Thursday, November 26, 2020
આધુનિક સામ્યતાવાદના પિતા કાર્લ માર્ક્સ (Karl Marx, the father of modern communism)
Sunday, November 22, 2020
ગુજરાતી મહિના અને કેલેન્ડર (Gujarati months and calendars)
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને ભારતીય કેલેન્ડરમાં પથદર્શક અને મૂળ કેન્દ્ર સ્થાને છે:-
ગુજરાતી ચંદ્ર મહિના:-
- કારતક
- માગશર
- પોષ
- મહા
- ફાગણ
- ચૈત્ર
- વૈશાખ
- જેઠ
- અષાઢ
- શ્રાવણ
- ભાદરવો
- આસો
Thursday, November 19, 2020
પુરુષાર્થ વિહીન ધન (Wealth without manhood)
![]() |
pic by google.com |
Thursday, November 12, 2020
માનવ જીવન અને મૂલ્યો (Human life and values)
- મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: -
![]() |
Thursday, November 5, 2020
સત્ય અને સામાજિક શિક્ષણ (Truth and social education)
- જ્ઞાન પિપાસાને સંતોષવા શિક્ષણની સાથે સત્ય અને નીતિમત્તાનો પણ સ્વીકાર થવો જોઈએ....
જીવનની સમસ્યાઓ સામે આવીને ઉભી ત્યારે વ્યક્તિએ ગહન ઉદાસીનતાનો ચહેરો જોયો. કઈ તૂટયા, છુટ્યા, ગુમાવ્યા કે તરછોડાયેલા સંબંધે વૈરાગ્યતાનો અનુભવ કરાવ્યો. વ્યક્તિ જીવનભર જેને બહાર શોધે છે તે તત્વ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતું હોય તેવું ન બને અને જો બને તો સ્વ માટે સર્જિત છે તેવું માની લેવું તે પણ બૌદ્ધિક દ્રષ્ટિએ વ્યર્થ છે. વૈરાગ્યએ વ્યક્તિને યોગી બનાવ્યો અને યોગીઓએ આધ્યાત્મનું સરણ સ્વીકાર્યું. આધ્યાત્મિકતા ભરેલું જીવન જીવવું અને સાંસારિક જીવન જીવવું બંનેમાં વ્યક્તિ ભોગને જ શોધતો હોય છે. વ્યક્તિ સંસારની તમામ માયાથી પર જવા વસ્તુઓનો કે વ્યક્તિનો ત્યાગ કરે અને અંતે શાંતિ મેળવવા પરમાત્માનો સહારો લે છે. સાંસારિક જીવનની ઇચ્છાઓ અસ્વીકૃત થઈ તો કદાચ આધ્યાત્મિકતા તેને સ્વીકાર્ય ગણે.. માટે વ્યક્તિ છાને ખૂણે ચિંતન તો ભોગનો જ કરતો હોય છે. દરેક દર્પણમાં ચહેરા એક સમાન ન જોવાય તેનો અર્થ તે ચહેરાઓમાં ફેરફાર થાય છે તેવું હોતું નથી. વ્યક્તિ જેવો છે તેવો જ છે. માત્ર ઈચ્છાઓ અને અભિપ્રાયો બદલાયા છે. અભિપ્રાયો કેટલેક અંશે સંઘર્ષને જન્મ આપે છે. સંઘર્ષ વ્યક્તિને કાર્યરત રાખી શકે છે પરંતુ સુખ તો ન જ આપી શકે.
સામાજિક પરિવર્તન સંઘર્ષ, પ્રગતિ, કર્તવ્ય અને ક્રાંતિ સાથે સંકળાયેલા છે, અલબત માત્ર આ જ પૂરતાં નથી. અવ્યવહારુ પરિસ્થિતિનાં મૂલ્યોમાં સંઘર્ષ કરતાં ક્રાંતિ વધુ હોય છે. સામાજિક પ્રશ્નો કે સમસ્યાઓને એક મતે ઉકેલવી તે પણ શક્ય નથી.વ્યક્તિ મત ક્યારેક એક ના હોય અને એક સમાન મતે લેવાયેલ નિર્ણયમાં ગમેતે એક વ્યક્તિ સ્વીકારક હોય છે. વ્યક્તિ પરિવર્તન માટે જાગૃતિ અને સતર્કતાનો પાયો મજબૂત હોવો આવશ્યક છે. વ્યક્તિ પરિવર્તનની ક્રિયા સામાજિક મોભા ને ઉગતા સૂર્યની જેમ પ્રકાશિત કરી શકે છે. ક્રોધી અને અજ્ઞાની વ્યક્તિ બપોરના તડકા જેવો હોય છે તે માત્ર બાળે છે. બળાપો દૂષણ છે. વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરે છે અનુકૂળતાઓને જ સર્વસ્વ માનીને બેસી રહેનાર વ્યક્તિ ક્યારેય બોધ ગ્રહણ ન કરી શકે. સત્યના પાસાનું પૃથક્કરણ કરી અને સ્વીકારવું તે અધ્યયન ક્રિયાનું સાત્વિક કૌશલ્ય છે.
