Sunday, May 30, 2021

ભીલ જાતિ (Bhil caste)

  • આદિવાસીની 29 જાતિમાંની એક જાતિ :-

 

bhil image

   ત્રેતાયુગ એટલે કે રામાયણકાળથી જાણીતી થયેલી આ જાતિ વર્ષો પછી પણ દરેક જગ્યાએ વસવાટ કરતી જોવાં મળે છે. તેને કોઇ એ સાંભળી નહીં હોય કે જોઈ નહીં હોય તેવું ભાગ્યેજ બની શકે. આમ જોવા જઈએ તો લોકવાણીમાં 'ભીલ' જાતિ અમર થઈ ગઈ છે. ભગવાન શ્રી રામ જયારે અયોધ્યા છોડીને વનવાસી બન્યાં હતાં ત્યારે આ જ્ઞાતિ એ તેમને આવકાર્યા હતાં.  રામજી જ્યારે સીતા માતાની  શોધમાં દક્ષિણ ભારત તરફ જતાં પ્રવાસ કાપતા હતાં ત્યાં કર્ણાટકના હમ્પી નજીક કોપપાલ જિલ્લામાં એક તળાવ છે જેને પમ્પા સરોવર તરીકે ઓળખાય છે. તુંગાભદ્ર નદીની દક્ષિણ તરફ તે આવેલું છે. તેને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે અને તે ભારતના પાંચ પવિત્ર સરોવર અથવા તળાવોમાંનું એક છે. હિંદુ ધર્મગ્રંથોમાં પમ્પા સરોવરને તે સ્થાન તરીકે ગણવામાં આવે છે જ્યાં શિવના સાથી પાર્વતીના એક સ્વરૂપ પમ્પાએ શિવ પ્રત્યેની ભક્તિ દર્શાવવા માટે તપશ્ચર્યા કરી હતી. તો ત્યાં બીજી બાજુ તેનો ઉલ્લેખ હિંદુ મહાકાવ્ય રામાયણમાં તે સ્થાન તરીકે થયો છે જ્યાં શબરી રામના ભક્ત રામના આગમનની રાહ જોતા હતા. શબરી ‘ ભીલડીનાં એઠાં બોર રામજીએ ખાધાં ’ એ વિષય પર તો કંઈ કેટલાંય કથાકાવ્ય, ભજનો અને ગીતો રચાઈ ગયાં.

bhil of gujarat
https://www.flickr.com/photos/141515516@N07/with/49692751471/


   ભીલ એટલે જંગલમાં વસનારી જૂનામાં જૂની જાતિ. જંગલમાં વસવાટ કરતી જાતિને એમ તો આદિવાસી તરીકે ઓળખાય છે પરંતુ તેમાં જે પ્રકારો કે પેટાજ્ઞાતિ હોય છે તેમાની આ એક છે. ઈતિહાસમાં એક સમયે સમાજમાં આદર અને સન્માન ભર્યું સ્થાન ભોગવતી કેટલીયે જાતિઓએ  સમય બદલાતાં પછાતપણામાં સ્થાન પ્રાપ્ત કર્યું. એ જ રીતે કાળક્રમે ભીલ જાતિનો પણ સમાવેશ તેમાં મહદઅંશે થયેલ ખરો. 21 મી સદીમાં આજે ભીલ જાતિ જંગલમાં રહેનારી, તીરકામઠાં રાખનારી, ચોરી, હત્યા અને લૂંટફાટના ધંધામાં પડેલી જાતિ તરીકે ઓળખાય છે. પરાપૂર્વથી તીરકામઠાં એ તેમનું મુખ્ય શસ્ત્ર છે. ભીલોની મોટી વસ્તી આજે પંચમહાલમાં, દાહોદ અને ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર વગેરે જીલ્લામાં વધુ છે . ગાઢ જંગલમાં રહેનારીએ જાતિ હવે સમૂહમાં ગામડાંની સાથે રહેતી થઈ ગઈ છે. ભીલો એ કેટલાક વિસ્તારો આવરી લીધાં છે અને ત્યાં તે  મજૂરી પણ કરે છે. છતાં હજી આજના યુગમાં પણ ભીલ પ્રજા પાસે તીર કામઠાં રહ્યાં છે. તીરકામઠાં ચલાવવાની એમની કુશળતા પણ હજી એવી જ છે. ભીલ જાતિમાં કેટલાક ભેદ અને રીતો પણ છે. સામાન્ય રીતે ભીલો તેમના જંગલવાસને કારણે રંગે કાળા હોય છે, પરંતુ તેમનો એક આખો સમૂહ ઘઉંવર્ણ તથા હવે તો સફેદ ચામડી પણ ધરાવે છે. ખાસ કરીને પુરુષ કરતાં સ્ત્રીઓ વધુ સુંદર અને સુડોળ હોય છે. તેમની ચાલ કઠોર પણ કમર લચીલી હોય છે. તે લોકો પોતાને પટેલિયા તરીકે ઓળખાવે છે. ભીલ એક ખાનદાની જાતિ છે. રાજા રામચંદ્રથી ૨જપૂતીનો ઇતિહાસ સર્જનાર રાણા પ્રતાપ સુધીના સૌને ભીલોએ સહાય કરી હતી. ભીલો ભીના વાનના, સામાન્યતઃ બે એક મીટરની ઊંચાઈ ધરાવતા આકર્ષક ચહેરાવાળા હોય છે. દેખાવે લાંબુ કપાળ, પહોળાં જડબાં, અણિયાળું નાક અને પાતળા હોઠવાળું તેમનું વ્યક્તિત્વ તેમને અન્ય આદિવાસીઓથી જુદા પાડે છે. ભીલ નારીઓ સુડોળ અને આકર્ષક હોય તેમનામાં એક પ્રકારની આગવી હિંમત અને ખુમારી હોય છે.  તેઓના અલગ ઢંગના પ્રાદેશિક નૃત્ય અને ગીતો પણ હોય છે. ડુંગરો અને જંગલીના નિરુદ્યમી વસવાટથી કોઠે પડી ગયેલી ગરીબી તેમના જીવનમાં સહજ બને છે. ભીલો કંદમૂળ , મકાઈ, બંટી, કોદરા, નાગલી વગેરેની આછી પાતળી ખેતી ઉપર તો ક્યારેક  મરઘા - બતકાંના માંસ ઉપર જીવન ગુજારે છે. ડાંગ જિલ્લામાં પાણીની અછતને કારણે ઓછી ખેત - પેદાશ પર આખું વરસ ખેંચે. દુકાળના સમયમાં બે ટંક ખાવાના સાસા  પડી જાય ત્યારે આસપાસનાં ઉજળિયાત ગામો પર તીડની જેમ ત્રાટકી પડતાં  હોય છે આમ , કુદરતના કોપને આધીન ચોરી - લૂંટફાટનો તેમનો એક બીજો વ્યવસાય બની ગયો.


