ઈન્દિરા ગાંધી ભારતનાં પ્રથમ મહિલા-પ્રધાનમંત્રી
(૧૯૧૭-૧૯૮૪)
ભારતના રાજ નૈતિક
ઇતિહાસની વાત આવે ત્યારે 1961 થી 1967 સુધી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપનાર ઈન્દિરા
પ્રિયદર્શિની ગાંધી માટે આજે પણ દેશ ગૌરવ અનુભવે. એક ભારતીય રાજકારણી અને રાજ્ય મહિલા એટલે ઈન્દિરા
પ્રિયદર્શિની ગાંધી. તેમની હત્યા 1984 માં થઇ તેતો આપણે
સૌ જાણીએ છીએ પણ તેમના કાર્યકાળ વિશે જે જાણે તે તે આજે પણ તેમના વખાણ કરતા થાકતા
નથી. તે ભારતની પ્રથમ અને આજની તારીખમાં, એકમાત્ર મહિલા વડા
પ્રધાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના નેતા તરીકે
ભારતીય રાજકારણમાં કેન્દ્રીય વ્યક્તિ હતી. તે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ
નેહરુની પુત્રી અને રાજીવ ગાંધીની માતા હતી, જેમણે દેશના છઠ્ઠા
વડા પ્રધાન તરીકે તેમના સ્થાને સ્થાન મેળવ્યું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધીનો 15 વર્ષ અને 350 દિવસનો સંચિત
કાર્યકાળ તેમને તેમના પિતા પછી બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય વડા
પ્રધાન બનાવે છે. હેનરી કિસિંજરે તેમને "આયર્ન લેડી" તરીકે વર્ણવી, એક ઉપનામ જે તેના કઠિન વ્યક્તિત્વ સાથે સંકળાયેલું
બન્યું. જે ભારતની સમગ્ર જનતાએ તો સ્વીકાર્યું પણ સાથે સાથે સમગ્ર વિશ્વએ પણ સ્વીકાર્યું.
ઈ.સ ૧૯૧૭ના
નવેમ્બરની ૧૯મી તારીખે એમનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. ઇંદિરા પ્રિયદર્શિની એ
તેમનું પૂરું નામ. પિતા જવાહરલાલ અને પિતામહ મોતીલાલ નહેરુ બંને દેશસેવામાં ભરપુર
રીતે ઊંડા ઉતરેલા હતાં. તેમની માતા માંદગીને બિછાને હતાં તેથી ઇંદિરાનું બાળપણ
માતાપિતાની છાયામાં વીતવું જોઈએ તેથી કંઈક જુદી રીતે વીતેલું. એમનો અભ્યાસ પણ ઘરથી
દૂર શાંતિનિકેતન, સ્વિટ્ઝર્લૅન્ડ
અને ઑક્સફર્ડમાં થયેલો. બાર વર્ષની વયે અસહકારની લડતમાં તેમણે 'વાનરસેના'નું નેતૃત્વ સંભાળ્યું. જ્યાં ત્યાં ફરી
ફરી ઘરથી દુર રહીને તેમનો અભ્યાસ કરી અને ઈ.સ. ૧૯૪૨માં ફિરોઝ ગાંધી સાથે એમનું
લગ્ન થયું. એ જ વર્ષે ‘ભારત છોડો’ની
ચળવળ ઊપડતાં ઇંદિરાએ જેલવાસ ભોગવવો પડ્યો. નાનપણથી જ તેમને ગાંધીજીનો સ્નેહ
સાંપડયો હતો તે ક્યાંક સુધી ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત હતા.
ઈ.સ ૧૯૬૬માં
લાલબહાદુર શાસ્ત્રીના અચાનક અવસાનથી ઇંદિરા પર ભારતના વડાપ્રધાનનો બોજો આવ્યો અને
તેમને લગભગ ૨૦ વર્ષ તેમણે વડાપ્રધાનનું સ્થાન સંભાળ્યું. ભારત જેવા વિશાળ અને વિભિન્ન
સંસ્કૃતિ, ભાષા
અને રીત-રિવાજ ધરાવતા દેશમાં પ્રધાનમંત્રીનું પદ સંભાળવું એ અનેક રીતે કસોટી કરે
એવું ગણાય. ઉપરથી તેમને ભારત દેશથી દુર રહીને અભ્યાસ કર્યો હતો એટલે ભારતની પ્રજા,
તેમની રહેણીકરણી,તેમની ભાષા, તેમની સંસ્કૃતિ વગેરેને સમજવું એક પડકાર રૂપ હતું
છતાં તેમને આ પડકાર સ્વીકારી લીધો. ઈ.સ
૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન(બાંગ્લાદેશ)ની પ્રજા પર વરસતા અત્યાચારોમાંથી તેને મુક્ત
કરવા યુદ્ધ નોતર્યું અને વિજય પ્રાપ્ત કર્યો. આમ જોવા જઈએ તો પાકિસ્તાનથી
બાંગ્લાદેશને અલગ કરી તેના ભાગલા પડાવ્યા જે ખરેખર એક સાહસિક અને કુશળ રાજનીતિ
હતી. આ વિજય બદલ તેમને 'ભારતરત્ન'ના
ખિતાબથી પણ નવાજવામાં આવ્યાં હતાં.
