિક્ષા કે શિક્ષાનો ધર્મ બંને વચ્ચે મસમોટો ભેદ છે. આખી દુનિયાનું જ્ઞાન ભેગું કરવું પડે છતાં કરી શકતું નથી. આપણે જ્ઞાન લઈ એ તેવું કહેવાય છે અજ્ઞાનતા શીખવવામાં નથી આવતી તે તો અંદરથી જ આવી જાય છે. કૃષ્ણએ તો માતા  કુંતીને પણ જ્ઞાન આપ્યું અને તેમણે સહજ સ્વીકાર્યું.કોઈ મોટાઈ નહીં કોઈ અભિમાન નહીં. મોટાં એ પણ સતત શિખવું પડે અને છતાં પણ  વર્તન તો જેતે જગ્યાના વાતાવરણને ધ્યાનમાં રાખી ને જ કરાય. સમજણ સફાળે ન આવે તેને કેળવી પડે. બાકી છેલ્લે તો સફળા એકાદશી જ કરવી પડે છે.અન્યમાં સંસ્કારોમાંનું સિંચન કરવા ઈશ્વરના જીવનના ઉદાહરણોની જરૂર નથી માત્ર આપણું  વર્તન સંસ્કારિત હોય તે પૂરતું છે તેજ સાચાં અર્થમાં અન્ય માટે પ્રેરણરૂપ છે.બાકી  છેલ્લે તો "જય સિયા રામ".   

                                                                                                                                 જૈમીન જોષી.

Wednesday, September 23, 2020

પુરુષોત્તમ માસ (Purushottam mas)

 




   પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે.તેના અધિષ્ઠતા  પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું  છે. આ માસમાં વ્રત,તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે.આ માસમાં વ્રત,નિયમ,ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે સુખ,વૈભવ આદિ ફળ સ્વરૂપે મળે છે. 

  સૂર્ય અને ચંદ્રને એક વખત યુતિ થવાનાં સમયથી અર્થાત્ એક અમાસથી ફરીવાર આવી યુતિ થાય અથવા આગળની અમાસ સુધીનો કાળ એટલેકે ચંદ્ર માસ. તહેવાર,ઉત્સવ,લગ્ન, હવન જાપ વગેરે ચંદ્રની ગતિ ઉપરથી નક્કી થતાં હોય છે અને ચંદ્રમાનો તે માસમાં આવનારી નક્ષત્ર પૂતિઁ ઉપરથી પડ્યાં છે.ચૈત્ર માસની પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર હોય છે.તેવી રીતે સૂર્યની ગતિ પરથી ઋતુશાર નક્કી થાય છે.સૂર્ય અશ્વિની નક્ષત્રથી બ્રહ્મણ કરી પાછો આવે તે સ્થાને આવે છે.ચંદ્ર વર્ષનાં 354 દિવસ અને સૂર્ય વર્ષના 365 દિવસ હોય છે.આમ બન્ને વચ્ચે કુલ 11 દિવસ નો તફાવત ઊભો થાય છે. આમ સાડા બત્રીસ માસ કે 27 થી 35 માસ પછી એક અધિકમાસ  આવે છે. 

 અધિકમાસ  એટલે  કે સામાન્ય શબ્દોમાં  "વધારાનો માસ".આ માસની કથા શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી.
અર્જુને પણ જ્યારે શ્રી ક્રુષ્ણને આ માસ વિષે પૂછ્યું  કે ‘આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું,તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય એ બધું અમને વિગતે સમજાવો.'શ્રીકૃષ એ જવાબમાં કહ્યું કે,' વર્ષ, માસ , દિવસ , પ્રહર , ઘડી , પળ ને વિપળ બધા કાળના વિભાગો છે, સમુદ્ર , નદી , તળાવ , કૂવા,ઝરણાં વગેરે જળના વિભાગો છે.આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે.આ બધા વિભાગોને તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગવસાત્ એક વધારાનો માસ ઉત્પન્ન થયો પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ નહોતો.આથી લોકો આ માસને 'મલમાસ' ના નામે ઓળખવા લાગ્યા,વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહિ  કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો , તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા.આમ "મલમાસ"  આ રીતે હડધૂત થયેલ હોવાથી  બહુ નિરાશ થયો.કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું. દુ:ખ, તિરસ્કારને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું.સોખગ્રસ્ત તે ભગવાન વિષ્ણુપાસે ગયો. ભગવાન વિષ્ણુના ચરણકમળનો સ્પર્શ કરી તેણે પોતાનાં દુ:ખો કહેવા માંડ્યાં : ' હે દયાસાગર ! કંઈ ન સૂઝવાથી અકળાયેલો , મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હડધૂત કર્યો છે . હું અનાથ છું . આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઇઓએ મારું ધોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઇ અધિષ્ઠાતા નથી. આ ત્રીસ દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે . આથી મને હડધૂત કરવામાં આવે છે. પ્રભુ,આપ શિવાય મારો ઉદ્ધાર કોઈ કરી શકે તેમ નથી. આપ જગતના પાલનહાર છો. આપજ મને માર્ગ બતાવી ,મારા જીવનનો ઉદ્ધાર કરો. આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યો .
  ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા આવી અને તે  બોલ્યા : ' વત્સ , દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઇએ . રડવાથી કંઈ વળતું નથી . મારે શરણે આવેલ કોઇપણ દુખી સંકટમુક્ત થયા વિના પાછો ફરતો નથી . મારા ધામમાં અને મારા શરણમાં દુ:ખ કે શોકનું તેમજ મૃત્યુનું નામનિશાન જોવા નહિ મળે . હું તને દુ:ખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને  શાંતિથી કહે. ' ભગવાન વિષ્ણુનાં આવાં વચનો સાંભળી મલમાસને  આનંદ થયો . તે બે હાથ જોડી બોલ્યો: ' હે પરમકૃપાળુ, મારું દુખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય ,મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે, તેમ મારો અધિષ્ઠાતા સ્થાપિત કરો.આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો . લોકો મને મલમાસ ન કહે, તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો . આપ દીનદયાળુ છો. મારાં ઉપરનાં આ કષ્ટો મને મરણતુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો ’આમ કહીને મલમાસ ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. 

  મલમાસની પીડા જોઈ ભગવાન વિષ્ણુંએ પોતાના ગરુડઉપર બેસાડી તેમણે પૂરુંષોત્તમ ભગવાન પાસે લઈ ગયા. આખી વાત સાંભળીને  પુરુષોત્તમ ભગવાને  શ્રી વિષ્ણુજીને કહ્યું કે , ‘તમે મલમાસને લઇને આવ્યા છો , તે ઠીક જ કર્યું છે . હું મારા ગુણો, કીર્તિ,પ્રભાવ,ઐશ્વર્યો , પરાક્રમો એવા બધા ગુણોનું ધન આ મલમાસને આપું છું , તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ’ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન આપું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદનલાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્રયમાંથી મુક્ત થશે.આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે . જે કોઇ આ માસની યથાવિધ પૂજા કરશે , તેનાં પાપો બળીને ભસ્મ થઈ જશે . યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે , છતાં તેઓ મારા આ ધમને પામી શકતા નથી , પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મમરણના ભયથી મુક્ત અને આધિવ્યાધિ તથા ધડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી તે મારું પરમ ધામ પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠ આપું છું . તેનું નામ પણ પુરુષોત્તમ માસ ' આપું છું. આમ મલમાસના અધિષ્ઠતા દેવ પુરુષત્તમ દેવ કહેવાયાં.
                                           
  નદીઓમાં ગંગા, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનું, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ સર્વશ્રેષ્ઠ છે. આખો માસ એ ધાર્મિક પર્વ જેવો હોય છે. આસો માસ પેહલા આવતા અધિક માસ ને આસો અધિક માસ કહે છે અને પછી આવનાર માસ ને નિજ આસો માસ તરીકે ઓળખાય છે.
   પવિત્ર પુરુષોત્તમ માસ ( અધિકમાસ ) માં શ્રદ્ધાળુ સ્ત્રી - પુરુષોએ ખાન , ધ્યાન , વ્રત , નિયમ , તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. 

                                                  જૈમીન જોષી. 

Saturday, September 19, 2020

દલાઇ લામા : એક સંઘર્ષીય પેઢી (The Dalai Lama: A Conflicting Generation)


 "આત્મરક્ષા અર્થે ભાગીને  એક ગુમનામ જીવન ગુજારથી એક એવી પ્રજા જેને પીડા વારસામાં મળી છે".


dalaila image
 

                                 Dalai Lama



  ભારત અને ચીનની બોર્ડરની મધ્યમાં આવેલ તિબેટ, હિમાલયની ઉત્તરીય બાજુએ આવેલ આ વિસ્તાર જે  ચીનનો સ્વાયત્ત  ક્ષેત્ર છે. આ વિસ્તાર વિશાળ શિખરોના કારણે "વિશ્વની છત" તરીકે ઓળખવામાં આવે છે.

  ઈ.સ. 1950 માં ચીને  પૂર્વ તિબેટ પોતાના હસ્તગત  લઇને અને તિબેટને સ્વાયત્તતા આપીને લશ્કરી વિદેશી વ્યવહાર પોતાના તાબે  લઈ લીધા. તે દરમિયાન ચીને તિબેટીયન જનતા ઉપર ત્રાસ ગુજારવાની શરૂઆત કરી અને તેને કારણે ૧૯૫૮ સુધીમાં તિબેટી પ્રજાએ ચીની સરકાર વિરુદ્ધ બળવો કરવાની શરૂઆત કરી દીધી પરંતુ ચીન તેમના ઉપર ભારે પડ્યું અને તેમના સમગ્ર અધિકારો અને રહેઠાણોનો નાશ કર્યો. વિશ્વની અંદર ચીને વિજ્ઞાન અને ટેક્નોલોજીને કારણે ખૂબ જ વિકાસ કર્યો અને પરિણામે તેમની ઇકોનોમી રાષ્ટ્રીય સ્તરે ખૂબ વધી ગઈ. ચીન અન્ય રાષ્ટ્રો સાથે પણ બાથ ભીડવામાં સક્ષમ જ નહીં પરંતુ તેમને પછાડવા પૂરતું હતું. તો તેમની સામે તિબેટીયન પ્રજાને ટકી રહેવું અશક્ય હોય તે સીધી વાત છે, પરિણામે તિબેટીયન પ્રજાએ ત્યાંથી નાસી છૂટવું પડ્યું.આમ નિશહાય અને ચીન દદ્વારાં પીડિદ્ત પ્રજાને  સહારો આપનાર ભારત દેશ હતો. તે સમયે જવાહરલાલ નેહરૂ ની સરકાર હતી અને તિબેટીયન પ્રજાને સહારો આપવાને કારણે ચીને ભારત સામે પણ આંખો લાલ કરી.ચીનનું ભારત સામે ઉગ્ર વલણ અપનાવવાનું એક કારણ તિબ્બત પ્રજાને આશરો આપવાનું પણ છે. 

