Saturday, October 31, 2020
શું બૌધિક લક્ષણનું પૃથક્કરણ યોગ્ય હોય છે?(Is the analysis of intellectual trait correct?)
Sunday, October 25, 2020
શું તમે કારકિર્દી ઘડતરમાં પડકાર ઝીલો છો? (Do you face challenges in shaping your career?)
- ''સપનાની હકીકતથી તુ વાકેફ છે એ કે , સાગરની લહેરોની કોઇ મંઝિલ નથી હોતી .''
પોતાનો સફળતામાં સ્વહસ્તાક્ષર ભલે ન હોય નિષ્ફળતામાં તો હોવા જ જોઈએ :-
Thursday, October 22, 2020
નવરાત્રીના નવ સ્વરૂપ (The nine forms of Navratri)
- નવદુર્ગા નામ :-
Sunday, October 18, 2020
કલમ 376 (IPC Section 376- Punishment for Rape )
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ.
Thursday, October 15, 2020
બળાત્કારની વ્યાખ્યા અને ભારતીય કાયદો ( Definition of rape and Indian law )
મનોવૈજ્ઞાનિક રીતે તો બળાત્કારની અલગ અલગ વ્યાખ્યાઓ થતી હોય છે પરંતુ જ્યારે કાયદાની વાત આવે ત્યારે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને સજાનું પ્રાધાન્ય હોય છે. મોટા ભાગે સામાન્ય વ્યક્તિ કાયદાકીય ભાષાથી અવગત હોતા નથી માટે તે સહજ રીતે બળાત્કારીઓ સાથે કેવા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ અથવા કયા પ્રકારની સજા થવી જોઈએ તે વિષે રોષ ઠાલવી દે છે, પરંતુ કાયદો ચોક્કસ પ્રકારની પધ્ધતિને અનશરતો હોવાથી તે એક આગવું વલણ અપનાવી ચુકાદા આપતો હોય છે જે બની શકે કે જનતાને ન પણ ગમે પરંતુ તેને આપણે સ્વીકાર્ય સિવાય કોઈ અન્ય રસ્તો હોતો નથી. આવી પરિસ્થિતીમાં કાયદાકીય રીતે ખરેખર બળાત્કાર કોને કહેવાય અને તેની સજા શું છે તે જાણવું જરૂરી બની રહે છે. બળાત્કાર અલગ અલગ રીતે થતો હોવાથી તેની પણ અલગ જોગવાઇઓ છે જેની તમામ માહિતી નીચે પ્રમાણે છે.
નીચે વર્ણવેલ સાત પૈકી કોઈપણ સંજોગમાં બળાત્કાર થયો તેમ જાણવું.
- પ્રથમ : - તેણીની ઈચ્છા વિરૂદ્ધ
- બીજુ : - તેણીની સંમતિ વિના
- ત્રીજુ : - તેણીની સંમતિથી જયારે તેણીની સંમતિ તેણીને અથવા તેણીનું હિત હોય તેવી વ્યકિતના ઈજા અથવા મૃત્યુના ભય નીચે મેળવેલ હોય.
- ચોથું :- તેણીની સંમતિથી જયારે પુરૂષ જાણતો હોય કે તે તેણીનો પતિ નથી અને તેણીની આપેલ સંમતિનું કારણ તે બીજો પુરૂષ જેની સાથે તેણીના કાયદેસરના લગ્ન થયાનું તેવી માનતી હોય ,
- પાંચમું :- તેણીની સંમતિથી જયારે સંમતિ આપતી વખતે અસ્થિર મગજ અથવા નશો અથવા તેણીને જાતે અથવા અન્ય મારફતે કોઈ નશાયુક્ત અગર મૂર્છિત પદાર્થ કરનાર આપવામાં આવે જેથી તેણીએ આપેલ સંમતિનો અર્થ અને તેનું પરિણામ સમજી શકવા અશકિતમાન હોય .
- છઠું : - તેણીની સંમતિ અથવા સંમતિ વિના જયારે તેણી અઢાર વર્ષથી નાની ઉંમરની હોય .
- સાતમું : - જયારે તેણી સમંતિ આપવા અસમર્થ હોય .
- અપવાદ -૧ : - તબીબી કાર્યવાહી અથવા દરમ્યાનગીરીથી બળાત્કાર બનતો નથી .
- અપવાદ -૨ : - જે પુરૂષનું તેની પોતાની પત્ની કે જે પત્ની પંદર વર્ષની ઉંમરથી નાની ન હોય તેની સાથેનો જાતીય સમાગમ અથવા જાતિય કૃત્ય બળાત્કાર નથી.
બળાત્કાર માટેની શિક્ષા :
- સજા - :બળાત્કાર - સખત કેદની ૧૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગી સુધી અને દંડ , - પોલીસ અધિકારનો - બિન - જમીની - સેશન્સ કોર્ટ.
જૈમીન જોષી.
Tuesday, October 13, 2020
ભક્ત રૈદાસ (Bhakt Raidash)
આજથી લગભગ 500 થી 600 વર્ષ પહેલાં ઇ.સ. 1398 માં રૈદાસનો જન્મ થયા નો ઉલ્લેખ મળે છે. એક ચમાર કામ કરનાર કુટુંબમાં જન્મેલ બાળક જે બાળપણથી પ્રભુ ભજન અને ભક્તિમાં ગરક રહેતો. રૈદાસનો જન્મ કાશીમાં થયો હતો અને કાશીમાં સાધુ સંગત ન મળે તે તો અશક્ય છે, જેથી તેમણે સાધુ સંતોનો સંગ મળ્યો પરંતુ તે સમયે લોકો જ્ઞાતિવાદ જેવી પ્રથાઓથી પ્રભાવિત હતા પરિણામે રૈદાસ ચમાર કામ કરતો હોવાથી તેમને કોઈ શિષ્ય તરીકે સ્વીકૃત કરવા તૈયાર ન હતું જેથી તેમણે કોઈ ગુરુ મળતા ન હતી. તદુપરાંત ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઊચું માનવામાં આવતું હતું અને યોગ્ય ગુરુ મળે તો જીવન તરી જાય પરંતુ તે તેટલું સરળ ન હતું.