bhil cast
https://www.flickr.com/photos/141515516@N07/49692751471/


   દાહોદ, પંચમહાલ , છોટાઉદેપર, રાજપીપળાના ઉજળિયાત વિસ્તારમાં ભીલોના આવી. હુમલાની દહેશત રહ્યા કરે છે. આવા પ્રસંગે જેલમાં જનારા ભીલોનાં કુટુંબોની સંભાળ ગામ રાખે. આમ અનાયાસે ભીલોનું ખમીર ગુનેગારી જીવન તરફ ફંટાઈ ગયું. ગુજરાતના આદિવાસીઓની 29 જાતિઓ છે. તેમાં સૌથી મોટી જાતિ ભીલ છે. ભીલોની બોલીમાં એકંદરે ગુજરાતી ભાષાનાં સર્વસામાન્ય લક્ષણો છે. ભીલોનાં ગામ છૂટાંછવાયાં હોય છે. તેમનાં ઝૂંપડાં વાંસ, વળી, સરાંડી અને ઘાસપાનનાં બનેલાં હોય છે. રાજપીપળા વિસ્તારમાં તેમની વસ્તી ગીચ છે. ભીલ પુરુષો કેડે લંગોટ, ખભે પછેડી અને માથે ફાળિયું પહેરે છે. ફાળિયામાં એના લાંબા વાળનો ચોટલો હોય છે. એમાં કાંસકી, કાચનો ટુકડો અને ચકમક હોય છે. ભીલ સ્ત્રી આગળથી સહેજ ચીરેલો લાલ પીળો ચણિયો પહેરે છે. એના છેડા પાછળ બાંધે છે . ભીટા, ટાગભગ ઉઘાડાં જ હોય છે. પાંચ વર્ષ થયા પછી છોકરી ઘાઘરી પહેરે છે. ભીલો ઘરેણાંના શોખીન હોય છે . ઘરેણાં પિત્તળ, ચાંદી, કથીર કે કીડિયાનાં હોય છે. સારી સ્થિતિના પુરુષો કાંડે કલ્લી , બાવડે કડું ને કેડે કંદોરો પહેરે છે, સ્ત્રીઓ પગની આંગળીઓએ વીંછિયા, પગમાં તોડા , કાંડે ચૂડી, બલોયાં કે બંગડી પહેરે છે. ગળામાં માળા ને કાનમાં લોળિયાં પહેરે છે. ભીલોના તહેવારોમાં હોળી , દિવાળી ને અખાત્રીજ મુખ્ય છે. ભીલોમાં દેવદેવીઓના પાર નથી પણ રામજી અને હનુમાનજીના ખાસ ભક્ત હોય છે. બલી પ્રથા પણ તેમનામાં હજુ ચાલતી આવી છે. માતાઓની અણઘડ પ્રતિમાઓ ગામના પાદરે ઝાડ નીચે કે ડુંગરની ટોચે હોય છે. પંચમહાલમાં 1922 માં ઠક્કરબાપાએ ‘ ભીલ સેવા મંડળ ’ સ્થાપ્યુ હતું.  આમ, ક્યાક મજબૂર તો ક્યાક હિંસક અને મજૂરીયાત વર્ગ તરીકે જાણીતી આ જાતિ અગરમાં આગરા કાર્ય સ્વબળે પૂર્ણ કરતી હોય છે. 


                                                                                                                                      જૈમિન જોષી.

   

Sunday, May 23, 2021

ધર્મ અને વિજ્ઞાન (Religion and science)

 

  • ધર્મ અને અને વિજ્ઞાન આ બંનેનો ક્યારેય નાશ થતો નથી, તે સદાકાળથી એકબીજામાં અટવાતાં રહ્યાં છે:-


Religion and science


   ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો લાગે છે કારણ કે ધર્મ માન્યતા ઉપર ટકેલ છે, જ્યારે વિજ્ઞાન પ્રયોગ ઉપર. કેટલીક બાબતોને અનુસરીએ કે તેની પદ્ધતિ પ્રમાણે વ્યવહાર તથા અમુક ફાળવેલ નિયમોનું પાલન કરીએ તો આપણે કોઈ ચોક્કસ ધર્મનું પાલન કર્યું તેમ કહેવાય છે. ધર્મ આપણને બંધનમાં રાખે છે જ્યારે વિજ્ઞાન આપણને તમામ પ્રકારના અનુભવો કરવાની છૂટ આપે છે. આમ જોવા જઈએ તો ધાર્મિકતા અલગ અલગ વિભાગમાં વહેંચાયેલી છે. તેનું જતન કરતાં હિંસાત્મક કાર્યો પણ થતાં આવ્યા છે. વિજ્ઞાનમાં ઇચ્છવા છતાં કેટલાક અકસ્માતોનો સામનો કરવો પડે છે. પરિણામે પ્રયોગશાસ્ત્રીને અજાણતા જ ભોગ આપવા પડતાં હોય છે પછી તે સમય, સામાજિક જીવન, વ્યાવહારિક જીવન, માન-સન્માન, પ્રતિષ્ઠા, મોભો કે પછી જીવ પણ કેમ ન હોય. 

   સત્યતા એ છે કે ધર્મ અને વિજ્ઞાન તે બંને ક્યારે એકબીજાના પ્રતિસ્પર્ધી રહ્યા નથી. ધર્મ ક્યારેય બંધન કરતાં ન હોય પરંતુ તેનું આચરણ આપણને ચોક્કસ બંધનમાં મૂકી દેતું હોય છે. ધર્મ અને વિજ્ઞાન બંને જીવનના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણેય કાળને આવરી લે છે અથવા માનવ તેને સ્વીકાર્યા વગર છટકી શકતો નથી.  કોઈ પણ વ્યક્તિએ ધર્મનું પાલન ન કર્યું હોય  કે વિજ્ઞાનનો ઉપયોગ ન કર્યો હોય તેવું અશક્ય છે.  જે લોકો પોતાને ધાર્મિક વૃત્તિ થી દૂર રાખે છે કે પોતાને નાસ્તિક કહે છે. તેમને પોતાના કર્તવ્ય કે કોઈ મનપસંદ કાર્યને જ પોતાનો ધર્મ બનાવી કે માની લીધો હોય છે.  આમ, તેમના જીવનમાં ધર્મ તો છે જ. પદ્ધતિ બદલાતા વિષય બદલાય તેમ ધર્મ પણ બદલી શકાય છે. આપણને કયો ધર્મ અનુકૂળ છે તે આપણને સ્વયં નક્કી કરવાની છૂટ પણ  મળે છે માટે જ આપણા દેશમાં ધર્મ પરિવર્તન વૈકલ્પિક સ્વરૂપે હમેશાં રહ્યો છે. વિજ્ઞાન આપણને કોઈ વિકલ્પ આવતું નથી. અહીં વિજ્ઞાન વિષયને લગતી કોઈ વાત નથી. વિજ્ઞાનનાં પેટાવિભાગોનો આપણે અભ્યાસ કરીએ ત્યારે તેને ઉપયોગમાં લઈ શકીએ પરંતુ જે વિજ્ઞાનને આપણે રોજબરોજમાં ઉપયોગ કરતા હોઈએ તેના વિશે તો આપણને કદાચ જ્ઞાત પણ ન હોય તેવું બને. સવારે ધરતી પર પગ મૂકવાથી માંડીને સાંજે પથારીમાં શરીરને મુક્ત છોડી દેવા વચ્ચે સુધીની તમામ ઘટનાઓ વિજ્ઞાન પર આધાર રાખે છે. આપણને ઉપયોગી પ્રત્યેક વસ્તુમાં વિજ્ઞાન છે. આપણે પથારીમાં ઊંગી ગયાં હોય એ તે દરમિયાન આપણાં શરીરમાં જ કેટકેટલી રસાયણિક પ્રક્ર્તિયાઓ થઈ જતી હોય છે તેનાથી આપણે સૌ પરિચિત તો છીએજ.
 
