Friday, January 8, 2021
કેરળના મીરાં - કુરુર અમ્મા (Mira of Kerala - Kurur Amma)
Wednesday, December 30, 2020
તમે શિયાળાને ક્યારેય આલિંગન આપ્યું છે..? (Have you ever embraced winter ..?)
- ક્યારેક આપણે શિયાળા ને જતાં પેહલા થેંક્યું કહી આલિંગન કરવું જોઈએ:-
કોઈ એવા સખા જેની સાથે જીવ્યા હોય દોડ્યા હોય,પરોઢે એકાંતનો ભાગ બનાવ્યો હોય જેને આપણામાં ઉર્જાનો નવો સંચાર કર્યો હોય. નવા વિચારો અને આવેગો પ્રદાન કર્યા હોય તેવો પરમ સ્નેહી જાણે અચાનક જતો રહેવાનો હોય અને તેના ગણતરીના દિવસો બચ્યા હોય તો તમારામાં કેવી સંવેદનાનું પ્રાગટ્ય થાય....? ભારતનાં કેટલાય તેવા વિસ્તારો છે જ્યાં ખરેખર શિયાળો કોને કહેવાય તેની ખબર જ નથી. જેમ આપણે વસંત અને પાનખર ઋતુ વિષે પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં ભણીએ પરંતુ ખરેખર પાનખર કેવી હોય અને વસંત કોને કહેવાય તેનું પ્રત્યક્ષીકરણ તો જોયું જ નથી હોતું બસ તેમ જ ખરો શિયાળો કોને કહેવાય તેની ખબર જ નથી હોતી. પશ્ચિમી દેશોમાં તો શિયાળો શબ્દ વપરાતો જ નથી ઠંડી ના દિવસો કે શરદીના દિવસો તરીકે ઓળખવામાં આવે છે. શરદી એ કઈ ઋતુ નથી તેતો એક વાઇરસથી થતો રોગ છે અને ઠંડક એ નીચા તાપમાનની હાજરી છે માટે આ શબ્દ પ્રયોગજ ખોટો છે.
શિયાળાના વહીવટમાં તો સૂરજને જાણે ઊગવા માટે પણ આદેશની રાહ જોવી પડે અને જો છૂપી રીતે આવી જાય તો તેની પણ ખેર નથી તેવી સ્થિતિ હોય. તેજ અને ઉષ્મા પ્રદાન કરવામાં સૂરજદાદા ઉપર જાણે ટેક્સ લગાવ્યો હોય તેમ તોલમાપ કરીને આપે. જો સુરજદાદા વધારે માનપાન માંગતા હોય તો માનવ કઈ પાછા પડે ? એટલે તેમણે તડકાના વિકલ્પરૂપે તાપણું શોધી કાઢ્યું. શહેરી વિસ્તારમાં તાપણું એટલે કચરો ભેગો કરીને ધિકાવી દેવું અને હાથ શેકી લેવાં, નકરું પ્રદૂષણ... પણ ગામડામાં તો આવું ન ચાલે. ગામડાનો શિયાળો એટલે તેની વાતજ નિરાળી. ગામડે તો ઠંડી એટલી ગુલાબી હોય કે જાણે પ્રેમિકા કપટથી વળગતી ન હોય.. સવારે માણસ ઊઠે અને ખેતરમાં જાય એટલે આછો આછો સૂર્યનો તાપ જાણે ઝાકળના બિંદુને કાનેથી મરોડી હેઠે બેસાડતો હોય તેમ લાગે. ખેતરમાં જાણે સોનું ઊગ્યું હોય તેવી હરિયાળી પથરાઈ જાય અને એ તડકાના કિરણો આપણાં પર પડતાં હોય અને હાથમાં એએએ મસ્ત મજાની ફુદીના અને આદું નાખેલી ચાનો મસમોટો કપ પકડ્યો હોય... તેને હોઠો પર અડાડતા જ જે ઘૂંટડે ઘૂંટડે જીભ પર ફુદીનાનો સ્વાદ છોડતો તાળવે હાથતાળી આપી નીચે ઊતરતો હોય તેની મજા જ કઈક અલગ છે. સાંજ પડે જમવાનું પતાવી માણહ તાપણે બેસે એટલે આખું ફળિયું ગ્રામ પંચાયત ભરીને બેઠું હોય તેવાં ગામના દ્રશ્ય જોવાય. તાપણાની ફરતે બેઠેલા ટોળાને વાતો કરવાના વિષયો શોધવા જવું ન પડે.