તે સમયે ગુરુ રામાનંદ થઈ ગયા જે સંત કબિરનાં ગુરુ પણ હતાં તેમણે રૈદાસને શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. ઈતિહાસમાં સંત કબીરનું નામ ખૂબ ઊંચા સ્થાને છે. સંત કબીરના દોહા આજે પણ લોકો દ્વારાં કંઠસ્થ સાંભળવા માળતા હોય છે. રૈદાસજી પોતાના ઘરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા પણ રાખતા હતા. જોડા સીવતાં સીવતાં, ચામડા પર યંકા લેતાં લેતાં તેઓ ભજન ગાતા ત્યારે તેમની આંખોમાંથી આંસુની ધાર વહી જતી. તે પ્રભુ ભક્તિમાં એટલા લીન રહેતા હતાં કે તેમણે આશપાશનું કોઈ ભાન ન રહેતું. તે સતત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં રહેતાં હતાં. રૈદાસજીનું નામ લોકોમાં વિષ્ણુ ભક્ત તરીકે પ્રચલિત થતું જતું હતું અને કાશીમાં તેમનાં નામનો ડંકો વાગવા લાગ્યો, ઈર્ષાવશ બ્રાહ્મણો તેમના ઉપર બળવા લાગ્યા. તેમણે કાશીના રાજાને ફરિયાદ કરી કે અસ્પૃશ્ય ચમાર થઈને રૈદાસ ઘરમાં ભગવાનની મૂર્તિ રાખે છે ને એની પૂજા પ્રાર્થના કરે છે તે અનર્થ છે. રાજા જો આ અનર્થ નહિ અટકાવે તો એનું પાપ રાજાને લાગશે !
રાજાએ રૈદાસને બોલાવી આજ્ઞા કરી કે તારું ઘર કંઈ મંદિર નથી, માટે તારા ઘરમાંથી ઈશ્વરની મૂર્તિ કાઢી નાખ અને બ્રાહ્મણોને આપી દે ! બ્રાહ્મણો એની પૂજા કરશે ! '
રૈદાસે કહ્યું : “ મને એનો વાંધો નથી , બ્રાહ્મણો લઈ જાય એ મૂર્તિ ! આ મૂકી અહીં ! 'તેમ કહી એણે ભગવાનની મૂર્તિ એક આસન પર મૂકી. પછી બ્રાહ્મણોને કહ્યું : ‘ આપ સૌ તો ભગવાનના વહાલા ભક્તો છો; ભગવાનને એક પુકાર કરશો તો તરત મૂર્તિ તમારી પાસે દોડી આવશે , ને તમારા ખોળામાં બિરાજશે ! માટે ભગવાનને પોકારવા માંડો.
આ સાંભળી બ્રાહ્મણો એક બીજા સામે જોવા લાગ્યા
પરંતુ પીછે હઠ કરે તેવું પોસાય તેમ ન હતું માટે બ્રાહ્મણોએ વૈદઘોષ આરંભ્યો. ઉપરા ઉપરી મંત્રો બોલાવા માંડયા. એક થાકે એટલે
બીજો બોલે , બીજો થાકે એટલે
ત્રીજો ! આમ કેટલોય વખત ગયો , પણ મૂર્તિ ત્યાંની ત્યાં રહી. જરા પણ ખસી નહીં તે
જોઈ રાજાએ કહ્યું : ' હવે રૈદાસનો વારો !
રૈદાસે કહ્યું : ‘ મને ક્યાં વેદમંત્ર આવડે છે ? ભક્તિમાંયે હું જાણું ? જેવું તેવું...
પ્રભુજી , ચંચલ હૈ મતિ મેરી , કૈસે ભગતિ કરું મેં તેરી ?
તૂ મોહિં દેખૈ , હોં તોહિ દેખું , પ્રીતિ પરસ્પર હોઈ ,
તૂ મોહિં દેખૈ , તોહિં ન દેખું , યહ મતિ સબ બુધિ ખોઈ
!
મૈં તેં તોરિ મોરિ અસમઝિ સોં કેસે કરિ નિસ્તારા?
કહ રૈદાસ કૃષ્ણ
કરુણામય જૈ જૈ જગત - અધારા !
જૈ જૈ જગત - અધારા
! જૈ જૈ જગત - અધારા !
ક્રિષ્ના, કરીમ, રામ, હરિ, રાઘવ, જબ લગ એક પેખા,
વેદ કતેબ, કુરાન, પુરાન, સહજ એક નહીં સો દેખા,
ચાર વેદના કરે ખંડોટી, જન રૈદાસ કરે દંડૌતી..!!
ખૂબ પ્રખ્યાત માં એક,
પ્રભુજી , તુમ ચંદન , હમ પાની ,
જાકી અંગ અંગ બાસ સમાની !
પ્રભુજી, તુમ દીપક, હમ બાતી,
જાકી જોતિ બરૈ દિન રાતી !
પ્રભુજી , તુમ સ્વામી , હમ દાસા ,
ઐસી ભગતિ કરે રૈદાસા !
તેમના જીવનની નાની ઘટનાઓ સમય અને વચનનું પાલન કરવા સંબંધિત તેમના ગુણોને પ્રગટ કરે છે. એકવાર, કોઈ ઉત્સવ પ્રસંગે, પડોશના લોકો ગંગા-સ્નાન માટે જતા હતા. જ્યારે રૈદાસના એક શિષ્યે તેમને પણ ચાલવાની વિનંતી કરી, ત્યારે તેણે કહ્યું, મારે ગંગામાં સ્નાન કરવા જવું જોઈએ.? જ્યારે તન ગંગા સ્નાન કરવા જાય છે, મન અહીં રહે તો પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય ? અંત:કરણ દ્વારા મન જે કંઇ કરવા તૈયાર છે તે કરવાનું સલાહ આપવામાં આવે છે. જો મન બરાબર છે તો તે કહુતાના જળમાં જ ગંગાસ્નાનનો ગુણ પ્રાપ્ત કરી શકે છે.
મીરાબાઈએ રૈદાસને પોતાના ગુરુ કર્યા હતા. એમનાં ઘણાં ભજનોમાં ગુરુ તરીકે રૈદાસનો ઉલ્લેખ જોવામાં આવે છે. જેમ કે –
મીરાં સદ્દગુરુ
દેવકી કરે વંદના ખાસ ,
ચિત્ત ચેતન આતમ
કહ્યા ધન્ય ભગત રૈદાસ !
