Sunday, October 25, 2020

શું તમે કારકિર્દી ઘડતરમાં પડકાર ઝીલો છો? (Do you face challenges in shaping your career?)


  • ''સપનાની હકીકતથી તુ વાકેફ છે એ કે , સાગરની લહેરોની કોઇ મંઝિલ નથી હોતી .'' 



challenges


પોતાનો સફળતામાં સ્વહસ્તાક્ષર ભલે ન હોય નિષ્ફળતામાં તો હોવા જ જોઈએ :-


  મારે જીવનમાં ઘણું બધું કરવું છે , પણ દર વખતે આર્થિક તકલીફ વચ્ચે જ આવીને નિમિત બની જાય છે. નવો ફોન લેવો કે મારા બાળકોને બહાર પ્રવાશ કરાવા લઈ જવા હોય, તો એમાં પણ વિચાર કરવો પડે... હમણાં તો હદ થઈ ગઈ ! મારા પિતાજીને અચાનક જ હાર્ટ એટેક આવ્યો, બાય પાસ  સર્જરી કરવી પડી. હવે સારી હોસ્પિટલ અને બેસ્ટ ડોક્ટર માટે પૈસા તો જોઈએ ને .. !! અંતે સગાઓ પાસે મદદ લેવી પડી મને માઠું તો લાગ્યું પણ અન્ય કોઈ રસ્તો નહોતો, થયું કદાચ મારી પાસે પૈસાની સગવડ હોત તો મારે હાથ લાંબો કરવો ન પડત . વીસ વર્ષથી એક જગ્યાએ નોકરી કરીને કશું જ ન મળ્યું .... થાય છે, હવે આ નોકરીને છોડી દઉં. હમણાં જ એક વડીલ  મિત્રએ મનનો રોષ ઠાલવ્યો. તે કહે છે કે હું અમદાવાદમાં જન્મ્યો, ભણ્યો અને નોકરી પણ અહી જ કરી અને હમણાં પણ કરું છું. મારા બાપુજીએ મને મારી નોકરીના પહેલા દિવસે શિખામણ આપી હતી કે, બેટા પ્રમાણિકતાથી નોકરી કરજે વફાદાર રહેજે ...... તને તારા શેઠ કાયમ માટે સાચવી લેશે ! બસ તે  દિવસ અને આજની ઘડી, વીસ વર્ષ થયા હું ત્યાં જ  છું. આમ તો બધું સારૂ છે શેઠ સારા છે પ્રમોશન પણ મળે છે, પરંતુ  કોણ જાણે કેમ કામ કરવામાં મજા નથી આવતી. હવે તો ન્યુ જનરેશન આવી, બધો સ્ટાફ નવો છે હવે કેટલાંય લોકો આવ્યા અને નવી નવી નોકરીઓ લઈ છુટા પડ્યા હું તો ત્યાંનો ત્યાં જ...  અને હતાશા રૂપી ઉદગાર સરી પડ્યો. પેલા કોલેજ વખતના સૌથી સારા ગણાતા બે મિત્રો તો કેટલાંય આગળ નિકળી ગયા ...!! બેય જણ ચબરખીઓ લઈને જ પરીક્ષામાં બેસતા અને અત્યારે એમના નામની ચબરખીઓ લઈને લોકો નોકરી મેળવી છે. વાહ રે... કિસ્મત... !!! અકળામણ  થાય છે. હવે સમજાતું નથી કે શુ કરું? 

   વર્ષો સુધી એક જગ્યા અને અમુક પરિચિત લોકોના સહવાસ બાદ અકળામણ થવી સહજ છે, બંધિયાર પાણી પણ એકની એક જગ્યામાં અમુક સમય બાદ દુર્ગંધ મારતુ હોય છે તો આ તો જીવન છે. વડીલ મિત્રની ગુંગળામણ સમજાતી હતી તે કહે છે કે મારી વીસ વર્ષની નોકરીમાં મને પણ બે ચાર વાર સારી તક આવી હતી. સારો પગાર અને સારૂ કામ, પણ મારાથી સાહસ લેવાયુ નહી ત્યારે જો મે એ તક ઝડપી લીધી હોત તો સારૂ થાત. હમણાં થોડાક મહિના પહેલા તે જ કંપનીના શેઠ મળી ગયા. ઓળખાણ તાજી થઈ. વાતવાતમાં ખબર પડી કે તે કંપની તો કેટલીય આગળ નીકળી ગઈ. કરોડોનું ટર્નઓવર થઈ ગયુ, દેશ - વિદેશમાં બ્રાન્ચ થઈ ગઈ, મને એટલો બધો અફસોસ થાય છે કે કાશ ત્યારે મે ચાન્સ લીધો હોત.... આવેલી તકને જતી કરી પણ એવો વિચાર આવે છે કે મને કામ ન ફાવ્યું હોત તો ? મારા કામથી મારા શેઠ ખુશ ન રહેતા તો ? જે થાય તે સારા માટે (ફરી એક નિશ્વાસ ) મારી નોકરીમાં સાલું  કોઈ ટેન્શન તો નહી જ...આપણે જ આપણા રાજા. મારા ટાઈમે ઓફિસ આવુ તો પણ કોઈ ઉંચા અવાજ સુદ્ધાં ન કરે. વીસ વર્ષ મે કંપનીને આપ્યા છે " કઈ નાની વાત છે કે ? પણ તોય નવા ભણેલા ગણેલા જુવાનિયા આવે છે ને મારા શેઠ તેમને તગડો પગાર આપતા અચકાતા નથી. ચિંતા થાય છે કે આમ ને આમ મારો સ્ટાફ બદલાઈ જશે તો મારી જગ્યા કયાં રહેશે ?  પેલી નોકરી લઈ લીધી હોત તો સારું થાત ! સાથે જ મારા મિત્રોને જોવુ છુ તો જીવ બળે છે. પૈસાની છુટ વિચારોની મોકળાશ અને આત્મવિશ્વાસથી ભરપુર એવા મારા મિત્રો સામે તો હું સાવ તુચ્છ છું. મને એટલો સંકોચ થાય છે કે કામની વાત તેમની સામે કરતો જ નથી, એ લોકો ગાઢ મિત્રો  છે, પણ કયારેક ક્યારેક મને ટોણાં મારે છે. ડોબા  લાઈફમાં રિસ્ક તો લેવું જ રહ્યું હજીયે મોડુ નથી થયુ, કોઈ સારો ચાન્સ મળે તો લઈ લે... હવે તમે જ કહો કે શું કરું ? પેલાં બન્નેય  જીગરવાળા તો હતા. બંનેય જણે રિસ્ક લઈને સંઘર્ષ કરી ને આજે ટોચ પર પહોંચ્યા ... !! 

  શૈક્ષણિક સિદ્ધાંતની ભૂમિકાને સમજનાર ક્યારેક વ્યાવહારિક સિદ્ધાંતોથી પછડાતો હોય છે. આપણી પાસે માત્ર એક જ જીવન છે અને તેમાં પણ મોટા ભાગની પળોનો દોર આપણાં પાસે હોતો નથી. સમય એ સાધન નથી પરંતુ તેની સાથે પ્રવાસ કરવો જરૂરી છે માટે થાય તેટલા પડકાર ઝીલવા જોઈએ. હારેલ વ્યક્તિ પાસે અનુભવ નામક હથિયાર હોય છે જે કઠિન પરિસ્થિતિમાં પણ જીતવા માટે પૂરતો હોય છે. કહેવાય છે કે અનુભવએ સૌથી મોટો  શિક્ષક છે. આવેલી તક ઝડપી લેવાથી બની શકે નિષ્ફળતા મળે પણ તેની સાથે કઈ ન કર્યાનો અફસોસ તો નહીં જ રહે..!  કંઈક કર્યાની કે નવું શીખ્યાનો આનંદ તો ચોક્કસ હશે. જો કે હકીકતમાં શું બધા લોકો પોતાની કારકીર્દીમાં પડકાર લેતા હોય છે ? બાર પંદર વર્ષથી એક જગ્યાએ કમ્ફર્ટ ઝોનમાં નોકરી કરનારાઓને જુની જગ્યા અને જુના મહોલને છોડવાનો ડર લાગે છે, નવી જગ્યા કે નવુ કામ નવા માણસો નવા પડકારોનો સામનો કરવાની તક. આને કારણે જ જીંદગી છુટતી રહે છે. જીંદગી પુરી થઈ જાય છે અને સમી સાંજે કશુ ન કર્યાનો કે આગળ વધી ન શકવાનો અફસોસ થતો રહે છે. વિચારોની ગડમથલ અને ભ્રમરોમાં વર્ષોની નોકરી વેડફયાનો તથા સમય વેડફાયા હોવાનું લાગે છે. કારણ કે જરૂરિયાત સમય પ્રમાણે બદલાય છે અને જ્યારે સંબંધમાં આર્થિક સ્થિતિ ડોકીયુ કરવા માંડે ત્યારે બધુય ભુલાઈ  હોય છે. 

  જીવન જો ઊંડો દરિયો છે તો તરવું એ આપણું કર્મ અને જરૂરિયાત બંને છે. તરતા આપણે જ શીખવાનું છે, હાથ પગ તો હલાવા જ પડશે નહી તો ડૂબ્યા સિવાય કોઈ રસ્તો નથી. ઈચ્છાઓના ઉદ્દીપન વિના નિષ્પક્ષપણા કહેવાતી મુક્તિ ફળ આપી બેસે છે પરંતુ તેમાં વ્યક્તિ વિકાસ થતો નથી. માનવપ્રકૃતિ પરીવર્તનક્ષમ છે અર્થાત્ માનવે પોતાના પરિવર્તનની દિશા પરિબળો અને જરૂરિયાત સ્વેચ્છાએ પ્રાપ્ત કરવા જોઈએ. સંઘર્ષમાં પણ આત્મનિર્ભર  અને સ્વનિર્માણની ભાવના કેળવાઈ  રહે તે સાચી કેળવણી બાકી બધુ પુસ્તકિયા જ્ઞાન. સો વાતની એક વાત છે કે, પડકાર સ્વીકારીને જે પોતાની જીંદગી હંકારે છે. એ પછી સફળ થાય કે નિષ્ફળ, પણ તેનો આત્મવિશ્વાસ  તો અવ્વલ સ્થાને હોય જ છે એ  નક્કી .. !!!

                                                                                                                       જૈમીન જોષી. 