  દલાઈ લામા અને તેમના સાથે અન્ય તિબેટીયન પ્રજા 30 માર્ચ 1959 ના રોજ સી.આઈ.એ ની વિશેષ પ્રવૃતિઓ વિભાગ ક્રોસિંગની મદદ સાથે તિબેટથી ભાગી ગયા. 18 એપ્રિલના રોજ તે આસામનાં તેજપુર પહોચ્યાં અને થોડા સમયમાં તેમને ભારતની અંદર ધર્મશાળાની સ્થાપના કરી. તિબેટીયન બાળકોને ભાષા, ઈતિહાસ, ધર્મ અને સંસ્કૃતિ શીખવવા માટે તેમણે તિબેટીયન શૈક્ષણિક સિસ્ટમ ની રચના કરી. "તિબેટીયન પરફોર્મિંગ આર્ટ્સ ઇન્સ્ટિટયુટ"ની સ્થાપના ૧૯૫૯માં થઈ અને "સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હાયર" તિબેટીયન  સ્ટડીઝ ૧૯૬૭માં ભારતમાં તિબેટીયનો માટે ની પ્રાથમિક યુનિવર્સિટી બની હતી.

tibet map image

 

  ભારતીય સહાયથી તેમણે તિબેટીયન બૌદ્ધ ઉપદેશો અને તિબેટીયન જીવનશૈલીને જાળવવાના પ્રયાસમાં 200 મઠો અને નારીઓના પુનઃ જીવનને ટેકો આપ્યો. દલાઈ લામાએ સંયુક્ત રાષ્ટ્રને તિબેટીઓના અધિકાર અંગે અપીલ કરી.  આ અપીલના પરિણામ સ્વરૂપે 1959, 1961 અને 1965 માં મહાસભા દ્વારા અપનાવવામાં આવેલા ત્રણ ઠરાવો થયા, જે પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં પીપલ્સ રિપબ્લિકને પ્રતિનિધિત્વની મંજૂરી આપવામાં આવી હતી. ઠરાવોએ તિબેટીઓના માનવાધિકારને માન આપવા ચીનને હાકલ કરી હતી.  1963 માં, તેમણે લોકશાહી બંધારણની ઘોષણા કરી, જે માનવાધિકારની સાર્વત્રિક ઘોષણા પર આધારીત છે, તેના હેતુને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલી સંસદ અને વહીવટની રચના કરી,1970 માં, તેમણે ધર્મશાળામાં તિબેટીયન વર્ક્સ અને આર્કાઇવ્સનું પુસ્તકાલય ખોલ્યું.  વિવિધ રાજકીય પક્ષોના ભારતીય રાજકારણીઓ અને નાગરિકો દ્વારા તેમની પવિત્રતા દલાઈ લામાને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, જે ઇતિહાસમાં ફક્ત બે વખત બિન-ભારતીય નાગરિકને એનાયત કરવામાં આવ્યો છે, એનાથી સન્માન કરવાની માંગ કરવામાં આવી હતી.

 દલાઈ લામાએ  કોઈ વ્યક્તિ નથી પરંતુ એક પદવી છે. જે બૌધી ધર્મનું સંચાલન કરી તેને ટકાવી રાખવાનું તથા તેનો પ્રચાર કરી વિશ્વમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવાનું છે. ટૂંકમાં તે બૌધી ધર્મગુરુ તરીકે ઓળખાય છે. પ્રથમ દલાઈ લામાનું નામ ગેડુન દ્રુપા હતું. સાત વર્ષ સુધી ભરવાડ તરીકે તિબેટમાં તેમનો ઉછેર થયો અને ત્યાર પછીનું તેનું લિસ્ટ લાંબુ છે. હાલમાં 14 માં દલાઈ લામા એ "તેનઝિંગ ગ્યાંત્સો" છે."ગ્યાંત્સો"એ દરેક દલાઈ લામાના પદ પર રહેલ ધર્મગુરુની પાછળ ફરજિયાત લાગતું હોય છે. દલાઈ લામા શબ્દનો એક ચોક્કસ અર્થ થાય છે. દલાઈ શબ્દ મેગ્વેલ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ સમુદ્ર થાય છે,અને લામા એ ગ્લામાં શબ્દ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ ગુરુ થાય છે. દલાઈ લામા એટલે જ્ઞાનનો ભંડાર ધરાવતા ગુરુ જેમની પાસે અલગ અલગ વિષયનું સંપૂર્ણ જ્ઞાન  હોય છે. જેથી તિબેટીયન પ્રજા અથવા તેમના અનુયાયીનું માર્ગદર્શન કરે છે.

દલાઇ લામા પદની પસંગીની પધ્ધતિ :~

  દલાઈ લામાની પસંદગી એક ચોક્કસ પદ્ધતિ દ્વારા થાય છે. તિબેટમાં એવી માન્યતા છે કે દલાઈ લામાના અવસાનના બરાબર કે નવ મહિના પછી જન્મેલા છોકરાઓમાંથી કોઈનામાં દલાઈ લામાનો આત્મા પ્રવેષ કરે છે. ત્યાર પછી પાંચ વર્ષે પસંદગી કરનારા લામાઓ દલાઈ લામાના લક્ષણો ધરાવતા પાંચ કે છ વર્ષના છોકરાની શોધ કરે છે. લાંબા કાન, હાથ પર શંખ નું ચિન્હ, પહોળા લાંબા વળાંકવાળા ભવાં, પગ પર વ્યાઘ્રચર્મ નું ચિહ્ન વગેરે આગળના દલાઈ લામાની વસ્તુઓ પ્રસ્તુત કરવામાં આવે છે. જે છોકરો  અચકાયા વિના તેમને લઈલે તે દલાઈ લામા નિમાય છે.

  એટલે કે સમગ્ર પદવીની પસંદગી પુનર્જન્મ ઉપર આધારિત છે. તેરમા દલાઈ લામા એ પણ મરતા સમયે આગળના દલાઈ લામા વિશે માહિતી આપી દીધી હતી.એક દલાઈ લામાના મૃત્યુ પછી  ચોક્કસ મિટિંગ કરી આગળના દલાઈ લામાની શોધમાં નીકળી પડાય  છે અને તેમની ખૂબ કઠિન પરીક્ષા લેવામાં આવે છે. તેમને ટ્રેનિંગ આપ્યા પછી ડિગ્રી પણ આપવામાં આવે છે, જે ભગવાન બુદ્ધના ઉપદેશો અને બૌધી ધર્મ ઉપર આધારિત હોય છે.

  ચૌદમા દલાઈ લામાએ "તેનઝિંગ ગ્યાત્સો" છે. જેનું મૂળ નામ "લ્હામો થોન્ડુપ" છે. તે "6 જુલાઈ ૧૯૩૫"માં જન્મેલ ખેડૂત પુત્ર હતા. માત્ર પાંચ વર્ષની વયે તેમને દલાઈ લામાની પદવી માટે તૈયાર કરવા તિબેટના બૌધી ધર્મગુરુઓએ કુદરતિ સંકેતો દ્વારા શોધી લીધા પરંતુ તે દરમિયાન ચીને તેમના ઉપર રોક લગાવી કારણ કે તે જાણતા હતા કે નવા દલાઈ લામાની પસંદગી એ ચીન માટે વધુ પડકારો ઉત્પન્ન કરનારી સાબિત થઇ શકે છે.તેમણે મઠ સુધી પહોંચતા  રોકવામાં આવ્યાં તથા તેમને ખૂબ પૈસાની માગણી પણ કરી પરંતુ લાંબા સંઘર્ષ પછી જાણે કુદરતની ઈચ્છા હોય તેમ 15 વર્ષની વયે ૧૯૫૦માં તેમને લામાની પદવી મળી અલબત્ત તેમને હજુ બૌધી ડિગ્રીઓ લેવાની બાકી હતી.

  દલાઈ લામા વર્તમાનમાં તિબ્બત ના આધ્યાત્મિક ગુરુ અને વર્તમાન રાષ્ટ્રાધ્યક્ષ છે.ઈ.સ. ૧૯૫૯ માં લ્હારાપા ની ડીગ્રી (બૌદ્ધ દર્શન) અને આગળનું શિક્ષણ ડ્રેપુંગ સેરા અને ગંડેનમાં પૂર્ણ કર્યું. 23 વર્ષની ઉંમરે ૧૯૫૯ માં મોનલમ, જોરબાંગ મંદિરમાં તેમને ફાઈનલ પરીક્ષા આપી. તેમને બૌદ્ધ ધર્મ પર પી.એચ.ડી પણ  કરી. ઈ.સ. 1987 સુધી તિબ્બતની સમસ્યા ગંભીર રહી. તિબ્બતના લોકોના હક માટે તેમને વારંવાર સંયુક્ત રાષ્ટ્ર સામે પ્રસ્તાવ મુકેલ છે અને તે શાંતિના માર્ગે તેનો વિરોધ પણ દર્શાવી રહ્યા છે.

  મહાત્મા ગાંધીના અહિંસક માર્ગે સત્યાગૃહ કરવાની ભૂમિકાને કારણે દલાઈ લામાં શક્તિશાળી ચીનના દબાણ અને અપપ્રચારનો વિરોધ  દર્શાવી પોતાના અધિકાર માટે સતત લડત આપી રહ્યા છે. દલાઈ લામાએ કરેલ શાંતિ અને વિશ્વબંધુત્વનો પુરસ્કાર,જે  ચીનને પાખંડ લાગતું હોવા છતાં તેમણે ‘ ચીનની પોલાદી પકડમાં જકડાયેલા પ્રદેશ ' તરીકે તિબેટનું ચિત્ર સર્જવામાં દલાઈ લામાએ કોઈ કસર બાકી રાખતાં નથી. 

 તિબેટ ચીનનો અવિભાજ્ય ભાગ છે.’ચીનના પ્રચારનો પ્રત્યુત્તર આપતાં તિબેટ પ્રશ્ન મધ્યમાર્ગ ભૂમિકા રજૂ કરી. ચીનથી જુદા ન થતાં. અમારી સંસ્કૃતિ ટકી રહે એટલી જ સ્વાયતતા અમારે જોઈએ છે.' એ તેમની માંગણીને આંતરરાષ્ટ્રીય ,વિશેષતઃ પાશ્ચાત્ય દેશો તરફથી સહાનુભૂતિ પ્રાપ્ત થઈ.ચીન - તિબેટ સંઘર્ષને કારણે દલાઇ લામાએ વિશ્વમાં એક નવી ઓળખાણ ઊભી કરી અને તિબેટીયન પ્રજાને ચીન માંથી મુકત કરી તેમના હકો આપાવા શાંતિથી લડત લડી શકવાની વૃતિએ સમગ્ર દેશોનું ધ્યાન પણ ખેચ્યું છે.તેમણે 1989 માં શાંતિ માટેનું નોબલ પારીતોષિત મળ્યું છે.ચીન માથી  ભારતમાં આવેલા હજારો તિબ્બત પ્રજા આજે ભારતનાં વિવિધ શહેરોમાં નિવાશ કરે છે. અમુક હદે તેમણે ભારતીય નાગરિકતા મળી પણ છે,તેમ છતાં આજે પણ કેટલાય પરિવાર સંઘર્ષમાં જીવન વિતાવી રહ્યા છે.દેશો વચ્ચેની દુશ્મની,જમીન માટેની લાલશા અને પ્રભુત્વ તથા શક્તિના પ્રદર્શનમા કેટલીય નિર્દોષ જિંદગીઓ આમ જ હોમાઈ રહી છે.જેના આકડાઓ ક્યારેય સામે આવતા નથી. 

                                                                                                                       જૈમીન જોષી.  

