Sunday, October 31, 2021

સરદાર પટેલ અને ભારત (Sardar Patel and India)


  • જો સરદાર વડાપ્રધાન થયા હોત તો કોંગ્રેસનાં રાજ લાંબા ન ચાલ્યાં હોત.


સરદાર પટેલ અને ભારત  (Sardar Patel and India)



   ૧૯૪૭ નું ભારત એ આજના ભારત કરતા કંઇક જુદુ જ હતું. બ્રિટીશો દેશ છોડીને જતા હતા,પરંતુ આપણને એક દેશ નહિ પરંતુ ભારતના ટુકડા થવાનું ભવિષ્ય સોપતા જતા હતા. ભારત દેશ વૈવિધ્ય રીતે અલગ પડતો દેશ છે. અપણા દેશની દિશા પ્રમાણે ભાષા બદલાય છે. ખોરાક પણ એવો કે એક બીજાના વખાણ કરવા કે ટોકવા તે પણ નક્કી નથી કરી શકાતું. બધુજ અલગ છતાં એક હોવાનો દાવો. તે સમયની સ્થિતિ કંઇક અલગ જ હતી. ત્યારે લોકો પાસે ત્રણ રસ્તા બચ્યા હતા. ભારતનો હિસ્સો બનો કાતો પાકિસ્તાનનો હિસ્સો બનો અથવા તો આત્મનીર્ભર નિવાસ બનાવો. જે એટલું સરળ પણ ન હતું, પરંતુ ત્યાં જ ગુજરાતના એક સિંહે ગર્જના કરી. ભારતના છુટા પડેલા રજવાડાનાઓને સંગઠિત કરવાનું કામ એક પટેલે કરી બતાવ્યું. અલબત્ત તેના માટે તેમણે સામ,દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરવો પડ્યો હતો.

   ૧૯૪૭ ના જાન્યુઆરીમાં સરદાર અને નહેરુ વચ્ચેના મતભેદો ખુબ જ વણસ્યા અને કાઠિયાવાડના પ્રવાસે જતાં પહેલાં સરદારે ગાંધીજીને પત્ર લખીને હોદ્દો છોડવાની ઈચ્છા પ્રગટ કરી. માઉન્ટબેટનને ખબર પડી કે નહેરુના કહેવાથી ગાંધીજી સરદારના રાજીનામાં અંગે વિચારી રહ્યાં છે. મુખ્ય વાત એ હતી કે સરદારનું રાજીનામું એટલે દેશનું પતન. સરદાર વગર ચાલે તેવી સ્થિતિ હતી જ નહિ. સ્વરાજ પ્રાપ્ત કરવા માટે ગાંધી નહેરુ અને સરદાર આ ત્રણેયની જોડી બની રહે તે જરૂરી હતું.

   હું અહી ચોક્કસ ઉલ્લેખ કરીશ કે ગાંધીવાદી વિચાર ધારાને વળગી ન રહેનાર અને દેશને સ્વરાજ અપાવનાર કેટલાય ક્રાંતિકારીઓના બલિદાનનો દેશ હંમેશ ઋણી રહેશે. અહી ગાંધીજી સંગઠનમાં જે હતા તેમની વાત કરું છે માટે આ ત્રણેયની જોડી બની રહે તેવું કહું છું.   

   ભારત દેશ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્વિમ સુધી મળીને જે પ્રમાણે એક શક્તિશાળી દેશ બન્યો, તેનો મોટો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. જેમણે આઝાદીની પહેલા 562 રજવાડાઓનું દેશમાં વિલીનીકરણ કરવાનું કામ કર્યુ.

   તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

   સરદાર પટેલ જોકે કોઈ ક્રાંતિકારી ન હતા. વર્ષ 1928 થી 1931 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉદ્દેશ્યો અંગેની નિર્ણાયક ચર્ચામાં પટેલ માનતા હતા. (ગાંધી અને મોતીલાલ નેહરુની જેમ, પરંતુ જવાહરલાલ નહેરુ અને સુભાષ ચંદ્ર બોઝથી વિપરીત) કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ધ્યેય અંદર પ્રભુત્વનો દરજ્જો હોવો જોઈએ. બ્રિટિશ કોમનવેલ્થ - સ્વતંત્રતા નહીં. જવાહરલાલ નેહરુથી વિપરીત, જેમણે સ્વતંત્રતાની લડતમાં હિંસા માફ કરી હતી. સરદાર પટેલે નૈતિક રીતે નહીં પરંતુ વ્યવહારિક ધોરણે સશસ્ત્ર ક્રાંતિને નકારી કાઢી હતી. સરદાર પટેલે જણાવ્યું હતું કે તે નિષ્ક્રિય હશે અને ગંભીર દમનનો સામનો કરશે. સરદાર પટેલે ગાંધીની જેમ બ્રિટિશ કોમનવેલ્થમાં મુક્ત ભારતની ભાવિ ભાગીદારીમાં ફાયદા જોયા જો કે ભારતને સમાન સભ્ય તરીકે સ્વીકારવામાં આવે તેવી પણ વાત હતી. તેમણે ભારતીય સ્વાવલંબન અને આત્મવિશ્વાસને ઉત્તેજન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, પરંતુ ગાંધીથી વિપરીત તેમણે હિંદુ-મુસ્લિમ એકતાને સ્વતંત્રતા માટેની પૂર્વશરત ગણી ન હતી. હિંદુ-મુસ્લિમ એકતા ગાંધીજીનો વિચાર હતો. મોટા ભાગના લોકો તેને સમર્થન અપાતા ન હતાં. તે સમયે ગાંધીજી તેવો ચહેરો હતો જેને લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી જેથી તેનાથી વિપરીત નિર્ણયો લેવા સરળ ન હતાં.

sardar patel image


   સરદાર પટેલ બળજબરીથી આર્થિક અને સામાજિક ફેરફારો લાવવાની જરૂરિયાત પર જવાહરલાલ નેહરુ સાથે અસંમત હતા. પરંપરાગત હિંદુ મૂલ્યોમાં મૂળ ધરાવતા રૂઢિચુસ્ત, સરદાર પટેલે ભારતીય સામાજિક અને આર્થિક માળખામાં સમાજવાદી વિચારોને અનુકૂલિત કરવાની ઉપયોગીતાને ઓછી ગણાવી હતી. તેઓ મુક્ત સાહસમાં માનતા હતા, આમ રૂઢિચુસ્ત તત્વોનો વિશ્વાસ મેળવતા હતા અને આ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓને ટકાવી રાખતા ભંડોળ એકત્ર કર્યું હતું.

   ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1929ના લાહોર અધિવેશનના પ્રમુખપદ માટે ગાંધી પછી પટેલ બીજા ઉમેદવાર હતા. ગાંધીએ સ્વતંત્રતાના ઠરાવને અપનાવવાથી રોકવાના પ્રયાસમાં પ્રમુખપદનો ત્યાગ કર્યો અને પટેલને પણ પદ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું. તેવું પણ માનવામાં આવે છે કે મુખ્યત્વે મુસ્લિમો પ્રત્યે સરદાર પટેલના સમાધાનકારી વલણને કારણે જવાહરલાલ નેહરુ ચૂંટાયા. 1930ના મીઠાના સત્યાગ્રહ (પ્રાર્થના અને ઉપવાસ આંદોલન) દરમિયાન પટેલે ત્રણ મહિનાની જેલવાસ ભોગવ્યો હતો. માર્ચ 1931માં પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. તેમને જાન્યુઆરી 1932માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જુલાઈ 1934માં છૂટ્યા, તેમણે 1937ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને માર્શલ કર્યું અને 1937-38ના કોંગ્રેસના પ્રમુખપદ માટે મુખ્ય દાવેદાર હતા. ફરીથી, ગાંધીના દબાણને કારણે, પટેલ પીછેહઠ કરી અને જવાહરલાલ નેહરુ ચૂંટાયા. અન્ય કોંગ્રેસી નેતાઓની સાથે સરદાર પટેલને ઓક્ટોબર 1940માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, ઓગસ્ટ 1941માં મુક્ત કરવામાં આવ્યા હતા અને ઓગસ્ટ 1942થી જૂન 1945 સુધી વધુ એક વખત જેલવાસ ભોગવ્યો હતો.

   યુદ્ધ દરમિયાન સરદાર પટેલે ભારત પર તત્કાલીન અપેક્ષિત જાપાની આક્રમણ સામે ગાંધીજીની અહિંસાને અવ્યવહારુ તરીકે નકારી કાઢી હતી. સત્તાના હસ્તાંતરણ પર સરદાર પટેલે ગાંધી સાથે મતભેદ કર્યો કે ઉપખંડનું હિંદુ ભારત અને મુસ્લિમ પાકિસ્તાનમાં વિભાજન અનિવાર્ય હતું અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન સાથે ભાગ લેવો ભારતના હિતમાં છે.

   સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1945-46ના પ્રમુખપદ માટે અગ્રણી ઉમેદવાર હતા પરંતુ ગાંધીએ ફરી એકવાર નેહરુની ચૂંટણી માટે હસ્તક્ષેપ કર્યો. કોંગ્રેસના પ્રમુખ તરીકે નેહરુને બ્રિટિશ વાઇસરોય દ્વારા વચગાળાની સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમ, સામાન્ય ઘટનાક્રમમાં સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત. સ્વતંત્રતાના પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન સરદાર પટેલ નાયબ વડા પ્રધાન, ગૃહ બાબતોના પ્રધાન, માહિતી પ્રધાન અને રાજ્ય પ્રધાન હતા; સૌથી ઉપર, તેમની કાયમી ખ્યાતિ ભારતીય સંઘમાં રજવાડાઓના શાંતિપૂર્ણ એકીકરણ અને ભારતના રાજકીય એકીકરણની તેમની સિદ્ધિ પર આધારિત છે.

   આમ તો સરદાર વિશે ઘણું છે પણ એક શબ્દમાં કહું તો સરદાર એટલે સરદાર.

  

                                                                                                                      જૈમીન જોષી.   

   

Sunday, October 17, 2021

સત્ય સમજવું છે ? તો જ્ઞાન પ્રાપ્ત કરો...!!! (Understand the truth? So acquire knowledge ... !!!)

  • જો તમે કુશળ હોવ તો ચિંતા શેની...?:-


Human instincts


   માનવપ્રકૃતિ સારી છે કે બૂરી ? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. જેને સમજવા તમે કે હું ખરા અર્થમાં સક્ષમ નથી. હા પોતાનાં વિચારો વ્યક્ત કરવા તે અલગ બાબત છે પરંતુ તેની ખરાઈ કોણ કરશે? જે પ્રકારે પરીક્ષામાં લખેલ ઉત્તરવહીની  ચકાસણી કરનાર અધ્યાપક હોય છે તે પ્રકારે આપણી જીવન પ્રવૃતિ સારી છે કે ખરાબ તેની ચકાસણી કરવા કોઈ અધ્યાપક હોય છે ખરો? આપણે ભલીભાતી જાણીએ છીએ કે પરીક્ષાનું મૂલ્યાંકન સંપૂર્ણ સચોટ અને સત્ય છે તે વાત જ ખોટી છે. એક સરખા ઉત્તરનાં ગુણ સરખા ન પણ હોય. દરેક પ્રશ્ન અનુકૂળ ના પણ હોય. જીવનમાં તો આપણે બધાં જ વિદ્યાથી અને બધાં જ અધ્યાપક. જો આપણે સ્વભાવે જ ક્રિયાશીલ હોયએ અને અધ્યયન એક સ્વયં પ્રવૃત્તિની પ્રક્રિયા હોય તથા વધારામાં માનવ સ્વભાવ સારભૂત રીતે સારો હોય તો કુદરતે આપણી જન્મજાત વૃત્તિઓને સારભૂત રીતે સારી ગણવી જોઈએ તેવું આપણે માની લઈએ છીએ. જો આપણે બધામાં સારા જ હોઈએ તો આપણને પડતી તકલીફો કોનું પરિણામ છે ? આપણે આપણાં ભૂત કર્મને વાગોળીએ તો કદાચ આપણને આપણાં ગુના ન જોવાય અને જો એકાદ જોવાઈ પણ જાય તો પણ આપણે તેને તર્કવિતર્ક દ્વારા સાચું સાબિત કરી દઈએ છીએ. ક્યારેક ધર્મોના સહારે તો ક્યારેક બદલાયેલા સમયના આધારે. ક્યારેક નબળી પરિસ્થિતિનાં આધારે તો ક્યારેક ઉત્પન્ન થયેલ મજબૂરીનાં આધારે. પાપી પોતાના પાપનું સમર્થન કરવા માટે રામચરિતમાનસનો કે મહાભારતનો એક મહત્વનો અંશ કહેવાયેલ ભગવદ ગીતાંનો મનગમતો અર્થઘટન કરી બચાવનો આશરો લે છે. તો શું ધાર્મિક પુસ્તકો આપણાં પાપને છુપાવવા કે ભ્રમિત કરવા માટે ઉપયોગમાં લેવાયું છે? 

