ક્રોધ
ક્રોધ એટલે સીધા શબ્દોમાં મનનો ભાવાવેગ.તેમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે અણગમા, આક્રમણ અને
વિરોધની લાગણી ઉત્પન્ન થાય છે . દા.ત. , પોતાનું
પ્રિયપાત્ર બીજાના સંગમાં જોતાં અધિકારીત સ્વામીભાવને સહજરીતે આઘાત લાગે છે અને
ક્રોધની લાગણી જન્મે છે.ક્રોધના આવેક વ્યક્તિગત ગમા,અણગમા,સ્વભાવ કે જેતે વર્તમાન પરિસ્થિતિના આધારે આવતો હોય
છે.તે પ્રાકૃતિક વૃત્તિ હોવાથી જન્મ સાથે જ આવે છે.બાળકનાં જીવનની સ્વાભાવિક હલનચલન
રોકતાં તે વિરોધ વ્યક્ત કરવા આગ્રહ અને જીદને આધીન થઈને ૨ડવા લાગે છે.ક્રોધ
આવે ત્યારે આક્રમણ માટે શરીરને તૈયાર કરવા મગજ અધિવૃક્ક ( એડ્રિનલ ) ગ્રંથિને
સંદેશો મોકલી લોહીમાં વધારે એડ્રિનલિન રસનો સ્ત્રાવ કરે છે.જેથી લોહીમાં સર્કરાનું પ્રમાણ વધે છે,દબાણ વધે છે .
આંખ તથા કીકી પહોળી થાય છે . હૃદયના ધબકારા વધે છે . વાણીમાં પણ ઝડપી આવેગ જોવા મળે છે . શરીર અને જીભનું અંકુશ અર્દશ્ય થાય છે.વાણી વિવેક જતો રહે
છે.અમુક માત્રામાં ક્રોધ સ્વાભાવિક છે અને શારીરિક તથા માનસિક
સ્વસ્થતામાં મદદ કરે છે પણ વધારે પડતો ક્રોધ વ્યક્તિને તત્કાળ કંઈક ગુનાહિત તથા વ્યક્તિગત કે સામાજીક હાનિકારક કૃત્ય
કરવા ઉશ્કેરે છે.લાંબે ગાળે તે પાચન,બ્રમણ તથા
જ્ઞાનતંત્રને નબળાં પાડે છે.પુરાણમાં ક્રોધને અગ્નિનો પ્રકાર , બ્રહ્માનો પુત્ર , આઠ ભૈરવમાંનો એક
તથા કશ્યપનો પુત્ર કહ્યો છે.તેની ઉત્પત્તિ બ્રહ્માની ભૃકુટિ વચ્ચેથી થઈ તેવું માનવમાં આવે છે.
ગુસ્સો આવે ત્યારે મુક્ત થતાં હોર્મોન્સ :(Hormones released when angry)
ક્રોધ શરીરની 'લડત અથવા ફાઈટ' પ્રતિભાવને
ઉત્તેજિત કરે છે.
એડ્રેનલ ગ્રંથીઓ
એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા તાણ હોર્મોન્સથી શરીરમાં પૂર આવે છે. શારીરિક શ્રમથી તૈયારીમાં
મગજ લોહીને આંતરડાથી અને સ્નાયુઓ તરફ દુર કરે છે.હ્રદયના ધબકારા ,ધમનીય તણાવ અને ટેસ્ટોટેરોનનું ઉત્પાદન વધે છે.કોર્ટિસોલ(તણાવ હોર્મોન્સ)માં વધ ઘટ થાય છે અને મગજના ડાબા ગોળાર્ધમાં વધુ ઉત્તેજના ઉત્પન થાય છે .
ગુસ્સાના પ્રકાર:( Types of anger)
ત્રણ પ્રકારના
ક્રોધ છે,જે આપણને ગુસ્સે કરે તેવી પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપે છે તેના
આકારમાં મદદ કરે છે. નિષ્ક્રીય આક્રમણ, ખુલ્લું આક્રમણ
અને આશ્ચર્યકારક ક્રોધ. જો તમે ગુસ્સે
હોવ તો, શ્રેષ્ઠ અભિગમ એસેર્ટીવ ગુસ્સો છે.આમના પણ લાગણીઓને આધારે પેટા પ્રકાર પડે છે.
1)નિષ્ક્રીય
આક્રમણ:(Passive Aggression)
ઘણા વ્યક્તિ સ્વીકારવા માંગતા નથી કે તેઓ ગુસ્સે છે, કારણ કે તેઓ મુકાબલો
અથવા દલીલબાજી પસંદ નથી કરતા - આને નિષ્ક્રિય આક્રમણ કહેવામાં આવે છે. આ જ્યારે તમે ગુસ્સે હોવ ત્યારે મૌન થવું, સ્વીકારી લેવું , બેફામ રહેવું (તમને જે વસ્તુ
કરવાની જરૂર છે તેને પડતી મૂકવી), અને “બધું સારું છે” તેવું નાટક કરવું જેવી
બાબતોમાં બહાર આવે છે. નિષ્ક્રિય આક્રમણ
નિયંત્રણમાં રહેવાની જરૂરિયાતથી આવે છે. તેની સાથે
વ્યવહાર કરવામાં કોઈ હાથ જોઈએ છે.