તેમણે ઉચ્ચ કક્ષાની ભાવના અને ધર્મનિષ્ઠાના નામે થયેલા વિવાદને અવ્યવસ્થિત અને અર્થહીન ગણાવ્યો અને દરેકને પ્રેમાળ રીતે સાથે રહેવા માટે ઉપદેશ આપ્યો.
જૈમીન જોષી.
Thursday, October 8, 2020
બળાત્કાર શા માટે..? (Why rape ..?)
- કોઈ પણ ગુનેહગારની પાછળ પ્રેરણાદાઈ તરીકે કોઈ ચહેરો ચોક્કસ હોય છે, પછી તે ભલે આડકતરી રીતે કેમ ન હોય.
ભારતવર્ષમાં 2018
માં દર 15 મિનિટમાં એક બળાત્કારની ઘટના નોંધાઈ છે અને 2019 માં દર 16 મિનિટએ એક
વ્યક્તિ બળાત્કારનો ભોગ બને છે. બળાત્કારનો ભોગ બનનારની ઉંમરનો ચોક્કસ ઉલ્લેખ એટલા
માટે નથી કરી શકાતો કારણ કે તેના માટે યોગ્ય શબ્દ શું વાપરી શકાય તે કોઈના સમજણમાં
નથી આવતું. કોર્ટ માટે તે એક પીડિતા, વકીલ માટે ક્લાયન્ટ, સરકાર
માટે જનતા, નેતા માટે મુદ્દો, પોલિસ
માટે ફાઈલો, અધિકારીઓ માટે બોજો, સમાજ
માટે બેઆબરૂ સ્ત્રી અને પરિવાર માટે લાંછન. કોર્ટને તેમાં કામ જોવાય છે,તો વકીલને
પૈસા કમાવવાનો સ્ત્રોત. સરકાર માટે આંકડો તો નેતાઓને વોટબૅંક,
પોલિસ માટે ફાઈલોનું વધતું નામ તો અધિકારીઓને પોતાના જીલ્લામાં થયેલ દુષ્કર્મનો બોજ. સમાજને ઉદાહરણ સ્થાપવા વ્યક્તિ અને પરિવારને તેમાં જન્મ
આપવા માટે થયેલ પસ્તાવો, જે જીવનભર મને કમને જીવનનો એક ભાગ
તરીકે સ્વીકૃત કરવાનો છે. કોણ હોય છે આ પીડિતા ..? ક્યાંથી
આવે છે આવા લોકો..? લાંછન તરીકે જોવાતી આ સ્ત્રીઓને જન્મ કોણ
આપે છે..? તેના માટે જવાબદાર કોણ હોય છે..?
કેવી રીતે ઓળખીએ તેમને ? 5,6 વર્ષની આંગણમાં રમવાની
માંડ છૂટ મળી હોય તેવી બાળકી કે તરુણાવસ્થામાં માંડ પ્રવેશેલ દીકરી. હજૂતો માંડ નવી મળેલ સ્કૂટીનો હૈયામાં હરખ પણ ન સમાયો હોય તેવી
વિધાર્થીની કે હજૂતો હાથની મેહંદી પણ ન ઉતરી હોય તેવી પરિણીતા. પ્રથમ પ્રેમના બે
પળ વિષે પણ જેને સહજ જ્ઞાન ના હોય તેવી છોકરી કે માંડ ઘરસંસાર ચલાવતા શીખી હોય
તેવી સ્ત્રી. કોઈના પ્રેમમાં પત્ની બનવાનું સપનું જોતી પ્રેમિકા કે રસોડામાં
પરિવારને ગમતું ભોજન બનાવતી વહુ. બે સંતાનનો ઉછેર કરતી માતા કે પરિવારના પોષણ માટે
સંઘર્ષ કરતી યુવતી. શું કહીશું આ નારી જાતને..?
ભીડમાં ચાલતા
માણસને પોતાનામાં રહેલ પશુને સંતાડીને રાખવું પડે છે,
પરંતુ જ્યારે જ્યારે તેને બહાર નિકલવાનો
અવસર મળે ત્યારે તે ભૂખ્યા કુતરાઓની જેમ મોઢું ફાડીને સુફેડો નાખે છે. કોઈ પણ
બળાત્કાર માટે હલકી માનસિકતા કે વિકૃતિઓ જવાબદાર છે. તેને સમજવા મનોવિજ્ઞાનનો પણ
સમાવેશ થાય છે અને સમાજ દ્વારા કરાયેલ કાર્યો કે વારસામાં મળેલ સંસ્કાર કે આસપાસનું
વાતાવરણ. બળાત્કારીત વ્યક્તિ ચોક્કસ ગુનેહગાર જ હોય અને દરેક ગુનેહગારની જેમ તેની
પણ કહાની હોય. આવી હલકી માનશીકતા ઉત્પન થવાના સ્રોત વિષે થોડીક માહિતી મેળવીએ.
- બળાત્કાર થવાના કારણો:(
Causes of Rape)
1)બાળપણનું
વાતાવરણ: બાળકના જન્મ પછી તેનો કરેલ ઉછેર વધુ જવાબદાર હોય છે તેની પ્રગતિ અને
દુર્ગતિ માટે. 20 થી 25 ટકા બાળકો ચાઇલ્ડ
અબ્યુસના શિકાર થતાં હોય છે. જે મોટા થઈને
બીજા લોકોને મોલેસ્ટ કરવાની શરૂઆત કરી દેતા હોય છે, તદુપરાંત જે બાળકને ઇમોશનલી સપોર્ટ કરવા વાળું કોઈ ન હોય તથા પોતાની
ફેમિલીમા થતાં વાઇલન્સને જોઈને તે પણ વાઈલન્ટ બની જતાં હોય છે જે તેમણે રેપિસ્ટ
બનાવી શકે છે.
2)જાતીય સંતોષ: આ પ્રકારના વ્યક્તિઓને પોતાની કામેચ્છા ઉપર
નિયંત્રણ નથી હોતું. કોઈ પણ સુંદર યુવતીને જોતાની સાથે તેઓ પોતાની ઇન્દ્રિયો ઉપરથી કાબૂ
ગુમાવી બેસે છે અને પોતાના આવા આવેગોને સંતોષવા તે બળાત્કાર કરે છે.