વિદ્યાકીય સ્વતંત્રતા અધ્યાપનનું શ્રેષ્ઠ પાસુ માની શકાય. અધ્યયન અને અધ્યાપન બંને ક્રિયા માટે વ્યક્તિને મુક્ત વિવેચનનો અધિકાર હોવો જોઈએ. મુક્ત વિવેચનનો અર્થ માત્ર શાબ્દિક સ્વતંત્રતા એવો થતો નથી. શાબ્દિકતા સંવાદને ઉજાગર કરી શકે છે. મૌલિકતા બુદ્ધિને સ્વતંત્રતા બક્ષે છે પરંતુ સર્જકતા કુદરતના કાનૂન સાથે સમકક્ષ બની શકે છે. ખોજ માટે બુદ્ધિચાતુર્યની સાથે સહજ સ્વીકારકતાનો ગુણ પણ જરૂરી છે. સફળ વ્યક્તિએ અનેક નિષ્ફળતાને શિક્ષક તરીકે સ્વીકારી હોય છે. નિષ્ફળતાના પાયાઓ જો પંથ નું નિર્માણ ન કરતાં હોય તો તે નિષ્ફળતા પણ નકામી જ કહેવાય. જ્ઞાની વ્યક્તિ પ્રયત્નશીલ હોય તે જરૂરી નથી પરંતુ પ્રયત્નશીલ વ્યક્તિ જ્ઞાની બની શકે. જો સૃષ્ટિના સર્જન અને શાસન નો સવાલ હોય તો વ્યક્તિ કેટલેક અંશે શાસક બની શકતો હોય છે પરંતુ તે ઈશ્વરની સર્જકતા ઉપર અધિકાર જન્માવાનો પ્રયત્ન કરે તો તે મૂર્ખામી છે. ઈશ્વરતો સ્વયંને શાસક નથી માનતો તો માનવીય વલણનું તો અસ્તિત્વ જ અવગણી નાખવું જોઈએ.
સત્યની તપાસ અંગેનો અધિકાર ઈશ્વરે વ્યક્તિને આપ્યો છે પરંતુ તે નિશ્ચિત માળખામાં ક્યારેય ઢાળતો નથી. આવું હોઈ શકે તેવું માનવું એ ઈશ્વરીય સ્વતંત્રતા છે. માત્ર આવું જ છે તેવું માનીને ચાલવું તે અજ્ઞાનની સ્વતંત્રતા છે. કોઈપણ સંદર્ભમાં માળખાકીય ટીકા કરી શકે એ શિક્ષણની સ્વતંત્રતા છે પરંતુ કોઈ પણ સ્વાતંત્ર દ્રષ્ટિબિંદુઓનું સન્માન કરવું એ વિદ્યાકીય સ્વતંત્રતા અને સંસ્કાર છે. સામાજિક શિક્ષણના સ્તરને ઉચ્ચ લાવવા માટે સત્ય નો સ્વીકાર થવો જરૂરી છે. સત્ય ક્યારેય શિક્ષણને આધીન નથી હોતું તે માત્ર હોય છે.. તેનું અસ્તિત્વ છે.... તેને શોધવું, જાણવું, પૃથક્કરણ કરવું અને સ્વીકારું તે વ્યક્તિ આધીન હોય છે. સત્ય ને માનવ ક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી. સત્ય એ મૂર્ખ અને જ્ઞાની બંને વ્યક્તિ માટે એક સમાન જ હોય એટલે.... તો તે "સત્ય" છે.
જૈમીન જોષી.
Sunday, November 1, 2020
માનવ વલણ અને સ્વભાવ (Human attitude and disposition)
- માનવ પ્રકૃતિના સામાજિક પાસા શૈક્ષણિક પ્રથાને વિભિન્ન રીતે પ્રદર્શિત કરે છે.