તલાટી સાહેબે સાતબારના ઉતારાની નકલ કાઢી આપવામાં કેટલા પૈસા લીધાં. કોની દીકરી ક્યાં ભાગી ગઈ કે કોનો દીકરો વંઠી ગયો છે, કોની દીકરી સાસરે દુ:ખી છે કે કોની સાસુ જબરી છે. કૂવાનાં પાણી કેટલાં ઊંડાં ગયાં છે અને આ વખતે ઘઉં કેવા પાકશે. આજનું શિક્ષણ કેટલું છીછરું અને નિમ્ન થઈ ગયું છે, ગામની કઈ ડોશીને મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે અને કયો ડોસો હજુએ અપ લખ્ખણો થઈને ફરે છે. ગામના ક્યા ડોસાને તેની પુત્રવધુ બે ટંકના રોટલાય પૂરા ખાવા આપતી નથી અને કઈ ડોશી હજુ ઘરના ઢસરદા કરે છે. જેવા અનેક વિષયો પર તાપણાની સળીએ ચર્ચા ખોરીની નદી વહી રહી હોય ત્યારે ત્યાંથી ખસવાનું મન થતું નથી. તાપણું ઠરી ગયું હોય અને ધુમાડો આંખ - નાકને પજવતો હોય તોય વાતોનો રસ ખૂટતો ન હોય.
બીજી બાજુ શહેરનો શિયાળો તદ્દન અલગ હોય. સવારે સૂર્ય ઊગે કે ન ઊગે પણ પોતે પથારીમાથી ટાટિયાં ઘસતા ઊઠવું જ પડે. ઝાકળ કરતાં ધુમ્મસ ઝાઝા હોય એટલે તડકાના અનુભવની કલ્પના માત્ર રહી. શિયાઓ આવે એટલે પહેલા કફ કરે તેજ તેની ઓળખાણ. અતિશય બીમાર કરે તેવી પ્રદુષિત હવા વધારે ઘાતકી બને. સૂર્યના સોનેરી કિરણોનો લસરકોએ અનુભવાતો ન હોય એટલે બંધ બારણે જેવી મળી તેવી ફરજના ભાગરૂપી ચાના સબડકા બોલી જાય. નોકરી ધંધાના ઠેકાણા દૂર હોય એટલે પગપાળી યાત્રા તો હોય જ નહીં એટલે કસરતને તો ભૂલી જ જવાની અને જો કોઈ કસરત કરવા વહેલા ઉઠતાં હોય તો પણ જીમખાનામા ભારે વજન ઊચકી પરસેવે રેબજેબ થઈ જવાનું. ખોરાકનું જ્ઞાન તો હોય નહીં એટલે બાઈસેપ ફુલે ના ફુલે શ્વાસ ચોક્કસ ફૂલી જતો હોય છે. વાતા વાયરા ચામડીને એટલે હદે ફાડી નાખે કે લોહી નીકળવાં લાગે. ગોદડા જેવા સ્વેટર શરીરમાં ચટકા મારતાં હોય તેવું એ અનુભવાય. બળ્યું ઉપરથી રાત્રે સૂઈ જવાની તૈયારી કરીએ ત્યારે થોડી ગરમી લાગતી હોય એટલે પંખો કે એસી ચાલુ કરીને સૂઈ જઈએ ; પરંતુ અડધી રાતે પાછી એકાએક ઠંડી લાગવા માંડે, ઊંઘ ઊડી જાય. અડધી ઊંઘમાંથી ઊઠીને પંખો કે એસી બંધ કરીએ, ત્યારે પછીયે ઊંધને પાછી વળવા આજીજી કરવી પડે. લાંબી અને સળંગ ઊંધની મજા તો ભરશિયાળામાં જ આવે. ક્યારે સવાર પડી જાય એની ખબરેય ન પડે. આમતો ઊંધના ટુકડા થઈ જાય છે, સવારે ઊઠીએ ત્યારે આખોના પોપચાં ભારે લાગે,સ્ફૂર્તિ બદલે સુસ્તી જેવું લાગે, ચેન પડે નહીં , દિવસ ભારેખમ અને કંટાળાજનક લાગે ઉપરથી ચિંતાઓ તો સાથી મિત્ર હોય જ એટલે દિવસની સાથે રાત એ બગડે.. ભલું થાય આ શિયાળા ભાઇનું.... એક કવિએ શિયાળા વિષે સરસ કહ્યું છે...
શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો
પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો
ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો
ગુલાબી સાંજે નવોઢા જેમ શરમાયો શિયાળો
ઘુંઘટો તાંણ્યો રાતે, જગ, જળ, વાયુ ને થંભી ગયો શિયાળો
તાંપણે તપ્યો તોય હાડે ધ્રુજતો ઠૂંઠવાયો શિયાળો
શિયાળો પોતાની સાથે ઘણું બધું લઈને આવતો હોય છે. શિયાળાની સાથે ગુંદરપાક, મેથીના લાડુ, સુખડી, સાલમપાક, તલમાંથી તૈયાર થતું કચરિયું, તલ્લીના લાડુ કે સીંગદાણા ની ચીકકી, ઊંધિયું ... આહાહા... બીટ,વટાણા- મૂળા - શક્કરિયાંની અલગ મજા. શાકભાજીના શોખીનો માટે શિયાળાની વિદાય વસમી જ થઈ પડે. રોજ સવારમાં ઊગતા ફૂલોની સુગંધ જાણે વાતાવરણ માં અત્તરનો છંટકાવ કરતી હોય તેવો આહલાદ અનુભવ કરાવે.પ્રકૃતિ માણસને જીવવા માટે અનેક રીતે ભાતના ભાતના સ્વરૂપે ભેટો આપતી રહે છે બસ આપણ ને માણતા આવડવું જોઈએ.તમે શિયાળાને છેલ્લે ક્યારે અનુભવ્યો હતો કે પછી તમે પણ...
જૈમીન જોષી.
Wednesday, December 23, 2020
શું તમે ઈશ્વર ને સમર્પિત થયા છો? (Are you devoted to God?)
- આપવું હોય તો તેવું મન આપજે પ્રભુ, કે તને હું સમર્પિત રહું...!!
અમુક લોકો એવા છે કે જેઓ સંપૂર્ણપણે ઈશ્વરને આધીન છે. તેઓ ઈશ્વરના ઉપાસકો ખરા પરંતુ તેથી વધુ તે ઉપભોગીઓ છે. ઈશ્વર મહાન છે તેવું વિચારી પોતાના તમામ દુઃખો, પીડા, તકલીફોને ઈશ્વરના માથે ઢોળી દે છે. હે... ઈશ્વર હવે તું જ મારુ ગાડું ધપાવી શકે તેમ છે... હે ઈશ્વર હવે તારા વિના મારૂ કોઈ નથી.. હે ભગવાન મને આ તકલીફ માંથી મુક્ત કર, મને બચાવી લે...હે નાથ હું ગૂંચવાયો છુ મને માર્ગ બતાવ.. હે પ્રભુ તુજ મારો તારણ હાર છે તેવું કહી હરિભક્તો સીધા ભગવાનની શરણમાં પડતું મૂકે છે. હરિ જાલે તો કોને જાલે તેને તો એક નથી અનેક છે. ખરેખર માણસ એટલો નબળો છે કે તે પોતાના કાર્યના પરિણામને પણ સહજ સ્વીકાર કરી શકતો નથી એટલે કાતો તે ભગવાન પાસે ચમત્કારની અપેક્ષા રાખે છે અથવા હાથ ઊંચા કરી લે છે, ખરેખર તો તેઓ પોતાની જવાબદારીઓથી ભાગતા હોય છે. જો ઈશ્વરને જ બધું કરવું હોય તો તમારી જરૂરત શું હોય? માનવ નિર્માણનું મહત્વ શુ? તેની પાછળનો કઈક તો હેતુ હશે ને...?
મેં ઘણી જગ્યાએ લોકોને ઈશ્વરની પ્રતિમા સામે જઈને હાથ જોડતા, ભીખ માગતાં અને રડતાં, માનતા રાખતાં, ધમકીઓ અને લાલચ આપતા જોયા છે. કોઈ સારા ભવિષ્ય માટે તો કોઈ પૈસા માટે, કોઈ પ્રેમ માટે તો કોઈ સારા જીવન માટે, જીવન સાથી માટે તો કોઈ સંતાન માટે. કેટલાક વ્યક્તિઓ તો એટલા બધા દુખી અને નાખુશ હોય છે કે ઈશ્વર પાસે મૃત્યુની પણ માંગણી કરે છે. બસ માંગ માંગ માંગ પરંતુ ઈશ્વરે જેને આ બધુ આપ્યું છે તે શું ઈશ્વર પાસે કઈ માંગતા નથી? જો ઈશ્વર તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીદે તો શું તમે સંતુષ્ટ થઈ જશો? જવાબ હસે ના... માણસ ક્યારેય ભરાતો નથી છતાં ઉભરાય છે.