3) સંસ્કૃતિ : કેટલીક સંસ્કૃતિ એવી હોય છે જે મહિલાઓનું
સન્માન કરવાના પક્ષમાં નથી હોતી તથા તેમની રહેણી કહેણી અને સ્વતંત્ર વિચારું વાળું
જીવન જીવવા પર પ્રતિબંધ લાદે છે. આવા મુદ્દાઓમાં મહિલાઓએ કેવા કપડાં પહેરવા, ક્યાં જવું ના જવું, ઘરની બહાર જવુ કે નહીં તથા અભ્યાસ
કરવો કે નહીં, કોઈ ચોક્કસ પ્રકારનું વર્તન કરવું અને પોશાક
પહેરવો જેવી મર્યાદાઓ લાદી દેવામાં આવે છે અને જો તે પ્રકારે તેમનું વર્તનના હોય
તો સજા કરવામાં આવે છે જેમાં બળાત્કાર પણ છે. અમુક જગ્યા એવી પણ છે જ્યાં મહિલાઓને
સજા આપવા સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે. 2013માં નિર્ભયા હત્યા અને બળાત્કારના
એક આરોપી એ કહ્યું હતુ કે તે સારા ઘરની છોકરી હોત તો મોડી રાત્રે કોઈ છોકરા સાથે
બહારના ફરતી હોત. તેનું આવું વલણ જોઈને અમને ગુસ્સો આવ્યો અને અમને જે કર્યું
તેનો કોઈ અફસોસ નથી.
4) ડ્રગ્સ અને આલ્કોહોલ : વધારે પડતાં મદાર્ક દ્રવ્યોનું સેવન
કરવાથી વ્યક્તિ ભાન ભુલાવી બેસે છે અને પોતાના આવેગોને શાંત કરવા બળાત્કાર કરે છે.
આમાં માત્ર જાતીય આવેગ એકલો નથી હોતો પરંતુ રોજબરોજના કંટાળા ભરેલા જીવનના ગુસ્સાઓ, ચિંતાન, ધૃણા વગેરે પણ જવાબદાર હોય છે. છોકરીઓ જ્યારે મદાર્ક તથા આવા કોઈ
ડ્રગ્સનું સેવન કરે છે ત્યારે તેમનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને તેમના પર બળાત્કાર
કરવામાં આવે છે. આવા કિસ્સામાં છોકરીને બળાત્કારનો ભોગ બન્યાનો એહસાસ મોડો થાય છે
અને ઘણી વખત વ્યક્તિનો ચહેરો પણ યાદ નથી હોતો. દેશમાં ડ્રગ્સ લેવો કાયદાકીય રીતે ગુનો
હોવાથી પીડિતા કોઈ કાર્યવાહી કરતી નથી અને પરિણામે આવા કેટલાયે કિસ્સાઓ બેહોશીમાં
ઘટિત થતાં હોય છે જેના આંકડા બહાર આવતા નથી.આમાં માત્ર બળાત્કાર એકલું નથી પણ હિંસા પણ અને એક અલગ પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે. કેટલાક પતિઓ તો પોતાની પત્ની સાથે જ આવું વર્તન કરે છે જે ચોક્કસ પ્રકારે અયોગ્ય છે પરંતુ સ્ત્રીઓ અંદરો અંદર સહન કરતી હોય છે.
5)ગુસ્સો : આવા કિસ્સામાં કોઈ વ્યક્તિને કોઈ મુદ્દે પીડિતા
સાથે થયેલ ઝગડો કે મતભેદ જવાબદાર હોય છે. જેમાં તેની સાથે બદલો લેવાની ભાવના અને
સેલ્ફ ઇગોના સેટિસફેક્સન માટે બળાત્કાર કરવામાં આવે છે અને તેની હત્યા પણ કરવામાં
આવે છે.આવા લોકો ઝનૂની અને અત્યંત ગુસ્સાથી ભરેલા અને આક્રમક હોય છે.
6)ગરીબાઈ : આવા કિસ્સાઓમાં મહિલા તથા પુરુષો કઠિન પરિસ્થિઓનો
સામનો કરતાં હોય છે. જેમાં બંને ગરીબી રેખા હેઠળ જીવતા હોવાથી એક બીજા કરતાં વધુ
પૈસા કમાવામાં અને બીજાને નીચું દેખાડવાનાં ઈરાદાઓમા ગુસ્સો ઉત્પન થાય છે અને
બળાત્કાર થાય છે.
7) કૌટુંબિક ગૌરવ : કેટલાક પરિવાર મહિલાઓ પર હાવી થવા અને
આક્રમક વલણ ધરાવનારને ગૌરવ માને છે.જેમા ઝગડા, હત્યા, ચોરી, મર્ડર કરનારને પુરુષત્વ માને
છે અને તેને પરિવાર સમાજ અને કુટુંબનું ગૌરવ માને છે.કેટલાક સમાજમાં તો જો કોઈ પુરુષ આવા કોઈ ગુનામાં સંડોવાયો ના હોય અથવા જેલમાં ન ગયો કોઈ તો તેવા પુરુષને કોઈ પોતાની દીકરી પણ નથી પરણાવતું, જે એક પ્રકારનું અજ્ઞાન જ છે. પહેલાના જમાનમાં રાજાઓ પોતાના
બળથી સ્ત્રીઓનું હરણ કરતાં અને રાણીઓ બનાવતા તથા સ્ત્રીઓ પણ વધુ બળશાળી પુરુષ સાથે
લગ્ન કરવાનું ગૌરવ અનુભવતી.
8)યુદ્ધ : ઘણા સમય પહેલા ડાકુઓ ગામને લૂટવા આવતા અને સ્ત્રીઓનુ
બળજબરી પૂર્વક હરણ કરતાં. એક રાજા જો યુદ્ધમાં અન્ય રાજાને હરાવે તો તેમના પ્રદેશની
મિલકતને લૂટી લેતા અને તેમની સ્ત્રીઓનો બળાત્કાર કરતાં. જ્યારે બે દેશ વચ્ચે યુદ્ધ
થાય છે ત્યારે સૈનિક જેતે જગ્યાની યુવતીઓનો બળાત્કાર કરે છે જેથી તેમનો ડર બની રહે.