   ધર્મ અને વિજ્ઞાન બંનેની કેળવણી માટે અધ્યાપક જરૂરી છે. માણસ જન્મ પછી કયા ધર્મની કેળવણી પ્રાપ્ત કરે છે  તે પરિવાર આધારિત હોય છે. જ્યારે તે પોતાના નિર્ણય લઈ શકવાની ઉંમરે આવે છે ત્યારે તે કયો ધર્મ અપનાવવા માગે છે તે નિર્ણય કરવાં માટે હમેશાં તે સ્વતંત્ર છે પણ સમાજ તેને બંધનમાં બાંધી રાખે છે. અનાથનો કોઈ ધર્મ નથી હોતો. તેને તો પોતે કોનું સંતાન છે તે જ ખ્યાલ ન હોય તો ધર્મની તો વાત જ ક્યાં કરવી. પેટની અગ્નિ સામે ધર્મ હંમેશા હારતો આવ્યો છે. સાચો ધર્મ સત્ય અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત હોય છે.ધાર્મિક વૃત્તિ ધરાવતો માણસ ધાર્મિક ક્રિયા કરે તે સહજ છે પરંતુ દરેક ધર્મ મહદ અંશે તો વિજ્ઞાનને અનુસરે છે. કોઈપણ કર્મકાંડ, ક્રિયાકાંડ કે વિધિઓ છેલ્લે તો વિજ્ઞાનને જ આધારિત હોય છે. જેના વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યાં છે.

   શિક્ષણ પ્રેમીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવવા છતાં પણ નાસ્તિક થતાં નથી. જેમ જેમ આપણે ઉચ્ચ કક્ષાના જ્ઞાનને સમજતાં જઈએ ત્યારે સમજાય છે કે આપણે તો ઇશ્વર સામે સૂક્ષ્મ છીએ. કોઈ તો ઉર્જા  છે જે  સૃષ્ટિનું પાલન પોષણ કરે છે. ત્યાં દલીલ રૂપે ધર્મને ન લાવી શકાય. ઉદાહરણ તરીકે તબીબને ઈશ્વરનું સ્વરૂપ માનવમાં આવે છે પણ ઉચ્ચ કક્ષાના તબીબ પણ દર્દીની સારવાર કરતા ઈશ્વરનું નામ લેતાં કે ઈશ્વરનો આભાર માનતા જોવા મળે છે. કોઇ દર્દી ઉપર જ્યારે દવા અસર ન કરે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરો કે જે જલદી સાજા થઈ જાય કે હવે બધુ ઈશ્વરના હાથમાં છે તે વાક્ય બોલતા પણ સાંભળ્યા છે. તો બીજી બાજુ વૈજ્ઞાનિક રીતે અશક્ય ચમત્કારો પણ આપણને આ ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે છે. ત્યારે કોઈ પણ ધર્મના તબીબ ભલે તે પોતાને નાસ્તિક પણ કેમ ન જણાવતાં હોય છતાં તે માને છે કે કંઈક તો ઊર્જા છે જે નિયમનનું કાર્ય કરે છે.

   વિજ્ઞાન ધર્મની બાબતમાં સાબિતી કે વ્યાખ્યા આપતું નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ તો ધર્મ હોવો જ ન જોઇએ અને તેના હોવા ન હોવાથી કોઈ ફર્ક પણ પડતો નથી. ધર્મ વિજ્ઞાનનાં મૂલ્યને સ્વીકારી શકે પરંતુ વિજ્ઞાન હંમેશા ધર્મની અવગણના જ કરતો આવ્યો છે. વિજ્ઞાન અને ધર્મ બંનેના કાર્યો અલગ અલગ છે છતાં મહદઅંશે તે એક બીજા સાથે જોડાયેલાં હોય છે. ધર્મ અને વિજ્ઞાન આ બે તેવા પહેલુઓ છે જેને સૃષ્ટિને સંતુલનમાં રાખી છે. 

   સાચો ધર્મ માણસને અંધશ્રદ્ધાળુ, અંધવિશ્વાસુ, કમજોર, હતાશ, નિરાશ ક્યારેય ન બનાવે. આપણે સૌ ધર્મની વ્યાખ્યા ને સમજ્યા જ નથી. ધર્મનો પૂછડું પકડીને માત્ર અનન્ય પ્રવાસે નીકળી પડીએ છીએ. ધર્મના નામે માત્ર બાહ્ય દેખાવ કરી આંતરિક રીતે સ્વમૂલ્યોને પૂર્ણ કરીએ છીએ. સાચો ધર્મ માણસને ક્યારેય નબળો બનાવતો નથી. સાચા સંત, ફકીર કે ફાધર ક્યારે માણસાઈ વિરોધી ન હોઈ શકે. સાચાં ધર્મગુરુ પાસે તો અન્ય કરતાં વધુ કરુણા હોય છે. આપણે સાચું ધાર્મિક શિક્ષણ મેળવ્યું હશે તો તેનો માત્ર એક મંત્ર ''સર્વ ધર્મ સમભાવ'' છે છતાં આપણે માનવીય વૃત્તિઓને જે ધર્મની છબિ ધારી આજ સાચો ધર્મ તેમ માની બેઠાં હોઈએ તો આપણે આપણી પૂર્વધારણાઓ ઉપર વધુ ચિંતન કરવાની જરૂર છે



                                                                                                                                         જૈમીન જોષી.