 

Thursday, October 22, 2020

નવરાત્રીના નવ સ્વરૂપ (The nine forms of Navratri)


navratri 2020




  માં અંબાના ઝાંઝરનો ઝણકાર સંભળાઈ કે ના સંભળાય પરંતુ મનમાં ઝાંઝરના ખનકનો નાદ સંભળાયા વગર તો ન જ રહે.આમ તો  નવરાત્રિ એક હિંદુ પર્વ છે. મૂળ નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે . જેનો અર્થ થાય છે . રાત્રીયો, આ નવ રાત્રિ અને દસ દિવસો દરમ્યાન માં અંબાના નવ રૂપોની પુજા કરવામાં આવે છે . તથા દસમો  દિવસ દશેરા તરીકે પ્રસિધ્ધ છે . આ તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે . પોષ , ચૈત્ર , અષાઢ , આસો માસથી નવમી સુધી ખુબ જ ધામધુમથી તથા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે . નવરાત્રિની નવ રાતોમાં ત્રણ દેવી મહાલક્ષ્મી , મહાસરસ્વતી અને દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે .
  દુર્ગાનો અર્થ જીવનના દુઃખોને દુર કરનાર , હરનાર થાય છે . નવરાત્રિ ઉત્સવ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે . વસંત ઋતુની શરુઆત અને શરદ ઋતુની શરૂઆત જલ , વાયુ અને સુર્યના પ્રભાવોનું મહત્વપુર્ણ સંગમ માનવમાં આવે છે . આ બે સમયે માં દુર્ગાની પૂજા માટે સૌથી પવિત્ર અવસર છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે . દરેક દિવસ દુર્ગાના અલગ રૂપને સમર્પિત છે . પ્રથમ દિવસે નાની બાલિકાઓની પૂજા કરવામાં આવે છે બીજે દિવસે સ્ત્રીની પૂજા કરવામાં આવે છે . ત્રીજા દિવસે જે સ્ત્રી પરિપક્વતાના ચરણમાં પહોંચી ગઈ છે તેની પૂજા કરવામાં આવે છે . નવરાત્રીના ચોથાથી છઠ્ઠા દિવસે વ્યક્તિ જ્યારે અહંકાર , ક્રોધ , વાસના અને મોહ વગેરે પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તે એક શૂન્યનું અનુભવ કરે છે . આ શૂન્ય આધ્યાત્મિક ધનથી છલકાય જાય છે, અને તમામ સુખ સમૃદ્ધિ માટે લક્ષ્મીજીની પૂજા કરે છે. નવરાત્રિના પાંચમા અને છઠ્ઠા દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા અને આઠમા દિવસે કલા અને જ્ઞાન પ્રાપ્ત કરવા સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે . આઠવા દિવસે એક યજ્ઞ કરવામાં આવે છે તથા માતાજીને વિદાય કરવામાં આવે છે . નવરાત્રીમાં નવમો દિવસ અંતિમ દિવસ હોય છે . આ દિવસને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પણ કન્યા પૂજન કરવામાં આવે છે. માં દુર્ગાના નવ સ્વરૂપઃ નવરાત્રિના નવ દિવસોમાં જુદા જુદા સ્વરૂપે  સ્થિતિ જગદંબાની પુજા અર્ચના કરવાથી માનવાંચિત ફળ મળે છે .    

  • નવદુર્ગા નામ :-

( ૧ ) માં દુર્ગાનું  પ્રથમ સ્વરૂપ શૌલપુત્રી છે . આનો અર્થ પહાડોની પુત્રી થાય છે . હિમાલયને ત્યાં જન્મ લેવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યું હતું તેનું વાહન વૃષભ છે . નવરાત્રીના પહેલા દિવસે આ માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
( ૨ ) માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણી નું છે. માં ના આ સ્વરૂપની ઉપાસના કરવાથી અનંદ ફળની પ્રાપ્તી થાય છે. આ માં ની ઉપાસના નવરાત્રીના બીજે દિવસે થાય છે. 
( ૩ ) નવરાત્રીના ત્રીજે દિવસે માં ચંદ્રધરા નું પૂજન થાય છે. આનો અર્થ ચંદ્રની જેમ ચમકવાવાળી થાય છે. આ માંની પૂજા ત્રીજા દિવસે કરવામાં આવે છે. માતાનાં આ સ્વરૂપને દશભુજા તથા મસ્તક ઉપર અર્ધચંદ્ર છે. તેની ઉપાસના કરવાથી બધી વિપત્તિ નાશ પામે છે , તથા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. 
( ૪ ) માં દુર્ગાનું ચોથું સ્વરૂપ દુષ્માંડા છે જેનો અર્થ પુરૂ જગત એના ચરણમાં છે તેમ થાય છે. આ જ માતાજી સૃષ્ટિની આદ્યશક્તિ સ્વરૂપ છે. આ સ્વરૂપ અષ્ટભુજા છે. તેના હાથમાં કમળનું ફુલ , કમંડળ , ધનુષ્ય બાણ , ચક્ર , ગદા તથા સિદ્ધિ પ્રદાન કરનારી વૃદ્ધ થાય છે. 
( ૫ ) માં દુર્ગાનું પાંચમુ સ્વરૂપ સ્કન્દ માતા છે. આનો અર્થ કાર્તિક રેવાણીની માતા થાય છે . તેની ઉપાસનાથી સમસ્ત ઈચ્છાઓનીપૂર્તિ થાય છે. આ માંનુ પૂજન પાંચમા દિવસે કરવામાં આવે છે. 
( ૬ ) માં નું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની નું છે આનો અર્થ કાત્યાયન આશ્રમમાં જન્મનાર એવો થાય છે . તેનું વાહન પણ સિહ છે . તે ચાર ભુજાધારી છે . આની ઉપાસનાથી રોગ કષ્ટભય નષ્ટ થાય છે . તેની છઠ્ઠા દિવસે પુજા કરવામાં આવે છે . 
( ૭ ) માં નું સાતમું સ્વરૂપ કાળરાત્રિ છે આનો અર્થ કાળના નાશ કરવાવાળી એવો થાય છે તેનું સ્વરૂપ ભયાનક છે ભક્તોને તે ડરાવતી નથી પણ દુષ્ટોનો વિનાશ કરે છે દાનવ , દૈત્ય , ભુતપ્રેત વગેરે સ્મરણ માત્રથી ભાગી જાય છે . સાતમાં દિવસે તેની ઉપાસના થાય છે . 
( ૮ ) માં દુર્ગાના આઠમાં સ્વરૂપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે . તેનો અર્થ સફેદ રંગવાળી માં તેવો થાય છે . વૃષભ ઉપર સવાર થયેલી માં દુર્ગાના આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે . તેની આઠવા દિવસે આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે . 
( ૯ ) માં દુર્ગાનું નવમુ સ્વરૂપ સિધ્ધિદાયીની છે . અને તેની કૃપાથી અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે . તેનો અર્થ સર્વસિધિનવમાં દિવસે સંપુર્ણ શ્રધ્ધાથી તેની સાધના કરનારને બધી સિધ્ધિઓ પ્રાપ્ત થાય.
   નવરાત્રિ દરમ્યાન પ્રકૃત્તિના આનંદકોષને ખુશીથી માણી  માતાની આરાધનાના આ અનેરો અવસરને પૂરી ભકિત તથા હર્ષોલ્લાસ સાથે માણીએ એવી અપેક્ષાઓ આ સમયે ખોટી પડી છે કદાચ  પ્રથમ વખત હશે પરંતુ માતા પોતાના બાળકો પર  હરહંમેશ પ્રેમ વરસાવતી હોય છે તે પણ હકીકત છે. દરેક ને IIappy Navratri ... માં અંબાની કૃપા સર્વે પર હંમેશા રહે તેવી શુભકામના.

                                                                                                                                   જૈમીન જોષી.



 

Sunday, October 18, 2020

કલમ 376 (IPC Section 376- Punishment for Rape )

IPC 376  બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. 


section 376



 [ કલમ ૩૭૬ - એ ]: - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :-
   જે કોઈ કલમ -૩૭૬ ની પેટાકલમ- ( ૧ ) અથવા પેટાકલમ- ( ૨ ) પૈકીની શિક્ષાને પાત્ર ગુનો કરે તેવા કાર્ય દરમ્યાન કરેલ ઈજાથી સ્ત્રીનું મૃત્યુ થાય અથવા સ્ત્રીને નિરર્થક સ્થિતિમાં રહેવું પડે તે માટેની સ્થિતિમાં સખત કેદની સજા જે વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદની શિક્ષા જેનો અર્થ વ્યક્તિની બાકીની કુદરતી જિંદગી સુધીની અથવા મૃત્યુદંડની થશે
સજા - :સખત કેદ ૨૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગીના વર્ષો સુધીની કેદ અથવા મૃત્યુદંડ - પોલિસ અધિકારનો - બિનજામીનપાત્ર - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર. 

 [ કલમ ૩૭૬ - એબી ]: - ૧૨ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર કરેલ બળાત્કાર માટે સજા : 
  જો કોઈ ૧૨ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને ૨૦ વર્ષથી ઓછી નહીં તેટલી સખત કેદની સજા કરવામાં આવશે , જે સજા આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે . આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના મૃત્યુપર્યત સુધીની સજા થશે અને દંડને પાત્ર અથવા મૃત્યુપર્યંતની સજાને પાત્ર થશે. જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરાયેલ કોઈ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે. 
સજા-: જેને ૨૦ વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા પરંતુ તે દંડ સાથે આજીવન કેદ સુષી થઈ શકશે જેનો અર્થ વ્યક્તિની બાકી રહેલ કુદરતી જીવન સુધી થશે અથવા દેહાંત દંડ સાથે પોલીસ અધિકારનો - બિન - જામીની - સેશન્સ કોર્ટ .

[ કલમ ૩૭૬ - બી ]: - જુદા રહેવાના સમય દરમ્યાન પતિએ પત્ની સાથે કરેલ જાતીય સંભોગ .
  જો કોઈ તેની પોતાની પત્ની જે જુદા રહેવાના હુકમનામા અનુસાર કે અન્ય કોઈ રીતે જુદા રહેતી હોય તેની સાથે તેન્નીની સંમતિ વિના જાતીય સમાગમ કરે તેને વિલ મધની ૬ બે વર્ષ કરતાં ઓછી નહીં પરંતુ સાત વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે . ] 
સ્પષ્ટીકરણ : - આ કલમમાં “ જાતીય સંભોગ ” એટલે કે , કલમ -375ની પેટાકલમ ( એ ) થી ( ડી ) પૈકીનું કોઈ પણ કૃત્ય . 
સજા - :બે વર્ષથી ઓછી નહીં પરંતુ ૭ વર્ષ સુધીની શિક્ષા અને દેઢ- પોલીસ અધિકારનો ( પરંતુ ભોગ બનનારની ફરીયાદ પરથી માત્ર ) -જામીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર . " 