કાશ્મીરમાં આવાં કિસ્સાઓ ખૂબ જોવા મળ્યા હતા જ્યાં કાશ્મીરી પંડિતો અને તેમની મહિલાઓ
પર બળાત્કાર કરવામાં આવતા હતા અને તે લગભગ નિત્યક્રમ બની ગયો હતો.
9)શરણાર્થી : યુદ્ધ વખતે અથવા કપરી પરિસ્થિતિમાં લોકો સ્થળાંતર
કરે છે. અન્ય શહેર કે દેશ જતાં હોય છે. તેવા કપરા સમયે કાયદો લગભગ મૃત્યુ પામ્યો હોય
છે અને તે સમયે જેતે શહેર કે દેશના લોકો બહારથી આવેલા અને વસવાટ કરતાં લોકોની મજબૂરીનો
ફાયદો ઉઠાવી બળાત્કાર કરતાં હોય છે.
10)લૈંગિક ઉધ્યોગ : આજના સમયમાં ઇન્ટરનેટના વધતાં જતાં ઉપયોગમાં વિવિધ
વેબ સાઈડ દ્વારા દેહ વ્યાપાર કરતી મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવે છે. અલગ અલગ વિકૃતિઓ
ધરાવતી અશ્લીલ વિડિયો બનાવી તેનો વ્યાપાર કરવામાં આવે છે. સમાજમાં સ્વીકૃત નથી તેવા
અને જે સમ્માનીય સબંધો છે તેને પણ ખૂબ ખરાબ રીતે બતાવવામાં આવે છે, પરિણામે
વ્યક્તિની અંદર હલકી માનસિકતા અને વિકૃતિઓ ઉત્પન થાય છે. કામ
સૂત્રમા પણ ઉલ્લેખના હોય તેવા ચિત્ર વિચિત્ર આસનોનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ
સમાજને દૂષિત કરે છે, પરિણામે વ્યક્તિ આવાં પ્રયોગો કરવા માટે પ્રેરાય
છે અને બળાત્કાર જેવા ગુનાઓ થાય છે.
11) નબળી પરિસ્થિતિઓ : માનવને પોતાનું ગુજરાન
ચલાવવા માટે કેટકેટલા સંઘર્ષો કરવા પડતાં હોય છે. શેહરોના શહેરો બદલવા પડતાં હોય છે
તેવી પરિસ્થિતિમાં વ્યક્તિની જરૂરિયાતોનો સોદો કરવામાં આવે છે અને તેનો લાભ લઈ બળાત્કાર
કરવામાં આવે છે.
11) માનસિક અસ્વસ્થતા : કેટલાક કિસ્સામાં માણસ માનસિક રીતે અસ્વસ્થ હોય છે અને તે પોતાના વૈચારિક આવેગોને કાબુમાં રાખી શકતો નથી, અલબત્ત માનસિક બીમારી ઉત્પન થવાના ઘણા કારણો છે અને તેનું આખું એક અલગ વિજ્ઞાન છે અને તેમાંથી અમુક કારણ તો ઉપર જણાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે વ્યક્તિ જોવામાં સ્વથ્ય હોય છે, પરંતુ તે સમય આવે આ પ્રકારના કૃત્યો કરતાં ખચકાતો નથી.
12) ધાર્મિક અજ્ઞાનતા : ક્યારેક જીવનની કપરી પરિસ્થિતિથી થાકી હારીને વ્યક્તિ કાળા જાદુ, મંત્ર તંત્ર, વશીકરણ જેવી ક્રિયાઓનો સહારો લેતાં છે. આવા સમય એ ધર્મ અને દેહશુદ્ધિનાં નામ પર શારીરિક સંબંધ બાંધવામાં આવતો હોય છે. શરમની વાત તો તે હોય છે કે આવું અયોગ્ય અને અવૈચારિક પગલું ભરનાર પોતે એક શિક્ષિત વ્યક્તિ હોય છે. આમ સામે વાળાને ખબર પણ નથી હોતી અને તે બળાત્કારનો ભોગ બની જતાં હોય છે.
તેવું માની લેવું ભૂલ ભરેલું છે કે બળાત્કાર માત્ર સ્ત્રીઓ પર જ થાય છે. મહિલાઓ દ્વારાં પણ પુરુષો પર થયેલા બળાત્કારના કિસ્સાઓ અને કેસો નોંધાયા છે. પ્રેમક્રીડા એ એક આવેગ છે જે પુરુષ તથા સ્ત્રીઓમાં ભેદ કરતો નથી. હવે તો સમલૈંગિક સબંધોનું પ્રમાણ પણ વધી ગયું છે માટે તેના અલગ કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે. ઘણી વખત પુરુષ દ્વારાં પુરુષ પર અને સ્ત્રીઓ દ્વારાં સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવતા હોય છે.તેના માટે પણ ઉપરના કારણ જ જવાબદાર હોય છે. કહેવાય છેને કે પ્રેમ આંધળો હોય છે, અને હવે તો તે જાતિ પણ જોતો નથી. ભલે ગમે તે હોય પણ બદલાતા સમયમાં હજુ કેટકેટલી વિકૃતિઓ જોવાની બાકી છે તે તો સમય જ બતાવશે.
વ્યક્તિ કામુખતાનું દમન કરવાના પ્રયત્નો
કરે છે અને કેટલાક સુધી તે સફળ પણ થયો છે, પરંતુ વ્યક્તિ તે ભૂલે છે કે કોઈ પણ પ્રકારની
ઉર્જાનો નાશ થતો નથી.કામુખતાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે જાતીય જીવન માટે આશીર્વાદ
રૂપ છે. ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા અને માનવોએ લગ્ન વ્યવસ્થા. ઈશ્વર ક્યારેય
કોઈને બંધનમાં રાખતા નથી તેમને હમેશાં સ્વતંત્રતાનું જ યોગદાન કર્યું છે. માનવ શરીરની રચના જ સ્વતંત્રતાને વરેલી છે જે ભાગ્યે જ કોઈને એહસાસ હોય છે, પરંતુ માનવે પોતાની અલગ વ્યવસ્થા ઊભી કરે અને સબંધોનું નિર્માણ કર્યું. સંબંધો અધિકાર ધરાવે છે અને અધિકાર બંધનનું નિર્માણ કરતું હોય છે. પરિણામે વ્યક્તિ સતત જીવનથી
નાખુશ રહેતો હોય છે અને ઘણીવાર અયોગ્ય કૃત્યો કરતો હોય છે, અલબત્ત
આ જ માત્ર ચોક્કસ પણે એક જ કારણ નથી.