માણસ પોતાના જીવનકાળ દરમિયાન
સારા નરસા અનુભવોને કારણે એક ચોક્કસ પ્રકારની મનોવૃત્તિ ધરાવતો હોય છે અને તેજ
મનોવૃત્તિને વૈચારિક અને સંસ્કારિત રીતે વારસાગત આપતો હોય છે પરિણામે
લોકો પોતાના સ્વઅનુભવથી શીખી શકતા નથી અને જે શીખે છે તે સત્ય અને અસત્યના
માળખામાં મૂંઝવાય જાય છે. સત્કર્મ અને દુષ્કર્મની સાચી પરખમાં ગૂંચવાયા કરે છે કેમ કે તે સમય સાથે તાલમેલ દાખવી શકતા નથી. સત્કર્મની પરિભાષા શું? સાદી ભાષામાં
સમજીએ...(માનવ લઘુ દ્રષ્ટિએ) જે કાર્ય જાહેરમાં થઈ શકે અને તે કામ માટે તમારી પ્રસંશા થાય તે સત્કર્મ અને
જે કામ તમારે સંતાઈને કરવું પડે તે દુષ્કર્મ. કોઈના ફાયદાનું કામ કરો તો સત્કર્મ
કોઈનું નુકશાન કરો તો દુષ્કર્મ... કોઈના માટે બધુ ન્યોછાવર કરી દો તે સત્કર્મ અને
જો પોતાના માટે અંગત રીતે કઈક કરો તો સ્વાર્થી અને દુષ્કર્મી. મજાની વાત એ છે કે આ
તમામ કર્મોની વ્યાખ્યાના બીબામાં સામે વાળા વ્યક્તિનો જ ફાયદો થવો જોઈએ પોતે દુખી
થઈએ તો ચાલે પરંતુ સામે વાળો પ્રસન્ન થવો જોઈએ. તો પ્રભુ ખુશ થાય અને તમારા પર કૃપાનો વરસાદ કરે તેવું મગજમાં ઠાંસી દેવામાં આવે પરંતુ આ જે કર્મની ગુણવત્તાનું
પૃક્કરણ ઈશ્વર કરતાં હોય તો લેખે પણ લાગે પણ આતો અન્ય વ્યક્તિઓ, સમાજ કે ચોક્કસ
વર્ગનાં દ્રષ્ટિકોણને આધારે જ નક્કી થાય છે. જેમ અલગ અલગ રાજ્યના કાયદા અને તે
પ્રમાણે સજા તેમજ અલગ અલગ પ્રદેશના સત્કર્મ અને દુષ્કર્મના નિયમો અલગ અલગ અને જો તેમના
કારણો પૂછીએ તો શાસ્ત્ર નો સહારો લઈ લેવામાં આવે છે. હવે આજના જમાનામાં લોકો પોતાના કબાટમાં પડેલા પુસ્તકો નથી જોતાં તે શાસ્ત્રોને ક્યાંથી વાચવાના અને વાંચન કરે તો પણ તેનું સાચું અર્થઘટન ક્યાંથી કરવાનાં.? તેના કારણે વ્યક્તિ
સમાજના ડરથી સંતાઈને કાર્ય કરશે. હવે વ્યક્તિ જે કામ સંતાઈને કરતો હોય તે તેના
મનમાં દ્વેષ ઉત્પન કરતો હોય અને ઉત્પન થયેલ અપરાધ ભાવને કારણે તે પોતાને એટલો પાપી
ગણી બેસતો હોય છે કે વૃદ્ધાવસ્થા આવતાં સુધીમાંતો તે ઈશ્વરના સામે ઊંચા હાથ કરી
કરીને તેનું જતન કરતો હોય છે જાણે ઈશ્વર તેને સુદામા કે મીરાં
સમજી આલિંગન આપવા આતુર હોય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ જાહેરમાં કરે છે. તમે આવા
લોકોને ભજન કીર્તન કે કથામાં ઊંચા હાથ કરી કુદતા જોયા હશે. નૃત્ય તો નટરાજ ને પણ
વહાલું છે તો આપણે તો માનવ છે પરંતુ જ્યારે તેને ખોટી રીતે અંગત સ્વાર્થ અને પીડા
માટે પ્રદર્શિત કરવું પડે ત્યારે તે ખોટું કહેવાય. આખા જીવનમાં ઈશ્વરને હાથ ન જોડનાર ને અચાનક અંતઃસ્ફુરણા થાય અને અધ્યાત્મિક જીવન અને શાંતિની વાતો કરે.
યુવાનીમાં લેર અને અંત સમયે પ્રભુની મેર...?
ભગવાન દ્વેષી નથી. તેને સુખ, વૈભવ, સુંદર વસ્ત્રાલંકાર, શૃંગાર અને ઉત્તમ સ્વાદ તથા સુશોભનો નો ક્યારેય મોહ નથી.તે તમામ આસક્તિઓથી પર છે. તેમણે નાસ્તિક અને આસ્તિક બધા જ ઉપર સ્નેહવશ થઈ આશીર્વાદ આપ્યા છે. શાસ્ત્રોમાં તો ઉલ્લેખ પણ છે કે ઈશ્વરના હાથે મરણ પામેલા અસુરો તથા તેમના શરણમાં આવેલા પાપી ઉપભોગીઓને પણ તેમને તત્કાળ મોક્ષ આપેલ છે.
ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર
આપ્યો. આપણને કુશળતાપૂર્વક સમૃદ્ધિ આપી, દુઃખ સહન કરવાની શક્તિ આપી અને
સુખ ભોગવવાની પ્રવિધિઓ આપી. આ બધા વચ્ચે તેમણે આપણને શ્રદ્ધા આપી કે ક્યાંય તને અગવડ પડે તો હું તારી સાથે ઉભો રહીશ તેવો વિશ્વાસ આપ્યો છતાં આપણને સંતોષ નથી. તમે ક્યારેય અસત્ય બોલ્યા છો? તમે ક્યારે ઈશ્વર પાસે
જઈને પાપ કર્મોનો હિસાબ માગ્યો છે કે તમને પણ માત્ર પુણ્યનો હિસાબ કરતા જ આવડે છે. ઈશ્વર પાસે હમેશાં આભાર માનો કે તેમણે તમને તે તમામ નબળી પરિસ્થિઓમાંથી
બચાવ્યા છે જે તમારા ભાગે નથી આવી અને જે આવી છે તેમાં તેને હમેશાં સહાય કરી છે. પરિશ્રમ વગરનું તો પુણ્ય એ નકામું. ઈશ્વર પાસે માંગવુ હોય તો માંગો કે
ઈશ્વર એવું જીવન આપજે અને તેવું વિશાળ મન આપજે જે તને સમર્પિત રહે.
Tuesday, December 15, 2020
ઈસા મસીહ- મેરી ક્રિસમસ (Jesus Christ - Merry Christmas)
યુ આસમાન મે બાદલો કે બીચ તલાશ મત કર, એ દોસ્ત...
ઇસ ભીડમે નજર લગા કે દેખ, કિસીકે ચહેરે કી મુસ્કાન પે સ્વર્ગ નજર આયેગા..!!!
Friday, December 4, 2020
અસુરના વિશ્વકર્મા - મયાસુર (Vishwakarma of Asura - Mayasur)
Thursday, November 26, 2020
આધુનિક સામ્યતાવાદના પિતા કાર્લ માર્ક્સ (Karl Marx, the father of modern communism)
મૂડી પૈસા છે, મૂડી ચીજવસ્તુઓ છે. તેનું મૂલ્ય હોવાને કારણે તેને પોતાનું મૂલ્ય ઉમેરવાની ગુપ્ત ક્ષમતા પ્રાપ્ત કરી છે.તે જીવંત સંતાન લાવે છે અથવા ઓછામાં ઓછું સોનેરી ઈંડા આપે છે. ~ કાર્લ માર્ક્સ
Sunday, November 22, 2020
ગુજરાતી મહિના અને કેલેન્ડર (Gujarati months and calendars)
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને ભારતીય કેલેન્ડરમાં પથદર્શક અને મૂળ કેન્દ્ર સ્થાને છે:-
ગુજરાતી ચંદ્ર મહિના:-
- કારતક
- માગશર
- પોષ
- મહા
- ફાગણ
- ચૈત્ર
- વૈશાખ
- જેઠ
- અષાઢ
- શ્રાવણ
- ભાદરવો
- આસો
Thursday, November 19, 2020
પુરુષાર્થ વિહીન ધન (Wealth without manhood)
![]() |
pic by google.com |
Thursday, November 12, 2020
માનવ જીવન અને મૂલ્યો (Human life and values)
- મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: -
![]() |
Thursday, November 5, 2020
સત્ય અને સામાજિક શિક્ષણ (Truth and social education)
- જ્ઞાન પિપાસાને સંતોષવા શિક્ષણની સાથે સત્ય અને નીતિમત્તાનો પણ સ્વીકાર થવો જોઈએ....
જીવનની સમસ્યાઓ સામે આવીને ઉભી ત્યારે વ્યક્તિએ ગહન ઉદાસીનતાનો ચહેરો જોયો. કઈ તૂટયા, છુટ્યા, ગુમાવ્યા કે તરછોડાયેલા સંબંધે વૈરાગ્યતાનો અનુભવ કરાવ્યો. વ્યક્તિ જીવનભર જેને બહાર શોધે છે તે તત્વ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતું હોય તેવું ન બને અને જો બને તો સ્વ માટે સર્જિત છે તેવું માની લેવું તે પણ બૌદ્ધિક દ્રષ્ટિએ વ્યર્થ છે. વૈરાગ્યએ વ્યક્તિને યોગી બનાવ્યો અને યોગીઓએ આધ્યાત્મનું સરણ સ્વીકાર્યું. આધ્યાત્મિકતા ભરેલું જીવન જીવવું અને સાંસારિક જીવન જીવવું બંનેમાં વ્યક્તિ ભોગને જ શોધતો હોય છે. વ્યક્તિ સંસારની તમામ માયાથી પર જવા વસ્તુઓનો કે વ્યક્તિનો ત્યાગ કરે અને અંતે શાંતિ મેળવવા પરમાત્માનો સહારો લે છે. સાંસારિક જીવનની ઇચ્છાઓ અસ્વીકૃત થઈ તો કદાચ આધ્યાત્મિકતા તેને સ્વીકાર્ય ગણે.. માટે વ્યક્તિ છાને ખૂણે ચિંતન તો ભોગનો જ કરતો હોય છે. દરેક દર્પણમાં ચહેરા એક સમાન ન જોવાય તેનો અર્થ તે ચહેરાઓમાં ફેરફાર થાય છે તેવું હોતું નથી. વ્યક્તિ જેવો છે તેવો જ છે. માત્ર ઈચ્છાઓ અને અભિપ્રાયો બદલાયા છે. અભિપ્રાયો કેટલેક અંશે સંઘર્ષને જન્મ આપે છે. સંઘર્ષ વ્યક્તિને કાર્યરત રાખી શકે છે પરંતુ સુખ તો ન જ આપી શકે.