   કેથોલિકો ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વરે આદમને બે બક્ષિસો આપી હતીઃ સમન્વયની બક્ષિસ અને અમૃતની બક્ષિસ. જો માનવજાતના પ્રથમ પૂર્વજે પાપ ન કર્યું હોત તો જ્ઞાનની આ વિશિષ્ટ ભેટ જગતને મળી હોત અને તો તેઓ ઉચ્ચતર સત્યો પ્રત્યેની એક અપ્રતિમ રુચિથી સુસજ્જ મગજ ધરાવતા હોત. આમ હોત તો તેઓ તેમની સઘળી શક્તિઓ, બુદ્ધિ અને ઈચ્છાને સંપૂર્ણ આધીન રાખીને સમન્વયની પારલૌકિક બક્ષિસ ધરાવતા હોત. આદમના સંદર્ભમાં માનવપ્રકૃતિ ભલે પતિત થઈ. તે પુનઃ ઉત્થાન સાધી શકે છે. તે અભ્યાસ કરીને પુનઃલાયક બની શકે છે. એક મંતવ્ય મુજબ માનવપ્રકૃતિ એટલી બધી પતિત થઈ ગઈ છે કે તે દૈવી સહાય વિના પોતાની જાતે ઊભી થઈ શકે નહીં. માનવપ્રકૃતિ અંગે પાંડિત્યવાદી દૃષ્ટિ પણ છે. તેટલા માટે તો ચારેય યુગમાં ઈશ્વર અવતારનો ઉલ્લેખ છે. હિન્દુ ધર્મ પાસે કેટલીય દંતકથાઓ છે કેટલીય પ્રેરણાથી ભરેલી ઘટનાઓ છે. જો આપણે તેને સત્ય ન માનીએ છતાં તેમાંથી સ્વજીવનને લગતું સાહિત્ય સમેટી લઈએ તો પણ જીવન ભયો ભયો પરંતુ આપણને પરિસ્થિતિને પોતાના હિસાબે વળાંકો આપવાની અને ચોળીને ચીકણું કરવાની કુટેવ છે. પરિણામે આપણે સાર પ્રાપ્ત કરી શકતા નથી. 

truth image


   રૂસોના મતાનુસાર માનવપ્રકૃતિ જ્યારે તેના સર્જકના હાથમાંથી નીચે ઊતરી ત્યારે સારભૂત રીતે શુભ હતી. તે અણવિકસિત હતી અને શિક્ષણ દ્વારા સુધારણાની જરૂર ધરાવતી હતી. મનુષ્ય એક સમયે ઉન્નત પ્રકૃતિ ધરાવતો હતો જેને આજે શિક્ષણ દ્વારા પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહ્યો છે. માનવપ્રકૃતિની મૂળભૂત વૃત્તિઓની નૈતિક ગુણવત્તા ક્રિયાના આવેગમાં રહેતી નથી, બલકે જે રીતે તે પૂર્ણતાએ પહોંચે છે તેના વાતાવરણમાં, ખાસ કરીને સામાજિક વાતાવરણમાં તે જે પરિણામો લાવે છે તેમાં રહેલી છે. માનવપ્રકૃતિને આધ્યાત્મિક અસ્તિત્વ છે. માનવ પ્રકૃતિ વિશેની બીજી ફિલસૂફી માનવપ્રકૃતિને પરિબળ ક્ષેત્રના એક ભાગ તરીકે અધિક ભૌતિક લેખે છે. સમન્વય સ્વાતંત્ર્ય અને નૈતિક વૃત્તિ જેવા ગુણો ખુદ સેન્દ્રિય જીવમાંથી નહીં બલકે વાતાવરણના સંદર્ભમાંથી જન્મતા દેખાય છે .

   જ્ઞાન અને સત્ય વચ્ચે અવિનાભાવી સંબંધ છે. જ્ઞાન સાચું જ હોવું જોઈએ તો વળી સત્યનું જ્ઞાન પણ હોવું જોઈએ. જ્ઞાન ક્યારે સાચું હોય અને ક્યારે ખોટું આભાસી સત્યરૂપ હોય તેનો ખ્યાલ હોવો જોઈએ. આ માટેનાં નિયતઆંક અને ધોરણો હોવાં જોઈએ. જ્ઞાન માહિતી, હકીકત, અભિપ્રાય કે ક્યારેક તર્ક અનુમાન કે ધારણા દ્વારા પણ ફલિત થતું હોય છે. વાસ્તવિકતા એકરૂપતા જ્ઞાનમાં નિહિત છે. એ સમજવું જોઈએ કે માણસની જાણકારીથી પણ પર એક પરલક્ષી વિશ્વ અસ્તિત્વ ધરાવે છે. જ્ઞાન એક પ્રકારની વિદ્યા છે- વિદ્યાજ્ઞાન શબ્દ પ્રચલિત છે જ. એક મત મુજબ વિદ્યાના વિચારો અને અસર તેની બાહ્ય વાસ્તવિક્તા સાથે મળતાં આવે ત્યારે તે સત્ય છે એમ કહી શકાય. તેથી એકવાક્યતા એ આંતિરક કરતાં વધુ તો બાહ્ય સંબંધોની બાબત છે. શૈક્ષણિક સંશોધનમાં વ્યસ્ત વ્યક્તિને સત્ય લાધે છે. સંશોધનથી અજ્ઞાન, અણસમજ કે ગેરસમજણનું પડળ ભેદાય છે . સત્ય શાશ્વત અને સનાતન છે, તે અલ્પજીવી નથી. તેમાં કોઈ સંદિગ્ધતા લાગે તો સમજવાની માનવભૂલને કારણે હોય છે. અંતે તો સત્યનો જ વિજય થતો હોય છે એટલે ''સત્યમેવ જયતે'' કહેવાયું છે. 

                                                                                                                              જૈમીન જોષી.

Sunday, October 10, 2021

નવરાત્રીના નવ રૂપની ઓળખ (Identification of the nine forms of Navratri)

  •  નવરાત્રિ આમ તો રંગોની રાત્રી છે જે જીવનનાં અંધકારમાં એ રમતાં, કુદતા, હસતાં અને મોજ કરતાં શીખવે છે...

durga image


   છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે ગુજરાતીઓને ગરબે ઘૂમવાનો અવસર ગુમાવી દીધો હતો અને જ્યારે અત્યારે મળ્યો છે તે છતાં ઉમંગ હવે પહેલાં જેવો રહ્યો નથી. તેના ઘણાં કારણો છે પરંતુ મહત્ત્વનું તે છે કે અત્યારે તો માં અંબાના ઝાંઝરનો ઝંણકાર સેરીએ સેરીએ સંભળાઈ રહ્યો છે. આમ તો મૂળ નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે નવ રાત્રીયો. આ નવ રાત્રિ અને દસ દિવસો દરમ્યાન માં અંબાના નવ રૂપોની પુજા કરવામાં આવે છે તથા દસમો દિવસે દશેરા તરીકે પ્રસિધ્ધ છે. આપણે ત્યાં નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. પોષ, ચૈત્ર, અષાઢ, આસો માસથી નવમી સુધી ખુબ જ ધામધુમથી તથા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રિની નવ રાતોમાં ત્રણ દેવી મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે.

   દુર્ગાનો અર્થ જીવનના દુઃખોને દુર કરનાર , હરનાર થાય છે. નવરાત્રિ ઉત્સવ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે. વસંત ઋતુની શરુઆત અને શરદ ઋતુની શરૂઆત જલ, વાયુ અને સુર્યના પ્રભાવોનું મહત્વપુર્ણ સંગમ માનવમાં આવે છે. આ બે સમય માં દુર્ગાની પૂજા માટે સૌથી પવિત્ર અવસર છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે. દરેક દિવસ દુર્ગાના અલગ રૂપને સમર્પિત છે . પ્રથમ દિવસે નાની બાલિકાઓની પૂજા કરવામાં આવે છે બીજે દિવસે સ્ત્રીની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે જે સ્ત્રી પરિપક્વતાના ચરણમાં પહોંચી ગઈ છે તેની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ચોથાથી છઠ્ઠા દિવસે વ્યક્તિ જ્યારે અહંકાર , ક્રોધ , વાસના અને મોહ વગેરે પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તે એક શૂન્યનું અનુભવ કરે છે. આ શૂન્ય આધ્યાત્મિક ધનથી છલકાય જાય છે અને તમામ સુખ, સમૃદ્ધિ માટે લક્ષ્મીજીની પૂજા કરે છે . નવરાત્રિના પાંચમા અને છઠ્ઠા દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા અને આઠમા દિવસે કલા અને જ્ઞાન પ્રાપ્ત કરવા સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે . આઠવા દિવસે એક યજ્ઞ કરવામાં આવે છે તથા માતાજીને વિદાય કરવામાં આવે. નવરાત્રીમાં નવમો દિવસ અંતિમ દિવસ હોય છે . આ દિવસને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પણ કન્યા પૂજન કરવામાં આવે છે. 

   દુર્ગાના નવ સ્વરૂપ:-  નવરાત્રિના નવ દિવસોમાં જુદા જુદા સ્વરૂપે સ્થિત જગદંબાની પૂજા અર્ચના કરવાથી મનોવાંછિત ફળ મળે છે . 
( ૧ ) માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૌલપુત્રી છે. તેનો  અર્થ પહાડોની પુત્રી થાય છે . હિમાલયને ત્યાં જન્મ લેવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યુ હતું.  તેમનું વાહન વૃષભ છે. નવરાત્રીનાં પહેલા દિવસે આ માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
( ૨ ) માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણીનું છે . માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી અનંદ ફળની પ્રાપ્તી થાય છે. આ માં ની ઉપાસના નવરાત્રીના બીજે દિવસે થાય છે.
( ૩ ) નવરાત્રીના ત્રીજે દિવસે માં ચંદ્રધરા પૂજન થાય છે . આનો અર્થ ચંદ્રની જેમ ચમકવાવાળી થાય છે . આ માંની પૂજા ત્રીજા દિવસે કરવામાં આવે છે . આ સ્વરૂપને દશભુજા તથા મસ્તક ઉપર અર્ધચંદ્ર છે. તેની ઉપાસના કરવાથી બધી વિપત્તિ નાશ પામે છે તથા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
( ૪ ) માં દુર્ગાનું ચોથું સ્વરૂપ દુષ્માંડા છે જેનો અર્થ પૂર્ણ જગત તેના ચરણમાં છે તેમ થાય છે. આ જ માતાજી સૃષ્ટિની આધશક્તિ સ્વરૂપ છે . આ સ્વરૂપ અષ્ટભુજા છે . તેના હાથમાં કમળનું ફુલ, કમંડળ, ધનુષ્ય બાણ, ચક્ર , ગદા તથા સિધ્ધિ પ્રદાન કરનારી માતા  છે. તેમનું વાહન સિંહ છે. તેમની ભક્તિથી આયુષ્ય આરોગ્યમાં વૃધ્ધ થાય છે.

Identification of the nine forms of Navratri


( પ ) માં દુર્ગાનું પાંચમુ સ્વરૂપ સ્કન્દ માતા છે. આનો અર્થ કાર્તિક સ્વામીની માતા થાય છે . તેની ઉપાસનાથી સમસ્ત ઈચ્છાઓનીપૂર્તિ થાય છે . આ માંનુ પૂજન પાંચમા દિવસે કરવામાં આવે છે . 
( ૬ ) માં નું છઠ્ઠુ સ્વરૂપ કાત્યાયનીનું છે આનો અર્થ કાત્યાયન આશ્રમમાં જન્મનાર એવો થાય છે. તેમનું વાહન પણ સિંહ છે. તે ચાર ભુજાધારી છે. આમની ઉપાસનાથી રોગ કષ્ટભય નષ્ટ થાય છે. તેમની છઠ્ઠા દિવસે પુજા કરવામાં આવે છે.
( ૭ ) માં નું સાતમું સ્વરૂપ કાળરાત્રિ છે આનો અર્થ કાળના નાશ કરવાવાળી એવો થાય છે તેમનું સ્વરૂપ ભયાનક છે ભક્તોને તે ડરાવતી નથી પણ દુષ્ટોનો વિનાશ કરે છે દાનવ, દૈત્ય, ભુતપ્રેત વગેરે સ્મરણ માત્રથી ભાગી જાય છે . સાતમાં દિવસે તેની ઉપાસના થાય છે.

Identification of the nine forms of Navratri


( ૮ ) માં દુર્ગાના આઠમાં સ્વરૂપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે . તેનો અર્થ સફેદ રંગવાળીમાં તેવો થાય છે. વૃષભ ઉપર સવાર થયેલી માં દુર્ગાના આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે. તેમની આઠમા  દિવસે ઉપાસના થાય છે. 
( ૯ ) માં દુર્ગાનું નવમુ સ્વરૂપ સિધ્ધિદાયીની છે  અને તેમની કૃપાથી અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે . તેનો અર્થ સર્વ સિધ્ધિ થાય છે. નવમાં દિવસે સંપુર્ણ શ્રધ્ધાથી તેમની સાધના કરનારને બધી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. 
Identification of the nine forms of Navratri




   યુવા મિત્રો ! નવરાત્રિ દરમ્યાન પ્રકૃત્તિના આનંદકોષને ખુશીથી માણી  માતાની આરાધનાના આ અનેરા  અવસરને પૂરી ભક્તિ તથા હર્ષોલ્લાસ સાથે માણીએ સૌને હેપી નવરાત્રિ... માં અંબાની કૃપા સર્વે પર હંમેશા રહે તેવી શુભકામના. 