બળાત્કારની ઘટના સ્ત્રીઓના મન ઉપર ખુબ જ માઠી અસર પહોંચાડે અને સમાજ પણ તેના ઉપર અન્ય સવાલો ઊભા કરી વારંવાર તેનો બળાત્કાર કરતી હોય
છે. સવાલ ફરી તેજ છે કે કોણ છે આ બધા ક્યાંથી આવ્યા..? અને
જવાબ માત્ર એક જ છે.. ચહેરાઑ તરફ નજર કરશો તો ગણા જોવાશે અને પીડા તરફ નજર કરશો તો
એક જ જોવાશે. દરેક પીડિતાની ઉંમર, નાત, જાત, જ્ઞાનતી, વર્ણ, સંપ્રદાય, વિસ્તાર બધુ અલગ હશે પણ સામ્યતા એક જ કે તે દરેકની પીડાઓ સરખી હશે.
જૈમીન જોષી.
Sunday, October 4, 2020
ભારત અને બળાત્કાર(India and Rape)
જ્યાં સ્ત્રીનું શિયળ(ઇજ્જત) જોખમમાં હોય ત્યાં ચોક્કસ પુરુષત્વ અપ્રાગટ્ય હોય તેમ સમજવું:
2013 નિર્ભયા બળાત્કાર અને હત્યાકાંડનો ગુસ્સો હજુ સમ્યો નથી ત્યારે હાથરસ ગેંગરેપનો ચોંકાવનારો કિસ્સો આવી ગયો.એવું નથી કે 2013 પછી બળાત્કારના કિસ્સાઓ બંધ થઈ ગયા છે કે તેનો રેસીઓ ઘટી ગયો છે. 14 સપ્ટેમ્બર 2020 ના રોજ 19 વર્ષની દીકરી ઉપર ચારથી પાંચ લોકોએ બળાત્કાર કર્યો. તેના શરીરમાં કેટલાય ફ્રેક્ચર થયા,તેની જીભ કાપી નાખવામાં આવી, કમર અને પગના હાડકા ઉપર ઈજા પહોચાડવામાં આવી. આ ગુનાની FIR 22 સપ્ટેમ્બર સુધી નોંધવામાં આવી ન હતી, પરંતુ જ્યારે છોકરીએ મેજિસ્ટ્રેટની સામે ગેંગરેપ થયાનું બયાન આપ્યું ત્યારે તેનો ગુનો નોંધી પોલીસે ગુનેગારોને ઝડપી લીધાં. આ ગુનામાં યુપી સરકાર, પોલીસ તંત્રની નિષ્કાળજી, મિલાવટ અને જાતિવાદ જેવા મુદ્દાઓને લઈને કેસે મોટી આગ પકડી છે.સરકાર અને પોલીસ તંત્રએ ગુંડાગીરી અપનાવી લીધી છે અને તંત્ર કાયદાની વિરુધ્ધમાં જઇને કાર્ય કરી રહ્યું છે તેવી વાતો પણ સામે આવી રહી છે.
બળાત્કારના ગુનાઓ વાળા કિસ્સાઓ અવારનવાર આવતા જ રહે છે, જેમ કે જયંતિ ભાનુશાલી કેસ અને તેની વિડીયો.થોડા સમય પેહલા એક અપાર્ટમેન્ટમાં 11 વર્ષની બાળકી સાથે 18 લોકોએ સાત મહિના સુધી બળાત્કાર કર્યો હતો, કાલોલની પરિણીત મહિલા સાથે ચાર લોકોએ સામૂહિક બળાત્કાર કરીને અને નગ્ન ફોટા પાડ્યા હતા, બી.જે મેડિકલ કોલેજના ભણતી વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાવા આવ્યો હતો. સુરતની શાળામાં શિક્ષકે વોશરૂમમાં વિધાર્થિની સાથે બળાત્કાર કરી તેનો વિડીયો બનાવામાં આવ્યો, ગીર સોમનાથમાં છોકરીને પ્રેમજાળમાં ફસાવી ચાર લોકો દ્વારાં બળાત્કાર થયો. તાંત્રિક દ્વારા કાળી વિધ્યાના ડરના માધ્યમથી સાત વર્ષ સુધી માતા પુત્રી ઉપર ગુજારેલા બળાત્કારની હેડલાઇન હજી તાજી જ મગજમાં ફરે છે.કંઠૂઆ ગેંગરેપ અને હત્યા, મિત્ર પર બળાત્કારનો આરોપ લગાવવાથી શ્રીલંકન ઓપનર દનુસ્કાને તો સસ્પેન્ડ કરાયા હતા. વલસાડમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર હોય કે હૈદરાબાદ રેપ કેસ. બોટાદ સગીરાનો રેપ કેસ કે પાટણમાં પુત્ર દ્વારાં માતા પર ગુજારેલ બળાત્કાર, રાજકોટમાં તરુણી પર પ્રેમી દ્વારા રેપ... આવા તો કેટકેટલાએ કેસો સામે આવ્યા છે અને હજુ આવી રહ્યા છે.પરંતુ આટલી જાગૃતિ છતાં પરિસ્તીતિમાં કોઈ પરીવર્તન જોવા મળતું નથી.