સામાજિક પરિવર્તન સંઘર્ષ, પ્રગતિ, કર્તવ્ય અને ક્રાંતિ સાથે સંકળાયેલા છે, અલબત માત્ર આ જ પૂરતાં નથી. અવ્યવહારુ પરિસ્થિતિનાં મૂલ્યોમાં સંઘર્ષ કરતાં ક્રાંતિ વધુ હોય છે. સામાજિક પ્રશ્નો કે સમસ્યાઓને એક મતે ઉકેલવી તે પણ શક્ય નથી.વ્યક્તિ મત ક્યારેક એક ના હોય અને એક સમાન મતે લેવાયેલ નિર્ણયમાં ગમેતે એક વ્યક્તિ સ્વીકારક હોય છે. વ્યક્તિ પરિવર્તન માટે જાગૃતિ અને સતર્કતાનો પાયો મજબૂત હોવો આવશ્યક છે. વ્યક્તિ પરિવર્તનની ક્રિયા સામાજિક મોભા ને ઉગતા સૂર્યની જેમ પ્રકાશિત કરી શકે છે. ક્રોધી અને અજ્ઞાની વ્યક્તિ બપોરના તડકા જેવો હોય છે તે માત્ર બાળે છે. બળાપો દૂષણ છે. વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરે છે અનુકૂળતાઓને જ સર્વસ્વ માનીને બેસી રહેનાર વ્યક્તિ ક્યારેય બોધ ગ્રહણ ન કરી શકે. સત્યના પાસાનું પૃથક્કરણ કરી અને સ્વીકારવું તે અધ્યયન ક્રિયાનું સાત્વિક કૌશલ્ય છે.
વિદ્યાકીય સ્વતંત્રતા અધ્યાપનનું શ્રેષ્ઠ પાસુ માની શકાય. અધ્યયન અને અધ્યાપન બંને ક્રિયા માટે વ્યક્તિને મુક્ત વિવેચનનો અધિકાર હોવો જોઈએ. મુક્ત વિવેચનનો અર્થ માત્ર શાબ્દિક સ્વતંત્રતા એવો થતો નથી. શાબ્દિકતા સંવાદને ઉજાગર કરી શકે છે. મૌલિકતા બુદ્ધિને સ્વતંત્રતા બક્ષે છે પરંતુ સર્જકતા કુદરતના કાનૂન સાથે સમકક્ષ બની શકે છે. ખોજ માટે બુદ્ધિચાતુર્યની સાથે સહજ સ્વીકારકતાનો ગુણ પણ જરૂરી છે. સફળ વ્યક્તિએ અનેક નિષ્ફળતાને શિક્ષક તરીકે સ્વીકારી હોય છે. નિષ્ફળતાના પાયાઓ જો પંથ નું નિર્માણ ન કરતાં હોય તો તે નિષ્ફળતા પણ નકામી જ કહેવાય. જ્ઞાની વ્યક્તિ પ્રયત્નશીલ હોય તે જરૂરી નથી પરંતુ પ્રયત્નશીલ વ્યક્તિ જ્ઞાની બની શકે. જો સૃષ્ટિના સર્જન અને શાસન નો સવાલ હોય તો વ્યક્તિ કેટલેક અંશે શાસક બની શકતો હોય છે પરંતુ તે ઈશ્વરની સર્જકતા ઉપર અધિકાર જન્માવાનો પ્રયત્ન કરે તો તે મૂર્ખામી છે. ઈશ્વરતો સ્વયંને શાસક નથી માનતો તો માનવીય વલણનું તો અસ્તિત્વ જ અવગણી નાખવું જોઈએ.