[ કલમ - ૩૭૬ ] - સીઃ- સત્તામાં હોય તેવા વ્યકિતએ કરેલ જાતીય સમાગમ .
( એ ) સત્તાની સ્થિતિમાં અથવા જે કોઈ વ્યક્તિ કે , જે વિશ્વાસજન્ય સ્થિતમાં હોય , અથવા 
( બી ) જાહેર સેવક , અથવા 
( સી ) જેલ , રીમાન્ડ હોમ અથવા તત્કાલીન અસરમાં હોય તેવા કાયદા નીચે સ્થપાયેલ સંભાળ રાખવા માટેનું સ્થળ અથવા સ્ત્રીઓ અને બાળકો માટેની સંસ્થાના મેનેજર અથવા અધિક્ષક , અથવા 
( ડી ) દવાખાનાના વહીવટમાં હોય અથવા દવાખાનાના કર્મચારી હોય અથવા વિશ્વાસજન્ય સંબધનો દુરૂપયોગ કરી કોઈપણ સ્ત્રી તેના તાબામાં અથવા તેને સોંપાયેલ હોય અથવા જગ્યામાં માજર હોય તેની સાથે જાતીય સમાગમ કરવા લલચાવે અથવા ભ્રષ્ટ કરે જે જાતીય સમાગમ બળાત્કારનો ગુનો ગણાતો ન હોય તેમાં વર્ણન કર્યા મુજબની પાંચ વર્ષથી ઓછી નહીં પરંતુ દસ વર્ષ સુધીની સખત કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે. 
સ્પષ્ટીકરણ -૧ : - આ કલમ અનુસાર “ જાતીય સમાગમ ' ' માં કલમ -૩૭૫ ની પેટા કલમ ( એ ) થી ( ડી ) માં દશવિલ કોઈપણ કૃત્ય 
સ્પષ્ટીકરણ - ર : - આ કલમના હેતુ માટે કલમ -૩૭૫ નો ખુલાસો -૧ પત્ર લાગુ પડશે . 
સ્પષ્ટીકરણ -3: - “ અધિક્ષક " જેલ , રીમાન્ડ હોમ અથવા સ્ત્રીઓ અને બાળકો માટેની સંસ્થા અથવા અન્ય સંભાળ માટેનું સ્થાનના સંબંધમાં જે કોઈ વ્યકિત આવી જેલ , રીમાન્ડ હોમ, સ્થાન અથવા સંસ્થામાં હોદાની રૂએ આવી વ્યકિત તેમાં રહેનાર ઉપર સત્તા કે અંકુશ વાપરી શકતી હોય તેનો સમાવેશ થાય છે .
 સ્પષ્ટીકરણ -૪ : - શબ્દો ‘ હોસ્પિટલ ’ અને ‘ સ્ત્રીઓ તથા બાળકોની સંસ્થા'નો અનુક્રમે અર્થ કલમ -૩૭૬ ની પેટા કલમ- ( ૨ ) ના ખુલાસામાં દર્શાવ્યા પ્રમાણેનો ગણાશે . ] 
સજા-:સખત કેદની શિક્ષા પ વર્ષથીઓછી નહીં પરંતુ ૧૦ વર્ષ સુધીની અને દંડ - પોલીસ અધિકારનો બિનજામીન સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર , ' 

[ કલમ ૩૭૬ - ડી - : - સામૂહિક બળાત્કાર : 
  જયાં એક અથવા વધુ વ્યક્તિઓના બનેલા સમૂહ દ્વારા સામાન્ય ઈરાદો પાર પાડવાની મદદગારીમાં સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે તે વ્યકિતઓ પૈકીના દરેકે બળાત્કાર કર્યો હોવાનું ગણાશે . અને તેઓ વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન સખત કેદ જેનો અર્થ તે વ્યકિતની કુદરતી બાકી જીંદગી સુધીની કેદ અને દંડને પાત્ર થશે . 
   પરંતુ આવો દંડ ભોગ બનનારની સારવાર અને પુનર્વસન માટે જરૂરી હોય તેટલો વ્યાજબી અને યોગ્ય હશે. 
  પરંતુ વધુમાં આ કલમ નીચે કરવામાં આવેલ દંડ ભોગ બનનારને ચુકવવામાં આવશે . ]
સજા - :સખત કેદની શિક્ષા ૨૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની બાકીની કુદરતી જિંદગી સુપી કેદ અને દેડ જે ભોગ બનનારને આપવો - પોલિસ અધિકારનો બિન જમીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર , '

 [કલમ ૩૭૬ - ડીએ ]:- ૧૬ વર્ષથી નીચેની ઉંમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા માટે સજા
  જે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓ એક સમૂહમાં ભેગા થઈને કે સામાન્ય ઈરાદાને પ્રોત્સાહન આપવામાં કાર્ય કરતા ૧૬ વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજરે તો તે વ્યક્તિઓને દરેકના વિશે એવું માનવામાં આવશે કે તેણે બળાત્કારનો ગુનો કર્યો છે અને જેને આજીવન કારાવાસની જૈનો મતલબ તે વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગીની જેલની સજા દંડ સાથે કરવામાં આવશે .
   જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય મેળવવા અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . 
  વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ દંડની રકમ ભોગ બનનારને ચૂકવવામાં આવશે . ]
 સજા-: આજીવન કેદની સખ્ત સજા થશે . આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના કુદરતી  મૃત્યુપર્યત સુધિનો થશે અને દંડને પાત્ર ઠરશે . - પોલીસ અધિકારનો - બિન - જામીની સેશન કોર્ટ. 

[ કલમ ૩૭૬ - ડીબી ] ૧૨ વર્ષથી નીચેની ઉમરની સ્ત્રી ઉપર સામૂહિક બળાત્કાર કરવા માટેની શિક્ષા :    જે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓ એક સમૂહમાં ભેગા થઈને કે સામાન્ય ઈરાદાને પ્રોત્સામાન આપવામાં કાર્ય કરતા ૧૨ વર્ષથી ઓછી વયની સ્ત્રી ઉપર બળાત્કાર ગુજારે તો તે વ્યક્તિોને દરેકના વિશે એવું માનવામાં આવશે કે તેણે બળાત્કારનો ગુનો કર્યો છે અને જેને આજીવન કારાવાસની જેનો મતલબ તે વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગીની જેલની સજ દંડ સાથે અથવા ફાંસી સાથે થશે . 
   જોગવાઈ કરવામાં આવે છે કે આવો દંડ ભોગ બનનારની તબીબી સહાય મેળવવા અને પુનરુત્થાન મેળવવા માટે ન્યાયી અને વ્યાજબી રહેશે . 
   વધુમાં જોગવાઈ કરવામાં આવે છે કે આ કલમ હેઠળ કરવામાં આવેલ દંડની રકમ ભોગ બનનારને ચુકવવામાં આવશે . ]. 
સજા-: આજીવન કેદની સખ્ત સજા થશે , આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિના કુદરતી મૃત્યુપર્યંત સુધીનો થશે અને દંડને પાત્ર ઠરશે અથવા મૃત્યુ દંડ - પોલીસ અધિકારનો બિનજામીની - સેશન્સ કોર્ટ.

[ કલમ ૩૭૬ - ઈ ] :- વારંવાર ગુના કરનારાઓ માટેની શિક્ષા : 
   જે કોઈને ક્લમ -૩૭૬ અથવા કલમ -૩૭૬ ( એ ) અથવા ' ક્લિમ -૩૭૬ ( એબી ) અથવા કલમ ૩૭૬ ( ડી ) અથવા કલમ -૩૭૬ ( ડીએ ) અથવા કલમ -૩૭૬ ( ડીબી ) ] હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં પહેલા ગુનેગાર ઠરાવેલ છે અને ત્યાર પછી આમાંની કોઈ પણ કલમો હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં ગુનેગાર ઠરે તો તે આજીવન કેદની શિક્ષાને પાત્ર ઠરશે , જેનો મતલબ વ્યક્તિની બાકી રહેલ કુદરતી જિંદગી સુધીની કેદ થશે અથવા દેહાંત દંડ થશે . ]

સજા -: આજીવન કેદની શિક્ષા જેનો અર્થ વ્યક્તિની કુદરતી જિંદગીનો બાકીનો સમય અથવા મૃત્યુ દંડ - પોલિસ અધિકારનો - બિન - જામીન - સેશન્સ કોર્ટ સમક્ષ ચાલવાપાત્ર. 
      
                 
IPC Section 376- Punishment for Rape

[કલમ ૩૭૭]:-  સૃષ્ટિકમ વિરુદ્ધના ગુના -:
   જે કોઈ વ્યક્તિ , કોઈ પુરુષ , સ્ત્રી કે પશુ સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધ સ્વેચ્છાપૂર્વક શરીર સંભોગ કરે તેને આજીવન કેદની અથવા દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. 
સ્પષ્ટીકરણ : - આ કલમમાં વર્ણવેલો ગુનો બનવા માટે જે શરીર સંભોગ થવો જોઈએ તે માટે લીંગ પ્રવેશ થવો એ પુરતું છે.

સજા -: જન્મટીપ અથવા ૧૦ વર્ષ સુધીની કેદ અને દેડ - પોલિસ અધિકારનો - બિન - જામીની - પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ - બિન - સમાધાન લાયક. 

                                                                                                                   જૈમીન જોષી.

Thursday, October 15, 2020

બળાત્કારની વ્યાખ્યા અને ભારતીય કાયદો ( Definition of rape and Indian law )



law  image wekimedia


  મનોવૈજ્ઞાનિક રીતે તો બળાત્કારની અલગ અલગ વ્યાખ્યાઓ થતી હોય છે પરંતુ જ્યારે કાયદાની વાત આવે ત્યારે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને સજાનું પ્રાધાન્ય હોય છે. મોટા ભાગે સામાન્ય વ્યક્તિ કાયદાકીય ભાષાથી અવગત હોતા નથી માટે તે સહજ રીતે બળાત્કારીઓ સાથે કેવા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ અથવા  કયા પ્રકારની સજા થવી જોઈએ તે વિષે રોષ ઠાલવી દે છે, પરંતુ કાયદો ચોક્કસ પ્રકારની પધ્ધતિને અનશરતો હોવાથી તે એક આગવું વલણ અપનાવી ચુકાદા આપતો હોય છે જે બની શકે કે જનતાને ન પણ ગમે પરંતુ તેને આપણે સ્વીકાર્ય સિવાય કોઈ અન્ય રસ્તો હોતો નથી. આવી પરિસ્થિતીમાં કાયદાકીય રીતે ખરેખર બળાત્કાર કોને કહેવાય અને તેની સજા શું છે તે જાણવું જરૂરી બની રહે છે. બળાત્કાર અલગ અલગ રીતે થતો હોવાથી તેની પણ અલગ જોગવાઇઓ છે જેની તમામ માહિતી નીચે પ્રમાણે છે.  

નીચે વર્ણવેલ સાત પૈકી કોઈપણ સંજોગમાં બળાત્કાર થયો તેમ જાણવું.

  • પ્રથમ : - તેણીની ઈચ્છા વિરૂદ્ધ
  • બીજુ : - તેણીની સંમતિ વિના
  • ત્રીજુ  : - તેણીની સંમતિથી જયારે તેણીની સંમતિ તેણીને અથવા તેણીનું હિત હોય તેવી વ્યકિતના ઈજા અથવા મૃત્યુના ભય નીચે મેળવેલ હોય.
  • ચોથું :- તેણીની સંમતિથી જયારે પુરૂષ જાણતો હોય કે તે તેણીનો પતિ નથી અને તેણીની આપેલ સંમતિનું કારણ તે બીજો પુરૂષ જેની સાથે તેણીના કાયદેસરના લગ્ન થયાનું તેવી માનતી હોય ,
  • પાંચમું :- તેણીની સંમતિથી જયારે સંમતિ આપતી વખતે અસ્થિર મગજ અથવા નશો અથવા તેણીને જાતે અથવા અન્ય મારફતે કોઈ નશાયુક્ત અગર મૂર્છિત પદાર્થ કરનાર આપવામાં આવે જેથી તેણીએ આપેલ સંમતિનો અર્થ અને તેનું પરિણામ સમજી શકવા અશકિતમાન હોય .
  • છઠું : - તેણીની સંમતિ અથવા સંમતિ વિના જયારે તેણી અઢાર વર્ષથી નાની ઉંમરની હોય .
  • સાતમું : - જયારે તેણી સમંતિ આપવા અસમર્થ હોય .