Sunday, September 13, 2020

આનુવંશિકતા અને ડી.એન.એ (Heredity and DNA)

  

પેઢીઓની પરખનું વિજ્ઞાન એટલે જનીન વિજ્ઞાન:-

Category:DNA
DNA


  હજારો વર્ષોથી ઉતરી આવતા માનવ લક્ષણોનું એક આખું અલગ વિજ્ઞાન છે.અન્ય જૈવિક વિજ્ઞાનોના પ્રમાણમાં જનીનશાસ્ત્ર વિજ્ઞાન થોડું મોડું અથવા અધુરી માહિતી તથા શોધો સાથે ઉતરી આવ્યું પણ તેને માનવ પેઢીની વ્યાખ્યા પરના પડડા ઉગાડા કર્યા.આજે પણ વ્યક્તિ એકબીજાને તેમના સગાવ્હાલાઓના સ્વભાવ કે અંગોના એકસરખા ઉતરી આવેલા સ્તરને આધારે ઓળખાણ કરે છે.વ્યક્તિનું શરીર અલગ-અલગ પર્યાવરણમાં રહેતા હોવાથી જે તે વિસ્તાર કે પ્રદેશ સાથે અનુકૂલન સાધી તે પ્રમાણે વિકસિત થાય છે અને ફેરફાર અનુભવે છે, પરંતુ તે બાહ્યસ્તર ઉપર જ અસર કરે છે.સ્વભાવ  કેટલેક  અંશે કેળવણી ઉપર આધારિત છે જે આખો અલગ વિષય છે.

  માતા-પિતાની આંખ-કાન,વાળ,રંગ કે મુખાકૃતિ વગેરે લક્ષણો તેમના સંતાનોમાં સહજ રીતે પ્રસરણ પામતા હોય છે અથવા ઉતરી આવતા હોય છે જેને આનુવંશિકતા કહે છે અને તેના વિજ્ઞાનને જનીનશાસ્ત્ર કહેવાય છે. ઇ.સ. 1900 સુધી તો જનીનશાસ્ત્ર વિશે લગભગ કોઈ ચોક્કસ માહિતી કે પ્રયોગ મેળવી શકાયા ન હતા અને જેમ જેમ વિજ્ઞાન વિકાસ પામતું ગયું તેમ તેમ નવા પ્રયોગો થયા.તેમાં લગભગ 1822-1884 દરમિયાન ગ્રેગર જોહન મેન્ડલે વટાણાના છોડ ઉપર સંશોધન કર્યા અને આનુવંશિકતાના લક્ષણોની થીયરી બહાર પાડી.મેન્ડલનો સંશોધન લેખ 'છોડ સંકરણના પ્રયોગો' ૧૮૬૬માં એક  સામાયિક  'Transactions of  Brunn Natural History Society' માં પ્રકાશિત કરાયો હતો  પરંતુ તે સમયે તેની કોઈ ખાસ નોંધ લેવાઇ નહીં.

  દરેક સજીવનો એકમ કોષ હોય છે તથા તે સજીવના ક્રિયાત્મક અને રચનાત્મક એકમ તરીકે ઓળખાય છે.કોષની રચનામાં કોષરસપટલ,કોષરસ અને કોષકેન્દ્ર આવેલા હોય છે.સમગ્ર કોષનું નિયમન કોષકેન્દ્ર દ્વારા થાય છે.તથા તે રંગદ્રવ્ય અને કોષકેન્દ્રિકા ધરાવે છે.જ્યારે કોઈ પણ કોષ વિભાજન પામે ત્યારે આ રંગદ્રવ્ય વર્ણસૂત્રો કે રંગસૂત્રોમાં ફેરવાય છે,અને રંગસૂત્રો પર જનીનો ગોઠવાયેલા હોય છે.

  ઘણા વર્ષો પહેલા જર્મન રસાયણિક  ફ્રેડરિક મિશરને કોષની મધ્ય(નાભિ)માંથી તેમજ શુક્રાણુઓ અને અંડકોષોમાંથી ખૂબ જ માત્રામાં એક પદાર્થ મળી આવ્યો.તેને વધુ માત્રામાં આ પદાર્થ મેળવવા વધુ કોષોની જરૂર હતી પરિણામે તેને હોસ્પિટલમાંથી દર્દીઓમાંથી પરું મેળવવા માંડ્યું.પરુંએ બીજું કંઈ નહીં પરંતુ મૃત શ્વેતકણો હોય છે.તેની જરૂર તેટલા માટે થઈ કારણ કે તેમાથી  રક્તકોષો મોટા પ્રમાણમાં મળી આવતા હોય છે.આ કોષનાં નાભિકેન્દ્ર માંથી મળેલ પદાર્થને "ન્યુક્લીઈક એસિડ" તરીકે નામ આપવામાં આવ્યું.ન્યુક્લીઈક એસિડ  ઉપરાંત કેન્દ્રમાં ખૂબ પ્રોટીન પણ મળી આવ્યું.પ્રોટીનએ એમીનો એસિડનાં બનેલાં હોય છે.હવે આનુવંશિકતા માટે આ બે પદાર્થો જવાબદાર હોઈ શકે તે નક્કી હતું.


heredity


  સૂક્ષ્મ જીવાણુઓ એ કુદરતની એક રચના છે અને તે માત્ર સજીવની અંદર જ જીવી શકે છે.વાયરસ વિવિધ આકારના તથા આક્રમણ કર્તા હોય છે.કોષના નાભિકેન્દ્રમાં "ડીઓક્સિરાઈબોઝ ન્યુક્લિઈક એસિડ" એટલે કે DNA  હોય છે.જ્યારે રાઈબોન્યુક્લીઈક એસિડ નાભિકેન્દ્ર અને કોષરસ બન્નેમાં હોય છે.DNA એ એક જનીનદ્રવ્ય છે.જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક લક્ષણોનું સ્થળાંતર કરે છે.દરેક જનીન DNA નો એક ટુકડો છે DNAના માહાઅણુમાં અસંખ્ય ન્યુક્લિયોટાઈટ્સ એકમો આવેલા હોય છે.આ નામ ન્યુક્લિઈક એસિડ સાથે જોડાયેલ શર્કરા ઉપરથી આપવામાં આવ્યું છે.DNA ના મહાઅણુમાં ન્યુક્લિયોટાઈટ્સ એકમો આવેલા હોય છે.તેથી તેને પોલિન્યુક્લિઓટાઈડ કહે છે.પ્રત્યેક ન્યુક્લિટાઈટ  પેન્ટાસર્કરા ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઇઝના બનેલા હોય છે.DNA માં ચાર ન્યૂક્લીઓટાઈટ એકમો હોય છે.એડેનીન,ગ્વાનીન,સાઇટોસીન તથા થાઇમીન જેને ટૂકમાં A,G,C,T થી ઓળખવામાં આવે છે.જ્યારે RNA માં થાઈમીનની જગ્યાએ યુરેસીલ(U)હોય છે,જેને ટૂકમાં A,G,C,U કહે છે.એડેનીન અને થાઇમીન તથા ગ્વાનીન અને સાઈનોસીન  એક સરખા પ્રમાણમા જ હોય છે.  

  માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ માતા-પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિમાં સ્થળાંતર કરે તેના ઉપર આધારિત છે.જેનીનો અનેક સંખ્યામાં હોય અથવા બહુ મોટું હોય.શરીરમાંના પ્રત્યેક કોષમાં 6 ફૂટ લાંબો DNA હોય છે.એક જીવાણુમાં લગભગ 1/12 ઇંચ જેટલો DNA હોય છે.માનવમાં રંગસૂત્રોની સંખ્યા 46 હોય છે એટલે કે 23 જોડ રંગસૂત્રો હોય છે.નવું આવનાર બાળક નર હશે કે માદા તેની આંખનો રંગ,વાળનો રંગ,ત્વચાનો રંગ વગેરે પ્રજનન કોષો પર આધારિત હોય છે.રંગસૂત્રો લાંબો તંતુ હોય છે જેમાં DNA  ચુસ્ત રીતે તેમની લંબાઇની દિશામાં એકબીજામાં વિટળાયેલા હોય છે અને તેની અંદર જનીનો હોય છે.સંતતિનું નર કે માદામા પરિવર્તિત થવું તે માત્ર પુરુષના રંગસૂત્રો ઉપર જ આધાર રાખે છે.સ્ત્રીઓમાં એક સરખા રંગસૂત્રો હોય છે.

  માનવદેહમાં દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય તે જ પ્રમાણે દરેક વ્યક્તિના DNA નું બંધારણ પણ અલગ-અલગ હોય છે.જ્યારે ગુનાહિત કૃત્યો જેવા કે ખૂન,બળાત્કાર,લૂંટ,હિટ એન્ડ રન,હાફ મર્ડર કેસ વગેરેમાં વ્યક્તિની ઓળખ આંગળાની છાપની ઓળખ દ્વારા થઇ શકે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ફિંગર પ્રિન્ટનો નાશ થયો હોય ત્યારે DNA ના નમૂના દ્વારા વ્યક્તિની ઓળખ કરવામાં આવે છે.આ પરીક્ષણ ફોરેન્સિક લેબના DNA વિભાગમાં કરવામાં આવે છે,જેને મોલેક્યુલર બાયોલૉજી કહે છે.DNA ના નમૂના શરીરના કોઈ પણ અંગે કે પેશીના કોષ માંથી મળતા હોય છે,પરંતુ જે કોષ કોષકેન્દ્ર ધરાવતો ન હોય તેવા કોષોમાં DNA  ગેરહાજર હોય છે. આ આંખીય પદ્ધતિને DNA ફિંગરપ્રિન્ટિગ તરીકે ઓળખવામાં આવે છે.

  DNA નું આયસોલેંશન કરી નમૂના માંથી અલગ કરવામાં આવે છે,વ્યક્તિના રુંધિર,વાળના મૂળ,લાળ,વિર્ય, હાડકાં,કોષો વગેરેનાં નમુનામાંથી DNA પ્રાપ્ત કરી શકાય છે.કોષમાંથી અલગ તારવામાં આવેલા DNA ને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લીપેઝ ઉત્સેચક ની મદદથી ટુકડા કરવામાં આવે છે અને આવા ટુકડાઓ તેમના કદ પ્રમાણે અલગ કરવામાં આવે છે.DNA નાં આવા ટુકડાઓને ઓળખવા માટે પૉલિમૉર્ફિક DNA ઝોલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી  યોગ્ય ચકાસણી કરી તેનોસ્ત્રોત નક્કી કરાય છે અને તેના આધારે વ્યક્તિની ઓળખ નક્કી થાય છે. આ પ્રક્રિયામાં વધુ પ્રચલિત સધર્ન બ્લૉટ - RELP , PCR છે. DNA- પરીક્ષણકાર્યમાં DNA- સિન્થસાઈઝર,ઑટોમેટેડ થર્મલ સાઇક્લર,ઈક્યુબેટર , રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુઝ, માઇક્રોસેન્ટ્રીફ્યુઝ, ઈલેક્ટ્રફોરેસિસ એપરેટ્સ, ઈલેક્ટ્રફોરેસિસ એપરેટ્સ વગેરે જેવાં ઉપકરણોનો ઉપયોગ થાય છે.વર્ણસૂત્ર કે રંગસૂત્રનો ચોક્કસ નમૂનો એટલે DNA પ્રોફાઇલ જુદી જુદી પ્રોફાઇલ સાથે સરખાવવામાં આવતી હોવાથી DNA ફિંગરપ્રિન્ટિંગને DNA- પ્રોફાઈલિંગ પણ કહે છે . ન્યાયસહાયક વિજ્ઞાનમાં DNA- પરીક્ષણથી ઓળખ એ અત્યાધુનિક પદ્ધતિ છે.જ્યારે કોઈ સ્ત્રીના બળાત્કાર કરનાર વ્યક્તિની સામે પૂરતા પુરાવાનાં મળતા હોય ત્યારે જે તે પીડિતનાં કપડાં કે જાતીય અંગમાં મળી આવતા વીર્યનાં ટીપાં કે ડાઘા પરથી પરીક્ષણ કરવામાં આવે છે.બદલાઈ ગયેલ કે ખોવાઈ ગયેલ સંતાનનું પરીક્ષણ પણ DNA દ્વારા કરી શકાય છે.આપણે મૂવીની અંદર આવા ગણા કિસ્સાઓમાં પોલીસ દ્વારા થતી કામગીરી જોઈ જ છે એટલે થોડા ગણા અંશે આપણે તેના વિષે જાણીએ જ છીએ.