Sunday, May 16, 2021

મ્યુકોર્માયકોસિસ ( Mucormycosis ) :-

  •  પૃથ્વીમાં માનવ ઉપરાંત એવા કેટલાય પ્રજીવો છે જે ક્યારેક ક્યારેક પોતાની હાજરી બતાવી બેસે છે:-

mucormycosis image
Mucormycosis


   મ્યુકોર્માઇકોસિસ (જેને અગાઉ ઝાયગોમિકોસિસ કહેવામાં આવે છે) એ એક ગંભીર પરંતુ દુર્લભ ફંગલ ચેપ છે. જે મ્યુકોર્માસાયટ્સ નામના મોલ્ડના જૂથને કારણે થાય છે. આ એક પ્રકારની ફૂગ આખા પર્યાવરણમાં જીવે છે. મ્યુકોર્માઇકોસિસ મુખ્યત્વે એવા લોકોને અસર કરે છે જેમની પાસે સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અથવા નિયમિત રૂપે તેવી દવાઓ લે છે જે શરીરની જંતુઓ અને માંદગી સામે લડવાની ક્ષમતાને ઓછી કરે છે. તે હવામાં ફંગલ બીજને શ્વાસ લીધા પછી સામાન્ય રીતે સાઇનસ અથવા ફેફસાંને અસર કરે છે. તે કટ, બર્ન અથવા ત્વચાની અન્ય પ્રકારની ઈજા પછી પણ ત્વચા પર થઈ શકે છે.

   મ્યુકોર્માયકોસિસ આમ તો ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. તે એક ચેપ છે. તે મ્યુકોર મોલ્ડના સંપર્કને કારણે થાય છે. જે સામાન્ય રીતે માટી, છોડ, ખાતર અને સડો કરતા ફળો અને શાકભાજીમાં જોવા મળે છે. "તે સર્વવ્યાપક છે. તદુપરાંત માટી, હવા અને તંદુરસ્ત લોકોના નાકમાં અને લાળમાં પણ જોવા મળે છે. માનવદેહમાં તે સાઇનસ, મગજ અને ફેફસાને અસર કરે છે તથા ડાયાબિટીસ અથવા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં વ્યક્તિઓ જેવા કે કેન્સરના દર્દીઓ અથવા એચ.આય.વી / એડ્સવાળા લોકોમાં જીવલેણ બની શકે છે.

   વર્તમાન પરિસ્થિમાં કોરોનાના વધુ કેસ જોવા મળી રહ્યાં છે, જેની હાલમાં કોઈ ચોક્કસ દવા નથી. તબીબી તેમની મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારાં પરીક્ષણ કરી કેટલીક દવાઓ કરે છે. અહી  તે જાણવું પણ જરૂરી છે કે અત્યારે કોઈ દવા ચોક્કસ રૂપે અસરકારક નિવડશે તેવું કહી શકાય નહીં. કોરોનાની દવા લીધા પછી દર્દીઓમાં અનેક આડઅસર પણ જોવા મળે છે. બીજી બાજુ દવાઓ શરીરમાં અન્ય રોગને આમંત્રણ આપવાનું કામ કરે છે. રેમડેસિવીર જેવા ઈંજકસન આપવાથી શરીરમાં સર્કરાનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સારવાર રૂપે ઉપયોગમાં લેવાતી દવામાં સ્ટીરોઈડ્સનો ઉપયોગ પણ થાય છે. તો બીજી બાજુ આ રોગ દર્દીની રોગ પ્રતિકારક ક્ષમતામાં ખૂબ ઘટાડો કરે છે. મેડિકલ ક્ષેત્રમાં નિષ્ણાત તબીબીઓ માને છે કે મ્યુકોર્માયકોસિસમાં એકંદર રીતે મૃત્યુ દર 50% છે, તે સ્ટીરોઇડ્સના ઉપયોગથી ઉત્તેજિત થઈ શકે છે, પરંતુ ગંભીર રીતે બીમાર કોવિડ -19 દર્દીઓ માટે સ્ટીરોઈડ્સ જીવનરક્ષક સારવાર છે.

   સ્ટીરોઇડ્સ કોવિડ -19 માટે ફેફસામાં બળતરા ઘટાડે છે અને જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ કોરોનાવાયરસ સામે લડવા માટે ઓવરડ્રાઇવમાં જાય છે ત્યારે થતા કેટલાક નુકસાનને રોકવામાં મદદ કરે છે. પરંતુ તેઓ પ્રતિરક્ષા ઘટાડે છે અને ડાયાબિટીઝ અને નન ડાયાબિટીઝ કોવિડ -19 દર્દીઓ બંનેમાં બ્લડ સુગરનું સ્તરને દબાણ કરે છે. એવું માનવામાં આવે છે કે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો એ મ્યુકોર્માયકોસિસના આ કિસ્સાઓને ઉત્તેજીત કરી શકે છે.

   "ડાયાબિટીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછું કરે છે,  કોરોનાવાયરસ તેને વધારે છે અને તે પછી સ્ટીરોઇડ્સ જે કોવિડ -19 સામે લડવામાં મદદ કરે છે તે આગને બળતણ આપવા જેવુ કામ કરે છે.

   ડિસેમ્બર અને ફેબ્રુઆરીની વચ્ચે  પાંચ શહેરોમાં મુંબઈ,  બેંગ્લોર,  હૈદરાબાદ,  દિલ્હી અને પુણેમાં આ ચેપના 58 કેસ નોંધાવ્યા હતા. કોવિડ -19 માંથી પુન રિકવરી પ્રાપ્તિ પછી 12 થી 15 દિવસની વચ્ચે મોટાભાગના દર્દીઓએ તેનો કરાર કર્યો હતો.

 મ્યુકોર્માયકોસિસના પ્રકારો (Types of mucormycosis):­­-

1) રહીનોસીરેબ્રલ (સાઇનસ અને મગજ) મ્યુકોર્માયકોસિસ:- સાઇનસમાં એક ચેપ છે જે મગજમાં ફેલાય છે. મ્યુકોર્માયકોસિસનું આ સ્વરૂપ અનિયંત્રિત ડાયાબિટીસવાળા લોકોમાં અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા લોકોમાં સૌથી સામાન્ય છે.

2) પલ્મોનરી (ફેફસાં) મ્યુકોર્માઇકોસિસ:- કેન્સરવાળા લોકોમાં અને શરીર અંગમાં ટ્રાન્સપ્લાન્ટ અથવા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરનારા લોકોમાં મ્યુકોર્માઇકોસિસનો સૌથી સામાન્ય પ્રકાર છે.

3) ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ મ્યુકોર્માઇકોસિસ:- પુખ્ત વયના લોકોમાં સામાન્ય છે, ખાસ કરીને અધૂરા માસે  અને ઓછા વજનવાળા જન્મેલ શિશુઓમાં. જેમને એન્ટિબાયોટિક્સ, શસ્ત્રક્રિયા અથવા દવાઓ લેતાં શરીરમાં, જેમાં જંતુઓ અને માંદગી સામે લડવાની ક્ષમતાને ઘટેલ હોય છે.

4) ક્યુટેનીયસ (ત્વચા) મ્યુકોર્માયકોસિસ:-આ છિદ્રિત ત્વચા દ્વારા ફૂગ શરીરમાં પ્રવેશ્યા પછી થાય છે (ઉદાહરણ તરીકે, શસ્ત્રક્રિયા પછી, બર્ન અથવા અન્ય પ્રકારની ત્વચાના આઘાત). જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી ન હોય તેવા લોકોમાં મ્યુકોર્માયકોસિસનું આ સૌથી સામાન્ય સ્વરૂપ છે.