2)ઓપન આક્રમણ:(Open Aggression)
બીજી બાજુ, ઘણા લોકો ગુસ્સો
અને ક્રોધમાં ફસાઈ જાય છે, શારીરિક અથવા
મૌલીક રીતે આક્રમક બને છે અને ઘણીવાર પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડે છે. આને ઓપન એગ્ર્રેસન કહેવામાં આવે છે. આ લડાઈ, ગુંડાગીરી, બ્લેકમેઇલિંગ, આરોપ લગાવવા, બૂમ પાડવી, ઝઘડો કરવો,મહેણા મારવા, કટાક્ષ અને ટીકા
કરવા માટે બહાર આવે છે. ખુલ્લું આક્રમણ
નિયંત્રણમાં લાવવાથી જરૂરથી આવે છે. ખુલ્લા આક્રમકતા કેટલીક વાર
ગુસ્સો સંપત્તિ પર અથવા તો આપણી જાત પર પણ કાઢી શકાય છે - આત્મ-નુકસાનમાં વ્યક્તિ પોતાની જાતને ઇજા પોહચાડે,પોતાના વિષે
અપશબ્દો બોલી જાતને નીચી ગણી નાખે,માથા પછાડે કે ભીત પર મુક્કા પણ મારીને હળવાશ અનુભવતો
હોય છે.
3)અડગ ગુસ્સો (Assertive Anger) :
ગુસ્સો સાથે વ્યવહાર કરવાની સ્વસ્થ રીત
નિયંત્રિત અને આત્મવિશ્વાસ રાખીને, વાતચીત કરીને અને
સાંભળીને અને પરિસ્થિતિ સાથે વ્યવહાર કરવામાં સહાય માટે ખુલ્લી હોય છે. આ અડગ ગુસ્સો સંબંધોને વધવામાં મદદ કરી શકે છે. તેનો અર્થ એ છે કે તમે બોલો તે પહેલાં વિચારવું, તમે તેને કેવી
રીતે કહો છો તેના પર વિશ્વાસ રાખવો, તો પણ 'બીજી બાજુ' માટે ખુલ્લું અને
લવચીક,અભદ્ર રીતે તમારો અવાજ
ઉઠાવવો નહીં; તમે કેવી ભાવનાત્મક અનુભૂતિ કરી રહ્યાં છો,વાતચીત કરી
રહ્યાં છો, અને અન્ય લોકો
શું અનુભવે છે તે ખરેખર સમજવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ. જ્યારે તમે ગુસ્સા સાથે નિશ્ચિતપણે વ્યવહાર કરો છો, ત્યારે તમે
દર્શાવશો કે તમે પરિપક્વ છો અને તમારા સંબંધો અને તમારી જાતની કાળજી પૂર્વકનું મહત્વ આપો છો.
ક્રોધમાં રસાયણશાસ્ત્રની ભૂમિકા એપીનેફ્રાઇન
અને નોનએપિનેફ્રાઇનની છે. આ બંને રસાયણો વિના જ્યારે તમે ગુસ્સે થશો
અથવા પ્રયત્ન કરો અને એડ્રેનાલિન શામેલ હોય તેવી કોઈપણ અન્ય લાગણીઓ દર્શાવો ત્યારે
શરીર કોઈ પ્રતિક્રિયા આપી શકશે નહીં. એપિનેફ્રાઇન તમને
પ્રતિક્રિયા સામે લડવા માટે ફાઇટમાં જોડાવાની મંજૂરી આપે છે જે મુશ્કેલીમાંથી દૂર
ચાલીને અથવા આક્રમક રીતે વ્યસ્ત થઈને તમે જે પરિસ્થિતિમાં છો તે સંભાળશે,તે નિર્ધારિત કરે
છે. નોનએપિનાફ્રાઇનને એડ્રેનાલિન રક્ષક તરીકે ઓળખવામાં
આવે છે.જે કેટલાક કિસ્સાઓમાં પરિસ્થિતિમાં આક્રમકતા તરફ દોરી શકે છે. આ તે અત્યંતરિક પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કરવાની શક્તિ આપે છે.તે કઠિન પરિસ્થિમાં ત્વરિત બચાવ પ્રયુક્તિઓમાં કાર્ય કરે છે અને નિર્ણય શક્તિમાં વધારો કરે છે.
ગુસ્સાથી કેવી રીતે બચવું ?(how to control anger)
- ગુસ્સો આવે
ત્યારે ઊંડા શ્વાસ લેવા અને મનને શાંત કરવું.
- ઠડું પાણી પી
લેવું.
- મૌન સૌથી અસરકારક
પદ્ધતી છે,જે તમારા વધતાં નુકસાન અને બગાડતાં સંબંધને સાચવી લે છે.
- તામસી ભોજન જેવા કે માંસાહાર,લસણ,ડુંગળી,વધુ મસાલાવાળું
ખોરાકને ટાળવો.તેની જૈવિક સ્વભાવ પર માઠી અસર
થાય છે.