 અલબત્ત આપણે જેટલું ધરીએ તેટલું સરળ અને સહજ પરીક્ષણ નથી હોતું પણ અન્યની સામે ગુનાના ઉકેલમાં DNA પરીશ્રણનાં પરિણામોની વિશ્વસનીય અને ચોક્કસ માનવમાં આવે છે.આ વિજ્ઞાનનાં સાધનો ખુબ જ મોંઘા હોય છે અને તેટલા જ પરીક્ષણો અગરા પણ હોય છે.પરિણામે તે એક વધુ મેહનતી અને ખર્ચાઈ વિજ્ઞાન સાબિત થયું છે.એક રિચર્ચ મુજબ બાળકની અંદર માતાના ગુણો વધુ ઉતરી આવે છે.બાળકની હોશિયારી અને બુદ્ધિ તેના માતા ઉપર આધારિત હોય છે એટલે જો માતા હોશિયાર અને બુદ્ધિશાળી હશે તો બાળક બુદ્ધિશાળી હોવાનું જ,અલબત્ત બાળકને વારસાઈમાં મળેલ રોગોનું પેકેજ મફતમાં મળતું હોઇ છે.તે કઈ રીતે અને કેમ,કોનું અને કયા કિસ્સાઓમાં તથા માતા કે પિતા તરફથી તે તમામ સવાલોના ઉત્તર આપવા માટેનું એક અલગ અને ઊંડું વિજ્ઞાન છે જે તે ફિલ્ડમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીનાં જ કામનું છે.આપણે તો ઉપર છલ્લી માહિતી યાદ રહે તેજ પૂરતું છે.જે માનવમાંથી અંધશ્રધ્ધા દૂર કરવા માટે પૂરતું છે.

                                          

                                                                                                                          જૈમીન  જોષી.   

Sunday, September 6, 2020

આર્કિમિડીઝ : એક ગણિતશાસ્ત્રી તથા કુશળયોધ્ધાં (Archimedes: A mathematician and skilled warrior)

 

       Archimedes One of  best Mathematician



                       Archimedes






  ગ્રીક ખગોળવિદ ફેઈડિયાઝના ઘરે આર્કિમીડીઝનો જન્મ થયો હતો.જે ઈટાલીના સિરેક્સ નગરમાં રહતા હતાં.આર્કિમીડીઝ ના બાળપણની માહિતી નો ખાસ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી અને તેમની જન્મ તારીખ વિશે પણ બેવડી તારીખો  સામે આવે પરંતુ ઈ.સ. પૂર્વે ૨૮૭ મા તેનો જન્મ થયો હતો તેવો ઉલ્લેખ થયેલ છે.ઇ.સ.પૂર્વે ત્રીજી સદીમાં સિરેક્સ  ઉત્તર બાજુ આવેલા રોમ,ઇટાલી સાથે અને દક્ષિણમાં આફ્રિકાથી ઘેરાયેલું હતું અને બન્ને રાષ્ટ્રો સાથે થયેલ યુદ્ધ જેને આપણે ‘‘પ્યુનિક વૉર’ તરીકે ઓળખીએ છીએ.

  આર્કિમીડિઝની વધુ માહિતીનો ક્યાય ઉલ્લેખ નથી અને જેમાં છે તેમાં માત્ર યુદ્ધો અને રાજનીતિ વિષે ઉલ્લેખ કરવામાં આવ્યું છે પરંતુ મૂળ તો તે એક ગણિતશાસ્ત્રી જ કહેવાય.આર્કિમિડીઝ તેની શોધ દરમિયાન એક જ સ્થિતિમાં મગ્ન તથા પોતાના સર્જનમાં એટલા ઊંડા ઉતરી જતાતા કે તેને ખાવા-પીવાનું પણ યાદ રહેતું નહોતું.આર્કિમિડીઝને ગણિત તથા ભૂમિતિમાં ખૂબ જ રસ હતો ધી સેન્ડ રેકન્સ નામના પુસ્તકમાં તેને દરિયાકિનારાના રેતી ની ગણતરી કરવાની પદ્ધતિઓનું વર્ણન કર્યું છે.

  આર્કિમિડીઝને ઘન પદાર્થો અને દ્રાવણો સાથે કામ કરવામાં ખૂબ આનંદ આવતો.તેને તરતા પદાર્થો પર

Archimedes

એક પુસ્તક લખ્યું હતું જેનું નામ 'ઓન ફ્લોટિંગ બોડિઝ'
(On Floating Bodies )જે બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.મેઝરમેન્ટ ઑફ ધી સર્કલ' (Measurement of the circelo ) માં તેણે વર્તુળના વ્યાસ તથા તેના પરિઘની ગણતરીઓ આપી છે.આ સંબંધ હવે પાઈ તરીકે ઓળખાય છે.વર્તુળનાં ધણા પ્રશ્નોમાં આ સંખ્યા તથા નિયમો નો ઉલ્લેખ જોવા મળશે.આ સિવાય ચોરસ અને નળાકાર ઉપ૨ પણ તે
મનું ઘણું લાંબુ કામ છે,જે ''ઓન ધી સ્ફિયર એન્ડ સિલિન્ડર''( Own The splitsar And Cylinder ) નામક પુસ્તકમાં શંકુ અને નળાકાર જેની ઊંચાઈ અને પહોળાઈ સરખાં હોય તે બે નો સંબંધ દર્શાવ્યો છે.શંકુની ભૂમિતિ વિષે પણ તેમાં માહિતી આપેલ છે જે આજે પણ પાઠ્યપુસ્તના અભ્યાસક્રમમાં જોવા મળે છે.  તેણે અન્ય વિષયો પર પણ પુસ્તકો લખ્યાં છે .જેમાં ખગોળવિધ્યા,ભૂમિતિ,ઓપ્ટિક્સ તથા અંકગશ્ચિતનો માહિતી . ''મેથડ ઑફ મિકેનિકલ થિયરસ''(Method of Mechanocal Theoroms) નામના પુસ્તકમાં મળે છે.‘'ક્વાડેટ ઑફ થી પેરાબોલા'’નામના પુસ્તકમાં તેમને બ્રહ્માંડનાં વિશ્વના આકાર વિશે તેમજ ચંદ્ર અને તેની ગતિવિધિ વિશે પણ માહિતી આપી છે.

  આ ઉપરાંત આર્કિમિડીઝએ યાંત્રિકવિધા( Mecharlics )ના મૂળભૂત સિદ્ધાંતો શોધી કાઢ્યા તથા તે વિષય પર એક પુસ્તક બે ભાગમાં લખ્યું હતું જેનું નામ હતું “ ઓન પ્લેઈન ઇકિવલિબ્રિયમસ ’ ( On Plain Eqailibriums ).પ્રાથમિક શાળામાં ઉચ્ચલન  તથા કૂવામાથી પાણી ખેચવામાં આવતી ગરગડી વિશે પણ તેમની સર્જકતાનો એક ભાગ જ છે. આજે રોબરોજ ઉપયોગમાં લેવાતા ઉચ્ચાલનનો ઉપયોગ થાય છે તે આર્કિમિડીઝને આભારી છે.

  તેમણે પોતાની એ શોધ પર તે એટલો બધો વિશ્વાસ હતો કે તેમણે છાતી ઠોકીને એક વાર કહ્યું હતું , “મને આ પૃથ્વીની બહાર ઊભા રહેવાની જગ્યા અને ઍક લાંબો દંડો આપો તો હું આખીયે પૃથ્વીને ખસેડી આપું.”આજે તો આ વાક્ય અભ્યાસ કરતું  નાનું બાળક પણ જાણે છે.તેમને પોતાનાં જ્ઞાન પ્રત્યે અને ઉચ્ચાલનની કાર્યશક્તિ વિશે દઢ વિશ્વાસ ધરાવતો હતો. તેન આ વિશ્વાસ ભર્યું વાક્ય ફરતું ફરતું  રાજા હેરોના કાને પણ પહોંચી ગયું.તેમને આ આર્કિમિડીઝની વાત પર જરા પણ વિશ્વાસના બેઠો અને તેને ખોટો સાબિત કરવા વજનથી ભરપૂર લાદેલા વહાણને ખસેડી બતાવવાની આર્કિમિડીઝને હુકમ કર્યો.  આર્કિમીડિઝ એ સંયુક્ત ગરગડીનો સિદ્ધાંત વાપરી,ગરગડીઓ અને માત્ર એક દોરડાની મદદ વડે ખલાસી અને માલસામાનથી ભરેલા વહાણને ખસેડી તો બતાવ્યું પણ  ઊંચું પણ કરી બતાવ્યું.રાજા હેરોન તેનાથી ખૂબ પ્રભાવિત થયા.આમ,ઉચ્ચાલનથી થતો યાંત્રિક ફાયદો તેણે પ્રાયોગિક રીતે સાબિત કરી બતાવ્યો.

  રાજા હેરોને તેના પર ખૂબ જ વિશ્વાસ બેસી ગયો.તે દમિયાન રોમાનો ઉપર થતાં હુમલાને રોકવા કે તેમને પહોચી વળવા આર્કિમિડીઝની સલાહો લેવામાં આવી અને તેના દ્વારા તૈયાર કરેલા શસ્ત્રોનો ઉપયોગ થવા લાગ્યો.આમ ઉચ્ચાલનોની મદદથી તેણે રોમન સેનાપતિ માર્સેલિયમનાં જહાજોને પણ ડુબાડ્યાંઅને કેટલાક જહાજોને  દરિયામાં પાણીથી અધ્ધર કરી ફેકી દીધા હતાં.ઈ.સ.પૂર્વે ૨૧૮ માં થયેલ ખૂનિક વૉરમાં કાર્યંજનો જનરલ ઍન્નીબાલ મોટું લશ્કર લઈને આલ્સ પર્વત પરથી ઇટાલી તરફ ચડી આવેલો.તેના લશ્કરમાં અંદાજે ૩૭ જેટલા તો યુદ્ધમાં વપરાય તેવા હાથીઓની ફોજ હતી.

Archimedes

તેમણે સિરેક્સ  પર હુમલોતો કર્યો પણ તેનું  પરિણામ તો એજ આવ્યું.
આર્કિમિડીઝ પાસે બીજી યુક્તિઓ પણ હતી.તેણે એવાં તીરની રચના કરી હતી જે બોટોને એક જાટકે ડુબાડી દેતાં હતાં, તેના પર મોટા પથરા ગબડાવતા હતા. કહેવામાં આવે છે કે એક વાર રોમનોનાં હુમલાને મારી હટાવવા માટે તેણે નવી યુક્તિ વાપરેલી.રોમનોએ જંગી જહાજો દ્વારા સમુદ્રમાર્ગે એમનાં પાટનગરને ઘેરી લીધું ત્યારે કોઈ બચવાનો માર્ગ ન દેખાતાં તેણે સૂર્યનાં કિરણો દુશમન જહાજો પર સંકેન્દ્રિત થઈ પડે એ રીતે વર્ક આરસા ( Curved Mirrors ) ગોઠવીને સળગાવી મૂક્યાં.