5) ડિસેમિનાટેડ મ્યુકોર્માઇકોસિસ:-  જ્યારે ચેપ લોહીના પ્રવાહમાં ફેલાય છે ત્યારે શરીરના બીજા ભાગને અસર કરે છે ત્યારે મ્યુકોર્માઇકોસિસ થાય છે. ચેપ સામાન્ય રીતે મગજને અસર કરે છે, પરંતુ બરોળ, હૃદય અને ત્વચા જેવા અન્ય અવયવોને પણ અસર કરી શકે છે.

mucormycosis


 મ્યુકોર્માયકોસિસના લક્ષણો(Symptoms of Mucormycosis):-

   મ્યુકોર્માયકોસિસના લક્ષણો શરીર પર ફૂગ ક્યાં વધે છે તેના પર નિર્ભર છે.

1)  રહીનોસીરેબ્રલ (સાઇનસ અને મગજ) મ્યુકોર્માયકોસિસનાં લક્ષણો:-

  • એકતરફી ચહેરા પર સોજો
  • માથાનો દુખાવો
  • અનુનાસિક અથવા સાઇનસ ભીડ
  • અનુનાસિક પુલ અથવા મોઢાનાં ઉપરના ભાગ પર કાળા જખમ કે જે ઝડપથી વધુ તીવ્ર બને છે
  • તાવ

2) પલ્મોનરી (ફેફસાં) મ્યુકોર્માયકોસિસના લક્ષણો:-

  • તાવ
  • ખાંસી
  • છાતીનો દુખાવો
  • હાંફ ચઢવી

3) ક્યુટેનિયસ (ત્વચા) મ્યુકોર્માયકોસિસ :-  તેમાં અલ્સર જેવો દેખાય છે અને ચેપગ્રસ્ત વિસ્તાર કાળો થઈ શકે છે. અન્ય લક્ષણોમાં પીડા, હૂંફ, અતિશય લાલાશ અથવા ઘાની આસપાસ સોજો શામેલ છે.

mucormycosis

 

4) જઠરાંત્રિય મ્યુકોર્માયકોસિસના લક્ષણો (Symptoms of gastrointestinal Mucomycosis):-

 

  • પેટ નો દુખાવો
  • બકા અને લટી
  • જઠરાંત્રિય રક્તસ્રાવ

 મ્યુકોર્માયકોસિસ ક્યાથી લાગે છે? (Where does Mucormycosis start?):-

mucormycosis


   મ્યુકોર્માઇસેટ્સ ફૂગનું જૂથ જે મ્યુકોર્માયકોસિસનું કારણ બને છે, ખાસ કરીને જમીનમાં અને પાંદડા, ખાતરના ઉકરડા અને પ્રાણીના છાણ જેવા ક્ષીણ થતા કાર્બનિક પદાર્થોના સહયોગથી, સમગ્ર પર્યાવરણમાં હાજર છે. તેઓ હવામાં કરતાં માટીમાં સામાન્ય રીતે જોવા મળે છે અને ઉનાળામાં તથા શિયાળો અથવા વસંતમાં વાતાવરણમાં હોય છે. મોટા ભાગના લોકો દરરોજ માઇક્રોસ્કોપિક ફંગલ બીજકણના સંપર્કમાં આવે છે, તેથી મ્યુકોર્માયકોસિસના સંપર્કમાં આવવાનું સંપૂર્ણપણે અશક્ય છે. આ ફૂગ મોટાભાગના લોકો માટે નુકસાનકારક નથી. જો કે જે લોકોએ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી છે તેમને મ્યુકોર્માઇસેટ બીજ શ્વાસ, ફેફસાં અથવા સાઇનસમાં ચેપ લાવી શકે છે. જે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.

 

મ્યુકોર્માયકોસિસની સારવાર (Treatment of Mucormycosis):-

મ્યુકોર્માયકોસિસ એ એક ગંભીર ચેપ છે. જેમાં પ્રિસ્ક્રિપ્શનમાં એન્ટિફંગલ દવા આપવામાં આવે છે. સામાન્ય રીતે એમ્ફોટેરિસિન બી, પોસાકોનાઝોલ અથવા ઇસાવ્યુકોનાઝોલ દ્વારા સારવાર આપવામાં આવે  છે. આ દવાઓ નસો (એમ્ફોટોરિસિન બી, પોસાકોનાઝોલ, ઇસાવુકોનાઝોલ) દ્વારા અથવા મોં દ્વારા (પોસોકોનાઝોલ, ઇસાવુકોનાઝોલ) આપવામાં આવે છે. ફ્લુકોનાઝોલ, વોરીકોનાઝોલ અને ઇચિનોકન્ડિન્સ સહિતની અન્ય દવાઓ મ્યુકોર્માયકોસિસનું કારણ બને છે તે ફૂગ સામે કામ કરતું નથી. મોટે ભાગે, મ્યુકોર્માયકોસિસને ચેપગ્રસ્ત પેશીઓને કાપી નાખવા માટે શસ્ત્રક્રિયાની જરૂર હોય છે.

   મોટા ભાગે આ રોગ દરેકમાં જોવા મળતો નથી પરંતુ અમુક દર્દીઓ ઊટ વૈદું કરવાં જાય ત્યાં તકલીફ ઉત્પન થાય છે. સોશિયલ મીડિયા પર આવતાં કોરોનાં ઉપચારમાં આયુર્વેદનાં નામે છાણ, ગૌ મૂત્ર અને તેવી કેટલીય વનસ્પતિનો ઉપયોગ કરવાં કહેવામાં આવે છે. ગભરાયેલ દર્દી પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરી બેસે છે અને પરિણામે આવાં રોગનો સામનો કરવો પડે છે. માટે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ડ્રગ્સનો ઉપયોગ ટાળવો જોઈએ અને જાગૃત બનવું જોઈએ. સામાન્ય રીતે આ બીમારી કોરોનાં થયાના 8 થી 15 દિવસ ની અંદર જોવા મળે છે પરંતુ તેમાં વધગટને અવકાસ છે. આ બીમારીમાં એક પ્રકારનો સડો થતો હોવાથી જેતે અંગને કાપવાનો નિર્ણય પણ લેવામાં આવે છે તથા કેટલાક દર્દીઓ મૃત્યુ પણ પામતા હોય છે. યોગ્ય સલાહ અને નિયમિત સારવાર તથા થોડી જાગૃતિથી આ રોગને હંફાવી શકાય છે. 


                                                                                                                                         જૈમીન જોષી.    

Sunday, May 9, 2021

કોરોનાએ માનવ વૃત્તિમાં વિકૃતિ ઉત્પન્ન કરી છે.(The corona has distorted human instincts.):-


  • જ્ઞાન સંપાદનમાં રોજીંદી પ્રવૃતિ મહત્વનો ભાગ ભજવે છે:- 


Corona has distorted human instincts.




