Sunday, May 30, 2021

ભીલ જાતિ (Bhil caste)

  • આદિવાસીની 29 જાતિમાંની એક જાતિ :-

 

bhil image

   ત્રેતાયુગ એટલે કે રામાયણકાળથી જાણીતી થયેલી આ જાતિ વર્ષો પછી પણ દરેક જગ્યાએ વસવાટ કરતી જોવાં મળે છે. તેને કોઇ એ સાંભળી નહીં હોય કે જોઈ નહીં હોય તેવું ભાગ્યેજ બની શકે. આમ જોવા જઈએ તો લોકવાણીમાં 'ભીલ' જાતિ અમર થઈ ગઈ છે. ભગવાન શ્રી રામ જયારે અયોધ્યા છોડીને વનવાસી બન્યાં હતાં ત્યારે આ જ્ઞાતિ એ તેમને આવકાર્યા હતાં.  રામજી જ્યારે સીતા માતાની  શોધમાં દક્ષિણ ભારત તરફ જતાં પ્રવાસ કાપતા હતાં ત્યાં કર્ણાટકના હમ્પી નજીક કોપપાલ જિલ્લામાં એક તળાવ છે જેને પમ્પા સરોવર તરીકે ઓળખાય છે. તુંગાભદ્ર નદીની દક્ષિણ તરફ તે આવેલું છે. તેને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે અને તે ભારતના પાંચ પવિત્ર સરોવર અથવા તળાવોમાંનું એક છે. હિંદુ ધર્મગ્રંથોમાં પમ્પા સરોવરને તે સ્થાન તરીકે ગણવામાં આવે છે જ્યાં શિવના સાથી પાર્વતીના એક સ્વરૂપ પમ્પાએ શિવ પ્રત્યેની ભક્તિ દર્શાવવા માટે તપશ્ચર્યા કરી હતી. તો ત્યાં બીજી બાજુ તેનો ઉલ્લેખ હિંદુ મહાકાવ્ય રામાયણમાં તે સ્થાન તરીકે થયો છે જ્યાં શબરી રામના ભક્ત રામના આગમનની રાહ જોતા હતા. શબરી ‘ ભીલડીનાં એઠાં બોર રામજીએ ખાધાં ’ એ વિષય પર તો કંઈ કેટલાંય કથાકાવ્ય, ભજનો અને ગીતો રચાઈ ગયાં.

bhil of gujarat
https://www.flickr.com/photos/141515516@N07/with/49692751471/


   ભીલ એટલે જંગલમાં વસનારી જૂનામાં જૂની જાતિ. જંગલમાં વસવાટ કરતી જાતિને એમ તો આદિવાસી તરીકે ઓળખાય છે પરંતુ તેમાં જે પ્રકારો કે પેટાજ્ઞાતિ હોય છે તેમાની આ એક છે. ઈતિહાસમાં એક સમયે સમાજમાં આદર અને સન્માન ભર્યું સ્થાન ભોગવતી કેટલીયે જાતિઓએ  સમય બદલાતાં પછાતપણામાં સ્થાન પ્રાપ્ત કર્યું. એ જ રીતે કાળક્રમે ભીલ જાતિનો પણ સમાવેશ તેમાં મહદઅંશે થયેલ ખરો. 21 મી સદીમાં આજે ભીલ જાતિ જંગલમાં રહેનારી, તીરકામઠાં રાખનારી, ચોરી, હત્યા અને લૂંટફાટના ધંધામાં પડેલી જાતિ તરીકે ઓળખાય છે. પરાપૂર્વથી તીરકામઠાં એ તેમનું મુખ્ય શસ્ત્ર છે. ભીલોની મોટી વસ્તી આજે પંચમહાલમાં, દાહોદ અને ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર વગેરે જીલ્લામાં વધુ છે . ગાઢ જંગલમાં રહેનારીએ જાતિ હવે સમૂહમાં ગામડાંની સાથે રહેતી થઈ ગઈ છે. ભીલો એ કેટલાક વિસ્તારો આવરી લીધાં છે અને ત્યાં તે  મજૂરી પણ કરે છે. છતાં હજી આજના યુગમાં પણ ભીલ પ્રજા પાસે તીર કામઠાં રહ્યાં છે. તીરકામઠાં ચલાવવાની એમની કુશળતા પણ હજી એવી જ છે. ભીલ જાતિમાં કેટલાક ભેદ અને રીતો પણ છે. સામાન્ય રીતે ભીલો તેમના જંગલવાસને કારણે રંગે કાળા હોય છે, પરંતુ તેમનો એક આખો સમૂહ ઘઉંવર્ણ તથા હવે તો સફેદ ચામડી પણ ધરાવે છે. ખાસ કરીને પુરુષ કરતાં સ્ત્રીઓ વધુ સુંદર અને સુડોળ હોય છે. તેમની ચાલ કઠોર પણ કમર લચીલી હોય છે. તે લોકો પોતાને પટેલિયા તરીકે ઓળખાવે છે. ભીલ એક ખાનદાની જાતિ છે. રાજા રામચંદ્રથી ૨જપૂતીનો ઇતિહાસ સર્જનાર રાણા પ્રતાપ સુધીના સૌને ભીલોએ સહાય કરી હતી. ભીલો ભીના વાનના, સામાન્યતઃ બે એક મીટરની ઊંચાઈ ધરાવતા આકર્ષક ચહેરાવાળા હોય છે. દેખાવે લાંબુ કપાળ, પહોળાં જડબાં, અણિયાળું નાક અને પાતળા હોઠવાળું તેમનું વ્યક્તિત્વ તેમને અન્ય આદિવાસીઓથી જુદા પાડે છે. ભીલ નારીઓ સુડોળ અને આકર્ષક હોય તેમનામાં એક પ્રકારની આગવી હિંમત અને ખુમારી હોય છે.  તેઓના અલગ ઢંગના પ્રાદેશિક નૃત્ય અને ગીતો પણ હોય છે. ડુંગરો અને જંગલીના નિરુદ્યમી વસવાટથી કોઠે પડી ગયેલી ગરીબી તેમના જીવનમાં સહજ બને છે. ભીલો કંદમૂળ , મકાઈ, બંટી, કોદરા, નાગલી વગેરેની આછી પાતળી ખેતી ઉપર તો ક્યારેક  મરઘા - બતકાંના માંસ ઉપર જીવન ગુજારે છે. ડાંગ જિલ્લામાં પાણીની અછતને કારણે ઓછી ખેત - પેદાશ પર આખું વરસ ખેંચે. દુકાળના સમયમાં બે ટંક ખાવાના સાસા  પડી જાય ત્યારે આસપાસનાં ઉજળિયાત ગામો પર તીડની જેમ ત્રાટકી પડતાં  હોય છે આમ , કુદરતના કોપને આધીન ચોરી - લૂંટફાટનો તેમનો એક બીજો વ્યવસાય બની ગયો.


bhil cast
https://www.flickr.com/photos/141515516@N07/49692751471/


   દાહોદ, પંચમહાલ , છોટાઉદેપર, રાજપીપળાના ઉજળિયાત વિસ્તારમાં ભીલોના આવી. હુમલાની દહેશત રહ્યા કરે છે. આવા પ્રસંગે જેલમાં જનારા ભીલોનાં કુટુંબોની સંભાળ ગામ રાખે. આમ અનાયાસે ભીલોનું ખમીર ગુનેગારી જીવન તરફ ફંટાઈ ગયું. ગુજરાતના આદિવાસીઓની 29 જાતિઓ છે. તેમાં સૌથી મોટી જાતિ ભીલ છે. ભીલોની બોલીમાં એકંદરે ગુજરાતી ભાષાનાં સર્વસામાન્ય લક્ષણો છે. ભીલોનાં ગામ છૂટાંછવાયાં હોય છે. તેમનાં ઝૂંપડાં વાંસ, વળી, સરાંડી અને ઘાસપાનનાં બનેલાં હોય છે. રાજપીપળા વિસ્તારમાં તેમની વસ્તી ગીચ છે. ભીલ પુરુષો કેડે લંગોટ, ખભે પછેડી અને માથે ફાળિયું પહેરે છે. ફાળિયામાં એના લાંબા વાળનો ચોટલો હોય છે. એમાં કાંસકી, કાચનો ટુકડો અને ચકમક હોય છે. ભીલ સ્ત્રી આગળથી સહેજ ચીરેલો લાલ પીળો ચણિયો પહેરે છે. એના છેડા પાછળ બાંધે છે . ભીટા, ટાગભગ ઉઘાડાં જ હોય છે. પાંચ વર્ષ થયા પછી છોકરી ઘાઘરી પહેરે છે. ભીલો ઘરેણાંના શોખીન હોય છે . ઘરેણાં પિત્તળ, ચાંદી, કથીર કે કીડિયાનાં હોય છે. સારી સ્થિતિના પુરુષો કાંડે કલ્લી , બાવડે કડું ને કેડે કંદોરો પહેરે છે, સ્ત્રીઓ પગની આંગળીઓએ વીંછિયા, પગમાં તોડા , કાંડે ચૂડી, બલોયાં કે બંગડી પહેરે છે. ગળામાં માળા ને કાનમાં લોળિયાં પહેરે છે. ભીલોના તહેવારોમાં હોળી , દિવાળી ને અખાત્રીજ મુખ્ય છે. ભીલોમાં દેવદેવીઓના પાર નથી પણ રામજી અને હનુમાનજીના ખાસ ભક્ત હોય છે. બલી પ્રથા પણ તેમનામાં હજુ ચાલતી આવી છે. માતાઓની અણઘડ પ્રતિમાઓ ગામના પાદરે ઝાડ નીચે કે ડુંગરની ટોચે હોય છે. પંચમહાલમાં 1922 માં ઠક્કરબાપાએ ‘ ભીલ સેવા મંડળ ’ સ્થાપ્યુ હતું.  આમ, ક્યાક મજબૂર તો ક્યાક હિંસક અને મજૂરીયાત વર્ગ તરીકે જાણીતી આ જાતિ અગરમાં આગરા કાર્ય સ્વબળે પૂર્ણ કરતી હોય છે. 


                                                                                                                                      જૈમિન જોષી.

   

Sunday, May 23, 2021

ધર્મ અને વિજ્ઞાન (Religion and science)

 

  • ધર્મ અને અને વિજ્ઞાન આ બંનેનો ક્યારેય નાશ થતો નથી, તે સદાકાળથી એકબીજામાં અટવાતાં રહ્યાં છે:-


Religion and science


   ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો લાગે છે કારણ કે ધર્મ માન્યતા ઉપર ટકેલ છે, જ્યારે વિજ્ઞાન પ્રયોગ ઉપર. કેટલીક બાબતોને અનુસરીએ કે તેની પદ્ધતિ પ્રમાણે વ્યવહાર તથા અમુક ફાળવેલ નિયમોનું પાલન કરીએ તો આપણે કોઈ ચોક્કસ ધર્મનું પાલન કર્યું તેમ કહેવાય છે. ધર્મ આપણને બંધનમાં રાખે છે જ્યારે વિજ્ઞાન આપણને તમામ પ્રકારના અનુભવો કરવાની છૂટ આપે છે. આમ જોવા જઈએ તો ધાર્મિકતા અલગ અલગ વિભાગમાં વહેંચાયેલી છે. તેનું જતન કરતાં હિંસાત્મક કાર્યો પણ થતાં આવ્યા છે. વિજ્ઞાનમાં ઇચ્છવા છતાં કેટલાક અકસ્માતોનો સામનો કરવો પડે છે. પરિણામે પ્રયોગશાસ્ત્રીને અજાણતા જ ભોગ આપવા પડતાં હોય છે પછી તે સમય, સામાજિક જીવન, વ્યાવહારિક જીવન, માન-સન્માન, પ્રતિષ્ઠા, મોભો કે પછી જીવ પણ કેમ ન હોય. 