  આ ઉપરાંત તે જમાનામાં તેણે હાઇડ્રોસ્ટેટિક્સનાં સંશોધનમાં અગત્યનો ફાળો આપ્યો હતો.એલેકઝાંઝિયા રહ્યો તે દરમિયાન આર્કિમિડીઝે પાણીને ઊંચે ચડાવવા માટેનો પમ્પ પણ શોધી

Archimedes principle image

કાઢ્યો હતો.આ પંપ એક લાકડાનો નળાકાર ધરાવતો હતો.
તેમાં ઉપર જોડેલું હૅન્ડલ ફેરવતાં જ તે વલયાકાર ફરતો જેનો બીજો છેડો પાણીમાં રહેતો અને તે પણ થોડાક ખૂણે પડતો ૨ખાતો.પાણી વલયાકારમાં ભરાઈ જતું.આ શોધને  હવે"આર્કિમિડીઝ ક્રૂ'' તરીકે ઓળખાય છે અને તેનાં ઘણા વ્યવહારુ ઉપયોગો પણ થાય છે.દા.ત. , વહાણોમાંથી પાણી ખાલી કરવું,અને ખેતી માટે ખેતરોમાં પાણી બહાર કાઢવા વગેરે...    
Archimedes image

  તરતા પદાર્થનો નિયમ સૌપ્રથમ શોધનાર આર્કિમિડીઝ હતો.આ નિયમની કહાની આજે પણ ખૂબ પ્રચલિત છે.હેરોએ પોતાને માટે સોનીને એક સોનાનો મુગટ બનાવવા આપ્યો હતો.જ્યારે મુગટ તૈયાર થઈને આવ્યો ત્યારે તેના ઘાટ અને કોતરણી જોઈને રાજા ખૂબ ખુશ થઈ ગયો.મુગટનું વજન પણ સોનું આપેલું તેની ભારોભાર જ લાગતું હતું,છતાં રાજાને સંશય હતો કે સોનીએ થોડું તો સોનું ચોર્યુ હસે અને તેમાં અન્ય ધાતુ ભેળશેલ કરી હશે પણ તેને સાબિત કેવી રીતે કરવું..? રાજા હેરોએ આ કામ કાળજીથી થાય અને મુગટને સહેજ પણ નુકસાન ન થાય તે રીતે આર્કિમિડીઝને સોંપી દીધું કે મુગટ સંપૂર્ણ સોનાનો છે કે તેમાં કોઈ ધાતુની ભેળસેળ છે તે શોધી આપ.તે જ દિવસે સાંજે આર્કિમિડીઝ જાહેર સ્નાનાગારમાં નહાવા માટે ગયા.જયારે તે સંપૂર્ણ પાણીથી ભરેલ બાથટબમાં સ્નાન કરવા બેઠો ત્યારે પણ તે રાજાનાં મુગટનો જ વિચાર કરતા હતા.તેવામાં તેણે જોયું કે જેવો તે પોતે બાથટબમાં બેઠા એટલે વધારનું પાણી ટબમાંથી



Archimedes

બહાર પડવા લાગ્યું .આર્કિમિડીઝ ને  તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તે એટલા ખૂસ થઈને ભાગવા લાગ્યા કે 
નગ્નાવસ્થામાં જ બાથટબમાંથી બહાર અને પછી સ્નાનાગૃહમાથી બહાર રસ્તા ઉપર યુરેકા,યુરેકા ' અર્થાત્ મને જડી ગયું,જડી ગયું ' બોલતા દોડવા લાગ્યા,રસ્તા ઉપર આવતા-જતા લોકો તેને નગ્નાવસ્થામાં દોડતો જોઈ રહ્યા.
જ્યારે બાથટબમાં બેસવાથી પાણી બહાર ઊભરાયું ત્યારે જ આર્કિમિડીઝને ખાતરી થઈ ગઈ કે પદાર્થ પોતાના વજન જેટલા પાણીનું સ્થળાંતર કરે છે,આથી તેમને પહેલાં મુગટ જેટલા વજનના સોનાનો શુદ્ધ ગઠ્ઠો લીધો અને એક કોઠા સુધી ભરેલા વાસણમાં તેને ડુબાડ્યો અને તેથી સ્થળાંતર થયેલા પાણીનું માપ નોંધ્યું.ત્યાર પછી એ જ રીતે સોનીએ બનાવેલા મુગટને પાણીમાં ડુબાડી તેણે સ્થળાંતર કરેલા પાણીનું માપ શોધ્યું તો સોનાના ગઠ્ઠા કરતાં મુગટે વધુ પાણી સ્થળાંતર કર્યું હતું.આથી તેમણે રાજાને નિવેદન કર્યું કે મૂંગટમાં બીજી હલકી ધાતું ભેળવવામાં આવી છે.આમ કરતાં તેણે સોનીની છેતરપિંડી પકડી પાડી,જેથી સોનીને સજા થઈ . સાથે સાથે તે મુગટનું બંધારશ પણ કહી શક્યો અને આમ આર્કિમિડીઝે હાઇડ્રોરટેટિકસ વિજ્ઞાનશાખાનો પાયો નખ્યો

  ચેબલ્સ કહે છે આર્કિમિડીઝના ઇન્ટીગ્રેશન પરનાં કામે કૅલ્કયૂલસનો જન્મ થયો જેનો પછી કાળક્રમે પ્લિની,કેપ્લર,કેવેલિયેરી,ફટ,લેબનિઝ તથા આઈઝેક ન્યુટને વિકાસ કર્યો.ઘાતાંકની ગણતરી કરવાની રીત,વર્તુળનું ક્ષેત્રફળ,ત્રિજ્યા તથા શંકુનાં ક્ષેત્રફળ માટે ગણતરી,સમીકરણો સૂત્રો વગેરે આપ્યાં હતાં.વક્રરેખા દ્વારા બનતી આકૃતિનાં ક્ષેત્રફળ શોધવા માટે તેણે નવી ગણક પદ્ધતિ વિકસાવેલી જે ચલરાશિ કલનને મળતી આવે છે.જેનો ઉપયોગ આજે પણ અભ્યાસક્રમમા થયેલો જોવા મળે છે.

  આર્કિમિડીઝ દરિયાકાંઠે રેતીમાં ભૂમિતિની આકૃતિઓ દોરતા હતાં તે સમયે એક રોમન સૈનિકે તેને મારી નાખવાની ધમકી આપી.આર્કિમિડીઝ એ સૈનિકને વિનંતી કરી કે  તેને આ પ્રશ્ન નો ઉકેલ મેળવી લેવા દે પણ સૈનિકે ભાલાથી તેની હત્યા કરી નાખી.મરતા મરતા તેમણે કહ્યું કેમારી રેતી પરથી આકૃતિ ભૂંસીશ નહીં.એ મરતાં આર્કિમિડીઝના અંતિમ શબ્દો હતા.આમ ૭પ વર્ષની

Archimedes image

વયે ઇ.સ.પૂર્વે ૨૧૨ માં તે સિરેક્સમાં જ મૃત્યુ પામ્યો.રોમન ઇતિહાસકાર લિવીના કહેવા પ્રમાણે:
જયારે જનરલ માર્શેલિયસને આર્કિમિડીઝના મૃત્યુની જાણ થઈ ત્યારે તે ખૂબ જ વ્યથિત અને નિરાશ થઈ ગયો હતો.તેણે તેનાં સગાંવહાલાંની તપાસ કરાવી અને તેને સરખી રીતે પદ્ધતિસર દફનાવ્યો.તેની કબર પરના પથ્થરમાં નળાકાર અને શંકુની આકૃતિ કોતરવામાં આવી છે.

  આર્કીમિડિઝની સમાધિમાં તેના પ્રિય ગાણિતિક પુરાવાને દર્શાવતી એક શિલ્પ હતી, જેમાં એક ગોળા અને સમાન ઉચાઇ અને વ્યાસના સિલિન્ડરનો સમાવેશ થાય છે.આર્કિમિડીઝે સાબિત કર્યું હતું કે ગોળાકારનું વોલ્યુમ અને સપાટીનું ક્ષેત્રફળ તેના પાયા સહિતના સિલિન્ડરના બે તૃતીયાંશ છે.  75 ઇ.સ. પૂર્વે, તેમના મૃત્યુના 137 વર્ષ પછી, રોમન વક્તા સિસિરો સિસિલીમાં ક્વેસ્ટર તરીકે સેવા આપી રહ્યો હતો. તેણે આર્કીર્મિડીઝની કબર વિશે કથાઓ સાંભળી હતી,પરંતુ સ્થાનિકોમાંથી કોઈ પણ તેને સ્થાન આપવા સક્ષમ ન હતું. આખરે તેને સિરાક્યુઝમાં એગ્રિજન્ટાઇન ગેટ પાસેની કબર મળી,એક અવગણનાવાળી સ્થિતિમાં અને ઝાડમાંથી ભરાયેલા.  સિસિરોએ કબર સાફ કરી હતી,અને તે કોતરકામ જોવા અને શિલાલેખ તરીકે ઉમેરવામાં આવેલા કેટલાક શ્લોકો વાંચવામાં સમર્થ હતો.1960ના દાયકાની શરૂઆતમાં સિરાક્યુઝમાં હોટેલ પેનોરમાના આંગણામાંથી મળી આવેલી એક કબર આર્કીર્મિડીઝની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આ માટે કોઈ આકર્ષક પુરાવા મળ્યા નથી અને આજે તેની કબરનું સ્થાન અજાણ જ છે.પ્રાચીન રોમના ઇતિહાસકારો દ્વારા તેમના મૃત્યુ પછી આર્કીમિડીઝના જીવનનાં માનક સંસ્કરણો ઘણા સમયથી લખાયેલા હતા.તેના હિસ્ટ્રીઝમાં પોલિબિયસ દ્વારા આપવામાં આવેલા સિરાક્યુઝના ઘેરાનો હિસ્સો આર્કિમિડીઝ મૃત્યુના લગભગ સિત્તેર વર્ષ પછી લખવામાં આવ્યો હતો, અને તે પછી પ્લુટાર્ક અને લિવિ દ્વારા સ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.તે એક વ્યક્તિ તરીકે આર્કિમિડીઝ પર થોડું પ્રકાશ પાડશે, અને યુદ્ધના મશીનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.એવું  કહેવામાં આવે છે કે તેણે શહેરનો બચાવ કરવા માટે બાંધવામાં આવ્યો  છે.

  તે જે હોય એ પરંતુ તેમણે ગણિતશાસ્ત્રમા એક આગવું યોગદાન છે અને ભૂમિતિના મોટા ભગના નિયમો તેમના પરિશ્રમના પ્રસાદ રૂપે આપણને મળતું આવ્યું છે અને આવનારી પેઢીઓને પણ મળશે જ.

 

                                                                                                               જૈમીન જોષી.   




 




Saturday, August 15, 2020

આલ્કોહોલ અને તેની બનાવટ (Alcohol and its composition)

Type of alcohol:

 

alcohol wikimedia

                                   Alcohol

  


  પ્રાચીન કાળથી આપણે મદિરાપાન કરનારાં કિસ્સાઓ સાંભળ્યા છે.મહાભારતની અંદર તેનો વિશિષ્ટ ઉલ્લેખ છે.ભગવાન કૃષ્ણનાં દાઉ બલરામ,કર્ણ,પાંડવો હોય કે કૌરવો,તે સમયમાં ઉત્સવો અને આનંદમાં મદિરાપાન મુખ્ય પીણું હતું.દેવ રાજ ઇન્દ્રનાં દરબારમાં પણ દેવો મદિરાપાન કરતાં કરતાં અપ્સરાઓ નૃત્ય કરતી વાતો સાંભળી કે સિનેમામાં જોઈ હશે.રાજા મહારાજાઓનાં દરબારમાં પણ જેમ જમ્યા પછી મુખવાસ લેતા હોઈએ તેમ મદિરા લેવાતો.મદિરા એ બીજું કઈ નહીં પણ દારૂ છે જે આજે અલગ અલગ બ્રાન્ડ સ્વરૂપે વેચાઈ છે અને લોકો ભરપૂર તેની મહેફિલ માણે છે,કહેવાય છેકે દારૂ પિનારને ગ્લાસ  માટે માત્ર એક બહાનું પૂરતું હોઈ છે.દારૂનાં ફાયદા ચોક્કસ છે પણ તેના કરતાં ગેરફાયદા વધુ છે.રસાયણની સામાન્ય ભાષામાં તેને આલ્કોહોલ તરીકે ઓળખાય છે.