ઈ.સ ૧૯૭૫માં
જ્યારે ઇંદિરાજીએ ભારતમાં કટોકટી લાદી ત્યારે દેશની પ્રજા તેમના આ વર્તનથી ખૂબ
નાખુશ થઈ હતી. પરિણામતઃ ઈ.સ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીમાં ઇંદિરા સહિત કોંગ્રેસના લગભગ
બધા નેતાને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ જનતા પક્ષે બનાવેલી સરકાર સફળ કામગીરી
કરી ન શકી અને ઈ. ૧૯૮૦માં ભારે બહુમતીથી ઇંદિરા ફરી ચૂંટણી જીતી ગયાં. પોતાની
જાતમાં ઇંદિરાને એટલો દૃઢ વિશ્વાસ હતો કે તેમને તેમના નિર્ણયોમાંથી ચળાવવાં લગભગ
અશક્ય હતું. તેમના નિર્ણયોમાં એક અલગ અડગતા હતી. તેમની સામે ટકી રહેવું લગભગ અશક્ય
બની રહેતું.
જ્યારે જવાહરલાલ
દેશના વડાપ્રધાન હતા ત્યારે તે પિતા સાથે જ ફરતાં અને તમામ વ્યવસ્થા પોતાના હાથમાં
રાખતાં. નેહરુના સાથમાં ઇંદિરાએ વિશ્વભરમાં પ્રવાસ કર્યો હતો. આમ અજાણતાં જ જાણે
કે તે પ્રધાનમંત્રીના હોદ્દા માટેની તાલીમ મેળવી રહ્યાં હતાં. પંજાબમાં આતંકવાદ
ખૂબ ફાલી રહ્યો હતો. પરિસ્થિતિ પ્રતિદિન વણસતી જતી હતી. આથી લશ્કરનો ઉપયોગ કરી ઈ.સ
૧૯૮૧ના જૂનની ત્રીજી તારીખે ઇંદિરાએ અમૃતસરના સ્વર્ણમંદિરને આતંકવાદીઓથી મુક્ત
કરાવ્યું. આ કાર્યવાહીથી શીખોનો એક વર્ગ નારાજ થયો. ઈ.સ ૧૯૮૪ના ઑક્ટોબરની ૩૧મી
તારીખે સવારના પહોરમાં જ સુરક્ષા કર્મચારીઓમાંના બે શીખ કર્મચારીઓએ મશીનગન ચલાવી
ઇંદિરાને ગોળીથી વીંધી નાખ્યાં. પોતાની હત્યાને આગલે દિવસે જ ઓરિસાની એક જાહેર
સભામાં તેમણે કહ્યું હતું, 'મારા
લોહીનું એકેએક બુંદ દેશના કામમાં આવશે.'
વિશ્વના
ગણ્યાગાંઠ્યા દેશોમાં ટોચના સ્થાન પર મહિલાઓએ કામગીરી બજાવી છે. એ કામગીરીમાં
ઇન્દિરા ગાંધી પ્રથમ સ્થાને આવે એમ છે. તેમના મૃત્યુનો શોખ આખો દેશ માનવી રહ્યો
હતો. વડા પ્રધાન તરીકે, ગાંધી તેમના અણઘડ
રાજકીય વલણ અને કારોબારી શાખામાં સત્તાના કેન્દ્રીકરણ માટે જાણીતા હતા. ગાંધીને તેમના
કાર્યકાળ દરમિયાન વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા તરીકે યાદ કરવામાં આવે છે. તેના
સમર્થકોએ ભૌગોલિક રાજકીય હરીફો ચીન અને પાકિસ્તાન પરની જીત, હરિયાળી ક્રાંતિ, 1980ના દાયકાની
શરૂઆતમાં વિકસતી અર્થવ્યવસ્થા અને ગરીબી વિરોધી ઝુંબેશને કારણે તેમને દેશની
માતૃભાષા અથવા "મધર ઈન્ડિયા" તરીકે ઓળખાવી હતી. ગરીબ અને ગ્રામીણ વર્ગો.
વિવેચકો તેમના વ્યક્તિત્વના સંપ્રદાય અને કટોકટી દરમિયાન ભારતના સરમુખત્યારશાહી
શાસનની નોંધ લે છે. 1999માં, બીબીસી દ્વારા
આયોજિત ઓનલાઈન પોલમાં તેણીને "વુમન ઓફ ધ મિલેનિયમ" નામ આપવામાં આવ્યું
હતું. 2020માં, ટાઇમ મેગેઝિન દ્વારા મેન ઓફ ધ
યર માટે મેગેઝિનની અગાઉની પસંદગીના સમકક્ષ તરીકે પાછલી સદીને વ્યાખ્યાયિત કરતી 100
મહિલાઓમાં તેણીનું નામ હતું.આવી ગૌરવવંશી રાજકીય નેતાની ભારત દેશને હંમેશા ખોટ
લાગશે.
જૈમિન જોષી.