                                                                                                                                     જૈમીન જોષી. 

Saturday, October 2, 2021

ગાંધી અને હિંદુત્વ (Gandhi and Hindutva)

  • ગાંધીજીએ હિન્દુ માટે નહીં ''હિંદુસ્તાન'' માટે કાર્ય કર્યું છે....



gandhibapu hd image



   ગાંધી એક એવા અવતાર હતાં જેને આવનાર ભવિષ્યની છબી બદલી કાઢી. આ આવનાર ભવિષ્ય એટલે આપણો આજનો વર્તમાન. ગુલામીની જંજીરોથી આઝાદ કરાવનારા ક્રાંતિકારીઓ અને ગાંધીજી જેવાં નેતાઓને કેટકેટલું ભોગવવું પડયું હશે તેની કલ્પના પણ આપણે કરી શકતાં નથી. આમ જોવા જઈએ તો આજની યુવા પેઢી ગાંધી વિચારધારાને વળગી રહે તેવી રહી નથી. તે વીર સાવરકરના રસ્તા તરફ વધુ આકર્ષાય છે. જ્યારે ગાંધીજીએ દેશ માટે કામ કર્યું ત્યારે તેમણે દેશ સિવાય અન્ય કોઈ જાતિ ધર્મ કે વિસ્તારને ધ્યાનમાં રાખ્યાં નથી. અલબત્ત આમાં થોડું રાજકારણ પણ ભાગ ભજવે છે. ગાંધીજી મુસ્લીમ જ્ઞાતિની સાથે સબંધ કેળવવાં ગયા ત્યારે તેમને ઘણા હિન્દુ બંધુઓના કટુ વચનનો સામનો કરવો પડ્યો હતો. તે જ દરમિયાન 1500 જેટલા હિન્દુઓને મારી તથા તેમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યાં હતાં. અંગ્રેજો તો ઠીક પરંતુ જ્યારે મુસ્લિમ વર્ગ દ્વારા આવું વર્તન થવા છતાં ગાંધીજી મૌન રહ્યાં. આવા સમયે જ્યારે ગાંધી જેવાં નેતા હિન્દુ પક્ષે ના હોય ત્યારે ધર્મના નામે ભિન્નતાઓ તો બહાર આવવાની જ હતી. ગાંધીજી તે સમયે અખંડ ભારતનું સપનું જોતાં હતાં. જ્યાં સમગ્ર ભારતની વાત હોય ત્યાં અમુક હિન્દુ મૃત્યું પામે તે ચલાવી લેવાય તેવી સ્થિતિ હતી. જોકે અખંડ ભારતનું સપનું આખરે સપનું જ રહ્યું. સમાજમાં કેટલોક વર્ગ ગાંધીજીને પૂજે છે ત્યારે કેટલોક વર્ગ તેમનાં નિર્ણયોને આજે પણ કોસે છે.  અલબત્ત ગાંધીજી ન હોત તો કદાચ આજે પણ આપણે ગુલામીના બોઝ નીચે કચડાઈ રહ્યાં હોત.

  ગાંધીજી એ તેમનાં ગ્રંથ - 29, ગાંધીજીનો અક્ષરદેહ પાના 369-371  માં હિન્દુ ધર્મની સ્થિતિ વિશે તેમનાં વિચારો અને માન્યતાઓ લખી છે જેમાં તે કહે છે કે હિંદુ ધર્મ જીવંત વસ્તુ છે. તેમાં ભરતીઓટ થયા જ કરે છે. તે જગતના કાયદાને અનુસરે છે. મૂળરૂપે તે એક જ છે પણ વૃક્ષરૂપે તે વિવિધ છે. તેની ઉપર ઋતુઓની અસર થાય છે. તેને વસંત છે ને પાનખર છે ; તેને શરદ છે ને ઉષ્ણ ઋતુ છે . વર્ષોથી પણ તે વંચિત નથી રહેતો. તેને સારુ શાસ્ત્રો છે ને નથી, તેનો આધાર એક જ પુસ્તક ઉપર નથી. ગીતા સર્વમાન્ય છે પણ ગીતા માર્ગદર્શક છે. રૂઢિઓ ઉપર તેની અસર થોડી જ છે. હિંદુ ધર્મ ગંગાનો પ્રવાહ છે. મૂળમાં તે સ્વચ્છ છે. તેના માર્ગમાં તેને મેલ પણ ચઢે છે છતાં જેમ ગંગાની પ્રવૃત્તિ સરવાળે પોષક છે તેમ હિંદુ ધર્મનું છે. પ્રત્યેક પ્રાંતમાં તે પ્રાંતીય સ્વરૂપ પકડે અને છતાં તેમાં એકતા રહેલી જ છે. રૂઢિ એ ધર્મ નથી. રૂઢિમાં ફેરફાર થશે છતાં ધર્મસૂત્રો એક જ રહેશે. 

   હિંદુ ધર્મની શુદ્ધતાનો આધાર હિંદુ ધર્મની તપશ્ચર્યા પર રહે છે. જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડે છે ત્યારે ત્યારે હિંદુ ધર્મ તપશ્ચર્યા કરે છે, મેલનાં કારણ શોધે છે ને તેના ઉપાય યોજે છે. શાસ્ત્રોમાં વૃદ્ધિ થયા જ કરે છે. વેદ, ઉપનિષદો, સ્મૃતિ , પુરાણ , ઇતિહાસાદિ એક જ કાળે નથી ઉદ્ભવ્યાં. પણ પ્રસંગ આવ્યે તે ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે. તેથી તેમાં વિરોધાભાસ પણ જોવામાં આવે છે. તે ગ્રંથો શાશ્વત સત્ય નથી બતાવતા પણ તે કાળે શાશ્વત સત્યનો અમલ કેવી રીતે થયો એ બતાવે છે. તે કાળે થયેલો અમલ બીજે કાળે કરવા જતાં આપણે નિરાશાકૂપમાં પડીએ છીએ. એક વેળા આપણે પશુયજ્ઞ કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે માંસાહાર કરતા તેથી આજે કરીએ ? એક વેળા ચોરના હાથપગ કપાતા તે આજે કાપીએ ? એક વેળા એક  સ્ત્રી અનેક પતિ કરતી આજે કરે ? એક વેળા બાળકન્યાનું દાન કરતા , આજે કરીએ ? એક વેળા આપણે કેટલાકનો તિરસ્કાર કર્યો , આજે તેની પ્રજા તિરસ્કૃત ગણીએ ?

gandhi jayanti images


    હિંદુ ધર્મ જડ બનવાની ચોખ્ખી ના કહે છે. જ્ઞાન અનંત છે , સત્યની મર્યાદા કોઈએ શોધી નથી. આત્માની શક્તિની નવી શોધો થયા જ કરે છે ને થયા કરશે . અનુભવના પાઠો શીખતા આપણે અનેક પરિવર્તનો કર્યો જઈશું . સત્ય તો એક જ છે  પણ તેને સવશે કોણ જોઈ શક્યું છે ? વેદ સત્ય છે . વેદ અનાદિ છે  પણ તેને સવશે કોણે જાણ્યો છે ? જે વેદને નામે આજે ઓળખાય છે તે તો વેદનો કરોડમો ભાગ પણ નથી. જે આપણી પાસે છે તેનો અર્થ સંપૂર્ણતાયે કોણ જાણે છે ? 

   આટલી બધી જંજાળ હોવાથી આપણને ઋષિઓએ એક મોટી વાત શીખવી : ‘ યથા પિંડે તથા બ્રહ્માડે'. બ્રહ્માંડનું પૃથક્કરણ અશક્ય છે . પોતાનું પૃથક્કરણ શકય છે તેથી પોતે પોતાને ઓળખ્યો એટલે જગતને ઓળખું . પણ પોતાને ઓળખવામાંયે પ્રયત્નની આવશ્યકતા છે . પ્રયત્ન પણ નિર્મળ જોઈએ . નિર્મળ હૃદય વિના નિર્મળ પ્રયત્ન અસંભવિત છે. હૃદયની નિર્માતા યમનિયમાદિના પાલન વિના સંભવિત નથી. ઈશ્વરપ્રસાદ વિના યમાદિનું પાલન કઠિન છે. શ્રદ્ધા અને ભક્તિ વિના ઈશ્વરપ્રસાદ ન જ મળે તેથી રામનામનો મહિમા તુલસીદાસે ગાયો , તેથી ભાગવતાકારે દ્વાદશમંત્ર શીખવ્યો. જેને એ જપ હૃદયથી જપતાં આવડે તે સનાતની હિંદુ છે. બાકી બધું તો અખાની ભાષામાં ‘ અંધારો કૂવો ’ છે. 

   હવે લખનારની શંકાઓ વિચારીએ. યુરોપિયનો આપણા રીતરિવાજો જુએ છે ખરા. તેને હું અધ્યયન એવું રૂપાળું નામ ન આપું . તે તો ટીકાકારની દષ્ટિએ જુએ છે તેથી તેની પાસેથી મને ધર્મ ન લાધે . પણ ખાધાખાધમાં હિંદુ ધર્મની પરિસીમા નથી આવી જતી . તેનાથી અનંતકોટિ વધારે અગત્યની વાત અંતરાચરણ છે , સત્ય અહિંસાદિનું સૂમ પાલન છે . ગોમાંસાદિનો ત્યાગ કરનાર કપટી મુનિનાં કરતાં ગોમાંસ ખાનાર દયામય , સત્યમય , ઈશ્વરથી ડરીને ચાલનાર હજારગણો વધારે સારો હિંદુ છે  અને જે સત્યવાદી સત્યાચરણી ગોમાંસાદિના આહારમાં હિંસા જોઈ શકયો છે ને જેણે તેનો ત્યાગ કર્યો છે, જેની દયા જીવમાત્ર પ્રત્યે છે તેને કોટિશ : નમસ્કાર હો. તેણે તો ઈશ્વરને જોયો છે , ઓળખ્યો છે , તે પરમભક્ત છે ; તે જગદ્ગુરુ છે . હિંદુ ધર્મની અને અન્ય ધર્મની અત્યારે પરીક્ષા થઈ રહી છે .. સનાતન સત્ય એક જ છે , ઈશ્વર પણ એક જ છે , લખનાર વાંચનાર અને આપણે બધા મતમતાંતરોની મોહજાળમાં ન ફસી જતાં સત્યનો સરળ માર્ગ લઈએ તો જ આપણે સનાતની હિંદુ રહીશું . સનાતની મનાતા તો ઘણાયે ભટકે છે. તેમાંથી કોનો સ્વીકાર થયો તે કોણ જાણે છે ? રામનામ લેનારા ઘણા રહી જશે , ને મૂંગે મોઢે રામનું કામ કરનારા વિરલા વિજયમાળા પહેરી જશે.

   આમ તો ગાંધી વિચારધારાને વળગી રહેવું સરળ નથી. ગાંધી શું કોઈ પણ વિચારધારાને વળગી રહેવું યોગ્ય નથી. જ્યારે દેશ, સમાજ અને માનવતાની વાત આવે ત્યારે માનવે પોતાના અંગત સ્વાર્થ મૂકી કપરા નિર્ણયો લેવા પડે છે. જે અમુક લોકો માટે યોગ્ય હોતા નથી અને તેના કપરા પરિણામો પણ આવે છે. ઇતિહાસ આમ તો લોહિયાળ જ છે પરંતુ ક્યારેક ગાંધીજી જેવા મહાત્મા એક નવી વિચાર ધારાને જન્મ આપી જતાં હોય છે.

                                                                                                                             જૈમીન જોષી.

Sunday, July 25, 2021

પ્રેમ એટલે તું ....!!! (Love means you .... !!!)

उन आँखों का हँसना भी क्या,
जिन आँखों में पानी ना हो...

love image



   પ્રેમની ભાષા અભિવ્યક્તિ પોષતા પોષતા અંતે સમજાયું કે પ્રેમમાં અભિવ્યક્તિની જરૂર ન હતી. લાગણીનાં  શબ્દો, પ્રતિબદ્ધ સમય, ભેટ,  સ્પર્શ, સહવાસ, અંગત પળો કે દાર્શનિકતા માત્ર એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી મનની વાત  પહોંચાડવા માટે મહત્ત્વની છે. પ્રેમને પામવાનો માર્ગ હોઇ શકે, કોઈ ચોક્કસ પદ્ધતિનું લાંબુ લચક લિસ્ટ હોઈ શકે પરંતુ પ્રેમ કરવા માટે માત્ર તું (પ્રેમી કે પ્રેમિકા) જોઈએ.

   તું એટલે અહીં તારી હાજરી એવો પણ અર્થ થતો નથી. તારી ગેરહાજરીમાં પણ તને અત્યંત ચાહવાની કળા પ્રેમ કરવાનું શીખવી દેતો હોય છે. વૃક્ષોનાં મૂળ જાહેરમાં ક્યારેય દેખાતા નથી તેમ છતાં તેમની ઉપર ઘટાદાર વૃક્ષ ઊભું હોય છે. આપણા મૂળમાં જ્યારે પ્રેમ હોય ત્યારે તે જ આપણને અડીખમ ઊભા રાખે છે.