દારૂ બનાવવાનાં પ્રકાર અને  પદ્ધતિ: 

  દારૂના મુખ્યત્વે બે પ્રકારો છે. 1)આથવણની પદ્ધતિ  અને,2) નિયંદિત પદ્ધતિ.

  અલગ અલગ ફળોના રશનો પ્રવાહી તરીકે ઉપયોગ કરી અમુક ચોક્કસ પ્રમાણમાં ઇથેનોલ સાથે ભેળવવામાં આવે છે.જેમ કે સફરજનના રસમાંથી આથવેલ પ્રવાહીને સિડર,દ્રાક્ષના રસમાંથી આથવેલ પ્રવાહી વાઇન તથા સ્ટાર્ચવાળા અનાજને ફણગાવ્યા બાદ આથવેલ પ્રવાહીમાંથી બનાવેલ દારૂને બીયર તરીકે ઓળખવામાં આવે છે,જે નો સમાવેશ આથવેલ શરાબમાં થાય છે.જ્યારે રમ,વોડ્કા,વ્હિસ્કી,જિન બ્રાન્ડી,દેશી દારૂ વગેરેનો સમાવેશ નિયંદિત દારૂમાં થાય છે.સાધારણ રીતે અંદાજિત બીયર રથી ૬ ટકા,વાઇનમાં ૧૦ થી ૨૨ ટકા,સીડર ૭ થી ૧૪ ટકા , વ્હિસ્કી ૪૧ થી ૫૦ ટકા,બ્રાન્ડી ૪૦ થી ૫૨ ટકા,રમ ૫૦ થી ૫૮ ટકા, જિન ૪૦ ટકા તથા દેશી દારૂ ૧૦ થી ૨૦ ટકા આલ્કોહૉલનું પ્રમાણ ધરાવે છે.દેશી દારૂ ગેરકાયદેસર રીતે ગોળ,મોલાસીસ,મહુડાં,પાકેલાં ફળો વગેરેને આથવીને સડાવાને ચોક્કસ સમય સુધી મૂકી બનાવવામાં આવે છે.

દારૂનો બનાવટી લઠ્ઠો અને તેના નુકશાન:

  ઘણી વાર દારૂ આથવણ દ્વારા નહીં પરંતુ સીધા જ સ્પિરિટમાં પાણી ઉમેરીને બનાવવામાં આવે છે.સ્પિરિટ એટલે બીજું કઈ નહીં પણ ઇથેનોલનું અન્ય નામ.આલ્કોહૉલનું પ્રમાણ થોડું વધારે રાખી તેમાં રંગ માટે આયોડિન ઉમેરાય છે તથા સુગંધ ઉમેરીને જાણીતી કંપનીઓના લેબલવાળા નકલી ફૉરેન - લીકર બનાવવામાં આવે છે.આમ સ્પિરિટમાંથી બનતા દેશી દારૂ તથા ફૉરેન-લીકરમાં જ્યારે મિથિલેટેડ સ્પિરિટ આવી જાય ત્યારે કડક લઠ્ઠા સર્જાય છે.મિથિલેટેડ સ્પિરિટ મિથાઈલ આલ્કોહૉલવાળું પ્રવાહી હોય છે.નશો કરવા માટે ગેરકાયદેસર રીતે બનાવેલ પીણામાં ઈથેનોલની સાથે થોડા પ્રમાણમાં મિથેનોલ કોઈ પણ રીતે ભળે તો તે એક પ્રકારનો લદ્દામાં નિર્માણ પામે છે.

  હવે જ્યારે આ લઠ્ઠો બજારમાં વેચવામાં આવે છે ત્યારે પિનાર વ્યક્તિ મૃત્યુ પામે છે જેના માટે મિથેનોલ(મિથાઇલ આલ્કોહૉલ) જવાબદાર હોય છે.આવો ભેળસેળ અને બનાવટી લઠ્ઠો પીધેલ વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર આપવી જરૂરી છે.આનો અર્થ તેવો નથી કે મિથેનોલ જેરી પદાર્થ છે,ઇથેનોલની જેમ જ તે પણ એક આલ્કોહોલ જ છે,પરંતુ જ્યારે મિથેનોલ લીવરમાં પહોંચતાં લીવર દ્વારા મિથેનોલનું રસાયણિક પ્રક્રિયા થઈ ધીમે ધીમે ફૉર્મોલ્ડિહાઇડ અને ફૉર્મિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે.આ ફૉર્મોલ્ડિહાઇડ અને ફૉર્મિક ઍસિડની શરીરમાં ઝેરી અસર ઉપજાવે છે.ઝેરી અસરના કારણે પેટમાં દુખાવો ઉત્પન થાય છે,તેના લીધે આંખોમાં રેટિનાને નુકસાન થતાં દૃષ્ટિ ધીમે ધીમે બંધ પડતી જઈને છેવટે અંધાપો આવી જાય છે અને જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ નીપજે છે.ઈથેનોલ લીવરમાં પહોંચતાં લીવર  દ્વારા ઈથેનોલનું ધીમે ધીમે ઍસિટાલ્ડિહાઇડ અને ઍસેટિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે.આ ઍસિટાલ્ડિહાઇડ અને એસેટિક ઍસિડની ઝેરી અસર થતી નથી અને ધીમે ધીમે મૂત્ર માર્ગે  બહાર નિકાલ થાય છે.આ ક્રિયા માટે લીવર મિથેનોલ કરતાં ઈથેનોલને પ્રથમ પ્રયોરિટી આપે છે.એટલે કે,લીવરમાં ઈથેનોલની પ્રક્રિયા પૂરી થયા બાદ જ મિથેનોલનું નિર્વાણ થાય છે.આશરે ૮ થી ૧૦ ટકા જેટલો ઈથેનોલ કે મિથેનોલ પરસેવા કે ફેફસાં દ્વારા શ્વસનક્રિયામાં નીકળતો રહે છે.જે આપણને અહેસાસ કરાવે છે કે સામેવાળી વ્યક્તિએ દારૂ પીધો છે કે નહીં,ગણી વખત આપણે પણ તેનાં પ્રમાણનો અંદાજો લગાવી શકીએ છે પરંતુ અન્ય આલ્કોહોલીક વ્યક્તિ આ પરખવામાં વધુ કુશળ અને ચોક્કસ માહિતી આપનાર સાબિત થાય છે.

  આલ્કોહૉલના ધીમે ધીમે ઘટતા પ્રમાણના આધારે લઠ્ઠો પીનારને વધુ ઈથેનોલ પિવડાવીને કે રુધિર મારફતે ચડાવીને સારવાર આપવામાં આવે છે.અઠવાડિયા સુધી આવી સારવાર ચાલુ રાખીને લીવરને પ્રથમ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવા વ્યસ્ત રખાય છે અને તે દરમિયાન મિથેનોલને ધીમે ધીમે મિનિમાઇઝ કરવામાં આવે છે,પરિણામે શરીરમાં મિથેનોલનું પ્રમાણ દૂર થાય છે અને વ્યક્તિ સ્વસ્થ બને છે.આમ ઇથેનોલ મિથેનોલથી બચાવમાં મદદગાર સાબીત થાય છે.

  રાસાયણિક ભાષામાં દારૂ એ બીજું કઇ નહી પણ ઈથાઇલ આલ્કોહૉલ છે,જેને ઈથેનોલ તરીકે પણ ઓળખાય છે.જો પીવામાં આવતા પ્રવાહીમાં ઈથેનોલનું પ્રમાણ ઓછું હશે તો શરીરમાંનાં કોષોમાં શોષણની ક્રિયા ધીમી થશે અને જો પીવામાં આવતા પ્રવાહીમાં ઈથેનોલનું પ્રમાણ વધારે હશે તો કોષોમાં શોષણ ઝડપી પ્રસરણ પામસે.શરીરમાં જેમ ઈથેનોલનું પ્રમાણ વધે તેમ હૃદયને ધબકવાનું પ્રમાણ ધીમું થાય છે.લીવર દ્વારા ઈથેનોલનું ધીમે ધીમે ઍસિટાલ્ડિહાઇડ અને એસેટિક ઍસિડમાં ફેરવાઈને વિસર્જન થાય છે,જે અંતે મૂત્રમાર્ગ દ્વારા પેશાબ મારફતે શરીરની બહાર નિકાલ થાય છે.રુધિરમાં આલ્કોહોલની  હાજરીની માત્ર અને તેની ટકાવારી લેવલ સંપૂર્ણ સ્વયંસંચાલિત GC - HS પદ્ધતિ મારફતે  જાણવામાં આવે છે.આ પદ્ધતિથી રુધિરના આશરે ૨૮૦ થી 320 નમૂનાઓ દિવસ દરમિયાન તપાસી શકાય છે.અલગ અલગ પ્રકારના આલ્કોહોલ દારૂબંધી લાગુ પડેલ  હોવા છતાં બનાવવો કે જથ્થો રાખવો એ ગુનો બને છે.જુદા જુદા પ્રકારના દારૂમાં  આલ્કોહૉલની હાજરી અંગે પરીક્ષણ કરવામાં આવે છે,તથા તેના પ્રમાણ અંગે પણ પરીક્ષણ કરવામાં આવે છે.શરાબ,દારૂ,મદિરા વગેરે ઈથેનોલનો પાણી તથા અન્ય પદાર્થો સાથેના મિશ્રણનો પ્રચિલત થયેલા અલગ અલગ નામો છે.ઇથેનોલએ રંગવિહીન અને ચોક્કસ વિશિસ્ટ ગંધવાળું કાર્બનિક પ્રવાહી છે,જેનું પાણી સાથેનું દ્રાવણ એ પીવાનો દારૂ કે શરાબ તરીકે ઓળખાય છે. 

  બ્લડ એટલે કે,રુધિરમાં આલ્કોહૉલ( શરાબ ) ની હાજરી તથા તેનું પ્રમાણ જાણવા માટેનાં પરીક્ષણ બ્લડ આલ્કોહૉલ લેવલ ( Blood - Alcohol - Level ) વિભાગમાં કરવામાં આવે છે. કાયદાકીય રીતે દારૂબંધી જ્યાં અમલમાં છે ત્યાં આલ્કોહોલ ( Alcohol ) નું સેવન ગુનો બને છે અને તેવા ગુનાના આરોપીઓના રુધિરના નમૂનાઓ તબીબી  ક્ષેત્રનાં અધિકારીઓ દ્વારા પરીક્ષણ માટે જે તે પ્રયોગશાળાને મોકલવામાં આવે છે.રુધિરકૃત આલ્કોહોલનાં નમૂનાઓના શક્ય તેટલું ત્વરિત પરીક્ષણ જરૂરી છે.