હાલમાં બનેલ કિસ્સામાં સપ્ટેમ્બર 19 ના રોજ પાયલ ઘોસ નામક અભિનેત્રીએ ટ્વીટ કર્યું હતું: “શ્રી કશ્યપે મારી જાતને ખૂબ જ ખરાબ રીતે દબાણ કર્યું છે. નરેન્દ્ર મોદીજી માયાળુ રૂપે પગલાં લે અને દેશને આ સર્જનાત્મક વ્યક્તિની પાછળનો રાક્ષસ જોવા દે. હું જાણું છું કે તે મને નુકસાન પહોંચાડી શકે છે અને મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ...! ”
21 સપ્ટેમ્બરના રોજ શ્રી કશ્યપની વકીલ પ્રિયંકા ખીમાનીએ એક ટ્વિટર નિવેદનમાં, ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, “મારા અસીલ, અનુરાગ કશ્યપને જાતીય દુષ્કર્મના ખોટા આક્ષેપોથી ખૂબ દુખ થયું છે, જે હાલમાં જ તેમની વિરુદ્ધ સામે આવ્યું છે. આ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા, દૂષિત અને બેઇમાની છે. તે દુખદ છે કે # ME TOO આંદોલન જેટલું મહત્વનું એક સામાજિક ચળવળ હિતો દ્વારા સહકાર આપવામાં આવ્યું છે અને પાત્ર હત્યાના સાધન સુધી ઘટાડવામાં આવ્યું છે. આ પ્રકૃતિના કાલ્પનિક આક્ષેપો ચળવળને ગંભીરપણે નબળા પાડે છે અને જાતીય સતામણી અને દુર્વ્યવહારના અસલી પીડિત લોકોની પીડા અને આઘાત પર નિશંકપણે વેપાર કરવાનો પ્રયાસ કરે છે. મારા ક્લાયંટને કાયદામાં તેના હક અને ઉપાયો વિશે સંપૂર્ણ સલાહ આપવામાં આવી છે અને સંપૂર્ણ હદ સુધી તેનો પીછો કરવાનો ઇરાદો છે.
બોલીવુડમાં ઘણા સમય પહેલા બળાત્કાર અને સેક્સ્યુયલ હરેશમેંટના કેટલાએ કિસ્સાઓ #ME TOO મૂવમેન્ટ ચાલાવામાં આવી હતી. જેમાં કેટકેટલી અભિનેત્રીઓ એ પોતાના ઉપર થયેલ સેક્સુઅલ હરેશમેંટ વિષે ખૂલીને વાત કરીને વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો. મહિલાઓ સાથે થતાં અત્યાચાર વિષે હવે કોઈ જાહેરમાં સમજાવટ હોતી નથી કારણ કે દરેક વ્યક્તિ તેના વિષે જાણતો હોય છે,તેનો ભાગ હોય છે તથા આંખ આડા કાન કરનાર હોય છે. છતાં કેટલાક કિસ્સાઓ એવા સામે આવી જાય છે કે જે માનવ વિકૃતિઓને ઉગાડી પાડી નાખે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના 2018 ના વાર્ષિક અહેવાલ મુજબ, દેશભરમાં બળાત્કારના 33,356 કેસિસ છે, જેમાં દૈનિક સરેરાશ 91 બળાત્કારો નોંધાયા છે. જેમાથી 31,320 પીડિતને ઓળખાયેલા ગુનેગારો દ્વારાં કરવામાં આવ્યા છે. વર્ષ 2015 માં 24,651 , વર્ષ 2016માં 38,947 , વર્ષ 2017 માં 32,559 છે. 2019માં રોજના સરેરાશ 87 રેપ થાય છે.મદ્રાશ હાઈકોર્ટેના કહેવા પ્રામાણે દર 15 મિનિટમાં એક રેપ થાય છે. હાલમાં NCRB નાં આકડાં દર્શાવે છે કે દેશભરમાં ખૂન સાથે બળાત્કારના 278 કેસમાથી મહારાસ્ટ્રમાં સૌથી વધુ 47 નોંધાયા છે,જેમાં બે કેસ મૂંબઈમાં નોંધાયા છે. એમ.પી માં 37 અને યુ.પી. માં 34 છે.આતો માત્ર એ આંકડાઓ છે જેના કેસ નોધાયાં છે પરંતુ હકીકત તો કઈક અલગ જ હોય છે જે આ આકડાંઓથી 10 કે 50 ગણી વધુ હોય શકે છે.
અલગ અલગ દેશમાં બળાત્કારની સજા(Punishment of rape in different countries):
1) ભારત: આજીવન કેદને મૃત્યુદંડની
સજા
એપ્રિલ 2013 નાં એન્ટી
રેપ બિલ પછી, ગુનેગારોને આજીવન કેદ (જે ખરેખર
14 વર્ષ છે), આખા જીવન
માટે કેદ અને દુર્લભ કેસોના ભાગ્યે જ મૃત્યુદંડની સજા પણ છે. આ સુધારણામાં
બળાત્કારની જેમ અન્ય ઘણા પ્રકારના જાતીય હુમલાનો સમાવેશ કરવા માટે વિસ્તૃત કરવામાં
આવ્યું છે.
2) અફઘાનિસ્તાન: માથામાં ગોળી અથવા ફાંસીને મોતને ઘાટ ઉતારી
અહીં દોષી ઠરેલા
બળાત્કાર કરનારાઓને 4 દિવસની અંદર
માથામાં ગોળી મારવામાં આવે છે અથવા અદાલતે સોંપેલા ચૂકાદાના આધારે ફાંસીની સજા
આપવામાં આવે છે..
જો કોઈને મહિલા પર
બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવે છે, તો તેને 16 વર્ષની જેલની સજા
ફરજિયાત છે. તેમની બળાત્કારની
વ્યાખ્યા તદ્દન સમાવિષ્ટ છે અને જાતીય હુમલાના અન્ય પ્રકારોને ધ્યાનમાં લે છે.
4) યુએસએ: આજીવન માટે જેલ
અહીં દોષિત
બળાત્કારી માટે સામાન્ય સજા એ સુનાવણી રાજ્ય અથવા સંઘીય કાયદા હેઠળ આવે છે કે કેમ
તેના પર નિર્ભર છે. સંઘીય કાયદા હેઠળના
કેસોમાં, બળાત્કાર કરનારના
જીવનકાળની સંપૂર્ણતા માટે સજા થોડા વર્ષોથી કેદ સુધીની હોઈ શકે છે.
5) નોર્વે: 4 થી 15 વર્ષ
તેઓ બળાત્કાર
સંદર્ભે સૌથી કડક સ્થળો છે. સંમતિ વિના કોઈપણ પ્રકારનું જાતીય વર્તન અહીં બળાત્કારની કેટેગરીમાં આવે છે, અને ગુનો કેટલો ભયંકર હતો તેના આધારે ગુનેગારને 4-15 વર્ષની મુદત માટે જેલમાં ધકેલી શકાય છે. તેમની પાસે આવી સરસ જેલ છે.