   પ્રેમ ક્યારેય ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં વહેંચાયેલ હોતો નથી. પ્રેમ એટલે વાસ્તવિકતા. પ્રેયસીનાં હાથમાં હાથ નાખી તેમની આંગળીમાં પોતાનાં હાથને છુપાવી દેવું અને પછી તેની આગળ ઝંખનાઓનો વરસાદ કરવો. ધીમે ધીમે આભા બની જીવનની મર્યાદાઓ, નિયમો કે આડંબરોમાંથી મુક્ત થઈ જવું. બસ, આ મુક્ત થવાની ઘટના તે જ પ્રેમનું અનુભવિત સ્વરૂપ છે. પ્રેમ ક્યારેક કોઈ બંધનમાં રાખતો નથી તે મુક્ત થતાં અને મુક્ત કરતાં શીખવતો હોય છે. કોઈ પ્રકારની માંગણી કે લાલસા વગર માત્ર આપવું, કોઈના માટે ફના થઇ જવું, બધું જ  ત્યાગી  દેવું કે ભૌતિકતાનો સ્મિત સાથે અસ્વીકાર કરવો આ માત્ર પ્રેમમાં જ હોઈ શકે છે. પ્રેમ સ્વતંત્રતા, ત્યાગ, બલિદાન, હળવાશ કે મોકળાશ શીખવે છે. કોઈ ન ગમતી વ્યક્તિ સાથે પણ પ્રેમ થઈ જાય ત્યારે તેની તમામ ખરાબ આદતો આપણને ક્યારે ગમવા લાગે છે તેની આપણને જ ખબર પડતી નથી. પ્રેમ એ નિષ્કાળજી નથી પણ જવાબદારી છે જો નિભાવતા આવડે તો... પ્રેમ કરવો દરેકના ગજાની વાત નથી હોતી.   

   જીવન જીવવાની દિશામાં આ બે  સુત્રો બહુ યાદ રાખવાની જરૂર છે. એક કે  પ્રેમ એ જીવન પંથનો ચિરાગ છે અને બીજું કે આ ચિરાગ માત્ર આપણા પૂરતો સીમિત હોવો જોઈએ. આપણે અંધકારમાં પ્રેમરૂપી ચિરાગનો  ઉપયોગ કરવો જોઈએ પરંતુ એ ચિરાગ ભડકો બની આપણને જ બાળી નાખી તો પ્રેમની વ્યાખ્યા બદલાઈ જાય. આધ્યાત્મિકતા કહે છે કે માણસ આંતરિક રીતે ભાવાત્મક હોવો જોઈએ. ખુશી આંતરિક છે. ઈચ્છા, સુખ-દુઃખ, દ્રષ્ટિકોણ, વિચાર, મનન, ચિંતન, નિરાશા આ તમામ ભાવનાઓ આંતરિક છે. તે જ પ્રમાણે પ્રેમ પણ આંતરિક છે. આપણો પ્રથમ પ્રેમ આપણે પોતે હોવા જોઈએ જે પોતાને શાહી શકે તે જ અન્યને ચાહી શકે છે. 

   જ્યારે તમે પ્રેમમાં હોય ત્યારે તમે કોઈ ક્લાસ, પદ્ધતિ કે ભાષા શીખતા નથી. તમારો પ્રેમ જ્યારે હૃદયમાં અંકુર પામતો હોય ત્યારે તમે તેના સાક્ષી હોવ તે જ પૂરતું છે. આ અંકુર પામતો પ્રેમ માતાના ગર્ભમાં પ્રથમ અઠવાડિયામાં થતાં બાળકનાં વિકાસ જેવો હોય છે. માત્ર અનુભૂતિ સિવાય અન્ય કશું જ હોતું નથી. પદ્ધતિની કે ભૌતિક વસ્તુઓની જરૂર તો ત્યારે પડે જ્યારે આપણા મનમાં હૃદયમાં ઉત્પન્ન થયેલી ભાવનાને અને હૃદય સુધી પહોંચાડવાની હોય. હું શું વિચારું છું? મારે તારી જરૂર છે, હું તને ચાહવાં લાગ્યો છું કે મારે આગળનું જીવન સારા હાથમાં હાથ નાખી અને ખભે માથું મૂકીને પસાર કરવું છે. આ બધુ કહેવા માટે અન્ય પાત્રની ઉપસ્થિતિ અને પ્રેમ જાહેર કરવાની નીતિનો સમાવેશ થાય છે. કોઈને જોઈને પ્રથમ વખત એમ થાય કે બસ આજ તો છે જે મને પૂરું કરી શકે છે. બસ તું માત્ર તું ... આ જ તો પ્રેમ છે.

   એક પ્રસંગ યાદ આવે છે. લગ્નની આગલી રાત્રે એક પ્રેમિકાએ તેના પ્રેમીને મેસેજ કર્યો. લગભગ બે વાગ્યાનો સમય હતો. બંનેની આંખોમાં ઊંઘનો એક છાંટો પણ નહીં. બંને પક્ષે મનમાં હજારો વિચાર... છૂટી જવાનું કે કાયમ માટે ગુમાવી દેવાની એક પીડા હૃદયનાં ધબકારાને ઝડપી કરી રહ્યાં  હતાં. એક હાથમાં પ્રિયજને આપેલ  લાલ કલરની કુર્તિ અને બીજા હાથમાં પાનેતર. મને-કમને પણ પાનેતર સ્વીકારવાની ફરજ પડી ચૂકી હતી. કોઈને છેતર્યાનો અફસોસ પણ ભારોભાર શરીરને ધ્રુજાવી રહ્યો હતો. તો બીજા પક્ષે પ્રેમિકાએ આપેલ ઘડિયાળનાં કાંટા જાણે હ્રદય ઉપર ઘા કરી રહ્યાં હતાં. આજની રાત્રિ બંને માટે ગંભીર હતી અને આવનારી તમામ રાતનો પડછાયો જીવવા નહીં દે તેની પણ ખાતરી હતી. ત્યાં એક મેસેજ આવ્યો તેમાં લખ્યું હતું. 'સોરી' હું તારી ગુનેહગાર છું. તને  પ્રાણથી પણ વધુ પ્રેમ કરતી હોવા છતાં તારી થઈ શકતી નથી. હું તને કોઈ પણ જાતની સ્પષ્ટતા આપવા માંગતી નથી. આપું તે પણ યોગ્ય નથી કેમ કે મનની વાત મન સુધી પહોંચી જ જતી હોય છે. તેને માધ્યમની જરૂર નથી હોતી અને આપણી વચ્ચે તો બિલકુલ નહીં. આ પરિસ્થિતિએ મારૂ અંગત કહી શકાય તેવો માત્ર તુજ છે. મને કહેતાં ભારોભાર દુખ છે છતાં અલવિદા હું જાઉં છું. 

   પ્રેમીએ ઊંડો શ્વાસ લીધો અને પથારી પરથી પગ નીચે મૂક્યાં. ધીમે ધીમે તે અરીસા સામે ઊભો રહ્યો. બે ઘડી આંખો બંધ કરી ફરી આંખો ખોલી ત્યારે જ સામે પાનેતર પહેરેલ એક ચહેરો સંકુચિત આંખે સ્મિત કરી રહ્યો હતો. તેને આંખો ચોળી ત્યાં સુધી તે ચહેરો અલોપ થઈ ગયો હતો. 

   મનથી  ક્ષીણ બની ગયેલ પ્રેમીએ તેના ઉત્તર રૂપે એક જ શબ્દ લખ્યો ''આઇ લવ યુ'' સુખી થા... અને સેન્ડ બટન પર ક્લિક કરી કારણ કે આગળનો સંવાદ ન તો પ્રેમિકા માટે હતો, નાં કોઈને સમજાવા માટે.. ન તો પરિસ્થિતિને બદલવા કે દોષારોપન કરવાનો હતો. હવે નો સંવાદ માત્ર ને માત્ર સ્વ સાથેનો હતો.

   સ્વ સાથેનો  સંવાદ પ્રેમને વધુ પવિત્ર બનાવતો હોય છે. તેમાં કોઈને સાબિતી કઈ સાબિત કરવાં કે વિશ્વાસ અપાવવાનું, પાછળ પાછળ ફરી પામી કે ભોગવી લેવાની વૃતિ રહેતી નથી. જીવનમાં મોટા ભાગનાં પ્રશ્નો પોતાનાં દ્વારાં જ ઉત્પન થયેલા હોય છે અને ઉત્તર પણ પોતાની ભીતર જ હોય છે.  પોતાનાં સંવાદ પર પોતાનો જ અધિકાર હોવો જોઈએ. આપણાં પ્રેમનાં નિર્ણય અન્યને લેવાની અનુમતિ ન અપાય.

love image



   ખબર ન પડે તેમ ધીરે ધીરે થઈ જાય તે પ્રેમ. પ્રેમમાં તારીખો ન પડે, ન તો સમયના કાંટાને ધ્યાને લેવાય. પ્રેમ સમજણ કરતાં વધુ પાગલપન શીખવે છે માત્ર સમજણ ભરી વાતો કે વર્તન હોય તો જ જીવન રોમાંચિત લાગે. થોડી ગુસ્તાખીયા ભી જરૂરી હે યારો....

   તેની પગની પાનીએથી અથડાતી ઝાંઝરો પણ તમારા નામનો નાદ કરવા લાગે ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!
  
  તેનાં કમરે વિટલાયેલ કમરબંધ તમારાં હાથ જેવો લાગે ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!

   તેની આંખોનાં કાજલને વધુ ધેરાવો કરતી પાપણો તમારાં નામથી મલકાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!

  તેની હથેલીમાં થંભી ગયેલ પાણી જ્યારે મૃગજલ બની જાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!

  તેનાં થથરતા હોઠ જ્યારે તમારાં હોઠ સાથે વગર શરતે સ્પર્શાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!


                                                                                                                                      જૈમીન જોષી. 







Sunday, June 20, 2021

આપણું સુખ કોણ નક્કી કરશે? (Who will determines our happiness?)

  • હજારો સગવડો હોવાં છતાં પાસે કોઈ વ્યક્તિ ન હોય તો તેને શું ગણશો? :- 


આપણું સુખ કોણ નક્કી કરશે? (Who will determines our happiness?)


   મનનો સંતોષ કે મનમાં સંતોષ સુખની વ્યાખ્યાને બદલી દેતો હોય છે. કોઈક ના સુખ અને વૈભવ જોઈને આપણને તે પોતાને પણ મળે તેવી ઝંખના ઉત્પન્ન થઈ જાય એ સમજી શકાય તેવું છે, પરંતુ સ્વયંના સુખની વ્યાખ્યાનું માપદંડ અન્યનાં સુખ ઉપર આધાર હોય તે કેટલું યોગ્ય?  દરેક વ્યક્તિની એક આગવી ઇચ્છાઓ, ઝંખના કે મર્યાદા હોય છે. કોઈકની સંપત્તિ આપણને આપણી લાગવા લાગે ત્યારે તે ભિખારવૃત્તિ જ કહેવાય. શ્રીમંતતા ક્યારેય ધન આધારિત નથી હોતી. આપણે તેને અલગ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તે આપણી ભૂલ છે. કોઈ વ્યક્તિ તમારા સાથે જોડાયેલ હોય તો તે તમારી પાસેથી કશું જ પ્રાપ્ત ન કરે તે અશક્ય છે. નિસ્વાર્થ સબંધ તે માત્ર દેખાડો છે. અલબત્ત તેને આપણે સ્વીકારી શકતા નથી. આ વાક્યો જાહેર કરવા માટે નથી હોતા પરંતુ ધ્યાને રાખવાં માટે તો હોય જ છે. આપણે જાણે અજાણે પણ કોઈકને ઘણું બધું આપી દેતા હોઈએ છીએ અથવા કોઈક પાસેથી પ્રાપ્ત કરી લેતાં હોઈએ છીએ... પછી તે શાબ્દિક, શારીરિક, માનસિક કે સગવડ સ્વરૂપે કેમ ન હોય. 