  વધારે આલ્કોહોલનું સેવન કરનારને લીવરની તકલીફ થતી હોય છે.માટે કેટલાક વ્યક્તિ વ્યસનમુક્તી કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ થાય છે.નલટ્રેક્સોન એ એક દવા છે જેનો ઉપયોગ આલ્કોહોલ ઉપરાંતની સારવાર માટે થાય છે. તે આલ્કોહોલ માટેની વ્યક્તિની ઇચ્છાને ઘટાડે છે.તે રેવિઆ અથવા વીવીટ્રોલ નામના બ્રાંડ નામો હેઠળ આવે છે.વ્યક્તિએ પીવાનું છોડ્યા પછી,નેલ્ટ્રેક્સોન તેમને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.જોકે આ દવા દારૂના નશા માટે સંપૂર્ણ ઉપાય નથી,પરંતુ તે વ્યક્તિને તેનું સેવન બંધ કરવામાં મદદ કરે છે.

  મદ્યપાન એ એક લાંબી બિમારી છે.તેનો અર્થ એ કે તે લાંબા સમય સુધી ચાલે છે અથવા તે ફરીથી અને ફરીથી સમસ્યાઓનું કારણ બને છે.દારૂબંધીની મુખ્ય સારવાર એ દારૂ પીવાનું બંધ કરવું. ચોક્કસ તે મુશ્કેલ હોઈ શકે છે.મોટાભાગના લોકો કે જે આલ્કોહોલિક છે તેઓ પીવાનું બંધ કર્યા પછી પણ દારૂની તીવ્ર ઇચ્છા અનુભવે છે. જેમાં નેલ્ટ્રેક્સોન મદદ કરી શકે છે પણ તે કાયમી અયોગ્ય હોય છે માટે વ્યક્તિ એ જાતે જ કંટ્રોલ કરવો રહ્યો.

  આલ્કોહોલનું સેવન કરી ડ્રાઇવિંગ કરવું એ ગુનો છે.રુધિરમાં રહેલ આલ્કોહોલનું પ્રમાણ જાણવા લેબોરેટરીમાં પરીક્ષણ કરાય છે જે ચોક્કસ હોય છે,પરંતુ તાત્કાલિક ધોરણે તેનું માપન કરવા એલ્કોં સેન્સરનો ઉપયોગ થાય છે.જેની અંદર ફૂક મારવાથી પર ૧૦૦ ml રુધિરમાં આલ્કોહોલનું પ્રમાણ બતાવે છે.દરેક દેશમાં અલગ અલગ કાયદામાં  ડ્રાઇવિંગ વખતે પીધેલ આલ્કોહોલના પ્રમાણનો ચાર્ટ અલગ અલગ હોય છે અને જેતે નિયમને આધારિત દંડ કે સજા કરવામાં આવે છે.

  આલ્કોહોલીક વ્યક્તિએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે તે તેના લીવરને ખતમ કરી નાખે છે.છતા એક કલાકમાં એક પીણું  નશો ચડવા પૂરતું હોય છે અને એક દિવસમાં એક થી વધુ લેવાથી તો લીવર ચોક્કસ બગડશે. જોકે તે કઈ કંપનીની છે અને તેની અંદર આલ્કોહોલની માત્રા કેટલી છે અને તેની કોલિટી કેવી છે તેના ઉપર આધાર રાખે છે.લીવરને બચાવવા  માટે ડ્રિંક લેતા પહેલા એક ગ્લાસ પાણી પીવું અને થોડું સૂકો નાસ્તો(ચિપ્સ વગેરે)લેવો.બીજા ડ્રિંક પછી ફરી પાણી પીને કઈક ખાઈ લેવું.એક પેક નો સાઇઝ 30 ml જેટલો હોય છે.વધુમાં વધુ 90 ml થી વધુ ના પીવું જોઈએ.જો વ્યક્તિ બીયર પિતા હોય તો તેમણે ૩૬૦ ml જેટલો એક પેક તેવા બે પી શકાય  તેનાથી વધું નહીં લેવું.અન્યમાં સારો ખોરાક લેવો વધું વિટામિન વાળો ખોરાક,પાણીનું વધું સેવન એટલે કે ૪ લિટર,વધું ફાઈબર,ચાવીને ખોરાક લેવો,૮ થી ૧૨ કલાકની ઊંગ પણ જરૂરી છે.દર ૨ વર્ષે લીવર ફંક્શનની ચકાસણી કરાવવી.જોકે આટલી કાળજી રાખ્યા પછી પણ લીવર બચવાની શક્યતાઓ નહિવતજ હોય છે.અંતે તો ઝેર તેનું કામ તો કરશે જ.     

                                                                             જૈમીન જોષી. 

Saturday, August 8, 2020

રસીકરણ પ્રક્રિયા(Process of vaccination)

 



vaccine images hd

Process of vaccination:


  આધુનિક ચિકિત્સા પદ્ધતિઓએ આપણને જીવનરક્ષક પદ્ધતિઓનો કાફલો આપ્યો છે.સમગ્ર માનવજીવે વિવિધ સૂક્ષ્મજીવોનો પડકાર ઝીલી અને સામનો કર્યો છે.આપણે પેથોજેન્સ સાથે લડતાં શીખી લીધું છે અથવા તો આપણા શરીરે અનુકૂલન સાધી લીધું છે તેમ કહી શકાય, પરંતુ સૂક્ષ્મ જીવાણુઓ પણ ઘણીવાર ફેરફાર પામ્યા છે જેને 'મ્યુટેશન્સ' કહે છે જે માનવીની રોગપ્રતિકારક શક્તિ ઉપર ભારે પડ્યા છે. માનવીની રોગપ્રતિકારક શક્તિ પેથોજેન્સ સાથે લડવા સક્ષમ હોય છે પણ જ્યારે સૂક્ષ્મજીવ તદ્દન નવા જ ચેપ વાહકના સંપર્કમાં આવે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક પદ્ધતિઓ તેની સામે લડી શકતી નથી રોગપ્રતિકારક શક્તિનો ઉંમર સાથે વધઘટ થતું હોય,માટે નાના બાળકો અને વૃદ્ધોની અંદર ઓછી રોગપ્રતિકારકશક્તિ હોવાથી તેમના ઉપર રોગ ઝડપથી હાવી થઈ જાય છે.ગર્ભવતી સ્ત્રી,માદક દ્રવ્યોનું  નિયમિત સેવન કરતો માનવી,કુપોષણનો શિકાર બનેલ માનવી આ તમામ  ઝડપથી સંક્રમિત થઈ જાય છે. કેન્સરના દર્દીઓ કે ટી.બી.ના લક્ષણ ધરાવતા દર્દીઓ તથા એઈડ્સથી પીડાતા દર્દીઓને ચેપનું જોખમ વધુ હોય છે.જે તેમને રોગપ્રતિકારક શક્તિને ન હોવા બરાબર કરી નાખે છે.

  દર્દીઓને સૂક્ષ્મ જીવાણુંના રોગથી બચાવવા અથવા તો તેમને રોગનો ઉપચારરુપ રસી આપવાની પદ્ધતિને 'રસીકરણ' અથવા 'વેક્સિનેશન' કહે છે. એવું માનવામાં આવે છે કે જૂના જમાનાનાં લોકો વિવિધ રોગોથી પીડાતા હતા ત્યારે જીવન ટકાવી રાખવા નિત નવા પ્રયોગો કરતા હતા. પ્રાચીન રોગોનો ઈલાજ કરનારા વૈદ્ય તરીકે ઓળખાતા હતા.જંગલી વનસ્પતિઓ દ્વારા કે ઔષધીઓ દ્વારા વ્યક્તિનો ઈલાજ કરવામાં આવતો.વ્યક્તિ ઈલાજ દરમિયાન પ્રયોગ સફળ રહ્યો તો તે પદ્ધતિનો ઉપયોગ અન્ય પર કરવામાં આવતો અને ચોક્કસ પ્રકારની ખાતરી થયા બાદ બહાર અન્ય સાથે માહિતી દ્વારા અન્ય ગામડાઓમાં જ્ઞાન પહોંચાડમાં આવતું,પરંતુ ચોક્કસપણે કયા કારણોસર ઇલાજ શક્ય બન્યો તેથી માહિતગાર ન હતા.

  એવું માનવામાં આવે છે કે પ્રાચીન ભારતના ઋષિઓએ બળિયા જેવા રોગનો ભોગ બનેલા દર્દીના પરુવાંળું પૂમડું અન્યને સુંઘાડવાથી સાજા વ્યક્તિને ચેપ સામે રક્ષણ મળતું. અગિયારમી સદીમાં ભારતની શોધ ચીનમાં ગઈ. તેઓએ જોયું કે અમુક રોગ દર્દીને વારંવાર થાય છે પરંતુ અમુક રોગ માત્ર એક જ વાર થાય છે.

  વર્ષો પહેલા ચીનના આખા વિસ્તારને બળિયા થયા હતા. લોકોને તાવ,માથું,ગળું,અસહ્ય વેદના સાથે લોહીની ઊલટી થઈ જીવ ગુમાવવાનો વારો આવતો હતો. શરીરની અંદર રક્તસ્ત્રાવ થતો અને શરીરના

chickenpox image

chickenpox 

બાહ્ય ભાગ ઉપર મોટા લાલ કે કાળા ચાઠાંથી ભરાઈ જતો. આ રોગ ચેપી હોવાથી અન્ય સાથે વ્યક્તિની જાણ બહાર ફેલાઈ જતો.દર્દીને લાંબા સમયે તેના ભોગ બન્યાની જાણ થતી અને પરિણામે દર દસમાંથી ત્રણ વ્યક્તિનું મૃત્યુ થતું હતું. તે દરમિયાન ત્યાંના વૈજ્ઞાનિકોએ જોયું કે બચી ગયેલા દર્દીને પુનઃરોગ લાગ્યું પડતો નથી.વર્ષોના નિરીક્ષણ પછી ચીની વૈધોએ એક  લાંબી પદ્ધતિની રચના કરી જેમાં એક નળી દ્વારા બાળકો પોતાના નસકોરાના ભાગે એક ચૂર્ણને સૂંઘતા. આ ચૂર્ણ જે લોકોએ સૂંગ્યો તે બળિયાના બહુ થોડાંક ચિન્હો સાથે માંદા પડ્યા હતા. આ ચૂર્ણ એ બીજું કઈ નહીં પરંતુ તેમના શરીર પર થયેલા ચાઠાં પરનાં પોપડાંનો વાટીને કરેલો ભૂકો હતો.આ ભુક્કાને સૂંઘ્યા પછી થોડાક દિવસોમાં આ બાળકોમાં પણ બળિયાની માંદગી શરૂ થઇ ગઇ પરંતુ ત્રણ-ચાર દિવસના સામાન્ય તાવ પછી આ બાળકો સ્વસ્થ થઈ ગયા અને એ વાત તો નક્કી હતી  કે આ રોગ ફરી તેમના જીવનમાં આવવાનો ન હતો.

  આમ રોગપ્રતિકારક શક્તિના શબ્દથી અજાણ વૈધોએ જાણે-અજાણે રસીની શોધ કરી. આવી જ એક પદ્ધતિ આફ્રિકાના વૈદ્યોએ પણ બળિયા માટે શોધી હતી અને ત્યાર પછી તુર્કીમાં પણ તેનો પ્રયોગ થયો.આમ રોગપ્રતિકારક શક્તિને કુત્રિમ રીતે ઉત્તેજિત કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી.પુરાણોમાં અને ઇતિહાસમાં સાપના ઝેર થી બચવા તેના ઝેરનો નાનો જથ્થો ગળી જતાં અથવા ખોરાકમાં લેતાં હતા. જેથી શરીર ધીમે ધીમે સાપના ઝેર સાથે પ્રતિકારશક્તિનો વિકાસ કરે પરંતુ આ પ્રયોગમાં કેટલાક લોકો મૃત્યુ પામતા હતાં. બળિયાના કિસ્સામાં મૃત્યુ પામનારની સંખ્યા નહિવત્ હતી પરિણામે આ પ્રયોગ સફળ થયો.