સ્પષ્ટીકરણ -૧ : - આ કલમના હેતુ સારૂ સ્ત્રીના પ્રજનન ભાગમાં ‘ લીબીયા અને મેજોરા ’[Labia majora ] બંને ભાગો નો સમાવેશ થાય છે . 
સ્પષ્ટીકરણ -૨ :- સંમતિ એટલે સ્પષ્ટ સ્વૈચ્છિક સંમતિ જયારે સ્ત્રીએ શબ્દથી, ઈશારાથી અથવા બોલાવાના અથવા નબોલાવાના કોઈપણ પ્રકારે પ્રસારીત કરી ખાસ જાતીય કૃત્યમાં ભાગ લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી હોય , પરંતુ સ્ત્રી જે યોનિ પ્રવેશના કૃત્યનો શારીરિક પ્રતિરોધ કરી શકે તેમ ન હોય ત્યારે જાતીય પ્રવૃતિ માટે તેણીની સંમતિ હતી તેવું કારણ માની શકાશે નહીં . 

  • અપવાદ -૧ : - તબીબી કાર્યવાહી અથવા દરમ્યાનગીરીથી બળાત્કાર બનતો નથી . 
  • અપવાદ -૨ : - જે પુરૂષનું તેની પોતાની પત્ની કે જે પત્ની પંદર વર્ષની ઉંમરથી નાની ન હોય તેની સાથેનો જાતીય સમાગમ અથવા જાતિય કૃત્ય બળાત્કાર નથી.

બળાત્કાર માટેની શિક્ષા : 


punishment  wikimedia


( ૧ ) જે કોઈ વ્યક્તિ , પેટાકલમ- ( ૨ ) થી જોગવાઈ કરેલા કેસોમાં હોય તે સિવાય બળાત્કાર કરે તેને સામે વર્ષની મુદત કરતા ઓછી ન હોય પણ આજીવન કેદની અથવા દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારના કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે , સિવાય કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી તેની પોતાની પત્ની હોય અને બાર વર્ષથી ઓછી વયની ન હોય તેવા દાખલામાં તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા એ બંન્નેની શિક્ષા કરવામાં આવશે. પરંતુ ન્યાયાલય , ફેંસલામાં જણાવવાના પૂરતા અને ખાસ કારણોસર સાત વર્ષની મુદત કરતા ઓછી મુદત માટે કેદની સજા થઈ શકે .
( ૨ ) જે કોઈ વ્યક્તિ - 
     
 [ ક ] પોલિસ અધિકારી હોઈને 
         ( ૧ ) જયાં તેની નિમણૂક થઈ હોય તે પોલિસ સ્ટેશનની હદમાં , અથવા
      ( ૨ ) જયાં તેની નિમણૂક થઈ હોય તો પોલિસ સ્ટેશનમાં આવેલું હોય કે ન હોય તેવા થાણાની મકાનની જગ્યામાં , અથવા
         ( ૩ ) પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના કોઈ પોલિસ અધિકારીની કસ્ટડીમાં હોય તે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા 
   
[ ખ ] રાજ્ય સેવક હોઈને પોતાના સત્તાવાર હોદ્દાનો લાભ ઉઠાવે અને એવા રાજ્ય સેવક તરીકે પોતાની કસ્ટડીમાં અથવા પોતાના તાબાના રાજ્ય સેવકની કસ્ટડીમાં હોય તે સ્ત્રીનો ઉપર બળાત્કાર કરે , 
  
[ ગ ] જેલ, રિમાન્ડ હોમ અથવા જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ સ્થપાયેલ કસ્ટડીના અન્ય કોઈ સ્થળના અથવા સ્ત્રીઓ કે બાળકોની સંસ્થાના સંચાલન અથવા કર્મચારીવર્ગમાં હોઈને , પોતાના સત્તાવાર હોદાનો લાભ ઉઠાવે એ એવી જેલ , રિમાન્ડ હોમ , સ્થળ અથવા સંસ્થાની કોઈ સ્ત્રી અંતેવાસી ઉપર બળાત્કાર કરે , અથવા 
 
[ ઘ ] હૉસ્પિટલના સંચાલન અથવા તેના કર્મચારી કોઈ વર્ગમાં હોઈને , પોતાના સત્તાવાર હોદાનો લાભ ઉઠાવે અને તે હૉસ્પિટલમાંની કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા

[ ચ ] તે સ્ત્રી સગર્ભા હોવાનું જાણીને તેની ઉપર બળાત્કાર કરે , અથવા

[ છ ] બાર વર્ષથી ઓછી વયી હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે , અથવા 

[ જ ] સામૂહિક બળાત્કાર કરે . 
   તેને દસ વર્ષની મુદત કરતાં ઓછી ન હોય તેટલી પણ આજીવન કેદની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે ; 
  પરંતુ ન્યાયાલય , ફેંસલામાં પૂરતા અને ખાસ કારણો દર્શાવીને દસ વર્ષ કરતાં ઓછી મુદત સુધીની બેમાંથી ગમે તે પ્રકારની કેદની સજા કરી શકશે .

સ્પષ્ટીકરણ -1 - પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવા કામ કરતી એક અથવા વધુ વ્યક્તિોએ સમૂહમાં કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો હોય ત્યારે તે દરેક વ્યક્તિએ આ પેટાકલમના અર્થ મુજબ સામૂહિક બળાકાર કર્યો છે એમ જણાશે . 

[ ૨ ] જે કોઈ 
  ( એ ) પોલીસ ઓફિસર હોય અને બળાત્કાર કરે 
  ( i ) જ્યાં તે પોલીસ ઓફિસરની નિમણૂંક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદ અથવા 
  ( ii ) કોઈ પણ સ્ટેશન હાઉસની જગ્યામાં અથવા 
 ( iii ) તેવા પોલીસ ઑફિસરની અટકાયતમાં અથવા તેવા પોલીસ ઑફિસરના તાબાના પોલીસ ઑફિસરની અટકાયતમાં હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા

[ બી ] જાહેર સેવકે તેની અટકાયતમાં હોય અથવા તેવા જાહેર સેવકના તાબાના સેવકની અટકાયતમાં હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા 

[ સી ] હથિયારધારી દળના સભ્ય તરીકે કેન્દ્ર સરકાર કે રાજય સરકારે તહેનાત કર્યા હોય તેવા વિસ્તારમાં બળાત્કાર કર્યો હોય , અથવા 

[ ડી ] વ્યવસ્થાપક તરીકે અથવા જેલના કર્મચારી રિમાન્ડ - હોમ અથવા જે તે સમયમાં અમલમાં હોય તેવા કોઈ કાયદા નીચે સ્થપાયેલ અટકાયતના બીજા સ્થળ અથવા સ્ત્રીઓની અથવા બાળકોની સંસ્થાના તેવી સંસ્થા જેલ , રિમાન્ડ હોમ , સ્થળ , અથવા સંસ્થાના ‘ સહનિવાસી પર બળાત્કાર કરે , અથવા

[ ઈ ] દવાખાનાના વ્યવસ્થાપક વહીવટદાર તરીકે અથવા કર્મચારી તરીકે તે દવાખાનામાં સ્ત્રી પર બળાત્કાર કરે , અથવા

[ એફ ] સંબંધી , વાલી અથવા શિક્ષક તરીકે અથવા સ્ત્રી માટેના ટ્રસ્ટના ટ્રસ્ટી અથવા સત્તાધિકારી તરીકે હોય તે , તેવી સ્ત્રી પર બળાત્કાર કરે , અથવા 

[ જી ] કોમી , જાતિ અગર વંશીય હિંસા દરમિયાન કરવામાં આવેલ બળાત્કાર , અથવા 

[ એચ ]સ્ત્રી ગર્ભવતી છે તેવું જાણવા છતાં તેણી ઉપર બળાત્કાર કરેલ હોય , અથવા 

[ જે ]  સંમતિ આપવા અસમર્થ હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય , અથવા 

[ કે ] સ્ત્રી ઉપર અંકુશ અથવા પ્રભાવ ધરાવનારે તેવી સ્ત્રી પર બળાત્કાર કર્યો  હોય  , અથવા 

[ એલ ] શારીરિક અને માનસિક રીતે અસમર્થ સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય અથવા 

[ એમ ] બળાત્કાર કરતી વખતે સ્ત્રી ને શારીરિક ગંભીર ઈજા અથવા અપંગતા અથવા વિકૃતિ અથવા  સ્ત્રી  ની જીંદગી જોખમાય તેવું કૃત્ય હોય અથવા 

[ એન ] તે જ સ્ત્રી પર વારંવાર બળાત્કાર કર્યો હોય , તેને દસ વર્ષથી ઓછી ન હોય પરંતુ આજીવન કેદ જેનો અર્થ તે વ્યક્તિના કુદરતી બાકી જીવન સુધીની કેદ અંગેની સખત કેદની શિક્ષા અને દંડ થશે.

  • સજા - :બળાત્કાર - સખત કેદની ૧૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગી સુધી અને દંડ , - પોલીસ અધિકારનો - બિન - જમીની - સેશન્સ કોર્ટ.
                                                   જૈમીન જોષી. 

Tuesday, October 13, 2020

ભક્ત રૈદાસ (Bhakt Raidash)


Raidash image

   આજથી લગભગ 500 થી 600  વર્ષ પહેલાં ઇ.સ. 1398 માં રૈદાસનો જન્મ થયા નો ઉલ્લેખ મળે છે. એક ચમાર કામ કરનાર કુટુંબમાં જન્મેલ બાળક જે બાળપણથી પ્રભુ ભજન અને ભક્તિમાં ગરક રહેતો. રૈદાસનો જન્મ કાશીમાં થયો હતો અને કાશીમાં સાધુ સંગત ન મળે તે તો અશક્ય છે, જેથી તેમણે સાધુ સંતોનો સંગ મળ્યો પરંતુ તે સમયે લોકો જ્ઞાતિવાદ જેવી પ્રથાઓથી પ્રભાવિત હતા પરિણામે રૈદાસ ચમાર કામ કરતો હોવાથી તેમને કોઈ શિષ્ય તરીકે સ્વીકૃત કરવા તૈયાર ન હતું જેથી તેમણે કોઈ ગુરુ મળતા ન હતી. તદુપરાંત ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઊચું માનવામાં આવતું હતું અને યોગ્ય ગુરુ મળે તો જીવન તરી જાય પરંતુ તે તેટલું સરળ ન હતું.