સત્યની તપાસ અંગેનો અધિકાર ઈશ્વરે વ્યક્તિને આપ્યો છે પરંતુ તે નિશ્ચિત માળખામાં ક્યારેય ઢાળતો નથી. આવું હોઈ શકે તેવું માનવું એ ઈશ્વરીય સ્વતંત્રતા છે. માત્ર આવું જ છે તેવું માનીને ચાલવું તે અજ્ઞાનની સ્વતંત્રતા છે. કોઈપણ સંદર્ભમાં માળખાકીય ટીકા કરી શકે એ શિક્ષણની સ્વતંત્રતા છે પરંતુ કોઈ પણ સ્વાતંત્ર દ્રષ્ટિબિંદુઓનું સન્માન કરવું એ વિદ્યાકીય સ્વતંત્રતા અને સંસ્કાર છે. સામાજિક શિક્ષણના સ્તરને ઉચ્ચ લાવવા માટે સત્ય નો સ્વીકાર થવો જરૂરી છે. સત્ય ક્યારેય શિક્ષણને આધીન નથી હોતું તે માત્ર હોય છે.. તેનું અસ્તિત્વ છે.... તેને શોધવું, જાણવું, પૃથક્કરણ કરવું અને સ્વીકારું તે વ્યક્તિ આધીન હોય છે. સત્ય ને માનવ ક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી. સત્ય એ મૂર્ખ અને જ્ઞાની બંને વ્યક્તિ માટે એક સમાન જ હોય એટલે.... તો તે "સત્ય" છે.
જૈમીન જોષી.
Sunday, November 1, 2020
માનવ વલણ અને સ્વભાવ (Human attitude and disposition)
- માનવ પ્રકૃતિના સામાજિક પાસા શૈક્ષણિક પ્રથાને વિભિન્ન રીતે પ્રદર્શિત કરે છે.
ઈશ્વરે માનવીની અંદર વિવિધ શક્તિઓનું સંચય કર્યું છે. આધ્યાત્મિકતા તેમાંની એક છે. વ્યક્તિ ઉછેર, સ્વભાવ, કેળવણી, વાતાવરણ સંસ્કાર અને વંશાનુક્રમ વચ્ચે રહેલ ભેદ અલગ તારવી તેને સમજવો જરૂરી છે. માનવી સ્વભાવગત ક્રિયાશીલ છે. આદર્શવાદીઓ મનના કાર્યને પદાર્થમાં જુએ છે, તો કર્મવાદી ક્રિયામાં, વાસ્તવવાદીઓ શરીર સુખમાં વધુ માને છે. ઈંદ્રિયોના ભોગવિલાસ એ વ્યક્તિમાં બે રીતે ઉતરી આવે છે. એક અનુભવમાંથી અને બીજું આનુવંશિક રીતે. આનુવંશિકતા ઉપર વ્યક્તિ નિરુપાય હોય છે પરંતુ અનુભવોને વિવિધ દ્રષ્ટિથી જોઈ શકાય.
બાળક જન્મ પછી માતા પાસેથી શીખે પછી શાળા, કુટુંબ, સમાજ અને મિત્રો પાસેથી શીખે અને અંતે અનુભવથી શીખે. શીખવું એ ગુણધર્મ છે. અનુભવએ એક ક્રિયા છે. તેમાંથી દરેકે પસાર થવું જ પડે. અનુભવ દ્વારાં મેળવેલ જ્ઞાન વ્યક્તિને નિખારે છે. અબોલા પશુઓ માટે જ્ઞાનનો માર્ગ તેજ છે તે શ્રવણ જ્ઞાન કુદરતી રીતે જ અફળ હોય. મનની દોર વ્યક્તિ હસ્તગત હોવી અતિ આવશ્યક છે. મનને કેળવી શકાય, મનને પઢાવીએ તેટલું પઢે. વ્યક્તિ જ્યારે શીખવાની અવધિમાં હોય ત્યારે તેના શરીર સ્નાયુઓ ક્રિયાશીલ હોય છે. કોઈ પણ અધ્યયન પ્રત્યક્ષ રીતે અનુભવીત હોવું જોઈએ તે જ બોધ.. તે જ જ્ઞાન. આવિષ્કાર અલગ વસ્તુ છે તેના માટે ઊંડો અભ્યાસ, તર્ક અને વિશેષ જ્ઞાનની સાથે સાથે માનવી માનશિક રીતે સક્રિય હોવો જરૂરી છે.આળસ અને સ્થૂળતા વ્યક્તિઉર્જાને નષ્ઠ કરતી હોય છે.