   માત્ર ભારત દેશની વાત કરીએ તો હાલ સુધીમાં  2.15 કરોડ કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયા છે. જેમાંથી મૃત્યુઆંક 3.34 લાખ જેટલો છે. આ માત્ર સરકારી આંકડો છે જે તેમના ચોપડે નોંધાયો છે, પરંતુ પૃષ્ઠ પાછળ લખાયેલા એવા કેટલાય કેસ વિશે કોઈ માહિતી નથી. કેટલાય દર્દીઓએ જાતે જ ટેલિવિઝન, યુ ટ્યુબ કે સરકારી ગાઇડલાઇન પ્રમાણે અથવા ડોક્ટરની સલાહ લઈ સ્વઘરે જ હોમકોરોનટાઈન થઈ સ્વસ્થ થયા. તેવાં એક્ટિવ કેસો વિશે કોઇ તકેદારી લેવાઈ નથી કે નોંધણી થયેલ નથી.
  
   સરકારી હોસ્પિટલમાં તો દર્દી સારવાર લઈ ને સાજા થઇ ગયો હોય તે છતાં તેમના રિપોર્ટનું પરિણામ ન આવ્યું હોય તેવા કિસ્સાઓ પણ છે. પ્રાઈવેટ લેબોરેટરી વાળા ઘરે રિપોર્ટ કાઢવા આવતા નથી અને આવે તો મોં માંગેલ  પૈસા લેવાની શરતે આવે છે. નિસહાય બની લોકોએ ઉધારી કરીને પણ નાણાં ચૂકવાવવાં પડે છે. અત્યારે ભાઈ થોડા ઓછા લો કે દયા કરો જેવી વિનંતી કરવાં જેટલો પણ સમય નથી. અત્યારે કોઈ પણ નો વાંક ગુનો કે દોષારોપણ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે પરિસ્થિતિની દોર હવે કોઈના હાથમાં રહી નથી. લોકોને ખરેખર આત્મનિર્ભરતાનો સાચો અર્થ હવે સમજાય છે તેવું લાગે છે. આવી કપરી પરિસ્થિતીમાં માનવ પ્રકૃતિ પોતાના પરિવર્તનની દિશા કઈ રીતે નક્કી કરે? કયા મહત્ત્વનાં પરિબળો તેમાં ભાગ ભજવે છે? આવા પ્રશ્નો ઉપસ્થિત થાય જ છે. 
   
   માનવ વર્ષોથી કહેતો આવ્યો છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કોરોના આ કહેવતને અત્યારે પૂર્ણ રૂપે અનુસરતી હોય તેવું પ્રતીત થાય છે. જેટલો ઝડપી ફેરફાર આ વાયરસના ફેજમાં આવે છે તેનાથી ઝડપી માનવ પરિવર્તન કરી શકે તે શક્ય નથી. અત્યારે ચારેબાજુ પીડા અને અશ્રુઓનું ઘોડાપૂર વહી રહ્યું છે. કોઈએ પોતાના પિતા તો કોઈએ માતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, દાદા-દાદી તો કોઈએ આખો પરિવાર ગુમાવ્યું છે. ઘોડિયામાં કિલકારીઓ કરતાં બાળકના શ્વાસ થંભી જાય ત્યારે તેના પડઘા માતા-પિતાના કાનમાં ચીચયારીઓ સ્વરૂપે સંભળાયા કરે છે.

   કોઈ પોતાના માતા-પિતા કે સંતાન માટે લથડાતા ભટકાતા દરેક હોસ્પિટલનાં પગથીએ માથા કૂટે છે તો કોઈ દવાઓ માટે મેડિકલ સ્ટોરની લાઈનોમાં આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. આંસુઓ પ્રસ્વેદ બનીને હવામાં ભળી  રહ્યો છે. લોકો પોલીસોના પગે પડીને સહાયતાની માંગણી કરે છે, દર્દીઓ મેડિકલ સ્ટાફ પાસેથી ઉધારના શ્વાસ માંગે છે. સ્વજન માટે રસ્તાની ધૂળ ચાટનાર, પોલીસનો માર ખાનાર કે મેડિકલ સ્ટાફનો ધુત્કાર સહન કરનાર વ્યક્તિની મનોદશા વિશે કોઈએ કલ્પના કરી છે ખરી?

   રૂસોના મતાનુસાર માનવ પ્રકૃતિ જ્યારે તેના સર્જકના હાથમાંથી નીચે ઉતરી ત્યારે સારભૂત રીતે શુભ હતી. તે અણવિકસીત હતી. અત્યારે માનવ પાસે કોઈ આવેગ કે લાગણી નથી માત્ર લાચારી છે. ઇચ્છાશક્તિનું મૂલ્ય શૂન્ય છે. બુદ્ધિ કર્તવ્યપાલન નથી રહી. કોરોનાએ આપણને શું શીખવ્યું તેવા મસમોટા લેખો લોકોએ છાપી અને ફોરવોર્ડ કર્યા પરંતુ સવાલ કંઈક આવો પણ એક હોવો જોઈએ કે કોરોનાએ આપણી પાસેથી શું છીનવી લીધું? આધ્યાત્મિક વ્યક્તિ પણ સ્થિતપ્રજ્ઞ હોતો નથી તો સામાન્ય માનવ નો લાગણી, પ્રેમ, કરુણા, પીડા, ઈચ્છા, લાચારી, સ્નેહ,ગુસ્સો ,ધૃણા વગેરે  જેવા ગુણોથી ભરેલો હોય તે સીધી વાત છે.

   કોઈ એક ઘટનામાંથી વ્યક્તિ જ્યારે પસાર થાય છે ત્યારે જે પીડા ભોગવે છે તેવી પીડા તે પુનઃ  ભોગવતો નથી. પ્રથમ વખત પ્રેમમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ પુનઃનિષ્ફળતાથી પ્રથમ વખત જેટલો ગાયલ કે ભયભીત ન હોય. એક ખૂન કર્યા પછી બીજા ખૂન કરતી વખતે હાથમાં કંપારી કે ચહેરા ઉપર પ્રસ્વેદ બિંદુ હોતું નથી. એક વખત ચોરી કરનાર બે, ત્રણ, ચાર વખત એમ સરળતાથી ચોરી કરી શકે છે. તે ભયમુક્ત બને છે. જે નાનપણથી માર ખાતો આવ્યો છે તે હિંસાત્મક કર્યો થી ગભરાશે નહીં. તેના માટે હિંસા એ રોજીંદી બાબત છે. બાળ કેળવણી વિષે આપણે અવગત છીએ જે અહી પણ લાગુ પડે જ છે. જેને  જાહેરમાં અપમાન જીરવ્યા છે તેને  માન-સન્માનથી કઈ જાજો ફેર પડતો નથી. આપણને લાગે છે કે ભયભીત થવું ખોટું છે પરંતુ તે જ ભય છે જેણે આપણને દાનવ બનતાં રોકી રાખ્યા છે તે પણ આપણે સ્વીકારવું જોઈએ. ભય, મર્યાદા અને લાગણી વગરનાં એક સમાજની કલ્પના કરો શું દેખાય છે?
 