   સત્યતા એ છે કે ધર્મ અને વિજ્ઞાન તે બંને ક્યારે એકબીજાના પ્રતિસ્પર્ધી રહ્યા નથી. ધર્મ ક્યારેય બંધન કરતાં ન હોય પરંતુ તેનું આચરણ આપણને ચોક્કસ બંધનમાં મૂકી દેતું હોય છે. ધર્મ અને વિજ્ઞાન બંને જીવનના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણેય કાળને આવરી લે છે અથવા માનવ તેને સ્વીકાર્યા વગર છટકી શકતો નથી.  કોઈ પણ વ્યક્તિએ ધર્મનું પાલન ન કર્યું હોય  કે વિજ્ઞાનનો ઉપયોગ ન કર્યો હોય તેવું અશક્ય છે.  જે લોકો પોતાને ધાર્મિક વૃત્તિ થી દૂર રાખે છે કે પોતાને નાસ્તિક કહે છે. તેમને પોતાના કર્તવ્ય કે કોઈ મનપસંદ કાર્યને જ પોતાનો ધર્મ બનાવી કે માની લીધો હોય છે.  આમ, તેમના જીવનમાં ધર્મ તો છે જ. પદ્ધતિ બદલાતા વિષય બદલાય તેમ ધર્મ પણ બદલી શકાય છે. આપણને કયો ધર્મ અનુકૂળ છે તે આપણને સ્વયં નક્કી કરવાની છૂટ પણ  મળે છે માટે જ આપણા દેશમાં ધર્મ પરિવર્તન વૈકલ્પિક સ્વરૂપે હમેશાં રહ્યો છે. વિજ્ઞાન આપણને કોઈ વિકલ્પ આવતું નથી. અહીં વિજ્ઞાન વિષયને લગતી કોઈ વાત નથી. વિજ્ઞાનનાં પેટાવિભાગોનો આપણે અભ્યાસ કરીએ ત્યારે તેને ઉપયોગમાં લઈ શકીએ પરંતુ જે વિજ્ઞાનને આપણે રોજબરોજમાં ઉપયોગ કરતા હોઈએ તેના વિશે તો આપણને કદાચ જ્ઞાત પણ ન હોય તેવું બને. સવારે ધરતી પર પગ મૂકવાથી માંડીને સાંજે પથારીમાં શરીરને મુક્ત છોડી દેવા વચ્ચે સુધીની તમામ ઘટનાઓ વિજ્ઞાન પર આધાર રાખે છે. આપણને ઉપયોગી પ્રત્યેક વસ્તુમાં વિજ્ઞાન છે. આપણે પથારીમાં ઊંગી ગયાં હોય એ તે દરમિયાન આપણાં શરીરમાં જ કેટકેટલી રસાયણિક પ્રક્ર્તિયાઓ થઈ જતી હોય છે તેનાથી આપણે સૌ પરિચિત તો છીએજ.
 
   ધર્મ અને વિજ્ઞાન બંનેની કેળવણી માટે અધ્યાપક જરૂરી છે. માણસ જન્મ પછી કયા ધર્મની કેળવણી પ્રાપ્ત કરે છે  તે પરિવાર આધારિત હોય છે. જ્યારે તે પોતાના નિર્ણય લઈ શકવાની ઉંમરે આવે છે ત્યારે તે કયો ધર્મ અપનાવવા માગે છે તે નિર્ણય કરવાં માટે હમેશાં તે સ્વતંત્ર છે પણ સમાજ તેને બંધનમાં બાંધી રાખે છે. અનાથનો કોઈ ધર્મ નથી હોતો. તેને તો પોતે કોનું સંતાન છે તે જ ખ્યાલ ન હોય તો ધર્મની તો વાત જ ક્યાં કરવી. પેટની અગ્નિ સામે ધર્મ હંમેશા હારતો આવ્યો છે. સાચો ધર્મ સત્ય અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત હોય છે.ધાર્મિક વૃત્તિ ધરાવતો માણસ ધાર્મિક ક્રિયા કરે તે સહજ છે પરંતુ દરેક ધર્મ મહદ અંશે તો વિજ્ઞાનને અનુસરે છે. કોઈપણ કર્મકાંડ, ક્રિયાકાંડ કે વિધિઓ છેલ્લે તો વિજ્ઞાનને જ આધારિત હોય છે. જેના વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યાં છે.

   શિક્ષણ પ્રેમીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવવા છતાં પણ નાસ્તિક થતાં નથી. જેમ જેમ આપણે ઉચ્ચ કક્ષાના જ્ઞાનને સમજતાં જઈએ ત્યારે સમજાય છે કે આપણે તો ઇશ્વર સામે સૂક્ષ્મ છીએ. કોઈ તો ઉર્જા  છે જે  સૃષ્ટિનું પાલન પોષણ કરે છે. ત્યાં દલીલ રૂપે ધર્મને ન લાવી શકાય. ઉદાહરણ તરીકે તબીબને ઈશ્વરનું સ્વરૂપ માનવમાં આવે છે પણ ઉચ્ચ કક્ષાના તબીબ પણ દર્દીની સારવાર કરતા ઈશ્વરનું નામ લેતાં કે ઈશ્વરનો આભાર માનતા જોવા મળે છે. કોઇ દર્દી ઉપર જ્યારે દવા અસર ન કરે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરો કે જે જલદી સાજા થઈ જાય કે હવે બધુ ઈશ્વરના હાથમાં છે તે વાક્ય બોલતા પણ સાંભળ્યા છે. તો બીજી બાજુ વૈજ્ઞાનિક રીતે અશક્ય ચમત્કારો પણ આપણને આ ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે છે. ત્યારે કોઈ પણ ધર્મના તબીબ ભલે તે પોતાને નાસ્તિક પણ કેમ ન જણાવતાં હોય છતાં તે માને છે કે કંઈક તો ઊર્જા છે જે નિયમનનું કાર્ય કરે છે.

   વિજ્ઞાન ધર્મની બાબતમાં સાબિતી કે વ્યાખ્યા આપતું નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ તો ધર્મ હોવો જ ન જોઇએ અને તેના હોવા ન હોવાથી કોઈ ફર્ક પણ પડતો નથી. ધર્મ વિજ્ઞાનનાં મૂલ્યને સ્વીકારી શકે પરંતુ વિજ્ઞાન હંમેશા ધર્મની અવગણના જ કરતો આવ્યો છે. વિજ્ઞાન અને ધર્મ બંનેના કાર્યો અલગ અલગ છે છતાં મહદઅંશે તે એક બીજા સાથે જોડાયેલાં હોય છે. ધર્મ અને વિજ્ઞાન આ બે તેવા પહેલુઓ છે જેને સૃષ્ટિને સંતુલનમાં રાખી છે. 

   સાચો ધર્મ માણસને અંધશ્રદ્ધાળુ, અંધવિશ્વાસુ, કમજોર, હતાશ, નિરાશ ક્યારેય ન બનાવે. આપણે સૌ ધર્મની વ્યાખ્યા ને સમજ્યા જ નથી. ધર્મનો પૂછડું પકડીને માત્ર અનન્ય પ્રવાસે નીકળી પડીએ છીએ. ધર્મના નામે માત્ર બાહ્ય દેખાવ કરી આંતરિક રીતે સ્વમૂલ્યોને પૂર્ણ કરીએ છીએ. સાચો ધર્મ માણસને ક્યારેય નબળો બનાવતો નથી. સાચા સંત, ફકીર કે ફાધર ક્યારે માણસાઈ વિરોધી ન હોઈ શકે. સાચાં ધર્મગુરુ પાસે તો અન્ય કરતાં વધુ કરુણા હોય છે. આપણે સાચું ધાર્મિક શિક્ષણ મેળવ્યું હશે તો તેનો માત્ર એક મંત્ર ''સર્વ ધર્મ સમભાવ'' છે છતાં આપણે માનવીય વૃત્તિઓને જે ધર્મની છબિ ધારી આજ સાચો ધર્મ તેમ માની બેઠાં હોઈએ તો આપણે આપણી પૂર્વધારણાઓ ઉપર વધુ ચિંતન કરવાની જરૂર છે



                                                                                                                                         જૈમીન જોષી.




Sunday, May 16, 2021

મ્યુકોર્માયકોસિસ ( Mucormycosis ) :-

  •  પૃથ્વીમાં માનવ ઉપરાંત એવા કેટલાય પ્રજીવો છે જે ક્યારેક ક્યારેક પોતાની હાજરી બતાવી બેસે છે:-

mucormycosis image
Mucormycosis


   મ્યુકોર્માઇકોસિસ (જેને અગાઉ ઝાયગોમિકોસિસ કહેવામાં આવે છે) એ એક ગંભીર પરંતુ દુર્લભ ફંગલ ચેપ છે. જે મ્યુકોર્માસાયટ્સ નામના મોલ્ડના જૂથને કારણે થાય છે. આ એક પ્રકારની ફૂગ આખા પર્યાવરણમાં જીવે છે. મ્યુકોર્માઇકોસિસ મુખ્યત્વે એવા લોકોને અસર કરે છે જેમની પાસે સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અથવા નિયમિત રૂપે તેવી દવાઓ લે છે જે શરીરની જંતુઓ અને માંદગી સામે લડવાની ક્ષમતાને ઓછી કરે છે. તે હવામાં ફંગલ બીજને શ્વાસ લીધા પછી સામાન્ય રીતે સાઇનસ અથવા ફેફસાંને અસર કરે છે. તે કટ, બર્ન અથવા ત્વચાની અન્ય પ્રકારની ઈજા પછી પણ ત્વચા પર થઈ શકે છે.

   મ્યુકોર્માયકોસિસ આમ તો ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. તે એક ચેપ છે. તે મ્યુકોર મોલ્ડના સંપર્કને કારણે થાય છે. જે સામાન્ય રીતે માટી, છોડ, ખાતર અને સડો કરતા ફળો અને શાકભાજીમાં જોવા મળે છે. "તે સર્વવ્યાપક છે. તદુપરાંત માટી, હવા અને તંદુરસ્ત લોકોના નાકમાં અને લાળમાં પણ જોવા મળે છે. માનવદેહમાં તે સાઇનસ, મગજ અને ફેફસાને અસર કરે છે તથા ડાયાબિટીસ અથવા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં વ્યક્તિઓ જેવા કે કેન્સરના દર્દીઓ અથવા એચ.આય.વી / એડ્સવાળા લોકોમાં જીવલેણ બની શકે છે.

   વર્તમાન પરિસ્થિમાં કોરોનાના વધુ કેસ જોવા મળી રહ્યાં છે, જેની હાલમાં કોઈ ચોક્કસ દવા નથી. તબીબી તેમની મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારાં પરીક્ષણ કરી કેટલીક દવાઓ કરે છે. અહી  તે જાણવું પણ જરૂરી છે કે અત્યારે કોઈ દવા ચોક્કસ રૂપે અસરકારક નિવડશે તેવું કહી શકાય નહીં. કોરોનાની દવા લીધા પછી દર્દીઓમાં અનેક આડઅસર પણ જોવા મળે છે. બીજી બાજુ દવાઓ શરીરમાં અન્ય રોગને આમંત્રણ આપવાનું કામ કરે છે. રેમડેસિવીર જેવા ઈંજકસન આપવાથી શરીરમાં સર્કરાનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સારવાર રૂપે ઉપયોગમાં લેવાતી દવામાં સ્ટીરોઈડ્સનો ઉપયોગ પણ થાય છે. તો બીજી બાજુ આ રોગ દર્દીની રોગ પ્રતિકારક ક્ષમતામાં ખૂબ ઘટાડો કરે છે. મેડિકલ ક્ષેત્રમાં નિષ્ણાત તબીબીઓ માને છે કે મ્યુકોર્માયકોસિસમાં એકંદર રીતે મૃત્યુ દર 50% છે, તે સ્ટીરોઇડ્સના ઉપયોગથી ઉત્તેજિત થઈ શકે છે, પરંતુ ગંભીર રીતે બીમાર કોવિડ -19 દર્દીઓ માટે સ્ટીરોઈડ્સ જીવનરક્ષક સારવાર છે.

   સ્ટીરોઇડ્સ કોવિડ -19 માટે ફેફસામાં બળતરા ઘટાડે છે અને જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ કોરોનાવાયરસ સામે લડવા માટે ઓવરડ્રાઇવમાં જાય છે ત્યારે થતા કેટલાક નુકસાનને રોકવામાં મદદ કરે છે. પરંતુ તેઓ પ્રતિરક્ષા ઘટાડે છે અને ડાયાબિટીઝ અને નન ડાયાબિટીઝ કોવિડ -19 દર્દીઓ બંનેમાં બ્લડ સુગરનું સ્તરને દબાણ કરે છે. એવું માનવામાં આવે છે કે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો એ મ્યુકોર્માયકોસિસના આ કિસ્સાઓને ઉત્તેજીત કરી શકે છે.

   "ડાયાબિટીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછું કરે છે,  કોરોનાવાયરસ તેને વધારે છે અને તે પછી સ્ટીરોઇડ્સ જે કોવિડ -19 સામે લડવામાં મદદ કરે છે તે આગને બળતણ આપવા જેવુ કામ કરે છે.