  તે સમયે ગુરુ રામાનંદ થઈ ગયા જે સંત કબિરનાં ગુરુ પણ હતાં તેમણે રૈદાસને શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. ઈતિહાસમાં સંત કબીરનું નામ ખૂબ ઊંચા સ્થાને છે. સંત કબીરના દોહા આજે પણ લોકો દ્વારાં કંઠસ્થ સાંભળવા માળતા હોય છે.  રૈદાસજી પોતાના ઘરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા પણ રાખતા હતા. જોડા સીવતાં સીવતાં, ચામડા પર યંકા લેતાં લેતાં તેઓ ભજન ગાતા ત્યારે તેમની આંખોમાંથી આંસુની ધાર વહી જતી. તે પ્રભુ ભક્તિમાં એટલા લીન રહેતા હતાં કે તેમણે આશપાશનું કોઈ ભાન ન રહેતું. તે સતત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં રહેતાં હતાં. રૈદાસજીનું નામ લોકોમાં વિષ્ણુ ભક્ત તરીકે પ્રચલિત થતું જતું હતું અને કાશીમાં તેમનાં નામનો ડંકો વાગવા લાગ્યો, ઈર્ષાવશ બ્રાહ્મણો તેમના બળવા લાગ્યા. તેમણે કાશીના રાજાને ફરિયાદ કરી કે અસ્પૃશ્ય ચમાર થઈને રૈદાસ ઘરમાં ભગવાનની મૂર્તિ રાખે છે ને એની પૂજા પ્રાર્થના કરે છે તે અનર્થ છે. રાજા જો આ અનર્થ નહિ અટકાવે તો એનું પાપ રાજાને લાગશે !

  રાજાએ રૈદાસને બોલાવી આજ્ઞા કરી કે તારું ઘર કંઈ મંદિર નથી, માટે તારા ઘરમાંથી ઈશ્વરની મૂર્તિ કાઢી નાખ અને બ્રાહ્મણોને આપી દે ! બ્રાહ્મણો એની પૂજા કરશે ! '

   રૈદાસે કહ્યું : મને એનો વાંધો નથી , બ્રાહ્મણો લઈ જાય એ મૂર્તિ ! આ મૂકી અહીં ! 'તેમ  કહી એણે ભગવાનની મૂર્તિ એક આસન પર મૂકી. પછી બ્રાહ્મણોને કહ્યું : આપ સૌ તો ભગવાનના વહાલા ભક્તો છો; ભગવાનને એક પુકાર કરશો તો તરત મૂર્તિ તમારી પાસે દોડી આવશે , ને તમારા ખોળામાં બિરાજશે ! માટે ભગવાનને પોકારવા માંડો.

  આ સાંભળી બ્રાહ્મણો એક બીજા સામે જોવા લાગ્યા પરંતુ પીછે હઠ કરે તેવું  પોસાય તેમ ન હતું માટે બ્રાહ્મણોએ વૈદઘોષ આરંભ્યો. ઉપરા ઉપરી મંત્રો બોલાવા માંડયા. એક થાકે એટલે બીજો બોલે , બીજો થાકે એટલે ત્રીજો ! આમ કેટલોય વખત ગયો , પણ મૂર્તિ ત્યાંની ત્યાં રહી. જરા પણ ખસી નહીં તે જોઈ રાજાએ કહ્યું : ' હવે રૈદાસનો વારો !

રૈદાસે કહ્યું : મને ક્યાં વેદમંત્ર આવડે છે ? ભક્તિમાંયે હું જાણું ? જેવું તેવું... 

 

 પ્રભુજી , ચંચલ હૈ મતિ મેરી , કૈસે ભગતિ કરું મેં તેરી ?
 તૂ મોહિં દેખૈ , હોં  તોહિ દેખું , પ્રીતિ પરસ્પર હોઈ ,
 તૂ મોહિં દેખૈ , તોહિં ન દેખું , યહ મતિ સબ બુધિ ખોઈ !
 મૈં તેં તોરિ મોરિ અસમઝિ સોં કેસે કરિ નિસ્તારા?
 કહ રૈદાસ કૃષ્ણ કરુણામય જૈ જૈ જગત - અધારા !
 જૈ જૈ જગત - અધારા ! જૈ જૈ જગત - અધારા !


છેલ્લા શબ્દો બોલાતાં તો મૂર્તિ દોડીને રૈદાસના ખોળામાં જઈ બેઠી! બ્રાહ્મણોનાં મોં પડી ગયાં. રાજાએ રૈદાસને માનપાન સાથે વિદાય કર્યા .
  તેમની એક દંતકથા બહુ પ્રખ્યાત છે. એક વખત ચિત્તોડની ઝાલી રાણીએ રૈદાસની કીર્તિ સાંભળી એમને તેમને ચિત્તોડ પધારવા નિમંત્રણ આપ્યું. રાણીના નિમંત્રણને માન આપી રૈદાસ પધાર્યા એટલે એમના સન્માનમાં રાણીએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યુંપરંતુ બ્રાહ્મણોને રૈદાસની સાથે બેસીને ભોજન કરવું મંજૂર નાં હતું. તેઓ અલગ બેઠા. ભોજન પિરસાયું અને જ્યાં બ્રાહ્મણો કોળિયો મોમાં મૂકે છે ત્યાં તેમણે જોયું તો બબ્બે બ્રાહ્મણની બરોબર વચ્ચે એક એક રૈદાસ બેઠેલો જોવાય ! હોહા..  કરી બ્રાહ્મણો ઊભા થઈ ગયા , પણ બીજી જ પળે તેમણે જોયું તો રૈદાસ ત્યાં હતા નહિ , બધા બ્રાહ્મણો જ હતા ! ફરી બ્રાહ્મણો જમવા આસન પર બેઠા કે ફરી તેમણે કોળિયો ભર્યો , ત્યાં જોયું તો ફરી બબ્બે બ્રાહ્મણોની વચમાં એક એક રૈદાસ દેખાયા ! હવે તેમને રૈદાસનો મહિમા સમજાયો. તેમને સમજાયું કે રૈદાસ કોઈ સામાન્ય ભકત નથી તેમનાં પર ઈશ્વરની પરમ કૃપા છે. ભક્ત રૈદાસની કેટલીય કૃતિઓ આજે પણ ગવાય છે, તેમાથી કેટલીક

 

ક્રિષ્ના, કરીમ, રામ, હરિ, રાઘવ, જબ લગ એક પેખા,
વેદ કતેબ, કુરાન, પુરાન, સહજ એક નહીં સો દેખા,
ચાર વેદના કરે ખંડોટી, જન રૈદાસ કરે દંડૌતી..!!

ખૂબ પ્રખ્યાત માં એક,

 પ્રભુજી  , તુમ ચંદન , હમ પાની ,
 જાકી અંગ અંગ બાસ સમાની !
 પ્રભુજી, તુમ દીપક, હમ બાતી,
 જાકી જોતિ બરૈ દિન રાતી !
 પ્રભુજી , તુમ સ્વામી , હમ દાસા ,
 ઐસી ભગતિ કરે રૈદાસા !

  તેમના જીવનની નાની ઘટનાઓ સમય અને વચનનું પાલન કરવા સંબંધિત તેના ગુણોને પ્રગટ કરે છે. એકવાર, કોઈ ઉત્સવ પ્રસંગે, પડોશના લોકો ગંગા-સ્નાન માટે જતા હતા. જ્યારે રૈદાસના એક શિષ્યે તેમને પણ ચાલવાની વિનંતી કરી, ત્યારે તેણે કહ્યું, મારે ગંગામાં સ્નાન કરવા જવું જોઈએ.? જ્યારે તન ગંગા સ્નાન કરવા જાય છે, મન અહીં રહે તો પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય ? અંત:કરણ દ્વારા મન જે કંઇ કરવા તૈયાર છે તે કરવાનું સલાહ આપવામાં આવે છે. જો મન બરાબર છે તો તે કહુતાના જળમાં જ ગંગાસ્નાનનો ગુણ પ્રાપ્ત કરી શકે છે.

  મીરાબાઈએ રૈદાસને પોતાના ગુરુ કર્યા હતા. એમનાં ઘણાં ભજનોમાં ગુરુ તરીકે રૈદાસનો ઉલ્લેખ જોવામાં આવે છે. જેમ કે

  મીરાં સદ્દગુરુ દેવકી કરે વંદના ખાસ ,
  ચિત્ત ચેતન આતમ કહ્યા ધન્ય ભગત રૈદાસ !

  તેમણે ઉચ્ચ કક્ષાની ભાવના અને ધર્મનિષ્ઠાના નામે થયેલા વિવાદને અવ્યવસ્થિત અને અર્થહીન ગણાવ્યો અને દરેકને પ્રેમાળ રીતે સાથે રહેવા માટે ઉપદેશ આપ્યો.

 તેઓ પોતે જ સુરીલા અને ભક્તિપૂર્ણ સ્તોત્રોની રચના કરી અને ઉત્સાહપૂર્વક તેમનો પાઠ કરતા. તેમનું માનવું હતું કે રામ, કૃષ્ણ, રહિમ, કરીમ , રાઘવ વગેરે બધાં એક જ ભગવાનનાં જુદાં નામ છે. વેદ, કુરાન, પુરાણો વગેરેમાં સમાન ભગવાનની પ્રશંસા કરવામાં આવી છે.તેમનું માનવું હતું કે ભગવાન પ્રત્યેની ભક્તિ, સદગુણનું પાલન, સદભાવના અને સારા વર્તન જરૂરી છે. તેમણે બીજા સાથે ગૌરવ ભર્યો વર્તાવ તથા નમ્રતા અને સૌજન્યના ગુણો વિકસાવવા પર ખૂબ ભાર મૂક્યો. ભક્ત કહો કે સંત રૈદાજીસે ૧૦૫ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવ્યું હતું.

 

                                                                                                                          જૈમીન જોષી.

                                         

Thursday, October 8, 2020

બળાત્કાર શા માટે..? (Why rape ..?)

 

  • કોઈ પણ ગુનેહગારની પાછળ પ્રેરણાદાઈ તરીકે કોઈ ચહેરો ચોક્કસ હોય છે, પછી તે ભલે આડકતરી રીતે કેમ ન હોય. 



  ભારતવર્ષમાં 2018 માં દર 15 મિનિટમાં એક બળાત્કારની ઘટના નોંધાઈ છે અને 2019 માં દર 16 મિનિટએ એક વ્યક્તિ બળાત્કારનો ભોગ બને છે. બળાત્કારનો ભોગ બનનારની ઉંમરનો ચોક્કસ ઉલ્લેખ એટલા માટે નથી કરી શકાતો કારણ કે તેના માટે યોગ્ય શબ્દ શું વાપરી શકાય તે કોઈના સમજણમાં નથી આવતું. કોર્ટ માટે તે એક પીડિતા, વકીલ માટે ક્લાયન્ટ, સરકાર માટે જનતા, નેતા માટે મુદ્દો, પોલિસ માટે ફાઈલો, અધિકારીઓ માટે બોજો, સમાજ માટે બેઆબરૂ સ્ત્રી અને પરિવાર માટે લાંછન. કોર્ટને તેમાં કામ જોવાય છે,તો વકીલને પૈસા કમાવવાનો સ્ત્રોત. સરકાર માટે આંકડો તો નેતાઓને વોટબૅંક, પોલિસ માટે ફાઈલોનું વધતું નામ તો અધિકારીઓને પોતાના જીલ્લામાં થયેલ દુષ્કર્મનો બોજ. સમાજને ઉદાહરણ સ્થાપવા વ્યક્તિ અને પરિવારને તેમાં જન્મ આપવા માટે થયેલ પસ્તાવો, જે જીવનભર મને કમને જીવનનો એક ભાગ તરીકે સ્વીકૃત કરવાનો છે. કોણ હોય છે આ પીડિતા ..? ક્યાંથી આવે છે આવા લોકો..? લાંછન તરીકે જોવાતી આ સ્ત્રીઓને જન્મ કોણ આપે છે..? તેના માટે જવાબદાર કોણ હોય છે..?