 કોઈપણ રસી કે વેક્સિનને તૈયાર કરવાનો હેતુ એ હોય છે કે શરીરની અંદર એન્ટીબોડી તૈયાર કરવી.પેથજેન્સને લઈને શરીરની અંદર પ્રવેશ કરવા માટે ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.કોઈપણ વાઈરસ કે બેક્ટેરિયાનો નાનો અને નિષ્ક્રિય કરેલ જથ્થાને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. જેની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ યુધ્ધે ચડે છે અને તેમનો નાશ કરે છે. તે દરમિયાન જે તે પેથોજેન્સ સાથે લડવા શરીરના આંતરિક ભાગમાં એક પ્રકારના પ્રોટિન્સ જેને એન્ટીબોડી કહે છે તેનું નિર્માણ થાય છે.જે કાયમી તે પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા સાથે લડવા સક્ષમ હોય છે અને પરિણામે વ્યક્તિ સ્વસ્થ બને છે.

 બીજી એક પદ્ધતિ એ પણ છે કે જેમાં કોઈ પ્રાણીની અંદર રહેલ એન્ટીબોડી લઈ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે અને દર્દી સ્વસ્થ થાય છે,પરંતુ તે કાયમી અસર કરતું નથી.માટે તેને પેસિવ એન્ટીબોડી કહે છે.વેક્સિનને એક્ટિવ એન્ટીબોડી કહે છે, જે વધુ યોગ્ય અને કાયમી રોગ નિવારક હોય છે. 

Process of vaccination:

  દરેક વેક્સિન બનાવતી કંપનીની વેક્સિન તૈયાર કરવાની પદ્ધતિ આમ તો અલગ અલગ જ હોય છે,પરંતુ દરેક કંમ્પની સામાન્ય તબક્કાવાર પધ્ધતિને ચોક્કસ સ્વરૂપે અનુસરતી હોય છે. 

Step 1 : Production 

  આ તબક્કામાં કોઈપણ વાઈરસ કે બેક્ટેરિયાને ઉગાડવામાં અથવા તેનું પાલન કરવામાં આવતું હોય છે. જેમાં તેમનું એસિડિક લેવલ એટલે કે Ph. લેવલ,તાપમાન લેવલ ઓક્સિજન લેવલ દરેકનું ધ્યાન રાખવું પડતું હોય છે.જો કોઈ કારણસર ભૂલ જણાય તો સમગ્ર જથ્થાને ફેકવું પડે છે.

Step 2: Purification 

  તૈયાર થયેલ પેથોજેન્સ માંથી અશુદ્ધિ દૂર કરવામાં આવે છે અને બેક્ટેરિયાને વધુ સુદૃઢ બનાવવામાં આવે છે.

Step 3: Inactivation

  વિકસિત પામેલ પેથોજેન્સને  એક લેવલ સુધી નિષ્ક્રિય કરવામાં આવે છે પરંતુ તે માનવ શરીરમાં જાય ત્યારે રિએક્શન ઉત્પન્ન કરી શકે તેવી સ્થિતિમાં રાખવામાં આવે છે જેને વેલેન્સ કહે છે.

Step 4: formulation

   એક વેક્સિન એક અથવા એકથી વધુ પ્રકારના પેથોજેન્સથી બચાવી શકે છે. જે વેલેન્સ પર આધાર રાખે છે.અલગ અલગ રોગ સામે રક્ષણ આપતી વેક્સિનને મિશ્ર કરવું તે સામાન્ય ઘટના નથી હોતી. તેમાં વૈજ્ઞાનિકોને વર્ષો લાગે છે અને હજારો પરીક્ષણો કરવા પડે છે. ઉદાહરણ તરીકે ડી.પી.ટી રસી ત્રણ પ્રકારના રોગ સામે રક્ષણ કરે છે. અહીં એકબીજા સાથે રિએક્શન ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવે છે.

Step 5: Stabilization

  તૈયાર થયેલ વેક્સિનને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની હોવાથી તેમને ખાસ પ્રકારના ટેમ્પરેચર કંટ્રોલ કંટેન્ડરથી લઇ જવામાં આવે છે.તેમની સાથે સાથે કંપનીની અંદર એક ટેમ્પરેચર ટ્રેકિંગ ડિવાઇસ પર મૂકે છે. જ્યાં સુધી જથ્થો જે તે જગ્યાએ પહોંચી ન જાય ત્યાં સુધી તેમનું સંપૂર્ણ અવલોકલ થતું હોય છે. તેમને ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાને જાળવી રખાય છે.જો કોઈ કારણસર વેક્સિનમાં ભૂલ જોવાય તો સંપૂર્ણ જથ્થાને જ નાબૂદ કરવો પડતો હોય છે. તૈયાર થયેલ વેક્સિન ઉપર પણ ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ટેસ્ટ હોય છે. 
 એક સામાન્ય ડીશમાં ઉત્પન્ન થયેલા જીવાણુમાંથી કંપની મિલિયન્સમાં તેનું ઉત્પાદન કરતી હોય છે.જે ખૂબ નફો કરાવનાર સાબિત થતું હોય છે.
   અમુક વેક્સિનને પાઉડર સ્વરૂપે રાખવામાં આવે છે. તેને ફ્રીઝ ડ્રાય કરવામાં આવે છે.આ પ્રકારની
vaccine information
વેક્સિન ત્યારે કામ આવે છે જ્યારે કોઈ પ્રકારનું એપિડેમિક કે પેન્ડેમિક ફેલાઈ જાય છે. આ શુષ્ક સ્વરૂપે રાખેલ પાવડરને ઘણા સમય સુધી હોસ્પિટલમાં રાખી શકાય છે અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય છે. તેમાં ફ્રીઝ દ્રાઇસ સાથે ડાઈલ્યુટ મેળવીને તૈયાર કરવામાં આવે છે અને લેબોરેટરીમાં પરિક્ષણ કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  રસીની અસરકારકતાની પણ ચકાસણી કરવામાં આવે છે.જેમાં નીચે મુજબના સવાલોનું પરીક્ષણ કરવામાં આવે છે.


1) શું ઉમેદવારની રસી રોગને અટકાવે છે? 

2) શું તે રોગકારક ચેપને અટકાવે છે?

3)શું તે એન્ટિબોડીઝ અથવા પેથોજેન સંબંધિત અન્ય પ્રકારની રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓનું ઉત્પાદન તરફ દોરી જાય છે?

ત્યાર પછી આગળનાં પગલાંમાં  મંજૂરી અને લાઇસન્સર મેળવવું પડતું હોય છે.સફળ ત્રીજા તબક્કાની અજમાયશ પછી,રસી વિકાસકર્તા એફડીએને (

Food and Drug Administration)

બાયોલોજિક લાઇસન્સ એપ્લિકેશન સબમિટ કરશે.ત્યારબાદ એફડીએ ફેક્ટરીનું નિરીક્ષણ કરશે જ્યાં રસી બનાવવામાં આવશે અને રસીના લેબલિંગને મંજૂરી આપવી.

  લાઇસન્સ પ્રાપ્ત કર્યા પછી, એફડીએ રસીના ઉત્પાદન પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે,જેમાં સુવિધાઓનું નિરીક્ષણ કરવું અને શક્તિ, સલામતી અને શુદ્ધતા માટે ઉત્પાદકોની ઘણી બધી રસીના પરીક્ષણોની સમીક્ષા કરવી.એફડીએ પાસે ઉત્પાદકોની રસીનું પોતાનું પરીક્ષણ કરવાનો અધિકાર છે.

નિષ્કર્ષમાં
  રસીઓ વિકસિત કરવામાં આવે છે,પરીક્ષણ કરવામાં આવે છે અને અન્ય દવાઓ જેવી જ નિયંત્રિત કરવામાં આવે છે. સામાન્ય રીતે,રસી બિન-રસી દવાઓ કરતાં પણ વધુ સારી રીતે પરીક્ષણ કરવામાં આવે છે કારણ કે રસી ક્લિનિકલ ટ્રાયલ્સમાં માનવ વિષયોની સંખ્યા સામાન્ય રીતે વધારે હોય છે.આ ઉપરાંત,રોગ નિયંત્રણ માટેના કેન્દ્રો અને એફડીએ દ્વારા રસીઓના પોસ્ટ-લાઇસન્સર મોનિટરિંગની નજીકથી તપાસ કરવામાં આવે છે.

પ્રથમ પગલાં: પ્રયોગશાળા અને પશુ અભ્યાસ
એક્સ્પ્લોરેટરી સ્ટેજ
  આ તબક્કે મૂળભૂત પ્રયોગશાળા સંશોધન શામેલ છે અને ઘણીવાર 2-4 વર્ષ ચાલે છે.સંઘીય રીતે નાણાં પૂરા પાડવામાં આવતા શૈક્ષણિક અને કુદરતી અથવા કૃત્રિમ એન્ટિજેન્સ ઓળખે છે.જે રોગને રોકવા અથવા તેની સારવાર કરવામાં મદદ કરી શકે છે.આ એન્ટિજેન્સમાં વાયરસ જેવા કણો,નબળા વાયરસ અથવા બેક્ટેરિયા,નબળા બેક્ટેરિયાના ઝેર અથવા પેથોજેન્સમાંથી લેવામાં આવતા અન્ય પદાર્થો શામેલ હોઈ શકે છે.

ગુણવત્તા નિયંત્રણ:
  ક્લિનિકલ વિકાસ એ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે.  પ્રથમ તબક્કા દરમિયાન, લોકોના નાના જૂથો ટ્રાયલ રસી મેળવે છે.  બીજા તબક્કામાં, ક્લિનિકલ અભ્યાસ વિસ્તૃત કરવામાં આવે છે અને રસી એવા લોકોને આપવામાં આવે છે જેમની લાક્ષણિકતાઓ છે (જેમ કે વય અને શારીરિક આરોગ્ય) જેમની પાસે નવી રસીનો હેતુ છે.ત્રીજા તબક્કામાં, રસી હજારો લોકોને આપવામાં આવે છે અને અસરકારકતા અને સલામતી માટે પરીક્ષણ કરવામાં આવે છે.
  આમ,વેક્સિન સોધવાની એક ચોક્કસ પધ્ધતિ હોય છે.તેને સોધવામાં લાગતો સમય કોઈ ચોક્કસ હોતો નથી.કેટલીક વેક્સિનને બનાવતા બે માહિ તો કેટલીક બે વર્ષે કે તેથી વધુ પણ સમય લાગી શકે છે.વેક્સિન શોધવાનો ઇતિહાસ આમ તો ઘણો લાંબો છે પરંતુ આ સોધમાં વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી કાર્ય કર્યું છે અને કરવું પડશે કારણ કે પ્રકૃતિ જ્યારે પરિક્ષા લેવાનું નક્કી કરેછે ત્યારે સમગ્ર જ્ઞાન બાજુ એ રહી જતું હોય છે  અને તથ્ય કઈ નવુ જ નીકળતું હોય છે.પરીક્ષા લેવી કુદરતની હાથની વસ્તુ  છે પણ આપણે પ્રયત્ન ચાલુ રાખવા પડસે તે નક્કી છે. 
                                                                                          
                                                                                                                            જૈમીન જોષી.

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...