   કોઈકને સગવડમાં સુખ દેખાય તો કોઈકને સહવાસમાં. પરિવાર, મિત્રવર્તુળ, પ્રાણી કે પશુપાલન, કલા પ્રદર્શન, સેવા, સદભાવ, આધ્યાત્મ, ત્યાગ, સમર્પણ વગેરેમાં સુખ દેખાય. પ્રત્યેકને સુખ અનુભવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. સુખ આપવાનું કે ભોગવવાનું કોઈ ચોક્કસ માળખું નથી હોતું. સુખ દેખવા માટે શુભ દેખવું જરૂરી હોય છે.  કુદ્રષ્ટિથી માનવ માત્ર નકારાત્મકતાને અનુભવી શકે છે. કામ કરવું એ કળા છે. કેટલાક કામ આયોજન બંધ થતાં હોય છે તો કેટલાક માત્ર કરવા પૂરતાં કરવામાં આવે છે. પૈસાથી ન તો પેટ ભરાય છે ન તો મન. જેનો ઉલ્લેખ જ ચલણ છે તેને ચલ તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. તમને પ્રેમ કરવા સાથી જોઈએ, ઉછેર કરવા સંતાન જોઈએ, સેવા કરવા માતાપિતા કે ઈશ્વર જોઈએ, ગુસ્સો કે નફરત કરવા શત્રુ જોઇએ, આપણને વસ્તુ કરતાં વધુ વ્યક્તિ જોઈએ તેમ છતાં આપણે મને કોઇની જરૂર નથી તેવું કહેતાં ખચકાતાં નથી. માનવ કોઈની સહાય લીધાં વગર આગળ વધી શક્યો જ નથી કે શકવાનો નથી. કોઈનું અહેસાન નથી જોઈતું, કોઈ સાથે મારે લેવાદેવા નથી,  હું મારું કામ જાતે કરવા સક્ષમ છું તેવું બોલનાર વ્યક્તિ માત્ર આભા બની બુદ્ધિ પ્રદર્શન કરતાં હોય છે. જગતમાં ભૌતિકરીતે દરેક વસ્તુ એક બીજા સાથે જોડાયેલ છે. કશું જ સ્વતંત્ર નથી. '' મન'' સિવાય(આધ્યાત્મિક દૃષ્ટિએ બંધન અને સ્વતંત્રતા બંનેની વ્યાખ્યા અલગ થાય છે, પધ્ધતિ, ધારણા કે કર્તવ્ય બધું અલગ છે માટે તેને આમાંથી બાકાત ગણવું). દરેક ઘટના પાછળ અનેક કારણ હોય છે, જે આપણી વિચારધારાનાં ક્ષેત્રફળથી બહાર હોય છે. 

happiness


  
   સુખનો આધાર નાતો એકાંત ઉપર છે ન તો એકલતા ઉપર. તમે છો તો અન્ય પણ છે પૃથ્વી પર દરેકનું એક આગવું અસ્તિત્વ છે. દરેક વ્યક્તિ પોતાના કર્મના બંધનમાં ક્રિયાને અનુસરે છે. જાણે અજાણે પોતાની હાજરી દાખવતું હોય છે. કેટલાકની હાજરી ખુચે તેવું વ્યક્તિત્વ પણ હોય છે, છતાં જે છે તે છે. સારું- નરસું તે પરિસ્થિતી નક્કી કરશે. 

   એક કુંભાર પાસે બે ગધેડા હતાં. એક ખડતલ અને સ્ફૂર્તિલો તો બીજો શુષ્ક અને ઉંમરલાયક. ખડતલ ગધેડો ખૂબ ધમાલિ. એક જગ્યાએ બેસે નહીં એટલે તે ભાગી ન જાય તે માટે કુંભારે બંને ગધેડાનાં પાછળનાં પગ એક બીજા સાથે બાંધી દીધા. બંને એક બીજાથી વિપરીત સ્વભાવ ધરાવતાં એટલે એક બીજાથી વિરુદ્ધ ભાગે. એક આમ ખેંચે તો બીજો આમ. પરિણામે બંને થાક્યા અને એકજ જગ્યાએ બેસી રહ્યાં. ભૂખ અને તૃષા કરતાં વધુ તે એક બીજા સાથે બંધનમાં છે તે વાતે વધું દુઃખી હતાં. આપણે પણ જાણે અજાણે આ જ માનસિકતા ધરાવીએ છીએ. એક બીજા સાથે સાથે ઘર્ષણ કરવામાં એટલા બધાં વસ્ત થઈ જઈએ છીએ કે આપણે મૂળ રસ્તા પરથી ભટકી જઈએ છીએ. પરિણામે દુઃખ, પીડા, નફરત અને અસફળતા સિવાય હાથમાં કશું નથી આવતું. ખોટી જગ્યાએ બળ અને બુદ્ધિને લગાવીએ તેનાં કરતાં સાચી દિશામાં લાગવીએ તો સફર વધુ રોમાંચિત લાગે.

   સાપના ડંખ કરતાં મધમાખીનો ડંખ લાખ ઘણો સારો. કેટલાક આંચકા આપણાં ભાગે નથી આવતા તે જ કુદરતની મહેરબાની છે તેવું માની લેવું. જ્યાં અહમ્ છે ત્યાં દુઃખ છે. જ્યાં ઈર્ષા છે ત્યાં બળાપા છે. જ્યાં ગુસ્સો છે ત્યાં ઘર્ષણ છે. જ્યાં સમજણ છે ત્યાં સગપણ છે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે શું કરવું... પૈસો કશું જ ન હોવા છતાં ઘણું બધું છે. નકામી વાતોમાં નાણાકિય નુકસાન વધુ થતું છે. સંઘર્ષની પણ એક દિશા હોવી જોઈએ. વ્યર્થ સંઘર્ષ માણસને પરિઘમાં જ પ્રવાસ કરાવતો હોય છે. 

   પશ્ચિમનાં દેશોનું અનુકરણ કરતા પહેલાં વ્યક્તિએ પોતે શું છે તે જાણી લેવું જોઈએ. અન્યના ગુણને પણ ગળણામાં ગાળવા જોઈએ. સીધું અનુકરણ રસ્તા ભટકાવી દેતું હોય છે. નરી કોપી કરીએ તેમાં કેટલી સમજદારી? પશ્ચિમમાં લોકો માણસ તો ઠીક વસ્તુ સાથે પણ વિવેકપૂર્વક અને આદરપૂર્વક વર્તે છે. કામ આનંદ આપતું હોય ત્યાં સુધી સારું પણ વૈતરું કર્યું હોય તેવું લાગે તો જીવનમાંથી રસ ઉડી જાય છે. 

   ઘરમાં એક ટેબલ પર નાનકડું ફ્લાવરવાઝ હોય તો પુરતું છે. તેના માટે આખો બગીચો ઘરમાં ન ઉભો કરાય. જ્યાંનું સ્થાન જ્યાં શોભે. માણસને ખ્યાલ નથી હોતો પરંતુ તેને પોતાનાં અહમ અને અણસમજનાં કારણે ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે. ધૃણાથી ધરાઈ ગયેલા માણસ નફરત જ ઓકે છે. સુખ સંયોજનમાં છે, સમજણમાં છે. પછી સુખ નિર્માણ કરવું એ સ્વયં પર આધાર રાખે છે.  સુખ શું છે તે સવાલ અન્યને ક્યારેય ન પુછવો. પોતાની ઇચ્છા અને મર્યાદા આપણે જાતે નક્કી કરવાનું હોય છે. ક્યારેક મન અશાંત હોય કે ઉત્તર ન જડતો હોય ત્યારે કોઈ પાસે શાબ્દિક સહારો લઈએ તેમાએ ખોટું નથી પરંતુ જ્યાં વાત પોતાનાં વિકાસની હોય ત્યાં આખું ક્રિયામંડલ સ્વરચિત હોવું જોઈએ. 

                                                                                                                                        જૈમીન જોષી.

Sunday, May 30, 2021

ભીલ જાતિ (Bhil caste)

  • આદિવાસીની 29 જાતિમાંની એક જાતિ :-

 

bhil image

   ત્રેતાયુગ એટલે કે રામાયણકાળથી જાણીતી થયેલી આ જાતિ વર્ષો પછી પણ દરેક જગ્યાએ વસવાટ કરતી જોવાં મળે છે. તેને કોઇ એ સાંભળી નહીં હોય કે જોઈ નહીં હોય તેવું ભાગ્યેજ બની શકે. આમ જોવા જઈએ તો લોકવાણીમાં 'ભીલ' જાતિ અમર થઈ ગઈ છે. ભગવાન શ્રી રામ જયારે અયોધ્યા છોડીને વનવાસી બન્યાં હતાં ત્યારે આ જ્ઞાતિ એ તેમને આવકાર્યા હતાં.  રામજી જ્યારે સીતા માતાની  શોધમાં દક્ષિણ ભારત તરફ જતાં પ્રવાસ કાપતા હતાં ત્યાં કર્ણાટકના હમ્પી નજીક કોપપાલ જિલ્લામાં એક તળાવ છે જેને પમ્પા સરોવર તરીકે ઓળખાય છે. તુંગાભદ્ર નદીની દક્ષિણ તરફ તે આવેલું છે. તેને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે અને તે ભારતના પાંચ પવિત્ર સરોવર અથવા તળાવોમાંનું એક છે. હિંદુ ધર્મગ્રંથોમાં પમ્પા સરોવરને તે સ્થાન તરીકે ગણવામાં આવે છે જ્યાં શિવના સાથી પાર્વતીના એક સ્વરૂપ પમ્પાએ શિવ પ્રત્યેની ભક્તિ દર્શાવવા માટે તપશ્ચર્યા કરી હતી. તો ત્યાં બીજી બાજુ તેનો ઉલ્લેખ હિંદુ મહાકાવ્ય રામાયણમાં તે સ્થાન તરીકે થયો છે જ્યાં શબરી રામના ભક્ત રામના આગમનની રાહ જોતા હતા. શબરી ‘ ભીલડીનાં એઠાં બોર રામજીએ ખાધાં ’ એ વિષય પર તો કંઈ કેટલાંય કથાકાવ્ય, ભજનો અને ગીતો રચાઈ ગયાં.

bhil of gujarat
https://www.flickr.com/photos/141515516@N07/with/49692751471/


   ભીલ એટલે જંગલમાં વસનારી જૂનામાં જૂની જાતિ. જંગલમાં વસવાટ કરતી જાતિને એમ તો આદિવાસી તરીકે ઓળખાય છે પરંતુ તેમાં જે પ્રકારો કે પેટાજ્ઞાતિ હોય છે તેમાની આ એક છે. ઈતિહાસમાં એક સમયે સમાજમાં આદર અને સન્માન ભર્યું સ્થાન ભોગવતી કેટલીયે જાતિઓએ  સમય બદલાતાં પછાતપણામાં સ્થાન પ્રાપ્ત કર્યું. એ જ રીતે કાળક્રમે ભીલ જાતિનો પણ સમાવેશ તેમાં મહદઅંશે થયેલ ખરો. 21 મી સદીમાં આજે ભીલ જાતિ જંગલમાં રહેનારી, તીરકામઠાં રાખનારી, ચોરી, હત્યા અને લૂંટફાટના ધંધામાં પડેલી જાતિ તરીકે ઓળખાય છે. પરાપૂર્વથી તીરકામઠાં એ તેમનું મુખ્ય શસ્ત્ર છે. ભીલોની મોટી વસ્તી આજે પંચમહાલમાં, દાહોદ અને ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર વગેરે જીલ્લામાં વધુ છે . ગાઢ જંગલમાં રહેનારીએ જાતિ હવે સમૂહમાં ગામડાંની સાથે રહેતી થઈ ગઈ છે. ભીલો એ કેટલાક વિસ્તારો આવરી લીધાં છે અને ત્યાં તે  મજૂરી પણ કરે છે. છતાં હજી આજના યુગમાં પણ ભીલ પ્રજા પાસે તીર કામઠાં રહ્યાં છે. તીરકામઠાં ચલાવવાની એમની કુશળતા પણ હજી એવી જ છે. ભીલ જાતિમાં કેટલાક ભેદ અને રીતો પણ છે. સામાન્ય રીતે ભીલો તેમના જંગલવાસને કારણે રંગે કાળા હોય છે, પરંતુ તેમનો એક આખો સમૂહ ઘઉંવર્ણ તથા હવે તો સફેદ ચામડી પણ ધરાવે છે. ખાસ કરીને પુરુષ કરતાં સ્ત્રીઓ વધુ સુંદર અને સુડોળ હોય છે. તેમની ચાલ કઠોર પણ કમર લચીલી હોય છે. તે લોકો પોતાને પટેલિયા તરીકે ઓળખાવે છે. ભીલ એક ખાનદાની જાતિ છે. રાજા રામચંદ્રથી ૨જપૂતીનો ઇતિહાસ સર્જનાર રાણા પ્રતાપ સુધીના સૌને ભીલોએ સહાય કરી હતી. ભીલો ભીના વાનના, સામાન્યતઃ બે એક મીટરની ઊંચાઈ ધરાવતા આકર્ષક ચહેરાવાળા હોય છે. દેખાવે લાંબુ કપાળ, પહોળાં જડબાં, અણિયાળું નાક અને પાતળા હોઠવાળું તેમનું વ્યક્તિત્વ તેમને અન્ય આદિવાસીઓથી જુદા પાડે છે. ભીલ નારીઓ સુડોળ અને આકર્ષક હોય તેમનામાં એક પ્રકારની આગવી હિંમત અને ખુમારી હોય છે.  તેઓના અલગ ઢંગના પ્રાદેશિક નૃત્ય અને ગીતો પણ હોય છે. ડુંગરો અને જંગલીના નિરુદ્યમી વસવાટથી કોઠે પડી ગયેલી ગરીબી તેમના જીવનમાં સહજ બને છે. ભીલો કંદમૂળ , મકાઈ, બંટી, કોદરા, નાગલી વગેરેની આછી પાતળી ખેતી ઉપર તો ક્યારેક  મરઘા - બતકાંના માંસ ઉપર જીવન ગુજારે છે. ડાંગ જિલ્લામાં પાણીની અછતને કારણે ઓછી ખેત - પેદાશ પર આખું વરસ ખેંચે. દુકાળના સમયમાં બે ટંક ખાવાના સાસા  પડી જાય ત્યારે આસપાસનાં ઉજળિયાત ગામો પર તીડની જેમ ત્રાટકી પડતાં  હોય છે આમ , કુદરતના કોપને આધીન ચોરી - લૂંટફાટનો તેમનો એક બીજો વ્યવસાય બની ગયો.