ઈશ્વરે માનવીની અંદર વિવિધ શક્તિઓનું સંચય કર્યું છે. આધ્યાત્મિકતા તેમાંની એક છે. વ્યક્તિ ઉછેર, સ્વભાવ, કેળવણી, વાતાવરણ સંસ્કાર અને વંશાનુક્રમ વચ્ચે રહેલ ભેદ અલગ તારવી તેને સમજવો જરૂરી છે. માનવી સ્વભાવગત ક્રિયાશીલ છે. આદર્શવાદીઓ મનના કાર્યને પદાર્થમાં જુએ છે, તો કર્મવાદી ક્રિયામાં, વાસ્તવવાદીઓ શરીર સુખમાં વધુ માને છે. ઈંદ્રિયોના ભોગવિલાસ એ વ્યક્તિમાં બે રીતે ઉતરી આવે છે. એક અનુભવમાંથી અને બીજું આનુવંશિક રીતે. આનુવંશિકતા ઉપર વ્યક્તિ નિરુપાય હોય છે પરંતુ અનુભવોને વિવિધ દ્રષ્ટિથી જોઈ શકાય.
બાળક જન્મ પછી માતા પાસેથી શીખે પછી શાળા, કુટુંબ, સમાજ અને મિત્રો પાસેથી શીખે અને અંતે અનુભવથી શીખે. શીખવું એ ગુણધર્મ છે. અનુભવએ એક ક્રિયા છે. તેમાંથી દરેકે પસાર થવું જ પડે. અનુભવ દ્વારાં મેળવેલ જ્ઞાન વ્યક્તિને નિખારે છે. અબોલા પશુઓ માટે જ્ઞાનનો માર્ગ તેજ છે તે શ્રવણ જ્ઞાન કુદરતી રીતે જ અફળ હોય. મનની દોર વ્યક્તિ હસ્તગત હોવી અતિ આવશ્યક છે. મનને કેળવી શકાય, મનને પઢાવીએ તેટલું પઢે. વ્યક્તિ જ્યારે શીખવાની અવધિમાં હોય ત્યારે તેના શરીર સ્નાયુઓ ક્રિયાશીલ હોય છે. કોઈ પણ અધ્યયન પ્રત્યક્ષ રીતે અનુભવીત હોવું જોઈએ તે જ બોધ.. તે જ જ્ઞાન. આવિષ્કાર અલગ વસ્તુ છે તેના માટે ઊંડો અભ્યાસ, તર્ક અને વિશેષ જ્ઞાનની સાથે સાથે માનવી માનશિક રીતે સક્રિય હોવો જરૂરી છે.આળસ અને સ્થૂળતા વ્યક્તિઉર્જાને નષ્ઠ કરતી હોય છે.
આપણે માનવ પ્રકૃતિ અને પ્રાણી-પશુ પ્રકૃતિનો અભ્યાસ કરીએ તો મોટા ભાગની ક્રિયાઓ મળતાવડી નીકળે. પશુઓ પાસે મર્યાદિત શક્તિઓ છે જે તેમનું જીવન ટકાવી રાખવા પુરતી હોય છે. તે અનુકૂલન સાધી તેમનું અસ્તિત્વ જાળવી રાખે છે. માનવમાં અલગ અલગ પશુઓની વૃત્તિ જોવા મળતી હોય છે. વાઘ શિકાર કરી શકે, હાથી સૂંઢથી પાણી ભરી શકે, સિંહ જંગલમાં રાજ કરી શકે તો શિયાળ બુદ્ધિ ચાતુરાય વાપરી શકે, ચિત્તો ઝડપી દોડી શકે. મગર કલાકો શુદ્ધિ પાણીમાં સ્થિર અવસ્થા જાળવી શકે તો દેડકો છો મહિના સુધી જમીનમાં શ્વાસ માત્રથી જીવી શકે. દરેક પશુમાં કોઈને કોઈ ખાસ ચાતુર્ય હોય જ છે. જે પોતાની જાતને અલગ પ્રજાતિ પ્રદર્શિત કરતું હોય છે. હાથી કદાવર અને શક્તિશાળી જ હોય, વાગના નખ અને જીભ ઘાતક અને બરછટ જ હોય, જિરાફની ડોક લાંબી જ હોય, સાબરના શિંગડા વાંકા જ હોય, ગધેડા એક સ્થાને ઊભા રહી ઊંગ મેળવતા હોય, રીંછના સમગ્ર શરીરે વાળ જ હોય વગેરે વગેરે... પણ માનવમાં આ તમામ ગુણો જોવાતા હોય છે. તેને ઈશ્વરે વધુ આપ્યું છે, તે વિશેષ છે માટે પશુઓથી શ્રેષ્ઠ છે, છતાં તે દુઃખી છે. મનુષ્ય પ્રકૃતિમાં સ્વાભાવિક રીતે શક્તિઓ કોટી ક્રમે રહેલી છે. માનવ તેના અનુકૂળન માટે ઉપયોગી શક્તિનો સંચાર કરી શકે છે. તેનામાં નિર્માણ વૃત્તિ ઈશ્વર જન્મથી સાથે જ આપી છે. વ્યક્તિએ શક્તિનો ઉપયોગ કરવા કેળવાવું જોઈએ. તાલીમને અવગણી ન શકાય.