    જે વ્યક્તિએ તેની આંખો સામે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. જેમને લોકોનાં પગમાં પડી આજીજી કરી છે. જેને પોલીસના ડંડા વગર વાંકે સહન કર્યા છે અથવા બિનજરૂરી દંડ ભર્યો છે. જેની આંખો સામે ભ્રષ્ટાચારનું આખું માર્કેટ ઊભું થયેલું જોયું છે. સરકારી તંત્રની નિષ્ફળતા, હોસ્પિટલોની મનમાની, અસુવિધા, પોલીસની દાદાગીરી, એકબીજા સાથે ધક્કા મુક્કી કરી માનવતા નેવે મૂકવી પડે તેવા બિનઇચ્છિત લીધેલ નિર્ણય, ચક્કર ખાઈને પડેલ શરીર કે ત્રણ ત્રણ દિવસની લાઇનમાં ઊભેલાં વ્યક્તિની ભૂખ અને તરસથી થતી ગંભીર હાલત, ખભે, લારીમાં કે ઢસડતા સ્વજનના મૃતદેહ, એક પ્લાસ્ટિકની બેગમાં લપેટાયેલ દેહ જેને પારખી પણ ન શકાય. સ્વજન ને ભેટીને રડી પણ ન શકાય કે અંતિમ વિધિ પણ પૂર્ણના કરી શકયાનો વસવસો. દરેક ઘટનાઓએ માનવ મનમાંથી એક પ્રકારનું તત્વ નિષ્ક્રિય કરી દીધો છે. શ્વાસ ચાલવા છતાં જાણે અંદરથી કઈ મૃત થઈ ગયું હોય તેવી લાગણી ઉત્પન કરી નાખી છે. માનવ ખુલ્લા મને રડી પણ શકતો નથી. માનવ કરુણા મૃત્યુ પામી છે. હવે આવનારા સમયમાં વ્યક્તિ વ્યક્તિને મારતા, ગુનાઓ આચરતા કે માનવતા નેવે મુકતા કે આતંકવાદી બનાવવાનાં ક્ષોભ અનુભવવાની લાગણી મૃત પામી ગઈ હશે.આ વધારાનું  જોખમ છે.

   જે વ્યક્તિએ ક્યારેય સરકારી નિયમો, રાજનીતિ, હોસ્પિટલો કે અધિકારી પોલીસ કર્મી સાથે ક્યારેય સીધી રીતે ઇન્ટરેસ્ટ લીધો નથી તેમને હવે મને કમને આ તમામનો અનુભવ થઈ ચૂક્યો છે. વ્યક્તિના માનસિક નિર્ણયો અને સિદ્ધાંતો ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તિત પામી ચૂક્યા છે. કરુણા મરી પરવારી છે. આંસુ સુકાઈ ગયા છે. સત્યની વાતો હવે પુસ્તકના પાનાની અંદર દબાઈ જવાની છે. વ્યક્તિઓએ કરેલી પસંદગી પુરોગામી ઘટનાઓની જરૂરિયાત દ્વારા નક્કી થતી હોય છે જે હવે એક માનસિક રીતે વિશાળ દાનવમાં પરિણમે તેવી પણ સંભાવના છે.

   અલબત્ત આ સમયે આપણને સમાજના એવા ઉત્કૃષ્ટ નાગરિકોનો અનુભવ પણ થયો છે જેમને રાત દિવસ  મહેનત કરી અને માનવતા દાખવી છે, પરંતુ તેની પાસેથી પ્રેરણા લેવા જેટલી બુદ્ધિ પણ ક્ષીણ થઈ ગઈ છે. જ્યારે પેટ ભૂખ્યું  હોય ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય છે. હવે આવનાર સમયમાં માનવોએ માનવતાના વધુ મુખોટા પહેરવા પડશે કારણ કે હવે જે ચહેરા હશે તે કરુણા, માનવતા, લાગણી અને દયાહીન હશે. મનુષ્યની પ્રકૃતિ હવે પુનઃ પ્રાપ્ત કરવી અઘરી છે તે પણ વિચારવા જેવું છે. સંખ્યા અનુસાર 56 મિલિયન ભારતીયો હતાશાથી પીડાય છે અને બીજા 38 મિલિયન ભારતીય ચિંતાના વિકારથી પીડાય છે. આવનાર સમયમાં આ આકડો ચોક્કસ વધશે તેના એંધાણ તો અત્યારથી આવી જ ગયા છે. માણસ હવે વધુ નનામો બની શકે છે. વ્યક્તિએ માનસિક રીતે સ્વસ્થ રેહવા માટે અલગ અલગ માર્ગના સહારા લેવા પડશે તે પણ ચોક્કસ છે. 

                                                                                                                               જૈમીન જોષી.


Saturday, May 8, 2021

આંશિક લોકડાઉન - વેપારીઓના ઘરની કથળતી સ્થિતિ (Partial Lockdown - Deterioration of Merchant's Home )- :

  •  વેપાર એ દેશનાં આર્થિક પાયા માટે મહત્વનું પરિબળ છે, તેનું ચોક્કસ આંકલન થવું જોઈએ-:


 
lockdown image


   કેટલાક રાજ્યોએ સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરી દીધું છે, પરંતુ અમુક રાજ્યો હજુ ચર્ચાઓ સિવાય કોઈ નિર્ણય પર આવતાં નથી. સરકારે આંશિક લોકડાઉનની જાહેરાત તો કરી દીધી પરંતુ તેનું કોઈ પરિણામ આવે એવું લાગતું નથી. બીજી બાજુ વેપારીઓ હવે વિરોધ કરી રહ્યા છે. જો હવે સરકાર 12 તારીખ સુધીમાં નિર્ણય જાહેર નહીં કરે તો અમે વેપાર ચાલુ કરી દઈશું તેવી ચીમકી અપાઇ ગઈ છે. સરકાર અમને ચોક્કસ દુકાન ખોલવા સમય આપે તેવી પણ માંગ થઇ છે. આવા સમયે સરકાર માત્ર આંશિક લોકડાઉન કરીને શું પરિણામ લાવવા માંગે છે તે સમજાતું નથી. આતો બંડી પહેરીને મચ્છરથી બચવા નિકળ્યા હોય તેવી વાત થઈ. 