bhil cast
https://www.flickr.com/photos/141515516@N07/49692751471/


   દાહોદ, પંચમહાલ , છોટાઉદેપર, રાજપીપળાના ઉજળિયાત વિસ્તારમાં ભીલોના આવી. હુમલાની દહેશત રહ્યા કરે છે. આવા પ્રસંગે જેલમાં જનારા ભીલોનાં કુટુંબોની સંભાળ ગામ રાખે. આમ અનાયાસે ભીલોનું ખમીર ગુનેગારી જીવન તરફ ફંટાઈ ગયું. ગુજરાતના આદિવાસીઓની 29 જાતિઓ છે. તેમાં સૌથી મોટી જાતિ ભીલ છે. ભીલોની બોલીમાં એકંદરે ગુજરાતી ભાષાનાં સર્વસામાન્ય લક્ષણો છે. ભીલોનાં ગામ છૂટાંછવાયાં હોય છે. તેમનાં ઝૂંપડાં વાંસ, વળી, સરાંડી અને ઘાસપાનનાં બનેલાં હોય છે. રાજપીપળા વિસ્તારમાં તેમની વસ્તી ગીચ છે. ભીલ પુરુષો કેડે લંગોટ, ખભે પછેડી અને માથે ફાળિયું પહેરે છે. ફાળિયામાં એના લાંબા વાળનો ચોટલો હોય છે. એમાં કાંસકી, કાચનો ટુકડો અને ચકમક હોય છે. ભીલ સ્ત્રી આગળથી સહેજ ચીરેલો લાલ પીળો ચણિયો પહેરે છે. એના છેડા પાછળ બાંધે છે . ભીટા, ટાગભગ ઉઘાડાં જ હોય છે. પાંચ વર્ષ થયા પછી છોકરી ઘાઘરી પહેરે છે. ભીલો ઘરેણાંના શોખીન હોય છે . ઘરેણાં પિત્તળ, ચાંદી, કથીર કે કીડિયાનાં હોય છે. સારી સ્થિતિના પુરુષો કાંડે કલ્લી , બાવડે કડું ને કેડે કંદોરો પહેરે છે, સ્ત્રીઓ પગની આંગળીઓએ વીંછિયા, પગમાં તોડા , કાંડે ચૂડી, બલોયાં કે બંગડી પહેરે છે. ગળામાં માળા ને કાનમાં લોળિયાં પહેરે છે. ભીલોના તહેવારોમાં હોળી , દિવાળી ને અખાત્રીજ મુખ્ય છે. ભીલોમાં દેવદેવીઓના પાર નથી પણ રામજી અને હનુમાનજીના ખાસ ભક્ત હોય છે. બલી પ્રથા પણ તેમનામાં હજુ ચાલતી આવી છે. માતાઓની અણઘડ પ્રતિમાઓ ગામના પાદરે ઝાડ નીચે કે ડુંગરની ટોચે હોય છે. પંચમહાલમાં 1922 માં ઠક્કરબાપાએ ‘ ભીલ સેવા મંડળ ’ સ્થાપ્યુ હતું.  આમ, ક્યાક મજબૂર તો ક્યાક હિંસક અને મજૂરીયાત વર્ગ તરીકે જાણીતી આ જાતિ અગરમાં આગરા કાર્ય સ્વબળે પૂર્ણ કરતી હોય છે. 


                                                                                                                                      જૈમિન જોષી.

   

Sunday, May 23, 2021

ધર્મ અને વિજ્ઞાન (Religion and science)

 

  • ધર્મ અને અને વિજ્ઞાન આ બંનેનો ક્યારેય નાશ થતો નથી, તે સદાકાળથી એકબીજામાં અટવાતાં રહ્યાં છે:-


Religion and science


   ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો લાગે છે કારણ કે ધર્મ માન્યતા ઉપર ટકેલ છે, જ્યારે વિજ્ઞાન પ્રયોગ ઉપર. કેટલીક બાબતોને અનુસરીએ કે તેની પદ્ધતિ પ્રમાણે વ્યવહાર તથા અમુક ફાળવેલ નિયમોનું પાલન કરીએ તો આપણે કોઈ ચોક્કસ ધર્મનું પાલન કર્યું તેમ કહેવાય છે. ધર્મ આપણને બંધનમાં રાખે છે જ્યારે વિજ્ઞાન આપણને તમામ પ્રકારના અનુભવો કરવાની છૂટ આપે છે. આમ જોવા જઈએ તો ધાર્મિકતા અલગ અલગ વિભાગમાં વહેંચાયેલી છે. તેનું જતન કરતાં હિંસાત્મક કાર્યો પણ થતાં આવ્યા છે. વિજ્ઞાનમાં ઇચ્છવા છતાં કેટલાક અકસ્માતોનો સામનો કરવો પડે છે. પરિણામે પ્રયોગશાસ્ત્રીને અજાણતા જ ભોગ આપવા પડતાં હોય છે પછી તે સમય, સામાજિક જીવન, વ્યાવહારિક જીવન, માન-સન્માન, પ્રતિષ્ઠા, મોભો કે પછી જીવ પણ કેમ ન હોય. 

   સત્યતા એ છે કે ધર્મ અને વિજ્ઞાન તે બંને ક્યારે એકબીજાના પ્રતિસ્પર્ધી રહ્યા નથી. ધર્મ ક્યારેય બંધન કરતાં ન હોય પરંતુ તેનું આચરણ આપણને ચોક્કસ બંધનમાં મૂકી દેતું હોય છે. ધર્મ અને વિજ્ઞાન બંને જીવનના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણેય કાળને આવરી લે છે અથવા માનવ તેને સ્વીકાર્યા વગર છટકી શકતો નથી.  કોઈ પણ વ્યક્તિએ ધર્મનું પાલન ન કર્યું હોય  કે વિજ્ઞાનનો ઉપયોગ ન કર્યો હોય તેવું અશક્ય છે.  જે લોકો પોતાને ધાર્મિક વૃત્તિ થી દૂર રાખે છે કે પોતાને નાસ્તિક કહે છે. તેમને પોતાના કર્તવ્ય કે કોઈ મનપસંદ કાર્યને જ પોતાનો ધર્મ બનાવી કે માની લીધો હોય છે.  આમ, તેમના જીવનમાં ધર્મ તો છે જ. પદ્ધતિ બદલાતા વિષય બદલાય તેમ ધર્મ પણ બદલી શકાય છે. આપણને કયો ધર્મ અનુકૂળ છે તે આપણને સ્વયં નક્કી કરવાની છૂટ પણ  મળે છે માટે જ આપણા દેશમાં ધર્મ પરિવર્તન વૈકલ્પિક સ્વરૂપે હમેશાં રહ્યો છે. વિજ્ઞાન આપણને કોઈ વિકલ્પ આવતું નથી. અહીં વિજ્ઞાન વિષયને લગતી કોઈ વાત નથી. વિજ્ઞાનનાં પેટાવિભાગોનો આપણે અભ્યાસ કરીએ ત્યારે તેને ઉપયોગમાં લઈ શકીએ પરંતુ જે વિજ્ઞાનને આપણે રોજબરોજમાં ઉપયોગ કરતા હોઈએ તેના વિશે તો આપણને કદાચ જ્ઞાત પણ ન હોય તેવું બને. સવારે ધરતી પર પગ મૂકવાથી માંડીને સાંજે પથારીમાં શરીરને મુક્ત છોડી દેવા વચ્ચે સુધીની તમામ ઘટનાઓ વિજ્ઞાન પર આધાર રાખે છે. આપણને ઉપયોગી પ્રત્યેક વસ્તુમાં વિજ્ઞાન છે. આપણે પથારીમાં ઊંગી ગયાં હોય એ તે દરમિયાન આપણાં શરીરમાં જ કેટકેટલી રસાયણિક પ્રક્ર્તિયાઓ થઈ જતી હોય છે તેનાથી આપણે સૌ પરિચિત તો છીએજ.
 
   ધર્મ અને વિજ્ઞાન બંનેની કેળવણી માટે અધ્યાપક જરૂરી છે. માણસ જન્મ પછી કયા ધર્મની કેળવણી પ્રાપ્ત કરે છે  તે પરિવાર આધારિત હોય છે. જ્યારે તે પોતાના નિર્ણય લઈ શકવાની ઉંમરે આવે છે ત્યારે તે કયો ધર્મ અપનાવવા માગે છે તે નિર્ણય કરવાં માટે હમેશાં તે સ્વતંત્ર છે પણ સમાજ તેને બંધનમાં બાંધી રાખે છે. અનાથનો કોઈ ધર્મ નથી હોતો. તેને તો પોતે કોનું સંતાન છે તે જ ખ્યાલ ન હોય તો ધર્મની તો વાત જ ક્યાં કરવી. પેટની અગ્નિ સામે ધર્મ હંમેશા હારતો આવ્યો છે. સાચો ધર્મ સત્ય અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત હોય છે.ધાર્મિક વૃત્તિ ધરાવતો માણસ ધાર્મિક ક્રિયા કરે તે સહજ છે પરંતુ દરેક ધર્મ મહદ અંશે તો વિજ્ઞાનને અનુસરે છે. કોઈપણ કર્મકાંડ, ક્રિયાકાંડ કે વિધિઓ છેલ્લે તો વિજ્ઞાનને જ આધારિત હોય છે. જેના વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યાં છે.

   શિક્ષણ પ્રેમીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવવા છતાં પણ નાસ્તિક થતાં નથી. જેમ જેમ આપણે ઉચ્ચ કક્ષાના જ્ઞાનને સમજતાં જઈએ ત્યારે સમજાય છે કે આપણે તો ઇશ્વર સામે સૂક્ષ્મ છીએ. કોઈ તો ઉર્જા  છે જે  સૃષ્ટિનું પાલન પોષણ કરે છે. ત્યાં દલીલ રૂપે ધર્મને ન લાવી શકાય. ઉદાહરણ તરીકે તબીબને ઈશ્વરનું સ્વરૂપ માનવમાં આવે છે પણ ઉચ્ચ કક્ષાના તબીબ પણ દર્દીની સારવાર કરતા ઈશ્વરનું નામ લેતાં કે ઈશ્વરનો આભાર માનતા જોવા મળે છે. કોઇ દર્દી ઉપર જ્યારે દવા અસર ન કરે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરો કે જે જલદી સાજા થઈ જાય કે હવે બધુ ઈશ્વરના હાથમાં છે તે વાક્ય બોલતા પણ સાંભળ્યા છે. તો બીજી બાજુ વૈજ્ઞાનિક રીતે અશક્ય ચમત્કારો પણ આપણને આ ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે છે. ત્યારે કોઈ પણ ધર્મના તબીબ ભલે તે પોતાને નાસ્તિક પણ કેમ ન જણાવતાં હોય છતાં તે માને છે કે કંઈક તો ઊર્જા છે જે નિયમનનું કાર્ય કરે છે.

   વિજ્ઞાન ધર્મની બાબતમાં સાબિતી કે વ્યાખ્યા આપતું નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ તો ધર્મ હોવો જ ન જોઇએ અને તેના હોવા ન હોવાથી કોઈ ફર્ક પણ પડતો નથી. ધર્મ વિજ્ઞાનનાં મૂલ્યને સ્વીકારી શકે પરંતુ વિજ્ઞાન હંમેશા ધર્મની અવગણના જ કરતો આવ્યો છે. વિજ્ઞાન અને ધર્મ બંનેના કાર્યો અલગ અલગ છે છતાં મહદઅંશે તે એક બીજા સાથે જોડાયેલાં હોય છે. ધર્મ અને વિજ્ઞાન આ બે તેવા પહેલુઓ છે જેને સૃષ્ટિને સંતુલનમાં રાખી છે. 

   સાચો ધર્મ માણસને અંધશ્રદ્ધાળુ, અંધવિશ્વાસુ, કમજોર, હતાશ, નિરાશ ક્યારેય ન બનાવે. આપણે સૌ ધર્મની વ્યાખ્યા ને સમજ્યા જ નથી. ધર્મનો પૂછડું પકડીને માત્ર અનન્ય પ્રવાસે નીકળી પડીએ છીએ. ધર્મના નામે માત્ર બાહ્ય દેખાવ કરી આંતરિક રીતે સ્વમૂલ્યોને પૂર્ણ કરીએ છીએ. સાચો ધર્મ માણસને ક્યારેય નબળો બનાવતો નથી. સાચા સંત, ફકીર કે ફાધર ક્યારે માણસાઈ વિરોધી ન હોઈ શકે. સાચાં ધર્મગુરુ પાસે તો અન્ય કરતાં વધુ કરુણા હોય છે. આપણે સાચું ધાર્મિક શિક્ષણ મેળવ્યું હશે તો તેનો માત્ર એક મંત્ર ''સર્વ ધર્મ સમભાવ'' છે છતાં આપણે માનવીય વૃત્તિઓને જે ધર્મની છબિ ધારી આજ સાચો ધર્મ તેમ માની બેઠાં હોઈએ તો આપણે આપણી પૂર્વધારણાઓ ઉપર વધુ ચિંતન કરવાની જરૂર છે



                                                                                                                                         જૈમીન જોષી.