આપણે માનવ પ્રકૃતિ અને પ્રાણી-પશુ પ્રકૃતિનો અભ્યાસ કરીએ તો મોટા ભાગની ક્રિયાઓ મળતાવડી નીકળે. પશુઓ પાસે મર્યાદિત શક્તિઓ છે જે તેમનું જીવન ટકાવી રાખવા પુરતી હોય છે. તે અનુકૂલન સાધી તેમનું અસ્તિત્વ જાળવી રાખે છે. માનવમાં અલગ અલગ પશુઓની વૃત્તિ જોવા મળતી હોય છે. વાઘ શિકાર કરી શકે, હાથી સૂંઢથી પાણી ભરી શકે, સિંહ જંગલમાં રાજ કરી શકે તો શિયાળ બુદ્ધિ ચાતુરાય વાપરી શકે, ચિત્તો ઝડપી દોડી શકે. મગર કલાકો શુદ્ધિ પાણીમાં સ્થિર અવસ્થા જાળવી શકે તો દેડકો છો મહિના સુધી જમીનમાં શ્વાસ માત્રથી જીવી શકે. દરેક પશુમાં કોઈને કોઈ ખાસ ચાતુર્ય હોય જ છે. જે પોતાની જાતને અલગ પ્રજાતિ પ્રદર્શિત કરતું હોય છે. હાથી કદાવર અને શક્તિશાળી જ હોય, વાગના નખ અને જીભ ઘાતક અને બરછટ જ હોય, જિરાફની ડોક લાંબી જ હોય, સાબરના શિંગડા વાંકા જ હોય, ગધેડા એક સ્થાને ઊભા રહી ઊંગ મેળવતા હોય, રીંછના સમગ્ર શરીરે વાળ જ હોય વગેરે વગેરે... પણ માનવમાં આ તમામ ગુણો જોવાતા હોય છે. તેને ઈશ્વરે વધુ આપ્યું છે, તે વિશેષ છે માટે પશુઓથી શ્રેષ્ઠ છે, છતાં તે દુઃખી છે. મનુષ્ય પ્રકૃતિમાં સ્વાભાવિક રીતે શક્તિઓ કોટી ક્રમે રહેલી છે. માનવ તેના અનુકૂળન માટે ઉપયોગી શક્તિનો સંચાર કરી શકે છે. તેનામાં નિર્માણ વૃત્તિ ઈશ્વર જન્મથી સાથે જ આપી છે. વ્યક્તિએ શક્તિનો ઉપયોગ કરવા કેળવાવું જોઈએ. તાલીમને અવગણી ન શકાય.
હિંસક મનોવલણ એ સમાજ માટે શ્રાપ છે. પ્રાણીઓ માટે હિંસા જરૂરી છે, પશુ માટે નથી પરંતુ માનવ માટે ચોક્કસ કહી ન શકાય. માનવ હિંસા શોખ માટે કરતો થયો છે. પ્રભાવ અને અન્ય પર હાવી થવાના ખોટા આડંબરમાં તે માનવ લક્ષણથી વિપરીત વર્તન કરે છે. હાથી સૌથી શક્તિશાળી પ્રાણી છે પરંતુ તે તેની શક્તિનું પ્રદર્શન ક્યારેય કરતો નથી. સ્વભાવે તે પ્રેમાળ અને ભોળો છે. શરીરશાસ્ત્રનું એક અલગ વિજ્ઞાન છે, તે જટિલ છે પરંતુ તેને સમજ્યા વગર પણ માનવ તેના કાર્યો પાર પાડી શકે છે. દેહ ધાર્મિક છે કે નહીં પરંતુ સ્વભાવ ધાર્મિક હોય તો દેહ ચંદન સુગંધ ફેલાવે. વૈચારિક રીતે માનવ સક્ષમતા ન કેળવી શકે પરંતુ જ્ઞાનની દિશામાં તો તે યંત્રવાદી ન જ બનવો જોઈએ. જ્ઞાનવેગો બદલી શકાય છે પરંતુ તેનાથી ભાગી શકાતું નથી. જીવ છે તો જીવન છે એવું નહીં અધ્યયન છે તો જીવન છે તેવી માનસિકતા ખીલવવી અને કેળવવી ખૂબ જ આવશ્યક છે. ફક્ત વખતો વિતાવવાથી જ્ઞાનના વાયરા ઊંચા ઉડતા નથી.
જૈમીન જોષી.
ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)
કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy): સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...

-
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. [ કલમ ૩૭૬ - એ ] : - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :- ...
-
પ્લાસ્ટિકની શોધ સમાજને ઉપયોગી ખરી પણ પર્યાવરણ માટે ખતરા રૂપ છે. વિજ્ઞાનની ઘણી બધી શાખાઓમાં રસાયણ વિજ્ઞાન પણ એક છે. જે વિવિધ પદાર્થની જન્...
-
મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે...
-
સમર્પણ , સ્નેહ અને ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!! MEERA ક્રુષ્ણ પ્રિય મીરાં: છ સાત વર્ષની બાળા એક વટેમાર્ગ...
-
Archimedes One of best Mathematician Archimedes ગ્રીક ખગોળવિદ ફેઈડિયાઝના ઘરે આર્કિમીડીઝનો જન્મ થયો હતો.જે...