હિંસક મનોવલણ એ સમાજ માટે શ્રાપ છે. પ્રાણીઓ માટે હિંસા જરૂરી છે, પશુ માટે નથી પરંતુ માનવ માટે ચોક્કસ કહી ન શકાય. માનવ હિંસા શોખ માટે કરતો થયો છે. પ્રભાવ અને અન્ય પર હાવી થવાના ખોટા આડંબરમાં તે માનવ લક્ષણથી વિપરીત વર્તન કરે છે. હાથી સૌથી શક્તિશાળી પ્રાણી છે પરંતુ તે તેની શક્તિનું પ્રદર્શન ક્યારેય કરતો નથી. સ્વભાવે તે પ્રેમાળ અને ભોળો છે. શરીરશાસ્ત્રનું એક અલગ વિજ્ઞાન છે, તે જટિલ છે પરંતુ તેને સમજ્યા વગર પણ માનવ તેના કાર્યો પાર પાડી શકે છે. દેહ ધાર્મિક છે કે નહીં પરંતુ સ્વભાવ ધાર્મિક હોય તો દેહ ચંદન સુગંધ ફેલાવે. વૈચારિક રીતે માનવ સક્ષમતા ન કેળવી શકે પરંતુ જ્ઞાનની દિશામાં તો તે યંત્રવાદી ન જ બનવો જોઈએ. જ્ઞાનવેગો બદલી શકાય છે પરંતુ તેનાથી ભાગી શકાતું નથી. જીવ છે તો જીવન છે એવું નહીં અધ્યયન છે તો જીવન છે તેવી માનસિકતા ખીલવવી અને કેળવવી ખૂબ જ આવશ્યક છે. ફક્ત વખતો વિતાવવાથી જ્ઞાનના વાયરા ઊંચા ઉડતા નથી.
જૈમીન જોષી.
Saturday, October 31, 2020
શું બૌધિક લક્ષણનું પૃથક્કરણ યોગ્ય હોય છે?(Is the analysis of intellectual trait correct?)
માનવની મૌલિક પ્રકૃતિ સ્થિર કે પરિવર્તનશીલ હોય પણ તેના સાત્વિક સિદ્ધાંતો વૈચારિક અને બૌધિક હોવા જોઈએ.
Sunday, October 25, 2020
શું તમે કારકિર્દી ઘડતરમાં પડકાર ઝીલો છો? (Do you face challenges in shaping your career?)
- ''સપનાની હકીકતથી તુ વાકેફ છે એ કે , સાગરની લહેરોની કોઇ મંઝિલ નથી હોતી .''
પોતાનો સફળતામાં સ્વહસ્તાક્ષર ભલે ન હોય નિષ્ફળતામાં તો હોવા જ જોઈએ :-
Thursday, October 22, 2020
નવરાત્રીના નવ સ્વરૂપ (The nine forms of Navratri)
- નવદુર્ગા નામ :-
Sunday, October 18, 2020
કલમ 376 (IPC Section 376- Punishment for Rape )
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ.