   ડિસેમ્બર અને ફેબ્રુઆરીની વચ્ચે  પાંચ શહેરોમાં મુંબઈ,  બેંગ્લોર,  હૈદરાબાદ,  દિલ્હી અને પુણેમાં આ ચેપના 58 કેસ નોંધાવ્યા હતા. કોવિડ -19 માંથી પુન રિકવરી પ્રાપ્તિ પછી 12 થી 15 દિવસની વચ્ચે મોટાભાગના દર્દીઓએ તેનો કરાર કર્યો હતો.

 મ્યુકોર્માયકોસિસના પ્રકારો (Types of mucormycosis):­­-

1) રહીનોસીરેબ્રલ (સાઇનસ અને મગજ) મ્યુકોર્માયકોસિસ:- સાઇનસમાં એક ચેપ છે જે મગજમાં ફેલાય છે. મ્યુકોર્માયકોસિસનું આ સ્વરૂપ અનિયંત્રિત ડાયાબિટીસવાળા લોકોમાં અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા લોકોમાં સૌથી સામાન્ય છે.

2) પલ્મોનરી (ફેફસાં) મ્યુકોર્માઇકોસિસ:- કેન્સરવાળા લોકોમાં અને શરીર અંગમાં ટ્રાન્સપ્લાન્ટ અથવા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરનારા લોકોમાં મ્યુકોર્માઇકોસિસનો સૌથી સામાન્ય પ્રકાર છે.

3) ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ મ્યુકોર્માઇકોસિસ:- પુખ્ત વયના લોકોમાં સામાન્ય છે, ખાસ કરીને અધૂરા માસે  અને ઓછા વજનવાળા જન્મેલ શિશુઓમાં. જેમને એન્ટિબાયોટિક્સ, શસ્ત્રક્રિયા અથવા દવાઓ લેતાં શરીરમાં, જેમાં જંતુઓ અને માંદગી સામે લડવાની ક્ષમતાને ઘટેલ હોય છે.

4) ક્યુટેનીયસ (ત્વચા) મ્યુકોર્માયકોસિસ:-આ છિદ્રિત ત્વચા દ્વારા ફૂગ શરીરમાં પ્રવેશ્યા પછી થાય છે (ઉદાહરણ તરીકે, શસ્ત્રક્રિયા પછી, બર્ન અથવા અન્ય પ્રકારની ત્વચાના આઘાત). જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી ન હોય તેવા લોકોમાં મ્યુકોર્માયકોસિસનું આ સૌથી સામાન્ય સ્વરૂપ છે.

5) ડિસેમિનાટેડ મ્યુકોર્માઇકોસિસ:-  જ્યારે ચેપ લોહીના પ્રવાહમાં ફેલાય છે ત્યારે શરીરના બીજા ભાગને અસર કરે છે ત્યારે મ્યુકોર્માઇકોસિસ થાય છે. ચેપ સામાન્ય રીતે મગજને અસર કરે છે, પરંતુ બરોળ, હૃદય અને ત્વચા જેવા અન્ય અવયવોને પણ અસર કરી શકે છે.

mucormycosis


 મ્યુકોર્માયકોસિસના લક્ષણો(Symptoms of Mucormycosis):-

   મ્યુકોર્માયકોસિસના લક્ષણો શરીર પર ફૂગ ક્યાં વધે છે તેના પર નિર્ભર છે.

1)  રહીનોસીરેબ્રલ (સાઇનસ અને મગજ) મ્યુકોર્માયકોસિસનાં લક્ષણો:-

  • એકતરફી ચહેરા પર સોજો
  • માથાનો દુખાવો
  • અનુનાસિક અથવા સાઇનસ ભીડ
  • અનુનાસિક પુલ અથવા મોઢાનાં ઉપરના ભાગ પર કાળા જખમ કે જે ઝડપથી વધુ તીવ્ર બને છે
  • તાવ

2) પલ્મોનરી (ફેફસાં) મ્યુકોર્માયકોસિસના લક્ષણો:-

  • તાવ
  • ખાંસી
  • છાતીનો દુખાવો
  • હાંફ ચઢવી

3) ક્યુટેનિયસ (ત્વચા) મ્યુકોર્માયકોસિસ :-  તેમાં અલ્સર જેવો દેખાય છે અને ચેપગ્રસ્ત વિસ્તાર કાળો થઈ શકે છે. અન્ય લક્ષણોમાં પીડા, હૂંફ, અતિશય લાલાશ અથવા ઘાની આસપાસ સોજો શામેલ છે.

mucormycosis

 

4) જઠરાંત્રિય મ્યુકોર્માયકોસિસના લક્ષણો (Symptoms of gastrointestinal Mucomycosis):-

 

  • પેટ નો દુખાવો
  • બકા અને લટી
  • જઠરાંત્રિય રક્તસ્રાવ

 મ્યુકોર્માયકોસિસ ક્યાથી લાગે છે? (Where does Mucormycosis start?):-

mucormycosis


   મ્યુકોર્માઇસેટ્સ ફૂગનું જૂથ જે મ્યુકોર્માયકોસિસનું કારણ બને છે, ખાસ કરીને જમીનમાં અને પાંદડા, ખાતરના ઉકરડા અને પ્રાણીના છાણ જેવા ક્ષીણ થતા કાર્બનિક પદાર્થોના સહયોગથી, સમગ્ર પર્યાવરણમાં હાજર છે. તેઓ હવામાં કરતાં માટીમાં સામાન્ય રીતે જોવા મળે છે અને ઉનાળામાં તથા શિયાળો અથવા વસંતમાં વાતાવરણમાં હોય છે. મોટા ભાગના લોકો દરરોજ માઇક્રોસ્કોપિક ફંગલ બીજકણના સંપર્કમાં આવે છે, તેથી મ્યુકોર્માયકોસિસના સંપર્કમાં આવવાનું સંપૂર્ણપણે અશક્ય છે. આ ફૂગ મોટાભાગના લોકો માટે નુકસાનકારક નથી. જો કે જે લોકોએ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી છે તેમને મ્યુકોર્માઇસેટ બીજ શ્વાસ, ફેફસાં અથવા સાઇનસમાં ચેપ લાવી શકે છે. જે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.

 

મ્યુકોર્માયકોસિસની સારવાર (Treatment of Mucormycosis):-

મ્યુકોર્માયકોસિસ એ એક ગંભીર ચેપ છે. જેમાં પ્રિસ્ક્રિપ્શનમાં એન્ટિફંગલ દવા આપવામાં આવે છે. સામાન્ય રીતે એમ્ફોટેરિસિન બી, પોસાકોનાઝોલ અથવા ઇસાવ્યુકોનાઝોલ દ્વારા સારવાર આપવામાં આવે  છે. આ દવાઓ નસો (એમ્ફોટોરિસિન બી, પોસાકોનાઝોલ, ઇસાવુકોનાઝોલ) દ્વારા અથવા મોં દ્વારા (પોસોકોનાઝોલ, ઇસાવુકોનાઝોલ) આપવામાં આવે છે. ફ્લુકોનાઝોલ, વોરીકોનાઝોલ અને ઇચિનોકન્ડિન્સ સહિતની અન્ય દવાઓ મ્યુકોર્માયકોસિસનું કારણ બને છે તે ફૂગ સામે કામ કરતું નથી. મોટે ભાગે, મ્યુકોર્માયકોસિસને ચેપગ્રસ્ત પેશીઓને કાપી નાખવા માટે શસ્ત્રક્રિયાની જરૂર હોય છે.

   મોટા ભાગે આ રોગ દરેકમાં જોવા મળતો નથી પરંતુ અમુક દર્દીઓ ઊટ વૈદું કરવાં જાય ત્યાં તકલીફ ઉત્પન થાય છે. સોશિયલ મીડિયા પર આવતાં કોરોનાં ઉપચારમાં આયુર્વેદનાં નામે છાણ, ગૌ મૂત્ર અને તેવી કેટલીય વનસ્પતિનો ઉપયોગ કરવાં કહેવામાં આવે છે. ગભરાયેલ દર્દી પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરી બેસે છે અને પરિણામે આવાં રોગનો સામનો કરવો પડે છે. માટે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ડ્રગ્સનો ઉપયોગ ટાળવો જોઈએ અને જાગૃત બનવું જોઈએ. સામાન્ય રીતે આ બીમારી કોરોનાં થયાના 8 થી 15 દિવસ ની અંદર જોવા મળે છે પરંતુ તેમાં વધગટને અવકાસ છે. આ બીમારીમાં એક પ્રકારનો સડો થતો હોવાથી જેતે અંગને કાપવાનો નિર્ણય પણ લેવામાં આવે છે તથા કેટલાક દર્દીઓ મૃત્યુ પણ પામતા હોય છે. યોગ્ય સલાહ અને નિયમિત સારવાર તથા થોડી જાગૃતિથી આ રોગને હંફાવી શકાય છે. 


                                                                                                                                         જૈમીન જોષી.    

Sunday, May 9, 2021

કોરોનાએ માનવ વૃત્તિમાં વિકૃતિ ઉત્પન્ન કરી છે.(The corona has distorted human instincts.):-


  • જ્ઞાન સંપાદનમાં રોજીંદી પ્રવૃતિ મહત્વનો ભાગ ભજવે છે:- 


Corona has distorted human instincts.




   માત્ર ભારત દેશની વાત કરીએ તો હાલ સુધીમાં  2.15 કરોડ કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયા છે. જેમાંથી મૃત્યુઆંક 3.34 લાખ જેટલો છે. આ માત્ર સરકારી આંકડો છે જે તેમના ચોપડે નોંધાયો છે, પરંતુ પૃષ્ઠ પાછળ લખાયેલા એવા કેટલાય કેસ વિશે કોઈ માહિતી નથી. કેટલાય દર્દીઓએ જાતે જ ટેલિવિઝન, યુ ટ્યુબ કે સરકારી ગાઇડલાઇન પ્રમાણે અથવા ડોક્ટરની સલાહ લઈ સ્વઘરે જ હોમકોરોનટાઈન થઈ સ્વસ્થ થયા. તેવાં એક્ટિવ કેસો વિશે કોઇ તકેદારી લેવાઈ નથી કે નોંધણી થયેલ નથી.
  
   સરકારી હોસ્પિટલમાં તો દર્દી સારવાર લઈ ને સાજા થઇ ગયો હોય તે છતાં તેમના રિપોર્ટનું પરિણામ ન આવ્યું હોય તેવા કિસ્સાઓ પણ છે. પ્રાઈવેટ લેબોરેટરી વાળા ઘરે રિપોર્ટ કાઢવા આવતા નથી અને આવે તો મોં માંગેલ  પૈસા લેવાની શરતે આવે છે. નિસહાય બની લોકોએ ઉધારી કરીને પણ નાણાં ચૂકવાવવાં પડે છે. અત્યારે ભાઈ થોડા ઓછા લો કે દયા કરો જેવી વિનંતી કરવાં જેટલો પણ સમય નથી. અત્યારે કોઈ પણ નો વાંક ગુનો કે દોષારોપણ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે પરિસ્થિતિની દોર હવે કોઈના હાથમાં રહી નથી. લોકોને ખરેખર આત્મનિર્ભરતાનો સાચો અર્થ હવે સમજાય છે તેવું લાગે છે. આવી કપરી પરિસ્થિતીમાં માનવ પ્રકૃતિ પોતાના પરિવર્તનની દિશા કઈ રીતે નક્કી કરે? કયા મહત્ત્વનાં પરિબળો તેમાં ભાગ ભજવે છે? આવા પ્રશ્નો ઉપસ્થિત થાય જ છે. 
   
   માનવ વર્ષોથી કહેતો આવ્યો છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કોરોના આ કહેવતને અત્યારે પૂર્ણ રૂપે અનુસરતી હોય તેવું પ્રતીત થાય છે. જેટલો ઝડપી ફેરફાર આ વાયરસના ફેજમાં આવે છે તેનાથી ઝડપી માનવ પરિવર્તન કરી શકે તે શક્ય નથી. અત્યારે ચારેબાજુ પીડા અને અશ્રુઓનું ઘોડાપૂર વહી રહ્યું છે. કોઈએ પોતાના પિતા તો કોઈએ માતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, દાદા-દાદી તો કોઈએ આખો પરિવાર ગુમાવ્યું છે. ઘોડિયામાં કિલકારીઓ કરતાં બાળકના શ્વાસ થંભી જાય ત્યારે તેના પડઘા માતા-પિતાના કાનમાં ચીચયારીઓ સ્વરૂપે સંભળાયા કરે છે.