  કેવી રીતે ઓળખીએ તેમને ?  5,6 વર્ષની આંગણમાં રમવાની માંડ છૂટ મળી હોય તેવી બાળકી કે તરુણાવસ્થામાં માંડ પ્રવેશેલ દીકરી. હજૂતો માંડ નવી મળેલ સ્કૂટીનો હૈયામાં હરખ પણ ન સમાયો હોય તેવી વિધાર્થીની કે હજૂતો હાથની મેહંદી પણ ન ઉતરી હોય તેવી પરિણીતા. પ્રથમ પ્રેમના બે પળ વિષે પણ જેને સહજ જ્ઞાન ના હોય તેવી છોકરી કે માંડ ઘરસંસાર ચલાવતા શીખી હોય તેવી સ્ત્રી. કોઈના પ્રેમમાં પત્ની બનવાનું સપનું જોતી પ્રેમિકા કે રસોડામાં પરિવારને ગમતું ભોજન બનાવતી વહુ. બે સંતાનનો ઉછેર કરતી માતા કે પરિવારના પોષણ માટે સંઘર્ષ કરતી યુવતી. શું કહીશું આ નારી જાતને..?

  ભીડમાં ચાલતા માણસને પોતાનામાં રહેલ પશુને સંતાડીને રાખવું પડે છે, પરંતુ જ્યારે જ્યારે તેને  બહાર નિકલવાનો અવસર મળે ત્યારે તે ભૂખ્યા કુતરાઓની જેમ મોઢું ફાડીને સુફેડો નાખે છે. કોઈ પણ બળાત્કાર માટે હલકી માનસિકતા કે વિકૃતિઓ જવાબદાર છે. તેને સમજવા મનોવિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે અને સમાજ દ્વારા કરાયેલ કાર્યો કે વારસામાં મળેલ સંસ્કાર કે આસપાસનું વાતાવરણ. બળાત્કારીત વ્યક્તિ ચોક્કસ ગુનેહગાર જ હોય અને દરેક ગુનેહગારની જેમ તેની પણ કહાની હોય. આવી હલકી માનશીકતા ઉત્પન થવાના સ્રોત વિષે થોડીક માહિતી મેળવીએ.

  • બળાત્કાર થવાના કારણો:(Causes of Rape)

 1)બાળપણનું વાતાવરણ: બાળકના જન્મ પછી તેનો કરેલ ઉછેર વધુ જવાબદાર હોય છે તેની પ્રગતિ અને દુર્ગતિ માટે. 20 થી 25 ટકા બાળકો  ચાઇલ્ડ અબ્યુસના શિકાર થતાં  હોય છે. જે મોટા થઈને બીજા લોકોને મોલેસ્ટ કરવાની શરૂઆત કરી દેતા હોય છે, તદુપરાંત જે બાળકને  ઇમોશનલી સપોર્ટ કરવા વાળું કોઈ ન હોય તથા પોતાની ફેમિલીમા થતાં વાઇલન્સને જોઈને તે પણ વાઈલન્ટ બની જતાં હોય છે જે તેમણે રેપિસ્ટ બનાવી શકે છે.

2)જાતીય સંતોષ: આ પ્રકારના વ્યક્તિઓને પોતાની કામેચ્છા ઉપર નિયંત્રણ નથી હોતું. કોઈ પણ સુંદર યુવતીને જોતાની સાથે તેઓ પોતાની ઇન્દ્રિયો ઉપરથી કાબૂ ગુમાવી બેસે છે અને પોતાના આવા આવેગોને સંતોષવા તે બળાત્કાર કરે છે.

3) સંસ્કૃતિ : કેટલીક સંસ્કૃતિ એવી હોય છે જે મહિલાઓનું સન્માન કરવાના પક્ષમાં નથી હોતી તથા તેમની રહેણી કહેણી અને સ્વતંત્ર વિચારું વાળું જીવન જીવવા પર પ્રતિબંધ લાદે છે. આવા મુદ્દાઓમાં મહિલાઓએ કેવા કપડાં પહેરવા, ક્યાં જવું ના જવું, ઘરની બહાર જવુ કે નહીં તથા અભ્યાસ કરવો કે નહીં, કોઈ ચોક્કસ પ્રકારનું વર્તન કરવું અને પોશાક પહેરવો જેવી મર્યાદાઓ લાદી દેવામાં આવે છે અને જો તે પ્રકારે તેમનું વર્તનના હોય તો સજા કરવામાં આવે છે જેમાં બળાત્કાર પણ છે. અમુક જગ્યા એવી પણ છે જ્યાં મહિલાઓને સજા આપવા સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે. 2013માં નિર્ભયા હત્યા અને બળાત્કારના એક આરોપી એ કહ્યું હતુ કે તે સારા ઘરની છોકરી હોત તો મોડી રાત્રે કોઈ છોકરા સાથે બહારના ફરતી હોત. તેનું આવું વલણ જોઈને અમને ગુસ્સો આવ્યો અને અમને જે કર્યું તેનો કોઈ અફસોસ નથી.

4) ડ્રગ્સ અને આલ્કોહોલ : વધારે પડતાં મદાર્ક દ્રવ્યોનું સેવન કરવાથી વ્યક્તિ ભાન ભુલાવી બેસે છે અને પોતાના આવેગોને શાંત કરવા બળાત્કાર કરે છે. આમાં માત્ર જાતીય આવેગ એકલો નથી હોતો પરંતુ રોજબરોજના કંટાળા ભરેલા જીવનના ગુસ્સાઓ, ચિંતાન, ધૃણા વગેરે પણ જવાબદાર હોય છે. છોકરીઓ જ્યારે મદાર્ક તથા આવા કોઈ ડ્રગ્સનું સેવન કરે છે ત્યારે તેમનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને તેમના પર બળાત્કાર કરવામાં આવે છે. આવા કિસ્સામાં છોકરીને બળાત્કારનો ભોગ બન્યાનો એહસાસ મોડો થાય છે અને ઘણી વખત વ્યક્તિનો ચહેરો પણ યાદ નથી હોતો. દેશમાં ડ્રગ્સ લેવો કાયદાકીય રીતે ગુનો હોવાથી પીડિતા કોઈ કાર્યવાહી કરતી નથી અને પરિણામે આવા કેટલાયે કિસ્સાઓ બેહોશીમાં ઘટિત થતાં હોય છે જેના આંકડા બહાર આવતા નથી.આમાં માત્ર બળાત્કાર એકલું નથી પણ હિંસા પણ અને એક અલગ પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે. કેટલાક પતિઓ તો પોતાની પત્ની સાથે જ આવું વર્તન કરે છે જે ચોક્કસ પ્રકારે અયોગ્ય છે પરંતુ સ્ત્રીઓ અંદરો અંદર સહન કરતી હોય છે.

5)ગુસ્સો : આવા કિસ્સામાં કોઈ વ્યક્તિને કોઈ મુદ્દે પીડિતા સાથે થયેલ ઝગડો કે મતભેદ જવાબદાર હોય છે. જેમાં તેની સાથે બદલો લેવાની ભાવના અને સેલ્ફ ઇગોના સેટિસફેક્સન માટે બળાત્કાર કરવામાં આવે છે અને તેની હત્યા પણ કરવામાં આવે છે.આવા લોકો ઝનૂની અને અત્યંત ગુસ્સાથી ભરેલા અને આક્રમક હોય છે.

6)ગરીબાઈ : આવા કિસ્સાઓમાં મહિલા તથા પુરુષો કઠિન પરિસ્થિઓનો સામનો કરતાં હોય છે. જેમાં બંને ગરીબી રેખા હેઠળ જીવતા હોવાથી એક બીજા કરતાં વધુ પૈસા કમાવામાં અને બીજાને નીચું દેખાડવાનાં ઈરાદાઓમા ગુસ્સો ઉત્પન થાય છે અને બળાત્કાર થાય છે.

7) કૌટુંબિક ગૌરવ : કેટલાક પરિવાર મહિલાઓ પર હાવી થવા અને આક્રમક વલણ ધરાવનારને ગૌરવ માને છે.જેમા ઝગડા, હત્યા, ચોરી, મર્ડર કરનારને પુરુષત્વ માને છે અને તેને પરિવાર સમાજ અને કુટુંબનું ગૌરવ માને છે.કેટલાક સમાજમાં તો જો કોઈ પુરુષ આવા કોઈ ગુનામાં સંડોવાયો ના હોય અથવા જેલમાં ન ગયો કોઈ તો તેવા પુરુષને કોઈ પોતાની દીકરી પણ નથી પરણાવતું, જે એક પ્રકારનું અજ્ઞાન જ છે.  પહેલાના જમાનમાં રાજાઓ પોતાના બળથી સ્ત્રીઓનું હરણ કરતાં અને રાણીઓ બનાવતા તથા સ્ત્રીઓ પણ વધુ બળશાળી પુરુષ સાથે લગ્ન કરવાનું ગૌરવ અનુભવતી.

8)યુદ્ધ : ઘણા સમય પહેલા ડાકુઓ ગામને લૂટવા આવતા અને સ્ત્રીઓનુ બળજબરી પૂર્વક હરણ કરતાં. એક રાજા જો યુદ્ધમાં અન્ય રાજાને હરાવે તો તેમના પ્રદેશની મિલકતને લૂટી લેતા અને તેમની સ્ત્રીઓનો બળાત્કાર કરતાં. જ્યારે બે દેશ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે સૈનિક જેતે જગ્યાની યુવતીઓનો બળાત્કાર કરે છે જેથી તેમનો ડર બની રહે. કાશ્મીરમાં આવાં કિસ્સાઓ ખૂબ જોવા મળ્યા હતા જ્યાં કાશ્મીરી પંડિતો અને તેમની મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવતા હતા અને તે લગભગ નિત્યક્રમ બની ગયો હતો.

9)શરણાર્થી : યુદ્ધ વખતે અથવા કપરી પરિસ્થિતિમાં લોકો સ્થળાંતર કરે છે. અન્ય શહેર કે દેશ જતાં હોય છે. તેવા કપરા સમયે કાયદો લગભગ મૃત્યુ પામ્યો હોય છે અને તે સમયે જેતે શહેર કે દેશના લોકો બહારથી આવેલા અને વસવાટ કરતાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી બળાત્કાર કરતાં હોય છે.

10)લૈંગિક ઉધ્યોગ :  આજના સમયમાં ઇન્ટરનેટના વધતાં જતાં ઉપયોગમાં વિવિધ વેબ સાઈડ દ્વારા દેહ વ્યાપાર કરતી મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવે છે. અલગ અલગ વિકૃતિઓ ધરાવતી અશ્લીલ વિડિયો બનાવી તેનો વ્યાપાર કરવામાં આવે છે. સમાજમાં સ્વીકૃત નથી તેવા અને જે સમ્માનીય  સબંધો છે તેને પણ ખૂબ ખરાબ રીતે બતાવવામાં આવે છે, પરિણામે વ્યક્તિની અંદર હલકી માનસિકતા અને વિકૃતિઓ ઉત્પન થાય છે. કામ સૂત્રમા પણ ઉલ્લેખના હોય તેવા ચિત્ર વિચિત્ર આસનોનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સમાજને દૂષિત કરે છે, પરિણામે વ્યક્તિ આવાં પ્રયોગો કરવા માટે પ્રેરાય છે અને બળાત્કાર જેવા ગુનાઓ થાય છે.

