માં અંબાના ઝાંઝરનો ઝણકાર સંભળાઈ કે ના સંભળાય પરંતુ મનમાં ઝાંઝરના ખનકનો નાદ સંભળાયા વગર તો ન જ રહે.આમ તો નવરાત્રિ એક હિંદુ પર્વ છે. મૂળ નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે . જેનો અર્થ થાય છે . રાત્રીયો, આ નવ રાત્રિ અને દસ દિવસો દરમ્યાન માં અંબાના નવ રૂપોની પુજા કરવામાં આવે છે . તથા દસમો દિવસ દશેરા તરીકે પ્રસિધ્ધ છે . આ તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે . પોષ , ચૈત્ર , અષાઢ , આસો માસથી નવમી સુધી ખુબ જ ધામધુમથી તથા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે . નવરાત્રિની નવ રાતોમાં ત્રણ દેવી મહાલક્ષ્મી , મહાસરસ્વતી અને દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે .
દુર્ગાનો અર્થ જીવનના દુઃખોને દુર કરનાર , હરનાર થાય છે . નવરાત્રિ ઉત્સવ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે . વસંત ઋતુની શરુઆત અને શરદ ઋતુની શરૂઆત જલ , વાયુ અને સુર્યના પ્રભાવોનું મહત્વપુર્ણ સંગમ માનવમાં આવે છે . આ બે સમયે માં દુર્ગાની પૂજા માટે સૌથી પવિત્ર અવસર છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે . દરેક દિવસ દુર્ગાના અલગ રૂપને સમર્પિત છે . પ્રથમ દિવસે નાની બાલિકાઓની પૂજા કરવામાં આવે છે બીજે દિવસે સ્ત્રીની પૂજા કરવામાં આવે છે . ત્રીજા દિવસે જે સ્ત્રી પરિપક્વતાના ચરણમાં પહોંચી ગઈ છે તેની પૂજા કરવામાં આવે છે . નવરાત્રીના ચોથાથી છઠ્ઠા દિવસે વ્યક્તિ જ્યારે અહંકાર , ક્રોધ , વાસના અને મોહ વગેરે પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તે એક શૂન્યનું અનુભવ કરે છે . આ શૂન્ય આધ્યાત્મિક ધનથી છલકાય જાય છે, અને તમામ સુખ સમૃદ્ધિ માટે લક્ષ્મીજીની પૂજા કરે છે. નવરાત્રિના પાંચમા અને છઠ્ઠા દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા અને આઠમા દિવસે કલા અને જ્ઞાન પ્રાપ્ત કરવા સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે . આઠવા દિવસે એક યજ્ઞ કરવામાં આવે છે તથા માતાજીને વિદાય કરવામાં આવે છે . નવરાત્રીમાં નવમો દિવસ અંતિમ દિવસ હોય છે . આ દિવસને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પણ કન્યા પૂજન કરવામાં આવે છે. માં દુર્ગાના નવ સ્વરૂપઃ નવરાત્રિના નવ દિવસોમાં જુદા જુદા સ્વરૂપે સ્થિતિ જગદંબાની પુજા અર્ચના કરવાથી માનવાંચિત ફળ મળે છે .
- નવદુર્ગા નામ :-
( ૧ ) માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૌલપુત્રી છે . આનો અર્થ પહાડોની પુત્રી થાય છે . હિમાલયને ત્યાં જન્મ લેવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યું હતું તેનું વાહન વૃષભ છે . નવરાત્રીના પહેલા દિવસે આ માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
( ૨ ) માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણી નું છે. માં ના આ સ્વરૂપની ઉપાસના કરવાથી અનંદ ફળની પ્રાપ્તી થાય છે. આ માં ની ઉપાસના નવરાત્રીના બીજે દિવસે થાય છે.