Thursday, October 15, 2020
બળાત્કારની વ્યાખ્યા અને ભારતીય કાયદો ( Definition of rape and Indian law )
મનોવૈજ્ઞાનિક રીતે તો બળાત્કારની અલગ અલગ વ્યાખ્યાઓ થતી હોય છે પરંતુ જ્યારે કાયદાની વાત આવે ત્યારે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને સજાનું પ્રાધાન્ય હોય છે. મોટા ભાગે સામાન્ય વ્યક્તિ કાયદાકીય ભાષાથી અવગત હોતા નથી માટે તે સહજ રીતે બળાત્કારીઓ સાથે કેવા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ અથવા કયા પ્રકારની સજા થવી જોઈએ તે વિષે રોષ ઠાલવી દે છે, પરંતુ કાયદો ચોક્કસ પ્રકારની પધ્ધતિને અનશરતો હોવાથી તે એક આગવું વલણ અપનાવી ચુકાદા આપતો હોય છે જે બની શકે કે જનતાને ન પણ ગમે પરંતુ તેને આપણે સ્વીકાર્ય સિવાય કોઈ અન્ય રસ્તો હોતો નથી. આવી પરિસ્થિતીમાં કાયદાકીય રીતે ખરેખર બળાત્કાર કોને કહેવાય અને તેની સજા શું છે તે જાણવું જરૂરી બની રહે છે. બળાત્કાર અલગ અલગ રીતે થતો હોવાથી તેની પણ અલગ જોગવાઇઓ છે જેની તમામ માહિતી નીચે પ્રમાણે છે.
નીચે વર્ણવેલ સાત પૈકી કોઈપણ સંજોગમાં બળાત્કાર થયો તેમ જાણવું.
- પ્રથમ : - તેણીની ઈચ્છા વિરૂદ્ધ
- બીજુ : - તેણીની સંમતિ વિના
- ત્રીજુ : - તેણીની સંમતિથી જયારે તેણીની સંમતિ તેણીને અથવા તેણીનું હિત હોય તેવી વ્યકિતના ઈજા અથવા મૃત્યુના ભય નીચે મેળવેલ હોય.
- ચોથું :- તેણીની સંમતિથી જયારે પુરૂષ જાણતો હોય કે તે તેણીનો પતિ નથી અને તેણીની આપેલ સંમતિનું કારણ તે બીજો પુરૂષ જેની સાથે તેણીના કાયદેસરના લગ્ન થયાનું તેવી માનતી હોય ,
- પાંચમું :- તેણીની સંમતિથી જયારે સંમતિ આપતી વખતે અસ્થિર મગજ અથવા નશો અથવા તેણીને જાતે અથવા અન્ય મારફતે કોઈ નશાયુક્ત અગર મૂર્છિત પદાર્થ કરનાર આપવામાં આવે જેથી તેણીએ આપેલ સંમતિનો અર્થ અને તેનું પરિણામ સમજી શકવા અશકિતમાન હોય .
- છઠું : - તેણીની સંમતિ અથવા સંમતિ વિના જયારે તેણી અઢાર વર્ષથી નાની ઉંમરની હોય .
- સાતમું : - જયારે તેણી સમંતિ આપવા અસમર્થ હોય .
- અપવાદ -૧ : - તબીબી કાર્યવાહી અથવા દરમ્યાનગીરીથી બળાત્કાર બનતો નથી .
- અપવાદ -૨ : - જે પુરૂષનું તેની પોતાની પત્ની કે જે પત્ની પંદર વર્ષની ઉંમરથી નાની ન હોય તેની સાથેનો જાતીય સમાગમ અથવા જાતિય કૃત્ય બળાત્કાર નથી.
બળાત્કાર માટેની શિક્ષા :
- સજા - :બળાત્કાર - સખત કેદની ૧૦ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદ જેનો અર્થ વ્યક્તિની કુદરતી બાકી જિંદગી સુધી અને દંડ , - પોલીસ અધિકારનો - બિન - જમીની - સેશન્સ કોર્ટ.
જૈમીન જોષી.
સીપીઆર શું છે ? ( What is CPR?)
સીપીઆર શું છે ? What is CPR? વધતો જતો સ્ટ્રેસ અને અતિ વ્યસ્તતાના કારણે આપણે પોતાના શરીર અને તેની રચના વિશે અજાગૃત થઇ ગયા ...

-
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. [ કલમ ૩૭૬ - એ ] : - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :- ...
-
મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે...
-
પ્લાસ્ટિકની શોધ સમાજને ઉપયોગી ખરી પણ પર્યાવરણ માટે ખતરા રૂપ છે. વિજ્ઞાનની ઘણી બધી શાખાઓમાં રસાયણ વિજ્ઞાન પણ એક છે. જે વિવિધ પદાર્થની જન્...
-
સમર્પણ , સ્નેહ અને ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!! MEERA ક્રુષ્ણ પ્રિય મીરાં: છ સાત વર્ષની બાળા એક વટેમાર્ગ...
-
Archimedes One of best Mathematician Archimedes ગ્રીક ખગોળવિદ ફેઈડિયાઝના ઘરે આર્કિમીડીઝનો જન્મ થયો હતો.જે...