11) નબળી પરિસ્થિતિઓ  : માનવને પોતાનું ગુજરાન ચલાવવા માટે કેટકેટલા સંઘર્ષો કરવા પડતાં હોય છે. શેહરોના શહેરો બદલવા પડતાં હોય છે તેવી પરિસ્થિતિમાં વ્યક્તિની જરૂરિયાતોનો સોદો કરવામાં આવે છે અને તેનો લાભ લઈ બળાત્કાર કરવામાં આવે છે.

11) માનસિક અસ્વસ્થતા : કેટલાક કિસ્સામાં માણસ માનસિક રીતે અસ્વસ્થ હોય છે અને તે પોતાના વૈચારિક આવેગોને કાબુમાં રાખી શકતો નથી, અલબત્ત માનસિક બીમારી ઉત્પન થવાના ઘણા કારણો છે અને તેનું આખું એક અલગ વિજ્ઞાન છે અને તેમાંથી અમુક કારણ તો ઉપર જણાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે વ્યક્તિ જોવામાં સ્વથ્ય હોય છે, પરંતુ તે સમય આવે આ પ્રકારના કૃત્યો કરતાં ખચકાતો નથી.  

12) ધાર્મિક અજ્ઞાનતા : ક્યારેક જીવનની કપરી પરિસ્થિતિથી થાકી હારીને વ્યક્તિ કાળા જાદુ, મંત્ર તંત્ર, વશીકરણ જેવી ક્રિયાઓનો સહારો લેતાં છે. આવા સમય એ ધર્મ અને દેહશુદ્ધિનાં નામ પર શારીરિક સંબંધ બાંધવામાં આવતો હોય છે. શરમની વાત તો તે હોય છે કે આવું અયોગ્ય અને અવૈચારિક પગલું ભરનાર પોતે એક શિક્ષિત વ્યક્તિ હોય છે. આમ સામે વાળાને ખબર પણ નથી હોતી અને તે બળાત્કારનો ભોગ બની જતાં હોય છે. 

  તેવું માની લેવું ભૂલ ભરેલું છે કે બળાત્કાર માત્ર સ્ત્રીઓ પર જ થાય છે. મહિલાઓ દ્વારાં પણ પુરુષો પર થયેલા બળાત્કારના કિસ્સાઓ અને કેસો નોંધાયા છે. પ્રેમક્રીડા એ એક આવેગ છે જે પુરુષ તથા સ્ત્રીઓમાં ભેદ કરતો નથી. હવે તો સમલૈંગિક સબંધોનું પ્રમાણ પણ વધી ગયું છે માટે તેના અલગ કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે. ઘણી વખત પુરુષ દ્વારાં પુરુષ પર અને સ્ત્રીઓ દ્વારાં સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવતા હોય છે.તેના માટે પણ ઉપરના કારણ જ જવાબદાર હોય છે. કહેવાય છેને કે પ્રેમ આંધળો હોય છે, અને હવે તો તે જાતિ પણ જોતો નથી. ભલે ગમે તે હોય પણ બદલાતા સમયમાં હજુ કેટકેટલી વિકૃતિઓ જોવાની બાકી  છે તે તો સમય જ બતાવશે.   

  વ્યક્તિ કામુખતાનું દમન કરવાના પ્રયત્નો કરે છે અને કેટલાક સુધી તે સફળ પણ થયો છે, પરંતુ વ્યક્તિ તે ભૂલે છે કે કોઈ પણ પ્રકારની ઉર્જાનો નાશ થતો નથી.કામુખતાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે જાતીય જીવન માટે આશીર્વાદ રૂપ છે. ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા અને માનવોએ લગ્ન વ્યવસ્થા. ઈશ્વર ક્યારેય કોઈને બંધનમાં રાખતા નથી તેમને હમેશાં  સ્વતંત્રતાનું  જ યોગદાન કર્યું છે. માનવ શરીરની રચના જ સ્વતંત્રતાને વરેલી છે જે ભાગ્યે જ કોઈને એહસાસ હોય છે, પરંતુ માનવે પોતાની અલગ વ્યવસ્થા ઊભી કરે અને સબંધોનું નિર્માણ કર્યું. સંબંધો અધિકાર ધરાવે છે અને અધિકાર બંધનનું નિર્માણ કરતું હોય છે. પરિણામે વ્યક્તિ સતત જીવનથી નાખુશ રહેતો હોય છે અને ઘણીવાર અયોગ્ય કૃત્યો કરતો હોય છે, અલબત્ત આ જ માત્ર ચોક્કસ પણે એક જ કારણ નથી.

  બળાત્કારની ઘટના સ્ત્રીઓના મન ઉપર ખુબ જ માઠી અસર  પહોંચાડે અને સમાજ પણ તેના ઉપર અન્ય સવાલો ઊભા કરી વારંવાર તેનો બળાત્કાર કરતી હોય છે. સવાલ ફરી તેજ છે કે કોણ છે આ બધા ક્યાંથી આવ્યા..? અને જવાબ માત્ર એક જ છે.. ચહેરાઑ તરફ નજર કરશો તો ગણા જોવાશે અને પીડા તરફ નજર કરશો તો એક જ જોવાશે. દરેક પીડિતાની ઉંમર, નાત, જાત, જ્ઞાનતી, વર્ણ, સંપ્રદાય, વિસ્તાર બધુ અલગ હશે પણ સામ્યતા એક જ કે તે દરેકની પીડાઓ સરખી હશે.                                            

 

                                                                                  જૈમીન જોષી.           


Sunday, October 4, 2020

ભારત અને બળાત્કાર(India and Rape)

 

જ્યાં સ્ત્રીનું શિયળ(ઇજ્જત) જોખમમાં હોય ત્યાં ચોક્કસ પુરુષત્વ અપ્રાગટ્ય હોય તેમ સમજવું: 


rape image wekimedia


   2013 નિર્ભયા બળાત્કાર અને હત્યાકાંડનો ગુસ્સો હજુ સમ્યો નથી ત્યારે હાથરસ ગેંગરેપનો ચોંકાવનારો કિસ્સો આવી ગયો.એવું નથી કે 2013 પછી બળાત્કારના કિસ્સાઓ બંધ થઈ ગયા છે કે તેનો રેસીઓ ઘટી ગયો છે. 14 સપ્ટેમ્બર 2020 ના રોજ 19 વર્ષની દીકરી ઉપર ચારથી પાંચ લોકોએ બળાત્કાર કર્યો. તેના શરીરમાં કેટલાય ફ્રેક્ચર થયા,તેની જીભ કાપી નાખવામાં આવીકમર અને પગના હાડકા ઉપર ઈજા પહોચાડવામાં આવી. આ ગુનાની FIR 22 સપ્ટેમ્બર સુધી નોંધવામાં આવી હતી, પરંતુ  જ્યારે છોકરીએ મેજિસ્ટ્રેટની સામે ગેંગરેપ થયાનું બયાન આપ્યું ત્યારે તેનો ગુનો નોંધી પોલીસે ગુનેગારોને ઝડપી લીધાં. આ ગુનામાં યુપી સરકાર, પોલીસ તંત્રની નિષ્કાળજીમિલાવટ અને જાતિવાદ જેવા મુદ્દાઓને લઈને કેસે મોટી આગ પકડી છે.સરકાર અને પોલીસ તંત્રએ ગુંડાગીરી અપનાવી લીધી છે અને તંત્ર કાયદાની વિરુધ્ધમાં જઇને કાર્ય કરી રહ્યું છે તેવી વાતો પણ સામે આવી રહી છે.

 બળાત્કારના ગુના વાળા કિસ્સાઓ અવારનવાર આવતા જ રહે છે, જેમ કે જયંતિ ભાનુશાલી કેસ અને તેની વિડીયો.થોડા સમય પેહલા એક અપાર્ટમેન્ટમાં 11 વર્ષની બાળકી સાથે 18 લોકોએ સાત મહિના સુધી બળાત્કાર કર્યો હતો, કાલોલની પરિણીત મહિલા સાથે ચાર લોકોએ સામૂહિક બળાત્કાર કરીને અને નગ્ન ફોટા પાડ્યા હતા, બી.જે મેડિકલ કોલેજના ભણતી વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાવા આવ્યો હતો. સુરતની શાળામાં શિક્ષકે વોશરૂમમાં વિધાર્થિની સાથે બળાત્કાર કરી તેનો  વિડીયો બનાવામાં આવ્યો, ગીર સોમનાથમાં છોકરીને પ્રેમજાળમાં ફસાવી ચાર લોકો દ્વારાં બળાત્કાર થયો. તાંત્રિક દ્વારા કાળી વિધ્યાના ડરના માધ્યમથી સાત વર્ષ સુધી માતા પુત્રી ઉપર ગુજારેલા બળાત્કારની હેડલાઇન હજી તાજી જ મગજમાં ફરે છે.કંઠૂઆ  ગેંગરેપ અને હત્યા, મિત્ર પર બળાત્કારનો આરોપ લગાવવાથી શ્રીલંકન ઓપનર દનુસ્કાને તો સસ્પેન્ડ  કરાયા હતા. વલસાડમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર હોય કે હૈદરાબાદ રેપ કેસ. બોટાદ સગીરાનો રેપ કેસ કે પાટણમાં પુત્ર દ્વારાં માતા પર ગુજારેલ બળાત્કાર, રાજકોટમાં તરુણી પર પ્રેમી દ્વારા રેપ... આવા તો કેટકેટલાએ કેસો સામે આવ્યા છે અને હજુ આવી રહ્યા છે.પરંતુ આટલી જાગૃતિ છતાં પરિસ્તીતિમાં કોઈ પરીવર્તન જોવા મળતું નથી.

 હાલમાં બનેલ કિસ્સામાં સપ્ટેમ્બર 19 ના રોજ પાયલ ઘોસ નામક અભિનેત્રીએ ટ્વીટ કર્યું હતું: શ્રી કશ્યપે મારી જાતને ખૂબ જ ખરાબ રીતે દબાણ કર્યું છે.  નરેન્દ્ર મોદીજી માયાળુ રૂપે પગલાં લે અને દેશને આ સર્જનાત્મક વ્યક્તિની પાછળનો રાક્ષસ જોવા દે.  હું જાણું છું કે તે મને નુકસાન પહોંચાડી શકે છે અને મારી સુરક્ષા જોખમમાં છે.  પ્લીઝ  મદદ...!