Sunday, May 16, 2021

મ્યુકોર્માયકોસિસ ( Mucormycosis ) :-

  •  પૃથ્વીમાં માનવ ઉપરાંત એવા કેટલાય પ્રજીવો છે જે ક્યારેક ક્યારેક પોતાની હાજરી બતાવી બેસે છે:-

mucormycosis image
Mucormycosis


   મ્યુકોર્માઇકોસિસ (જેને અગાઉ ઝાયગોમિકોસિસ કહેવામાં આવે છે) એ એક ગંભીર પરંતુ દુર્લભ ફંગલ ચેપ છે. જે મ્યુકોર્માસાયટ્સ નામના મોલ્ડના જૂથને કારણે થાય છે. આ એક પ્રકારની ફૂગ આખા પર્યાવરણમાં જીવે છે. મ્યુકોર્માઇકોસિસ મુખ્યત્વે એવા લોકોને અસર કરે છે જેમની પાસે સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અથવા નિયમિત રૂપે તેવી દવાઓ લે છે જે શરીરની જંતુઓ અને માંદગી સામે લડવાની ક્ષમતાને ઓછી કરે છે. તે હવામાં ફંગલ બીજને શ્વાસ લીધા પછી સામાન્ય રીતે સાઇનસ અથવા ફેફસાંને અસર કરે છે. તે કટ, બર્ન અથવા ત્વચાની અન્ય પ્રકારની ઈજા પછી પણ ત્વચા પર થઈ શકે છે.

   મ્યુકોર્માયકોસિસ આમ તો ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. તે એક ચેપ છે. તે મ્યુકોર મોલ્ડના સંપર્કને કારણે થાય છે. જે સામાન્ય રીતે માટી, છોડ, ખાતર અને સડો કરતા ફળો અને શાકભાજીમાં જોવા મળે છે. "તે સર્વવ્યાપક છે. તદુપરાંત માટી, હવા અને તંદુરસ્ત લોકોના નાકમાં અને લાળમાં પણ જોવા મળે છે. માનવદેહમાં તે સાઇનસ, મગજ અને ફેફસાને અસર કરે છે તથા ડાયાબિટીસ અથવા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં વ્યક્તિઓ જેવા કે કેન્સરના દર્દીઓ અથવા એચ.આય.વી / એડ્સવાળા લોકોમાં જીવલેણ બની શકે છે.

   વર્તમાન પરિસ્થિમાં કોરોનાના વધુ કેસ જોવા મળી રહ્યાં છે, જેની હાલમાં કોઈ ચોક્કસ દવા નથી. તબીબી તેમની મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારાં પરીક્ષણ કરી કેટલીક દવાઓ કરે છે. અહી  તે જાણવું પણ જરૂરી છે કે અત્યારે કોઈ દવા ચોક્કસ રૂપે અસરકારક નિવડશે તેવું કહી શકાય નહીં. કોરોનાની દવા લીધા પછી દર્દીઓમાં અનેક આડઅસર પણ જોવા મળે છે. બીજી બાજુ દવાઓ શરીરમાં અન્ય રોગને આમંત્રણ આપવાનું કામ કરે છે. રેમડેસિવીર જેવા ઈંજકસન આપવાથી શરીરમાં સર્કરાનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સારવાર રૂપે ઉપયોગમાં લેવાતી દવામાં સ્ટીરોઈડ્સનો ઉપયોગ પણ થાય છે. તો બીજી બાજુ આ રોગ દર્દીની રોગ પ્રતિકારક ક્ષમતામાં ખૂબ ઘટાડો કરે છે. મેડિકલ ક્ષેત્રમાં નિષ્ણાત તબીબીઓ માને છે કે મ્યુકોર્માયકોસિસમાં એકંદર રીતે મૃત્યુ દર 50% છે, તે સ્ટીરોઇડ્સના ઉપયોગથી ઉત્તેજિત થઈ શકે છે, પરંતુ ગંભીર રીતે બીમાર કોવિડ -19 દર્દીઓ માટે સ્ટીરોઈડ્સ જીવનરક્ષક સારવાર છે.

   સ્ટીરોઇડ્સ કોવિડ -19 માટે ફેફસામાં બળતરા ઘટાડે છે અને જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ કોરોનાવાયરસ સામે લડવા માટે ઓવરડ્રાઇવમાં જાય છે ત્યારે થતા કેટલાક નુકસાનને રોકવામાં મદદ કરે છે. પરંતુ તેઓ પ્રતિરક્ષા ઘટાડે છે અને ડાયાબિટીઝ અને નન ડાયાબિટીઝ કોવિડ -19 દર્દીઓ બંનેમાં બ્લડ સુગરનું સ્તરને દબાણ કરે છે. એવું માનવામાં આવે છે કે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો એ મ્યુકોર્માયકોસિસના આ કિસ્સાઓને ઉત્તેજીત કરી શકે છે.

   "ડાયાબિટીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછું કરે છે,  કોરોનાવાયરસ તેને વધારે છે અને તે પછી સ્ટીરોઇડ્સ જે કોવિડ -19 સામે લડવામાં મદદ કરે છે તે આગને બળતણ આપવા જેવુ કામ કરે છે.

   ડિસેમ્બર અને ફેબ્રુઆરીની વચ્ચે  પાંચ શહેરોમાં મુંબઈ,  બેંગ્લોર,  હૈદરાબાદ,  દિલ્હી અને પુણેમાં આ ચેપના 58 કેસ નોંધાવ્યા હતા. કોવિડ -19 માંથી પુન રિકવરી પ્રાપ્તિ પછી 12 થી 15 દિવસની વચ્ચે મોટાભાગના દર્દીઓએ તેનો કરાર કર્યો હતો.

 મ્યુકોર્માયકોસિસના પ્રકારો (Types of mucormycosis):­­-

1) રહીનોસીરેબ્રલ (સાઇનસ અને મગજ) મ્યુકોર્માયકોસિસ:- સાઇનસમાં એક ચેપ છે જે મગજમાં ફેલાય છે. મ્યુકોર્માયકોસિસનું આ સ્વરૂપ અનિયંત્રિત ડાયાબિટીસવાળા લોકોમાં અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા લોકોમાં સૌથી સામાન્ય છે.

2) પલ્મોનરી (ફેફસાં) મ્યુકોર્માઇકોસિસ:- કેન્સરવાળા લોકોમાં અને શરીર અંગમાં ટ્રાન્સપ્લાન્ટ અથવા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરનારા લોકોમાં મ્યુકોર્માઇકોસિસનો સૌથી સામાન્ય પ્રકાર છે.

3) ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ મ્યુકોર્માઇકોસિસ:- પુખ્ત વયના લોકોમાં સામાન્ય છે, ખાસ કરીને અધૂરા માસે  અને ઓછા વજનવાળા જન્મેલ શિશુઓમાં. જેમને એન્ટિબાયોટિક્સ, શસ્ત્રક્રિયા અથવા દવાઓ લેતાં શરીરમાં, જેમાં જંતુઓ અને માંદગી સામે લડવાની ક્ષમતાને ઘટેલ હોય છે.

4) ક્યુટેનીયસ (ત્વચા) મ્યુકોર્માયકોસિસ:-આ છિદ્રિત ત્વચા દ્વારા ફૂગ શરીરમાં પ્રવેશ્યા પછી થાય છે (ઉદાહરણ તરીકે, શસ્ત્રક્રિયા પછી, બર્ન અથવા અન્ય પ્રકારની ત્વચાના આઘાત). જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી ન હોય તેવા લોકોમાં મ્યુકોર્માયકોસિસનું આ સૌથી સામાન્ય સ્વરૂપ છે.

5) ડિસેમિનાટેડ મ્યુકોર્માઇકોસિસ:-  જ્યારે ચેપ લોહીના પ્રવાહમાં ફેલાય છે ત્યારે શરીરના બીજા ભાગને અસર કરે છે ત્યારે મ્યુકોર્માઇકોસિસ થાય છે. ચેપ સામાન્ય રીતે મગજને અસર કરે છે, પરંતુ બરોળ, હૃદય અને ત્વચા જેવા અન્ય અવયવોને પણ અસર કરી શકે છે.

mucormycosis


 મ્યુકોર્માયકોસિસના લક્ષણો(Symptoms of Mucormycosis):-

   મ્યુકોર્માયકોસિસના લક્ષણો શરીર પર ફૂગ ક્યાં વધે છે તેના પર નિર્ભર છે.

1)  રહીનોસીરેબ્રલ (સાઇનસ અને મગજ) મ્યુકોર્માયકોસિસનાં લક્ષણો:-

  • એકતરફી ચહેરા પર સોજો
  • માથાનો દુખાવો
  • અનુનાસિક અથવા સાઇનસ ભીડ
  • અનુનાસિક પુલ અથવા મોઢાનાં ઉપરના ભાગ પર કાળા જખમ કે જે ઝડપથી વધુ તીવ્ર બને છે
  • તાવ

2) પલ્મોનરી (ફેફસાં) મ્યુકોર્માયકોસિસના લક્ષણો:-

  • તાવ
  • ખાંસી
  • છાતીનો દુખાવો
  • હાંફ ચઢવી

3) ક્યુટેનિયસ (ત્વચા) મ્યુકોર્માયકોસિસ :-  તેમાં અલ્સર જેવો દેખાય છે અને ચેપગ્રસ્ત વિસ્તાર કાળો થઈ શકે છે. અન્ય લક્ષણોમાં પીડા, હૂંફ, અતિશય લાલાશ અથવા ઘાની આસપાસ સોજો શામેલ છે.

mucormycosis

 

4) જઠરાંત્રિય મ્યુકોર્માયકોસિસના લક્ષણો (Symptoms of gastrointestinal Mucomycosis):-

 

  • પેટ નો દુખાવો
  • બકા અને લટી
  • જઠરાંત્રિય રક્તસ્રાવ

 મ્યુકોર્માયકોસિસ ક્યાથી લાગે છે? (Where does Mucormycosis start?):-

mucormycosis


   મ્યુકોર્માઇસેટ્સ ફૂગનું જૂથ જે મ્યુકોર્માયકોસિસનું કારણ બને છે, ખાસ કરીને જમીનમાં અને પાંદડા, ખાતરના ઉકરડા અને પ્રાણીના છાણ જેવા ક્ષીણ થતા કાર્બનિક પદાર્થોના સહયોગથી, સમગ્ર પર્યાવરણમાં હાજર છે. તેઓ હવામાં કરતાં માટીમાં સામાન્ય રીતે જોવા મળે છે અને ઉનાળામાં તથા શિયાળો અથવા વસંતમાં વાતાવરણમાં હોય છે. મોટા ભાગના લોકો દરરોજ માઇક્રોસ્કોપિક ફંગલ બીજકણના સંપર્કમાં આવે છે, તેથી મ્યુકોર્માયકોસિસના સંપર્કમાં આવવાનું સંપૂર્ણપણે અશક્ય છે. આ ફૂગ મોટાભાગના લોકો માટે નુકસાનકારક નથી. જો કે જે લોકોએ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી છે તેમને મ્યુકોર્માઇસેટ બીજ શ્વાસ, ફેફસાં અથવા સાઇનસમાં ચેપ લાવી શકે છે. જે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.

 

મ્યુકોર્માયકોસિસની સારવાર (Treatment of Mucormycosis):-

મ્યુકોર્માયકોસિસ એ એક ગંભીર ચેપ છે. જેમાં પ્રિસ્ક્રિપ્શનમાં એન્ટિફંગલ દવા આપવામાં આવે છે. સામાન્ય રીતે એમ્ફોટેરિસિન બી, પોસાકોનાઝોલ અથવા ઇસાવ્યુકોનાઝોલ દ્વારા સારવાર આપવામાં આવે  છે. આ દવાઓ નસો (એમ્ફોટોરિસિન બી, પોસાકોનાઝોલ, ઇસાવુકોનાઝોલ) દ્વારા અથવા મોં દ્વારા (પોસોકોનાઝોલ, ઇસાવુકોનાઝોલ) આપવામાં આવે છે. ફ્લુકોનાઝોલ, વોરીકોનાઝોલ અને ઇચિનોકન્ડિન્સ સહિતની અન્ય દવાઓ મ્યુકોર્માયકોસિસનું કારણ બને છે તે ફૂગ સામે કામ કરતું નથી. મોટે ભાગે, મ્યુકોર્માયકોસિસને ચેપગ્રસ્ત પેશીઓને કાપી નાખવા માટે શસ્ત્રક્રિયાની જરૂર હોય છે.