   આંશિક લોક ડાઉનની સીધી કે આડકતરી અસર સામાન્ય વર્ગના વેપારી કે ધંધાદારીઓને થઈ છે. વેપારીઓનો આક્રોશ ખોટો નથી કેમ કે તેમને કોઈ સહાય મળતી નથી. જે સરકારી અધિકારીઓ છે તેતો પોતાની સાત પેઢીઓ બેઠાં બેઠાં ખાઈ શકે તેટલી સંપત્તિ ભેગી કરીને બેઠાં છે. જે સરકારી કર્મચારી છે તેમને માટે લોકડાઉન એટલે વેકેશનની જાહેરાત જેવું છે. આવાં લોકોના મુખેથી પરિવાર સાથે સમય વિતાવવો કે માતા પિતા માટે સમય ફાળવવો. બાળપણને યાદ કરી રમતો રમવી કે બાળકો સાથે સમય વિતાવવો જેવી વાતો કરવી શોભે તેવી છે. મહિને મોટી રકમ ખાતામાં જમા થતી હોય ત્યાં કાલે શું ખાયશું? તેની ચિંતા કરવાની જરૂર ઊભી થતી ન હોય માટે  તેમને કોઈ ફર્ક પડતો નથી. આવો વર્ગ ઘરે રહો સ્વાસ્થ રહો જેવાં કેટલાય ઉદાહરણ અને વાર્તા સાથે સલાહો આપતાં હોય છે પણ બીજી બાજુ કેટલાય લોકો એવા છે જેમને કાલે કેમ કેમ પેટ ભરીશું? તેની ચિંતામાં આજે ઊંઘ નથી આવતી.

   આંશિક લોકડાઉનમાં મસ મોટા ઉદ્યોગો તો ધમધમે જ છે. કેમ કે તે સરકારને ટેક્ષ રૂપે નાણાં જમા કરાવતી હોય છે અને દેશના જીડીપી દર જાળવી રાખવામાં મદદરૂપ છે. પરંતુ મધ્ય વર્ગના વેપારી જે રોજ સાઈકલ કે રીક્ષા લઈને 35 ડિગ્રી તાપમાં ગળીઓમાં બૂમો પાડી પાડીને વસ્તુ વેચવા નીકળે છે તેમનું શું? આખા વર્ષથી વેપારીઓને ખાસ કઈ કમાણી થઈ ન હોય ત્યાં તેમને આવું 'ન રો વા કુંજ રોવા' જેવું લોકડાઉન  ન પરવડે તે સીધી વાત છે. લગ્ન ગાળામાં ધંધા બંધ રહ્યા, પોલીસ  ખાતા દ્વારાં  મોટા મોટા દંડ વસૂલાયા, દુકાનો સીલ કરવામાં આવી. લારીઓ ઉંધી પાડી દેવામાં આવી, શ્રમિકોને ઢોર માર મારીને ભાગાડવામા આવ્યાં, પગાર કાપી લેવામાં કે પેન્ડીંગ રાખવામાં આવ્યાં. આસું સારતી પ્રજાને કાયદાનો ડર બતાવી એક જગ્યાએ પૂરી દેવામાં આવ્યાં. નનામાં લોકો દ્વારા નિર્દોષ પ્રજા ઉપર અંગ્રેજોની જેમ એક પક્ષીય દંડ ફટકાર કરવામાં આવ્યો.

   છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ભરતી બંધ છે એટલે રોજગારીની નવી કોઈ તકો ઉભી કરવામાં નથી આવી. કોરોના છેલ્લા એક વર્ષથી છે પરંતુ રોજગારીના નામ પર માત્ર અંગૂઠા ધવડાવવામાં આવ્યાં છે. પ્રાઇવેટ કંપનીઓએ ભરપૂર શોષણ કર્યું છે. કુદરતી આફતો કરતા માનવ આફતો એ ભરપૂર પ્રજાનું શોષણ કર્યું છે. અને હવે કોરોના નામક બીમારીનું મોટું બાનુ તેમનાં ખોળામાં પડી ગયું છે. પ્રજા માટે પડ્યા પર પાટું વાગ્યા જેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકા દ્વારા સ્વેચ્છીક લોકડાઉનની માંગણીને વેપારીઓએ સમર્થ આપ્યું. પોતાનાં ધંધા બંધ કરી જાતે પોતાની ફરજ નિભાવી પરંતુ કેટલા દિવસ?  હવે આંશિક લોકડાઉનમાં બધું તંત્ર તો ચાલે જ છે એટલે કેસ તો રોકાઈ શકવાના નથી. પૂર્ણ લોકડાઉન હોત તો વાત અલગ હતી પરંતુ હવે વેપારીઓ આક્રોશમા આવ્યાં છે.

   તદ્ઉપરાંત મોંઘવારી વધી છે. વસ્તુઓની અછતના કારણે થોડી ઘણી બચત પણ હવે પૂર્ણ થવાને આરે છે. સમય આવે વેપારીઓ પાસેથી સરકાર  ટેક્સની માંગ કરશે. વીમાં કંપનીઓએ તેમના પ્રિમિયમમાં વધારો કરી દીધો છે. પેટ્રોલમાં જંગી ઉછાળો છે. શાળામાં કશું જ ન કરાવા છતાં વાલીઓ પાસેથી મોટી ફીની વસુલાત કરાઈ છે. ટોલ ટેક્ષ, બસ ભાડું, એરલાઈન, ટ્રેન આ દરેકમાં ભાડા ભરખમ વધારવામાં આવ્યાં છે. ખેડૂતોની જેમ વેપારીઓના ખાતામાં પૈસા પડતાં નથી. આરક્ષણને કારણે નોકરીઓ મળતી નથી, બીપીએલમાં નામ નથી આવતું અને સરકારી યોજનાઓનો કોઈ લાભ મળતો નથી. સરકાર જો તેમની જવાબદારી લેવા સક્ષમ ન હોય તો વેપારીઓના જીવન ધોરણને સ્થગિત કરવાનો તેમણે અધિકાર કોણે આપ્યો? આ એ પ્રજા છે જેમણે એક સમયની ખીચડી ખાવા આખો દિવસ પગની એડીઓ ઘસી નાખી છે. રાજ રમતો, સ્વાર્થી અને એક પક્ષીય નિર્ણયોનો ભોગ બનતા વેપારીઓએ પેટ ક્યાંથી ભરવું તે મોટો સવાલ છે.
   
   સરકાર નિર્ણય ન લઈ શકવા પાછળ તેમનાં પોતાનાં ઘણાં કારણો હશે. ઔદ્યોગિક ઉત્પાદનનાં અને આંતરરાષ્ટ્રીય નિયમો પણ મોટો ભાગ ભજવતાં હશે તે પણ માની લઈએ. પરંતુ મોટા મોટા મુદ્દાઓ અને કારણોની સામાન્ય માણસને કોઈ વધુ માહિતી હોતી જ નથી તેમને માત્ર પોતાનાં ઘર ચલાવાથી મતલબ હોય છે. તે અન્ય કોઈ સંઘર્ષમાં ઉતારવા માંગતા નથી અને સક્ષમ પણ નથી. ગધેડા ઉપર રેતીની બોરી મૂકી પાણીમાં બેસાડવા જેવી સ્થિતિ છે. સમગ્ર બાજુથી તેમનાં પર ભાર વધ્યો છે. હવે કાતો સહાય આપો નહીતો વેપાર કરવાની છૂટ આપો. મનમાની કરવા માટે આ કોઈ બિનલોકશાહી દેશ નથી તે યાદ રાખવું રહ્યું.
                                 
                                                                                                                                       જૈમીન જોષી.
                               

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...