   કોઈ પોતાના માતા-પિતા કે સંતાન માટે લથડાતા ભટકાતા દરેક હોસ્પિટલનાં પગથીએ માથા કૂટે છે તો કોઈ દવાઓ માટે મેડિકલ સ્ટોરની લાઈનોમાં આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. આંસુઓ પ્રસ્વેદ બનીને હવામાં ભળી  રહ્યો છે. લોકો પોલીસોના પગે પડીને સહાયતાની માંગણી કરે છે, દર્દીઓ મેડિકલ સ્ટાફ પાસેથી ઉધારના શ્વાસ માંગે છે. સ્વજન માટે રસ્તાની ધૂળ ચાટનાર, પોલીસનો માર ખાનાર કે મેડિકલ સ્ટાફનો ધુત્કાર સહન કરનાર વ્યક્તિની મનોદશા વિશે કોઈએ કલ્પના કરી છે ખરી?

   રૂસોના મતાનુસાર માનવ પ્રકૃતિ જ્યારે તેના સર્જકના હાથમાંથી નીચે ઉતરી ત્યારે સારભૂત રીતે શુભ હતી. તે અણવિકસીત હતી. અત્યારે માનવ પાસે કોઈ આવેગ કે લાગણી નથી માત્ર લાચારી છે. ઇચ્છાશક્તિનું મૂલ્ય શૂન્ય છે. બુદ્ધિ કર્તવ્યપાલન નથી રહી. કોરોનાએ આપણને શું શીખવ્યું તેવા મસમોટા લેખો લોકોએ છાપી અને ફોરવોર્ડ કર્યા પરંતુ સવાલ કંઈક આવો પણ એક હોવો જોઈએ કે કોરોનાએ આપણી પાસેથી શું છીનવી લીધું? આધ્યાત્મિક વ્યક્તિ પણ સ્થિતપ્રજ્ઞ હોતો નથી તો સામાન્ય માનવ નો લાગણી, પ્રેમ, કરુણા, પીડા, ઈચ્છા, લાચારી, સ્નેહ,ગુસ્સો ,ધૃણા વગેરે  જેવા ગુણોથી ભરેલો હોય તે સીધી વાત છે.

   કોઈ એક ઘટનામાંથી વ્યક્તિ જ્યારે પસાર થાય છે ત્યારે જે પીડા ભોગવે છે તેવી પીડા તે પુનઃ  ભોગવતો નથી. પ્રથમ વખત પ્રેમમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ પુનઃનિષ્ફળતાથી પ્રથમ વખત જેટલો ગાયલ કે ભયભીત ન હોય. એક ખૂન કર્યા પછી બીજા ખૂન કરતી વખતે હાથમાં કંપારી કે ચહેરા ઉપર પ્રસ્વેદ બિંદુ હોતું નથી. એક વખત ચોરી કરનાર બે, ત્રણ, ચાર વખત એમ સરળતાથી ચોરી કરી શકે છે. તે ભયમુક્ત બને છે. જે નાનપણથી માર ખાતો આવ્યો છે તે હિંસાત્મક કર્યો થી ગભરાશે નહીં. તેના માટે હિંસા એ રોજીંદી બાબત છે. બાળ કેળવણી વિષે આપણે અવગત છીએ જે અહી પણ લાગુ પડે જ છે. જેને  જાહેરમાં અપમાન જીરવ્યા છે તેને  માન-સન્માનથી કઈ જાજો ફેર પડતો નથી. આપણને લાગે છે કે ભયભીત થવું ખોટું છે પરંતુ તે જ ભય છે જેણે આપણને દાનવ બનતાં રોકી રાખ્યા છે તે પણ આપણે સ્વીકારવું જોઈએ. ભય, મર્યાદા અને લાગણી વગરનાં એક સમાજની કલ્પના કરો શું દેખાય છે?
 
    જે વ્યક્તિએ તેની આંખો સામે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. જેમને લોકોનાં પગમાં પડી આજીજી કરી છે. જેને પોલીસના ડંડા વગર વાંકે સહન કર્યા છે અથવા બિનજરૂરી દંડ ભર્યો છે. જેની આંખો સામે ભ્રષ્ટાચારનું આખું માર્કેટ ઊભું થયેલું જોયું છે. સરકારી તંત્રની નિષ્ફળતા, હોસ્પિટલોની મનમાની, અસુવિધા, પોલીસની દાદાગીરી, એકબીજા સાથે ધક્કા મુક્કી કરી માનવતા નેવે મૂકવી પડે તેવા બિનઇચ્છિત લીધેલ નિર્ણય, ચક્કર ખાઈને પડેલ શરીર કે ત્રણ ત્રણ દિવસની લાઇનમાં ઊભેલાં વ્યક્તિની ભૂખ અને તરસથી થતી ગંભીર હાલત, ખભે, લારીમાં કે ઢસડતા સ્વજનના મૃતદેહ, એક પ્લાસ્ટિકની બેગમાં લપેટાયેલ દેહ જેને પારખી પણ ન શકાય. સ્વજન ને ભેટીને રડી પણ ન શકાય કે અંતિમ વિધિ પણ પૂર્ણના કરી શકયાનો વસવસો. દરેક ઘટનાઓએ માનવ મનમાંથી એક પ્રકારનું તત્વ નિષ્ક્રિય કરી દીધો છે. શ્વાસ ચાલવા છતાં જાણે અંદરથી કઈ મૃત થઈ ગયું હોય તેવી લાગણી ઉત્પન કરી નાખી છે. માનવ ખુલ્લા મને રડી પણ શકતો નથી. માનવ કરુણા મૃત્યુ પામી છે. હવે આવનારા સમયમાં વ્યક્તિ વ્યક્તિને મારતા, ગુનાઓ આચરતા કે માનવતા નેવે મુકતા કે આતંકવાદી બનાવવાનાં ક્ષોભ અનુભવવાની લાગણી મૃત પામી ગઈ હશે.આ વધારાનું  જોખમ છે.

   જે વ્યક્તિએ ક્યારેય સરકારી નિયમો, રાજનીતિ, હોસ્પિટલો કે અધિકારી પોલીસ કર્મી સાથે ક્યારેય સીધી રીતે ઇન્ટરેસ્ટ લીધો નથી તેમને હવે મને કમને આ તમામનો અનુભવ થઈ ચૂક્યો છે. વ્યક્તિના માનસિક નિર્ણયો અને સિદ્ધાંતો ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તિત પામી ચૂક્યા છે. કરુણા મરી પરવારી છે. આંસુ સુકાઈ ગયા છે. સત્યની વાતો હવે પુસ્તકના પાનાની અંદર દબાઈ જવાની છે. વ્યક્તિઓએ કરેલી પસંદગી પુરોગામી ઘટનાઓની જરૂરિયાત દ્વારા નક્કી થતી હોય છે જે હવે એક માનસિક રીતે વિશાળ દાનવમાં પરિણમે તેવી પણ સંભાવના છે.

   અલબત્ત આ સમયે આપણને સમાજના એવા ઉત્કૃષ્ટ નાગરિકોનો અનુભવ પણ થયો છે જેમને રાત દિવસ  મહેનત કરી અને માનવતા દાખવી છે, પરંતુ તેની પાસેથી પ્રેરણા લેવા જેટલી બુદ્ધિ પણ ક્ષીણ થઈ ગઈ છે. જ્યારે પેટ ભૂખ્યું  હોય ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય છે. હવે આવનાર સમયમાં માનવોએ માનવતાના વધુ મુખોટા પહેરવા પડશે કારણ કે હવે જે ચહેરા હશે તે કરુણા, માનવતા, લાગણી અને દયાહીન હશે. મનુષ્યની પ્રકૃતિ હવે પુનઃ પ્રાપ્ત કરવી અઘરી છે તે પણ વિચારવા જેવું છે. સંખ્યા અનુસાર 56 મિલિયન ભારતીયો હતાશાથી પીડાય છે અને બીજા 38 મિલિયન ભારતીય ચિંતાના વિકારથી પીડાય છે. આવનાર સમયમાં આ આકડો ચોક્કસ વધશે તેના એંધાણ તો અત્યારથી આવી જ ગયા છે. માણસ હવે વધુ નનામો બની શકે છે. વ્યક્તિએ માનસિક રીતે સ્વસ્થ રેહવા માટે અલગ અલગ માર્ગના સહારા લેવા પડશે તે પણ ચોક્કસ છે. 

                                                                                                                               જૈમીન જોષી.


Saturday, May 8, 2021

આંશિક લોકડાઉન - વેપારીઓના ઘરની કથળતી સ્થિતિ (Partial Lockdown - Deterioration of Merchant's Home )- :

  •  વેપાર એ દેશનાં આર્થિક પાયા માટે મહત્વનું પરિબળ છે, તેનું ચોક્કસ આંકલન થવું જોઈએ-:


 
lockdown image


   કેટલાક રાજ્યોએ સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરી દીધું છે, પરંતુ અમુક રાજ્યો હજુ ચર્ચાઓ સિવાય કોઈ નિર્ણય પર આવતાં નથી. સરકારે આંશિક લોકડાઉનની જાહેરાત તો કરી દીધી પરંતુ તેનું કોઈ પરિણામ આવે એવું લાગતું નથી. બીજી બાજુ વેપારીઓ હવે વિરોધ કરી રહ્યા છે. જો હવે સરકાર 12 તારીખ સુધીમાં નિર્ણય જાહેર નહીં કરે તો અમે વેપાર ચાલુ કરી દઈશું તેવી ચીમકી અપાઇ ગઈ છે. સરકાર અમને ચોક્કસ દુકાન ખોલવા સમય આપે તેવી પણ માંગ થઇ છે. આવા સમયે સરકાર માત્ર આંશિક લોકડાઉન કરીને શું પરિણામ લાવવા માંગે છે તે સમજાતું નથી. આતો બંડી પહેરીને મચ્છરથી બચવા નિકળ્યા હોય તેવી વાત થઈ. 

   આંશિક લોક ડાઉનની સીધી કે આડકતરી અસર સામાન્ય વર્ગના વેપારી કે ધંધાદારીઓને થઈ છે. વેપારીઓનો આક્રોશ ખોટો નથી કેમ કે તેમને કોઈ સહાય મળતી નથી. જે સરકારી અધિકારીઓ છે તેતો પોતાની સાત પેઢીઓ બેઠાં બેઠાં ખાઈ શકે તેટલી સંપત્તિ ભેગી કરીને બેઠાં છે. જે સરકારી કર્મચારી છે તેમને માટે લોકડાઉન એટલે વેકેશનની જાહેરાત જેવું છે. આવાં લોકોના મુખેથી પરિવાર સાથે સમય વિતાવવો કે માતા પિતા માટે સમય ફાળવવો. બાળપણને યાદ કરી રમતો રમવી કે બાળકો સાથે સમય વિતાવવો જેવી વાતો કરવી શોભે તેવી છે. મહિને મોટી રકમ ખાતામાં જમા થતી હોય ત્યાં કાલે શું ખાયશું? તેની ચિંતા કરવાની જરૂર ઊભી થતી ન હોય માટે  તેમને કોઈ ફર્ક પડતો નથી. આવો વર્ગ ઘરે રહો સ્વાસ્થ રહો જેવાં કેટલાય ઉદાહરણ અને વાર્તા સાથે સલાહો આપતાં હોય છે પણ બીજી બાજુ કેટલાય લોકો એવા છે જેમને કાલે કેમ કેમ પેટ ભરીશું? તેની ચિંતામાં આજે ઊંઘ નથી આવતી.

   આંશિક લોકડાઉનમાં મસ મોટા ઉદ્યોગો તો ધમધમે જ છે. કેમ કે તે સરકારને ટેક્ષ રૂપે નાણાં જમા કરાવતી હોય છે અને દેશના જીડીપી દર જાળવી રાખવામાં મદદરૂપ છે. પરંતુ મધ્ય વર્ગના વેપારી જે રોજ સાઈકલ કે રીક્ષા લઈને 35 ડિગ્રી તાપમાં ગળીઓમાં બૂમો પાડી પાડીને વસ્તુ વેચવા નીકળે છે તેમનું શું? આખા વર્ષથી વેપારીઓને ખાસ કઈ કમાણી થઈ ન હોય ત્યાં તેમને આવું 'ન રો વા કુંજ રોવા' જેવું લોકડાઉન  ન પરવડે તે સીધી વાત છે. લગ્ન ગાળામાં ધંધા બંધ રહ્યા, પોલીસ  ખાતા દ્વારાં  મોટા મોટા દંડ વસૂલાયા, દુકાનો સીલ કરવામાં આવી. લારીઓ ઉંધી પાડી દેવામાં આવી, શ્રમિકોને ઢોર માર મારીને ભાગાડવામા આવ્યાં, પગાર કાપી લેવામાં કે પેન્ડીંગ રાખવામાં આવ્યાં. આસું સારતી પ્રજાને કાયદાનો ડર બતાવી એક જગ્યાએ પૂરી દેવામાં આવ્યાં. નનામાં લોકો દ્વારા નિર્દોષ પ્રજા ઉપર અંગ્રેજોની જેમ એક પક્ષીય દંડ ફટકાર કરવામાં આવ્યો.

   છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ભરતી બંધ છે એટલે રોજગારીની નવી કોઈ તકો ઉભી કરવામાં નથી આવી. કોરોના છેલ્લા એક વર્ષથી છે પરંતુ રોજગારીના નામ પર માત્ર અંગૂઠા ધવડાવવામાં આવ્યાં છે. પ્રાઇવેટ કંપનીઓએ ભરપૂર શોષણ કર્યું છે. કુદરતી આફતો કરતા માનવ આફતો એ ભરપૂર પ્રજાનું શોષણ કર્યું છે. અને હવે કોરોના નામક બીમારીનું મોટું બાનુ તેમનાં ખોળામાં પડી ગયું છે. પ્રજા માટે પડ્યા પર પાટું વાગ્યા જેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકા દ્વારા સ્વેચ્છીક લોકડાઉનની માંગણીને વેપારીઓએ સમર્થ આપ્યું. પોતાનાં ધંધા બંધ કરી જાતે પોતાની ફરજ નિભાવી પરંતુ કેટલા દિવસ?  હવે આંશિક લોકડાઉનમાં બધું તંત્ર તો ચાલે જ છે એટલે કેસ તો રોકાઈ શકવાના નથી. પૂર્ણ લોકડાઉન હોત તો વાત અલગ હતી પરંતુ હવે વેપારીઓ આક્રોશમા આવ્યાં છે.

   તદ્ઉપરાંત મોંઘવારી વધી છે. વસ્તુઓની અછતના કારણે થોડી ઘણી બચત પણ હવે પૂર્ણ થવાને આરે છે. સમય આવે વેપારીઓ પાસેથી સરકાર  ટેક્સની માંગ કરશે. વીમાં કંપનીઓએ તેમના પ્રિમિયમમાં વધારો કરી દીધો છે. પેટ્રોલમાં જંગી ઉછાળો છે. શાળામાં કશું જ ન કરાવા છતાં વાલીઓ પાસેથી મોટી ફીની વસુલાત કરાઈ છે. ટોલ ટેક્ષ, બસ ભાડું, એરલાઈન, ટ્રેન આ દરેકમાં ભાડા ભરખમ વધારવામાં આવ્યાં છે. ખેડૂતોની જેમ વેપારીઓના ખાતામાં પૈસા પડતાં નથી. આરક્ષણને કારણે નોકરીઓ મળતી નથી, બીપીએલમાં નામ નથી આવતું અને સરકારી યોજનાઓનો કોઈ લાભ મળતો નથી. સરકાર જો તેમની જવાબદારી લેવા સક્ષમ ન હોય તો વેપારીઓના જીવન ધોરણને સ્થગિત કરવાનો તેમણે અધિકાર કોણે આપ્યો? આ એ પ્રજા છે જેમણે એક સમયની ખીચડી ખાવા આખો દિવસ પગની એડીઓ ઘસી નાખી છે. રાજ રમતો, સ્વાર્થી અને એક પક્ષીય નિર્ણયોનો ભોગ બનતા વેપારીઓએ પેટ ક્યાંથી ભરવું તે મોટો સવાલ છે.
   
   સરકાર નિર્ણય ન લઈ શકવા પાછળ તેમનાં પોતાનાં ઘણાં કારણો હશે. ઔદ્યોગિક ઉત્પાદનનાં અને આંતરરાષ્ટ્રીય નિયમો પણ મોટો ભાગ ભજવતાં હશે તે પણ માની લઈએ. પરંતુ મોટા મોટા મુદ્દાઓ અને કારણોની સામાન્ય માણસને કોઈ વધુ માહિતી હોતી જ નથી તેમને માત્ર પોતાનાં ઘર ચલાવાથી મતલબ હોય છે. તે અન્ય કોઈ સંઘર્ષમાં ઉતારવા માંગતા નથી અને સક્ષમ પણ નથી. ગધેડા ઉપર રેતીની બોરી મૂકી પાણીમાં બેસાડવા જેવી સ્થિતિ છે. સમગ્ર બાજુથી તેમનાં પર ભાર વધ્યો છે. હવે કાતો સહાય આપો નહીતો વેપાર કરવાની છૂટ આપો. મનમાની કરવા માટે આ કોઈ બિનલોકશાહી દેશ નથી તે યાદ રાખવું રહ્યું.
                                 
                                                                                                                                       જૈમીન જોષી.
                               

Saturday, April 10, 2021

રેમડેસિવીર શું છે? (What is Remdesivir ?)

  • કોરોનાની કોઈ પણ દવા અત્યારે માનવ પર થતું પરીક્ષણ જ છે:-

remdesivir image


    ઓક્ટોમ્બરના અંતમાં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ નોવેલ  કોરોના વાયરસ (કોવીડ-19) ના દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ દવાઓમાં રેમડેસિવીરને સત્તાવાર રીતે મંજૂરી આપી હતી. જે તેને COVID-19 ની સારવાર માટે એફડીએ દ્વારાં મંજૂરી મેળવનારી પ્રથમ દવા છે. ગંભીર રીતે બીમાર COVID-19 દર્દીઓની સારવાર તરીકે આ દવા છેલ્લા સમયથી હેડલાઇન્સમાં છે.

   મે મહિનામાં એફડીએ એપ્રિલના અંતમાં પ્રકાશિત થયેલા નોંધપાત્ર અભ્યાસના પ્રારંભિક પરિણામોના જવાબમાં રેમડેસિવીર માટે કટોકટી ઉપયોગની અધિકૃતતાનું માળખું બહાર પાડ્યું હતું. અભ્યાસ દર્શાવે છે કે ગંભીર COVID-19 ના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, જેમણે પ્લેસબોને બદલે રેમડેસિવીર મેળવ્યું હતું, તેઓ 31 ટકા વધુ ઝડપથી પુન:પ્રાપ્તિ થયા, તેઓને 15 દિવસની જગ્યાએ લગભગ 11 દિવસ પછી હોસ્પિટલથી સ્વસ્થ રૂપે રજા આપી દેવાઈ.

   અત્યાર સુધી કોઈ પણ  બીમારીની સારવાર માટે રેમડેસિવીરને ક્યારેય એફડીએ દ્વારાં મંજૂરી મળી ન હતી, તેથી એફડીએને તપાસની (ક્લિનિકલ ટ્રાયલ) સેટિંગની બહાર ડોકટરોને દવાઓની સક્સેસ આપવા માટે કટોકટીના ઉપયોગની મંજૂરી આપવી પડી હતી. મે થી શરૂ થતાં ડોકટરો ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લેતા દર્દીઓ માટે તેના વપરાશને મર્યાદિત કરવાને બદલે ગંભીર કોવિડ -19 માં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને રેમડેસિવીર આપવા સક્ષમ હતા.

   હોસ્પિટલમાં દાખલ COVID-19 દર્દીઓએ રાષ્ટ્રવ્યાપી રેમડેસિવીર પ્રાપ્ત કરવાનું શરૂ કર્યા પછી એફડીએએ ડ્રગની અસરકારકતા વિશે નવા ડેટાનું મૂલ્યાંકન કર્યું. ઑગસ્ટમાં એફડીએએ તેના કટોકટીના વપરાશના અધિકૃતતાને વિસ્તૃત કરી હળવા અને મધ્યમ રોગવાળા લોકો સહિત કોવિડ -19 સાથેના તમામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને દવા પ્રાપ્ત કરવાની મંજૂરી આપી અને ઓક્ટોમ્બરમાં એફડીએએ કટોકટી ઉપયોગની ઑથોરાઇઝેશન દવાથી રેમડેસિવીરની સ્થિતિને એફડીએ માન્ય દવામાં બદલી.

    તાજેતરની એફડીએ મંજૂરી અને કટોકટી વપરાશની મંજૂરી પહેલાં રેમડેસિવીરને તપાસની દવા માનવામાં આવી હતી. તેનો ઉપયોગ કોઈ પણ સ્થિતિની સારવાર માટે ક્યારેય કરવામાં આવતો ન હતો, પરંતુ તે ઘણા રોગોની સંભવિત સારવાર તરીકે અભ્યાસ કરવામાં આવ્યો હતો. એટલે કે  તે માત્ર એક વિષય હતો.

   મૂળરૂપે તે હિપેટાઇટિસની સંભવિત સારવાર તરીકે બનાવવામાં આવી હતી. 2014માં ઇબોલા વાયરસની સંભવિત સારવાર તરીકે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારથી અન્ય કોરોનાવાયરસ સામે તેની અસરકારકતાનો અભ્યાસ વાયરસનાં ઉદ્ભવ તરીકે થયો. સંશોધનકારોએ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસ સિન્ડ્રોમ (એસએઆરએસ) અને મધ્ય પૂર્વ શ્વસન સિન્ડ્રોમ (એમઇઆરએસ) સામે અસરકારક હોવાનું રેમડેસિવીરને માનવામાં આવ્યું, જોકે સંશોધન ફક્ત ટેસ્ટ ટ્યુબમાં અને પ્રાણીઓ પર કરવામાં આવ્યું હતું, મનુષ્યમાં નહીં.

   સંશોધન બતાવે છે કે જ્યારે મધ્યમ COVID-19 ના દર્દીઓ રેમડેસિવીર મેળવે છે, ત્યારે તેમના લક્ષણો વધુ ઝડપથી સુધરે છે. દર્દીની હોસ્પિટલના રોકાણોની અવધિ ટૂંકી બતાવવા માટે પણ આ દવા બતાવવામાં આવી છે. ગંભીર રીતે બીમાર COVID-19 દર્દીઓમાં, રેમડેસિવીર ઓછા મૃત્યુ સાથે સંકળાયેલું છે.

  રેમડેસિવીર વાયરસનાં ઉત્પાદનમાં વિક્ષેપ તરીકે કામ કરે છે. કોરોના વાઈરસમાં જીનોમ હોય છે જે રિબોન્યુક્લેઇક એસિડ (આરએનએ) હોય છે. રેમડેસિવીર વાયરસને આર.એન.એ.ની નકલ કરવાની જરૂરિયાતવાળા કીમાંના એકમાં દખલ કરે છે. આ વાયરસને ગુણાકાર એટલે કે વધારો કરતા અટકાવે છે.

 
remdesivir structure
Remedivil structure



 રેમડેસિવીરના સ્ટ્રક્ચરને જોઈએ તો સમજાય કે તે એક ન્યુક્લિઓટાઈડ એનેલોગ છે. હવે જે સાયન્સનાં વિધ્યાર્થી  નથી તેને આના વિષે બિલકુલ ખ્યાલ નહીં હોય એટલે સીધી ભાષામાં સમજીએ તો માનવ ડી.એન.એ માં ત્રણ પ્રકારની વસ્તુઓ હોય છે. નાઇટ્રોજનિસ બેસિસ, સુગર અને ફોસફેટ ગ્રૂપ. આ ત્રણેય ભેગા મળીને બને તેને ન્યુક્લિઓટાઈડ કહે છે. આવા કેટલાએ ન્યુક્લિઓટાઈડ  ભેગા મળીને ડી.એન.એ બનતો હોય છે.  એટલે આ એક પ્રકારનાં ન્યુક્લિઓટાઈડ એનાલોગ છે. તે એક પ્રો દ્રૂગ છે. પ્રો દ્રૂગ એટલે માનવ દેહની બહાર તે નિષ્ક્રિય હોય છે અને અંદર તે સક્રિય બની જતાં હોય છે. કોરોના વાઇરસ જ્યારે માનવ કોષમાં પ્રવેશ કરે છે ત્યારે તે સક્રિય બની તેની સંખ્યામાં વધારો કરતાં હોય છે.  જેની સાઈકલને તોડવાનું અને રોકવાનું કામ રેમડેસિવીર કરતું હોય છે.  આ આખી પદ્ધતિમાં આર.એન.એ મૂળ છે કેમ કે આખી પ્રક્રિયા તેનાં આસપાસની જ હોય છે. જે જટિલ છે. 