   મોટા ભાગે આ રોગ દરેકમાં જોવા મળતો નથી પરંતુ અમુક દર્દીઓ ઊટ વૈદું કરવાં જાય ત્યાં તકલીફ ઉત્પન થાય છે. સોશિયલ મીડિયા પર આવતાં કોરોનાં ઉપચારમાં આયુર્વેદનાં નામે છાણ, ગૌ મૂત્ર અને તેવી કેટલીય વનસ્પતિનો ઉપયોગ કરવાં કહેવામાં આવે છે. ગભરાયેલ દર્દી પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરી બેસે છે અને પરિણામે આવાં રોગનો સામનો કરવો પડે છે. માટે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ડ્રગ્સનો ઉપયોગ ટાળવો જોઈએ અને જાગૃત બનવું જોઈએ. સામાન્ય રીતે આ બીમારી કોરોનાં થયાના 8 થી 15 દિવસ ની અંદર જોવા મળે છે પરંતુ તેમાં વધગટને અવકાસ છે. આ બીમારીમાં એક પ્રકારનો સડો થતો હોવાથી જેતે અંગને કાપવાનો નિર્ણય પણ લેવામાં આવે છે તથા કેટલાક દર્દીઓ મૃત્યુ પણ પામતા હોય છે. યોગ્ય સલાહ અને નિયમિત સારવાર તથા થોડી જાગૃતિથી આ રોગને હંફાવી શકાય છે. 


                                                                                                                                         જૈમીન જોષી.    

Sunday, May 9, 2021

કોરોનાએ માનવ વૃત્તિમાં વિકૃતિ ઉત્પન્ન કરી છે.(The corona has distorted human instincts.):-


  • જ્ઞાન સંપાદનમાં રોજીંદી પ્રવૃતિ મહત્વનો ભાગ ભજવે છે:- 


Corona has distorted human instincts.




   માત્ર ભારત દેશની વાત કરીએ તો હાલ સુધીમાં  2.15 કરોડ કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયા છે. જેમાંથી મૃત્યુઆંક 3.34 લાખ જેટલો છે. આ માત્ર સરકારી આંકડો છે જે તેમના ચોપડે નોંધાયો છે, પરંતુ પૃષ્ઠ પાછળ લખાયેલા એવા કેટલાય કેસ વિશે કોઈ માહિતી નથી. કેટલાય દર્દીઓએ જાતે જ ટેલિવિઝન, યુ ટ્યુબ કે સરકારી ગાઇડલાઇન પ્રમાણે અથવા ડોક્ટરની સલાહ લઈ સ્વઘરે જ હોમકોરોનટાઈન થઈ સ્વસ્થ થયા. તેવાં એક્ટિવ કેસો વિશે કોઇ તકેદારી લેવાઈ નથી કે નોંધણી થયેલ નથી.
  
   સરકારી હોસ્પિટલમાં તો દર્દી સારવાર લઈ ને સાજા થઇ ગયો હોય તે છતાં તેમના રિપોર્ટનું પરિણામ ન આવ્યું હોય તેવા કિસ્સાઓ પણ છે. પ્રાઈવેટ લેબોરેટરી વાળા ઘરે રિપોર્ટ કાઢવા આવતા નથી અને આવે તો મોં માંગેલ  પૈસા લેવાની શરતે આવે છે. નિસહાય બની લોકોએ ઉધારી કરીને પણ નાણાં ચૂકવાવવાં પડે છે. અત્યારે ભાઈ થોડા ઓછા લો કે દયા કરો જેવી વિનંતી કરવાં જેટલો પણ સમય નથી. અત્યારે કોઈ પણ નો વાંક ગુનો કે દોષારોપણ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે પરિસ્થિતિની દોર હવે કોઈના હાથમાં રહી નથી. લોકોને ખરેખર આત્મનિર્ભરતાનો સાચો અર્થ હવે સમજાય છે તેવું લાગે છે. આવી કપરી પરિસ્થિતીમાં માનવ પ્રકૃતિ પોતાના પરિવર્તનની દિશા કઈ રીતે નક્કી કરે? કયા મહત્ત્વનાં પરિબળો તેમાં ભાગ ભજવે છે? આવા પ્રશ્નો ઉપસ્થિત થાય જ છે. 
   
   માનવ વર્ષોથી કહેતો આવ્યો છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કોરોના આ કહેવતને અત્યારે પૂર્ણ રૂપે અનુસરતી હોય તેવું પ્રતીત થાય છે. જેટલો ઝડપી ફેરફાર આ વાયરસના ફેજમાં આવે છે તેનાથી ઝડપી માનવ પરિવર્તન કરી શકે તે શક્ય નથી. અત્યારે ચારેબાજુ પીડા અને અશ્રુઓનું ઘોડાપૂર વહી રહ્યું છે. કોઈએ પોતાના પિતા તો કોઈએ માતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, દાદા-દાદી તો કોઈએ આખો પરિવાર ગુમાવ્યું છે. ઘોડિયામાં કિલકારીઓ કરતાં બાળકના શ્વાસ થંભી જાય ત્યારે તેના પડઘા માતા-પિતાના કાનમાં ચીચયારીઓ સ્વરૂપે સંભળાયા કરે છે.

   કોઈ પોતાના માતા-પિતા કે સંતાન માટે લથડાતા ભટકાતા દરેક હોસ્પિટલનાં પગથીએ માથા કૂટે છે તો કોઈ દવાઓ માટે મેડિકલ સ્ટોરની લાઈનોમાં આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. આંસુઓ પ્રસ્વેદ બનીને હવામાં ભળી  રહ્યો છે. લોકો પોલીસોના પગે પડીને સહાયતાની માંગણી કરે છે, દર્દીઓ મેડિકલ સ્ટાફ પાસેથી ઉધારના શ્વાસ માંગે છે. સ્વજન માટે રસ્તાની ધૂળ ચાટનાર, પોલીસનો માર ખાનાર કે મેડિકલ સ્ટાફનો ધુત્કાર સહન કરનાર વ્યક્તિની મનોદશા વિશે કોઈએ કલ્પના કરી છે ખરી?

   રૂસોના મતાનુસાર માનવ પ્રકૃતિ જ્યારે તેના સર્જકના હાથમાંથી નીચે ઉતરી ત્યારે સારભૂત રીતે શુભ હતી. તે અણવિકસીત હતી. અત્યારે માનવ પાસે કોઈ આવેગ કે લાગણી નથી માત્ર લાચારી છે. ઇચ્છાશક્તિનું મૂલ્ય શૂન્ય છે. બુદ્ધિ કર્તવ્યપાલન નથી રહી. કોરોનાએ આપણને શું શીખવ્યું તેવા મસમોટા લેખો લોકોએ છાપી અને ફોરવોર્ડ કર્યા પરંતુ સવાલ કંઈક આવો પણ એક હોવો જોઈએ કે કોરોનાએ આપણી પાસેથી શું છીનવી લીધું? આધ્યાત્મિક વ્યક્તિ પણ સ્થિતપ્રજ્ઞ હોતો નથી તો સામાન્ય માનવ નો લાગણી, પ્રેમ, કરુણા, પીડા, ઈચ્છા, લાચારી, સ્નેહ,ગુસ્સો ,ધૃણા વગેરે  જેવા ગુણોથી ભરેલો હોય તે સીધી વાત છે.

   કોઈ એક ઘટનામાંથી વ્યક્તિ જ્યારે પસાર થાય છે ત્યારે જે પીડા ભોગવે છે તેવી પીડા તે પુનઃ  ભોગવતો નથી. પ્રથમ વખત પ્રેમમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ પુનઃનિષ્ફળતાથી પ્રથમ વખત જેટલો ગાયલ કે ભયભીત ન હોય. એક ખૂન કર્યા પછી બીજા ખૂન કરતી વખતે હાથમાં કંપારી કે ચહેરા ઉપર પ્રસ્વેદ બિંદુ હોતું નથી. એક વખત ચોરી કરનાર બે, ત્રણ, ચાર વખત એમ સરળતાથી ચોરી કરી શકે છે. તે ભયમુક્ત બને છે. જે નાનપણથી માર ખાતો આવ્યો છે તે હિંસાત્મક કર્યો થી ગભરાશે નહીં. તેના માટે હિંસા એ રોજીંદી બાબત છે. બાળ કેળવણી વિષે આપણે અવગત છીએ જે અહી પણ લાગુ પડે જ છે. જેને  જાહેરમાં અપમાન જીરવ્યા છે તેને  માન-સન્માનથી કઈ જાજો ફેર પડતો નથી. આપણને લાગે છે કે ભયભીત થવું ખોટું છે પરંતુ તે જ ભય છે જેણે આપણને દાનવ બનતાં રોકી રાખ્યા છે તે પણ આપણે સ્વીકારવું જોઈએ. ભય, મર્યાદા અને લાગણી વગરનાં એક સમાજની કલ્પના કરો શું દેખાય છે?
 
    જે વ્યક્તિએ તેની આંખો સામે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. જેમને લોકોનાં પગમાં પડી આજીજી કરી છે. જેને પોલીસના ડંડા વગર વાંકે સહન કર્યા છે અથવા બિનજરૂરી દંડ ભર્યો છે. જેની આંખો સામે ભ્રષ્ટાચારનું આખું માર્કેટ ઊભું થયેલું જોયું છે. સરકારી તંત્રની નિષ્ફળતા, હોસ્પિટલોની મનમાની, અસુવિધા, પોલીસની દાદાગીરી, એકબીજા સાથે ધક્કા મુક્કી કરી માનવતા નેવે મૂકવી પડે તેવા બિનઇચ્છિત લીધેલ નિર્ણય, ચક્કર ખાઈને પડેલ શરીર કે ત્રણ ત્રણ દિવસની લાઇનમાં ઊભેલાં વ્યક્તિની ભૂખ અને તરસથી થતી ગંભીર હાલત, ખભે, લારીમાં કે ઢસડતા સ્વજનના મૃતદેહ, એક પ્લાસ્ટિકની બેગમાં લપેટાયેલ દેહ જેને પારખી પણ ન શકાય. સ્વજન ને ભેટીને રડી પણ ન શકાય કે અંતિમ વિધિ પણ પૂર્ણના કરી શકયાનો વસવસો. દરેક ઘટનાઓએ માનવ મનમાંથી એક પ્રકારનું તત્વ નિષ્ક્રિય કરી દીધો છે. શ્વાસ ચાલવા છતાં જાણે અંદરથી કઈ મૃત થઈ ગયું હોય તેવી લાગણી ઉત્પન કરી નાખી છે. માનવ ખુલ્લા મને રડી પણ શકતો નથી. માનવ કરુણા મૃત્યુ પામી છે. હવે આવનારા સમયમાં વ્યક્તિ વ્યક્તિને મારતા, ગુનાઓ આચરતા કે માનવતા નેવે મુકતા કે આતંકવાદી બનાવવાનાં ક્ષોભ અનુભવવાની લાગણી મૃત પામી ગઈ હશે.આ વધારાનું  જોખમ છે.

   જે વ્યક્તિએ ક્યારેય સરકારી નિયમો, રાજનીતિ, હોસ્પિટલો કે અધિકારી પોલીસ કર્મી સાથે ક્યારેય સીધી રીતે ઇન્ટરેસ્ટ લીધો નથી તેમને હવે મને કમને આ તમામનો અનુભવ થઈ ચૂક્યો છે. વ્યક્તિના માનસિક નિર્ણયો અને સિદ્ધાંતો ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તિત પામી ચૂક્યા છે. કરુણા મરી પરવારી છે. આંસુ સુકાઈ ગયા છે. સત્યની વાતો હવે પુસ્તકના પાનાની અંદર દબાઈ જવાની છે. વ્યક્તિઓએ કરેલી પસંદગી પુરોગામી ઘટનાઓની જરૂરિયાત દ્વારા નક્કી થતી હોય છે જે હવે એક માનસિક રીતે વિશાળ દાનવમાં પરિણમે તેવી પણ સંભાવના છે.

   અલબત્ત આ સમયે આપણને સમાજના એવા ઉત્કૃષ્ટ નાગરિકોનો અનુભવ પણ થયો છે જેમને રાત દિવસ  મહેનત કરી અને માનવતા દાખવી છે, પરંતુ તેની પાસેથી પ્રેરણા લેવા જેટલી બુદ્ધિ પણ ક્ષીણ થઈ ગઈ છે. જ્યારે પેટ ભૂખ્યું  હોય ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય છે. હવે આવનાર સમયમાં માનવોએ માનવતાના વધુ મુખોટા પહેરવા પડશે કારણ કે હવે જે ચહેરા હશે તે કરુણા, માનવતા, લાગણી અને દયાહીન હશે. મનુષ્યની પ્રકૃતિ હવે પુનઃ પ્રાપ્ત કરવી અઘરી છે તે પણ વિચારવા જેવું છે. સંખ્યા અનુસાર 56 મિલિયન ભારતીયો હતાશાથી પીડાય છે અને બીજા 38 મિલિયન ભારતીય ચિંતાના વિકારથી પીડાય છે. આવનાર સમયમાં આ આકડો ચોક્કસ વધશે તેના એંધાણ તો અત્યારથી આવી જ ગયા છે. માણસ હવે વધુ નનામો બની શકે છે. વ્યક્તિએ માનસિક રીતે સ્વસ્થ રેહવા માટે અલગ અલગ માર્ગના સહારા લેવા પડશે તે પણ ચોક્કસ છે. 

                                                                                                                               જૈમીન જોષી.


ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...