6) રશિયા: 3 થી 20 વર્ષ
રશિયામાં બળાત્કારીઓને સામાન્ય
રીતે 3-6 વર્ષની જેલની સજા કરવામાં આવે
છે. જેલની અવધિ પરિસ્થિતિને આધારે 10 વર્ષથી વધુનો
સમયગાળો થઈ શકે છે, જેમ કે જો વ્યક્તિને કોઈ નુકસાન
થાય છે અને જો તે ભાગ્યે જ કેસ હોય તો તે વધારે (20 વર્ષ) પણ હોઈ
શકે છે.
7) ચાઇના: મૃત્યુ સજા
અથવા મતદાન
ચાઇનામાં
બળાત્કારની સજા એ મૃત્યુ છે, જે કેટલાક તેમની ઝડપીતા માટે પ્રશંસા કરી શકે છે. જો કે, યોગ્ય અજમાયશ વિના ફાંસીની જેમ જ ક્રૂરતા છે. તેમની નિરંકુશ નેતૃત્વનો પુરાવો એ હકીકત બતાવે છે કે ફાંસી અપાયેલા કેટલાક
દોષિત બળાત્કારીઓને બાદમાં નિર્દોષ જણાયા હતા. કેટલાક કિસ્સાઓમાં કાસ્ટરેશનનો ઉપયોગ પણ થાય છે.
8) ઉત્તર કોરિયા: ફાયરિંગ ટુકડી દ્વારા મોત
આ સરમુખત્યારશાહી
ફાયરિંગ ટુકડી દ્વારા બળાત્કારીઓને મોતની સજા આપે છે. તેમની ન્યાયની લાઇનો અસ્પષ્ટ છે કે આપણે જાણીએ છીએ તે બધા
માટે, તેઓ અસંતુષ્ટને ચલાવવા
માટે આનો ઉપયોગ કવર તરીકે કરે છે.
9) ઇજિપ્ત: ફાંસી દ્વારા મૃત્યુ
ઇજિપ્ત પણ તે સ્થાનોમાંથી એક છે
જે હજી પણ ફાંસી દ્વારા મૃત્યુના સહેજ જૂના મોડને અનુસરે છે. જોકે
બળાત્કારીઓના કિસ્સામાં, મને લાગે છે કે તે બરાબર છે.
10) ફ્રાન્સ: જીવન માટે 15 વર્ષ
ફ્રેન્ચ લોકો તેમના બળાત્કારના
કાયદા અંગે ખૂબ કડક છે. બળાત્કાર બદલ તેઓએ 15 વર્ષની સજા
સંભળાવી છે, જે નુકસાન અને નિર્દયતાની હદના
આધારે 30 અથવા જીવન સુધી વધારી શકાય છે..
11) સાઉદી અરેબિયા: દિવસની અંદર
શિરચ્છેદ
સાઉદી અરેબિયામાં બળાત્કારની
સજા એ બળાત્કારીને શામક દવા આપીને જાહેર શિરચ્છેદ કરે છે. તેઓ માદક
દ્રવ્યોની હેરફેર માટેની સમાન સજાને પણ નબળા પાડે છે તે હકીકત એ સાબિત કરે છે કે
તેમની સિસ્ટમમાં કંઇક ખોટું કંઇક ગર્ભિત છે.
12) ઈરાન: ફાંસીને મોતને ઘાટ ઉતારી
ઈરાનમાં બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા આપવામાં આવે છે, કેટલીક વાર ફાંસી દ્વારા લગાવી દેવામાં આવે છે પરંતુ કેટલીક વખત કથિત રૂપે પથ્થરમારો પણ કરવામાં આવે છે, જે એક ભયાનક પદ્ધતિ છે. દુર્ભાગ્યે, પર્યાપ્ત, અહીંની સંસ્કૃતિ પણ બળાત્કાર ગુજારનાર વ્યક્તિનો ભોગ બને છે.
બળાત્કાર એ એક સૌથી અપમાનજનક ગુના તરીકે માનવામાં આવે છે જે માણસ કરી શકે છે. બળાત્કારનો ભોગ બનેલા લોકોની ઘણી વાર સમાજમાં નિંદા કરવામાં આવે છે અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે. સમાજ ગુનેગારના જીવનને જીવંત નર્કમાં ફેરવે છે.
તેની અસર ભયાનક છે કારણ કે તે પીડિત પર અલોકિત શારીરિક, ભાવનાત્મક અને માનસિક ઘાવ લાવે છે. પરંતુ ગુનેગારનું શું? પીડિતની આત્માને વેરવિખેર કરનાર શેતાનનું શું કરવું જોઈએ?
વિશ્વના વિવિધ સરકારો જાતીય અત્યાચાર સામે સખત કાયદાઓ લઈને તેમના દેશને તેમના નાગરિકો માટે સુરક્ષિત સ્થાન બનાવવા માટે આવ્યા છે.તેઓએ ખાતરી કરી કે જેણે આ ઘોર ગુનામાં વ્યસ્ત રહે છે તે મુક્ત ભટકતો નથી. કેટલીક સજાઓ એટલી નિર્દય હોય છે કે તે તમને ગુનેગારો માટે પણ દયા અનુભવી શકે છે.
જૈમીન જોષી.
ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)
કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy): સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...

-
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. [ કલમ ૩૭૬ - એ ] : - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :- ...
-
પ્લાસ્ટિકની શોધ સમાજને ઉપયોગી ખરી પણ પર્યાવરણ માટે ખતરા રૂપ છે. વિજ્ઞાનની ઘણી બધી શાખાઓમાં રસાયણ વિજ્ઞાન પણ એક છે. જે વિવિધ પદાર્થની જન્...
-
મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે...
-
સમર્પણ , સ્નેહ અને ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!! MEERA ક્રુષ્ણ પ્રિય મીરાં: છ સાત વર્ષની બાળા એક વટેમાર્ગ...
-
Archimedes One of best Mathematician Archimedes ગ્રીક ખગોળવિદ ફેઈડિયાઝના ઘરે આર્કિમીડીઝનો જન્મ થયો હતો.જે...