   આમ જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતી પ્રમાણે કોરોનાની વેક્સિન હોય, રેમડેસિવીર, કે અન્ય કોઈ મેડિસિન. અત્યારે જે આપણાં પર થાય છે તે માત્ર માનવ પરીક્ષણ જ કહેવાય. કોઈ પણ દવાને કોરોના નાશક  ગણી શકાય નહીં.    


                                                                                                                             જૈમીન જોષી. 


Sunday, March 28, 2021

પ્લાસ્ટિકની શોધ કોણે કરી? (Who invented plastic?)

  • પ્લાસ્ટિકની શોધ સમાજને ઉપયોગી ખરી પણ પર્યાવરણ માટે ખતરા રૂપ છે. 



Who invented plastic?


   વિજ્ઞાનની ઘણી બધી શાખાઓમાં રસાયણ વિજ્ઞાન પણ એક છે. જે વિવિધ પદાર્થની જન્મદાતા તરીકે કાર્યરત સાબિત થઈ છે. પૃથ્વી પર એવી કોઈ ભાગ્યેજ જગ્યા હશે જ્યાં રસાયણિક પ્રક્રિયાઓ નહિવત હોય. પ્રાથમિક શાળામાં જ આપણને વિવિધ તત્વો અને મિશ્રણ વિશે માહિતી આપવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનમાં તો રસાયણિક ક્રિયાઓ વિશે પણ પ્રાથમિક શિક્ષણમાં શીખવવામાં આવે છે.

   જ્યાં રસાયણોની વાત થાય ત્યાં પર્યાવરણની જાળવણીની ચિંતા અને પ્રદૂષણ નિયંત્રણની ચિંતા સહજ રીતે જ ઊપજી આવે છે. કારણ કે દરેક વ્યક્તિને મગજમાં સીધી કે આડકતરી રીતે કુદરતી તત્વોની જાળવણીની ચિંતા કરવાનું શીખવી દેવામાં આવ્યું છે અને તે જરૂરી પણ છે પરંતુ તે પણ જાણી લેવું જરૂરી છેકે જે પ્રકારે ચાઈનીશ પ્રોડક્ટસનો સપૂર્ણ બહિષ્કાર શક્ય નથી તેમજ રસાયણો દ્વારાં ઉત્પન થતાં પદાર્થોનો ઉપયોગ ન કરવો કે ચલાવી લેવું તે પણ શક્ય નથી. પ્રદૂષણ ફેલાવનાર તત્વોમાંનું એક મહત્વનું તત્વ પ્લાસ્ટિક વિશે તો આપણે સૌકોઈ જાણીએ છીએ અને તેના ઉપર સરકાર દ્વારાં લગાવેલ રોક અને કાયદા વિશે પણ આપણે પરિચિત છીએ. પણ મૂળ પ્લાસ્ટિકની બનાવટ અને સોધની કથા પણ રોચક છે.

   વર્ષો પહેલાં એક ગરીબ લુહારનો છોકરો હતો. તેને રમતગમતનો અને સંગીતનો ખૂબ ભારે શોખ હતો. આમ જોવા જઈએ તો તે સમયે બંને શોખ ખર્ચાળ હતાં. તે સમયે રમતગમતમાં સૌથી વધુ પ્રચલિત બિલિયર્ડ રમત હતી. બિલિયર્ડ એ એક ક્યૂ (લાંબી લાકડી) વડે રમાતી રમત છે, જેને લીલા જાડા ઊનના કપડાથી આચ્છાદિત વિશાળ ટેબલ પર રમવામાં આવે છે. સાદી ભાષામાં આપણે તેને સ્નૂકર તરીકે ઓળખીએ છે. જે બ્રિટિશ લશ્કરી અધિકારીઓ દ્વારાં ભારતમાં રમાતી રમત હતી. તે સમયે તેના બૉલ કીમતી હાથીદાંતમાંથી બનતા હતાં. તે જ પ્રમાણે સંગીતમાં પણ તેને પિયાનો ખૂબ ગમતો હતો. આ પિયાનામાં હારમોનિયમના જેવી દબાવવાની કળો તે પણ હાથીદાંતમાંથી જ બનતી. આજે પણ જ્યાં હાથીદાંતની કિંમત આટલી મસમોટી હોય તો ત્યારે તો કેટલી હશે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. આમ પિયાનો કે બિલિયર્ડના બૉલની કિંમત લુહારના છોકરાનેના પોસાઈ તે આપણે સમજી શકીએ છીએ. આ ગરીબ છોકરાને થયું કે વસ્તુઓ સસ્તી કરવા માટે અન્ય કોઈ માર્ગ શોધવા જોઈએ. હવે હાથીદાંત મેળવવા તો શક્ય હોય શકે નહીં એટલે એવી કોઈ વસ્તુ શોધવી પડે જે હાથીદાંત કરતાં ખૂબ જ સસ્તી અને સરળતાથી મેળવી શકાતી હોય અને જે જોખમી પણ ન હોય. વિચાર જેટલા સરળ હોય છે પ્રયત્ન તેટલા જ આકરા કરવાં પડે છે. લુહારના દીકરાએ પ્રયત્નો શરૂ કર્યા. તે એક એક બબ્બે વસ્તુ ભેગી કરી અને પ્રયોગો કરવા લાગ્યો. પરિણામ સ્વરૂપ જે વસ્તુ પ્રાપ્ત થાય તેને ચકાસે અને જો નિષ્ફળ ગયો હોય તો નિરાશ થયા વગર તેને બાજુમાં મૂકી ફરી પાછો નવા પ્રયોગો કરવાં લાગે. એકવાર તેનો પ્રયોગ આકસ્મિક રીતે જ સફળ થઈ ગયો. આપણે સૌ કપૂરથી પરિચિત જ છીએ. તે એક કાર્બનિક પદાર્થ છે. આ લુહારના છોકરાએ આ કપૂરને બીજો એક પદાર્થ જે સેલ્યુલોઝ નાઇટ્રેટ તરીકે ઓળખાય છે તેની સાથે ભેગો કરીને ગરમ કર્યો. એકાએક બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તેમાંથી એક તદન નવો જ પદાર્થ આકાર પામ્યો. આ નવનિર્મિત પદાર્થ ઘન, સફેદ રંગનો અને કઠણ હતો. લુહારના છોકરાએ આ પદાર્થનું નામ સેલ્યુલોઇડ ' રાખ્યું. આ સેલ્યુલોઇડ એટલે વિશ્વનું પ્રથમ પ્રાપ્ત થયેલું પ્લાસ્ટિક.

   આમ, સન ૧૮૬૮ માં પ્લાસ્ટિકની પ્રથમવાર શોધ કરનાર આ ગરીબ લુહાર બીજું કોઈ નહીં પણ જોન ડિયાટ હતાં. સમય સાથે તેના પર વધુ પરીક્ષણો થયા અને તેમાથી બે મુખ્ય પ્રકારનાં પ્લાસ્ટિક સેલ્યુલોઇડ તથા બેકેલાઇટ મળ્યાં. રાસાયણિક વિજ્ઞાનની દૃષ્ટિએ જોવામાં આવે તો તે મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક જાતનાં પ્લાસ્ટિકને ગરમી વડે નરમ બનાવી ઇચ્છીએ તે ઢાળમાં ઢાળી શકાય છે. જોઈતા ઘાટમાં વાળી શકાય છે. તથા તેનું પ્રવાહી પણ બનાવી શકાય છે . દા.ત. પોલીથીન જે પોલી ઈથિલીન પ્લાસ્ટિક છે . આથી ઊલટું થર્મોસેટિંગ પ્લાસ્ટિક એકવાર બની ગયા પછી ગરમીથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાતું નથી , દા.ત. બેકેલાઈટ, ફોરમાઇકા વગેરે.

   પ્લાસ્ટિક એક પેટ્રોલિયમ પેદાશ છે. જે એક પ્રકારના પોલીમર જ છે. જમીનમાંથી નીકળતાં ક્રૂડ ઓઇલને આપણે પેટ્રોલિયમ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. ક્રૂડ ઓઇલને જમીનમાંથી નીકાળીને ભિન્ન ભિન્ન તાપમાને અલગ કરવામાં આવે છે. જેમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા વગેરે પ્રાપ્ત થાય છે. નેપ્થા એક જટિલ હાઈડ્રો કાર્બન છે જે એક લાંબી કાર્બન શૃંખલા ધરાવે છે. નેપ્થા પરથી અલગ મોનોમર બનાવનામાં આવે છે. આમ નેપ્થામાંથી પોલીમર બનાવવાની એક આખી લાંબી પદ્ધતિ છે. જે રોચક છે અને ખર્ચાળ પણ.

   પ્લાસ્ટીલ નો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. ખુરશી, ટેબલ, રસોડામાં, પાણીની બોટલ, બ્રશ, થેલી, થાળી, ગ્લાસ, પેકિંગ બેગ વગરે...  પ્લાસ્ટિકને બાળતા તેમાંથી ઝેરી વાયું ઉત્પન થાય છે. જે પર્યાવરણ માટે ખૂબ પ્રદૂષણ ફેલાવનાર તરીકે સાબિત થયું છે. તદુપરાંત તેનું સરળતાથી વિઘટન પણ થતું. માનવીઓએ આવનારા સમયમાં તેનો બને તેટલો ઓછો ઉપયોગ કરવાનું શીખવું પડશે. પ્લાસ્ટિકની જગ્યા એ અન્ય પદાર્થ ઉપયોગમાં લઈ શકાય તેનું પરીક્ષણ પણ વૈજ્ઞાનિકો દ્વારાં થઈ રહ્યું છે.        

                                                                                                               જૈમીન જોષી. 






Saturday, March 6, 2021

કુત્રિમ વરસાદ - વિજ્ઞાનની એક અનોખી શોધ (Artificial rain - a unique discovery of science)

  •  વિજ્ઞાન દ્વારાં થયેલ  શોધો એ માનવ સમાજને મળેલ આયુષ્ય  છે :-

 


   કૃત્રિમ  શબ્દથી આપણે પરિચિત છીએ. માનવ પોતાનાં વિચારો અને પ્રયોગો દ્વારાં જે કઈ નવી શોધ ખોળ કરતો હોય છે તેનાં પરિણામ હંમેશા  ફાયદાકારક રહ્યા છે. માનવ પેઢીને પ્રગતિશીલ બનવવામાં વિજ્ઞાનનો બહુ  મહત્વનો ફાળો છે અને વિજ્ઞાનીઓનાં ચાતુર્ય અને પરિશ્રમનું યોગદાન છે. અહીં એ પણ માનવું જરૂરી છે કે માનવે હર હંમેશ કુદરતનાં કાર્યમાં હસ્તક્ષેપ કર્યો છે અથવા કરવો પડ્યો છે. પરિસ્થિતિને સાનુકૂળ બનાવવાં માનવે સગળા પ્રયત્નો કર્યાં છે અને કરવા પણ જોઈએ. તે પ્રકારનું સામર્થ્ય માત્ર માનવી પાસે જ છે. 
   
   ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અનાજનો બહુ મોટો સ્ત્રોત ભારતમાંથી ઉત્પન્ન થાય છે. ખેતીવાડીની ફળદ્રુપ જમીન અને ચિંચાય માટેના સ્ત્રોતો ભારત પાસે પૂરતા છે. વિજ્ઞાન એવું કહે છેકે કોઈ પણ વનસ્પતિને વૃદ્ધિ પામવા માટે હવાં પાણી અને ખોરાક જરૂરી છે અને તેની સાથે ઉષ્મા (સૂર્ય) પણ. આપણો દેશ  પાણી માટે મોટેભાગે વરસાદ પર જ આધાર રાખે છે. વરસાદ કઈ રીતે પડે છે તે તો તમે સૌ જાણતા જ હશો. 
 