( ૩ ) નવરાત્રીના ત્રીજે દિવસે માં ચંદ્રધરા નું પૂજન થાય છે. આનો અર્થ ચંદ્રની જેમ ચમકવાવાળી થાય છે. આ માંની પૂજા ત્રીજા દિવસે કરવામાં આવે છે. માતાનાં આ સ્વરૂપને દશભુજા તથા મસ્તક ઉપર અર્ધચંદ્ર છે. તેની ઉપાસના કરવાથી બધી વિપત્તિ નાશ પામે છે , તથા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
( ૪ ) માં દુર્ગાનું ચોથું સ્વરૂપ દુષ્માંડા છે જેનો અર્થ પુરૂ જગત એના ચરણમાં છે તેમ થાય છે. આ જ માતાજી સૃષ્ટિની આદ્યશક્તિ સ્વરૂપ છે. આ સ્વરૂપ અષ્ટભુજા છે. તેના હાથમાં કમળનું ફુલ , કમંડળ , ધનુષ્ય બાણ , ચક્ર , ગદા તથા સિદ્ધિ પ્રદાન કરનારી વૃદ્ધ થાય છે.
( ૫ ) માં દુર્ગાનું પાંચમુ સ્વરૂપ સ્કન્દ માતા છે. આનો અર્થ કાર્તિક રેવાણીની માતા થાય છે . તેની ઉપાસનાથી સમસ્ત ઈચ્છાઓનીપૂર્તિ થાય છે. આ માંનુ પૂજન પાંચમા દિવસે કરવામાં આવે છે.
( ૬ ) માં નું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની નું છે આનો અર્થ કાત્યાયન આશ્રમમાં જન્મનાર એવો થાય છે . તેનું વાહન પણ સિહ છે . તે ચાર ભુજાધારી છે . આની ઉપાસનાથી રોગ કષ્ટભય નષ્ટ થાય છે . તેની છઠ્ઠા દિવસે પુજા કરવામાં આવે છે .
( ૭ ) માં નું સાતમું સ્વરૂપ કાળરાત્રિ છે આનો અર્થ કાળના નાશ કરવાવાળી એવો થાય છે તેનું સ્વરૂપ ભયાનક છે ભક્તોને તે ડરાવતી નથી પણ દુષ્ટોનો વિનાશ કરે છે દાનવ , દૈત્ય , ભુતપ્રેત વગેરે સ્મરણ માત્રથી ભાગી જાય છે . સાતમાં દિવસે તેની ઉપાસના થાય છે .
( ૮ ) માં દુર્ગાના આઠમાં સ્વરૂપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે . તેનો અર્થ સફેદ રંગવાળી માં તેવો થાય છે . વૃષભ ઉપર સવાર થયેલી માં દુર્ગાના આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે . તેની આઠવા દિવસે આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે .
( ૯ ) માં દુર્ગાનું નવમુ સ્વરૂપ સિધ્ધિદાયીની છે . અને તેની કૃપાથી અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે . તેનો અર્થ સર્વસિધિનવમાં દિવસે સંપુર્ણ શ્રધ્ધાથી તેની સાધના કરનારને બધી સિધ્ધિઓ પ્રાપ્ત થાય.
નવરાત્રિ દરમ્યાન પ્રકૃત્તિના આનંદકોષને ખુશીથી માણી માતાની આરાધનાના આ અનેરો અવસરને પૂરી ભકિત તથા હર્ષોલ્લાસ સાથે માણીએ એવી અપેક્ષાઓ આ સમયે ખોટી પડી છે કદાચ પ્રથમ વખત હશે પરંતુ માતા પોતાના બાળકો પર હરહંમેશ પ્રેમ વરસાવતી હોય છે તે પણ હકીકત છે. દરેક ને IIappy Navratri ... માં અંબાની કૃપા સર્વે પર હંમેશા રહે તેવી શુભકામના.
જૈમીન જોષી.
Very informative...
ReplyDeleteVery informative...
ReplyDelete