  21 સપ્ટેમ્બરના રોજ શ્રી કશ્યપની વકીલ પ્રિયંકા ખીમાનીએ એક ટ્વિટર નિવેદનમાં, ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, “મારા અસીલ, અનુરાગ કશ્યપને જાતીય દુષ્કર્મના ખોટા આક્ષેપોથી ખૂબ દુખ થયું છે, જે હાલમાં જ તેમની વિરુદ્ધ સામે આવ્યું છે.  આ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા, દૂષિત અને બેઇમાની છે.  તે દુખદ છે કે # ME TOO આંદોલન જેટલું મહત્વનું એક સામાજિક ચળવળ  હિતો દ્વારા સહકાર આપવામાં આવ્યું છે અને પાત્ર હત્યાના સાધન સુધી ઘટાડવામાં આવ્યું છે.  આ પ્રકૃતિના કાલ્પનિક આક્ષેપો ચળવળને ગંભીરપણે નબળા પાડે છે અને જાતીય સતામણી અને દુર્વ્યવહારના અસલી પીડિત લોકોની પીડા અને આઘાત પર નિશંકપણે વેપાર કરવાનો પ્રયાસ કરે છે.  મારા ક્લાયંટને કાયદામાં તેના હક અને ઉપાયો વિશે સંપૂર્ણ સલાહ આપવામાં આવી છે અને સંપૂર્ણ હદ સુધી તેનો પીછો કરવાનો ઇરાદો છે.

  બોલીવુડમાં ઘણા સમય પહેલા બળાત્કાર અને સેક્સ્યુયલ હરેશમેંટના કેટલાએ કિસ્સાઓ #ME TOO મૂવમેન્ટ ચાલાવામાં આવી હતી. જેમાં  કેટકેટલી અભિનેત્રીઓ એ પોતાના ઉપર થયેલ સેક્સુઅલ હરેશમેંટ  વિષે ખૂલીને વાત કરીને વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો. મહિલાઓ સાથે થતાં અત્યાચાર વિષે હવે કોઈ જાહેરમાં સમજાવટ હોતી નથી કારણ કે   દરેક વ્યક્તિ તેના વિષે જાણતો હોય છે,તેનો ભાગ હોય છે તથા આંખ આડા કાન કરનાર હોય છે. છતાં કેટલાક  કિસ્સાઓ એવા સામે આવી જાય છે કે જે માનવ વિકૃતિઓને ઉગાડી પાડી નાખે છે.

  નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના 2018 ના વાર્ષિક અહેવાલ મુજબ, દેશભરમાં બળાત્કારના 33,356 કેસિસ છે, જેમાં દૈનિક સરેરાશ 91 બળાત્કારો નોંધાયા છે. જેમાથી 31,320 પીડિતને ઓળખાયેલા ગુનેગારો દ્વારાં કરવામાં આવ્યા છે. વર્ષ 2015 માં 24,651 , વર્ષ 2016માં 38,947 , વર્ષ 2017 માં 32,559 છે. 2019માં રોજના સરેરાશ 87 રેપ થાય છે.મદ્રાશ હાઈકોર્ટેના કહેવા પ્રામાણે દર 15 મિનિટમાં એક રેપ થાય છે. હાલમાં NCRB નાં આકડાં દર્શાવે છે કે દેશભરમાં ખૂન સાથે બળાત્કારના 278 કેસમાથી મહારાસ્ટ્રમાં સૌથી વધુ 47 નોંધાયા છે,જેમાં બે કેસ મૂંબઈમાં નોંધાયા છે. એમ.પી માં 37 અને યુ.પી. માં 34 છે.આતો માત્ર એ આંકડાઓ છે જેના કેસ નોધાયાં છે પરંતુ હકીકત તો કઈક અલગ જ હોય છે જે આ આકડાંઓથી 10 કે 50 ગણી વધુ હોય શકે છે.  

 અલગ અલગ દેશમાં બળાત્કારની સજા(Punishment of rape in different countries):

My_Trusty_Gavel



1)  ભારત: આજીવન કેદને મૃત્યુદંડની સજા

 એપ્રિલ 2013 નાં એન્ટી રેપ બિલ પછી, ગુનેગારોને આજીવન કેદ (જે ખરેખર 14 વર્ષ છે), આખા જીવન માટે કેદ અને દુર્લભ કેસોના ભાગ્યે જ મૃત્યુદંડની સજા પણ છે.  આ સુધારણામાં બળાત્કારની જેમ અન્ય ઘણા પ્રકારના જાતીય હુમલાનો સમાવેશ કરવા માટે વિસ્તૃત કરવામાં આવ્યું છે.

2)  અફઘાનિસ્તાન: માથામાં ગોળી અથવા ફાંસીને મોતને ઘાટ ઉતારી

 અહીં દોષી ઠરેલા બળાત્કાર કરનારાઓને 4 દિવસની અંદર માથામાં ગોળી મારવામાં આવે છે અથવા અદાલતે સોંપેલા ચૂકાદાના આધારે ફાંસીની સજા આપવામાં આવે છે.. 

 3)  ઇઝરાઇલ: જીવન માટે 16 વર્ષ

 જો કોઈને મહિલા પર બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવે છે, તો તેને 16 વર્ષની જેલની સજા ફરજિયાત છે.  તેમની બળાત્કારની વ્યાખ્યા તદ્દન સમાવિષ્ટ છે અને જાતીય હુમલાના અન્ય પ્રકારોને ધ્યાનમાં લે છે.

4) યુએસએ: આજીવન માટે જેલ

 અહીં દોષિત બળાત્કારી માટે સામાન્ય સજા એ સુનાવણી રાજ્ય અથવા સંઘીય કાયદા હેઠળ આવે છે કે કેમ તેના પર નિર્ભર છે.  સંઘીય કાયદા હેઠળના કેસોમાં, બળાત્કાર કરનારના જીવનકાળની સંપૂર્ણતા માટે સજા થોડા વર્ષોથી કેદ સુધીની હોઈ શકે છે.

5) નોર્વે: 4 થી 15 વર્ષ

 તેઓ બળાત્કાર સંદર્ભે સૌથી કડક સ્થળો છે.  સંમતિ વિના કોઈપણ પ્રકારનું જાતીય વર્તન અહીં બળાત્કારની કેટેગરીમાં આવે છે, અને ગુનો કેટલો ભયંકર હતો તેના આધારે ગુનેગારને 4-15 વર્ષની મુદત માટે જેલમાં ધકેલી શકાય છે.  તેમની પાસે આવી સરસ જેલ છે.

6) રશિયા: 3 થી 20 વર્ષ

 રશિયામાં બળાત્કારીઓને સામાન્ય રીતે 3-6 વર્ષની જેલની સજા કરવામાં આવે છે.  જેલની અવધિ પરિસ્થિતિને આધારે 10 વર્ષથી વધુનો સમયગાળો થઈ શકે છે, જેમ કે જો વ્યક્તિને કોઈ નુકસાન થાય છે અને જો તે ભાગ્યે જ કેસ હોય તો તે વધારે (20 વર્ષ) પણ હોઈ શકે છે.

7) ચાઇના: મૃત્યુ સજા અથવા મતદાન

 ચાઇનામાં બળાત્કારની સજા એ મૃત્યુ છે, જે કેટલાક તેમની ઝડપીતા માટે પ્રશંસા કરી શકે છે.  જો કે, યોગ્ય અજમાયશ વિના ફાંસીની જેમ જ ક્રૂરતા છે.  તેમની નિરંકુશ નેતૃત્વનો પુરાવો એ હકીકત બતાવે છે કે ફાંસી અપાયેલા કેટલાક દોષિત બળાત્કારીઓને બાદમાં નિર્દોષ જણાયા હતા.  કેટલાક કિસ્સાઓમાં કાસ્ટરેશનનો ઉપયોગ પણ થાય છે.

8)  ઉત્તર કોરિયા: ફાયરિંગ ટુકડી દ્વારા મોત

 આ સરમુખત્યારશાહી ફાયરિંગ ટુકડી દ્વારા બળાત્કારીઓને મોતની સજા આપે છે.  તેમની ન્યાયની લાઇનો અસ્પષ્ટ છે કે આપણે જાણીએ છીએ તે બધા માટે, તેઓ અસંતુષ્ટને ચલાવવા માટે આનો ઉપયોગ કવર તરીકે કરે છે.

9)  ઇજિપ્ત: ફાંસી દ્વારા મૃત્યુ

 ઇજિપ્ત પણ તે સ્થાનોમાંથી એક છે જે હજી પણ ફાંસી દ્વારા મૃત્યુના સહેજ જૂના મોડને અનુસરે છે.  જોકે બળાત્કારીઓના કિસ્સામાં, મને લાગે છે કે તે બરાબર છે.

10) ફ્રાન્સ: જીવન માટે 15 વર્ષ

 ફ્રેન્ચ લોકો તેમના બળાત્કારના કાયદા અંગે ખૂબ કડક છે.  બળાત્કાર બદલ તેઓએ 15 વર્ષની સજા સંભળાવી છે, જે નુકસાન અને નિર્દયતાની હદના આધારે 30 અથવા જીવન સુધી વધારી શકાય છે.. 

11)  સાઉદી અરેબિયા: દિવસની અંદર શિરચ્છેદ

 સાઉદી અરેબિયામાં બળાત્કારની સજા એ બળાત્કારીને શામક દવા આપીને જાહેર શિરચ્છેદ કરે છે.  તેઓ માદક દ્રવ્યોની હેરફેર માટેની સમાન સજાને પણ નબળા પાડે છે તે હકીકત એ સાબિત કરે છે કે તેમની સિસ્ટમમાં કંઇક ખોટું કંઇક ગર્ભિત છે.

12) ઈરાન: ફાંસીને મોતને ઘાટ ઉતારી

 ઈરાનમાં બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા આપવામાં આવે છે, કેટલીક વાર ફાંસી દ્વારા લગાવી દેવામાં આવે છે પરંતુ કેટલીક વખત કથિત રૂપે પથ્થરમારો પણ કરવામાં આવે છે, જે એક ભયાનક પદ્ધતિ છે.  દુર્ભાગ્યે, પર્યાપ્ત, અહીંની સંસ્કૃતિ પણ બળાત્કાર ગુજારનાર વ્યક્તિનો ભોગ બને છે.


Rape in India


  બળાત્કાર એ એક સૌથી અપમાનજનક ગુના તરીકે માનવામાં આવે છે જે માણસ કરી શકે છે.  બળાત્કારનો ભોગ બનેલા લોકોની ઘણી વાર સમાજમાં નિંદા કરવામાં આવે છે અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે.  સમાજ ગુનેગારના જીવનને જીવંત નર્કમાં ફેરવે છે.

   તેની અસર ભયાનક છે કારણ કે તે પીડિત પર અલોકિત શારીરિક, ભાવનાત્મક અને માનસિક ઘાવ લાવે છે.  પરંતુ ગુનેગારનું શુંપીડિતની આત્માને વેરવિખેર કરનાર શેતાનનું શું કરવું જોઈએ?

  વિશ્વના વિવિધ સરકારો જાતીય અત્યાચાર સામે સખત કાયદાઓ લઈને તેમના દેશને તેમના નાગરિકો માટે સુરક્ષિત સ્થાન બનાવવા માટે આવ્યા છે.તેઓએ ખાતરી કરી કે જેણે આ ઘોર ગુનામાં વ્યસ્ત રહે છે તે મુક્ત ભટકતો નથી.  કેટલીક સજાઓ એટલી નિર્દય હોય છે કે તે તમને ગુનેગારો માટે પણ દયા અનુભવી શકે છે.


                                                                                                            જૈમીન જોષી. 

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...