  સૂર્યની ગરમી દરિયો, સરોવર, તળાવ, ઝરણા, નદીનાં પાણી ઉપર પડે છે. ગરમીનાં કારણે બાષ્પીભવનની ક્રિયા થાય છે એટલે કે પાણીનું વરાળમાં  રૂપાંતર  થાય છે. ઉત્પન્ન થયેલી બાષ્પ વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરતી હોય છે માટે તે ઓછા દબાણ ધરાવતાં વિસ્તાર તરફ ગતિશીલ થાય છે. આમ ઉત્ત્પન થયેલી વરાળ હલકી તથા વાયુસ્વરૂપ હોવાથી હવામાં ઊંચે જાય છે અને કેટલીક રસાયણિક ક્રિયાઓ દ્વારાં તેમાંથી વાદળ બંધાય છે. વાદળ એ બીજું કઈ નહીં પરંતુ પાણીના કણો છે. જ્યારે ઉપરની હવા એકાએક ઠંડી પડે ત્યારે વાદળમાંથી અમુક સંજોગોમાં પાણીનાં ટીપાં થઈ વરસાદ પડે છે. આ વરસાદ પૃથ્વી પર અલગ અલગ જગ્યા એ અલગ અલગ સમયે પડતો હોય છે. આવાં કિસ્સાઓમાં કેટલીક જગ્યાએ વધુ પડતો વરસાદ થતો હોય છે અને તેથી વિપરીત અમુક જગ્યાએ ઓછો વરસાદ થતો હોય છે જે ખેતી કરવા માટે પૂરતો હોતો નથી. 
  
   પહેલાનાં સમયમાં વિજ્ઞાનીઓએ એવું તથ્ય કાઢ્યું કે ધૂળ તથા અન્ય પદાથોનાં સૂક્ષ્મ ૨જકણો ફરતે પાણીનાં ટીપાં બાઝે છે. આ ૨જકણો અત્યંત શૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકતાં નથી. આ તથ્ય આપનાર સર્વપ્રથમ વૈજ્ઞાનિક હતાં જોન એટકિન. હવે પ્રશ્ન એ હતો કે જે જગ્યાએ વરસાદ સાનુકૂળ માત્રમાં નથી ત્યાં શું કરવું? કારણ કે પાણી માટે વરસાદ સિવાય અન્ય કોઈ સ્ત્રોત હોતો નથી. આકાશમાં એવી તો કઈ ઘટના બનતી હશે કે પાણીના ટીપાં વરાળમાંથી પાછા પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામતા હશે તે જાણવું એ મહત્વનો પ્રશ્ન હતો. પાણીની જ્યાં અછત હોય ત્યાં વિજ્ઞાનીઓએ કૃત્રિમ રીતે વરસાદ કરવાનું વિચાર્યું. વૈજ્ઞાનિકોએ વિવિધ પદાર્થોના રજકણો ફેંક્યા પણ કાંઈ ન  મળ્યું. સન 1933 માં શેફર નામનાં એક માણસે આના માટે પ્રયત્નો ચાલુ કર્યા. તે  ઊંચા પર્વતની ટોચ ઉપર જઈ પહોંચ્યો અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું તો જણાયું કે અહીં તો આજુબાજુનાં વાદળોનું ઉષ્ણતામાન શૂન્ય અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું હતું છતાં અહીં કેમ બરફના સ્ફટિકો જામતા નથી ? તે વિચારમાં પડ્યો. આના કારણો સમજમાં આવે તેવાં ન હતાં. એકાએક તેને ખ્યાલ આવ્યો અને તેણે પોતાનાં રેફ્રિજરેટરમાં જોયું તો ફ્રિઝરમાં તો પર્વત જેવું જ વાતાવરણ હતું. તેણે વિવિધ પદાર્થોનાં રજકણ ફેંકી જોયા પણ કોઈ જ પરિણામ મળ્યું નહીં. 
   
   એક દિવસ શેફરે જોયું કે ફ્રિઝરમાં ઉષ્ણતામાન થોડું ઊંચું ગયું છે અને બરફને જામેલો રાખવો હશે તો કાંઈક કરવું પડશે. તેણે ફ્રિઝરનાં તળિયે સૂકો બરફ પાથર્યો. સૂકો બરફએ કાર્બન ડાયોક્સાઇડનું નક્કર (ઘન ) સ્વરૂપ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ઠંડક આપનાર એજન્ટ તરીકે થાય છે, પરંતુ નાટકીય અસર માટે થિયેટરોમાં ધુમ્મસ મશીનોમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના ફાયદામાં પાણીના બરફ કરતા નીચાં તાપમાન સામેલ છે અને કોઈપણ અવશેષો છોડતા નથી (વાતાવરણમાં ભેજથી આકસ્મિક હિમ સિવાય). જ્યાં યાંત્રિક ઠંડક ઉપલબ્ધ નથી ત્યાં તે સ્થિર ખોરાક બચાવવા માટે ઉપયોગી છે. 
   
   સૂકો બરફ વાપરી તેને ત્યાં પોતાના ઉચ્છવાસ ફેંક્યા. એકાએક એની આંખો આશ્ચર્યથી ખૂલીને પહોળી થઈ ગઈ. એના ઉચ્છવાસ સાથે બરફનાં નાના કણ  પણ જામેલા હતાં. તેને ફરીથી પ્રયત્ન કરી જોયો જેમાં તે સફળ રહ્યો. એકવાર શેફરે વાદળો જોયાં અને તે સાથે તરત જ તે  વિમાનમાં ઊપડી વાદળ સુધી પહોંચી ગયો અને યંત્ર વડે તેણે વાદળોની ઉપર સુકો બ૨ફ નાખ્યો. તેને જમીન પર તેનો મિત્ર લેન્ગમુરને ઊભો રાખ્યો હતો જે વરસાદની રાહ જોતો હતો. ત્યાં જ ઉપરથી પાણીના ટીપાં જમીન પર ઉતરી આવ્યાં. આમ શેફરે કૃત્રિમ વરસાદ ધરતી ઉપર વરસાવવી દીધો.

   આમ, કુત્રિમ વર્ષા બનવાની શરૂઆત થઈ ગઈ. વિશ્વમાં કૃત્રિમ વરસાદ વરસાવવાનાં પ્રયોગો થવા માંડ્યા. સમય જતાં કૃત્રિમ વરસાદ લાવવા આખી એક પદ્ધતિનું નિર્માણ થયું. જેમાં પ્રથમ કેટલાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો. 13 નવેમ્બર 1946 માં વિસેંટ જોસેફ એ સૌથી પહેલા વર્ષા કરી હતી ત્યાર પછી 1947 અને 1960 માં વર્ષા કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં મુખ્ય વાતાવરણને વરસાદનાં અનુરૂપ બનાવવામાં આવે છે. જેમાં જે જગ્યામાં વરસાદ પાડવાનો હોય તે જગ્યા એ હવાનું નિર્માણ કરવામાં આવે છે જેથી વાદળો વરસાદ લાવવા યોગ્ય બની શકે. સંઘનનની પ્રક્રિયા દરમિયાન તેમાં કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ, કેલ્શિયમ ઓકસાઈડ, યુરિયા અને મીઠાંના સંયોજન તેમજ એમોનિયમ નાઇટ્રેટ જેવા દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે છે. જે હવામાંથી જળબાષ્પને શોષીલે છે અને દબાવ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેતા હોય છે. ત્યાર પછી વાદળોના ઘનત્વ વધારવામાં આવે છે. જેમાં યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ, સૂકો બરફ, કેલ્શિયમ ક્લોરાઈડ જેવા રસાયણો ઉમેરવામાં આવે છે અને અંતે ઠંડા કરવાવાળા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂકો બરફ અને સિલ્વર આયોડાઇડ જેવા રસાયણ મુખ્ય ભાગ ભજવે છે. જે પ્રમાણમાં મોધું છે પણ તે અત્યંત અસરકારક છે અને પ્રમાણમાં ઓછું જોઈતું હોવાથી સરવાળે સસ્તું પડે છે. આ રીતને કલાઉડ સિડિંગ કહે છે. સીલ્વર આયોડાઈડ છીણેલા બરફ જેવાં ભૂકા સ્વરૂપે હોય છે. કૃત્રિમ વરસાદ વરસાવવા માટે ઘટ્ટ વાદળોને પસંદ કરાય છે. જમીન પરથી સિલ્વર આયોડાઇડ રોકેટમાં ભરી વાદળ તરફ છોડી શકાય છે. જો કે આ રીતમાં હમેશાં સફળતા મળતી નથી અને વરસાદનું પ્રમાણ પણ ઓછું હોય છે. જો વાદળો શરૂવાતથી જ બનેલાં હોય ત્યારે તેમાં સીધું સિલ્વર આયોડાઈડનો ઉપયોગ કરી સીધો વરસાદ લાવી શકાય છે. 

     હજી પણ વિશ્વમાં વિજ્ઞાનીઓ કૃત્રિમ વરસાદ માટે પ્રયત્નો કરે છે કારણ કે વરસાદની જરૂર ઓછીવત્તી બધે જ હોય છે પણ તેને અમુક મર્યાદાઓ છે. દા.ત. વરસાદ માટે વાદળાં તો હોવો જ જોઈએ. વિજ્ઞાનીઓ પાણી માટે ઘણા બધા નવા પ્રયોગો કરે છે. જેમ કે ઠંડા પ્રદેશોમાં પાણીમાં દરિયામાં બરફના તરતા પહાડ જે 'આઈસ બર્ગ' તરીકે ઓળખાય છે તેને ખેંચી લાવીને પાણી મેળવવું, દૂરદૂરથી પાઇપ લાઇન નાખી પાણી લાવવું વગેરે પણ ઉપરોક્ત બધી પદ્ધતિઓ અત્યંત ખર્ચાળ છે. દરિયાના પાણીને  શુદ્ધ કરતી પધ્ધતિ ખૂબ ખર્ચાળ છે. 40 થી વધુ દેશો આ પદ્ધતિનો ઉપયોગ કરી ચૂક્યાં છે. જેમાં ચાઈના, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, રશિયા, ઈઝરાઈલ, યુ.એ.ઈ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આવનારાં સમયમાં જ્યારે વસ્તીવધારો થસે અને તેની સાથે સાથે માનવને વધુ ખોરાકની જરૂર પડશે. તદુપરાંત વધુ પડતાં પ્રદૂષણને કારણે વાતાવરણમાં થતી ખરાબ અસરોનાં  કારણે કુદરતી  વરસાદનું પ્રમાણ ઓછું થતું જોવા મળ્યું છે. જ્યારે સ્થિતિ આટલી કઠિન બનતી જતી હોય ત્યાં વિજ્ઞાનને હજુ ઘણી કસોટીઓમાંથી પસાર થવું પડશે તે પણ ચોક્કસ સ્વીકારવું રહ્યું.

                                                                                                                                       જૈમીન જોષી.    

Sunday, February 28, 2021

વ્લાદિમીર લેનિન (Vladimir Lenin)

 તે સાચું છે કે સ્વતંત્રતા એટલી કિમતી છે કે તેની કાળજીપૂર્વક દલીલ     કરવી આવશ્યક છે. 

                                                                                                                               વ્લાદિમીર લેનિન

Vladimir Lenin image
Vladimir Lenin



   ગરીબી શોષણ અન્યાય અને દમનમાં પીડાતી રશિયન પ્રજાને તેમની તકલીફોમાંથી મુક્ત કરીને તેમના જીવનને રાજમાર્ગ તરફ લઈ જનાર ક્રાંતિકારીઓમાં લેનિનનું નામ અગ્ર સ્થાને છે. વીસની સદીના મહાન અને અગ્રણી વ્યક્તિઓમાં એક નામ લેનિનનું પણ હતું. વિશ્વનો ઇતિહાસ અને ભૂગોળ સુધ્ધાં બદલી નાંખનાર માનવ ઇતિહાસના મહાન રાજકીય નેતાઓમાં લેનિનનો સમાવેશ થાય છે. તે સમયનાં રાજવંશી લોકો દ્વારાં ગરીબ અને મજૂરીયાત વર્ગ ઉપર અત્યાચારો કરવામાં આવતાં. આ અત્યાચારોને દૂર કરવાં માત્ર ગરીબો અને મજૂરોની મદદથી ક્રાંતિ કરી બતાવનાર એ માત્ર લેનિન હતાં.

   ઈ.સ. 1905 માં જાપાન સાથેનાં યુદ્ધમાં રશિયા ખૂબ ખરાબ રીતે પરાજય પામી. તેમાં રશિયામાં હજારો સૈનિકો મૃત્યું પામ્યાં, તેનું એક કારણ હતું સૈનિકોને આપવામાં આવેલી અપૂરતી તાલીમ હતી. સખત ખરાબ રીતે થયેલી આ પરાજયનાં પરિણામે ગરીબ અને મજૂરીયાત વર્ગો એકતત્રિત થઈને કારખાનાંઓમાં હડતાલ પાડવા લાગ્યાં. સામયિકો અને પુસ્તકોમાં વિવિધ આર્ટીકલ છપાવા લાગ્યાં. આમ, પ્રજાઓમાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ.