- વધુ ગુસ્સો આવે
તો જગ્યા છોડી દેવી અને એકાંતમાં જઈને મનને શાંત કરવું.ખોટી ચર્ચા કે દલીલો
આવેગોને હવા આપવાનું કામ કરે છે.
- સંગીતનો સહારો
લેવો.
- માદક નશીલા
પદાર્થોનો સહારો ના લેવો.
- પૂરતી ઊંગ અને
યોગ્ય સમયે ભોજન લેવું,તેના અભાવના કારણે સ્વભાવ ચીડીઓ થઈ જાય છે.
- ધ્યાન અને
પ્રાણાયામ કરવા.
- કઈ વાત પર ગુસ્સો આવે
તેના પર ધ્યાન કરી તે વાતોથી દૂર રેવું અથવા સ્વીકારી લેવું.
- ગુસ્સામાં કોઈ નિર્ણય
લીધા વગર કોઈ પણ વાત પર ઉત્તરના આપવો,જેનથી આર્થિકરીતે નુકશાનથી બચી શકાય.
ક્ષમા હંમેશા મહત્વપૂર્ણ છે; જો કોઈ વ્યક્તિએ
તમને ગુસ્સો અપાવવા બદલ માફી માંગી લીધી હોય, અથવા જો તમે સમજો
કે પરિસ્થિતિ "તે યોગ્ય નથી", તો માફ કરવા માટે
ખુલ્લા રહો. અને માફ થવા અને પોતાને માફ કરવા તૈયાર રહો. આ તમને શાંત
થવામાં મદદ કરશે, અને અન્ય લોકો સાથેના તમારા સંબંધોને વિકાસ કરવામાં મદદ
કરશે. યાદ રાખો કે તમે મહત્વપૂર્ણ છો. તમારા જીવનની ગણતરી
થાય છે, અને તમે આ વિશ્વમાં ફરક લાવી શકો છો અને તમે તેના માટે હમેશાં બંધન કરતાં છો.ક્રોધ એ જીવન નો
એક ભાગ છે,ક્રોધનું પણ એક આગવું મહત્વ છે.દરેક જગ્યાએ ક્રોધ ભર્યું વલણ તમને સામાજિક
દ્રસ્તીએ નીચા સ્તરમાં પ્રવેશવામાં મદદ કરશે.યોગ્ય સમયે દર્શાવેલ ગુસ્સો તમારું
મહત્વ અને પ્રભાવ બંનેમાં વધારો કરશે.
નાનપણથી જ
સ્ત્રીઓને તેમણે ગુસ્સો વ્યક્ત કરવા પર પ્રતિબંધ લાદવામાં આવે છે પરિણામે ધીરે
ધીરે તે ગુસ્સાને દબાવતા તથા સંગ્રહ કરતાં શીખી જાય છે.પુરુષો સ્વાભાવિક રીતે વધુ
આક્રમિક હોય છે જ્યારે સ્ત્રીઓ આડકતરી રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી હોય છે જે
પરિણામે વધુ ઘાતક હોય છે.પુરુષો ગુસ્સો વ્યક્ત કરતાં શાંત થઈ જતાં હોય છે અને તે
સીધા આક્રમ ભાવથી ગુસ્સાની લાગણી વ્યક્ત કરતાં હોઇ છે.ગુસ્સામાં કરેલ હત્યાઓ
તેના ઉદાહરણ છે ,જ્યારે સ્ત્રીઓ ધીમેથી હળવા અવાજે છૂપી રીતે વ્યક્ત કરે છે,ચુગલ ખોરી તેનું
ઉદાહરણ છે.પુરુષનો ગુસ્સો એક વ્યક્તિને બરબાદ કરી શકે જ્યારે સ્ત્રીઓનો આખા
પરિવારને બરબાદ કરવાની ક્ષમાતા ધરાવતો હોય છે,પરંતુ ક્યારેક વધુ વણસેલી પરિસ્થિતી કોઈ પણ પ્રકારના
સ્ત્રી અને પુરુષના ભેદ વગર સીધી આક્રમકતા દાખવે છે.જાહેરમાં થતાં ઝગડા તેના
ઉદાહરણો છે.વધુ ગુસ્સોએ ધીરજના અભાવનું પરિણામ છે.ગુસ્સો આવવો વ્યક્તિના હાથની વાત
નથી પરંતુ તેને બહાર ક્યારે અને કેવી રીતે વ્યક્ત કરવો તે વ્યક્તિના હાથમાં હોય છે.યોગ્ય સમયે
ગુસ્સાની ગેરહાજરી વ્યક્તિગત રીતે આત્મસન્માન સાથે સમજોતાનું કારણ પણ બનતું હોય છે.
"અંતે ક્રોધમાં પુરુષ જે હાથથી કરી શકે છે તે
સ્ત્રીઓ બેઠા બેઠા પોતાની જીભથી કરી દેતી હોય છે."
 |
all pic bye google,com
જૈમીન જોષી.
|