   રશિયામાં ૨૫ ઑક્ટોબર ૧૯૧૭ ના રોજ વૈશ્વિક કાળગણના અનુસાર ૭ નવેમ્બર ૧૯૧૭ ના રોજ કામદાર વર્ગની સત્તાની સ્થાપના માટે જે ક્રાંતિ થઈ તે ક્રાંતિનું વૈચારિક, રાજકીય, અને પ્રત્યક્ષ સંગઠનાત્મક નેતૃત્વ લેનિને કર્યું અને સમાજવાદની રચના માટે વિશ્વની પ્રથમ સમાજવાદી સત્તાનો ધ્વજ સફળતાપૂર્વક ફરકાવ્યો.

   લેનિન એ તેણે ધારણ કરેલું નામ હતું, પરંતુ તેનું મૂળ નામ વ્લાદિમીર ઈલિચઉલ્યાનોવ હતું. લેનિનનો જન્મ ૨૨ એપ્રિલ ૧૮૭૦ ના રોજ હોલ્ગા નદીના કાંઠે આવેલ સિંબિસ્ક શહેરના એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો. તેમના પિતા શાળાના શિક્ષક હતાં. તેની માતા મેરિયાના પિતા વ્યવસાયે ડૉક્ટર હતાં અને તે પોતે શિક્ષિકા હતી. તેના ચાર ભાઈઓની માફક લેનિન પણ ક્રાંતિકારી માનસ વૃતિ ધરાવનાર હતાં. લેનિનના સૌથી મોટા ભાઈ એલેકઝાન્ડર યુલાયનોફને ઝાર એલેકઝાન્ડર ત્રીજાના ખૂનના કાવતરામાં સામેલ થવાનાં ગુના હેઠળ ઈ.સ. ૧૮૮૭ માં ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાથી લેનિનની માતા ખૂબ દુખી થયા અને તેમને માનશિક અસર થઈ ગઈ અને તે લગભગ ગાંડા જેવાં જ થઈ ગયાં. તે સાથે લેનિનને પણ મોટો આઘાત લાગ્યો હતો. તેના જીવનમાં આ ઘટનાએ ખૂબ ઊંડી અસર કરી હતી. મૂળ લેનિન ખૂબ સાદા હતાં પણ તેની સાથે શક્તિશાળી વલણ પણ ધરાવતા હતાં. લેનિનની બુદ્ધિ અને નિર્ણયશક્તિ ઘણી તીવ્ર હતી. શાળાનો અભ્યાસ તેણે સુવર્ણચંદ્રક મેળવીને પૂર્ણ કર્યો અને કઝાન યુનિવર્સિટીમાં તે કાયદાના અભ્યાસ માટે દાખલ થયાં. તેમનું એક કારણ તેમના પિતાની તેમને વકીલ બનાવવાની ઇચ્છા હતી. પરંતુ ઈ.સ. ૧૮૮૭ માં વિદ્યાર્થી ચળવળમાં ભાગ લેવા માટે તેને હદપાર કરવામાં આવ્યાં. ઈ.સ. ૧૮૮૯ માં તે રશિયામાં પુનઃ પ્રવેશ કર્યો અને કઝાનમાં રહીને તેણે કાર્લ માર્ક્સના સિદ્ધાંતોનો અભ્યાસ શરૂ કર્યો. તે દરમિયાન માર્ક્સવાદી મંડળો સાથે પણ તે સંપર્કમાં આવ્યાં. ઈ.સ. ૧૮૯૧ માં તેણે સેન્ટ પિટર્સબર્ગ યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ ' વિદ્યાર્થી તરીકે કાયદાની પરીક્ષા પસાર કરી. કઝાનથી તે સમારા ગયાં અને ત્યાં વકીલાતની સાથે સાથે માર્ક્સવાદી વિચારોનો તેણે અભ્યાસ કર્યો. ત્યાંથી તે ૧૮૯૩ માં સેન્ટ પિટર્સબર્ગ આવ્યાં અને બહુ થોડા સમયમાં ત્યાંના સામ્યવાદીઓનાં તે નેતા થઈ ગયાં. સેન્ટ પિટર્સબર્ગમાં તેણે મઝદૂર મુક્તિ આંદોલન સંઘ'ની સ્થાપના કરી. પ્રથમ તેણે હસ્તલિખિત લખાણો પ્રસિદ્ધ કરવા માંડ્યાં. જ્યારે તે લખાણો લોકપ્રિય બનવા લાગ્યાં તેથી તેણે છાપખાના મારફત પ્રચાર શરૂ કર્યો.

   તે વખતે રશિયામાં ઝાર સમ્રાટોની રાજાશાહી સત્તા હતી. ઝારશાહીમાં રશિયાએ યુરોપ ખંડનો આર્થિક પછાતપણું, નિરક્ષરતા, ધાર્મિક કટ્ટરતા, સર્વાધિક વિષમતા તેમજ રાજકીય તીરે મનસ્વી વલણ ધરાવનાર અને દમનનીતિ વાળો દેશ હતો. ઝારશાહીની રાજ્ય વ્યવસ્થા એ જુલ્મી, અત્યાચારી અને કોઈ પણ લોકશાહી સંસ્થાના વિકાસને નકારનારી રાજ્યવ્યવસ્થા તરીકે યુરોપમાં ઓળખવામાં આવતી હતી. આ સત્તાને ઉથલાવી નાંખવાનું કામ લેનિને કર્યું. લેનિનનું રાજકીય જીવન યુનિયન ઑફ સ્ટ્રગલ ફોર ઇમૅન્સિપેશન ઑફ ધી વર્કિંગ ક્લાસ ' જૂથની સ્થાપનાના સહભાગથી શરૂ થયું. આ જૂથે બહાર પાડેલ અખબારના પહેલા જ એક પર જપ્તી આવી અને લેનિન સહિત જૂથના અનેક સદસ્યોની અટક કરીને દસ મહિના માટે કારાવાસમાં ધકેલવામાં આવ્યાં. ફેબ્રુઆરી ૧૮૯૭ માં કારાવાસમાંથી છૂટકારી બાદ તેમને સાઇબેરિયા હદપાર કરવામાં આવ્યા. ૧૯ માં લેનિનની માત્ર પારી મુદત પૂરી થઈ, પરંતુ તેમને રશિયામાં કોઈ પણ મહત્વનાં ઔઘોગિકે અથવા યુનિવર્સિટીનાં શહેરોમાં રહેવાની મનાઈ ફરવામાં આવી. તેને કારણે તેમણે સીધા સ્વિટ્ઝરલેન્ડના  જીનીવા જઈને આગળનું કાર્ય ચલાવવાનો નિર્ણય લીધો. તે જ સમયે ક્રાંતિકારી પક્ષની રચના, સંગઠનના તત્વ, રશિયામાં ક્રાંતિનું સ્વરૂપ વગેરે રાજકીય સંગઠનાત્મક વિષયો પર પોતાના વિચાર સ્પષ્ટ કરનાર હૉટ ઇઝ ટૂ બી ડનપુસ્તક તેમણે પ્રકાશિત કર્યું.

   સમય જતાં સઘળાં સૂત્રો જાણે લેનિનના હાથમાં આવ્યાં. ૧૯૧૭ ના સમયગાળામાં તેમણે મજબૂતાઈથી બોન્શેવિક પક્ષનું નેતૃત્વ કર્યું. કેરેન્સકી સરકાર પ્રજાની ક્રાંતિકારી આકાંક્ષાઓને હાનિ પહોંચાડશે તેમ તેમણે પોતાના પક્ષના નેતાઓને અત્યંત સંઘર્ષમય વિવાદ સાથે ગળે ઉતાર્યું. અંતે રશિયન દિનદર્શિકા અનુસાર ૨૫ ઑક્ટોબર ૧૯૧૭ નો દિવસ નક્કી થયો અને તે દિવસે મધ્યરાત્રે સોવિયેટની દેશવ્યાપી પરિષદની પાર્શ્વભૂમિકા પર લોહીનું એક પણ ટીપું રેડ્યા સિવાય ઐતિહાસિક વિન્ટર રાજમહેલ બોલ્સેવિકોએ કબજે લીધો અને લેનિનના નેતૃત્વ હેઠળ નવી બોલ્સેવિક સરકારની સ્થાપના કરવામાં આવી.

   આ સરકારે સત્તા પર આવતાં જ ખાનગી અને ચર્ચની માલિકીની જમીનો ખેડૂતોને વહેંચી દીધી. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વારસાહક્ક અને ઉચ્ચવર્ગના સઘળા વિશેષ અધિકાર નાબૂદ કરવામાં આવ્યા. જૂના ન્યાયાલયો અને પોલીસ દળ આટોપી લઈને તેને સ્થાને ક્રાંતિકારી ન્યાયાલયોની સ્થાપના કરવામાં આવી. સ્ત્રીઓને મતાધિકાર તેમજ પુરુષોની જેમજ સમાન અધિકાર મંજૂર કરવામાં આવ્યા. તેમને રોટી જમીન અને શાંતિનું વચન પણ આપ્યું અને કેટલાક અંશે પૂર્ણ પણ કર્યું. લોકો પોતાની ઈચ્છા મુજબ ઘર વપરાશની વસ્તુઓ ખરીદી અને પોતાની પાસે રાખી શકતા. મજૂરવર્ગ ને રોકડું વેતન આપવાનું પણ શરૂ કર્યું જેથી મજૂર વર્ગને કામ કરવાની પ્રેરણા મળી.

   લેનિન એક ક્રાંતિકારી અને રાજકીય પુરુષ હોવાં છતાં એક સામાન્ય માણસની માફક વર્તન કરી શકતા હતાં. સંગીત સાંભળવાનાં તે ખૂબ શોખીન હતાં. નાનાં બાળકો ઉપર તેને અત્યંત પ્રેમ હતો. સ્ત્રીઓને વિશે એક વાર તેણે કહ્યું હતું કે અડધોઅડધ વસ્તીને રસોડામાં પૂરી રાખવામાં આવી હોય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર સ્વાધીન ન થઈ શકે. લેનિનની પત્ની પણ તેને દરેક કામમાં મદદ કરતી. એ કામદાર મંડળની મંત્રી પણ હતી અને લેનિનના બધા પત્રવ્યવહારની વ્યવસ્થા કરતી. અંત સુધી તેણે લેનિનના એક સાથી, સલાહકાર અને મંત્રી તરીકે કામ કર્યું હતું. તદુપરાંત લેનિન એક સારો લેખક અને ચિંતક હતો. તેણે અસંખ્ય લેખો લખ્યા હતા અને ઘણાં પત્રોનું સંપાદન કર્યું હતું. લેનિનના ઓન ફાઈનાન્સ' ,  “ ધી પ્રોબ્લેમ ઑફ ધી રશિયન સોશ્યલ ડેમોક્રેટ અને રશિયામાં મૂડીવાદનો વિકાસ નામનાં પુસ્તકો અત્યંત પ્રસિદ્ધ છે. આ પુસ્તકો દ્વારા તેણે રશિયામાં મૂડીવાદના સ્વરૂપને સ્પષ્ટ કર્યું હતું. તેના લેખો ઘણા લોકપ્રિય થયા હતા અને તે ફ્રેન્ચ તથા જર્મન ભાષામાં અનુવાદ પામ્યા હતા.

   સામ્યવાદી રસિયાનો પાયો નાખનાર લેનિન ઈ.સ. 1924 માં દુનિયાને અલવિદા કહી ગયાં. ઈ.સ. 1922 થી 1924 તેમના માટે કપરો સમય હતો કેમકે તેમણે અંત સમયે પક્ષ ઘાતનો સામનો કરવો પડ્યો હતો. લેનિનનાં ગયાં પછી પણ રશિયાના ખૂણે ખૂણે લોકો તેમને યાદ કરે છે. પંડિત જવાહરલાલ તેને અંજલિ આપતાં જણાવે છે, તે રશિયન પ્રજા માટે એક દેવ જેવો બની ગયો હતો. તેમની આશા અને શ્રદ્ધાનું તે પ્રતીક હતો. તે દરેક મુશ્કેલીમાંથી માર્ગ કાઢનાર સુજ્ઞ પુરુષ હતો.

  (નોધ: લેનિન વિશે લખવામાં આવેલ સાલ વિશે બેવડા મતો છે જેથી ચોક્કસતા માં ભેદભાવ થઈ શકે. આ આર્ટીકલ માં લેવામાં આવેલ માહિતીનો શોર્સ અલગ ચોક્કસ લેખકે પ્રકાશિત કરેલ માહિતી છે. )

        


                                                                                               જૈમીન જોષી. 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...